રમ પૂજ્ય સચ્ચિદાનંદજી મહારાજ, મંત્રીમંડળના મારા સૌ સાથીઓ, સામાજિક ક્રાંતિ કેવી રીતે કરાય એનું ઉત્તમ ઉદાહરણ ગુજરાતમાં જે મિત્રોએ પૂરું પાડ્યું છે એવા મથુરદાસભાઈ તથા એમના સૌ સાથીઓ અને વિશાળ સંખ્યામાં આવેલા સૌ વ્હાલા નાગરિક ભાઈઓ અને બહેનો..!

ડીભર કલ્પના કરો કે સૌરાષ્ટ્ર જલધારા ટ્રસ્ટ દ્વારા ગયા બે દાયકાથી જે લોકહિતનો યજ્ઞ ચાલી રહ્યો છે અને જેમાં સમાજના સૌ નાના-મોટાએ ખૂબ યોગદાન કર્યું છે, એમના શબ્દ પર ભરોસો કરીને આબાલ-વૃદ્ધ સૌ એ દિશામાં ચાલ્યા છે. ઘડીભર કલ્પના કરો કે આ જ સંસ્થા, આ જ એન.જી.ઓ. એ જરા અંગ્રેજી બોલવાવાળું ટોળું જોડે રાખતા હોત, થોડા ફાટ્યા-તૂટ્યા ઝભ્ભા પહેરીને, ખભે થેલો લઈને લટકાવીને ફરતા હોત, સાંજ પડે ફાઇવ સ્ટાર હોટલોમાં પડ્યા રહેતા હોત, વિદેશોમાંથી રૂપિયા લાવતા હોત, માન-મરતબા મેળવવા માટે દુનિયાની બધી સંસ્થાઓ સાથે જાતજાતનાં અને ભાતભાતનાં કામ કર્યાં હોત તો કદાચ આ એન.જી.ઓ. ની દુનિયામાં એવી વાહવાહી ચાલતી હોત, હિંદુસ્તાનનું મીડિયા પણ એમને એવું ઉછાળતું હોત... તમે નર્મદાનો વિરોધ કરો તો દુનિયાનાં છાપાંઓમાં હેડલાઈન બને અને તમે ટી.વી. પર ચોવીસ કલાક ચમકો, પણ નર્મદાને સફળ બનાવવાનું કામ કરો તો તમે ગુનેગાર..! આવી માનસિકતાની વચ્ચે અને દેશ અને દુનિયાના આ ફાઇવસ્ટાર ઍક્ટિવિસ્ટોને હું જાહેરમાં કહું છું કે સાચા અર્થમાં સમાજનું કામ કેમ થાય, દેશ અને દુનિયાનું ભલું કેમ થાય એનો રસ્તો શોધવો હોય તો આ સૌરાષ્ટ્ર જળધારા સમિતિએ જે કામ કર્યું છે ને એના પગલે ચાલવું પડે..! આ આખાયે અવસરને ચૂંથી નાખવા માટે કેટલાંક હિત ધરાવતા તત્વો, સ્થાપિત હિતો, ગયા બે-ચાર દિવસથી જે મેદાનમાં ઊતર્યા છે એમને મારે કહેવું છે કે આ મોદીના કારણે તમને ઘણી તકલીફો પડતી હશે, તમારું ધાર્યું નહીં થતું હોય, તમારે જે ખિસ્સાં ભરવાં છે એમાં હું રૂકાવટ કરતો હોઈશ, એના કારણે તમને મારી સામે વાંધો હશે તો તમને મારા વિરુદ્ધમાં આવતું આખું અઠવાડિયું, એક સપ્તાહ ચલાવવા માટે હું નિમંત્રણ આપું છું, છૂટ આપું છું, પણ કમ સે કમ આ પવિત્ર કામને દાગ લગાવવાનું પાપ ન કરતા..! આપનો વાંધો મારી સામે હોય તો જેટલી બદનામી કરવી હોય એટલી કરો, પણ આ પવિત્ર કામની ઉપર લાંછન લગાવવાનું પાપ જે ચાર-છ દિવસથી કેટલાક લોકોએ ચાલુ કર્યું છે, મહેરબાની કરીને આ પાપ ન કરતા..! આજે સમાજમાં આવા લોકો ક્યાં છે કે જે ઘરે ઘરે ફરીને કહે કે ભાઈ આપણી પણ કંઈક જવાબદારી છે..! ભાઈઓ-બહેનો, જે કામ આ દેશના રાજનેતાઓએ કરવું જોઇએ જે નથી કરી શકતા એ કામ આ સમાજસેવકો કરી રહ્યા છે, આ વિરાટ સંખ્યામાં પધારેલા મારા ભાઈઓ-બહેનો કરી રહ્યા છે..! આપ વિચાર કરો, આ સમાજના લોકોએ આગળ આવીને આ ચેકડેમોનું, જળસિંચનનું અભિયાન ન ચલાવ્યું હોત તો આજે આપણી શું દશા થઈ હોત, મિત્રો..! બચી ગયા, આ પુરૂષાર્થના કારણે બચી ગયા..! અને આપણે બધા તો એવા લોકો છીએ કે જેમણે આપણા જીવતે જીવ આપણે કરેલા પુરૂષાર્થનાં ફળ પણ આપણી સામે જ જોયાં છે અને એટલે આપણે સાચે રસ્તે છીએ એ વિશ્વાસ આપણામાં પેદા થયો છે..!

ભાઈઓ-બહેનો, હવે પરમાત્માને ફરિયાદ કરવા જવા માટે આપણી પાસે કંઈ કારણ નથી..! આપણને બધાને ખબર છે કે એણે આપણને ગુજરાતમાં જન્મ આપ્યો છે. હવે આપણે અહીંયાં ગંગા નથી તો નથી ભાઈ, યમના નથી તો નથી, કૃષ્ણા નથી તો નથી, ગોદાવરી નથી તો નથી... અહીંયાં દોઢસો ઈંચ વરસાદ નથી પડતો તો નથી પડતો, એ હકીકત છે, ભાઈ... આપણા નસીબમાં રણ લખાયું છે એ લખાયું છે, ખારોપાટ દરિયો પડ્યો છે તો પડ્યો છે... એને તો કંઈ આપણે બદલી શકવાના નથી, પણ એટલા માટે માથે હાથ મૂકીને રડે એનું નામ ગુજરાતી નહીં..! કુદરતે જે આપ્યું છે એમાંથી રસ્તો કાઢીને, હિંમત બતાવીને, પત્થર પર પાટું મારીને પાણી કાઢવાની તાકાત બતાવે એનું નામ ગુજરાતી..! અને ગુજરાતી એકલપટ્ટો નથી હોતો. પોતાનું જ સુખ જુવે એ ગુજરાતી નહીં..! આ ગુજરાતીના સ્વભાવમાં છે કે એ આવતી પેઢીનું પણ સુખ જુવે ભાઈઓ..! અને આવતી પેઢીના સુખની ચિંતા કરવાનો આજે શિલાન્યાસ થઈ રહ્યો છે ભાઈઓ, આ કાર્યક્રમ આવનારી પેઢીઓના સુખની ચિંતા કરવાનો શિલાન્યાસ છે..!

