Shri Narendra Modi addressed Vivekananda Yuva Parishad in Patan

Published By : Admin | September 23, 2012 | 18:54 IST

ભારત માતા કી જય...!!

મંચ પર બિરાજમાન સર્વે મહાનુભાવો અને આ વહેલી સવારે આટલી મોટી સંખ્યામાં પાટણ જિલ્લામાંથી પધારેલ સૌ યુવાન મિત્રો..!

આ સ્વામી વિવેકાનંદજીની 150 મી જયંતીનો અવસર છે. સ્વામી વિવેકાનંદજીની બે-ત્રણ બાબતો આપના ધ્યાને મૂકવા માંગું છું. વિવેકાનંદજીએ એક લેખ લખ્યો હતો અને એ લેખમાં એમણે કહ્યું હતું કે મારું આયુષ્ય 40 વર્ષથી વધારે નથી અને હું મારા નિર્ધારિત સમયે આ દુનિયાને છોડીને વિદાય થઈ જઈશ. આ વાત જ્યારે કહી હતી ત્યારે કોઈના ગળે ઊતરે નહીં, અચરજ થાય. પણ હકીકતે બન્યું એવું કે 40 મા વર્ષે જ એમણે દેહત્યાગ કરી દીધો. એમણે બીજી એક જાહેરાત કરી હતી 1897 માં, 1897 માં એમણે કહ્યું હતું. એ જ્યારે અમેરિકાના શિકાગોથી પાછા આવ્યા ત્યારે મદ્રાસના બંદરે એમનો સ્વાગત સમારંભ હતો અને ત્યારે એ વખતની મેદનીને એમણે સંબોધન કરતાં કહ્યું હતું કે મારી ભારતવાસીઓને વિનંતી છે કે તમે તમારા બધા જ દેવી-દેવતાઓને સુવાડી દો, તમારા બધા જ ઇષ્ટદેવતાઓને સુવાડી દો અને માત્ર ને માત્ર એક જ દેવીની પૂજા કરો અને એ દેવી એટલે ભારતમાતા. એમણે કહ્યું હતું કે આગામી 50 વર્ષ માટે તમે આ કરો, આગામી 50 વર્ષ એક જ માતા, માત્ર ભારતમાતા, એક જ દેવી માત્ર ભારતમાતા, આ એમણે કહ્યું હતું. અને મજા જુઓ કે 1897 ના ઠીક 50 વર્ષ પછી 1947, આ દેશ આઝાદ થયો. એમની આગાહી કેટલી સચોટ હતી એનું આ ઉદાહરણ છે. ભાઈઓ-બહેનો, એ મહાપુરુષે બીજી પણ એક આગાહી કરી હતી. એણે કહ્યું હતું કે હું મારી નજર સામે સ્પષ્ટ જોઈ રહ્યો છું કે આ મારી ભારતમાતા જગદ્દગુરુના સ્થાને બિરાજમાન હશે, મને સ્પષ્ટ દેખાય છે કે મારી ભારતમાતા વિશ્વગુરુ તરીકે બિરાજતી હશે. પણ ભાઈઓ-બહેનો, આઝાદીનાં આટલાં વર્ષ પછી પણ એ દિશામાં કોઈ સંકેત નજર નથી આવતો. મારો ભરોસો સ્વામી વિવેકાનંદમાં વધારે છે. ભલે કદાચ અત્યાર સુધી નહીં થયું હોય, પણ ભવિષ્યમાં નહીં જ થાય એ માનવાને કારણ નથી. અને એટલા માટે આપણે સ્વામી વિવેકાનંદના સપનાને સાકાર કરવા માટે, આ દેશવાસીઓએ ફરીથી સંકલ્પ કરવા માટે આ 150 મી જયંતી એક અવસર છે. સ્વામી વિવેકાનંદે બીજી વાત કરી હતી. એમણે કહ્યું હતું કે મને તમે સો યુવાનો આપો, હું દુનિયા બદલી નાખીશ. આજે વિવેકાનંદ નથી એટલે સો યુવાનોથી નહીં ચાલે પણ લાખો યુવાનોથી તો દુનિયા બદલી શકાય એટલો તો આપણને વિવેકાનંદમાં ભરોસો છે. આ સ્વામી વિવેકાનંદના સપનાં સાકાર કરવા માટે હિંદુસ્તાનમાં કંઈ થાય કે ન થાય, આપણે યુવા શક્તિને જોડીને આ ગુજરાતને શાનદાર, જાનદાર, પ્રગતિવાળું રાજ્ય બનાવીને રહેવું છે.

ભાઈઓ-બહેનો, આજે ધારપુરમાં સવારે મેડિકલ કૉલેજનું ઉદઘાટન કરવાનો મને અવસર મળ્યો. આમ તો મને જો સમયની અનુકૂળતા હોત તો, આ ધારપુર મેડિકલ કૉલેજનો પ્રસંગ પણ સમગ્ર ઉત્તર ગુજરાત માટે ઐતિહાસિક અવસર છે. સૌરાષ્ટ્રમાં તમે જુઓ તો જામનગરમાં મેડિકલ કૉલેજ, ભાવનગરમાં મેડિકલ કૉલેજ, સુરેન્દ્રનગરમાં મેડિકલ કૉલેજ, રાજકોટમાં મેડિકલ કૉલેજ, પણ ઉત્તર ગુજરાત આખું કોરું ધાકોર હતું..! આ જુના શાસકોએ શું શું કર્યું છે એનાં બધાં ઉદાહરણો છે. ભાઈઓ-બહેનો, આ ઉત્તર ગુજરાતના નસીબમાં આજે પહેલી મેડિકલ કૉલેજ આવી છે. આ અવસર આખા ઉત્તર ગુજરાત માટેનો છે અને મારું સપનું તો ગુજરાતના દરેકે જિલ્લામાં મેડિકલ કૉલેજ કરવાનું છે, આદિવાસી જિલ્લામાં પણ મેડિકલ કૉલેજ કરવાનું છે. જો ડૉક્ટરો જ નહીં હોય તો હોસ્પિટલોનાં મકાનો બનાવવાથી આરોગ્ય નહીં સુધરે, ગામડે ગામડે ડૉક્ટરોની સેવા ઉપલબ્ધ હોવી જોઇએ અને ગામડે ગામડે ડૉક્ટરોની સેવા ઉપલબ્ધ કરાવી હશે તો ડૉક્ટરો માટે મેડિકલ કૉલેજો કરવી પડશે. અને ભૂતકાળમાં બારમા ધોરણમાં છોકરો નિચોવાઈ જતો હતો, કારણકે સીટો ઓછી, 90-95% થી ઓછા માર્ક આવે તો મેડિકલમાં ઍડ્મિશન ન મળે. કુટુંબ આખું છોકરાને ડૉક્ટર બનાવવા માટે ગાંડું થઈ જાય. ઘેર મહેમાનને ના આવવા દે, ટી.વી.ના ચાલવા દે, આવી દશા..! ભાઈઓ-બહેનો, અને કરોડો રૂપિયા... જયનારાયણભાઈએ કહ્યું એમ ગયા 50 વર્ષમાં ગુજરાત-બહાર ભણવા જવા માટે છોકરાઓએ જે રૂપિયા ખર્ચ્યા છે, એમના મા-બાપે જે ડોનેશન આપ્યાં છે, એ જો ન કરવું પડ્યું હોત તો આજે અડધા જિલ્લામાં મેડિકલ કૉલેજ એ દાનમાંથી બની ગઈ હોત..! પણ જે દ્રષ્ટિ જોઇએ ને એ દ્રષ્ટિ નહોતી, મિત્રો. અને આવનારા દિવસોમાં ઉત્તર ગુજરાતના ચારેય જિલ્લામાં મેડિકલ કૉલેજ કાર્યરત થશે એ સપના સાથે અમે કામ કરી રહ્યા છીએ. અને આજે જ્યારે ધારપુરમાં મેડિકલ કૉલેજનું ઉદઘાટન કરી રહ્યો છું ત્યારે આ એક પવિત્ર જગ્યા છે, સરસ્વતી સાથે જોડાએલી જગ્યા છે એટલે આપણી આ ધારપુરની મેડિકલ કૉલેજ ‘શ્રી સરસ્વતી મેડિકલ કૉલેજ’ તરીકે ઓળખાશે.

