QuoteHealthcare services have improved under the 'double engine' government: PM Modi in Botad

ભારત માતા કી (ઑડિયન્સમાંથી જય... ના અવાજો)


ભારત માતા કી (ઑડિયન્સમાંથી જય... ના અવાજો)


ગઈ કાલે જ્યાં સૂરજનું પહેલું કિરણ પડે છે એ અરુણાચલ પ્રદેશમાં સવારે શરૂઆત કરી. કાશીવિશ્વનાથની ધરતી ઉપર કાર્યક્રમ કરી, જ્યાં સૂરજ આથમે છે છેલ્લે એ પશ્ચિમમાં દમણ આવ્યો, વાપી,વલસાડ, વેરાવળ, ધોરાજી, અમરેલી, અને હવે આ બોટાદ. આ એક જ દિવસમાં હું જ્યાં જ્યાં ગયો છું, અને જે રીતે લોકોનો ઉમંગ અને ઉત્સાહ જોયો છે, લોકોના જે આશીર્વાદ જોયા છે.
અમારા ટીવીવાળા એક્ઝિટ પોલ કરતા હોય છે, સર્વે કરતા હોય છે. છાપાવાળા લેખો લખતા હોય છે. પણ હું મારા પ્રવાસ પછી કહી શકું કે ગુજરાતની જનતાએ અભુતપૂર્વ વિજય અપાવવાનું નક્કી કરી દીધું છે. અને આ બોટાદ એનું જીવતું – જાગતું સાક્ષી છે. આ વિરાટ જનસાગર, એ વાતની ગવાહી પુરે છે કે ચુંટણી પરિણામો નક્કી કરી દીધા છે, લોકોએ. અને સૌરાષ્ટ્રમાં હું જ્યાં જ્યાં ગયો છું, બાકી વિસ્તારોમાં જવાનું હજુ બાકી છે, આ વખતે વિપક્ષના ડબ્બા ગુલ. એક જ અવાજ સંભળાય છે બધેથી,


ફિર એક બાર (ઑડિયન્સમાંથીઃ- મોદી સરકાર...)


ફિર એક બાર (ઑડિયન્સમાંથીઃ- મોદી સરકાર...)


ફિર એક બાર (ઑડિયન્સમાંથીઃ- મોદી સરકાર...)


ગુજરાત અને ભાજપનો સંબંધ બહુ અતુટ છે. એમાંય બોટાદનો તો અમારા જનસંઘના જમાનાથી સંબંધ ભાઈ, જનસંઘને જે કોઈ ઓળખતું નહોતું, જે જમાનામાં. હજુ તો શરૂઆત હતી, દીવાલો ઉપર દીવડા ચિતરતા હતા, આપણે. કોઈ ઓળખતું નહોતું. એ વખતે બોટાદની જનતાએ આપણને પારખી લીધા હતા, અને પોંખી લીધા હતા, ભાઈઓ, અને બોટાદમાં પહેલી નગરપાલિકા જનસંઘની બની હતી. અને ખુદ પંડિત દીનદયાળ ઉપાધ્યાય બોટાદ આવીને અહીંની જનતાનો આભાર માન્યો હતો.


આ પારખુ જનતાની ભુમિ એટલે અમારું બોટાદ. અને જે બોટાદે અમને પારખ્યા, એના પછી તો મને આવતા આવતા, ત્રણ પેઢી નીકળી ગઈ. પણ બોટાદે ક્યારેય સાથ છોડ્યો નહિ. આ પંથકે સાથ છોડ્યો નહિ. અને એટલા માટે આજે હું તમારા આશીર્વાદ લેવા તો આવ્યો છું પણ તમારો આભાર માનવા પણ આવ્યો છું, ભાઈઓ.


આપ જાણો છો? પહેલા ચુંટણીઓ થતી હતી, તો એ ચુંટણીઓમાં એમના બાપુજી શું કરતા હતા, એમના દાદા શું કરતા હતા, એમના કાકા-મામા શું કરતા હતા, એમનું કુટુંબ કેવડું મોટું હતું, એના આધારે વોટ માગતા હતા. પછી જમાનો આવ્યો, એ ફલાણી જાતિના છે, ઢીકણી જાતિના છે, ફલાણી જાતિના છે, એના આધારે વોટ માગો. પછી જમાનો આવ્યો, ભઈ, એ તો માથાભારે છે, જો સાચવજો, આપણે વોટ આપી દો ને, નકામું...


આવા વાતાવરણમાં ચુંટણીઓ ચાલતી હતી અને પછી એક જમાનો આવ્યો, ચુંટણીનો મુદ્દો શું હોય? તમે આટલા ખાઈ ગયા હતા, તમે આટલું લૂંટી લીધું હતું. તમે આટલા ગોટાળા કર્યા હતા. તમારા ભત્રીજાએ આમ કર્યું હતું, તમારા દીકરાએ આમ કર્યું હતું. ચુંટણીના મુદ્દા ગોટાળાઓથી ભરેલા પડ્યા હતા. છાપામાં હેડલાઈનો રહેતી, આટલા કરોડનું કર્યું, આટલા કરોડનું આમ કર્યું. આ ભારતીય જનતા પાર્ટીનો જ્યારથી ગુજરાતમાં વિજયધ્વજ ફરકાણો છે, અને હવે ગોટાળાની નહિ, ચુંટણીનો મુદ્દો હોય છે, વિકાસનો મુદ્દો.


વિકાસનો મુદ્દો બનાવવાનું કામ હિન્દુસ્તાનની રાજનીતિમાં, ગુજરાતે એની પહેલ કરી, ભાજપે પહેલ કરી અને વિકાસને પ્રાથમિકતા આપીને આજે હિન્દુસ્તાનની બધી પોલિટિકલ પાર્ટીઓને ચુંટણીમાં વિકાસની વાત કરવા માટે મજબુર દીધા છે, ભાઈઓ. અને આજે જ્યારે હું એવી અહીંયા ભુમિ ઉપર આવ્યો છું કે આમાં રાજકોટેય અડે, અમારા કુંવરજીભાઈ અહીંયા બેઠા છે, અહીંયા ધંધુકાય અડે, અહીંયા બોટાદ પણ અડે, એટલે બોટાદ એવું છે, બધાને સમાવે એવું.


અને જ્યારે હું ગુજરાતમાં હતો ત્યારે મને ખબર હતી, જેમ આજે ઉદ્યોગ એટલે વાપી, વલસાડ, એની ચર્ચા થાય છે ને, બોટાદના નવજવાનો, સૌરાષ્ટ્રના નવજવાનો, અમદાવાદ જિલ્લાના નવજવાનો, મારા શબ્દો લખી રાખજો, એ દિવસ દૂર નહિ હોય, જ્યારે વલભીપુર, ધંધુકા, ધોલેરા, બોટાદ, ભાવનગર, આખો પટ્ટો ગુજરાતમાં ઔદ્યોગિક રીતે સૌથી ધમધમતું ક્ષેત્ર હશે.


આ એ ભુમિ છે, તમારી પડોશમાં જ વિમાનો બનવાના છે, ભાઈઓ. જે ગુજરાતમાં સાઈકલ નહોતી બનતી ને ત્યાં હવે વિમાન બનવાના છે. ગુજરાતના જુવાનીયાઓનું ભવિષ્ય કેટલું ઉજ્જવળ છે, એનું આ ઉદાહરણ છે. અને એટલે જ બોટાદ જિલ્લો બનાવવાનો જ્યારે વિચાર આવ્યો હતો, અને સૌરાષ્ટ્રમાં ચાર જિલ્લા નવા બનાવ્યા હતા. પ્રમાણમાં નાના હતા પરંતુ મને ખબર હતી કે આ આખી નવી રચના છે, એ ગુજરાતના ભાગ્યને બદલવા માટે પાયાનું કામ કરી રહી છે.


ફેરી સર્વિસ, રો-રો ફેરી સર્વિસ. ભાવનગરને દક્ષિણ ગુજરાત સાથે જોડે છે, એ પણ વિકાસ માટેનું મોટું માધ્યમ બનવાનું છે. ગુજરાતને તેજીથી વિકાસ માટેનું આ કેન્દ્ર બનવાનું છે. જે કદાચ ગણતરીમાં નહોતું. એ વિકાસની મોટી પહેલ આ ભુમિમાં થવાની છે, ભાઈઓ. અને એટલા માટે મારો મત રહ્યો છે, અને હું જ્યારે અહીંયા જિલ્લાના ઉદઘાટન સમારંભમાં આવ્યો હતો, ત્યારે મેં કહ્યું હતું કે આ બોટાદ અને આખા પટ્ટામાં વિકાસ માટેની અનેક સંભાવનાઓ પડેલી છે.


એ જુના લોકો અહીંયા બેઠા હશે, તો યાદ હશે. અને આજે અમે એ સંકલ્પ લઈને આગળ વધી રહ્યા છીએ, એ સંકલ્પ લઈને, અને ગુજરાતના યુવાનોની આકાંક્ષાઓ, ગુજરાતના યુવાનોનું સામર્થ્ય, એને આવતીકાલના ગુજરાતના નિર્માણ સાથે જોડવા માટેનું ગુજરાતમાં 21મી સદીમાં મારું ગુજરાત કેવું ધમધમતું હોય, 21મી સદીમાં મારું ગુજરાત કેવું મજબુતીથી આગળ આવે એના માટે કામ ચાલે છે.
જે ગામોમાં આજે, અને જ્યારે કામ કરતા હોઈએ એટલે અપેક્ષા વધારે રહે. ઘરમાં પણ દીકરો નાપાસ થતો હોય ને તો મા-બાપને એટલી જ ઈચ્છા હોય કે આ વર્ષે પાસ થઈ જાય તો સારું. પણ ફર્સ્ટ કલાસ લાવતો હોય તો મા-બાપની ઈચ્છા હોય કે ભઈ, જરા ટકા વધારે લાવ ને. 80 લાવે તો મા-બાપને થાય કે 90 ટકા લાવ ને. આ મનુષ્યનો સ્વભાવ છે.


