Shri Narendra Modi addressed Vivekananda Yuva Parishad in Patan

Published By : Admin | September 23, 2012 | 18:54 IST

ભારત માતા કી જય...!!

મંચ પર બિરાજમાન સર્વે મહાનુભાવો અને આ વહેલી સવારે આટલી મોટી સંખ્યામાં પાટણ જિલ્લામાંથી પધારેલ સૌ યુવાન મિત્રો..!

આ સ્વામી વિવેકાનંદજીની 150 મી જયંતીનો અવસર છે. સ્વામી વિવેકાનંદજીની બે-ત્રણ બાબતો આપના ધ્યાને મૂકવા માંગું છું. વિવેકાનંદજીએ એક લેખ લખ્યો હતો અને એ લેખમાં એમણે કહ્યું હતું કે મારું આયુષ્ય 40 વર્ષથી વધારે નથી અને હું મારા નિર્ધારિત સમયે આ દુનિયાને છોડીને વિદાય થઈ જઈશ. આ વાત જ્યારે કહી હતી ત્યારે કોઈના ગળે ઊતરે નહીં, અચરજ થાય. પણ હકીકતે બન્યું એવું કે 40 મા વર્ષે જ એમણે દેહત્યાગ કરી દીધો. એમણે બીજી એક જાહેરાત કરી હતી 1897 માં, 1897 માં એમણે કહ્યું હતું. એ જ્યારે અમેરિકાના શિકાગોથી પાછા આવ્યા ત્યારે મદ્રાસના બંદરે એમનો સ્વાગત સમારંભ હતો અને ત્યારે એ વખતની મેદનીને એમણે સંબોધન કરતાં કહ્યું હતું કે મારી ભારતવાસીઓને વિનંતી છે કે તમે તમારા બધા જ દેવી-દેવતાઓને સુવાડી દો, તમારા બધા જ ઇષ્ટદેવતાઓને સુવાડી દો અને માત્ર ને માત્ર એક જ દેવીની પૂજા કરો અને એ દેવી એટલે ભારતમાતા. એમણે કહ્યું હતું કે આગામી 50 વર્ષ માટે તમે આ કરો, આગામી 50 વર્ષ એક જ માતા, માત્ર ભારતમાતા, એક જ દેવી માત્ર ભારતમાતા, આ એમણે કહ્યું હતું. અને મજા જુઓ કે 1897 ના ઠીક 50 વર્ષ પછી 1947, આ દેશ આઝાદ થયો. એમની આગાહી કેટલી સચોટ હતી એનું આ ઉદાહરણ છે. ભાઈઓ-બહેનો, એ મહાપુરુષે બીજી પણ એક આગાહી કરી હતી. એણે કહ્યું હતું કે હું મારી નજર સામે સ્પષ્ટ જોઈ રહ્યો છું કે આ મારી ભારતમાતા જગદ્દગુરુના સ્થાને બિરાજમાન હશે, મને સ્પષ્ટ દેખાય છે કે મારી ભારતમાતા વિશ્વગુરુ તરીકે બિરાજતી હશે. પણ ભાઈઓ-બહેનો, આઝાદીનાં આટલાં વર્ષ પછી પણ એ દિશામાં કોઈ સંકેત નજર નથી આવતો. મારો ભરોસો સ્વામી વિવેકાનંદમાં વધારે છે. ભલે કદાચ અત્યાર સુધી નહીં થયું હોય, પણ ભવિષ્યમાં નહીં જ થાય એ માનવાને કારણ નથી. અને એટલા માટે આપણે સ્વામી વિવેકાનંદના સપનાને સાકાર કરવા માટે, આ દેશવાસીઓએ ફરીથી સંકલ્પ કરવા માટે આ 150 મી જયંતી એક અવસર છે. સ્વામી વિવેકાનંદે બીજી વાત કરી હતી. એમણે કહ્યું હતું કે મને તમે સો યુવાનો આપો, હું દુનિયા બદલી નાખીશ. આજે વિવેકાનંદ નથી એટલે સો યુવાનોથી નહીં ચાલે પણ લાખો યુવાનોથી તો દુનિયા બદલી શકાય એટલો તો આપણને વિવેકાનંદમાં ભરોસો છે. આ સ્વામી વિવેકાનંદના સપનાં સાકાર કરવા માટે હિંદુસ્તાનમાં કંઈ થાય કે ન થાય, આપણે યુવા શક્તિને જોડીને આ ગુજરાતને શાનદાર, જાનદાર, પ્રગતિવાળું રાજ્ય બનાવીને રહેવું છે.

ભાઈઓ-બહેનો, આજે ધારપુરમાં સવારે મેડિકલ કૉલેજનું ઉદઘાટન કરવાનો મને અવસર મળ્યો. આમ તો મને જો સમયની અનુકૂળતા હોત તો, આ ધારપુર મેડિકલ કૉલેજનો પ્રસંગ પણ સમગ્ર ઉત્તર ગુજરાત માટે ઐતિહાસિક અવસર છે. સૌરાષ્ટ્રમાં તમે જુઓ તો જામનગરમાં મેડિકલ કૉલેજ, ભાવનગરમાં મેડિકલ કૉલેજ, સુરેન્દ્રનગરમાં મેડિકલ કૉલેજ, રાજકોટમાં મેડિકલ કૉલેજ, પણ ઉત્તર ગુજરાત આખું કોરું ધાકોર હતું..! આ જુના શાસકોએ શું શું કર્યું છે એનાં બધાં ઉદાહરણો છે. ભાઈઓ-બહેનો, આ ઉત્તર ગુજરાતના નસીબમાં આજે પહેલી મેડિકલ કૉલેજ આવી છે. આ અવસર આખા ઉત્તર ગુજરાત માટેનો છે અને મારું સપનું તો ગુજરાતના દરેકે જિલ્લામાં મેડિકલ કૉલેજ કરવાનું છે, આદિવાસી જિલ્લામાં પણ મેડિકલ કૉલેજ કરવાનું છે. જો ડૉક્ટરો જ નહીં હોય તો હોસ્પિટલોનાં મકાનો બનાવવાથી આરોગ્ય નહીં સુધરે, ગામડે ગામડે ડૉક્ટરોની સેવા ઉપલબ્ધ હોવી જોઇએ અને ગામડે ગામડે ડૉક્ટરોની સેવા ઉપલબ્ધ કરાવી હશે તો ડૉક્ટરો માટે મેડિકલ કૉલેજો કરવી પડશે. અને ભૂતકાળમાં બારમા ધોરણમાં છોકરો નિચોવાઈ જતો હતો, કારણકે સીટો ઓછી, 90-95% થી ઓછા માર્ક આવે તો મેડિકલમાં ઍડ્મિશન ન મળે. કુટુંબ આખું છોકરાને ડૉક્ટર બનાવવા માટે ગાંડું થઈ જાય. ઘેર મહેમાનને ના આવવા દે, ટી.વી.ના ચાલવા દે, આવી દશા..! ભાઈઓ-બહેનો, અને કરોડો રૂપિયા... જયનારાયણભાઈએ કહ્યું એમ ગયા 50 વર્ષમાં ગુજરાત-બહાર ભણવા જવા માટે છોકરાઓએ જે રૂપિયા ખર્ચ્યા છે, એમના મા-બાપે જે ડોનેશન આપ્યાં છે, એ જો ન કરવું પડ્યું હોત તો આજે અડધા જિલ્લામાં મેડિકલ કૉલેજ એ દાનમાંથી બની ગઈ હોત..! પણ જે દ્રષ્ટિ જોઇએ ને એ દ્રષ્ટિ નહોતી, મિત્રો. અને આવનારા દિવસોમાં ઉત્તર ગુજરાતના ચારેય જિલ્લામાં મેડિકલ કૉલેજ કાર્યરત થશે એ સપના સાથે અમે કામ કરી રહ્યા છીએ. અને આજે જ્યારે ધારપુરમાં મેડિકલ કૉલેજનું ઉદઘાટન કરી રહ્યો છું ત્યારે આ એક પવિત્ર જગ્યા છે, સરસ્વતી સાથે જોડાએલી જગ્યા છે એટલે આપણી આ ધારપુરની મેડિકલ કૉલેજ ‘શ્રી સરસ્વતી મેડિકલ કૉલેજ’ તરીકે ઓળખાશે.