ભાઈઓ-બહેનો, મને પાટણ જિલ્લાના આગેવાનો વચ્ચે મળવા આવ્યા હતા. એમણે ફરિયાદ કરી હતી કે સાહેબ, તમે સદભાવના મિશનમાં આવ્યા, આખા રાજ્યમાં બધે ગયા પણ અમારા જિલ્લામાં પૅકેજ જાહેર કરવાનું રહી ગયું હતું. મેં એમને કહ્યું હતું કે ભાઈ, હવે જ્યારે આવીશ ત્યારે પહેલું કામ આ તમારું પૂરું કરી આપીશ, કારણકે એ દિવસે ઉતાવળ ઉતાવળમાં મારા ભાષણમાં એ વાતનો ઉલ્લેખ રહી ગયો હતો અને રહી ગયો એટલે એની નોંધ લેવાણી કે ભાઈ, બધા જિલ્લાને સદભાવનામાં પૅકેજ મળ્યું તો અમને કેમ નહીં? ભાઈઓ-બહેનો, આજે જ્યારે આપની વચ્ચે આવ્યો છું ત્યારે મારે ગર્વ સાથે કહેવું છે કે પાટણ જિલ્લાને પણ વિકાસના કામો માટે 2000 કરોડ રૂપિયા અને તે પૈકીના 275 કરોડ રૂપિયાનાં કામ ઑલરેડી ચાલુ છે. ભલે કદાચ પૅકેજ જાહેર કરવામાં હું મોડો પડ્યો હોઉં, પણ તમને પૅકેજ આપવામાં મોડો નથી પડ્યો. આપ્યું છે પહેલાં, જાહેરાત પછી કરું છું.

ભાઈઓ-બહેનો, આજે જ્યારે હું અહીં આવ્યો છું ત્યારે બનાસકાંઠા અને પાટણ, એના માટે પણ મારે મહત્વની જાહેરાત કરવી છે. આપણો આ પાટણ તાલુકો ખૂબ પથરાયેલો તાલુકો છે, ગામોની સંખ્યા પણ વધારે છે તેથી અમે નક્કી કર્યું છે કે પાટણ તાલુકાના બે ભાગ કરીને એક પાટણ તાલુકો અને બીજો સરસ્વતી તાલુકો બનાવવામાં આવશે. અને 26 જાન્યુઆરી, 2013 થી આ નવો સરસ્વતી તાલુકો પણ કાર્યરત કરી દેવામાં આવશે. એ જ રીતે સમી તાલુકો, સમી તાલુકાનો પણ ખૂબ લાંબો પાટ છે. વહીવટી દ્રષ્ટિથી આપણે અનેક સુધારાઓ કર્યા છે, આજે કરીએ છીએ એવું નહીં, આપણે પ્રાંતની ઓફિસો વધારી દીધી. એ જ રીતે સમી તાલુકાનો પણ પાટ લાંબો હોવાના કારણે સમી તાલુકામાંથી શંખેશ્વર તાલુકો જુદો બનાવવામાં આવશે. એ જ રીતે મારે બનાસકાંઠા જિલ્લાની વાત પણ આજે પાટણમાં કરી દેવી છે. બનાસકાંઠા જિલ્લો વિસ્તરેલો છે, તાલુકા પણ ઘણા છે તેમ છતાંય પાકિસ્તાનની સરહદે આવેલો વાવ તાલુકો, એનો પાટ ખૂબ પહોળો છે, ચારે બાજુ પથરાએલો છે. છેવાડાના વિસ્તારને વિકાસના લાભ મળે એટલા માટે વાવ તાલુકામાં અલગ સૂઈગામ તાલુકો જુદો બનાવવામાં આવશે. ભાઈઓ-બહેનો, પાટણ જિલ્લાને અને બનાસકાંઠા જિલ્લાને બંનેને એનો લાભ મળે એ આપના ધ્યાનમાં આવતું હશે.

નવજુવાન મિત્રો, પાટણના યુવકો માટે, ઉત્તર ગુજરાતના યુવકો માટે ભૂતકાળ કેવો હતો? એ દસમું-બારમું ભણતો હોય ત્યારથી આગળ શું ભણશે એનો વિચાર ઓછામાં ઓછો હોય, પણ કયા ગામમાં જઉં તો રોજીરોટી મળશે એનો જ વિચાર ચાલતો હોય. કચ્છના લોકો કચ્છની કઠિન પરિસ્થિતિ જોઇને કચ્છ છોડીને જતા રહે, પણ ઉત્તર ગુજરાતનો છોકરો કચ્છની અંદર શિક્ષકની નોકરી મળે તો ય બિચારો હોંશે હોંશે લેવા જાય, કારણકે પેટ ભરવા માટે કોઈ વ્યવસ્થા નહીં. ખેતી કુદરત ઉપર આધારિત, પાંચ વર્ષમાં માંડ ત્રણ પાક લઈ શકે. દોહ્યલું જીવન, શિક્ષક સિવાય કોઈ રોજગાર નહીં. આપણા ઘણાં ગામ એવાં છે જ્યાં શિક્ષકો જ શિક્ષકો પેદા થાય, દરેક ઘરમાં તમે હાથ નાખો તો શિક્ષકો હોય, કારણ બીજું કંઈ હતું જ નહીં..! ભાઈઓ-બહેનો, આખો વિસ્તાર પછાત રહી ગયો. એમાં એક બદલાવ લાવવાનું આપણે અભિયાન ઊપાડ્યું છે. અને નવજુવાન મિત્રો, આપને આજે અંદાજ નહીં આવે કે આપના ભાગ્યના દરવાજા કેવા ખૂલી ગયા છે, પણ તમે તમારા અગાઉના લોકોને જોશો કે એમની હોનહાર જીંદગી કેવી રોળાઈ ગઈ છે, ત્યારે તમને ખબર પડશે કે તમને કેવો સ્વર્ણિમ અવસર મળ્યો છે, આ સરકારને કારણે મળ્યો છે, વિકાસની દ્રષ્ટિને કારણે મળ્યો છે. અને વિકાસની દ્રષ્ટિને કારણે જે ઉત્તર ગુજરાત ધૂળની ડમરીઓ અને ધોમ ધખતા તાપવાળું ઉત્તર ગુજરાત આજે સુજલામ-સુફલામને કારણે, નર્મદા યોજનાને કારણે આપનો આખો વિસ્તાર લીલોછમ થવા માંડ્યો છે, ભાઈઓ. કૃષિ ક્ષેત્રે એક નવી ક્રાંતિની સંભાવના પાટણ જિલ્લાના યુવકો સામે આવીને ઊભી છે. અને હું પાટણ જિલ્લાના યુવકોને આવાહન કરું છું કે કૃષિક્ષેત્ર દ્વારા પણ, પશુપાલન દ્વારા પણ, ડેરી ઉદ્યોગ દ્વારા પણ આપ વિકાસની એક નવી ક્રાંતિ સર્જો એના માટેનું બધું જ ગ્રાઉન્ડ-વર્ક મારી સરકારે પૂરું કરી દીધું છે, હું આપને નિમંત્રણ આપું છું..!