પહેલા સરકારો હતી, લોકો હેન્ડ પંપ માગતા હતા. અમારી સરકાર આવી તો લોકો કહે છે કે ઘરમાં નળથી પાણી આવે, એવું કરી દેજો હોં, મોદી સાહેબ. પહેલા કહેતા હતા કે માટીકામ કરાવી દેજો. હવે અમને કહે છે કે સાહેબ, પેવર રોડ જોઈએ, પેવર રોડ. સિંગલ પટ્ટી ના ચાલે, અમારે તો ફોર-લેન રોડ જોઈએ. આ જે ભાવના ગુજરાતમાં જાગી છે ને, એ ગુજરાતની પ્રગતિની તાકાત બતાવે છે, ભાઈઓ. અને એ વાતાવરણ બનાવવાનું કામ ભારતીય જનતા પાર્ટીની સરકારોએ કર્યું છે.


આજે જે ગામમાં સડક હોય તો ગામવાળા રજુઆત કરવા આવે કે સાહેબ, હવે ટ્રેન આવે એવું કરો. ટ્રેન આવતી હોય, તો કહેવા આવે કે સાહેબ હવે બહુ થઈ ગયું, હવે એરપોર્ટ બનાવો ને. એરપોર્ટ બની ગયું હોય તો એમ કહે કે સાહેબ, બે જ વિમાન આવે છે, આઠ આવે એવું કરો ને. આ અમારું કામ છે, ભાઈઓ. જ્યાં એક ડિસ્પેન્સરી ના હોય ત્યાં લોકો આજે અમારી પાસે હોસ્પિટલની માગણી કરે છે.


મેડિકલ કોલેજ બને એની અપેક્ષા કરે છે. કારણ? અમે વિકાસના બીજનું વાવેતર કર્યું છે. અને એના કારણે પ્રત્યેક ગુજરાતીના મનમાં વિકાસની નવી ઊંચાઈઓ પાર કરવાનું મન થાય છે અને મારા યુવાનીયાઓનું તો જોમ ધખધખી રહ્યું છે કે વિકાસમાં નવી ઊંચાઈઓ ઉપર પહોંચવું છે.


સ્કૂલો સ્માર્ટ બને એના માટેની ચિંતા, કોલેજોમાં પ્રોફેશનલ કોર્સીસ શરૂ થાય એના માટે, આ આકાંક્ષા ગુજરાતમાં જોવા મળે છે, એના મૂળમાં વિકાસનું વાતાવરણ આપણે કર્યું છે. વિકાસનું વાવેતર આપણે કર્યું છે. વિકાસના સંકલ્પ કર્યા છે. વિકાસની સિદ્ધિઓ કરી છે, અને એના કારણે આપણને આ પરિણામ મળ્યું છે, ભાઈઓ. 20 વર્ષ પહેલા તો પ્રાથમિક જરુરીયાતોના ફાંફા પડતા હતા. એના એ લક્ષ્યો કેમ પુરા કરવા, હવે તો? હવે તો મારે ભવ્ય અને વૈભવશાળી ગુજરાત. આ સપનું જોઈને આગળ વધવું છે, ભાઈઓ. અને એટલા માટે મને તમારા આશીર્વાદ જોઈએ છે. અમારા ભુપેન્દ્રભાઈના નેતૃત્વમાં ગુજરાતની સરકાર અનેક દિશાઓમાં આજે પ્રગતિના નવા સોપાન ચલાવી રહી છે. એમની જે ઔદ્યોગિક પોલિસી, ગુજરાત સરકાર લાવી છે, ભુપેન્દ્રભાઈના નેતૃત્વમાં, એમાં લઘુઉદ્યોગો માટે સૌથી વધારે સંભાવનાઓ ઉભી થઈ છે. અને લઘુઉદ્યોગો, એ રોજગાર તો આપે જ, પરંતુ નાના નાના માણસોને ઉદ્યોગપતિ બનાવવા માટેના દરવાજા ખોલી નાખતું હોય છે, ભાઈઓ.


આજે ગુજરાતની અંદર શિક્ષણમાં મિશન સ્કૂલ ઓફ એક્સલન્સ, આજે અભિયાન ચાલ્યું છે, એ હિન્દુસ્તાન માટે મોડલ બની રહ્યું છે. હિન્દુસ્તાનના અનેક શિક્ષા મંત્રીઓ આવીને, એનો અભ્યાસ કરવા માટે અહીં આવ્યા હતા.


ભાઈઓ, બહેનો,


ગુજરાતના શિક્ષણમાં પણ હવે તો ફાઈવ-જીનો યુગ શરૂ થઈ જવાનો છે. 20,000 સ્કૂલ, ફાઈવ-જીના દોરમાં પ્રવેશ કરે એ દિશામાં કામ ચાલી રહ્યું છે. અને ગુજરાતમાં તેજ આધુનિક ઈન્ફ્રાસ્ટ્રકચર બને, તેજ ગતિથી ગુજરાત આગળ વધે, સિંચાઈની પરિયોજનાઓ નવી બને, નવી સડકો બને, નવી હોસ્પિટલો બને, આ દિશામાં ભુપેન્દ્રભાઈ અને એમની આખી પુરી ટીમ પુરી જહેમત લઈને કામ કરી રહી છે. અને ભાજપનો તો સંકલ્પ જ છે, ભાઈઓ. જે સંકલ્પ અમે લઈએ, એને અમારી આંખો સામે સિદ્ધ કરીએ છીએ. એને પરિપૂર્ણ કરવા માટેનો અમારો પ્રયાસ ચાલતો હોય છે, અને એમાં અમારી માતાઓ, બહેનોનું યોગદાન, અમારા અનેક નવસાથીઓ, એમનું જે યોગદાન રહ્યું છે, એને હું જરાય ઓછું નથી આંકતો.


ભાઈઓ, બહેનો,


તમને બરાબર યાદ હશે, આ બોટાદ શહેરની આસપાસ ગામડાઓમાં પાણીની સ્થિતિ કેવી હતી? અહીં અમારા ધંધુકાના ઉમેદવાર બેઠા છે. મને યાદ છે, ધંધુકાવાળા શું કહે? ભઈ, દીકરીને બંદુકે દેજો, પણ ધંધુકે ના દેતા. આવું કહેતા હતા. અમારા રાણપુરમાં મને યાદ છે, જ્યારે ચેક ડેમ બનાવ્યા, પાણી આવ્યું અને રાણપુરની અંદર પાણી આમ ઉભરાતા ફોટા આવ્યા, તો અમારા રાણપુરના લોકોએ મને પત્ર લખ્યો હતો કે સાહેબ, અમે તો પાણી કોઈ દિવસ જોયું નહોતું, ને આજે અમારા રાણપુરમાં પાણી દેખાણું છે.


આપણી બહેનોને પાણી માટે કેટલી બધી મહેનત કરવી પડતી હતી. કેટલું બધું કષ્ટ વેઠવું પડતું હતું. મને યાદ હતું, એ વખતે તો હું સંઘના કામ માટે પ્રવાસ કરું ત્યારે મને કહે કે સાહેબ, તમે આવો, કાર્યક્રમ કરો, પણ રાત રોકાતા નહિ. કેમ? તો સવારમાં નાહવા માટે બાલદીભર પાણી આપવું બહુ મુશ્કેલ પડે છે, અમારે. આવા દિવસો મેં આ પટ્ટામાં જોયેલા છે, ભાઈઓ. અને આપણે જ્યારે સૌની યોજના લઈને આવ્યા, સરદાર સરોવર કેનાલ નેટવર્ક લઈ આવ્યા, મહી યોજનાનું પાણી લઈ આવ્યા, અને આખી તાસીર બદલી નાખી.


આજે નળથી ઘરમાં જળ જાય, એના માટે કામ કર્યું અને ખેતરે ખેતરે પાણી પહોંચે એના માટે કામ કર્યું અને એના કારણે ગુજરાતનો ખેડૂત ત્રણ ત્રણ પાક લઈ રહ્યો છે, અને હજુય આ કામ અટક્યું છે એવું નહિ, પુરું થઈ ગયું છે, એવું નહિ. અમે તો નિરંતર નવું નવું કામ શોધવાની, અમને તો નવા કામ કરવાની ભુખ છે, ભાઈઓ. જેથી કરીને ગુજરાતની, ઉજ્જવળ ભવિષ્ય થાય, ગુજરાતની આ પેઢીઓને, આવનારા 100 વર્ષ સુધી પાછા વળીને જોવું ના પડે, એવું મજબુતીનું કામ કરવું છે. અને એટલા માટે આ 25 વર્ષ ખુબ મહત્વના છે, ભાઈઓ. આ ચુંટણી પાંચ વર્ષ માટે નથી, આ ચૂંટણી, 25 વર્ષનું ગુજરાત કેવું હશે, એના માટે છે, ભાઈઓ.