ભાઈઓ-બહેનો, મને પાટણ જિલ્લાના આગેવાનો વચ્ચે મળવા આવ્યા હતા. એમણે ફરિયાદ કરી હતી કે સાહેબ, તમે સદભાવના મિશનમાં આવ્યા, આખા રાજ્યમાં બધે ગયા પણ અમારા જિલ્લામાં પૅકેજ જાહેર કરવાનું રહી ગયું હતું. મેં એમને કહ્યું હતું કે ભાઈ, હવે જ્યારે આવીશ ત્યારે પહેલું કામ આ તમારું પૂરું કરી આપીશ, કારણકે એ દિવસે ઉતાવળ ઉતાવળમાં મારા ભાષણમાં એ વાતનો ઉલ્લેખ રહી ગયો હતો અને રહી ગયો એટલે એની નોંધ લેવાણી કે ભાઈ, બધા જિલ્લાને સદભાવનામાં પૅકેજ મળ્યું તો અમને કેમ નહીં? ભાઈઓ-બહેનો, આજે જ્યારે આપની વચ્ચે આવ્યો છું ત્યારે મારે ગર્વ સાથે કહેવું છે કે પાટણ જિલ્લાને પણ વિકાસના કામો માટે 2000 કરોડ રૂપિયા અને તે પૈકીના 275 કરોડ રૂપિયાનાં કામ ઑલરેડી ચાલુ છે. ભલે કદાચ પૅકેજ જાહેર કરવામાં હું મોડો પડ્યો હોઉં, પણ તમને પૅકેજ આપવામાં મોડો નથી પડ્યો. આપ્યું છે પહેલાં, જાહેરાત પછી કરું છું.

ભાઈઓ-બહેનો, આજે જ્યારે હું અહીં આવ્યો છું ત્યારે બનાસકાંઠા અને પાટણ, એના માટે પણ મારે મહત્વની જાહેરાત કરવી છે. આપણો આ પાટણ તાલુકો ખૂબ પથરાયેલો તાલુકો છે, ગામોની સંખ્યા પણ વધારે છે તેથી અમે નક્કી કર્યું છે કે પાટણ તાલુકાના બે ભાગ કરીને એક પાટણ તાલુકો અને બીજો સરસ્વતી તાલુકો બનાવવામાં આવશે. અને 26 જાન્યુઆરી, 2013 થી આ નવો સરસ્વતી તાલુકો પણ કાર્યરત કરી દેવામાં આવશે. એ જ રીતે સમી તાલુકો, સમી તાલુકાનો પણ ખૂબ લાંબો પાટ છે. વહીવટી દ્રષ્ટિથી આપણે અનેક સુધારાઓ કર્યા છે, આજે કરીએ છીએ એવું નહીં, આપણે પ્રાંતની ઓફિસો વધારી દીધી. એ જ રીતે સમી તાલુકાનો પણ પાટ લાંબો હોવાના કારણે સમી તાલુકામાંથી શંખેશ્વર તાલુકો જુદો બનાવવામાં આવશે. એ જ રીતે મારે બનાસકાંઠા જિલ્લાની વાત પણ આજે પાટણમાં કરી દેવી છે. બનાસકાંઠા જિલ્લો વિસ્તરેલો છે, તાલુકા પણ ઘણા છે તેમ છતાંય પાકિસ્તાનની સરહદે આવેલો વાવ તાલુકો, એનો પાટ ખૂબ પહોળો છે, ચારે બાજુ પથરાએલો છે. છેવાડાના વિસ્તારને વિકાસના લાભ મળે એટલા માટે વાવ તાલુકામાં અલગ સૂઈગામ તાલુકો જુદો બનાવવામાં આવશે. ભાઈઓ-બહેનો, પાટણ જિલ્લાને અને બનાસકાંઠા જિલ્લાને બંનેને એનો લાભ મળે એ આપના ધ્યાનમાં આવતું હશે.

નવજુવાન મિત્રો, પાટણના યુવકો માટે, ઉત્તર ગુજરાતના યુવકો માટે ભૂતકાળ કેવો હતો? એ દસમું-બારમું ભણતો હોય ત્યારથી આગળ શું ભણશે એનો વિચાર ઓછામાં ઓછો હોય, પણ કયા ગામમાં જઉં તો રોજીરોટી મળશે એનો જ વિચાર ચાલતો હોય. કચ્છના લોકો કચ્છની કઠિન પરિસ્થિતિ જોઇને કચ્છ છોડીને જતા રહે, પણ ઉત્તર ગુજરાતનો છોકરો કચ્છની અંદર શિક્ષકની નોકરી મળે તો ય બિચારો હોંશે હોંશે લેવા જાય, કારણકે પેટ ભરવા માટે કોઈ વ્યવસ્થા નહીં. ખેતી કુદરત ઉપર આધારિત, પાંચ વર્ષમાં માંડ ત્રણ પાક લઈ શકે. દોહ્યલું જીવન, શિક્ષક સિવાય કોઈ રોજગાર નહીં. આપણા ઘણાં ગામ એવાં છે જ્યાં શિક્ષકો જ શિક્ષકો પેદા થાય, દરેક ઘરમાં તમે હાથ નાખો તો શિક્ષકો હોય, કારણ બીજું કંઈ હતું જ નહીં..! ભાઈઓ-બહેનો, આખો વિસ્તાર પછાત રહી ગયો. એમાં એક બદલાવ લાવવાનું આપણે અભિયાન ઊપાડ્યું છે. અને નવજુવાન મિત્રો, આપને આજે અંદાજ નહીં આવે કે આપના ભાગ્યના દરવાજા કેવા ખૂલી ગયા છે, પણ તમે તમારા અગાઉના લોકોને જોશો કે એમની હોનહાર જીંદગી કેવી રોળાઈ ગઈ છે, ત્યારે તમને ખબર પડશે કે તમને કેવો સ્વર્ણિમ અવસર મળ્યો છે, આ સરકારને કારણે મળ્યો છે, વિકાસની દ્રષ્ટિને કારણે મળ્યો છે. અને વિકાસની દ્રષ્ટિને કારણે જે ઉત્તર ગુજરાત ધૂળની ડમરીઓ અને ધોમ ધખતા તાપવાળું ઉત્તર ગુજરાત આજે સુજલામ-સુફલામને કારણે, નર્મદા યોજનાને કારણે આપનો આખો વિસ્તાર લીલોછમ થવા માંડ્યો છે, ભાઈઓ. કૃષિ ક્ષેત્રે એક નવી ક્રાંતિની સંભાવના પાટણ જિલ્લાના યુવકો સામે આવીને ઊભી છે. અને હું પાટણ જિલ્લાના યુવકોને આવાહન કરું છું કે કૃષિક્ષેત્ર દ્વારા પણ, પશુપાલન દ્વારા પણ, ડેરી ઉદ્યોગ દ્વારા પણ આપ વિકાસની એક નવી ક્રાંતિ સર્જો એના માટેનું બધું જ ગ્રાઉન્ડ-વર્ક મારી સરકારે પૂરું કરી દીધું છે, હું આપને નિમંત્રણ આપું છું..!

