રમ પૂજ્ય સચ્ચિદાનંદજી મહારાજ, મંત્રીમંડળના મારા સૌ સાથીઓ, સામાજિક ક્રાંતિ કેવી રીતે કરાય એનું ઉત્તમ ઉદાહરણ ગુજરાતમાં જે મિત્રોએ પૂરું પાડ્યું છે એવા મથુરદાસભાઈ તથા એમના સૌ સાથીઓ અને વિશાળ સંખ્યામાં આવેલા સૌ વ્હાલા નાગરિક ભાઈઓ અને બહેનો..!

ડીભર કલ્પના કરો કે સૌરાષ્ટ્ર જલધારા ટ્રસ્ટ દ્વારા ગયા બે દાયકાથી જે લોકહિતનો યજ્ઞ ચાલી રહ્યો છે અને જેમાં સમાજના સૌ નાના-મોટાએ ખૂબ યોગદાન કર્યું છે, એમના શબ્દ પર ભરોસો કરીને આબાલ-વૃદ્ધ સૌ એ દિશામાં ચાલ્યા છે. ઘડીભર કલ્પના કરો કે આ જ સંસ્થા, આ જ એન.જી.ઓ. એ જરા અંગ્રેજી બોલવાવાળું ટોળું જોડે રાખતા હોત, થોડા ફાટ્યા-તૂટ્યા ઝભ્ભા પહેરીને, ખભે થેલો લઈને લટકાવીને ફરતા હોત, સાંજ પડે ફાઇવ સ્ટાર હોટલોમાં પડ્યા રહેતા હોત, વિદેશોમાંથી રૂપિયા લાવતા હોત, માન-મરતબા મેળવવા માટે દુનિયાની બધી સંસ્થાઓ સાથે જાતજાતનાં અને ભાતભાતનાં કામ કર્યાં હોત તો કદાચ આ એન.જી.ઓ. ની દુનિયામાં એવી વાહવાહી ચાલતી હોત, હિંદુસ્તાનનું મીડિયા પણ એમને એવું ઉછાળતું હોત... તમે નર્મદાનો વિરોધ કરો તો દુનિયાનાં છાપાંઓમાં હેડલાઈન બને અને તમે ટી.વી. પર ચોવીસ કલાક ચમકો, પણ નર્મદાને સફળ બનાવવાનું કામ કરો તો તમે ગુનેગાર..! આવી માનસિકતાની વચ્ચે અને દેશ અને દુનિયાના આ ફાઇવસ્ટાર ઍક્ટિવિસ્ટોને હું જાહેરમાં કહું છું કે સાચા અર્થમાં સમાજનું કામ કેમ થાય, દેશ અને દુનિયાનું ભલું કેમ થાય એનો રસ્તો શોધવો હોય તો આ સૌરાષ્ટ્ર જળધારા સમિતિએ જે કામ કર્યું છે ને એના પગલે ચાલવું પડે..! આ આખાયે અવસરને ચૂંથી નાખવા માટે કેટલાંક હિત ધરાવતા તત્વો, સ્થાપિત હિતો, ગયા બે-ચાર દિવસથી જે મેદાનમાં ઊતર્યા છે એમને મારે કહેવું છે કે આ મોદીના કારણે તમને ઘણી તકલીફો પડતી હશે, તમારું ધાર્યું નહીં થતું હોય, તમારે જે ખિસ્સાં ભરવાં છે એમાં હું રૂકાવટ કરતો હોઈશ, એના કારણે તમને મારી સામે વાંધો હશે તો તમને મારા વિરુદ્ધમાં આવતું આખું અઠવાડિયું, એક સપ્તાહ ચલાવવા માટે હું નિમંત્રણ આપું છું, છૂટ આપું છું, પણ કમ સે કમ આ પવિત્ર કામને દાગ લગાવવાનું પાપ ન કરતા..! આપનો વાંધો મારી સામે હોય તો જેટલી બદનામી કરવી હોય એટલી કરો, પણ આ પવિત્ર કામની ઉપર લાંછન લગાવવાનું પાપ જે ચાર-છ દિવસથી કેટલાક લોકોએ ચાલુ કર્યું છે, મહેરબાની કરીને આ પાપ ન કરતા..! આજે સમાજમાં આવા લોકો ક્યાં છે કે જે ઘરે ઘરે ફરીને કહે કે ભાઈ આપણી પણ કંઈક જવાબદારી છે..! ભાઈઓ-બહેનો, જે કામ આ દેશના રાજનેતાઓએ કરવું જોઇએ જે નથી કરી શકતા એ કામ આ સમાજસેવકો કરી રહ્યા છે, આ વિરાટ સંખ્યામાં પધારેલા મારા ભાઈઓ-બહેનો કરી રહ્યા છે..! આપ વિચાર કરો, આ સમાજના લોકોએ આગળ આવીને આ ચેકડેમોનું, જળસિંચનનું અભિયાન ન ચલાવ્યું હોત તો આજે આપણી શું દશા થઈ હોત, મિત્રો..! બચી ગયા, આ પુરૂષાર્થના કારણે બચી ગયા..! અને આપણે બધા તો એવા લોકો છીએ કે જેમણે આપણા જીવતે જીવ આપણે કરેલા પુરૂષાર્થનાં ફળ પણ આપણી સામે જ જોયાં છે અને એટલે આપણે સાચે રસ્તે છીએ એ વિશ્વાસ આપણામાં પેદા થયો છે..!