અને એટલા માટે, અને જ્યારે સૌની યોજના લિન્ક – 2 અને પેકેજ – 7, આનું ઉદઘાટન કરવાનો મને મોકો મળ્યો હતો અને એનાથી બોટાદ જિલ્લાના અનેક ગામોને લાભ મળવાનો છે. ભાઈઓ, બહેનો, વીજળીથી આપણે જીવનના અંધકારને દૂર કરવાનું કામ કર્યું છે. વીજળીની કેવી સ્થિતિ હતી? મને યાદ છે, હું જ્યારે ગુજરાતમાં આવ્યો, ત્યારે લોકો કહે કે સાહેબ, સાંજે વાળું કરતી વખતે વીજળી આપજો ને... અમારા રત્નકલાકારો સુરતની અંદર એક એક કોટડીમાં 20 – 20, 25 – 25 લોકો રહે, ઊંઘવા માટે પણ પાળી બનાવવી પડે.


આજે 24 કલાક વીજળી આવી, તો અમારા આખા બોટાદ પંથકની અંદર હીરાનું કામ શરૂ થઈ ગયું. ઘેર મા-બાપ જોડે રહે, ખેતર, પશુપાલન, બધુ સંભાળે. ટાઈમ મળે ત્યારે હીરો ઘસે. અને એક પડીકીમાં લઈ જઈને આપી આવે, સુરતમાં. આ સ્થિતિ આપણે પેદા કરી દીધી. કારણ? જ્યોતિગ્રામ યોજના. આ જ્યોતિગ્રામ યોજનાએ આ તાકાત ઉભી કરી છે. જેના કારણે ગામડે ગામડે આવા એક ગૃહ ઉદ્યોગો જેવી સ્થિતિ આપણે પેદા કરી છે. અને એના કારણે અમારા સુરતમાં ગયેલા કારીગરો હવે બોટાદમાં પાછા આવીને રહેવા માંડ્યા. ભાવનગર પંથકમાં પાછા રહેવા માંડ્યા.


ભાઈઓ, બહેનો,


પઢાઈની વાત હોય, કમાઈની વાત હોય, દવાઈની વાત હોય કે સિંચાઈની વાત હોય, આ બધા જ ક્ષેત્રમાં આજે સુવિધાઓની બાબતમાં ગુજરાત આગળ રહ્યું છે. ગુજરાતનો અમારો ખેડૂત, આ વખતે તો મગફળી, કપાસ, તેજી એવી છે ને, હવે તો કોટનમાંય આપણે ટેક્ષ્ટાઈલ પાર્ક બની રહ્યો છે, અહીંયા કપાસ ઉગાડનાર ખેડૂતોને વેલ્યુ એડિશન માટેનો મોટો અવસર મળવાનો છે.


ભાઈઓ, બહેનો,


આપણે ત્યાં કહ્યું છે કે બાકી બધું હોય, પણ જો સ્વાસ્થ્ય ઉત્તમ ના હોય તો બધું નકામું. સ્વાસ્થ્યની માટે આપણે ત્યાં બહુ માહાત્મ્ય આપ્યું છે. તમે ગમે તેટલું ભણેલા ગણેલા હો, પરંતુ તમે જો માંદા રહેતા હોય, દુબળા પાતળા રહેતા હોય, ઠેકાણા ના હોય તો આ બધું કામનું નહિ. આપણે ગુજરાતને પણ સ્વસ્થ ગુજરાત બનાવવાનું અભિયાન ઉપાડ્યું. ગુજરાતના પ્રત્યેક નાગરિકને સ્વસ્થ બનાવવાનું અભિયાન ઉપાડ્યું. અને દસકો સુધી જે સરકારો રહી, એમણે તો સ્વાસ્થ્યને, હેલ્થને લોકોના ઉપર છોડી દીધી હતી, જાણે સરકારની કોઈ જવાબદારી જ નહિ, કોઈ પુછનાર નહોતું. હાલત એટલી ખરાબ હતી, એ દિવસોમાં, કે ના શહેરોમાં સારા કોઈ હોસ્પિટલો હતા, ના ગામડામાં કોઈ પુછતાછ કરવાવાળું હતું.


એટલું જ નહિ, અમારી ગર્ભવતી માતાઓ, એને હોસ્પિટલમાં ડિલિવરી માટેની સુવિધા નહોતી. અને મુસીબત હોય ને લઈ જવાની હોય તો રસ્તામાં જ બિચારીનું પ્રાણપંખેરું ઊડી જતું હતું. અનેક બાળકો કુપોષણને કારણે મૃત્યુ પામતા હતા, એવા દિવસો હતા. ઈમર્જન્સી આવી પડે, માંદગીમાં તાકીદની જરુરીયાત હોય, તો આપણને એમ્બ્યુલન્સ મંગાવવી હોય તો ના મળે. અને એક જમાનો એવો હતો, ખબર ના પડે કે આ ડેડબોડી વાન છે કે એમ્બ્યુલન્સ વાન છે, એવી દુર્દશા હતી.


પેટ્રોલના અભાવે એમ્બ્યુલન્સો નહોતી ચાલતી, એવા ગુજરાતમાં આજથી 25 વર્ષ પહેલા છાપામાં સમાચારો આવતા હતા, ભાઈઓ. કોઈને હાર્ટ એટેક આવી જાય, કોઈની તબિયત અચાનક બગડે, એને હોસ્પિટલ ઉપર કેમ પહોંચાડવો અને આખરે એનું બિચારાનું પ્રાણપંખેરું ઊડી જતું હતું. જે શહેરોમાં હોસ્પિટલ હોય, બિલ્ડિંગ તો બન્યું હોય, પણ ડોક્ટરો ના હોય, ઠેકાણા ના હોય, નર્સિંગ સ્ટાફના નામ-નિશાન ના હોય. જ્યારે નર્સિંગ સ્ટાફ હોય તો પછી હોસ્પિટલની અંદર વીજળી ના હોય, દવાઓના ઠેકાણા ના હોય.


આ ભારતીય જનતા પાર્ટીની સરકાર આવી, અને એણે આખી આ પરિસ્થિતિમાં, સ્વાસ્થ્યના ક્ષેત્રમાં એક બહુ જ મોટો બદલાવ લાવવા માટેનો એક મહાયજ્ઞ આદર્યો છે, ભાઈઓ, બહેનો. આ માનવતાનું મોટું સેવા કરવાનું કામ કર્યું છે, અને એના કારણે જો ઉત્તમ સ્વાસ્થ્ય હોય ને તો જીવન બદલાઈ જાય. અને અમારા સરકારને ગર્ભવતી મહિલાઓને હોસ્પિટલમાં ડિલિવરી થાય, એના માટે ચિરંજીવી યોજના કરી હતી. પ્રાઈવેટ ડોક્ટરોની સાથે જોડાણ કર્યું હતું. પ્રાઈવેટ ડોક્ટરોને પૈસા આપતા હતા. મહિલાને હોસ્પિટલમાં પ્રસુતિ માટે જાય તો એના પતિને પણ બે – ત્રણ દહાડા રજા લેવી પડે તો પૈસા આપતા હતા.


ભાઈઓ, બહેનો,


આપણે ત્યાં એમ્બ્યુલન્સના ઠેકાણા નહોતા, આપણે 108ની સેવા શરૂ કરી અને જ્યારે હું મુખ્યમંત્રી હતો ને એવરેજ મને અઠવાડિયે પાંચ દસ ફોન એવા આવતા હતા કે ભાઈ, આ 108ના કારણે મારો દીકરો બચી ગયો, મારી દીકરી બચી ગઈ, મારો પરિવાર બચી ગયો. આપણે જ્યારે ચિરંજીવી યોજના કરી તો માતા મૃત્યુ દર, શિશુ મૃત્યુ દર ઘટાડવા માટેનું કામ આદર્યું, અને પછી? ઘેર ગયા પછી પણ બાળકનું મૃત્યુ ના થાય એટલા માટે બાલસખા યોજના શરૂ કરી. જેથી કરીને ડોક્ટર 3 મહિના, 6 મહિના સુધી એ નવા જન્મેલા બાળકની ચિંતા કરે.


કુપોષણ સામે મોટું આંદોલન ચલાવ્યું. આંગણવાડીની અંદર કુપોષણ સામે આંદોલન ચલાવ્યું. આપણે દીકરીઓ સ્વસ્થ હોય તો એના સંતાનો સ્વસ્થ થાય, એટલા માટે દીકરીઓ માટે સબળા અને પૂર્ણા જેવી સ્કિમો લોન્ચ કરી. અમે બાળકો માટે દૂધ સંજીવની યોજનાઓ ચલાવી. જેના કારણે બાળકોને શારીરિક રીતે તકલીફ ના થાય એની ચિંતા કરી આપણે. દીકરીઓ માટે આયર્ન માટેની ટેબલેટો આપવા માટેનું મોટું અભિયાન ચલાવ્યું. સ્કુલોની અંદર મેડિકલ કેમ્પ ચલાવ્યા. અને નાના નાના બાળકો, જેને ચશ્મા જોઈએ એને ચશ્મા આપવાની વ્યવસ્થા કરી. અમે જે બાળકોના હાર્ટના ઓપરેશન કરાવવા પડે, અમદાવાદની અંદર બાળકો માટેની અદ્યતન હોસ્પિટલ બનાવી દીધી.