ભાઈઓ-બહેનો, ક્યારેય કોઈએ કલ્પના કરી હતી કે આ પાટણ જિલ્લો, આ પાકિસ્તાનની સરહદનો જિલ્લો એ તો વળી ઔદ્યોગિક વિસ્તાર બની શકે..? અહીંયાં કોઈ ઉદ્યોગો થઈ શકે..? કલ્પના નહોતા કરી શકતા..! ભાઈઓ-બહેનો, આ તમારું પડોશી બહુચરાજી, આ બાજુ સાંતલપુર... આખી દુનિયાનું ધ્યાન જાય, આ કંઈ નાની વાત નથી, દોસ્તો. માત્ર હિંદુસ્તાન ચર્ચા કરે એવું નહીં, આખી દુનિયા નોંધ લે એવો સોલાર પાર્ક આ તમારા સાંતલપુરની અંદર કાર્યરત થઈ ગયો. અને 2009 ની ચૂંટણીમાં મેં જ્યારે પાટણમાં ભાષણ કર્યું હતું તો કેટલાક લોકોએ મારી મજાક ઉડાવી હતી કે આ મોદી બધાને આંબા-આમલી બતાવે છે પણ કશું થવાનું નથી, એવું કહ્યું હતું. આ સોલાર પાર્ક બની ગયો..!

ભાઈઓ-બહેનો, અમારું ચરિત્ર કૉંગ્રેસ જેવું ચરિત્ર નથી, છેતરપિંડી કરવી એ અમારું કામ નથી. નૌજવાન મિત્રો, આ કૉંગ્રેસ પાર્ટીએ, દિલ્હીમાં બેઠેલી સરકારે 2004 માં તમને વચન આપ્યું હતું, 2009 માં વચન આપ્યું હતું. આજે પણ તમારામાંથી કોઈને ઇન્ટરનેટ પર સર્ફિંગ કરવાનો શોખ હોય તો કૉંગ્રેસનો મૅનિફેસ્ટો જોઈ લેજો એમાં લખ્યું છે, 2004 માં એમણે કહ્યું હતું કે દરેક કુટુંબમાં એક વ્યક્તિને રોજગાર આપશે. નવજુવાન મિત્રો, મળ્યો છે તમને..? ખોંખારીને જવાબ આપો, આવું મડદાલ મડદાલ બોલો તો કોઈ ના આપે..! મળ્યું છે, તમારામાંથી કોઈને મળ્યું છે..? તો આ છેતરપિંડી કરવાની જરૂર શું હતી, ભાઈ? આ છેતરપિંડી કરવાવાળા લોકો છે. 2009 માં એમણે કહ્યું હતું કે એક કરોડ લોકોને રોજગાર આપીશું, એક કરોડ લોકોને..! મળ્યું છે ભાઈ કોઈને..? કોઈને મળ્યું હોય તો મને કહો. આ પ્રકારે યુવકો સાથે છેતરપિંડી કરવાની આમની હિંમત... અને ભાઈઓ-બહેનો, કોઈ ભૂલ કરે તો માફ કરાય, કોઈ ગુનો કરે તો ય ઉદારતા વર્તાય, પણ કોઈ છેતરપિંડી કરે એને ક્યારેય માફ ન કરી શકાય ભાઈઓ, ક્યારેય માફ ન કરી શકાય. દિલ્હીમાં બેઠેલી સરકારે આ દેશની યુવા શક્તિ સાથે છેતરપિંડી કરવાનું પાપ કર્યું છે. એની સામે આજે હું તમારા ઉત્તર ગુજરાતના વિસ્તારમાં ઔદ્યોગિક ક્રાંતિ લઈને આવ્યો છું. અને નવજુવાન મિત્રો, કોઈપણ યુવક કે યુવતી, આ મારા શબ્દો લખી રાખજો, જવાબદારીપૂર્વક બોલું છું દોસ્તો, કોઈપણ યુવક કે યુવતી પોતાનો સ્વતંત્ર ધંધો કરવો હશે, ઉદ્યોગ કરવો હશે અને બૅન્કમાં લોન લેવા જશે તો બૅન્કવાળો શું કહેશે કે તને તો જ લોન મળે કે તું કોઈ ગેરંટર લાવે..! હવે પેલો બિચારો, એને ખાવાના ફાંફાં હોય એને ગેરંટર કોણ મળે? મળે ગેરંટર, ભાઈ? કોણ તૈયાર થાય? જો મારા નવજુવાનોને ગેરંટરના કારણે ઉદ્યોગ વિકાસ કે વ્યાવસાયિક જીવનમાં પ્રવેશતાં અટકવું પડતું હોય તો મેં હિંમતપૂર્વક નિર્ણય કર્યો છે કે મારા ગુજરાતનો કોઈ નવજુવાન બૅન્કમાં લોન લેવા જશે અને એને ગેરંટરની જરૂર હશે તો ગેરંટર મારી સરકાર બનશે. મિત્રો, આ નિર્ણય નાનો નથી. તમે કલ્પના કરો અને આ નિર્ણય એટલા માટે નથી કે મારામાં હિંમત છે, આ નિર્ણય એટલા માટે છે કે મારો તમારામાં ભરોસો છે. આ ભરોસાનો સોદો છે, દોસ્તો..! મને વિશ્વાસ છે કે મારો ગુજરાતનો નવજુવાન ક્યારેય કોઈનો રૂપિયો ડુબાડશે નહીં, ક્યારેય ખોટું નહીં કરે, કોઈ બૅન્કમાંથી ઉચાપત નહીં કરે એ ભરોસો છે અને એટલા માટે આપના ગેરંટર બનવા માટેનો હિંમતભર્યો નિર્ણય મેં કર્યો છે.