ભાઈઓ-બહેનો, ક્યારેય કોઈએ કલ્પના કરી હતી કે આ પાટણ જિલ્લો, આ પાકિસ્તાનની સરહદનો જિલ્લો એ તો વળી ઔદ્યોગિક વિસ્તાર બની શકે..? અહીંયાં કોઈ ઉદ્યોગો થઈ શકે..? કલ્પના નહોતા કરી શકતા..! ભાઈઓ-બહેનો, આ તમારું પડોશી બહુચરાજી, આ બાજુ સાંતલપુર... આખી દુનિયાનું ધ્યાન જાય, આ કંઈ નાની વાત નથી, દોસ્તો. માત્ર હિંદુસ્તાન ચર્ચા કરે એવું નહીં, આખી દુનિયા નોંધ લે એવો સોલાર પાર્ક આ તમારા સાંતલપુરની અંદર કાર્યરત થઈ ગયો. અને 2009 ની ચૂંટણીમાં મેં જ્યારે પાટણમાં ભાષણ કર્યું હતું તો કેટલાક લોકોએ મારી મજાક ઉડાવી હતી કે આ મોદી બધાને આંબા-આમલી બતાવે છે પણ કશું થવાનું નથી, એવું કહ્યું હતું. આ સોલાર પાર્ક બની ગયો..!

ભાઈઓ-બહેનો, અમારું ચરિત્ર કૉંગ્રેસ જેવું ચરિત્ર નથી, છેતરપિંડી કરવી એ અમારું કામ નથી. નૌજવાન મિત્રો, આ કૉંગ્રેસ પાર્ટીએ, દિલ્હીમાં બેઠેલી સરકારે 2004 માં તમને વચન આપ્યું હતું, 2009 માં વચન આપ્યું હતું. આજે પણ તમારામાંથી કોઈને ઇન્ટરનેટ પર સર્ફિંગ કરવાનો શોખ હોય તો કૉંગ્રેસનો મૅનિફેસ્ટો જોઈ લેજો એમાં લખ્યું છે, 2004 માં એમણે કહ્યું હતું કે દરેક કુટુંબમાં એક વ્યક્તિને રોજગાર આપશે. નવજુવાન મિત્રો, મળ્યો છે તમને..? ખોંખારીને જવાબ આપો, આવું મડદાલ મડદાલ બોલો તો કોઈ ના આપે..! મળ્યું છે, તમારામાંથી કોઈને મળ્યું છે..? તો આ છેતરપિંડી કરવાની જરૂર શું હતી, ભાઈ? આ છેતરપિંડી કરવાવાળા લોકો છે. 2009 માં એમણે કહ્યું હતું કે એક કરોડ લોકોને રોજગાર આપીશું, એક કરોડ લોકોને..! મળ્યું છે ભાઈ કોઈને..? કોઈને મળ્યું હોય તો મને કહો. આ પ્રકારે યુવકો સાથે છેતરપિંડી કરવાની આમની હિંમત... અને ભાઈઓ-બહેનો, કોઈ ભૂલ કરે તો માફ કરાય, કોઈ ગુનો કરે તો ય ઉદારતા વર્તાય, પણ કોઈ છેતરપિંડી કરે એને ક્યારેય માફ ન કરી શકાય ભાઈઓ, ક્યારેય માફ ન કરી શકાય. દિલ્હીમાં બેઠેલી સરકારે આ દેશની યુવા શક્તિ સાથે છેતરપિંડી કરવાનું પાપ કર્યું છે. એની સામે આજે હું તમારા ઉત્તર ગુજરાતના વિસ્તારમાં ઔદ્યોગિક ક્રાંતિ લઈને આવ્યો છું. અને નવજુવાન મિત્રો, કોઈપણ યુવક કે યુવતી, આ મારા શબ્દો લખી રાખજો, જવાબદારીપૂર્વક બોલું છું દોસ્તો, કોઈપણ યુવક કે યુવતી પોતાનો સ્વતંત્ર ધંધો કરવો હશે, ઉદ્યોગ કરવો હશે અને બૅન્કમાં લોન લેવા જશે તો બૅન્કવાળો શું કહેશે કે તને તો જ લોન મળે કે તું કોઈ ગેરંટર લાવે..! હવે પેલો બિચારો, એને ખાવાના ફાંફાં હોય એને ગેરંટર કોણ મળે? મળે ગેરંટર, ભાઈ? કોણ તૈયાર થાય? જો મારા નવજુવાનોને ગેરંટરના કારણે ઉદ્યોગ વિકાસ કે વ્યાવસાયિક જીવનમાં પ્રવેશતાં અટકવું પડતું હોય તો મેં હિંમતપૂર્વક નિર્ણય કર્યો છે કે મારા ગુજરાતનો કોઈ નવજુવાન બૅન્કમાં લોન લેવા જશે અને એને ગેરંટરની જરૂર હશે તો ગેરંટર મારી સરકાર બનશે. મિત્રો, આ નિર્ણય નાનો નથી. તમે કલ્પના કરો અને આ નિર્ણય એટલા માટે નથી કે મારામાં હિંમત છે, આ નિર્ણય એટલા માટે છે કે મારો તમારામાં ભરોસો છે. આ ભરોસાનો સોદો છે, દોસ્તો..! મને વિશ્વાસ છે કે મારો ગુજરાતનો નવજુવાન ક્યારેય કોઈનો રૂપિયો ડુબાડશે નહીં, ક્યારેય ખોટું નહીં કરે, કોઈ બૅન્કમાંથી ઉચાપત નહીં કરે એ ભરોસો છે અને એટલા માટે આપના ગેરંટર બનવા માટેનો હિંમતભર્યો નિર્ણય મેં કર્યો છે.