ભાઈઓ, બહેનો,


એક પછી એક પ્રયોગો કર્યા, એક પછી એક ઉપાયો કર્યા. અને દીકરીઓને લાખો આયર્નની ટેબલેટો આપી અને જેના કારણે એમનું જીવન બદલાઈ ગયું. એ જ રીતે હેલ્થ ચેક-અપ માટેના કાર્યક્રમ કર્યા. ગંભીર બીમારીઓની પહેલેથી ખબર પડે, એની આપણે ચિંતા કરી. સરકારે લાખો મહિલાઓ, દીકરીઓને, બેટીઓને, નાના નાના બાળકોને, એવા લોકો, જેને શારીરિક રીતે, ઉંમર પ્રમાણે વજન ના હોય, ઊંચાઈ ના હોય, 10 કિલો અતિરિક્ત રાશન આપીને એમને પૌષ્ટિક આહાર આપવાની આપણે ચિંતા કરી, અને આ યોજનાની સાથે સાથે હેલ્થ ઈન્ફ્રાસ્ટ્રકચર વધારવા માટે પણ મોટું કામ આપણે ઉપાડ્યું ગુજરાતમાં.


20 વર્ષ પહેલાં ગુજરાતમાં 25,000 આંગણવાડી હતી. આજે 50,000 આંગણવાડી છે. 20 વર્ષ પહેલા ગુજરાતમાં હોસ્પિટલમાં 15,000 નર્સો હતી, આજે ભાજપ સરકારે એ આંકડો 65,000એ પહોંચાડી દીધો છે. 20 વર્ષ પહેલા ગુજરાતમાં 100માંથી 50 ડિલિવરી દાયણો ઘરે કરાવતી હતી. માતાઓ મૃત્યુ પામતી હતી. આજે લગભગ 100 ટકા પ્રસુતિ, ડિલિવરી હોસ્પિટલમાં થાય છે. 20 વર્ષ પહેલા ગુજરાતમાં માત્ર 11 મેડિકલ કોલેજો હતી. આ ભાજપ સરકારમાં આજે 36 મેડિકલ કોલેજોએ પહોંચ્યા છીએ. 20 વર્ષ પહેલા 4 ડેન્ટલ કોલેજો હતી. આજે ભાજપ સરકારે 13 ડેન્ટલ કોલેજો સુધી મામલો પહોંચાડ્યો છે.


20 સાલ પહેલા સરકારી હોસ્પિટલમાં 15,000 બેડ હતા, પથારીઓ 15,000 હતી. આજે આપણે ભાજપની સરકારે 60,000 સુધી પહોંચાડી દીધી છે. 20 વર્ષ પહેલા ગુજરાતની અંદર માત્ર 20 ડાયાલિસીસ સેન્ટર હતા, કિડનીના પેશન્ટ માટે અનેક દિવસો સુધી રાહ જોવી પડતી હતી. અને એના કારણે મૃત્યુદર વધતો હતો. એક જમાનામાં 20 ડાયાલિસીસ સેન્ટર, આજે 300 ડાયાલિસીસ સેન્ટર છે, જેના કારણે ગરીબને પણ મદદ મળે છે. 20 સાલ પહેલા ગુજરાતમાં માંડ 1,000 – 1,200 મેડિકલની સીટો હતી, ભાઈઓ. આજે લગભગ 6,000 – 6,200 જેટલી એમ.બી.બી.એસ.ની સીટો, ગુજરાતના યુવાનોને ડોક્ટર બનવા માટેના દ્વાર ખોલી નાખ્યા છે.


આ ડબલ એન્જિનની સરકારના પરિણામે આજે ગુજરાતમાં સ્વાસ્થ્ય સુવિધાઓ ઉત્તમ થતી જાય છે, અને ડબલ એન્જિનની સરકારે અઢી કરોડ, અઢી કરોડ લોકોને આયુષ્માન ભારતના કાર્ડ, મા યોજનાના કાર્ડ આપ્યા છે. આપણે ત્યાં ગર્ભવતી માતાઓને કુપોષણથી બચાવવા માટે માતૃવંદના યોજના દ્વારા સીધા એના ખાતામાં પૈસા જમા કરી રહ્યા છીએ. ભાજપા સરકારે મિશન અન્નધન યોજના દ્વારા 50 લાખથી વધારે શિશુઓને, બાળકોને ટીકાકરણનું મોટું અભિયાન ચલાવ્યું છે. જેથી કરીને લકવા જેવી બીમારીનો શિકાર ના બને.


ભાજપ સરકારે ગુજરાતના લોકો માટે એઈમ્સ્ જેવી હોસ્પિટલ, સૌરાષ્ટ્રની અંદર એઈમ્સ્ જેવી હોસ્પિટલ બને જે દિલ્હીમાં એક માત્ર હોસ્પિટલ હતી, એવી ગુજરાતમાં બનાવવાની દિશામાં કામ કર્યું છે. અમે દવાઓ સસ્તી મળે, દવાઓ સસ્તી મળે એના માટે જનઔષધિ કેન્દ્રો ખોલ્યા, જેના ઘરમાં ડાયાબિટીસ હોય, 60 – 70 વર્ષની ઉંમરના વડીલો હોય, એમને બબ્બે – ત્રણ ત્રણ હજાર રૂપિયા દવાના બિલ આવતા હતા, અમે દવા 100 રૂપિયામાં દવા મળે, એના માટેની ચિંતા કરી છે, ભાઈઓ.


હૃદયરોગની બીમારી હોય, સ્ટેન્ટ લગાવવાનો હોય, લાખો રૂપિયાનો ખર્ચો હોય, એની ઉપર અમે રોક લગાવીને ઓછા પૈસે દવા થાય એના માટે વ્યવસ્થા કરી. લોકોને આજે ઢિંચણના ઓપરેશન કરવા પડતા હોય છે. એના રૂપિયા ઓછા કરાવી દીધા. કાયદાકીય વ્યવસ્થાઓ ઉભી કરી દીધી. અને આજે કોરોનાની આવડી મોટી લડાઈ આપણે સુખરૂપે પાર પાડી શક્યા, એ લડાઈમાં આપણને જનતા હિંમતથી ટકી રહી. આખી દુનિયામાં હાહાકાર મચી ગયો હતો. અને આપણે ટીકાકરણ જે કર્યું. આટલું મોટું ટીકાકરણ, એના સમાચાર દુનિયાને, સાંભળે તો આશ્ચર્ય થાય છે.


પીપીઈ કિટ નહોતા. આપણે પીપીઈ કિટ બનાવ્યા. નવા ઓક્સિજન પ્લાન્ટ ઉભા કર્યા. અરે, વેન્ટિલેટર નહોતા બનતા આપણા દેશમાં. વેન્ટિલેટર બનાવ્યા. આજે અમારા મનસુખભાઈના નેતૃત્વમાં ટી.બી. મુક્તિનું મોટું અભિયાન ચાલી રહ્યું છે. દેશભરમાંથી લોકોને જોડીને ટી.બી.માંથી મુક્તિ માટે લોકભાગીદારી સાથે એક મોટું અભિયાન ચલાવી રહ્યા છીએ. હિન્દુસ્તાનમાંથી 2025 સુધીમાં ટી.બી.માંથી કોઈ પણ નાગરિક ના ફસાઈ રહે, બધા બહાર નીકળે એના માટેનું અભિયાન ઉપાડ્યું છે.


ગંભીરમાં ગંભીર બીમારીઓમાંથી બચવા માટે એના પણ પ્રિવેન્ટીવ હેલ્થ હોય, ચાહે શૌચાલયની વ્યવસ્થા હોય, પીવાનું શુદ્ધ પાણીની વ્યવસ્થા હોય, ઘર સુધી પાઈપથી પાણી પહોંચે એની વ્યવસ્થા હોય, ચુલાના ધુમાડાના કારણે બહેનો માંદી પડતી હોય તો એમને ઉજ્જવલા દ્વારા ગેસ કનેક્શન આપવાની વાત હોય, આવાં અનેક બાબતો, ધમ, ધમ, ધમ, ધમ, હું બોલી રહ્યો હતો, તમનેય થતું હશે કે આટલા બધા કામ કર્યા છે? હજુ તો મેં બહુ ઓછા કામ કહ્યા છે. ખાલી હેલ્થની જ મેં વાત કરી છે. અને એમાંય બીજા 50 વસ્તુઓ હું જોડી શકું. કહેવાનો મારો મતલબ એ છે.


સ્વસ્થ શરીર, સ્વસ્થ સમાજ માટેની જરુરત હોય છે. સ્વસ્થ દેશ માટે સ્વસ્થ બાળકોની જરુરીયાત હોય છે. અને એટલા માટે આ પાયાના કામ માટે આજે આટલી મહેનત કરી રહ્યા છીએ. લાખો – કરોડો રૂપિયા આપણે ખર્ચી રહ્યા છીએ. જેથી કરીને અમારા સ્વસ્થ ભારતના સપનાંને આપણે સાકાર કરીએ.


આજે કનેક્ટિવિટીનો લાભ બોટાદને મળી રહ્યો છે. અહીંયા કનેક્ટિવિટી જેટલી વધશે, આ સેન્ટર પોઈન્ટ થવાનું અમદાવાદ, બોટાદ, મીટરગેજ રેલવે લાઈન, ટુકટુકિયા ગાડી ચાલતી હતી, આજે બ્રોડગેજ બની ગઈ. અને બ્રોડગેજ બનવાના કારણે મોટી મોટી એક્સપ્રેસ ટ્રેનો, સુપર ફાસ્ટ એક્સપ્રેસ ટ્રેનો, દરિયાકિનારે જનારો જે ગુડસ સ્ટે હોય, એના માટેનો રસ્તો, આ આખો વિસ્તાર ચેતનવંતો બનાવવાનો છે, આધુનિક બનાવવાનો છે.