આપ વિચાર કરો, ગયા દસ જ વર્ષમાં સાડા ત્રણ લાખ લોકોને સરકારમાં રોજગાર આપવાનું કામ આ સરકારે કર્યું છે. એટલું જ નહીં, આ વર્ષમાં બીજા એક લાખ લોકોની ભરતી થવાની છે, એક લાખ લોકોની સરકારમાં ભરતી થવાની છે. ભારત સરકાર, હમણાં આંકડા જાહેર કર્યા. ભારત સરકારે કહ્યું કે સમગ્ર દેશમાં કુલ જે રોજગાર મળ્યા છે એમાંથી 72% રોજગાર એકલું ગુજરાત આપે છે, એકલું ગુજરાત... અને 28% માં આખું હિંદુસ્તાન..! ડૂબી મરો ડૂબી મરો, તમે શું ચલાવો છો, ડૂબી મરો..! એમની પાસે કશી આશા જ ના રાખતા, એ ઝાડ ગણવામાં પડ્યા છે. આખું દિલ્હી શોધે છે કે કયા ઝાડમાંથી પૈસા નીકળે, બોલો..! પ્રધાનમંત્રી સહિત ઝાડ શોધવા નીકળ્યા છે કે કયા ઝાડમાંથી પૈસા પાકે...! અને પછી તેમાંથી 2-જીનું ઝાડ શોધી કાઢે, કોયલાનું ઝાડ શોધી કાઢે, આ ખેલ ચાલે છે..? તમે મને કહો ભાઈ, કોઈ સાઇકલની ચોરી કરે એ તો સાંભળ્યું હોય ને? જરા જવાબ આપોને યાર, કોઈ સાઈકલ ચોરી કરી હોય એ સાંભળ્યું હોય ને? કોઈ મોટર ચોરી કરી જાય એ સાંભળ્યું છે? કોઈના રૂપિયા ચોરાઈ ગયા સાંભળ્યું છે? કોઈનું પાકીટ ચોરાઈ ગયું સાંભળ્યું છે? કોઈનો મોબાઈલ ફોન ચોરાઈ ગયો સાંભળ્યું છે? કોઈના જર-ઝવેરાત ચોરાઈ ગયા સાંભળ્યું છે? હીરા-મોતી ચોરાઈ ગયા સાંભળ્યું છે? પણ કોલસો ચોરાઈ જાય એવું સાંભળ્યું છે..? આ લોકો બે લાખ કરોડનો કોલસો ચોરી ગયા બોલો, બે લાખ કરોડનો કોલસો..! હવે અમારે રોવું કે હસવું કંઈ ખબર નથી પડતી. આવી સરકાર અમારા દેશની..? કોલસો ના છોડે...? સાહેબ, તમારા ઘરની બહાર થેલો પડ્યો હોય ને કોઈ ગરીબ ભિખારી પણ કોયલાને હાથ ન લગાડે બોલો. આપણા ઉત્તર ગુજરાતમાં છાણાં હોય છે, છાણાં પડ્યા હોય છે ને? કોઈ છાણાંને હાથ લગાવે છે? કોઈ દિવસ છાણું ચોરી ગયો? આ લોકો બે લાખ કરોડનો કોલસો ચોરી ગયા બોલો, કોલસો ચોરી ગયા..!