ભાઈઓ-બહેનો, યજ્ઞો તો ઘણા જોયા છે. પુણ્ય કમાવા માટે થતા યજ્ઞો જોયા છે, પાપ ધોવા માટે કરાનારા યજ્ઞો પણ જોયા છે, સમાજમાં આબરૂ સુધારવા માટે થતા યજ્ઞો પણ જોયા છે, પણ ભાઈઓ-બહેનો, સમાજનું ભલું થાય એના માટે યજ્ઞ, પવિત્ર અગ્નિની સાક્ષીએ, ઈશ્વરની સાક્ષીએ સમાજ માટે કંઈ કરવાનો સંકલ્પ કરવાનો યજ્ઞ, આ એક અજોડ ઘટના છે, અજોડ ઘટના..! અને જે લોકો હિંદુસ્તાનનું ભવિષ્ય ઉજ્જવળ ઈચ્છે છે એવા સૌને મારી વિનંતી છે કે આ ઘટનાને હિંદુસ્તાનના ખૂણે ખૂણે પહોંચાડજો, આખા દેશના નાગરિકોને પ્રેરણા મળશે, વિશ્વાસ મળશે, એવું ભગીરથ કામ આજે અહીંયાં થયું છે. આટલો મોટો આ મેળાવડો છે, એ રાજ્ય સરકાર પાસે કશું માંગવાનો મેળાવડો નથી, ઉપરથી રાજ્ય સરકારની ચિંતા ઓછી કરવાનો યજ્ઞ છે, ભાઈ..! મને ચોક્કસ લાગે છે મિત્રો, ભલે અહીંયાં 4800 ગામના લોકો આવ્યા છે, પણ સારું થાત કે આપણે ગુજરાતના દરેક તાલુકામાંથી જો પાંચ-પાંચને લઈ આવ્યા હોય તો એ જુવે તો ખરા કે આ સમાજ-યજ્ઞ કેવો ચાલી રહ્યો છે..! આટલું મોટું કામ આપે કર્યું છે..! ગઈકાલે મને ચિંતા હતી કે આચારસંહિતા આવી છે તો મારું શું થશે, મને આ વિરાટના દર્શન કરવાની તક મળશે કે નહીં મળે..! આ ગુજરાતની આવતીકાલની ચિંતા કરવા માટે પરસેવો પાડનાર ભાઈઓ-બહેનોના પરસેવાની સુગંધ લેવાનું મને સૌભાગ્ય મળશે કે નહીં મળે એની મને ચિંતા હતી, પણ ઈશ્વરની કંઇક કૃપા છે, ઇલેક્શન કમિશનને લાગ્યું કે ના, ના, આ પવિત્ર કામ છે, મોદીને જવા દેવા જોઇએ, એટલે મને આવવા દીધો આજે..! એનો અર્થ એ થયો મિત્રો કે કંઈક પવિત્રતા પડી છે આ કામમાં..! રાજકીય સ્વાર્થ હોત, રાજકીય આટાપાટા હોત તો ઇલેક્શન કમિશને પણ આજે મને અહીંયાં ન આવવા દીધો હોત, મને રોકી લીધો હોત. એનો અર્થ જ એ છે ભાઈઓ, કે આ પૂર્ણરૂપે શુદ્ધ અને શુદ્ધરૂપે સામાજિક કામ છે, શુદ્ધરૂપે કુદરતની ચિંતા કરનારું કામ છે, શુદ્ધરૂપે આવતી કાલની પેઢીની ચિંતા કરનારું કામ છે અને એ ભગીરથ કામનાં દર્શન કરવાનું મને સૌભાગ્ય મળ્યું છે..!

ભાઈઓ-બહેનો, હું આપને વિશ્વાસ આપવા માગું છું. સામાન્ય રીતે કોઈ યોજના પાર ન પડવાની હોય તો એને હાથ લગાવવાનો મારો સ્વભાવ જ નથી, એ મને ફાવે જ નહીં..! કોઈને નારાજ થવું હોય થાય, પણ ના થાય એવું હોય તો હું કહી દઉં કે ભાઈ, આમાં નહીં મેળ પડે..! અને કરવા જેવું, થવા જેવું હોય તો જાત ઘસી નાખીને પણ કરવા માટે હંમેશાં કોશિશ કરતો હોઉં છું..! મિત્રો, મનમાં સપનું છે કે ગુજરાતનો ખૂણેખૂણો પાણીદાર બનાવવો છે, સપનું છે કે ગુજરાતનો ખૂણેખૂણો લીલોછમ બનાવવો છે..! અને ભાઈઓ-બહેનો, જ્યારે આવી વિરાટ શક્તિનાં દર્શન કરું છું ત્યારે મારો વિશ્વાસ હજારો ગણો વધી જાય છે. ભરોસો પડે છે કે બધું થઈ શકે છે, એવો ભરોસો પડે છે, મિત્રો..!

ને યાદ છે જ્યારે હું ખેત તલાવડીઓનું અભિયાન ચલાવતો હતો ત્યારે મને ઘણા ખેડૂતો કહેતા કે સાહેબ, હવે અમારી પાસે જમીનો ક્યાં છે, બે-પાંચ વીઘા જમીન હોય અને એમાંથીયે તમે એક ખૂણો બોટી લેવાની વાત કરો, અમે ક્યાંથી ખેત તલાવડી કરીએ..? ખેતી કરીએ કે ખેત તલાવડીઓ કરીએ..? ત્યારે હું એમને સમજાવતો હતો કે ભાઈ, ગરીબમાં ગરીબ માનવી હોય, ઝૂંપડપટ્ટીમાં જિંદગી જીવતો હોય, નાનકડી એક ખોલી હોય, રાત્રે સુઈ જાય તો પગ લાંબા કરવાની જગ્યા ના હોય, તેમ છતાંય એણે એવા નાનકડા ઝૂંપડામાં પણ પાણીનું માટલું મૂકવાની જગ્યા રાખી હોય, રાખી હોયને રાખી જ હોય..! પગ લાંબો ન થાય, પણ પાણીનું માટલું મૂકવાની જગ્યા રાખી હોય કારણકે એના જીવનમાં એ પાણીના મહાત્મયને સમજે છે. એમ ભાઈઓ-બહેનો, આપણે ગમે તેટલા સુખી હોઇએ, સમૃદ્ધ હોઈએ, રૂપિયાની છોળો ઉડતી હોય, બધું જ હોય, પણ આપણે ન ભૂલીએ કે જેમ ગરીબના ઘરમાં પણ પીવાના પાણી માટે માટલાંની જરૂર હોય છે, એમ આ ધરતીમાતાને પણ પીવા માટે પાણીના માટલાંની જરૂર હોય છે, આ તમારા ખેતરના ખૂણે કરેલી ખેત તલાવડી એ ધરતીમાતા માટેનું માટલું છે..! અને ભાઈઓ-બહેનો, ધરતીમાતાને પાણી પીવડાવવાના પૂણ્યકાર્યથી પોતાની માની સેવા કરતાં પણ વધારે આશીર્વાદ મળતા હોય છે અને એટલા માટે આ ખેત તલાવડીના અભિયાનને આપણે તાકાત આપીએ..! અને અઠવાડિયાથી વધારે ટાઈમ નથી જતો, ભાઈ. ખેત તલાવડીનો એક મોટો લાભ તમને ખબર છે..? જ્યારે આ ખેત તલાવડીનું આપણે અભિયાન ઉપાડ્યું, ત્યારે એટલી જ વાત ધ્યાનમાં હતી કે ભાઈ, પાણી રોકાશે અને પંદર-વીસ દિવસ જો વરસાદ ખેંચાઈ ગયો તો તે પાણી જે રોકાણું હશે તે કામમાં આવશે, ખેત તલાવડી હશે તો જમીનમાં જરા અમી રહેશે... આવા બધા વિચારો મનમાં હતા, પણ જ્યારે પ્રયોગ સફળ થયો ત્યારે એક આશ્ચર્યજનક અહેવાલ મારી સામે આવ્યો, ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લાની જમીન, જેવો વરસાદ પડે અને પાણી નીચે ઉતરે એટલે ખારાશ ઉપર આવે, ખારાશ ઉપર આવે એટલે જમીનની જે ઉપરની પરત હોય છે એ લગભગ ખારાશવાળી થઈ જાય અને એના કારણે પાકના ઉત્પાદનમાં મોટામાં મોટું નુકશાન થાય..! ખેત તલાવડી બનાવવાના કારણે થયું એવું કે ખેતરમાં પાણી પડ્યા પછી ઉતરવાને બદલે એ પાણી રગડીને પેલા ખાબોચિયાં, તળાવ, ખેત તલાવડીમાં જવા માંડ્યું, એ જવા માંડ્યું તો જોડે જોડે ખારી પરત પણ લઈ ગયું અને એના કારણે કલ્પના બહારનો જમીનમાં સુધારો થયો. આ કલ્પના બહારનો જમીનમાં જે સુધારો થયો એણે પેલી નાનકડી ખેત તલાવડીમાં જે જમીન રોકાણી હતી એના કરતાં ઉત્પાદનમાં દસ ગણો વધારો કરી આપ્યો. આ સીધેસીધો ફાયદો જોવા મળ્યો..! અને તેથી ભાઈઓ-બહેનો, જેમ ખેતીના રક્ષણ માટે વાડ કરવા માટે આપણે કાળજી લઈએ છીએ, જેમ ખેતીના રક્ષણ માટે સમય સમય પર આપણે જમીનની કાળજી લઈએ છીએ, એવી જ રીતે દર વર્ષે ખેત તલાવડી સરખી કરવી, પાણીના ઓવારા સરખા કરવાનું પુણ્ય કામ કરીએ તો આપણે ન કલ્પ્યું હોય એટલો ફાયદો થવાનો છે..!