આપ વિચાર કરો, ગયા દસ જ વર્ષમાં સાડા ત્રણ લાખ લોકોને સરકારમાં રોજગાર આપવાનું કામ આ સરકારે કર્યું છે. એટલું જ નહીં, આ વર્ષમાં બીજા એક લાખ લોકોની ભરતી થવાની છે, એક લાખ લોકોની સરકારમાં ભરતી થવાની છે. ભારત સરકાર, હમણાં આંકડા જાહેર કર્યા. ભારત સરકારે કહ્યું કે સમગ્ર દેશમાં કુલ જે રોજગાર મળ્યા છે એમાંથી 72% રોજગાર એકલું ગુજરાત આપે છે, એકલું ગુજરાત... અને 28% માં આખું હિંદુસ્તાન..! ડૂબી મરો ડૂબી મરો, તમે શું ચલાવો છો, ડૂબી મરો..! એમની પાસે કશી આશા જ ના રાખતા, એ ઝાડ ગણવામાં પડ્યા છે. આખું દિલ્હી શોધે છે કે કયા ઝાડમાંથી પૈસા નીકળે, બોલો..! પ્રધાનમંત્રી સહિત ઝાડ શોધવા નીકળ્યા છે કે કયા ઝાડમાંથી પૈસા પાકે...! અને પછી તેમાંથી 2-જીનું ઝાડ શોધી કાઢે, કોયલાનું ઝાડ શોધી કાઢે, આ ખેલ ચાલે છે..? તમે મને કહો ભાઈ, કોઈ સાઇકલની ચોરી કરે એ તો સાંભળ્યું હોય ને? જરા જવાબ આપોને યાર, કોઈ સાઈકલ ચોરી કરી હોય એ સાંભળ્યું હોય ને? કોઈ મોટર ચોરી કરી જાય એ સાંભળ્યું છે? કોઈના રૂપિયા ચોરાઈ ગયા સાંભળ્યું છે? કોઈનું પાકીટ ચોરાઈ ગયું સાંભળ્યું છે? કોઈનો મોબાઈલ ફોન ચોરાઈ ગયો સાંભળ્યું છે? કોઈના જર-ઝવેરાત ચોરાઈ ગયા સાંભળ્યું છે? હીરા-મોતી ચોરાઈ ગયા સાંભળ્યું છે? પણ કોલસો ચોરાઈ જાય એવું સાંભળ્યું છે..? આ લોકો બે લાખ કરોડનો કોલસો ચોરી ગયા બોલો, બે લાખ કરોડનો કોલસો..! હવે અમારે રોવું કે હસવું કંઈ ખબર નથી પડતી. આવી સરકાર અમારા દેશની..? કોલસો ના છોડે...? સાહેબ, તમારા ઘરની બહાર થેલો પડ્યો હોય ને કોઈ ગરીબ ભિખારી પણ કોયલાને હાથ ન લગાડે બોલો. આપણા ઉત્તર ગુજરાતમાં છાણાં હોય છે, છાણાં પડ્યા હોય છે ને? કોઈ છાણાંને હાથ લગાવે છે? કોઈ દિવસ છાણું ચોરી ગયો? આ લોકો બે લાખ કરોડનો કોલસો ચોરી ગયા બોલો, કોલસો ચોરી ગયા..!

ભાઈઓ-બહેનો, હમણાં ભારત સરકારે એક એવો નિર્ણય કર્યો. આ વાત યુવાનો સમજવા જેવી છે, પત્રકાર મિત્રોએ પણ સમજવા જેવી છે. હમણાં એમણે કહ્યું કે ભાઈ ગેસના બાટલા લોકોને અમે આપીએ છીએ એના કારણે અમને સબસિડીનો બહુ બોજ આવે છે. એટલા માટે હવે અમે સબસિડીનો બોજ વહન નથી થઈ શકે એમ, તો હવે છ જ બાટલા આપીશું, બાકી તમારે અઢાર બાટલા વર્ષે જોઈતા હોય તો બજારમાંથી કાળા બજારમાંથી લઈ આવજો, આવું પ્રધાનમંત્રીએ જાહેર કર્યું. હવે એમની આવડત જુઓ, એમના અણઘડ વહીવટનો નમૂનો જુઓ આ કે એમને સબસિડીનો ભાર પડે છે તો ઉપાય શું શોધ્યો? બાટલા તમને આપવાનું બંધ કરી દીધું. અમે ઉપાય કયો શોધ્યો? આ દેશની તિજોરીમાં બોજ ન પડે, સામાન્ય માનવીને ગેસની તકલીફ ન પડે, એના બળતણ માટે એને ખોટો આર્થિક બોજ ન પડે, એના માટે ગુજરાતે શું કર્યું..? આપણે 2200 કિલોમીટર લાંબી ગેસની પાઈપલાઇન લગાવી આખા ગુજરાતમાં, 2200 કિલોમીટર, 10,000 કરોડ રૂપિયાનો ખર્ચો કર્યો..! મિત્રો, આ ચીજને સમજવા જેવી છે. સારી સરકાર કોને કહેવાય અને ભૂંડી સરકાર કોને કહેવાય, આ એક ઉદાહરણ ઉપર એની તુલના થઈ શકે એવી છે. 10,000 કરોડ રૂપિયાનો ખર્ચો કરીને 2200 કિલોમીટરની ગેસની પાઈપલાઈન લગાવી અને 300 ગામોમાં એક મુખ્ય પાઈપલાઇનમાંથી નાની પાઈપલાઇનના ગેસના કનેક્શન આપી દીધાં, 300 ગામોમાં..! હિંદુસ્તાનમાં કોઈપણ ગામડામાં પાઈપલાઇનથી ગેસ હજુ કોઈએ આપ્યો નથી, ગુજરાત પહેલું રાજ્ય હતું કે જેણે 300 ગામોમાં પાઈપલાઇનથી ગેસ આપ્યો, મિત્રો. અને પછી દિલ્હીવાળા જાગ્યા, ત્યાં સુધી ઊંઘતા હતા પાછા. મેં 2200 કિલોમીટરની પાઈપલાઇન નાખી ત્યાં સુધી ઊંઘતા રહ્યા, મેં 300 ગામોમાં પાઈપલાઇન નાખી ત્યાં સુધી ઊંઘતા રહ્યા, મેં 7 લાખ ઘરોમાં જેમ રસોડામાં નળમાં પાણી આવે એમ પાઈપથી ગેસ આવે એમ 7 લાખ ઘરોમાં પાઈપલાઇનથી ગેસ આપી દીધો ત્યાં સુધી દિલ્હીની સરકાર ઊંઘતી રહી..! પછી ગેસના બાટલા વપરાવાના ઘટ્યા કારણકે 7 લાખ કુટુંબોને ગેસના બાટલા જરૂર ના પડી. ભારત સરકારની બાટલા દીઠ સબસિડી બચવા માંડી, વર્ષે લગભગ 600 કરોડ રૂપિયાની સબસિડી આપણે બચાવી આપી. પણ એમને થયું કે આ મોદી તો સ્વતંત્ર થઈ ગયા, હવે એને અમારી પાસે બાટલા માગવા આવવું નહીં પડે, હવે એને બાટલાની જરૂર નહીં પડે અને આ મોદીની દાદાગીરી વધી જશે, આ મોદીને ઠેકાણે પાડો..! આ તમે જુઓ કેવું કરે છે દિલ્હીવાળા? આ મોદીને ઠેકાણે પાડવા માટે સાહેબ, એમણે ફતવો બહાર પાડ્યો. તમને જાણીને અચરજ થશે, ફતવો એવો બહાર પાડ્યો કે હવે મોદી સરકાર ગુજરાતની અંદર નવી એક ઇંચ પણ પાઈપલાઇન લગાવી નહીં શકે, ગેસની પાઈપલાઇન લગાવવાનો અધિકાર માત્ર દિલ્હીમાં મનમોહનસિંહજીની, સોનિયાજીની સરકારને છે, મોદી આ ન કરી શકે. બોલો ગુજરાત કોનું, ભાઈ? ખોંખારીને બોલો, ગુજરાત કોનું? આ ધરતી કોની? આ પૈસા કોના? આ સરકાર કોની? આ ગ્રાહકોને ગેસ જોઇએ તો પાઈપલાઇન ન નાખી શકીએ? જેને પાઈપલાઇન જોઇએ એ પૈસા આપવા તૈયાર છે, સરકાર પૈસા નાખવા તૈયાર છે..! આપને આશ્ચર્ય થશે, 300 ગામોમાં પાઈપલાઇન નાખ્યા પછી બે વર્ષ થયાં, મારી ઉપર પાઈપલાઇન નાખવાનો પ્રતિબંધ નાખી દીધો છે. મને પાઈપ નાખવા દો એના માટે મારે સુપ્રીમ કોર્ટમાં જવું પડ્યું, સુપ્રીમ કોર્ટમાં..! જો ભારત સરકારે આ પાપ ન કર્યું હોત તો 7 લાખ ઘરોમાં જે ગેસ પહોંચાડ્યો છે, એ આજે 20 લાખ ઘરોમાં ગેસ પહોંચી ગયો હોત અને આજે જો 20 લાખ ઘરોમાં મારો પાઈપલાઇનથી ગેસ પહોંચ્યો હોત તો સાડા ત્રણ કરોડ બાટલાની ગુજરાતમાં જરૂર ન પડત. આ તમારે 18 ના 6 કરવા પડ્યા, 24 ના 6, એ તમારે ન કરવા પડ્યા હોત, ઉપરથી તમારી તિજોરીમાં કરોડ-કરોડો, અરબો-ખરવો રૂપિયાની સબસિડી બચી જાત, ભારત સરકારની મોટામાં મોટી સેવા ગુજરાત કરી શકત, પરંતુ કમનસીબી જુઓ, એમની દીર્ધદ્રષ્ટિનો અભાવ જુઓ કે એક બાજુ બાટલા બંધ અને બીજી બાજુ પાઈપલાઇનને તાળું, આ પ્રકારનો અણઘડ વ્યવહાર કરનારા લોકો છે એની સામે મારો આક્રોશ છે, ભાઈઓ..! અને પાછા અહીંયાં કૉંગ્રેસના નેતાઓ સમજ્યા કર્યા વગર નિવેદન કરે છે, હવે એ લોકો સમજીને કંઈ કરે એ આશા રાખવી મુશ્કેલ છે કારણકે ઈશ્વરે અમુક કામ અમુક માટે જ રાખ્યાં હોય..! એમણે કાલે આમ, કૉંગ્રેસની સરકારોએ ત્રણ બાટલા પોતાના તરફથી આપવાના જાહેર કર્યા છે, મોદી કેમ જાહેર ના કરે... અરે લલવાઓ, આ મોદીએ તો 7 લાખ ઘરોમાં પાઈપલાઇનથી આપી દીધું, અમારી તો આ બાટલાની સામે જોવાનીયે તૈયારી નથી અને 20 લાખ કુટુંબોમાં પાઈપલાઇનથી પહોંચાડવાની આજે પણ તૈયારી છે..!