ભાઈઓ-બહેનો, હમણાં ભારત સરકારે એક એવો નિર્ણય કર્યો. આ વાત યુવાનો સમજવા જેવી છે, પત્રકાર મિત્રોએ પણ સમજવા જેવી છે. હમણાં એમણે કહ્યું કે ભાઈ ગેસના બાટલા લોકોને અમે આપીએ છીએ એના કારણે અમને સબસિડીનો બહુ બોજ આવે છે. એટલા માટે હવે અમે સબસિડીનો બોજ વહન નથી થઈ શકે એમ, તો હવે છ જ બાટલા આપીશું, બાકી તમારે અઢાર બાટલા વર્ષે જોઈતા હોય તો બજારમાંથી કાળા બજારમાંથી લઈ આવજો, આવું પ્રધાનમંત્રીએ જાહેર કર્યું. હવે એમની આવડત જુઓ, એમના અણઘડ વહીવટનો નમૂનો જુઓ આ કે એમને સબસિડીનો ભાર પડે છે તો ઉપાય શું શોધ્યો? બાટલા તમને આપવાનું બંધ કરી દીધું. અમે ઉપાય કયો શોધ્યો? આ દેશની તિજોરીમાં બોજ ન પડે, સામાન્ય માનવીને ગેસની તકલીફ ન પડે, એના બળતણ માટે એને ખોટો આર્થિક બોજ ન પડે, એના માટે ગુજરાતે શું કર્યું..? આપણે 2200 કિલોમીટર લાંબી ગેસની પાઈપલાઇન લગાવી આખા ગુજરાતમાં, 2200 કિલોમીટર, 10,000 કરોડ રૂપિયાનો ખર્ચો કર્યો..! મિત્રો, આ ચીજને સમજવા જેવી છે. સારી સરકાર કોને કહેવાય અને ભૂંડી સરકાર કોને કહેવાય, આ એક ઉદાહરણ ઉપર એની તુલના થઈ શકે એવી છે. 10,000 કરોડ રૂપિયાનો ખર્ચો કરીને 2200 કિલોમીટરની ગેસની પાઈપલાઈન લગાવી અને 300 ગામોમાં એક મુખ્ય પાઈપલાઇનમાંથી નાની પાઈપલાઇનના ગેસના કનેક્શન આપી દીધાં, 300 ગામોમાં..! હિંદુસ્તાનમાં કોઈપણ ગામડામાં પાઈપલાઇનથી ગેસ હજુ કોઈએ આપ્યો નથી, ગુજરાત પહેલું રાજ્ય હતું કે જેણે 300 ગામોમાં પાઈપલાઇનથી ગેસ આપ્યો, મિત્રો. અને પછી દિલ્હીવાળા જાગ્યા, ત્યાં સુધી ઊંઘતા હતા પાછા. મેં 2200 કિલોમીટરની પાઈપલાઇન નાખી ત્યાં સુધી ઊંઘતા રહ્યા, મેં 300 ગામોમાં પાઈપલાઇન નાખી ત્યાં સુધી ઊંઘતા રહ્યા, મેં 7 લાખ ઘરોમાં જેમ રસોડામાં નળમાં પાણી આવે એમ પાઈપથી ગેસ આવે એમ 7 લાખ ઘરોમાં પાઈપલાઇનથી ગેસ આપી દીધો ત્યાં સુધી દિલ્હીની સરકાર ઊંઘતી રહી..! પછી ગેસના બાટલા વપરાવાના ઘટ્યા કારણકે 7 લાખ કુટુંબોને ગેસના બાટલા જરૂર ના પડી. ભારત સરકારની બાટલા દીઠ સબસિડી બચવા માંડી, વર્ષે લગભગ 600 કરોડ રૂપિયાની સબસિડી આપણે બચાવી આપી. પણ એમને થયું કે આ મોદી તો સ્વતંત્ર થઈ ગયા, હવે એને અમારી પાસે બાટલા માગવા આવવું નહીં પડે, હવે એને બાટલાની જરૂર નહીં પડે અને આ મોદીની દાદાગીરી વધી જશે, આ મોદીને ઠેકાણે પાડો..! આ તમે જુઓ કેવું કરે છે દિલ્હીવાળા? આ મોદીને ઠેકાણે પાડવા માટે સાહેબ, એમણે ફતવો બહાર પાડ્યો. તમને જાણીને અચરજ થશે, ફતવો એવો બહાર પાડ્યો કે હવે મોદી સરકાર ગુજરાતની અંદર નવી એક ઇંચ પણ પાઈપલાઇન લગાવી નહીં શકે, ગેસની પાઈપલાઇન લગાવવાનો અધિકાર માત્ર દિલ્હીમાં મનમોહનસિંહજીની, સોનિયાજીની સરકારને છે, મોદી આ ન કરી શકે. બોલો ગુજરાત કોનું, ભાઈ? ખોંખારીને બોલો, ગુજરાત કોનું? આ ધરતી કોની? આ પૈસા કોના? આ સરકાર કોની? આ ગ્રાહકોને ગેસ જોઇએ તો પાઈપલાઇન ન નાખી શકીએ? જેને પાઈપલાઇન જોઇએ એ પૈસા આપવા તૈયાર છે, સરકાર પૈસા નાખવા તૈયાર છે..! આપને આશ્ચર્ય થશે, 300 ગામોમાં પાઈપલાઇન નાખ્યા પછી બે વર્ષ થયાં, મારી ઉપર પાઈપલાઇન નાખવાનો પ્રતિબંધ નાખી દીધો છે. મને પાઈપ નાખવા દો એના માટે મારે સુપ્રીમ કોર્ટમાં જવું પડ્યું, સુપ્રીમ કોર્ટમાં..! જો ભારત સરકારે આ પાપ ન કર્યું હોત તો 7 લાખ ઘરોમાં જે ગેસ પહોંચાડ્યો છે, એ આજે 20 લાખ ઘરોમાં ગેસ પહોંચી ગયો હોત અને આજે જો 20 લાખ ઘરોમાં મારો પાઈપલાઇનથી ગેસ પહોંચ્યો હોત તો સાડા ત્રણ કરોડ બાટલાની ગુજરાતમાં જરૂર ન પડત. આ તમારે 18 ના 6 કરવા પડ્યા, 24 ના 6, એ તમારે ન કરવા પડ્યા હોત, ઉપરથી તમારી તિજોરીમાં કરોડ-કરોડો, અરબો-ખરવો રૂપિયાની સબસિડી બચી જાત, ભારત સરકારની મોટામાં મોટી સેવા ગુજરાત કરી શકત, પરંતુ કમનસીબી જુઓ, એમની દીર્ધદ્રષ્ટિનો અભાવ જુઓ કે એક બાજુ બાટલા બંધ અને બીજી બાજુ પાઈપલાઇનને તાળું, આ પ્રકારનો અણઘડ વ્યવહાર કરનારા લોકો છે એની સામે મારો આક્રોશ છે, ભાઈઓ..! અને પાછા અહીંયાં કૉંગ્રેસના નેતાઓ સમજ્યા કર્યા વગર નિવેદન કરે છે, હવે એ લોકો સમજીને કંઈ કરે એ આશા રાખવી મુશ્કેલ છે કારણકે ઈશ્વરે અમુક કામ અમુક માટે જ રાખ્યાં હોય..! એમણે કાલે આમ, કૉંગ્રેસની સરકારોએ ત્રણ બાટલા પોતાના તરફથી આપવાના જાહેર કર્યા છે, મોદી કેમ જાહેર ના કરે... અરે લલવાઓ, આ મોદીએ તો 7 લાખ ઘરોમાં પાઈપલાઇનથી આપી દીધું, અમારી તો આ બાટલાની સામે જોવાનીયે તૈયારી નથી અને 20 લાખ કુટુંબોમાં પાઈપલાઇનથી પહોંચાડવાની આજે પણ તૈયારી છે..!

ભાઈઓ-બહેનો, દિલ્હીમાં ગુજરાત વિરોધનું વાતાવરણ છે. જાણે આપણે કોઈ દુશ્મન દેશનું રાજ્ય હોઈએ ને, ડગલે ને પગલે એવો વ્યવહાર ચાલે છે. મને તો જોઈને એમને શું થતું હશે મને આશ્ચર્ય થાય છે. આખી સી.બી.આઈ. લગાડી દીધી છે બોલો, આખી સી.બી.આઈ...! આ મારે સી.બી.આઈ.થી ડરવું જોઇએ, ભાઈ? તમે છો ને? આપના ભરોસે છે બધું, પાકું?

ભાઈઓ-બહેનો, આજે આ હોમગાર્ડના ચહેરા પર મને ખુશી દેખાય છે. કાયમ ઊભા રહેતા હોય, આજે એમને બેસવા મળ્યું છે. 400% નો વધારો, 50,000 હોમગાર્ડ્ઝને લાભ મળ્યો છે. અને મને વિશ્વાસ છે કે આ નવજુવાનો ગુજરાતની સેવા-સુરક્ષામાં અગાઉ કરતાં ઉત્તમ કામગીરી કરીને બતાવશે એવો મને પૂરો ભરોસો છે. હોમગાર્ડના મિત્રોને મારી શુભકામનાઓ છે.

ભાઈઓ-બહેનો, આપે સ્વાગત કર્યું, સન્માન કર્યું, આ યુવા પરિષદ નવાં સપનાં લઈને આગળ વધે એ જ અપેક્ષા સાથે...

ભારત માતા કી જય...!! ભારત માતા કી જય...!! ભારત માતા કી જય...!!

Explore More
78-வது சுதந்திர தின விழாவையொட்டி செங்கோட்டை கொத்தளத்தில் இருந்து பிரதமர் திரு நரேந்திர மோடி நிகழ்த்திய உரையின் தமிழாக்கம்

பிரபலமான பேச்சுகள்

78-வது சுதந்திர தின விழாவையொட்டி செங்கோட்டை கொத்தளத்தில் இருந்து பிரதமர் திரு நரேந்திர மோடி நிகழ்த்திய உரையின் தமிழாக்கம்
From 'Kavach' Train To Made-In-India Semiconductor Chip: Ashwini Vaishnaw Charts India’s Tech Future

Media Coverage

From 'Kavach' Train To Made-In-India Semiconductor Chip: Ashwini Vaishnaw Charts India’s Tech Future
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Uttar Pradesh is no longer just a land of possibilities but of competence and accomplishments: PM Modi in Varanasi
April 11, 2025
QuoteIn the last 10 years, the development of Banaras has gained a new momentum: PM
QuoteMahatma Jyotiba Phule and Savitribai Phule ji worked throughout their lives for the welfare of women empowerment: PM
QuoteBanas Dairy has changed both the image and destiny of thousands of families in Kashi: PM
QuoteKashi is now becoming the capital of Good Health: PM
QuoteToday, whoever goes to Kashi, praises its infrastructure and facilities: PM
QuoteIndia today is carrying forward both development and heritage together, Our Kashi is becoming the best model for this: PM
QuoteUttar Pradesh is no longer just a land of possibilities but of competence and accomplishments!: PM

नमः पार्वती पतये, हर-हर महादेव!