આધુનિક કનેક્ટિવિટી તરફ આપણે જોર આપી રહ્યા છીએ. અને એના ઉપર આપણું ફોકસ છે. સડકો મોટી થઈ, આધુનિક રેલવે આવે, એરપોર્ટ બને, પોર્ટ બને, લાખો કરોડો રૂપિયાના નિવેશ સાથે આ ગુજરાતનો દરિયાકિનારો અને ગુજરાતના વેપાર ઉદ્યોગ જગતને સાથે જોડવાનું કામ આપણે કરી રહ્યા છીએ. અમારું ધોલેરા, રાજકોટ, હીરાસર આ એરપોર્ટ બની રહ્યું છે, ભાઈઓ આ ઈન્ટરનેશનલ એરપોર્ટ તમારા પડોશમાં બની રહ્યું છે.


આવનારા દિવસોમાં ઉદ્યોગો લાગશે એમ.એસ.એમ.ઈ.નો વિકાસ થશે. જુવાનીયાઓનું ભવિષ્ય બદલાઈ જશે. અને એટલા જ માટે હું કહું છું કે આખાય પંથકનું ઉજ્જવળ ભવિષ્ય ભાઈઓ. આ ઉજ્જવળ ભવિષ્ય માટે ભારતીય જનતા પાર્ટીને તમે જેટલી શક્તિ આપશો, એટલો આ વિસ્તારના વિકાસ કરવા માટેની અમારી સુવિધા વધવાની છે.


ભાઈઓ, બહેનો,


એ દિવસ દૂર નથી, જ્યારે અમદાવાદ, ધોલેરા, બોટાદ, ભાવનગર, મેં કહ્યું એમ આખો, આખો આ પટ્ટો ઔદ્યોગિક ગલિયારો બની જવાનો છે. એક મોટો કોરિડોર બની જવાનો છે. હવે તો શસ્ત્રો પણ ગુજરાતની ધરતી ઉપર બનવા માંડ્યા છે. શસ્ત્રની બાબતમાં આત્મનિર્ભર બનવામાં ગુજરાત પહેલ કરી રહ્યું છે, ભાઈઓ. અને એના કારણે અહીંયા, આપણે ત્યાં નજીકમાં વિરમગામ પાસે મારુતિ કાર, જાપાનની કંપની, મારુતિ કાર બનાવે અને જાપાનવાળા એ જ કારને ઈમ્પોર્ટ કરે ત્યાં સુધી આજે આપણે પ્રગતિ કરી છે. અને એનો લાભ આ આખાય પટ્ટાને મળવાનો છે. અને એટલા માટે હું કહું છું કે અમારા જુવાનીયાઓના ઉજ્જવળ ભવિષ્યને માટે આપણે આ મહેનત આદરી છે. અમારા બોટાદમાં જી.આઈ.ડી.સી. એસ્ટેટ, એના માટેનું કામ પણ તેજીથી ચાલી રહ્યું છે. કારણ કે એનો પાયો આ ધોલેરાના એસ.આઈ.આર. જોડે જોડાયેલો છે.


ભાઈઓ, બહેનો,


ભારતીય જનતા પાર્ટી એ વિકાસની ગેરંટી છે. અમે વિકાસના રસ્તે આગળ વધવા માગીએ છીએ. અમે મજબુતી લાવવા માગીએ છીએ. જેથી કરીને આવનારી આખી પેઢી, આ આખા 100 વર્ષનું કામ અમે પુરું કરવા માગીએ છીએ. જેથી કરીને ગુજરાતને પાછા વળીને જોવાનો વારો ના આવે. અને એટલા માટે આજે દેશભરમાં ચર્ચા એક જ છે કે ભાઈ, ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી આ વખતે ભુતકાળના બધા રેકોર્ડ તોડશે, અને હું પણ તમારી પાસે એક કામ લઈને આવ્યો છું.


મારું કામ કહું? (ઑડિયન્સમાંથી હા... ના અવાજો)


જરા જોરથી જવાબ આપો તો કહું. (ઑડિયન્સમાંથી હા... ના અવાજો)


બધા હાથ ઊંચો કરીને કહો, કહું તમને? (ઑડિયન્સમાંથી હા... ના અવાજો)


આ વખતે ભુતકાળમાં ના થયું હોય એના કરતા વધારે વોટિંગ આપણે દરેક પોલિંગ બુથમાં કરાવવું છે. કરાવશો? (ઑડિયન્સમાંથી હા... ના અવાજો)


હાથ ઉપર કરીને કહો, કરાવશો? (ઑડિયન્સમાંથી હા... ના અવાજો)


ભુતકાળમાં ના મળ્યા હોય એના કરતા વધારે વોટ, દરેક બુથમાંથી ભાજપને અપાવશો? (ઑડિયન્સમાંથી હા... ના અવાજો)


કમળને બટન દબાવડાવશો? (ઑડિયન્સમાંથી હા... ના અવાજો)


આજે આપણે જ્યારે મળ્યા છીએ ત્યારે મેં જે વાતો કરી છે, એ વાતો ઘેર ઘેર પહોંચાડશો? (ઑડિયન્સમાંથી હા... ના અવાજો)


ઘરે ઘરે પહોંચાડશો? (ઑડિયન્સમાંથી હા... ના અવાજો)


અને બીજી વાત, આ બધા લોકો જે બહારથી આવીને ગુજરાતને બદનામ કરવાનું અભિયાન ઉપાડ્યું છે ને ભાઈ, આ નકારાત્મકતાથી કોઈનું ભલું નથી થવાનું. આ બધા લોકો એમના પોતાના ઘર ભરવા માટેના જિંદગી ખપાવી દીધી છે. આપણે તો ગુજરાતને સમૃદ્ધ બનાવવું છે, ભાઈઓ. ગુજરાતને ચેતનવંતુ બનાવવું છે. અને એના માટે થઈને ભાઈઓ, બહેનો, ભાજપમાં ફરી એક વાર વિશ્વાસ મૂકીને આ અમારા બધા સાથીદારોને તમે વિજયી બનાવો.


આ તમારી શક્તિ બનીને કરશે. ભુતકાળમાં ક્યાંક ક્યાંક ભુલો થઈ છે. નાનું મોટું કંઈક કાચું પડ્યું છે. આ વખતે નક્કી કરો, એકેય ખુણામાં કાચું ના પડવું જોઈએ. બધે પાકું કરવું છે, ભાઈઓ, અને આપણે ગુજરાતમા વિકાસમાં રોડા અટકાવવાવાળા, ગુજરાતને બદનામ કરવાવાળા, વાર-તહેવારે ગુજરાતીઓને ગાળો દેવાવાળા, એ આખી જમાતને અહીંયાથી વિદાય કરવાની જરુરીયાત છે. જેથી કરીને ગુજરાત આપણું ફળે, ફુલે, વિકાસની નવી ઊંચાઈઓ પાર કરે, અને એમાં મને તમારા સાથ અને સહકારની જરુર છે.


ભાઈઓ, બહેનો,


આપને મારી એક વિનંતી છે.


મારું એક કામ છે, કરશો બધા? (ઑડિયન્સમાંથી હા... ના અવાજો)


જરા બે હાથ ઉપર કરીને કહો, તો કહું. (ઑડિયન્સ હાથ ઊંચા કરીને હા... ના અવાજો)


કરશો? (ઑડિયન્સમાંથી હા... ના અવાજો)


પણ પાકે પાયે કરવું પડે હોં. (ઑડિયન્સમાંથી હા... ના અવાજો)


મને તમને કામ બતાવવાનો હક્ક ખરો કે નહિ, ખરો? (ઑડિયન્સમાંથી હા... ના અવાજો)


અને મને, હું જે કામ કહું, એ તમે કરો કે ના કરો? (ઑડિયન્સમાંથી હા... ના અવાજો)


બહુ નાનું કામ છે, કરશો? (ઑડિયન્સમાંથી હા... ના અવાજો)
જરા જોરથી બોલો તો હું કહું. (ઑડિયન્સમાંથી હા... ના અવાજો)
શાબાશ.
એક કામ કરજો, હજુ ચૂંટણીમાં મતદાનની વચ્ચે આપણી પાસે અઠવાડિયા, દસ દિવસનો સમય છે.


આ દરમિયાન તમે ઘરે ઘરે જાઓ, આપણે જેટલી વાતો કરી એ બધા ઘેર ઘેર પહોંચાડશો? (ઑડિયન્સમાંથી હા... ના અવાજો)


બધા પહોંચાડશો? (ઑડિયન્સમાંથી હા... ના અવાજો)


હવે મારું એક અંગત કામ કરવાનું છે, કરશો? (ઑડિયન્સમાંથી હા... ના અવાજો)


ખરેખર કરવું પડે, હોં. (ઑડિયન્સમાંથી હા... ના અવાજો)


આટલું જ દરેકના ઘેર ઘેર જઈને કહેજો કે આપણા નરેન્દ્રભાઈ આવ્યા હતા, બોટાદ આવ્યા હતા. અને એમણે તમને નમસ્તે કહેવડાવ્યા છે.