ભાઈઓ-બહેનો, દિલ્હીમાં ગુજરાત વિરોધનું વાતાવરણ છે. જાણે આપણે કોઈ દુશ્મન દેશનું રાજ્ય હોઈએ ને, ડગલે ને પગલે એવો વ્યવહાર ચાલે છે. મને તો જોઈને એમને શું થતું હશે મને આશ્ચર્ય થાય છે. આખી સી.બી.આઈ. લગાડી દીધી છે બોલો, આખી સી.બી.આઈ...! આ મારે સી.બી.આઈ.થી ડરવું જોઇએ, ભાઈ? તમે છો ને? આપના ભરોસે છે બધું, પાકું?

ભાઈઓ-બહેનો, આજે આ હોમગાર્ડના ચહેરા પર મને ખુશી દેખાય છે. કાયમ ઊભા રહેતા હોય, આજે એમને બેસવા મળ્યું છે. 400% નો વધારો, 50,000 હોમગાર્ડ્ઝને લાભ મળ્યો છે. અને મને વિશ્વાસ છે કે આ નવજુવાનો ગુજરાતની સેવા-સુરક્ષામાં અગાઉ કરતાં ઉત્તમ કામગીરી કરીને બતાવશે એવો મને પૂરો ભરોસો છે. હોમગાર્ડના મિત્રોને મારી શુભકામનાઓ છે.

ભાઈઓ-બહેનો, આપે સ્વાગત કર્યું, સન્માન કર્યું, આ યુવા પરિષદ નવાં સપનાં લઈને આગળ વધે એ જ અપેક્ષા સાથે...

ભારત માતા કી જય...!! ભારત માતા કી જય...!! ભારત માતા કી જય...!!

Explore More
78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
India’s Average Electricity Supply Rises: 22.6 Hours In Rural Areas, 23.4 Hours in Urban Areas

Media Coverage

India’s Average Electricity Supply Rises: 22.6 Hours In Rural Areas, 23.4 Hours in Urban Areas
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Government, society and saints are all united in the fight against cancer: PM Modi in Madhya Pradesh
February 23, 2025
QuoteOur temples, our monasteries, our holy places have been centres of worship and resources on one hand and on the other they have also been centres of science and social consciousness: PM
QuoteIt was our sages who gave us the science of Ayurveda, the science of yoga, which has been acclaimed worldwide today: PM
QuoteWhen the country gave me the opportunity to serve, I made the mantra of 'Sabka Saath, Sabka Vikas' the resolution of the government, and this resolve of 'Sabka Sath, Sabka Vikas' is based on - treatment for all, health for all: PM

भैया हरौ बोलो मतंगेश्वर भगवान की जै, बागेश्वर धाम की जै, जय जटाशंकर धाम की जै, अपुन ओंरण खाँ मोरी तरफ सें दोई हाँथ, जोर के राम-राम जू। कार्यक्रम में उपस्थित मध्य प्रदेश के गर्वनर श्री मंगूभाई पटेल, मुख्यमंत्री भाई मोहन यादव जी, जगतगुरू पूज्य रामभद्राचार्य जी, बागेश्वर धाम के पीठाधीश्वर श्री धीरेन्द शास्त्री जी, साध्वी ऋतंभरा जी, स्वामी चिदानंद सरस्वती जी, महंत श्री बालक योगेश्चरदास जी, इसी क्षेत्र के सांसद विष्णुदेव शर्मा जी, अन्य महानुभाव और प्यारे भाईयों और बहनों।

बहुत ही दिनों में मुझे दूसरी बार वीरों की इस धरती बुंदेलखंड आने का सौभाग्य मिला है। और इस बार तो बालाजी का बुलावा आया है। ये हनुमान जी की कृपा है, कि आस्था का ये केंद्र अब आरोग्य का केंद्र भी बनने जा रहा है। अभी मैंने यहां श्री बागेश्वर धाम मेडिकल साइंस एंड रिसर्च इंस्टीट्यूट का भूमि पूजन किया है। ये संस्थान 10 एकड़ में बनेगा। पहले चरण में ही इसमे 100 बेड्स की सुविधा तैयार होगी। मैं इस पुनित कार्य के लिए श्री धीरेन्द्र शास्त्री जी का अभिनंदन करता हूं और बुंदेलखंड के लोगों को बहुत बहुत बधाई देता हूं।

|

साथियों,

आजकल हम देखते हैं कि नेताओं का एक वर्ग ऐसा है, जो धर्म का मखौल बनाता है, उपहास उड़ाता है, लोगों को तोड़ने में जुटा है और बहुत बार विदेशी ताकतें भी इन लोगों का साथ देकर देश और धर्म को कमजोर करने की कोशिश करती दिखती है। हिन्दू आस्था से नफरत करने वाले ये लोग सदियों से किसी न किसी भेष में रहते रहे हैं। गुलामी की मानसिकता से घिरे हुए लोग हमारे मत, मान्यताओं और मंदिरों पर हमारे संत, संस्कृति और सिद्धांतों पर हमला करते रहते हैं। ये लोग हमारे पर्व, परंपराओं और प्रथाओं को गाली देते हैं। जो धर्म, जो संस्कृति स्वभाव से ही प्रगतिशील है, उस पर ये कीचड उछालने की हिम्मत दिखाते हैं। हमारे समाज को बांटना, उसकी एकता को तोड़ना ही इनका एजंडा है। इस माहौल में मेरे छोटे भाई धीरेन्द्र शास्त्री जी काफी समय से देश में एकता के मंत्र को लेकर लोगों को जागरूक करते रह रहे हैं। अब उन्होंने समाज और मानवता के हित में एक और संकल्प लिया है, इस केंसर संस्थान के निर्माण की ठानी है, यानी अब यहां बागेश्चर धाम में भजन, भोजन और निरोगी जीवन तीनों को आशीर्वाद मिलेगा।