मंच पर विराजमान उत्तर प्रदेश के राज्यपाल आनंदीबेन पटेल, मुख्यमंत्री श्रीमान योगी आदित्यनाथ, डिप्टी सीएम केशव प्रसाद मौर्य, ब्रजेश पाठक, उपस्थित मंत्रीगण, अन्‍य जनप्रतिनिधिगण, बनास डेयरी के अध्यक्ष शंकर भाई चौधरी और यहां इतनी बड़ी संख्या में आशीर्वाद देने के लिए आए मेरे सभी परिवार जन,

काशी के हमरे परिवार के लोगन के हमार प्रणाम। आप सब लोग यहां हमें आपन आशीर्वाद देला। हम ए प्रेम क कर्जदार हई। काशी हमार हौ, हम काशी क हई।

|

साथियों,

कल हनुमान जन्मोत्सव का पावन दिन है और आज मुझे संकट मोचन महाराज की काशी में आपके दर्शन का सौभाग्य मिला है। हनुमान जन्मोत्सव से पहले, काशी की जनता आज विकास का उत्सव मनाने यहां इकट्ठी हुई है।

साथियों,

पिछले 10 वर्षों में बनारस के विकास ने एक नई गति पकड़ी है। काशी ने आधुनिक समय को साधा है, विरासत को संजोया है और उज्ज्वल बनाने की दिशा में मजबूत कदम भी रखे हैं। आज काशी, सिर्फ पुरातन नहीं, प्रगतिशील भी है। काशी अब पूर्वांचल के आर्थिक नक्शे के केंद्र में है। जौने काशी के स्वयं महादेव चलाव लन… आज उहे काशी पूर्वांचल के विकास के रथ के खींचत हौ!

साथियों,

कुछ देर पहले काशी और पूर्वांचल के अनेक हिस्सों से जुड़ी ढेर सारी परियोजनाओं का लोकार्पण और शिलान्यास हुआ है। कनेक्टिविटी को मजबूती देने वाले अनेक इंफ्रास्ट्रक्चर प्रोजेक्ट्स, गांव-गांव, घर-घर तक नल से जल पहुंचाने का अभियान, शिक्षा, स्वास्थ्य और खेल सुविधाओं का विस्तार और हर क्षेत्र, हर परिवार, हर युवा को बेहतर सुविधाएं देने का संकल्प ये सारी बातें, ये सारी योजनाएं, पूर्वांचल को विकसित पूर्वांचल बनाने की दिशा में मील का पत्थर बनने वाली हैं। काशी के हर निवासी को इन योजनाओं से खूब लाभ मिलेगा। इन सभी विकास कार्यों के लिए, बनारस के लोगों को, पूर्वांचल के लोगों को मैं ढेर सारी बधाई देता हूं।

|

साथियों,

आज सामाजिक चेतना के प्रतीक महात्मा ज्योतिबा फुले की जयंती भी है। महात्मा ज्योतिबा फुले और सावित्रीबाई फुले जी ने जीवन भर, नारी शक्ति के हित, उनके आत्मविश्वास और समाज कल्याण के लिए काम किया। आज हम उनके विचारों को, उनके संकल्पों को नारी सशक्तिकरण के उनके आंदोलन को आगे बढ़ा रहे हैं, नई ऊर्जा दे रहे हैं।

साथियों,

आज मैं एक बात और भी कहना चाहूंगा, महात्मा फुले जी जैसे त्यागी, तपस्वी, महापुरुषों से प्रेरणा से ही देश सेवा का हमारा मंत्र रहा है, सबका साथ, सबका विकास। हम देश के लिए उस विचार को लेकर के चलते हैं, जिसका समर्पित भाव है, सबका साथ, सबका विकास। जो लोग सिर्फ और सिर्फ सत्ता हथियाने के लिए, सत्ता पाने के लिए, दिन रात खेल खेलते रहते हैं, उनका सिद्धांत है, परिवार का साथ, परिवार का विकास। आज मैं सबका साथ, सबका विकास के इस मंत्र को साकार करने की दिशा में पूर्वांचल के पशुपालक परिवारों को, विशेष रूप से हमारी मेहनतकश बहनों को विशेष बधाई देता हूं। इन बहनों ने बता दिया है, अगर भरोसा किया जाए, तो वो भरोसा नया इतिहास रच देता है। ये बहनें अब पूरे पूर्वांचल के लिए नई मिसाल बन चुकी हैं। थोड़ी देर पहले, उत्तर प्रदेश के बनास डेयरी प्लांट से जुड़े सभी पशुपालक साथियों को बोनस वितरित किया गया है। बनारस और बोनस, ये कोई उपहार नहीं है, ये आपकी तपस्या का पुरस्कार है। 100 करोड़ रुपये से ज़्यादा का ये बोनस, आपके पसीने का, आपके परिश्रम का तोहफा है।

साथियों,

बनास डेयरी ने काशी में हजारों परिवारों की तस्वीर और तक़दीर दोनों बदल दी है। इस डेयरी ने आपकी मेहनत को इनाम में बदला और सपनों को नई उड़ान दी और खुशी की बात ये, कि इन प्रयासों से, पूर्वांचल की अनेकों बहनें अब लखपति दीदी बन गई हैं। जहाँ पहले गुज़ारे की चिंता थी, वहाँ अब कदम खुशहाली की तरफ बढ़ रहे हैं। और ये तरक्की बनारस, यूपी के साथ ही पूरे देश में दिखाई दे रही है। आज भारत दुनिया का सबसे बड़ा दूध उत्पादक देश है। 10 साल में दूध के उत्पादन में करीब 65 प्रतिशत की वृद्धि हुई है, डबल से भी ज्यादा। ये सफलता आप जैसे देश के करोड़ों किसानों की है, मेरे पशुपालक भाइयों और बहनों की है। और ये सफलता एक दिन में नहीं मिली है, बीते 10 सालों से, हम देश के पूरे डेयरी सेक्टर को मिशन मोड में आगे बढ़ा रहे हैं।