દરેક ઘરમાં જઈને મારા નમસ્તે પહોંચાડશો, ભાઈ? (ઑડિયન્સમાંથી હા... ના અવાજો)


વડીલોને મારા પ્રણામ પહોંચાડશો? (ઑડિયન્સમાંથી હા... ના અવાજો)


આટલું કામ તમે કરો, મને સંતોષ થશે. જેથી કરીને આ વડીલોના મને આશીર્વાદ મળે, તો હું આ દેશ માટે વધારે શક્તિથી કામ કરું. દેશની પ્રગતિ માટે વધારે શક્તિથી કામ કરું. આ સંતો આટલા બધા આવીને મને આશીર્વાદ આપ્યા છે. આ અમારી બધી ટીમને આશીર્વાદ આપ્યા છે. હું બધા સંતોનો માથું નમાવીને આભાર માનું છું. અને આપણે ગુજરાતને નવી ઊંચાઈઓ ઉપર લઈ જઈએ, એ જ અપેક્ષા સાથે, મારી સાથે બોલીએ...


ભારત માતા કી (ઑડિયન્સમાંથી જયઘોષ)


ભારત માતા કી (ઑડિયન્સમાંથી જયઘોષ)


ભારત માતા કી (ઑડિયન્સમાંથી જયઘોષ)


ધન્યવાદ, ભાઈઓ.

Explore More
ప్రతి భారతీయుడి రక్తం మరుగుతోంది: మన్ కీ బాత్‌లో ప్రధాని మోదీ

ప్రముఖ ప్రసంగాలు

ప్రతి భారతీయుడి రక్తం మరుగుతోంది: మన్ కీ బాత్‌లో ప్రధాని మోదీ
How India’s ‘Digital Lifeline’ UPI Is Transforming Payments At Home & Abroad

Media Coverage

How India’s ‘Digital Lifeline’ UPI Is Transforming Payments At Home & Abroad
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Text of PM’s address during launch of various projects at Devi Ahilyabai Mahila Sashaktikaran Mahasammelan in Bhopal
May 31, 2025
QuotePM inaugurates, lays foundation stone of multiple development projects in Bhopal
QuoteThe name of Lokmata Devi Ahilyabai Holkar fills us with reverence, Words fall short to speak about her great personality: PM
QuoteDevi Ahilyabai was a great guardian of India's heritage: PM
QuoteMata Ahilyabai is a symbol of invaluable contribution of our women power in nation building: PM
QuoteOur government is making the vision of women-led development the axis of development: PM
QuoteThe Namo Drone Didi campaign is encouraging the rural women, increasing their income: PM
QuoteToday, a large number of women scientists are working in all our major space missions: PM
QuoteOperation Sindoor has also become a symbol of the strength of our women power: PM

मध्य प्रदेश के राज्यपाल श्रीमान मंगुभाई पटेल, हमारे लोकप्रिय मुख्यमंत्री श्रीमान मोहन यादव जी, टेक्नोलॉजी के माध्यम से हमारे साथ जुड़े हुए केंद्रीय मंत्री, इंदौर से तोखन साहू जी, दतिया से राम मोहन नायडू जी, सतना से मुरलीधर मोहोल जी, यहां मंच पर उपस्थित राज्य के उपमुख्यमंत्री जगदीश देवड़ा जी, राजेंद्र शुक्ला जी, लोकसभा में मेरे साथी वी डी शर्मा जी, अन्य मंत्रिगण, जनप्रतिनिधिगण और विशाल संख्या में आए हुए मेरे प्यारे भाइयों और बहनों।

सबसे पहले मैं मां भारती को भारत की मातृशक्ति को प्रणाम करता हूं। आज यहां इतनी बड़ी संख्या में माताएं-बहनें-बेटियां हमें आशीर्वाद देने आई हैं। मैं आप सभी बहनों के दर्शन पाकर धन्य हो गया हूं।

भाइयों और बहनों,

आज लोकमाता देवी अहिल्याबाई होल्कर जी की तीन सौवीं जन्म जयंती है।140 करोड़ भारतीयों के लिए ये अवसर प्रेरणा का है, राष्ट्र निर्माण के लिए हो रहे भागीरथ प्रयासों में अपना योगदान देने का है। देवी अहिल्याबाई कहती थीं, कि शासन का सही अर्थ जनता की सेवा करना और उनके जीवन में सुधार लाना होता है। आज का कार्यक्रम, उनकी इस सोच को आगे बढ़ाता है। आज इंदौर मेट्रो की शुरुआत हुई है। दतिया और सतना भी अब हवाई सेवा से जुड़ गए हैं। ये सभी प्रोजेक्ट मध्य प्रदेश में सुविधाएं बढ़ाएंगे, विकास को गति देंगे और रोजगार के अनेक नए अवसर बनाएंगे। मैं आज इस पवित्र दिवस पर विकास के इन सारे कामों के लिए आप सबको, पूरे मध्य प्रदेश को बहुत-बहुत बधाई देता हूं।

|

साथियों,

लोकमाता देवी अहिल्याबाई होलकर, ये नाम सुनते ही मन में श्रद्धा का भाव उमड़ पड़ता है। उनके महान व्यक्तित्व के बारे में बोलने के लिए शब्द कम पड़ जाते हैं। देवी अहिल्याबाई प्रतीक हैं, कि जब इच्छाशक्ति होती है, दृढ़ प्रतिज्ञा होती है, तो परिस्थितियां कितनी ही विपरीत क्यों ना हों, परिणाम लाकर दिखाया जा सकता है। ढाई-तीन सौ साल पहले, जब देश गुलामी की जंजीरों में जकड़ा हुआ था, उस समय ऐसे महान कार्य कर जाना, कि आने वाली अनेक पीढ़ियां उसकी चर्चा करें, ये कहना तो आसान है, करना आसान नहीं था।

साथियों,

लोकमाता अहिल्याबाई ने प्रभु सेवा और जन सेवा, इसे कभी अलग नहीं माना। कहते हैं, वे हमेशा शिवलिंग अपने साथ लेकर चलती थीं। उस चुनौतीपूर्ण कालखंड में एक राज्य का नेतृत्व कांटों से भरा ताज, कोई कल्पना कर सकता है, कांटों से भरा ताज पहनने जैसा वो काम, लेकिन लोकमाता अहिल्याबाई ने अपने राज्य की समृद्धि को नई दिशा दी। उन्होंने गरीब से गरीब को समर्थ बनाने के लिए काम किया। देवी अहिल्याबाई भारत की विरासत की बहुत बड़ी संरक्षक थीं। जब देश की संस्कृति पर, हमारे मंदिरों, हमारे तीर्थ स्थलों पर हमले हो रहे थे, तब लोकमाता ने उन्हें संरक्षित करने का बीड़ा उठाया, उन्होंने काशी विश्वनाथ सहित पूरे देश में हमारे अनेकों मंदिरों का, हमारे तीर्थों का पुनर्निर्माण किया। औऱ ये मेरा सौभाग्य है कि जिस काशी में लोकमाता अहिल्याबाई ने विकास के इतने काम किए, उस काशी ने मुझे भी सेवा का अवसर दिया है। आज अगर आप काशी विश्वनाथ महादेव के दर्शन करने जाएंगे, तो वहां आपको देवी अहिल्याबाई की मूर्ति भी वहाँ पर मिलेगी।

|

साथियों,

माता अहिल्याबाई ने गवर्नेंस का एक ऐसा उत्तम मॉडल अपनाया, जिसमें गरीबों और वंचितों को सबसे ज्यादा प्राथमिकता दी गई। रोजगार के लिए, उद्यम बढ़ाने के लिए उन्होंने अनेक योजनाओं को शुरू किया। उन्होंने कृषि और वन-उपज आधारित कुटीर उद्योग और हस्तकला को प्रोत्साहित किया। खेती को बढ़ावा देने के लिए, छोटी-छोटी नहरों की जाल बिछाई, उसे विकसित किया, उस जमाने में आप सोचिए 300 साल पहले। जल संरक्षण को बढ़ावा देने के लिए उन्होंने कितने ही तालाब बनवाए और आज तो हम लोग भी लगातार कह रहे हैं, catch the rain, बारिश के एक एक बूंद पानी को बचाओ। देवी अहिल्या जी ने ढाई सौ-तीन सौ साल पहले हमें ये काम बताया था। किसानों की आय बढ़ाने के लिए उन्होंने कपास और मसालों की खेती को प्रोत्साहित किया। आज ढाई सौ-तीन सौ साल के बाद भी हमें बार बार किसानों को कहना पड़ता है, कि crop diversification बहुत जरूरी है। हम सिर्फ धान की खेती करके या गन्ने की खेती करके अटक नहीं सकते, देश की जरूरतों को, सारी चीजों को हमें diversify करके उत्पादित करना चाहिए। उन्होंने आदिवासी समाज के लिए, घुमन्तु टोलियों के लिए, खाली पड़ी जमीन पर खेती की योजना बनाई। ये मेरा सौभाग्य है, कि मुझे एक आदिवासी बेटी, आज जो भारत के राष्ट्रपति पद पर विराजमान है, उनके मार्गदर्शन में मेरे आदिवासी भाई-बहनों की सेवा करने का मौका मिला है। देवी अहिल्या ने विश्व प्रसिद्ध माहेश्वरी साड़ी के लिए नए उद्योग लगाए और बहुत कम लोगों को पता होगा, कि देवी अहिल्या जी हूनर की पारखी थी और वो जूनागढ़ से गुजरात में, जूनागढ़ से कुछ परिवारों को माहेश्वर लाईं और उनको साथ जोड़कर के, आज से ढाई सौ-तीन सौ साल पहले ये माहेश्वरी साड़ी का काम आगे बढ़ाया, जो आज भी अनेक परिवारों को वो गहना बन गया है, और जिससे हमारे बुनकरों को बहुत फायदा हुआ।