ભાઈઓ-બહેનો, હવે પરમાત્માને ફરિયાદ કરવા જવા માટે આપણી પાસે કંઈ કારણ નથી..! આપણને બધાને ખબર છે કે એણે આપણને ગુજરાતમાં જન્મ આપ્યો છે. હવે આપણે અહીંયાં ગંગા નથી તો નથી ભાઈ, યમના નથી તો નથી, કૃષ્ણા નથી તો નથી, ગોદાવરી નથી તો નથી... અહીંયાં દોઢસો ઈંચ વરસાદ નથી પડતો તો નથી પડતો, એ હકીકત છે, ભાઈ... આપણા નસીબમાં રણ લખાયું છે એ લખાયું છે, ખારોપાટ દરિયો પડ્યો છે તો પડ્યો છે... એને તો કંઈ આપણે બદલી શકવાના નથી, પણ એટલા માટે માથે હાથ મૂકીને રડે એનું નામ ગુજરાતી નહીં..! કુદરતે જે આપ્યું છે એમાંથી રસ્તો કાઢીને, હિંમત બતાવીને, પત્થર પર પાટું મારીને પાણી કાઢવાની તાકાત બતાવે એનું નામ ગુજરાતી..! અને ગુજરાતી એકલપટ્ટો નથી હોતો. પોતાનું જ સુખ જુવે એ ગુજરાતી નહીં..! આ ગુજરાતીના સ્વભાવમાં છે કે એ આવતી પેઢીનું પણ સુખ જુવે ભાઈઓ..! અને આવતી પેઢીના સુખની ચિંતા કરવાનો આજે શિલાન્યાસ થઈ રહ્યો છે ભાઈઓ, આ કાર્યક્રમ આવનારી પેઢીઓના સુખની ચિંતા કરવાનો શિલાન્યાસ છે..!

ભાઈઓ-બહેનો, યજ્ઞો તો ઘણા જોયા છે. પુણ્ય કમાવા માટે થતા યજ્ઞો જોયા છે, પાપ ધોવા માટે કરાનારા યજ્ઞો પણ જોયા છે, સમાજમાં આબરૂ સુધારવા માટે થતા યજ્ઞો પણ જોયા છે, પણ ભાઈઓ-બહેનો, સમાજનું ભલું થાય એના માટે યજ્ઞ, પવિત્ર અગ્નિની સાક્ષીએ, ઈશ્વરની સાક્ષીએ સમાજ માટે કંઈ કરવાનો સંકલ્પ કરવાનો યજ્ઞ, આ એક અજોડ ઘટના છે, અજોડ ઘટના..! અને જે લોકો હિંદુસ્તાનનું ભવિષ્ય ઉજ્જવળ ઈચ્છે છે એવા સૌને મારી વિનંતી છે કે આ ઘટનાને હિંદુસ્તાનના ખૂણે ખૂણે પહોંચાડજો, આખા દેશના નાગરિકોને પ્રેરણા મળશે, વિશ્વાસ મળશે, એવું ભગીરથ કામ આજે અહીંયાં થયું છે. આટલો મોટો આ મેળાવડો છે, એ રાજ્ય સરકાર પાસે કશું માંગવાનો મેળાવડો નથી, ઉપરથી રાજ્ય સરકારની ચિંતા ઓછી કરવાનો યજ્ઞ છે, ભાઈ..! મને ચોક્કસ લાગે છે મિત્રો, ભલે અહીંયાં 4800 ગામના લોકો આવ્યા છે, પણ સારું થાત કે આપણે ગુજરાતના દરેક તાલુકામાંથી જો પાંચ-પાંચને લઈ આવ્યા હોય તો એ જુવે તો ખરા કે આ સમાજ-યજ્ઞ કેવો ચાલી રહ્યો છે..! આટલું મોટું કામ આપે કર્યું છે..! ગઈકાલે મને ચિંતા હતી કે આચારસંહિતા આવી છે તો મારું શું થશે, મને આ વિરાટના દર્શન કરવાની તક મળશે કે નહીં મળે..! આ ગુજરાતની આવતીકાલની ચિંતા કરવા માટે પરસેવો પાડનાર ભાઈઓ-બહેનોના પરસેવાની સુગંધ લેવાનું મને સૌભાગ્ય મળશે કે નહીં મળે એની મને ચિંતા હતી, પણ ઈશ્વરની કંઇક કૃપા છે, ઇલેક્શન કમિશનને લાગ્યું કે ના, ના, આ પવિત્ર કામ છે, મોદીને જવા દેવા જોઇએ, એટલે મને આવવા દીધો આજે..! એનો અર્થ એ થયો મિત્રો