ભાઈઓ-બહેનો, કલ્પસરની યોજના..! મારે આજે આનંદ અને ગર્વ સાથે કહેવું છે કે લગભગ 80% ફીઝિબિલિટી રિપૉર્ટનું કામ આપણે પૂર્ણ કરી દીધું છે. અને કલ્પસર યોજનામાં એક મહત્વનો ભાગ છે કે જે નર્મદાનું પાણી સરદાર સરોવર ડૅમમાંથી છલકાઈને નીકળ્યા પછી દરિયામાં જાય છે, તો ભરૂચ પાસે ભાડભૂતમાં આ નર્મદાનું પાણી આપણે રોકવા માંગીએ છીએ. લગભગ 4000 કરોડ રૂપિયાના ખર્ચે ભાડભૂતનો બૅરેજ બનાવીશું અને સરદાર સરોવર ડૅમથી લઈને દરિયા સુધીનો આખો પટ્ટો પાણીથી ભરાશે અને પછી એમાંથી એક કૅનાલ કલ્પસર તરફ જશે. એટલે આખી નર્મદાનું વધારાનું પાણી કલ્પસરમાં ઠલવાય એના માટેનું એક ભગીરથ કામ અને એનો એક ભાગ એટલે ભાડભૂતનો બૅરેજ..! 4000 કરોડ રૂપિયાના કામનું ટેન્ડર લગભગ થોડા દિવસમાં નીકળી જવાનું છે, એનો અર્થ એ કે કલ્પસરના કામની શુભ શરૂઆતનાં મંડાણ થઈ જવાનાં છે..! એક વાત નક્કી છે કે આવનારા સો વર્ષના ગુજરાતના પાણીના પ્રશ્નનો નિકાલ કરવાની તાકાત આ કલ્પસરની યોજનામાં છે, અને એને માટે આપણે કામે લાગ્યા છીએ..!

ભાઈઓ-બહેનો, આપ વિચાર કરો, ‘સૌની યોજના’ દ્વારા 115 જેટલાં જળાશયો, તળાવો, નાળાંઓ, આ બધું ભરાવાનું છે. ઈશ્વર ઘણીવાર આફત લાવે છે, પણ આફતને અવસરમાં પણ પલટી શકાય છે..! ‘સૌની યોજના’ ને સફળ કરવા માટે કુદરતે કદાચ આ વખતે આપણી કસોટી કરી છે એવું મને લાગે છે. તકલીફ તો પડી છે..! બાર વર્ષથી આપણે એ.સી. માં રહ્યા હોઇએ અને અચાનક વીજળી જતી રહે તો કેવી તકલીફ પડે, એમ બાર વર્ષથી પાણીમાં ધબાકા માર્યા છે અને એમાં અચાનક પાણી ગયું એટલે તકલીફ તો થાય જ..! પણ તેમ છતાંય, આ આફતને અવસરમાં પલટવા માટે આપણે એક મોટું કામ કર્યું છે કે જેટલાં જળાશયો છે, સેંકડો કરોડો રૂપિયા ખર્ચીને એ જળાશયો, બંધ બન્યા હતા, પણ એના પછી ક્યારેય એમાં ડિસિલ્ટીંગનું કામ નહોતું થયું, જે કાંપ ભરાયો હતો એ કાંપ ઓછો કરવાનું કામ થયું ન હતું, તેથી આ બધા ડૅમ લગભગ ભરાઈ ગયા હતા. આપણે આ પાણીના અભાવને અવસરમાં પલટીને બધી જ જગ્યાએથી આ બધા જ જળાશયો ઊંડા કરવાનું કામ ઉપાડ્યું છે. એના કારણે આજે આપણી જળાશયોની જે સંગ્રહશક્તિ છે એ ખાલી અને ઊંડા કરવાને કારણે લગભગ ડબલ થઈ જવાની છે અને જ્યારે ‘સૌની યોજના’ નું પાણી આવશે ત્યારે આપણે ધારીએ છીએ એના કરતાં સંગ્રહશક્તિ ડબલ કરવાની દિશામાં આપણે સફળ થઈશું..! અને કદાચ પાણી આવ્યું હોત, વરસાદ પૂરતો પડ્યો હોત, તો કદાચ આ ડૅમ ઊંડા કરવાનું કામ રહી ગયું હોત. તો ઈશ્વરે પૂર્વ તૈયારી કરાવી હોય એમ મને લાગે છે અને એનો અર્થ કે ઈશ્વરની પણ ઈચ્છા છે કે ભાઈ, આ તમે બધાં જે કામ ઉપાડ્યાં છે, તેના માટે હું તમને મદદ કરું. અને આપણે ઈશ્વરે જે પરિસ્થિતિ પેદા કરી છે એને અવસરમાં પલટીને આજે કરોડો કરોડો ટન કાંપ અને માટી આ આપણા જળાશયોમાંથી બહાર કાઢીએ છીએ અને જૂન મહિનો આવતાં સુધીમાં તો આ બધું કામ પૂરું કરવાની નેમ સાથે યુદ્ધના ધોરણે કામ ઉપાડ્યું છે..!

મારી આપ સૌની પાસે એક બીજી મદદની વિનંતી છે. આપણે પણ ગામમાં બે કે ચાર દિવસ જો શ્રમ કાર્ય ઉપાડીએ, વધારે નહીં, બે કે ચાર દિવસ... તો બે કે ચાર દિવસમાં જ આપણા ગામ આસપાસના જે બાર, પંદર, પચીસ ચેકડૅમ છે, એની જો માટી અને કાંપ કાઢી કાઢીને ખેતરોમાં લઈ જઈએ, તો આપના ખેતરને પણ લાભ થશે, અને સરકાર મફતમાં આ કાંપ લઈ જવાની છૂટ આપે છે, કોઈ તમને પૂછશે નહીં અને જો આપણે આ કાંપ લઈ જઈએ તો આપણા ખેતરને પણ લાભ થશે અને આ આપણા ચેકડૅમોમાં પણ કાંપ ભરાઈ જવાના કારણે જે પાણી ઓછું ભરાય છે, એ પણ ખુલ્લા થઈ જશે. આપણે આ બે-ચાર દિવસનું એક અભિયાન, નાગરિક અભિયાન ઉપાડીએ અને ચેકડૅમની પણ સંગ્રહશક્તિ વધે એના માટેનું જો કામ ઉપાડીશું તો મને ખાત્રી છે ભાઈઓ-બહેનો, કે આ ‘સૌની યોજના’ ને સાચા અર્થમાં પરિણામકારી યોજના બનાવવામાં આપણે યશસ્વી થઈશું..! ભાઈઓ-બહેનો, જળસંચયનું જેમ કામ છે એમ એક વાત નક્કી છે મિત્રો, હવે આખે આખું નવું ગુજરાત સૌરાષ્ટ્રના દરિયાકિનારે ઊભું થવાનું છે, આખું નવું ગુજરાત સૌરાષ્ટ્રના દરિયાકિનારે આકાર લેવાનું છે. પાંચ-પચીસ-પચાસ વર્ષે આખું નવું ગુજરાત તમે જોશો. ત્યારે પાણીની કેટલી બધી જરૂરિયાત ઊભી થશે એનો અંદાજ કરી શકો છો. અને એટલા માટે આપણે દરિયાનું પાણી મીઠું કરવા માટેનું એક મોટું અભિયાન ઉપાડ્યું છે. વિશ્વની પ્રસિદ્ધ કંપનીઓની સાથે કરાર કર્યા છે અને દરિયાનું પાણી મીઠું કરીને દરિયાકિનારે જે નવાં શહેરો બનવાનાં છે એના માટે પાણીનો ઉત્તમ પ્રબંધ થાય એના માટે ધ્યાન કેન્દ્રિત કર્યું છે. બીજું આપણે ધ્યાન કેન્દ્રિત કર્યું છે, ગુજરાતની અંદર 50 નાના-મોટાં નગર એવાં પકડ્યાં છે, જે 50 નગરોમાં સૉલિડ વેસ્ટ મૅનેજમૅન્ટ કરીને, પાણીને રીસાઇકલ કરીને, ગટરના પાણીનું શુદ્ધિકરણ કરીને એ પાણી એ નગરની આસપાસના ગામડાંના ખેડૂતોને મળે. એ પાણી સાચા અર્થમાં ખેતી માટે ઉપકારક હોય છે. ગટરનું પાણી વહી જાય છે, એ પાણીને બચાવવા માટે પણ અરબો-ખરબો રૂપિયા ખર્ચવાના અભિયાન સાથે આપણે કામ કરી રહ્યા છીએ..! દરિયાનું પાણી, ગટરનું પાણી, વરસાદનું પાણી, નદીઓનું પાણી, પાણી માત્રનો બગાડ ન થાય, એનો સંચય થાય, એવા એક હોલિસ્ટિક ઍપ્રોચ સાથે આપણે કામ કરી રહ્યા છીએ.