साथियों,

देवी अहिल्याबाई को कई बड़े सामाजिक सुधारों के लिए भी हमेशा याद रखा जाएगा। आज अगर बेटियों की शादी की उम्र की चर्चा करें, तो हमारे देश में कुछ लोगों को सेक्यूलरिज्म खतरे में दिखता है, उनको लगता है ये हमारे धर्म के खिलाफ है। ये देवी अहिल्या जी देखिए, मातृशक्ति के गौरव के लिए उस जमाने में बेटियों की शादी की उम्र के विषय में सोचती थीं। उनकी खुद की शादी छोटी उम्र में हुई थी, लेकिन उनको सब पता था, बेटियों के विकास के लिए कौन सा रास्ता होना चाहिए। ये देवी अहिल्या जी थीं, उन्होंने महिलाओं का भी संपत्ति में अधिकार हो, जिन स्त्रियों के पति की असमय मृत्यु हो गई हो, वो फिर विवाह कर सकें, उस कालखंड में ये बातें करना भी बहुत मुश्किल होता था। लेकिन देवी अहिल्याबाई ने इन समाज सुधारों को भरपूर समर्थन दिया। उन्होंने मालवा की सेना में महिलाओं की एक विशेष टुकड़ी भी बनाई थी। ये पश्चिम की दुनिया के लोगों को पता नहीं है। हमें कोसते रहते हैं, हमारी माताओं बहनों के अधिकारों के नाम पर हमें नीचा दिखाने की कोशिश करते हैं। ढाई सौ-तीन सौ साल पहले हमारे देश में सेना में महिलाओं का होना, साथियों महिला सुरक्षा के लिए उन्होंने गांवों में नारी सुरक्षा टोलियां, ये भी बनाने का काम किया था। यानी माता अहिल्याबाई, राष्ट्र निर्माण में हमारी नारीशक्ति के अमूल्य योगदान का प्रतीक हैं। मैं, समाज में इतना बड़ा परिवर्तन लाने वाली देवी अहिल्या जी को आज श्रद्धापूर्वक नमन करता हूं, उनके चरणों में प्रणाम करता हूं और मैं उनसे प्रार्थना करता हूं, कि आप जहां भी हों, हम सभी पर अपना आशीर्वाद बरसाए।

साथियों,

देवी अहिल्या का एक प्रेरक कथन है, जो हम कभी भूल नहीं सकते। और उस कथन का अगर मोटे-मोटे शब्दों में मैं कहूं, उसका भाव यही था, कि जो कुछ भी हमें मिला है, वो जनता द्वारा दिया ऋण है, जिसे हमें चुकाना है। आज हमारी सरकार लोकमाता अहिल्याबाई के इन्हीं मूल्यों पर चलते हुए काम कर रही है। नागरिक देवो भव:- ये आज गवर्नेंस का मंत्र है। हमारी सरकार, वीमेन लेड डवलपमेंट के विजन को विकास की धुरी बना रही है। सरकार की हर बड़ी योजना के केंद्र में माताएं-बहनें-बेटियां हैं। आप भी जानती हैं, गरीबों के लिए 4 करोड़ घर बनाए जा चुके हैं और इनमें से अधिकतर घर हमारी माताओं-बहनों के नाम पर हैं, मालिकाना हक मेरी माताओं-बहनों को दिया है। इनमें से ज्यादातर महिलाएं ऐसी हैं, जिनके नाम पर पहली बार कोई संपत्ति दर्ज हुई है। यानी देश की करोड़ों बहनें पहली बार घर की मालकिन बनी हैं।

|

साथियों,

आज सरकार, हर घर तक नल से जल पहुंचा रही है, ताकि हमारी माताओं-बहनों को असुविधा न हो, बेटियां अपनी पढ़ाई में ध्यान दे सकें। करोड़ों बहनों के पास पहले, बिजली, एलपीजी गैस और टॉयलेट जैसी सुविधाएं भी नहीं थीं। ये सुविधाएं भी हमारी सरकार ने पहुंचाईं। और ये सिर्फ सुविधाएं नहीं हैं, ये माताओं-बहनों के सम्मान का हमारी तरफ से एक नम्र प्रयास है। इससे गांव की, गरीब परिवारों की माताओं-बहनों के जीवन से अनेक मुश्किलें कम हुईं हैं।

साथियों,

पहले माताएं-बहनें अपनी बीमारियां छुपाने पर मजबूर थीं। गर्भावस्था के दौरान अस्पताल जाने से बचती थीं। उनको लगता था, कि इससे परिवार पर बोझ पड़ेगा और इसलिए दर्द सहती थीं, लेकिन परिवार में किसी को बताती नहीं थीं। आयुष्मान भारत योजना ने उनकी इस चिंता को भी खत्म किया है। अब वो भी अस्पताल में 5 लाख रुपए तक का मुफ्त इलाज करा सकती हैं।

साथियों,

महिलाओं के लिए पढ़ाई और दवाई के साथ ही जो बहुत जरूरी चीज है, वो कमाई भी है। जब महिला की अपनी आय होती है, तो घर में उसका स्वाभिमान और बढ़ जाता है, घर के निर्णयों में उसकी सहभागिता और बढ़ जाती है। बीते 11 वर्षों में हमारी सरकार ने देश की महिलाओं को आर्थिक रूप से सशक्त करने के लिए निरंतर काम किया है। आप कल्पना कर सकते है, 2014 से पहले, आपने मुझे सेवा करने का मौका दिया उसके पहले, 30 करोड़ से ज्यादा बहनें ऐसी थीं, जिनका कोई बैंक खाता तक नहीं था। हमारी सरकार ने इन सभी के बैंक में जनधन खाते खुलवाए, इन्हीं खातों में अब सरकार अलग-अलग योजनाओं का पैसा सीधा उनके खाते में भेज रही है। अब वे गांव हो या शहर अपना कुछ ना कुछ काम कर रही हैं, आर्थिक उपार्जन कर रही हैं, स्वरोजगार कर रही हैं। उन्हें मुद्रा योजना से बिना गारंटी का लोन मिल रहा है। मुद्रा योजना की 75 प्रतिशत से ज्यादा लाभार्थी, ये हमारी माताएं-बहनें-बेटियां हैं।

|

साथियों,

आज देश में 10 करोड़ बहनें सेल्फ हेल्प ग्रुप्स से जुड़ी हैं, जो कोई न कोई आर्थिक गतिविधि करती हैं। ये बहनें अपनी कमाई के नए साधन बनाएं, इसके लिए सरकार लाखों रुपयों की मदद कर रही है। हमने ऐसी 3 करोड़ बहनों को लखपति दीदी बनाने का संकल्प लिया है। मुझे संतोष है कि अब तक डेढ़ करोड़ से ज्यादा बहनें, लखपति दीदी बन भी चुकी हैं। अब गांव-गांव में बैंक सखियां लोगों को बैंकिंग से जोड़ रही हैं। सरकार ने बीमा सखियां बनाने का अभियान भी शुरु किया है। हमारी बहनें-बेटियां अब देश को बीमा की सुरक्षा देने में भी बहुत बड़ी भूमिका निभा रही हैं।

साथियों,

एक समय था, जब नई टेक्नोलॉजी आती थी, तो उससे महिलाओं को दूर रखा जाता था। हमारा देश आज उस दौर को भी पीछे छोड़ रहा है। आज सरकार का प्रयास है कि आधुनिक टेक्नॉलॉजी में भी हमारी बहनें, हमारी बेटियां आगे बढ़कर के नेतृत्व दें। अब जैसे आज खेती में ड्रोन क्रांति आ रही है। इसको हमारी गांव की बहनें ही नेतृत्व दे रही हैं। नमो ड्रोन दीदी अभियान से गांव की बहनों का हौसला बढ़ रहा है, उनकी कमाई बढ़ रही है और गांव में उनकी एक नई पहचान बन रही है।

साथियों,

आज बहुत बड़ी संख्या में हमारी बेटियां वैज्ञानिक बन रही हैं, डॉक्टर-इंजीनियर और पायलट बन रही हैं। हमारे यहां साइंस और मैथ्स पढ़ने वाली बेटियों की संख्या लगातार बढ़ रही है। आज जितने भी हमारे बड़े स्पेस मिशन हैं, उनमें बड़ी संख्या में वैज्ञानिक के नाते हमारी माताएं-बहनें-बेटियां काम कर रही हैं। चंद्रयान थ्री मिशन, पूरा देश गौरव कर रहा है। चंद्रयान थ्री मिशन में तो 100 से अधिक महिला वैज्ञानिक और इंजीनियर शामिल थीं। ऐसे ही जमाना स्टार्ट अप्स का है, स्टार्ट अप्स के क्षेत्र में भी हमारी बेटियां अदभुत काम कर रही हैं। देश में लगभग पैंतालीस परसेंट स्टार्ट अप्स की, उसमे कम से कम एक डायरेक्टर कोई न कोई हमारी बहन है, कोई न कोई हमारी बेटी है, महिला है। और ये संख्या लगातार बढ़ रही है।