કે કંઈક પવિત્રતા પડી છે આ કામમાં..! રાજકીય સ્વાર્થ હોત, રાજકીય આટાપાટા હોત તો ઇલેક્શન કમિશને પણ આજે મને અહીંયાં ન આવવા દીધો હોત, મને રોકી લીધો હોત. એનો અર્થ જ એ છે ભાઈઓ, કે આ પૂર્ણરૂપે શુદ્ધ અને શુદ્ધરૂપે સામાજિક કામ છે, શુદ્ધરૂપે કુદરતની ચિંતા કરનારું કામ છે, શુદ્ધરૂપે આવતી કાલની પેઢીની ચિંતા કરનારું કામ છે અને એ ભગીરથ કામનાં દર્શન કરવાનું મને સૌભાગ્ય મળ્યું છે..!

ભાઈઓ-બહેનો, હું આપને વિશ્વાસ આપવા માગું છું. સામાન્ય રીતે કોઈ યોજના પાર ન પડવાની હોય તો એને હાથ લગાવવાનો મારો સ્વભાવ જ નથી, એ મને ફાવે જ નહીં..! કોઈને નારાજ થવું હોય થાય, પણ ના થાય એવું હોય તો હું કહી દઉં કે ભાઈ, આમાં નહીં મેળ પડે..! અને કરવા જેવું, થવા જેવું હોય તો જાત ઘસી નાખીને પણ કરવા માટે હંમેશાં કોશિશ કરતો હોઉં છું..! મિત્રો, મનમાં સપનું છે કે ગુજરાતનો ખૂણેખૂણો પાણીદાર બનાવવો છે, સપનું છે કે ગુજરાતનો ખૂણેખૂણો લીલોછમ બનાવવો છે..! અને ભાઈઓ-બહેનો, જ્યારે આવી વિરાટ શક્તિનાં દર્શન કરું છું ત્યારે મારો વિશ્વાસ હજારો ગણો વધી જાય છે. ભરોસો પડે છે કે બધું થઈ શકે છે, એવો ભરોસો પડે છે, મિત્રો..!

ને યાદ છે જ્યારે હું ખેત તલાવડીઓનું અભિયાન ચલાવતો હતો ત્યારે મને ઘણા ખેડૂતો કહેતા કે સાહેબ, હવે અમારી પાસે જમીનો ક્યાં છે, બે-પાંચ વીઘા જમીન હોય અને એમાંથીયે તમે એક ખૂણો બોટી લેવાની વાત કરો, અમે ક્યાંથી ખેત તલાવડી કરીએ..? ખેતી કરીએ કે ખેત તલાવડીઓ કરીએ..? ત્યારે હું એમને સમજાવતો હતો કે ભાઈ, ગરીબમાં ગરીબ માનવી હોય, ઝૂંપડપટ્ટીમાં જિંદગી જીવતો હોય, નાનકડી એક ખોલી હોય, રાત્રે સુઈ જાય તો પગ લાંબા કરવાની જગ્યા ના હોય, તેમ છતાંય એણે એવા નાનકડા ઝૂંપડામાં પણ પાણીનું માટલું મૂકવાની જગ્યા રાખી હોય, રાખી હોયને રાખી જ હોય..! પગ લાંબો ન થાય, પણ પાણીનું માટલું મૂકવાની જગ્યા રાખી હોય કારણકે એના જીવનમાં એ પાણીના મહાત્મયને સમજે છે. એમ ભાઈઓ-બહેનો, આપણે ગમે તેટલા સુખી હોઇએ, સમૃદ્ધ હોઈએ, રૂપિયાની છોળો ઉડતી હોય, બધું જ હોય, પણ આપણે ન ભૂલીએ કે જેમ ગરીબના ઘરમાં પણ પીવાના પાણી માટે માટલાંની જરૂર હોય છે, એમ આ ધરતીમાતાને પણ પીવા માટે પાણીના માટલાંની જરૂર હોય છે, આ તમારા ખેતરના ખૂણે કરેલી ખેત તલાવડી એ ધરતીમાતા માટેનું માટલું છે..! અને ભાઈઓ-બહેનો, ધરતીમાતાને પાણી પીવડાવવાના પૂણ્યકાર્યથી પોતાની માની સેવા કરતાં પણ વધારે આશીર્વાદ મળતા હોય છે અને એટલા માટે આ ખેત તલાવડીના અભિયાનને આપણે તાકાત આપીએ..! અને અઠવાડિયાથી વધારે ટાઈમ નથી જતો, ભાઈ. ખેત તલાવડીનો