જેમ જળ-સંચય માટે કામ કરી રહ્યા છીએ, એમ જળ-સિંચન માટે પણ કામ કરી રહ્યા છીએ. પાણી ટપક સિંચાઈથી વપરાય, અને આપણે જોયું છે કે બનાસકાંઠા, જ્યાં ધૂળની ડમરીઓ ઊડતી હતી, ત્યાંના ખેડૂતો પાણી વગર વલખાં મારતા હતા. આજે એ લોકો ટપક સિંચાઈમાં ગયા અને ભાઈઓ-બહેનો, મારે કહેવું છે, આજે દુનિયાની અંદર એકર દીઠ હાઇએસ્ટ બટાકા પેદા કરવાનું ઈનામ જો કોઈને મળતું હોય, તો બનાસકાંઠાના ખેડૂતોને મળે છે..! એકર દીઠ વધુમાં વધુ બટાકા દુનિયામાં સૌથી વધારે પેદા કરે છે અને કર્યા છે કઈ રીતે..? ટપક સિંચાઈથી..! અને બીજું, મારી માતાઓ-બહેનોને વિનંતી છે કે તમે તો ઘરમાં નક્કી કરો કે ટપક સિંચાઈ નહીં લાવો તો રસોઈ નહીં બને. કારણ..? આજે ખેતરમાં નીંદામણનું કામ આ મારી માતાઓ-બહેનોને કરવું પડે છે. એમની કમર તૂટી જાય છે, ચાર-ચાર કલાક વાંકાને વાંકા રહીને ખેતરમાં નીંદામણ કરતા હોય છે. અને ખેડૂતના દરેક કુટુંબમાં માતાઓ-બહેનોએ આ કામ કરવું પડે છે. આ ટપક સિંચાઈ આવે તો આ નીંદામણનું કામ જ ના રહે..! સૌથી પહેલો લાભ મળે મારી માતાઓ-બહેનોને. એમના ચાર-પાંચ કલાક આ કાળી મજૂરીમાંથી બચી જાય તો છોકરાંઓને સંસ્કાર મળે, શિક્ષણ મળે અને કુટુંબ જાજરમાન બની જાય..! આ મારી માતાઓ-બહેનોની મહેનત બચાવવા માટે, આ નીંદામણ કરવાની મુસીબતમાંથી બહાર લાવવા માટે ટપક સિંચાઈ ઉત્તમમાં ઉત્તમ કામ છે. પાક પેદા થાય છે, પાણી બચે છે, મજૂરી બચે છે, સમયગાળોય બચે છે..! ફ્લડ વૉટરથી જે પાક ચાલીસ દિવસમાં થતો હોય, ટપક સિંચાઈથી એ ત્રીસ-બત્રીસ દિવસમાં થઈ જાય છે. અઠવાડિયું વહેલાં થાય છે, આનો લાભ બજારની અંદર મળતો હોય છે. અને ટપક સિંચાઈમાં તમારે કાણી પાઈ ખર્ચવાની નથી, એક લાખ રૂપિયાનો ખર્ચો હોય તો તમારે ખિસ્સામાંથી માત્ર પાંચ હજાર રૂપિયા કાઢવાના છે, બાકીના પૈસા સરકાર આપે છે..! આપણો મંત્ર છે, ‘પર ડ્રૉપ, મૉર ક્રૉપ’..! એક એક ટીપામાંથી સોનું પકવવું છે, આ મંત્ર લઈને આપણે ચાલીએ છીએ અને એમાં આપણે આગળ વધવા માગીએ છીએ..!

ભાઈઓ-બહેનો, સરદાર સરોવર ડૅમ ઉપર દરવાજા મૂકવાના છે. એક-એક દરવાજો છ માળના મકાન જેવડો છે, અને એવા છત્રીસ દરવાજા છે..! આજે કામ શરૂ કરું ને તો પણ પૂરું કરવું હોય તો ત્રણ વર્ષ લાગે, એટલું બધું કામ છે. દરવાજા રૅડી પડ્યા છે, હું પ્રધાનમંત્રીને પંદર વખત મળ્યો છું, આ અમારા રૂપાલાજીના નેતૃત્વમાં અડવાણીજી સહિત અમારા બધા એમ.પી. પ્રધાનમંત્રીને પચીસ વખત મળ્યા છે અને દર વખતે પ્રધાનમંત્રી એમ જ કહે છે, “અચ્છા, અભી નહીં હુઆ હૈ..?”, બોલો, દર વખત એમ જ કહે છે, “અભી નહીં હુઆ હૈ..?” હવે મેં એમને સમજાવ્યું કે સાહેબ, દરવાજા ઊભા કરીએ તોય ત્રણ વર્ષ લાગે છે, અમને ઊભા કરવા દો. તમને પ્રોબ્લેમ હોય તો દરવાજો બંધ નહીં કરીએ, તમે રજા નહીં આપો ત્યાં સુધી પાણી ભેગું નહીં કરીએ, પણ નાખવા તો દો..! તો કહે કે આમાં તો શું વાંધો છે, એ તો હવે કરી શકાય..! હવે આ તમને સમજણ પડે છે ને ભાઈ, દરવાજા બંધ ન કરીએ તો કોઈને તકલીફ પડે, ઊભા કરવામાં કંઈ વાંધો છે..? આ તમને સમજાય છે ને, આ દિલ્હી સરકારવાળાને નથી સમજાતું..! આટલી વાત સમજાતી નથી. કહી કહીને હું થાકી ગયો, સમજાવી-સમજાવીને થાકી ગયો, પણ એ કામ કરવાની પરમિશન આપતા નથી અને આપણું આ કામ બગડી રહ્યું છે..! ભાઈઓ-બહેનો, ખાલી ગુજરાતનું જ નહીં, જો આ દરવાજા નાખીએ અને પાણી ભરાવા માંડે, તો આ મહારાષ્ટ્રમાં જે વીજળીનો પ્રશ્ન છે, અંધારપટ છે ને એ ય દૂર થઈ જાય, કારણકે વીજળી આપણે મહારાષ્ટ્રને આપવાની છે..! આ પાણીમાંથી જે વીજળી થાય એનો મોટો ભાગ મહારાષ્ટ્રને મળવાનો છે, તોયે કરતા નથી બોલો, એમની સરકાર છે મહારાષ્ટ્રમાં..! પડી જ નથી, એમને કશી પડી જ નથી. એ લોકો તો આ ભાણિયા, ભત્રીજા અને કાકા-મામાને સાચવવામાં જ પડી ગયા છે..! કોઈ બાકી નથી, હવે તો ભાણિયા પણ મેદાનમાં આવી ગયા, બોલો..! જેને લૂટવું હોય એ લૂંટો, આ જ કામ કરવું છે, ભાઈ..! અને એટલા માટે ભાઈઓ-બહેનો, ચાહે કલ્પસરની યોજના હોય, ચાહે સરદાર સરોવર ડૅમની યોજના હોય, ચાહે સમુદ્રનું પાણી મીઠું કરવાની યોજના હોય, આપણે એક ભગીરથ કામ ઉપાડ્યું છે..!