साथियों,

हमारा प्रयास है, कि नीति निर्माण में बेटियों की भागीदारी लगातार बढ़े। बीते एक दशक में इसके लिए एक के बाद एक अनेक कदम उठाए गए हैं। हमारी सरकार में पहली बार पूर्ण कालिक महिला रक्षामंत्री बनीं। पहली बार देश की वित्तमंत्री, एक महिला बनीं। पंचायत से लेकर पार्लियामेंट तक, महिलाओं की संख्या लगातार बढ़ रही है। इस बार 75 सांसद महिलाएं हैं। लेकिन हमारा प्रयास है कि ये भागीदारी और बढ़े। नारीशक्ति वंदन अधिनियम के पीछे भी यही भावना है। सालों तक इस कानून को रोका गया, लेकिन हमारी सरकार ने इसे पारित करके दिखाया। अब संसद और विधानसभाओं में महिला आरक्षण पक्का हो गया है। कहने का अर्थ ये है कि भाजपा सरकार, बहनों-बेटियों को हर स्तर पर, हर क्षेत्र में सशक्त कर रही है।

|

साथियों,

भारत संस्कृति और संस्कारों का देश है। और सिंदूर, ये हमारी परंपरा में नारीशक्ति का प्रतीक है। राम भक्ति में रंगे हनुमान जी भी सिंदूर को ही धारण किए हुए हैं। शक्ति पूजा में हम सिंदूर का अर्पण करते हैं। और यही सिंदूर अब भारत के शौर्य का प्रतीक बना है।

साथियों,

पहलगाम में आतंकियों ने सिर्फ भारतीयों का खून ही नहीं बहाया, उन्होंने हमारी संस्कृति पर भी प्रहार किया है। उन्होंने हमारे समाज को बांटने की कोशिश की है। और सबसे बड़ी बात, आतंकवादियों ने भारत की नारीशक्ति को चुनौती दी है। ये चुनौती, आतंकवादियों और उनके आकाओं के लिए काल बन गई है काल। ऑपरेशन सिंदूर, आतंकवादियों के खिलाफ भारत के इतिहास का सबसे बड़ा और सफल ऑपरेशन है। जहां पाकिस्तान की सेना ने सोचा तक नहीं था, वहां आतंकी ठिकानों को हमारी सेनाओं ने मिट्टी में मिला दिया। सैंकड़ों किलोमीटर अंदर घुसकर के मिट्टी में मिला दिया। ऑपरेशन सिंदूर ने डंके की चोट पर कह दिया है, कि आतंकवादियों के जरिए छद्म युद्ध, proxy war नहीं चलेगा। अब घर में घुसकर भी मारेंगे और जो आतंकियों की मदद करेगा, उसको भी इसकी भारी कीमत चुकानी पड़ेगी। अब भारत का एक-एक नागरिक कह रहा है, 140 करोड़ देशवासियों की बुलंद आवाज कह रही है- अगर, अगर तुम गोली चलाओगे, तो मानकर चलों गोली का जवाब गोले से दिया जाएगा।

साथियों,

ऑपरेशन सिंदूर हमारी नारीशक्ति के सामर्थ्य का भी प्रतीक बना है। हम सभी जानते हैं, कि BSF का इस ऑपरेशन में कितना बड़ा रोल रहा है। जम्मू से लेकर पंजाब, राजस्थान और गुजरात की सीमा तक बड़ी संख्या में BSF की हमारी बेटियां मोर्चे पर रही थीं, मोर्चा संभाल रही थीं। उन्होंने सीमापार से होने वाली फायरिंग का मुंहतोड़ जवाब दिया। कमांड एंड कंट्रोल सेंटर्स से लेकर दुश्मन की पोस्टों को ध्वस्त करने तक, BSF की वीर बेटियों ने अद्भुत शौर्य दिखाया है।

|

साथियों,

आज दुनिया, राष्ट्ररक्षा में भारत की बेटियों का सामर्थ्य देख रही है। इसके लिए भी बीते दशक में सरकार ने अनेक कदम उठाए हैं। स्कूल से लेकर युद्ध के मैदान तक, आज देश अपनी बेटियों के शौर्य पर अभूतपूर्व भरोसा कर रहा है। हमारी सेना ने पहली बार सैनिक स्कूलों के दरवाज़े बेटियों के लिए खोले हैं। 2014 से पहले एनसीसी में सिर्फ 25 प्रतिशत कैडेट्स ही बेटियां होती थीं, आज उनकी संख्या 50 प्रतिशत की तरफ आगे बढ़ रही है। कल के दिन देश में एक औऱ नया इतिहास बना है। आज अखबार में देखा होगा आपने, नेशनल डिफेंस एकेडमी यानी NDA से महिला कैडेट्स का पहला बैच पास आउट हुआ है। आज सेना, नौसेना और वायुसेना में बेटियां अग्रिम मोर्चे पर तैनात हो रही हैं। आज फाइटर प्लेन से लेकर INS विक्रांत युद्धपोत तक, वीमेन ऑफीसर्स अपनी जांबाजी दिखा रही हैं।

साथियों,

हमारी नौसेना की वीर बेटियों के साहस का ताज़ा उदाहरण भी देश के सामने है। आपको मैं नाविका सागर परिक्रमा के बारे में बताना चाहता हूं। नेवी की दो वीर बेटियों ने करीब ढाई सौ दिनों की समुद्री यात्रा पूरी की है, धरती का चक्कर लगाया है। हज़ारों किलोमीटर की ये यात्रा, उन्होंने ऐसी नाव से की जो मोटर से नहीं बल्कि हवा से चलती है। सोचिए, ढाई सौ दिन समंदर में, इतने दिनों तक समंदर में रहना, कई कई हफ्ते तक जमीन के दर्शन तक नहीं होना और ऊपर से समंदर का तूफान कितना तेज होता है, हमें पता है, खराब मौसम, भयानक तूफान, उन्होंने हर मुसीबत को हराया है। ये दिखाता है, कि चुनौती कितनी भी बड़ी हो, भारत की बेटियां उस पर विजय पा सकती हैं।

साथियों,

नक्सलियों के खिलाफ ऑपरेशन हों या फिर सीमापार का आतंक हो, आज हमारी बेटियां भारत की सुरक्षा की ढाल बन रही हैं। मैं आज देवी अहिल्या की इस पवित्र भूमि से, देश की नारीशक्ति को फिर से सैल्यूट करता हूं

|

साथियों,

देवी अहिल्या ने अपने शासनकाल में विकास के कार्यों के साथ साथ विरासत को भी सहेजा। आज का भारत भी विकास और विरासत, दोनों को साथ लेकर चल रहा है। आधुनिक इंफ्रास्ट्रक्चर के निर्माण को देश कैसे गति दे रहे है, आज का कार्यक्रम इसका उदाहरण है। आज मध्य प्रदेश को पहली मेट्रो सुविधा मिली है। इंदौर पहले ही स्वच्छता के लिए दुनिया में अपनी पहचान बना चुका है। अब इंदौर की पहचान उसकी मेट्रो से भी होने जा रही है। यहां भोपाल में भी मेट्रो का काम तेज़ी से चल रहा है। मध्य प्रदेश में, रेलवे के क्षेत्र में व्यापक काम हो रहा है। कुछ दिन पहले ही केंद्र सरकार ने रतलाम-नागदा रूट को चार लाइनों में बदलने के लिए स्वीकृति दे दी है। इससे इस क्षेत्र में और ज्यादा ट्रेनें चल पाएंगी, भीड़भाड़ कम होगी। केंद्र सरकार ने इंदौर–मनमाड रेल परियोजना को भी मंजूरी दे दी है।

साथियों,

आज मध्य प्रदेश के दतिया और सतना भी हवाई यात्रा के नेटवर्क से जुड़ गए हैं। इन दोनों हवाई अड्डों से बुंदेलखंड और विंध्य क्षेत्र में एयर कनेक्टिविटी बेहतर होगी। अब माँ पीतांबरा, मां शारदा देवी और पवित्र चित्रकूट धाम के दर्शन करना और सुलभ हो जाएगा।

|

साथियों,

आज भारत, इतिहास के उस मोड़ पर है, जहां हमें अपनी सुरक्षा, अपने सामर्थ्य और अपनी संस्कृति, हर स्तर पर काम करना है। हमें अपना परिश्रम बढ़ाना है। इसमें हमारी मातृशक्ति, हमारी माताओं-बहनों-बेटियों की भूमिका बहुत बड़ी है। हमारे सामने लोकमाता देवी अहिल्याबाई जी की प्रेरणा है। रानी लक्ष्मीबाई, रानी दुर्गावती, रानी कमलापति, अवंतीबाई लोधी, कित्तूर की रानी चेनम्मा, रानी गाइडिन्ल्यू, वेलु नाचियार, सावित्री बाई फुले, ऐसे हर नाम हमें गौरव से भर देते हैं। लोकमाता अहिल्याबाई की ये तीन सौवीं जन्मजयंती, हमें निरंतर प्रेरित करती रहे, आने वाली सदियों के लिए हम एक सशक्त भारत की नींव मजबूत करें, इसी कामना के साथ आप सभी को फिर से एक बार बहुत-बहुत शुभकामनाएं देता हूं। अपना तिरंगा ऊपर उठाकर के मेरे साथ बालिए –

भारत माता की जय!

भारत माता की जय!

भारत माता की जय!

वंदे मातरम!

वंदे मातरम!

वंदे मातरम!

वंदे मातरम!

वंदे मातरम!

वंदे मातरम!

वंदे मातरम!

वंदे मातरम!

वंदे मातरम!