એક મોટો લાભ તમને ખબર છે..? જ્યારે આ ખેત તલાવડીનું આપણે અભિયાન ઉપાડ્યું, ત્યારે એટલી જ વાત ધ્યાનમાં હતી કે ભાઈ, પાણી રોકાશે અને પંદર-વીસ દિવસ જો વરસાદ ખેંચાઈ ગયો તો તે પાણી જે રોકાણું હશે તે કામમાં આવશે, ખેત તલાવડી હશે તો જમીનમાં જરા અમી રહેશે... આવા બધા વિચારો મનમાં હતા, પણ જ્યારે પ્રયોગ સફળ થયો ત્યારે એક આશ્ચર્યજનક અહેવાલ મારી સામે આવ્યો, ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લાની જમીન, જેવો વરસાદ પડે અને પાણી નીચે ઉતરે એટલે ખારાશ ઉપર આવે, ખારાશ ઉપર આવે એટલે જમીનની જે ઉપરની પરત હોય છે એ લગભગ ખારાશવાળી થઈ જાય અને એના કારણે પાકના ઉત્પાદનમાં મોટામાં મોટું નુકશાન થાય..! ખેત તલાવડી બનાવવાના કારણે થયું એવું કે ખેતરમાં પાણી પડ્યા પછી ઉતરવાને બદલે એ પાણી રગડીને પેલા ખાબોચિયાં, તળાવ, ખેત તલાવડીમાં જવા માંડ્યું, એ જવા માંડ્યું તો જોડે જોડે ખારી પરત પણ લઈ ગયું અને એના કારણે કલ્પના બહારનો જમીનમાં સુધારો થયો. આ કલ્પના બહારનો જમીનમાં જે સુધારો થયો એણે પેલી નાનકડી ખેત તલાવડીમાં જે જમીન રોકાણી હતી એના કરતાં ઉત્પાદનમાં દસ ગણો વધારો કરી આપ્યો. આ સીધેસીધો ફાયદો જોવા મળ્યો..! અને તેથી ભાઈઓ-બહેનો, જેમ ખેતીના રક્ષણ માટે વાડ કરવા માટે આપણે કાળજી લઈએ છીએ, જેમ ખેતીના રક્ષણ માટે સમય સમય પર આપણે જમીનની કાળજી લઈએ છીએ, એવી જ રીતે દર વર્ષે ખેત તલાવડી સરખી કરવી, પાણીના ઓવારા સરખા કરવાનું પુણ્ય કામ કરીએ તો આપણે ન કલ્પ્યું હોય એટલો ફાયદો થવાનો છે..!

ભાઈઓ-બહેનો, કલ્પસરની યોજના..! મારે આજે આનંદ અને ગર્વ સાથે કહેવું છે કે લગભગ 80% ફીઝિબિલિટી રિપૉર્ટનું કામ આપણે પૂર્ણ કરી દીધું છે. અને કલ્પસર યોજનામાં એક મહત્વનો ભાગ છે કે જે નર્મદાનું પાણી સરદાર સરોવર ડૅમમાંથી છલકાઈને નીકળ્યા પછી દરિયામાં જાય છે, તો ભરૂચ પાસે ભાડભૂતમાં આ નર્મદાનું પાણી આપણે રોકવા માંગીએ છીએ. લગભગ 4000 કરોડ રૂપિયાના ખર્ચે ભાડભૂતનો બૅરેજ બનાવીશું અને સરદાર સરોવર ડૅમથી લઈને દરિયા સુધીનો આખો પટ્ટો પાણીથી ભરાશે અને પછી એમાંથી એક કૅનાલ કલ્પસર તરફ જશે. એટલે આખી નર્મદાનું વધારાનું પાણી કલ્પસરમાં ઠલવાય એના માટેનું એક ભગીરથ કામ અને એનો એક ભાગ એટલે ભાડભૂતનો બૅરેજ..! 4000 કરોડ રૂપિયાના કામનું ટેન્ડર લગભગ થોડા દિવસમાં નીકળી જવાનું છે, એનો અર્થ એ કે કલ્પસરના કામની શુભ શરૂઆતનાં મંડાણ થઈ જવાનાં છે..! એક વાત નક્કી છે કે આવનારા સો વર્ષના ગુજરાતના પાણીના પ્રશ્નનો નિકાલ કરવાની તાકાત આ કલ્પસરની યોજનામાં છે, અને એને માટે આપણે કામે લાગ્યા છીએ..!