साथियों,

हमारे मंदिर, हमारे मठ, हमारे धाम ये एक ओर पूजन और साधना के केंद्र रहे हैं, तो दूसरी ओर विज्ञान और सामाजिक चिंतन के भी, सामाजिक चेतना के भी केंद्र रहे हैं। हमारे ऋषियों ने ही हमें आयुर्वेद का विज्ञान दिया, हमारे ऋषियों ने ही हमें योग का वो विज्ञान दिया, जिसका परचम आज पूरी दुनिया में लहरा रहा है। हमारी तो मान्यता ही है - परहित सरिस धर्म नहीं भाई। अर्थात, दूसरों की सेवा, दूसरों की पीड़ा का निवारण ही धर्म है। इसलिए नर में नारायण, जीव में शिव, इस भाव से जीवमात्र की सेवा यही हमारी परंपरा रही है। आजकल हम देख रहे हैं महाकुंभ की हर तरफ चर्चा हो रही है, महाकुंभ अब पूर्णता की ओर है, अब तक करोड़ों लोग वहां पहुंच चुके हैं, करोड़ों लोगों ने आस्था की डूबकी लगाई है, संतों के दर्शन किए हैं। अगर इस महाकुंभ की तरफ नजर करें तो सहजभाव उठ जाता है, ये एकता का महाकुंभ है। आने वाली सदियों तक 144 वर्ष के बाद हुआ ये महाकुंभ, एकता के महाकुंभ के रूप से प्रेरणा देता रहेगा और देश की एकता को मजबूती देने का अमृत परोसता रहेगा। लोग सेवाभाव से लगे हुए हैं, जो भी कुंभ में गया है, एकता के दर्शन तो किए ही हैं, लेकिन जिन जिन से मेरा मिलना हुआ है, दो बातें महाकुंभ में गए हुए हर व्यक्ति के मुंह से हिन्दुस्तान के कोने-कोने में सुनाई देती है। एक – वे जी भरकर के स्वच्छता कर्मियों की, उनके गुणगान करते हैं। चौबीसों घंटे जिस सेवा भाव से इस एकता के महाकुंभ में स्वच्छता के कार्य को वो संभाल रहे हैं, मैं आज उन सभी स्वच्छता के साथियों को आदरपूर्वक नमन करता हूं। दूसरी एक विशेषता है, जो हमारे देश में बहुत कम सुनने को मिलती है और इस बार मैं देख रहा हूं एकता के इस महाकुंभ से आए हुए हर यात्री कह रहा है, कि इस बार एकता के महाकुंभ में पुलिसकर्मियों ने जो काम किया है, एक साधक की तरह, एक सेवावर्ती की तरह पूरी नम्रता के साथ देश के कोटि-कोटि जनों को संभालना, इस एकता के महाकुंभ में जिन पुलिसकर्मियों ने देश के लोगों का दिल जीत लिया है, वे भी बधाई के पात्र हैं।

|

लेकिन भाईयों-बहनों,

प्रयागराज के इसी महाकुंभ में, इसी सेवा भावना के साथ अनेक विविध समाज सेवा के प्रकल्प चल रहे हैं। जिसकी तरफ मीडिया का तो ध्यान जाना बड़ा मुश्किल है, लेकिन ज्यादा चर्चा भी नहीं हुई है, अगर मैं सभी इन सेवा प्रकल्पों की चर्चा करूं तो शायद मेरा अगला कार्यक्रम डिस्टर्ब हो जाएगा। लेकिन मैं एक का उल्लेख करना चाहता हूं, इस एकता के महाकुंभ में नेत्र का महाकुंभ चल रहा है। इस नेत्र महाकुंभ में देश के कोने कोने से आए हुए यात्री, गरीब परिवारों से आए हुए लोग, उनकी आंखों की जांच होती है, मुफ्त में होती है। नेत्र चिकित्सक देश के गणमान्य डॉक्टर दो महीने से वहां बैठे हुए है, और इस नेत्र महाकुंभ में अब तक दो लाख से ज्यादा मेरे भाई बहनों की आँखों की जांच हो चुकी है। करीब डेढ़ लाख लोगों को निःशुल्क दवा और चश्मे दिये गए हैं, और कुछ लोग ऐसे पाए गए जिनको मोतियाबिंद के ऑपरेशन की जरूरत थी, तो इस नेत्र महाकुंभ से चित्रकूट और अगल बगल के स्थानों पर जहां पर अच्छी नेत्र चिकित्सा के अस्पतालें थी, करीब 16000 मोतियाबिंद के ऑपरेशन के लिए उन अस्पतालों में भेज करके, एक भी पैसा खर्च बिना उन सबके मोतियाबिंद के ऑपरेशन किए गए हैं। ऐसे कितने ही अनुष्ठान इस एकता के महाकुंभ में चल रहे हैं।

भाईयों-बहनों,

यह सब कौन कर रहा है? हमारे साधु-संतों के मार्गदर्शन में हजारों डॉक्टर्स, हजारों स्वयंसेवक स्वतःस्फूर्त भाव से, समर्पित भाव से, सेवा भाव से इसमें लगे हुए हैं। जो लोग एकता के इस महाकुंभ में जा रहे हैं, वो इन प्रयासों की सराहना कर रहे हैं।

|

भाइयों-बहनों,

ऐसे ही, भारत में कितने ही बड़े-बड़े अस्पताल भी हमारी धार्मिक संस्थाओं द्वारा चलाये जा रहे हैं। धार्मिक ट्रस्ट्स के द्वारा हेल्थ और साइन्स से जुड़े कितने ही रिसर्च इंस्टीट्यूट्स चलाये जा रहे हैं। करोड़ों गरीबों का इलाज और सेवा इन संस्थानों में होती है। मेरी दीदी मां यहां बैठी है। अनाथ बालिकाओं के लिए जिस प्रकार से समर्पण भाव से वो सेवा करती है। अपना जीवन बेटियों के लिए उन्होंने समर्पित कर दिया।

साथियों,

यहीं पास में हमारे बुंदेलखंड का चित्रकूट, प्रभु राम से जुड़ा ये पवित्र तीर्थ खुद दिव्यांगों और मरीजों की सेवा का कितना बड़ा केंद्र है। मुझे खुशी है, इस गौरवशाली परंपरा में बागेश्वर धाम के रूप में एक और नया अध्याय जुड़ने जा रहा है। अब बागेश्वर धाम में आरोग्य का आशीर्वाद भी मिलेगा। मुझे बताया गया है, यहां दो दिन बाद महाशिवरात्रि के दिन 251 बेटियों के सामूहिक विवाह महोत्सव का भी आयोजन होगा। मैं इस पुण्य कार्य के लिए भी बागेश्वर धाम की सराहना करता हूं। मैं सभी नव-विवाहित दम्पतियों को, मेरी बेटियों को सुंदर और सुखी जीवन के लिए अग्रिम बधाई देता हूँ, हृदय से आशीर्वाद देता हूँ।