કામની સાથે સાથે એક બીજું પણ સપનું છે. સરદાર સરોવર ડૅમ હોય કે ગુજરાતનો ખેડૂત હોય, આઝાદીના આંદોલનમાં ગુજરાતના ખેડૂતને માટે ક્રાંતિના બીજ વાવવાનું કામ સરદાર પટેલે કર્યું હતું. હિંદુસ્તાને જે સરદાર પટેલને હજુ શ્રદ્ધાંજલિ નથી આપી, એવી શ્રદ્ધાંજલિ ગુજરાત અપવા માંગે છે અને એટલા માટે જ્યાં સરદાર સરોવર ડૅમ છે ત્યાં જ દુનિયાનું સૌથી ઊંચામાં ઊંચું સરદાર પટેલનું પૂતળું પણ મારે મૂકવું છે..! દુનિયાના ઊંચામાં ઊંચા સ્ટેચ્યૂ પૈકીનું એક ‘સ્ટેચ્યૂ ઑફ લિબર્ટી’, આ સ્ટેચ્યૂ એના કરતાં પણ ડબલ બનશે..! લગભગ સાંઇઠ માળના મકાન જેટલા ઊંચા સરદાર પટેલ ઊભા હશે અને આખી દુનિયાને રસ્તો બતાવતા હશે..! અને એને પણ મારે આ સરદાર સરોવર યોજના સાથે જોડીને કામ કરવું છે..!

ભાઈઓ-બહેનો, હમણાં બેન ભાષા કેટલા આત્મવિશ્વાસ સાથે બોલતી હતી..! એમાં લાગણી પડી હતી, એક નાનકડી વિનંતી કરે છે આપણને, આપણને બધાને કહે છે કે કમ સે કમ અમને વારસામાં પાણી તો મૂકતા જજો..! અમને વારસામાં ઝાડ, ડાખળાં, પાણી, ફૂલ, પૌધા કંઈક તો આપતા જજો, કંઈક હરિયાળી તો આપતા જજો..! એક દિકરી આપણી પાસે માગે છે, અને ત્યારે એક સમાજ તરીકે આપણું કર્તવ્ય છે, સમાજ તરીકે આપણી જવાબદારી છે. આમાં કોઈ રાજકીય આટાપાટા ન હોય ભાઈ, કોંગ્રેસવાળો હોય એનેય પીવા પાણી જોઇએ અને ભાજપવાળો હોય એનેય પીવા પાણી જોઇએ. આમાં કોઈ રાજકારણ ના હોય..! પાણી એ તો પરમેશ્વરનો પ્રસાદ છે, એ સૌની જરૂરિયાત છે અને સૌની જવાબદારી પણ છે..! ભાઈઓ-બહેનો, આ ‘સૌની યોજના’ ની સફળતાના મૂળમાં આ ક્રાંતિ મોટું કામ કરવાની છે. ભાઈઓ, મારી નજર પહોંચે ત્યાં સુધી માણસો જ માણસો છે. આવા ધોમધખતા તાપમાં કશું લેવાનું ના હોય અને તેમ છતાં આટલો મોટો સમાજ આવનારી પેઢીની ચિંતા-ચર્ચા કરવા ભેગો થાય, ભાઈઓ-બહેનો, આ ઘટના નાની નથી..! દુનિયાના પર્યાવરણવિદોને હું કહું છું, જરા જુઓ આ શું થઈ રહ્યું છે..! આ મારા ગુજરાતનો ગામડાનો ખેડૂત, જેને પર્યાવરણ શબ્દ પણ કદાચ જીવનમાં વાંચવાનો અવસર નથી આવ્યો, એ આજે આવનારી પેઢીઓના પર્યાવરણની ચિંતા કરવા માટે પસીનાથી રેબેઝેબ થઈને અહીંયાં બેઠો છે. ભાઈઓ-બહેનો, આ સમાજની શક્તિ છે, અને આ સમાજની શક્તિ પરિવર્તન લાવે છે. મારી બધા જ રાજકીય પક્ષોને વિનંતી છે, મીડિયાના પણ મિત્રોને વિનંતી છે, કે આમાં સરકારને કોઈ ક્રૅડિટ આપવાની જરૂર નથી, આ સમાજની શક્તિ છે અને આપણે બધા એના ચરણોમાં વંદન કરીએ છીએ. અને તેથી કોઈ આટાપાટા વગર, માત્રને માત્ર પાણી, માત્રને માત્ર ગુજરાતની આવતી કાલ, માત્રને માત્ર ગુજરાતની ભાવિ પેઢીનું ભલું થાય એની મથામણ, એમાં આપણે બધા સહયોગ આપીએ..!

પૂજ્ય સચ્ચિદાનંદ સ્વામી ક્રાંતિકારી વિચારો ધરાવે છે. મને યાદ છે જ્યારે મારી વિરુદ્ધમાં ખેડૂતોનાં આંદોલન ચાલતાં હતાં, વીજળીના મુદ્દે તોફાનો કરતા હતા ત્યારે પૂજ્ય સ્વામી સચ્ચિદાનંદજી મારી પડખે ઊભા હતા અને ખેડૂતોને બોલાવીને કહેતા હતા કે તમે ખોટા રસ્તે છો, આ મોદી કહે છે કે પાણી બચાવો..! મને યાદ છે બરાબર, લડતા હતા મારા માટે થઈને..! અને આજે એમના આશીર્વાદ આ પવિત્ર કામ માટે આપણને મળ્યા છે. મિત્રો, મને પૂરો વિશ્વાસ છે કે આપે નક્કી કર્યું છે ને..? થઈને જ રહેવાનું..! અને હું આપને વિશ્વાસ આપું છું, અમારે પાંચ ડગલાં ચાલવાનું હશે ત્યાં અમે સવા પાંચ ડગલાં ચાલી બતાવીશું પણ ભાઈઓ-બહેનો, આ સમાજની શક્તિથી જ થવાનું છે. અને આ વર્ષે ગામે-ગામ ખેત તલાવડીઓના હિસાબ કરીશું, બોરીબંધ કરીએ, ચેકડૅમને ફરી પાછા જરા તાજા તમતમતા કરીએ, કાંપ-બાંપ ભેગો થયો હોય તો કાઢી નાખીએ... મોટા જળાશયોના કાંપ કાઢવાનું કામ સરકાર કરી રહી છે, મશીનો મૂકી-મૂકીને કામ કર્યું છે. અને એમાંય મારી ખેડૂતોને વિનંતી છે, આ મોટા-મોટા જળાશયોમાંથી અમે જે કાંપ ઉલેચી રહ્યા છી, એ તમે ઉપાડી જાવ. તમારો જ છે, ખેતરોમાં નાખો અને ખેતરોને સમૃધ બનાવો..! ભાઈઓ-બહેનો, આ ધરતી તમારી છે, આ ભાગ્ય તમારું છે, અમે તો નિમિત્ત માત્ર છીએ, જેણે એક જ કામ કરવાનું છે કે આડે નહીં આવવાનું, બસ..! અને અમે આડે ના આવીએ ને એટલે તમારે આડે કશું ન આવે..! અને આટલી મોટી શક્તિ જોઈએ, તો અમનેય તમારી જોડે ચાલવાનું મન થાય, અમનેય તમારી પાછળ-પાછળ આવવાનું મન થાય..! એવાં શક્તિનાં દર્શન કરાવ્યાં છે. સાચા અર્થમાં આ એક પવિત્ર કામ આપે ઉપાડ્યું છે. હું આપને ખૂબ-ખૂબ અભિનંદન આપું છું અને આપને વિશ્વાસ આપું છું કે આપણે જે કામ ઉપાડ્યું છે તે આપણે નિર્ધારીત સમયમાં કરીને રહીશું અને જે પાણી આપણી મુસીબતનું કારણ હતું, તે જ પાણી આપણી પ્રગતિનું પણ કારણ બનશે એવા વિશ્વાસ સાથે આપણે આગળ વધીએ એ જ શુભકામના..! ફરી એકવાર આ કામ કરનાર મિત્રોને લાખ લાખ અભિનંદન આપું છું..!

ય જય ગરવી ગુજરાત..!

ય જય ગરવી ગુજરાત..!