ભાઈઓ-બહેનો, આપ વિચાર કરો, ‘સૌની યોજના’ દ્વારા 115 જેટલાં જળાશયો, તળાવો, નાળાંઓ, આ બધું ભરાવાનું છે. ઈશ્વર ઘણીવાર આફત લાવે છે, પણ આફતને અવસરમાં પણ પલટી શકાય છે..! ‘સૌની યોજના’ ને સફળ કરવા માટે કુદરતે કદાચ આ વખતે આપણી કસોટી કરી છે એવું મને લાગે છે. તકલીફ તો પડી છે..! બાર વર્ષથી આપણે એ.સી. માં રહ્યા હોઇએ અને અચાનક વીજળી જતી રહે તો કેવી તકલીફ પડે, એમ બાર વર્ષથી પાણીમાં ધબાકા માર્યા છે અને એમાં અચાનક પાણી ગયું એટલે તકલીફ તો થાય જ..! પણ તેમ છતાંય, આ આફતને અવસરમાં પલટવા માટે આપણે એક મોટું કામ કર્યું છે કે જેટલાં જળાશયો છે, સેંકડો કરોડો રૂપિયા ખર્ચીને એ જળાશયો, બંધ બન્યા હતા, પણ એના પછી ક્યારેય એમાં ડિસિલ્ટીંગનું કામ નહોતું થયું, જે કાંપ ભરાયો હતો એ કાંપ ઓછો કરવાનું કામ થયું ન હતું, તેથી આ બધા ડૅમ લગભગ ભરાઈ ગયા હતા. આપણે આ પાણીના અભાવને અવસરમાં પલટીને બધી જ જગ્યાએથી આ બધા જ જળાશયો ઊંડા કરવાનું કામ ઉપાડ્યું છે. એના કારણે આજે આપણી જળાશયોની જે સંગ્રહશક્તિ છે એ ખાલી અને ઊંડા કરવાને કારણે લગભગ ડબલ થઈ જવાની છે અને જ્યારે ‘સૌની યોજના’ નું પાણી આવશે ત્યારે આપણે ધારીએ છીએ એના કરતાં સંગ્રહશક્તિ ડબલ કરવાની દિશામાં આપણે સફળ થઈશું..! અને કદાચ પાણી આવ્યું હોત, વરસાદ પૂરતો પડ્યો હોત, તો કદાચ આ ડૅમ ઊંડા કરવાનું કામ રહી ગયું હોત. તો ઈશ્વરે પૂર્વ તૈયારી કરાવી હોય એમ મને લાગે છે અને એનો અર્થ કે ઈશ્વરની પણ ઈચ્છા છે કે ભાઈ, આ તમે બધાં જે કામ ઉપાડ્યાં છે, તેના માટે હું તમને મદદ કરું. અને આપણે ઈશ્વરે જે પરિસ્થિતિ પેદા કરી છે એને અવસરમાં પલટીને આજે કરોડો કરોડો ટન કાંપ અને માટી આ આપણા જળાશયોમાંથી બહાર કાઢીએ છીએ અને જૂન મહિનો આવતાં સુધીમાં તો આ બધું કામ પૂરું કરવાની નેમ સાથે યુદ્ધના ધોરણે કામ ઉપાડ્યું છે..!