साथियों,

हमारे शास्त्रों में कहा गया है- शरीर-माद्यं खलु धर्म-साधनम्। अर्थात्, हमारा शरीर, हमारा स्वास्थ्य ही हमारे धर्म, हमारे सुख और हमारी सफलता का सबसे बड़ा साधन है। इसीलिए, जब देश ने मुझे सेवा का अवसर दिया, तो मैंने ‘सबका साथ, सबका विकास’ के मंत्र को सरकार का संकल्प बनाया। और, ‘सबका साथ, सबका विकास’ के इस संकल्प का भी एक बड़ा आधार है- सबका इलाज, सबको आरोग्य! इस विज़न को पूरा करने के लिए हम अलग-अलग स्तर पर फोकस कर रहे हैं। हमारा फोकस है- बीमारी से बचाव पर, आप मुझे बताइए, यहां स्वच्छ भारत अभियान के तहत टॉयलेट, शौचालय हर गांव में बने हैं की नहीं बने हैं? इससे आपकी मदद हुई की नहीं हुई? आपको पता है शौचालय बनने से एक और फायदा हुआ है। शौचालय बने हैं तो गंदगी से होने वाली बीमारियां भी कम हुई हैं। एक स्टडी कहती है, जिन घरों में शौचालय बने हैं, वहां हजारों रुपए बीमारी पर खर्च होने से बचे हैं।

|

साथियों,

2014 में हमारी सरकार आने से पहले हालात ये थी कि, देश में गरीब जितना बीमारी से नहीं डरता था, उससे ज्यादा डर उसे इलाज के खर्च से लगता था। अगर परिवार में कोई एक व्यक्ति भी गंभीर बीमारी का शिकार हो जाये, तो पूरा परिवार संकट में आ जाता था। मैं भी आप सबकी तरह गरीब परिवार से निकला हूँ। मैंने भी इन तकलीफ़ों को देखा है। और इसीलिए, मैंने संकल्प लिया है- मैं इलाज का खर्च कम करूंगा, और आपकी जेब में ज्यादा से ज्यादा पैसा बचाऊंगा। मैं आपको बार-बार हमारी सरकार की कुछ योजना कल्याणकारी योजनाओं की जानकारी देता रहता हूं, ताकि एक भी जरूरतमंद योजनाओं से छूटे नहीं, इसलिए, मैं कई जरूरी बातें आज फिर यहां दोहरा रहा हूं और मैं आशा करता हूं, आप इसे याद भी रखेंगे और अपने परिचितों को जरा बतांएगे भी। बताएंगे ना, पक्का बताएंगे, ये भी सेवा का ही काम है। इलाज के खर्च का बोझ कम होना चाहिए कि नहीं होना चाहिए? इसलिए मैंने हर गरीब के मुफ्त इलाज की व्यवस्था कर दी है। 5 लाख तक का इलाज बिना किसी खर्च के! किसी बेटे को अपने मां-बाप के इलाज के लिए ₹500000 तक खर्च नहीं करना पड़ेगा। यह दिल्ली में आपका जो बेटा बैठा है ना वह काम वो करेगा। लेकिन इसके लिए आपको आयुष्मान कार्ड बनवाना है। मुझे आशा है कि यहां बहुत सारे लोग होंगे, जिनका आयुष्मान कार्ड जरूर बना होगा, जिनका नहीं बना है वो भी जल्दी से जल्दी इसे बनवा लें और मैं मुख्यमंत्री जी को भी कहूंगा, कि इस काम को इस क्षेत्र में अगर कोई छूट गए हो तो तेजी से इसको आगे बढ़ाया जाए।

साथियों,

एक और बात आपको याद रखनी है। अब गरीब, अमीर, मध्यम वर्ग, कोई भी परिवार हो, परिवार में 70 साल से अधिक उम्र के सभी बुजुर्गों के लिए भी मुफ्त इलाज के लिए आयुष्मान कार्ड बन रहे हैं। ये कार्ड भी ऑनलाइन ही बन जाएंगे। इसके लिए कहीं किसी को कोई पैसा देना नहीं है। और अगर कोई पैसे मांगता है, तो सीधे मुझे चिट्ठी लिखना है, बाकि काम मैं कर लूंगा। अगर कोई पैसा मांगता है तो क्या करेंगे आप? लिखेंगे। मैं इन संत महात्माओं को भी कहता हूं कि आप भी जरा आयुष्मान कार्ड का प्रबंध कर दीजिए, ताकि आपको कभी बीमारी में मुझे सेवा करने का मौका मिले। आपको तो बीमारी आने वाली नहीं है, लेकिन अगर कहीं आ जाए तो।

भाइयों बहनों,

कई बार इलाज के लिए अस्पताल में भर्ती होने की जरूरत नहीं पड़ती है। डॉक्टर की लिखी दवाई घर पर ही खानी पड़ती है। ऐसे में मेडिकल स्टोर से सस्ती दवाई मिले, मैंने इसका भी इंतजाम किया है। इस खर्च को कम करने के लिए देश में 14000 से ज्यादा जन औषधि केंद्र खोले गए हैं और ये जन औषधि केंद्र ऐसे हैं,कि जो दवाई बाजार में ₹100 में मिलती है, जन औषधी केंद्र में वही दवाई सिर्फ ₹ 15-20, 25 में मिल जाती है। अब आपका पैसा बचेगा कि नहीं बचेगा? तो आपको जन औषधि केंद्र से दवाई ले लीजिए कि नहीं लेनी चाहिए? दूसरी एक बात मैं करना चाहता हूं, आजकल बहुत बार खबरें आती हैं, गांव-गांव किडनी की भी बीमारी काफी फैल रही है। अब किडनी की बीमारी जब बढ़ जाती है, तो लगातार डायलिसिस करानी पड़ती है, नियमित रूप से करानी पड़ती है, दूर दूर जाना पड़ता है, खर्चा बहुत लगता है। आपकी यह मुसीबत कम हो इसलिए हमने देश के 700 से ज्यादा जिलों में डेढ़ हजार से ज्यादा डायलिसिस सेंटर खोलें हैं। यहां मुफ्त डायलिसिस की सुविधा भी उपलब्ध है। सरकार की इन सब योजनाओं की जानकारी आपको भी होनी चाहिए और आपको अपने परिचितों में भी सब को बताना चाहिए। तो मेरा इतना काम करोगे? जरा सब हाथ ऊपर करके बताइए करोगे? आपको पुण्य मिलेगा, यह सेवा का काम है।

साथियों,

बागेश्वर धाम में कैंसर मरीजों के लिए इतना बड़ा अस्पताल खुलने जा रहा है। क्योंकि कैंसर अब हर जगह बड़ी परेशानी बन रहा है, इसलिए आज सरकार समाज, संत, सब कैंसर के खिलाफ लड़ाई में मिलकर प्रयास कर रहे हैं।