Explore More
78-வது சுதந்திர தின விழாவையொட்டி செங்கோட்டை கொத்தளத்தில் இருந்து பிரதமர் திரு நரேந்திர மோடி நிகழ்த்திய உரையின் தமிழாக்கம்

பிரபலமான பேச்சுகள்

78-வது சுதந்திர தின விழாவையொட்டி செங்கோட்டை கொத்தளத்தில் இருந்து பிரதமர் திரு நரேந்திர மோடி நிகழ்த்திய உரையின் தமிழாக்கம்
India Eyes Rs 3 Lakh Crore Defence Production By 2025 After 174% Surge In 10 Years

Media Coverage

India Eyes Rs 3 Lakh Crore Defence Production By 2025 After 174% Surge In 10 Years
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
பவாலியாலி தாம் நிகழ்ச்சியின் போது பிரதமர் தெரிவித்த கருத்துகள்
March 20, 2025
Quoteசேவையில் பர்வாட் சமூகத்தினரின் அர்ப்பணிப்பு, இயற்கை மீதான அன்பு, பசு பாதுகாப்பில் கொண்டுள்ள உறுதிப்பாடு ஆகியவற்றிற்கு பிரதமர் பாராட்டு
Quoteகிராமங்களை மேம்படுத்துவது என்பது வளர்ந்த பாரதத்தின் கட்டமைப்புக்கான முதல் முயற்சியாகும்: பிரதமர்
Quoteநவீனத்துவத்தின் மூலம் சமூகத்தை மேம்படுத்துவதற்கு கல்வியின் முக்கியத்துவத்தை முன்னோக்கி செல்லும் பாதையாக பிரதமர் வலியுறுத்தினார்
Quote“அனைவரும் இணைவோம்" என்பது நாட்டின் மிகப்பெரிய பலமாக இருப்பதன் முக்கியத்துவத்தை பிரதமர் எடுத்துரைத்தார்

மஹந்த் ஸ்ரீ ராம் பாபு அவர்களே, சமூகத்தின் மதிப்பிற்குரியவர்களே மற்றும் இங்கு கூடியிருக்கும் லட்சக்கணக்கான பக்தியுள்ள சகோதர சகோதரிகளே – வணக்கம். ஜெய் தக்கர்!
முதன் முதலாக, பர்வாத் சமூகத்தின் மரபுகளுக்கும், மரியாதைக்குரிய அனைத்து மகான்களுக்கும்,  இந்தப் புனித பாரம்பரியத்தைப் பாதுகாப்பதற்காக தங்கள் வாழ்வை அர்ப்பணித்த அனைவருக்கும் எனது மரியாதைக்குரிய வணக்கங்களைத் தெரிவித்துக் கொள்கிறேன். இன்று நமது மகிழ்ச்சி பன்மடங்கு அதிகரித்துள்ளது. இம்முறை, மஹா கும்பமேளா வரலாற்றுச் சிறப்புமிக்கதாக மட்டுமல்லாமல் , நமக்குப் பெருமை சேர்க்கும் தருணமாகவும் இருந்தது. ஏனெனில், இந்த மங்களகரமான தருணத்தில், மஹந்த் ஸ்ரீ ராம் பாபு ஜிக்கு மகா மண்டலேஷ்வர் என்ற பட்டம் வழங்கி கௌரவிக்கப்பட்டுள்ளது. இது ஒரு குறிப்பிடத்தக்க சாதனை. நம் அனைவருக்கும் மகத்தான மகிழ்ச்சியின் தருணம். ராம் பாபு ஜி மற்றும் நமது சமூகத்தின் அனைத்து குடும்பங்களுக்கும் எனது மனமார்ந்த வாழ்த்துக்கள்.
 

|

கடந்த ஒரு வாரமாக, பாவாநகர் தேசம் கிருஷ்ணரின் பிருந்தாவனமாக மாறியது போல் உணர்ந்தேன், இதை மேலும் சிறப்புறச் செய்யும் வகையில், எங்கள் மதிப்பிற்குரிய சகோதரரின் பாகவத கதை நடந்தது. பக்தி வழியும்,  மக்கள் கிருஷ்ணரின் அன்பில் மூழ்கிய விதமும் உண்மையான தெய்வீக சூழலை உருவாக்கியது. எனது அன்பான குடும்பமே, பவலியாலி ஒரு மதத் தளம் மட்டுமல்ல; இது பர்வாத் சமூகம் மற்றும் பலருக்கு நம்பிக்கை, கலாச்சாரம் மற்றும் ஒற்றுமையின் சின்னமாகும்.
நாக லகா தக்கரின் அருளால், இந்தப் புனித இடம் எப்போதும் பர்வாத் சமூகத்திற்கு உண்மையான வழிகாட்டுதலையும் உன்னதமான உத்வேகத்தின் மகத்தான மரபையும் அளித்து வருகிறது. இன்று, இந்தப் புனித தலத்தில் ஸ்ரீ நாக லகா தக்கார் ஆலயத்தின் மறு கும்பாபிஷேகம் நமக்கு ஒரு பொன்னான வாய்ப்பாக மாறியுள்ளது. கடந்த ஒரு வாரமாக அங்கு பிரமாண்டமான கொண்டாட்டம் நிலவுகிறது. சமூகத்தின் உற்சாகமும் குறிப்பிடத்தக்கவை - நான் சுற்றியிருப்பவர்களிடமிருந்து பாராட்டுக்களைக் கேட்டுக்கொண்டே இருக்கிறேன். என் இதயத்தில், உங்கள் அனைவருக்கும் மத்தியில் நான் இருக்க வேண்டும் என்று உணர்கிறேன், ஆனால் நாடாளுமன்றம் மற்றும் வேலையில் எனது கடமைகள் காரணமாக, வெளியேறுவது கடினமாக உள்ளது. இருப்பினும், ஆயிரக்கணக்கான சகோதரிகள் நிகழ்த்திய அற்புதமான ‘ராஸ்’ (நடனம்) பற்றி நான் கேட்கும்போது, நான் மட்டற்ற மகிழ்ச்சி அடைகிறேன் - அவர்கள் உண்மையிலேயே பிருந்தாவனத்தை அங்கேயே உயிர்ப்பித்திருக்கிறார்கள்!
நம்பிக்கை, கலாச்சாரம் மற்றும் பாரம்பரியம் ஆகியவற்றின் கலவையானது உண்மையிலேயே இதயத்தைக் குளிர்விப்பதுடன் மேம்படுத்துகிறது. இந்த நிகழ்வுகள் அனைத்திலுமிருந்து, இந்த நிகழ்வை விறுவிறுப்பாகவும், அர்த்தமுள்ள செய்திகளை தங்கள் நிகழ்ச்சிகளின் மூலம் சமுதாயத்திற்கு வழங்கவும் பங்கெடுத்துக் கொண்ட கலைஞர்கள்-சகோதர சகோதரிகளை நான் மிகவும் பாராட்டுகிறேன். பாய் ஜி தனது கதைசொல்லல் மூலம் தனது ஞானத்தால் நம்மை தொடர்ந்து அறிவூட்டுவார் என்று நான் நம்புகிறேன். எத்தனை முறை நன்றி தெரிவித்தாலும் அது போதாது.
 