મારી આપ સૌની પાસે એક બીજી મદદની વિનંતી છે. આપણે પણ ગામમાં બે કે ચાર દિવસ જો શ્રમ કાર્ય ઉપાડીએ, વધારે નહીં, બે કે ચાર દિવસ... તો બે કે ચાર દિવસમાં જ આપણા ગામ આસપાસના જે બાર, પંદર, પચીસ ચેકડૅમ છે, એની જો માટી અને કાંપ કાઢી કાઢીને ખેતરોમાં લઈ જઈએ, તો આપના ખેતરને પણ લાભ થશે, અને સરકાર મફતમાં આ કાંપ લઈ જવાની છૂટ આપે છે, કોઈ તમને પૂછશે નહીં અને જો આપણે આ કાંપ લઈ જઈએ તો આપણા ખેતરને પણ લાભ થશે અને આ આપણા ચેકડૅમોમાં પણ કાંપ ભરાઈ જવાના કારણે જે પાણી ઓછું ભરાય છે, એ પણ ખુલ્લા થઈ જશે. આપણે આ બે-ચાર દિવસનું એક અભિયાન, નાગરિક અભિયાન ઉપાડીએ અને ચેકડૅમની પણ સંગ્રહશક્તિ વધે એના માટેનું જો કામ ઉપાડીશું તો મને ખાત્રી છે ભાઈઓ-બહેનો, કે આ ‘સૌની યોજના’ ને સાચા અર્થમાં પરિણામકારી યોજના બનાવવામાં આપણે યશસ્વી થઈશું..! ભાઈઓ-બહેનો, જળસંચયનું જેમ કામ છે એમ એક વાત નક્કી છે મિત્રો, હવે આખે આખું નવું ગુજરાત સૌરાષ્ટ્રના દરિયાકિનારે ઊભું થવાનું છે, આખું નવું ગુજરાત સૌરાષ્ટ્રના દરિયાકિનારે આકાર લેવાનું છે. પાંચ-પચીસ-પચાસ વર્ષે આખું નવું ગુજરાત તમે જોશો. ત્યારે પાણીની કેટલી બધી જરૂરિયાત ઊભી થશે એનો અંદાજ કરી શકો છો. અને એટલા માટે આપણે દરિયાનું પાણી મીઠું કરવા માટેનું એક મોટું અભિયાન ઉપાડ્યું છે. વિશ્વની પ્રસિદ્ધ કંપનીઓની સાથે કરાર કર્યા છે અને દરિયાનું પાણી મીઠું કરીને દરિયાકિનારે જે નવાં શહેરો બનવાનાં છે એના માટે પાણીનો ઉત્તમ પ્રબંધ થાય એના માટે ધ્યાન કેન્દ્રિત કર્યું છે. બીજું આપણે ધ્યાન કેન્દ્રિત કર્યું છે, ગુજરાતની અંદર 50 નાના-મોટાં નગર એવાં પકડ્યાં છે, જે 50 નગરોમાં સૉલિડ વેસ્ટ મૅનેજમૅન્ટ કરીને, પાણીને રીસાઇકલ કરીને, ગટરના પાણીનું શુદ્ધિકરણ કરીને એ પાણી એ નગરની આસપાસના ગામડાંના ખેડૂતોને મળે. એ પાણી સાચા અર્થમાં ખેતી માટે ઉપકારક હોય છે. ગટરનું પાણી વહી જાય છે, એ પાણીને બચાવવા માટે પણ અરબો-ખરબો રૂપિયા ખર્ચવાના અભિયાન સાથે આપણે કામ કરી રહ્યા છીએ..! દરિયાનું પાણી, ગટરનું પાણી, વરસાદનું પાણી, નદીઓનું પાણી, પાણી માત્રનો બગાડ ન થાય, એનો સંચય થાય, એવા એક હોલિસ્ટિક ઍપ્રોચ સાથે આપણે કામ કરી રહ્યા છીએ.