हमने पशुपालकों को किसान क्रेडिट कार्ड की सुविधा से जोड़ा है, उनके लिए लोन की सीमा बढ़ाई है, सब्सिडी की व्यवस्था की है और सबसे बड़ा महत्वपूर्ण एक काम, जीव दया का काम भी है। खुरपका-मुंहपका, Foot and Mouth Disease से पशुधन को बचाने के लिए मुफ्त वैक्सीन प्रोग्राम चलाया जा रहा है। कोविड की मुफ्त वैक्सीन की तो सबको चर्चा करनी याद आती है, लेकिन ये सरकार ऐसी है, जिसके सबका साथ, सबका विकास में मेरे पशुओं को भी मुफ्त में टीकाकरण हो रहा है।

दूध का संगठित कलेक्शन हो इसके लिए देश की 20 हजार से ज्यादा सहकारी समितियों को फिर से खड़ा किया गया है। इसमें लाखों नए सदस्य जोड़े गए हैं। प्रयास ये है कि डेयरी सेक्टर से जुड़े लोगों को एक साथ जोड़कर आगे बढ़ाया जा सके। देश में गाय की देसी नस्लें विकसित हों, उनकी क्वालिटी अच्छी हो। गायों की ब्रीडिंग का काम साइंटिफिक अप्रोच से हो। इसके लिए राष्ट्रीय गोकुल मिशन चल रहा है। इन सारे कामों का मूल यही है कि देश में जो पशुपालक भाई बहन हैं, वो विकास के नए रास्ते से जुड़ें। उन्हें अच्छे बाजार से, अच्छी संभावनाओं से जुड़ने का अवसर मिले। और आज बनास डेरी का काशी संकुल, पूरे पूर्वांचल में इसी प्रोजेक्ट को, इसी सोच को आगे बढ़ा रहा है। बनास डेयरी ने यहां गिर गायों का भी वितरण किया है और मुझे बताया गया है कि उनकी संख्या लगातार बढ़ रही है। बनास डेयरी ने यहां बनारस में पशुओं के चारे की व्यवस्था भी शुरू कर दी है। पूर्वांचल के करीब-करीब एक लाख किसानों से आज ये डेयरी दूध कलेक्ट कर रही है, किसानों को सशक्त कर रही है।

|

साथियों,

अभी कुछ देर पहले मुझे यहां कई बुजुर्ग साथियों को आयुष्मान वय वंदना कार्ड सौंपने का अवसर मिला है। मैंने उन साथियों के चेहरे पर जो संतोष का भाव देखा, मेरे लिए वो इस योजना की सबसे बड़ी सफलता है। इलाज को लेकर घर के बुजुर्गों की जो चिंता रहती है, वो हम सब जानते हैं। 10-11 साल पहले इस क्षेत्र में, पूरे पूर्वांचल में, इलाज को लेकर जो परेशानियां थीं, वो भी हम सब जानते हैं। आज स्थितियां बिल्कुल अलग हैं, मेरी काशी अब आरोग्य की राजधानी भी बन रही है। दिल्ली-मुंबई के बड़े-बड़े जो अस्पताल, ये अस्पताल अब आज आपके घर के पास आ गए हैं। यही तो विकास है, जहाँ सुविधाएं लोगों के पास आती हैं।

साथियों,

बीते 10 वर्षों में हमने सिर्फ अस्पतालों की गिनती ही नहीं बढ़ाई है, हमने मरीज की गरिमा भी बढ़ाई है। आयुष्मान भारत योजना मेरे गरीब भाई-बहनों के लिए किसी वरदान से कम नहीं है। ये योजना सिर्फ इलाज नहीं देती, ये इलाज के साथ-साथ विश्वास देती है। उत्तर प्रदेश के लाखों और वाराणसी के हजारों लोग इसका लाभ उठा चुके हैं। हर इलाज, हर ऑपरेशन, हर राहत, जीवन की एक नई शुरुआत बन गई है। आयुष्मान योजना से यूपी में ही लाखों परिवारों के करोड़ों रुपये बचे हैं, क्योंकि सरकार ने कहा, अब आपके इलाज की जिम्मेदारी हमारी है।

और साथियों,

जब आपने हमें तीसरी बार आशीर्वाद दिया, तो हमने भी आपको सेवक के रूप में स्नेह स्वरूप अपने कर्तव्य को निभाया है और कुछ लौटाने का नम्र प्रयास किया है। मेरी गारंटी थी, बुजुर्गों का इलाज मुफ्त होगा, इसी का परिणाम है, आयुष्मान वय वंदना योजना! ये योजना, बुजुर्गों के इलाज के साथ ही उनके सम्मान के लिए है। अब हर परिवार के 70 वर्ष से ऊपर के बुजुर्ग, चाहे उनकी आय कुछ भी हो, मुफ्त इलाज के हकदार हैं। वाराणसी में सबसे ज़्यादा, करीब 50 हज़ार वय वंदना कार्ड यहां के बुजुर्गों तक पहुंच गए हैं। ये कोई आंकड़ा नहीं, ये सेवा का, एक सेवक का नम्र प्रयास है। अब इलाज के लिए जमीन बेचने की जरूरत नहीं! अब इलाज के लिए कर्ज लेने की मजबूरी नहीं! अब इलाज के लिए दर-दर भटकने की बेबसी नहीं! अपने इलाज के पइसा क चिंता मत करा, आयुष्मान कार्ड से आपके इलाज के पइसा अब सरकार देई!

साथियों,

आज काशी होकर जो भी जाता है, वो यहां के इंफ्रास्ट्रक्चर की, यहां की सुविधाओं की बहुत प्रशंसा करता है। आज हर दिन लाखों लोग बनारस आते हैं। बाबा विश्वनाथ का दर्शन करते हैं, मां गंगा में स्नान करते हैं। हर यात्री कहता है, बनारस, बहुत बदल गया है। कल्पना कीजिए, अगर काशी की सड़कें, यहां की रेल और एयरपोर्ट की स्थिति 10 साल पहले जैसी ही रहती, तो काशी की हालत कितनी खराब हो गई होती। पहले तो छोटे-छोटे त्योहारों के दौरान भी जाम लग जाता था। जैसे किसी को चुनार से आना हो और शिवपुर जाना हो। पहले उसको पूरा बनारस घूम कर, जाम में फंसकर, धूल-धूप में तपकर जाना पड़ता था। अब फुलवरिया क फ्लाईओवर बन गइल हो। अब रास्ता भी छोटा, समय भी बचत हो, जीवन भी राहत में हौ! ऐसे ही जौनपुर और गाजीपुर के ग्रामीण क्षेत्रों के लोगों को आने-जाने में और बलिया, मऊ, गाजीपुर जिलों के लोगों को एयरपोर्ट जाने के लिए वाराणसी शहर के भीतर से जाना होता था। घंटों लोग जाम में फंसे रहते थे। अब रिंग रोड से कुछ ही मिनट में, लोग इस पार से उस पार पहुंच जाते हैं।

|

साथियों,

केहू के गाजीपुर जाए के हौ त पहिले कई घंटा लगत रहल। अब गाजीपुर, जौनपुर, मिर्जापुर, आजमगढ़ हर शहर में जाने का रास्ता, पहुंचने का रास्ता चौड़ा हो गया है। जहां पहले जाम था, आज वहाँ विकास की रफ्तार दौड़ रही है! बीते दशक में वाराणसी और आस-पास के क्षेत्रों की कनेक्टिविटी, उस पर करीब 45 हज़ार करोड़ रुपए खर्च किए गए हैं। ये पैसा सिर्फ कंक्रीट में नहीं गया, ये विश्वास में बदला है। इस निवेश का लाभ आज पूरी काशी और आसपास के जिलों को मिल रहा है।