|

இந்தப் புனிதமான நிகழ்வின் ஒரு பகுதியாக இருக்க என்னை அனுமதித்த மஹந்த் ஸ்ரீ ராம் பாபு ஜி மற்றும் பவாலியாலி தாம் நிர்வாகிகளுக்கு நான் மனப்பூர்வமாக நன்றி கூறுகிறேன். இருப்பினும், இந்த நல்ல நாளில் உங்கள் அனைவருடனும் என்னால் இருக்க முடியாது என்பதால், நான் மன்னிப்பு கேட்க வேண்டும். உங்கள் அனைவருக்கும் என் மீது சம உரிமை உண்டு என்பதை நான் அறிவேன். ஆனால் எதிர்காலத்தில் நான் அந்த இடத்திற்குச் செல்லும் போதெல்லாம், நான் நிச்சயமாக  தலை வணங்கி வருவேன் என்று உறுதியளிக்கிறேன்.
என் அன்பான குடும்ப உறுப்பினர்களே,
பர்வாத் சமூகத்துடனும் பவாலியாலி தாமுடனும் எனது தொடர்பு நீண்ட தூரம் செல்கிறது. பர்வாட் சமூகத்தின் சேவை மனப்பான்மை, இயற்கையின் மீதான அவர்களின் அன்பு மற்றும் பசு சேவையில் அவர்களின் பக்தி ஆகியவை வார்த்தைகளில் சொல்வது கடினம். 
 மதிப்பிற்குரிய இசு பாபுவின் தன்னலமற்ற சேவையை நான் நேரில் பார்த்திருக்கிறேன். அவருடைய அர்ப்பணிப்பை என் கண்களால் பார்த்திருக்கிறேன். குஜராத்தில் வறட்சி புதிதல்ல. ஒரு காலத்தில் குஜராத்தில் பத்து வருடங்களில் ஏழு வருடங்கள் வறட்சி நிலவியது. குஜராத்தில், "எதையும் செய்யுங்கள், ஆனால் உங்கள் மகளை தண்டுகாவில் (வறட்சியால் பாதிக்கப்பட்ட பகுதி) திருமணம் செய்து கொடுக்காதீர்கள்" என்று கூட கூறப்பட்டது. தண்டுகாவில் அடிக்கடி கடுமையான வறட்சியால் அவதிப்படுவதால் இந்த பழமொழி நிலவியது. தண்டுகா, ரன்பூர் ஆகியவை தண்ணீருக்காக போராடிய இடங்களாகும். அந்த நேரத்தில், மதிப்பிற்குரிய இசு பாபுவின் தன்னலமற்ற சேவை வெளிப்பட்டது. பாதிக்கப்பட்ட மக்களுக்கு அவர் சேவை செய்த விதம் இன்றும் நினைவுகூரப்படுகிறது. நான் மட்டுமல்ல, ஒட்டுமொத்த குஜராத் மாநிலமும் அவருடைய பணியை தெய்வீகமாக கருதுகிறது. அவரது பங்களிப்புகளை மக்கள் பாராட்டுவதை நிறுத்தவில்லை. நாடோடி சமூகங்களுக்குச் சேவை செய்தல், அவர்களின் குழந்தைகளுக்கு கல்வியை உறுதி செய்தல், சுற்றுச்சூழல் காரணங்களுக்காக தன்னை அர்ப்பணித்தல் அல்லது கிர் மாடுகளைப் பராமரிப்பது என எல்லாவற்றிலும் அவரது சேவை அர்ப்பணிப்பைக் காணலாம். அவரது பணி மூலம், நாம் தெளிவுபடுத்த முடியும் தன்னலமற்ற சேவையின் ஆழமான வேரூன்றிய பாரம்பரியத்தைப் பார்க்கவும்.
என் அன்பான குடும்ப உறுப்பினர்களே,
 