જેમ જળ-સંચય માટે કામ કરી રહ્યા છીએ, એમ જળ-સિંચન માટે પણ કામ કરી રહ્યા છીએ. પાણી ટપક સિંચાઈથી વપરાય, અને આપણે જોયું છે કે બનાસકાંઠા, જ્યાં ધૂળની ડમરીઓ ઊડતી હતી, ત્યાંના ખેડૂતો પાણી વગર વલખાં મારતા હતા. આજે એ લોકો ટપક સિંચાઈમાં ગયા અને ભાઈઓ-બહેનો, મારે કહેવું છે, આજે દુનિયાની અંદર એકર દીઠ હાઇએસ્ટ બટાકા પેદા કરવાનું ઈનામ જો કોઈને મળતું હોય, તો બનાસકાંઠાના ખેડૂતોને મળે છે..! એકર દીઠ વધુમાં વધુ બટાકા દુનિયામાં સૌથી વધારે પેદા કરે છે અને કર્યા છે કઈ રીતે..? ટપક સિંચાઈથી..! અને બીજું, મારી માતાઓ-બહેનોને વિનંતી છે કે તમે તો ઘરમાં નક્કી કરો કે ટપક સિંચાઈ નહીં લાવો તો રસોઈ નહીં બને. કારણ..? આજે ખેતરમાં નીંદામણનું કામ આ મારી માતાઓ-બહેનોને કરવું પડે છે. એમની કમર તૂટી જાય છે, ચાર-ચાર કલાક વાંકાને વાંકા રહીને ખેતરમાં નીંદામણ કરતા હોય છે. અને ખેડૂતના દરેક કુટુંબમાં માતાઓ-બહેનોએ આ કામ કરવું પડે છે. આ ટપક સિંચાઈ આવે તો આ નીંદામણનું કામ જ ના રહે..! સૌથી પહેલો લાભ મળે મારી માતાઓ-બહેનોને. એમના ચાર-પાંચ કલાક આ કાળી મજૂરીમાંથી બચી જાય તો છોકરાંઓને સંસ્કાર મળે, શિક્ષણ મળે અને કુટુંબ જાજરમાન બની જાય..! આ મારી માતાઓ-બહેનોની મહેનત બચાવવા માટે, આ નીંદામણ કરવાની મુસીબતમાંથી બહાર લાવવા માટે ટપક સિંચાઈ ઉત્તમમાં ઉત્તમ કામ છે. પાક પેદા થાય છે, પાણી બચે છે, મજૂરી બચે છે, સમયગાળોય બચે છે..! ફ્લડ વૉટરથી જે પાક ચાલીસ દિવસમાં થતો હોય, ટપક સિંચાઈથી એ ત્રીસ-બત્રીસ દિવસમાં થઈ જાય છે. અઠવાડિયું વહેલાં થાય છે, આનો લાભ બજારની અંદર મળતો હોય છે. અને ટપક સિંચાઈમાં તમારે કાણી પાઈ ખર્ચવાની નથી, એક લાખ રૂપિયાનો ખર્ચો હોય તો તમારે ખિસ્સામાંથી માત્ર પાંચ હજાર રૂપિયા કાઢવાના છે, બાકીના પૈસા સરકાર આપે છે..! આપણો મંત્ર છે, ‘પર ડ્રૉપ, મૉર ક્રૉપ’..! એક એક ટીપામાંથી સોનું પકવવું છે, આ મંત્ર લઈને આપણે ચાલીએ છીએ અને એમાં આપણે આગળ વધવા માગીએ છીએ..!

ભાઈઓ-બહેનો, સરદાર સરોવર ડૅમ ઉપર દરવાજા મૂકવાના છે. એક-એક દરવાજો છ માળના મકાન જેવડો છે, અને એવા છત્રીસ દરવાજા છે..! આજે કામ શરૂ કરું ને તો પણ પૂરું કરવું હોય તો ત્રણ વર્ષ લાગે, એટલું બધું કામ છે. દરવાજા રૅડી પડ્યા છે, હું પ્રધાનમંત્રીને પંદર વખત મળ્યો છું, આ અમારા રૂપાલાજીના નેતૃત્વમાં અડવાણીજી સહિત અમારા બધા એમ.પી. પ્રધાનમંત્રીને પચીસ વખત મળ્યા છે અને દર વખતે પ્રધાનમંત્રી એમ જ કહે છે, “અચ્છા, અભી નહીં હુઆ હૈ..?”, બોલો, દર વખત એમ જ કહે છે, “અભી નહીં હુઆ હૈ..?” હવે મેં એમને સમજાવ્યું કે સાહેબ, દરવાજા ઊભા કરીએ તોય ત્રણ વર્ષ લાગે છે, અમને ઊભા કરવા દો. તમને પ્રોબ્લેમ હોય તો દરવાજો બંધ નહીં કરીએ, તમે રજા નહીં આપો ત્યાં સુધી પાણી ભેગું નહીં કરીએ, પણ નાખવા તો દો..! તો કહે કે આમાં તો શું વાંધો છે, એ તો હવે કરી શકાય..! હવે આ તમને