साथियों,

काशी के इंफ्रास्ट्रक्चर पर हो रहे इस निवेश को आज भी विस्तार दिया गया है। हजारों करोड़ के प्रोजेक्टस का आज शिलान्यास किया गया है। हमारा जो लाल बहादुर शास्त्री एयरपोर्ट है, उसके विस्तारीकरण का काम तेजी से चल रहा है। जब एयरपोर्ट बड़ा हो रहा है, तो उसको जोड़ने वाली सुविधाओं का विस्तार भी ज़रूरी था। इसलिए अब एयरपोर्ट के पास 6 लेन की अंडरग्राउंड टनल बनने जा रही है। आज भदोही, गाजीपुर और जौनपुर के रास्तों से जुड़े प्रोजेक्ट्स पर भी काम शुरु हुआ है। भिखारीपुर और मंडुवाडीह पर फ्लाईओवर की मांग लंबे समय से हो रही थी। हमके खुशी हौ कि इहो मांग पूरा होए जात हौ। बनारस शहर और सारनाथ को जोड़ने के लिए नया पुल भी बनने जा रहा है। इससे एयरपोर्ट और अन्य जनपदों से सारनाथ जाने के लिए शहर के अंदर जाने की जरूरत नहीं पड़ेगी।

|

साथियों,

अगले कुछ महीनों में, जब ये सारे काम पूरे हो जाएंगे, जो बनारस में आवाजाही और भी आसान होगी। रफ्तार भी बढ़ेगी और कारोबार भी बढ़ेगा। इसके साथ-साथ, कमाई-दवाई के लिए बनारस आने वालों को भी बहुत सुविधा होगी। और अब तो काशी में सिटी रोपवे का ट्रायल भी शुरू हो गया है, बनारस अब दुनिया के चुनिंदा ऐसे शहरों में होगा, जहां ऐसी सुविधा होगी।

साथियों,

वाराणसी में विकास का, इंफ्रास्ट्रक्चर का कोई भी काम होता है, तो इसका लाभ पूरे पूर्वांचल के नौजवानों को होता है। हमारी सरकार का बहुत जोर इस पर भी है कि काशी के युवाओं को स्पोर्ट्स में आगे बढ़ने के लगातार मौके मिलें। और अब तो 2036 में, ओलंपिक भारत में हो, इसके लिए हम लगे हुए हैं। लेकिन ओलंपिक में मेडल चमकाने के लिए मेरे काशी के नौजवानों आपको अभी से लगना पड़ेगा। और इसलिए आज, बनारस में नए स्टेडियम बन रहे हैं, युवा साथियों के लिए अच्छी फैसिलिटी बन रही है। नया स्पोर्ट्स कॉम्प्लेक्स खुल गया है। वाराणसी के सैकड़ों खिलाड़ी उसमें ट्रेनिंग ले रहे हैं। सांसद खेल प्रतियोगिता के भी प्रतिभागियों को इस खेल के मैदान में अपना दम दिखाने का अवसर मिला है।

|

साथियों,

भारत आज विकास और विरासत, दोनों एक साथ लेकर चल रहा है। इसका सबसे बढ़िया मॉडल, हमारी काशी बन रही है। यहां गंगा जी का प्रवाह है और भारत की चेतना का भी प्रवाह है। भारत की आत्मा, उसकी विविधता में बसती है और काशी उसकी सबसे सुंदर तस्वीर है। काशी के हर मोहल्ले में एक अलग संस्कृति, हर गली में भारत का एक अलग रंग दिखता है। मुझे खुशी है कि काशी-तमिल संगमम् जैसे आयोजन से, एकता के ये सूत्र निरंतर मजबूत हो रहे हैं। अब तो यहां एकता मॉल भी बनने जा रहा है। इस एकता मॉल में भारत की विविधता के दर्शन होंगे। भारत के अलग-अलग जिलों के उत्पाद, यहां एक ही छत के नीचे मिलेंगे।

साथियों,

बीते वर्षों में, यूपी ने अपना आर्थिक नक्शा भी बदला है, नजरिया भी बदला है। यूपी, अब सिर्फ संभावनाओं की धरती नहीं रहा, अब ये सामर्थ्य और सिद्धियों की संकल्प भूमि बन रहा है! अब जैसे आजकल ‘मेड इन इंडिया’ की गूंज हर तरफ है। भारत में बनी चीजें, अब ग्लोबल ब्रांड बन रही हैं। आज यहां कई उत्पादों को GI टैग दिया गया है। GI टैग, ये सिर्फ एक टैग नहीं है, ये किसी जमीन की पहचान का प्रमाण पत्र है। ये बताता है कि ये चीज़, इसी मिट्टी की पैदाइश है। जहां GI टैग पहुंचता है, वहां से बाजारों में बुलंदियों का रास्ता खुलता है।

|

साथियों,

आज यूपी पूरे देश में GI टैगिंग में नंबर वन है! यानी हमारी कला, हमारी चीजें, हमारे हुनर की अब तेजी से अंतरराष्ट्रीय पहचान बन रही है। अब तक वाराणसी और उसके आसपास के जिलों में 30 से ज्यादा उत्पादों को GI टैग मिला है। वाराणसी का तबला, शहनाई, दीवार पर बनने वाली पेंटिंग, ठंडाई, लाल भरवां मिर्च, लाल पेड़ा, तिरंगा बर्फी, हर चीज़ को मिला है पहचान का नया पासपोर्ट, GI टैग। आज ही, जौनपुर की इमरती, मथुरा की सांझी कला, बुंदेलखंड का कठिया गेहूँ, पीलीभीत की बांसुरी, प्रयागराज की मूंज कला, बरेली की ज़रदोज़ी, चित्रकूट की काष्ठ कला, लखीमपुर खीरी की थारू ज़रदोज़ी, ऐसे अनेक शहरों के उत्पादों को GI टैग वितरित किए गए हैं। यानी यूपी की मिट्टी में जो खुशबू है, अब वो सिर्फ हवा में नहीं, सरहदों के पार भी जाएगी।

साथियों,

जो काशी को सहेजता है, वह भारत की आत्मा को सहेजता है। हमें काशी को निरंतर सशक्त करते रहना है। हमें काशी को, सुंदर और स्वप्निल बनाए रखना है। काशी की पुरातन आत्मा को, आधुनिक काया से जोड़ते रहना है। इसी संकल्प के साथ, मेरे साथ एक बार फिर, हाथ उठाकर कहिए। नमः पार्वती पतये, हर हर महादेव। बहुत बहुत धन्यवाद।