भाइयों-बहनों,

मुझे पता है, गांव में अगर किसी को कैंसर हो जाए, तो उससे लड़ना कितना मुश्किल होता है। पहले तो बहुत दिनों तक पता ही नहीं चलता कि कैंसर हुआ है। बुखार और दर्द की घरेलू दवाएं आमतौर पर लोग लेते रहते हैं और कुछ लोग तो पूजा जाप में चले जाते हैं, किसी के तांत्रिकों के हाथ में फस जाते हैं, जब तकलीफ बहुत बढ़ जाती है या गांठ दिखने लगती है, तब जाकर बाहर दिखाते हैं, तब पता चलता है कि कैंसर हुआ है। और कैंसर का नाम सुनते ही पूरे घर में मातम छा जाता है, सब कोई घबरा जाता है, सारे सपने चूर-चूर हो जाते हैं और ये भी समझ नहीं आता कि कहां जाना है, कहां इलाज कराना है। ज्यादातर लोगों को दिल्ली मुंबई का ही पता होता है। इसलिए हमारी सरकार इन सब तकलीफों के समाधान में लगी है। इस साल जो बजट आया है, उसमें भी कैंसर से लड़ने के लिए कई सारी घोषणाएं की गई है और मोदी ने तय किया है कि कैंसर की दवाओं को और सस्ता किया जाएगा। अगले 3 साल में देश के हर जिले में कैंसर डे केयर सेंटर खोले जाएंगे। डे केयर सेंटर में जांच भी होगी और आराम करने की सुविधा भी होगी। आपके पड़ोस में ही जो जिला अस्पताल है, चिकित्सा केंद्र हैं, वहां कैंसर क्लीनिक भी खोले जा रहे हैं।

लेकिन भाइयों-बहनों,

आपको मेरी एक बात अच्छी लगे या बुरी लगे, लेकिन इसको कुछ करना ही पड़ेगा, याद रखना और जीवन में लागू करना, कैंसर से सुरक्षा के लिए आपको भी सावधान और जागरूक होना पड़ेगा। सबसे पहली सावधानी यह है, कि समय से कैंसर की पड़ताल, क्योंकि एक बार कैंसर फैल गया तो उसे हराना उतना ही मुश्किल हो जाता है। इसलिए हम 30 साल से ज्यादा उम्र के सभी लोगों की जांच के लिए एक अभियान चला रहे हैं। आप सब को इस अभियान का फायदा उठाना चाहिए, हिस्सा बनना चाहिए। लापरवाही नहीं करनी है। थोड़ी सी भी शंका हो कैंसर की तुरंत जांच करवानी है। एक और बात कैंसर को लेकर सही जानकारी भी बहुत जरूरी है। यह कैंसर किसी को छूने से नहीं होता है, यह छुआछूत की बीमारी नहीं है, यह छूने से नहीं फैलती है, कैंसर का खतरा बीड़ी, सिगरेट, गुटका, तंबाकू और मसाले से बढ़ता है, कि माताएं बहने ज्यादा खुश हो रही है मेरी बात सुनकर। इसलिए कैंसर फैलाने वाले इस सब नशे से आपको तो दूर रहना ही है, औरों को भी उससे दूर रखना है। अपने शरीर और स्वास्थ्य का ख्याल रखना है। और मैं आशा करता हूं। अगर हम सावधानी रखेंगे। तो बागेश्वर धाम के कैंसर अस्पताल अस्पताल पर बोझ नहीं बनेंगे। यहां आने की जरूरत नहीं पड़ेगी, तो सावधानियां रखोगे ना? लापरवाही तो नहीं करोगे ना?

|

साथियों,

मोदी आपका सेवक बनकर आपकी सेवा में जुटा है। मैं पिछली बार जब छतरपुर आया था तो यहां मैंने हजारों करोड़ रुपए की योजनाओं का लोकार्पण और शिलान्यास किया था और अभी मुख्यमंत्री जी ने इसका वर्णन भी किया। आपको ध्यान होगा, इनमें 45000 करोड रुपए की केन बेतवा लिंक परियोजना की थी। यह परियोजना कितने दशकों से लटकी हुई थी, कितनी सरकारें आई चली गई, हर पार्टी के नेता भी बुंदेलखंड आते थे। लेकिन यहां पानी की किल्ल्त बढ़ती ही चली गई। आप मुझे बताईये, पिछली किसी सरकार ने अपना वादा पूरा किया क्या? यह काम भी तब शुरू हुआ जब आप ने मोदी को आशीर्वाद दिया। पीने का पानी और उसका संकट दूर करने के लिए भी तेजी से काम हो रहा है। जल जीवन मिशन यानी हर घर जल परियोजना के तहत बुंदेलखंड के गांव-गांव में पाइप से पानी पहुंचाया जा रहा है। गांव में पानी पहुंचे हमारे किसान भाई बहनों की तकलीफ दूर हो, उनकी आए बढ़े, हम इसके लिए दिन रात मेहनत कर रहे हैं।

भाइयों-बहनों,

बुंदेलखंड समृद्ध बने, इसके लिए जरूरी है कि हमारी माताएं बहनें भी उतनी ही सशक्त बने, इसके लिए हमने लखपति दीदी और ड्रोन दीदी जैसी योजनाएं शुरू की है। हम 3 करोड़ बहनों को लखपति दीदी बनाने का लक्ष्य लेकर चल रहे है। बहनों को ड्रोन उड़ाने की ट्रेनिंग भी दी जा रही है। बुंदेलखंड में सिंचाई का पानी पहुंचेगा, बहनें ड्रोन से फसलों पर छिड़काव करेगी, खेती में मदद करेगी, तो हमारा बुंदेलखंड समृद्धि के रास्ते पर तेजी से आगे बढ़ेगा।

भाइयों-बहनों,

गांव में ड्रोन तकनीक से एक और बड़ा जरूरी काम हो रहा है। स्वामित्व योजना के अंतर्गत ड्रोन से जमीन की पैमाइश करा के उसके पुख्ता कागज दिए जा रहे हैं। यहां एमपी में तो इसे लेकर बहुत अच्छा काम हुआ है। अब इन कागजों पर लोग बैंक से आसानी से लोन भी ले रहे हैं, यह लोन रोजगार धंधे में काम आ रहा है, लोगों की आय बढ़ रही है।

साथियों,

बुंदेलखंड की इस महान धरती को विकास की नई ऊंचाई पर पहुंचाने के लिए डबल इंजन की सरकार दिन रात मेहनत कर रही है। मैं बागेश्वर धाम में कामना करता हूं। बुंदेलखंड समृद्धि और विकास की राह पर इसी तरह आगे बढ़ता रहे, और आज मैं हनुमान दादा के चरणों में आया तो मुझे लगा क्या यह धीरेंद्र शास्त्री अकेले ही पर्ची निकालेंगे, कि मैं निकाल पाऊंगा? तो मैंने देखा कि आज हनुमान दादा की मुझ पर कृपा होती है कि नहीं होती है। तो हनुमान दादा जी ने मुझे आशीर्वाद दिया और मैंने आज पहली पर्ची निकाली, उनकी माता जी की पर्ची निकाली और जिसकी बात शास्त्री जी ने बता दी आपको।

खैर साथियों,

यह बहुत बड़ा अवसर है, बहुत बड़ा काम है। संकल्प बड़ा हो, संतों के आशीर्वाद हो, प्रभु की कृपा हो तो समय सीमा में सब पूर्ण होता है और आपने कहा है, कि इसके उद्घाटन के लिए मैं आऊं, दूसरा कहा है कि उनकी बारात में मैं आऊं। मैं आज सार्वजनिक रूप से वादा करता हूं, दोनों काम कर दूंगा। आप सभी को एक बार फिर मेरी बहुत-बहुत शुभकामनाएं। बहुत-बहुत धन्यवाद, हर-हर महादेव।