|

பர்வாத் சமூகம் கடின உழைப்பிலிருந்தும் தியாகத்திலிருந்தும் ஒருபோதும் பின்வாங்கவில்லை - அவர்கள் எப்போதும் முன்னணியில் உள்ளனர். நான் உங்களிடையே வரும்போதெல்லாம் வெளிப்படையாகப் பேசியது உங்கள் அனைவருக்கும் தெரியும். நான் ஒருமுறை பர்வாத் சமூகத்தினரிடம் சொன்னேன், தடிகளை சுமக்கும் சகாப்தம் முடிந்துவிட்டது - நீங்கள் குச்சிகளை நீண்ட நேரம் சுமந்தீர்கள், ஆனால் இப்போது பேனாவின் யுகம். இன்று, குஜராத்தில் நான் பணியாற்றிய ஆண்டுகளில், பர்வாத் சமூகத்தின் புதிய தலைமுறை இந்த மாற்றத்தை ஏற்றுக்கொண்டது என்பதை நான் பெருமையுடன் சொல்ல வேண்டும். இப்போது குழந்தைகள் படித்து முன்னேறுகிறார்கள். முன்பெல்லாம், "தடியை கீழே போட்டு, பேனாவை எடு" என்று சொல்வேன். இப்போது நான் சொல்கிறேன், "என் மகள்களின் கைகளிலும் கணினி இருக்க வேண்டும்." இந்த மாறிவரும் காலங்களில், நாம் நிறைய சாதிக்க முடியும் - இதுவே நம்மை ஊக்குவிக்கிறது. நமது சமூகம் இயற்கையின் பாதுகாவலர். "அதிதி தேவோ பவ" (விருந்தினரே கடவுள்) என்ற உணர்வை நீங்கள் உண்மையிலேயே உயிர்ப்பித்துள்ளீர்கள். நமது ஆயர் மற்றும் பால்வா சமூகங்களின் மரபுகள் பலருக்குத் தெரியாது. முதியோர் இல்லங்களில் பர்வாத் சமூகத்தைச் சேர்ந்த பெரியவர்களை நீங்கள் காண முடியாது. கூட்டுக் குடும்பங்களின் கருத்தும், பெரியவர்களின் சேவையும் அவர்களின் கலாச்சாரத்தில் கடவுளுக்குச் செய்யும் சேவையாகக் கருதப்படுகிறது. அவர்கள் தங்கள் முதியவர்களை முதியோர் இல்லங்களுக்கு அனுப்புவதில்லை - அவர்கள் அவர்களைக் கவனித்துக்கொள்கிறார்கள். இந்த மதிப்புகளை அடுத்த தலைமுறைக்குக் கடத்துவது ஒரு குறிப்பிடத்தக்க சாதனை. தலைமுறை தலைமுறையாக, பர்வாத் சமூகத்தின் தார்மீக மற்றும் குடும்ப விழுமியங்களை வலுப்படுத்த முயற்சிகள் மேற்கொள்ளப்பட்டுள்ளன.
நவீனத்துவத்தை நோக்கி வேகமாக முன்னேறும் அதே வேளையில், நமது சமூகம் அதன் பாரம்பரியங்களைப் பாதுகாத்து வருவதைக் கண்டு நான் மிகுந்த திருப்தி அடைகிறேன். நாடோடி குடும்பங்களின் குழந்தைகளுக்கு கல்வி மற்றும் விடுதி வசதிகளை செய்து கொடுப்பதும் ஒரு சிறந்த சேவையாகும். நமது சமூகத்தை நவீனத்துவத்துடன் இணைப்பதும், உலகத்துடன் ஒன்றிணைவதற்கான வாய்ப்புகளை உருவாக்குவதும் ஒரு முக்கியமான பொறுப்பாகும். இப்போது, எங்கள் மகள்கள் விளையாட்டிலும் சிறந்து விளங்குவதைப் பார்க்க விரும்புகிறேன். இந்த இலக்கை நோக்கி நாம் உழைக்க வேண்டும். இதுவும் ஒரு சிறந்த சேவை. நான் குஜராத்தில் இருந்தபோது, இளம் பெண்கள் பள்ளிக்குச் செல்வதையும், விளையாட்டுப் போட்டிகளில் பதக்கம் வெல்வதையும் பார்த்தேன். கடவுள் அவர்களுக்கு சிறப்பு பலத்தை அளித்துள்ளார், மேலும் அவர்களின் முன்னேற்றத்திலும் நாம் கவனம் செலுத்த வேண்டும். நாம்  நமது கால்நடைகளை கவனித்துக்கொள்கிறோம் - நமது கால்நடைகள் நோய்வாய்ப்பட்டால், அவற்றின் ஆரோக்கியத்தை உறுதிப்படுத்த முடிந்த அனைத்தையும் செய்கிறோம். இப்போது, நம் குழந்தைகளின் மீது அதே அர்ப்பணிப்பும் அக்கறையும் இருக்க வேண்டும். பவளியலி தாம் கால்நடை வளர்ப்பில் சிறந்து விளங்குகிறது, குறிப்பாக கிர் இன மாடுகளைப் பாதுகாப்பதில், இது ஒட்டுமொத்த தேசத்திற்கும் பெருமை சேர்க்கிறது. இன்று கிர் பசு உலகளவில் போற்றப்படுகிறது.
சகோதர சகோதரிகளே, 
நாம் வேறுபட்டவர்கள் அல்ல; நாம் அனைவரும் தோழர்கள். நாம் ஒரே குடும்பத்தைச் சேர்ந்தவர்கள் என்பதை நான் எப்போதும் உணர்ந்திருக்கிறேன். நான் எப்போதும் ஒரு குடும்ப உறுப்பினராக உங்களிடையே இருக்கிறேன். இன்று, லட்சக்கணக்கான மக்கள் இங்கு பவலியாலி தாமில் திரண்டிருப்பதைப் பார்க்கும்போது, உங்களிடம் ஏதாவது கேட்க எனக்கு உரிமை இருப்பதாக உணர்கிறேன். நான் உங்களிடம் ஒன்றைக் கேட்க விரும்புகிறேன், நீங்கள் என்னை ஒருபோதும் ஏமாற்ற மாட்டீர்கள் என்ற நம்பிக்கையுடன் நான் ஒரு கோரிக்கையை வைக்கிறேன். நாம் இருப்பது போல் இருக்க முடியாது - நாம் ஒரு பெரிய பாய்ச்சலை எடுத்து அடுத்த 25 ஆண்டுகளுக்குள் பாரதத்தை வளர்ந்த தேசமாக மாற்றுவதற்கு உழைக்க வேண்டும். உங்கள் ஆதரவு இல்லாமல், எனது பணி முழுமையடையாமல் இருக்கும். இந்த இலக்கை அடைய ஒட்டுமொத்த சமூகமும் ஒன்றுபட வேண்டும். நான் ஒருமுறை செங்கோட்டையில் இருந்து கூட்டு முயற்சி என்பதை வலியுறுத்தியது உங்களுக்கு நினைவிருக்கலாம். கூட்டு முயற்சி என்பது நமது மிகப்பெரிய பலம்.  வளர்ச்சியடைந்த இந்தியாவை  நோக்கிய முதல் படி நமது கிராமங்களின் வளர்ச்சியில் இருந்து தொடங்குகிறது. இயற்கை மற்றும் கால்நடைகளுக்கு சேவை செய்வது நமது புனிதமான கடமை. இதைக் கருத்தில் கொண்டு, நாம் செய்ய வேண்டிய மற்றொரு முக்கியமான பணி உள்ளது. கால் மற்றும் வாய் நோயை எதிர்த்துப் போராடுவதற்கு மத்திய அரசு முற்றிலும் இலவசத் திட்டத்தை நடத்துகிறது - இந்த நோயை நம் உள்ளூர் மொழியில் குர்பகா-முஹ்பகா என்று அழைக்கிறோம். நமது கால்நடைகளை முழுமையாகப் பாதுகாக்க, வழக்கமான தடுப்பூசிகள் அவசியம். இது ஒரு இரக்கமான செயல், மேலும் இந்தத் தடுப்பூசிகளை அரசு இலவசமாக வழங்குகிறது. நமது சமூகத்தின் அனைத்து கால்நடைகளும் இந்தத் தடுப்பூசியை தவறாமல் பெறுவதை உறுதி செய்ய வேண்டும். அப்போதுதான் பகவான் கிருஷ்ணரின் தொடர்ச்சியான ஆசீர்வாதங்களைப் பெறுவோம், நமது தக்கார்களும் நமக்கு உதவி செய்வார்கள்.
எங்கள் அரசால் எடுக்கப்பட்ட மற்றொரு முக்கியமான முயற்சி கால்நடை வளர்ப்பாளர்களுக்கான நிதி உதவி தொடர்பானது. முன்னதாக, விவசாயிகளுக்கு மட்டுமே கிசான் கிரெடிட் கார்டு வசதி இருந்தது, ஆனால் இப்போது கால்நடை விவசாயிகளுக்கும் கடன் அட்டைகளை அறிமுகப்படுத்தியுள்ளோம். இந்த கிரெடிட் கார்டு மூலம், கால்நடை உரிமையாளர்கள் தங்கள் தொழிலை விரிவுபடுத்த வங்கிகளில் குறைந்த வட்டியில் கடன் பெறலாம். கூடுதலாக, தேசிய கோகுல் இயக்கம்  உள்நாட்டு மாடு இனங்களைப் பாதுகாத்து விரிவுபடுத்தும் செயல்பாட்டில் உள்ளது. உங்களிடம் எனது பணிவான வேண்டுகோள் இதுதான்: நான் தில்லியில் அமர்ந்து இந்த முயற்சிகளில் ஈடுபட்டாலும், நீங்கள் அவற்றைப் பயன்படுத்திக் கொள்ளவில்லை என்றால், என்ன பயன்? இந்தத் திட்டங்களிலிருந்து நீங்கள் பயனடைய வேண்டும். அப்படிச் செய்வதன் மூலம் கோடிக்கணக்கான விலங்குகள் மற்றும் உயிரினங்களின் ஆசிகளைப் பெறுவேன். எனவே, இந்தத் திட்டத்தை முழுமையாகப் பயன்படுத்திக் கொள்ளுமாறு கேட்டுக்கொள்கிறேன்.
இன்னும் ஒரு முக்கியமான விஷயம், நான் முன்பு குறிப்பிட்ட மற்றும் இன்று மீண்டும் சொல்கிறேன், மரம் வளர்ப்பின் முக்கியத்துவம். இந்த ஆண்டு, நான் ஒரு பிரச்சாரத்தைத் தொடங்கினேன், அது உலகம் முழுவதும் பாராட்டப்பட்டது: தாயின் பெயரில் ஒரு மரம்.  உங்கள் தாய் உயிருடன் இருந்தால், அவர் முன்னிலையில் ஒரு மரத்தை நடவும். அவர் இறந்து விட்டால், அவரது நினைவாக ஒரு மரத்தை நடவும், அதன் முன் அவரது புகைப்படத்தை வைக்கவும். பர்வாத் சமூகம் அதன் வலிமையான, நீண்ட காலம் வாழும் பெரியவர்களுக்கு பெயர் பெற்றது-அவர்களில் பலர் 90 முதல் 100 ஆண்டுகள் வரை வாழ்கிறார்கள்-அவர்களுக்கு சேவை செய்வதில் நாங்கள் பெருமை கொள்கிறோம். இனி, நம் தாய்மார்களின் பெயரில் மரங்களை நடுவதில் பெருமை கொள்ள வேண்டும். பூமி அன்னைக்கு நாம் தீங்கு விளைவித்தோம் என்பதை ஒப்புக் கொள்ள வேண்டும் - நாம் தண்ணீரைப் பிரித்தெடுத்தோம், ரசாயனங்களைச் சேர்த்துள்ளோம், அவளுக்கு தாகத்தை விட்டுவிட்டோம், அவளுடைய மண்ணில் கூட விஷம் வைத்தோம். அன்னையின் ஆரோக்கியத்தை மீட்டெடுப்பது நமது பொறுப்பு. இதற்கு கால்நடை உரம் எங்கள் நிலத்திற்கு செல்வம் போன்றது. இது மண்ணை ஊட்டுகிறது மற்றும் பலப்படுத்துகிறது. அதனால் இயற்கை விவசாயம் முக்கியமானது. சொந்த நிலம், வாய்ப்பு உள்ளவர்கள் இயற்கை விவசாயத்தை மேற்கொள்ள வேண்டும். குஜராத் கவர்னர் ஆச்சார்யா ஜி, இயற்கை விவசாயத்தை ஊக்குவிக்க பெரும் முயற்சிகளை மேற்கொண்டு வருகிறார். எனவே, உங்கள் அனைவருக்கும் எனது வேண்டுகோள்: சிறியதோ, பெரியதோ - நிலம் எதுவாக இருந்தாலும், இயற்கை விவசாயத்தை நோக்கி நாம் மாறி, பூமிக்கு சேவை செய்ய வேண்டும்.
அன்பான சகோதர சகோதரிகளே,
மீண்டும் ஒருமுறை, நான் பர்வாத் சமூகத்திற்கு எனது மனமார்ந்த நல்வாழ்த்துக்களைத் தெரிவித்துக் கொள்கிறேன், மேலும் நாக லகா தக்கரின் ஆசீர்வாதம் நம் அனைவரின் மீதும் நிலைத்திருக்க எனது பிரார்த்தனைகளைத் தெரிவித்துக் கொள்கிறேன். பவளியலி தாமுடன் தொடர்புடைய ஒவ்வொரு தனிமனிதனும் செழிப்புடனும் முன்னேற்றத்துடனும் ஆசீர்வதிக்கப்பட வேண்டும் - இது தக்கரின் பாதங்களில் எனது பிரார்த்தனை. நம் மகள்கள் மற்றும் மகன்கள் படித்து முன்னேறுவதையும், நமது சமூகம் வலுவடைவதையும் பார்க்க இதைவிட வேறு என்ன வேண்டும்? இந்த நல்ல சந்தர்ப்பத்தில், பாய் ஜியின் வார்த்தைகளுக்கு மதிப்பளித்து, நமது சமூகம் அதன் பலத்தை தக்க வைத்துக் கொண்டு நவீனத்தை நோக்கி நகர்வதை உறுதிசெய்வதன் மூலம் அவற்றை முன்னெடுத்துச் செல்வோம். நான் உண்மையிலேயே அளவற்ற மகிழ்ச்சியை உணர்ந்தேன். நான் நேரில் வர முடிந்திருந்தால், அது இன்னும் மகிழ்ச்சியாக இருந்திருக்கும்.
ஜெய் தக்கர்!