સમજણ પડે છે ને ભાઈ, દરવાજા બંધ ન કરીએ તો કોઈને તકલીફ પડે, ઊભા કરવામાં કંઈ વાંધો છે..? આ તમને સમજાય છે ને, આ દિલ્હી સરકારવાળાને નથી સમજાતું..! આટલી વાત સમજાતી નથી. કહી કહીને હું થાકી ગયો, સમજાવી-સમજાવીને થાકી ગયો, પણ એ કામ કરવાની પરમિશન આપતા નથી અને આપણું આ કામ બગડી રહ્યું છે..! ભાઈઓ-બહેનો, ખાલી ગુજરાતનું જ નહીં, જો આ દરવાજા નાખીએ અને પાણી ભરાવા માંડે, તો આ મહારાષ્ટ્રમાં જે વીજળીનો પ્રશ્ન છે, અંધારપટ છે ને એ ય દૂર થઈ જાય, કારણકે વીજળી આપણે મહારાષ્ટ્રને આપવાની છે..! આ પાણીમાંથી જે વીજળી થાય એનો મોટો ભાગ મહારાષ્ટ્રને મળવાનો છે, તોયે કરતા નથી બોલો, એમની સરકાર છે મહારાષ્ટ્રમાં..! પડી જ નથી, એમને કશી પડી જ નથી. એ લોકો તો આ ભાણિયા, ભત્રીજા અને કાકા-મામાને સાચવવામાં જ પડી ગયા છે..! કોઈ બાકી નથી, હવે તો ભાણિયા પણ મેદાનમાં આવી ગયા, બોલો..! જેને લૂટવું હોય એ લૂંટો, આ જ કામ કરવું છે, ભાઈ..! અને એટલા માટે ભાઈઓ-બહેનો, ચાહે કલ્પસરની યોજના હોય, ચાહે સરદાર સરોવર ડૅમની યોજના હોય, ચાહે સમુદ્રનું પાણી મીઠું કરવાની યોજના હોય, આપણે એક ભગીરથ કામ ઉપાડ્યું છે..!

કામની સાથે સાથે એક બીજું પણ સપનું છે. સરદાર સરોવર ડૅમ હોય કે ગુજરાતનો ખેડૂત હોય, આઝાદીના આંદોલનમાં ગુજરાતના ખેડૂતને માટે ક્રાંતિના બીજ વાવવાનું કામ સરદાર પટેલે કર્યું હતું. હિંદુસ્તાને જે સરદાર પટેલને હજુ શ્રદ્ધાંજલિ નથી આપી, એવી શ્રદ્ધાંજલિ ગુજરાત અપવા માંગે છે અને એટલા માટે જ્યાં સરદાર સરોવર ડૅમ છે ત્યાં જ દુનિયાનું સૌથી ઊંચામાં ઊંચું સરદાર પટેલનું પૂતળું પણ મારે મૂકવું છે..! દુનિયાના ઊંચામાં ઊંચા સ્ટેચ્યૂ પૈકીનું એક ‘સ્ટેચ્યૂ ઑફ લિબર્ટી’, આ સ્ટેચ્યૂ એના કરતાં પણ ડબલ બનશે..! લગભગ સાંઇઠ માળના મકાન જેટલા ઊંચા સરદાર પટેલ ઊભા હશે અને આખી દુનિયાને રસ્તો બતાવતા હશે..! અને એને પણ મારે આ સરદાર સરોવર યોજના સાથે જોડીને કામ કરવું છે..!

ભાઈઓ-બહેનો, હમણાં બેન ભાષા કેટલા આત્મવિશ્વાસ સાથે બોલતી હતી..! એમાં લાગણી પડી હતી, એક નાનકડી વિનંતી કરે છે આપણને, આપણને બધાને કહે છે કે કમ સે કમ અમને વારસામાં પાણી તો મૂકતા જજો..! અમને વારસામાં ઝાડ, ડાખળાં, પાણી, ફૂલ, પૌધા કંઈક તો આપતા જજો, કંઈક હરિયાળી તો આપતા જજો..! એક દિકરી આપણી પાસે માગે છે, અને ત્યારે એક સમાજ તરીકે આપણું કર્તવ્ય છે, સમાજ તરીકે આપણી જવાબદારી છે. આમાં કોઈ રાજકીય આટાપાટા ન હોય ભાઈ, કોંગ્રેસવાળો હોય એનેય પીવા પાણી જોઇએ અને ભાજપવાળો હોય એનેય પીવા પાણી જોઇએ. આમાં કોઈ રાજકારણ ના હોય..! પાણી એ તો પરમેશ્વરનો પ્રસાદ છે, એ સૌની જરૂરિયાત છે અને સૌની જવાબદારી પણ છે..! ભાઈઓ-બહેનો, આ ‘સૌની યોજના’ ની સફળતાના મૂળમાં આ ક્રાંતિ મોટું કામ કરવાની છે. ભાઈઓ, મારી નજર પહોંચે ત્યાં સુધી માણસો જ માણસો છે. આવા ધોમધખતા તાપમાં કશું લેવાનું ના હોય અને તેમ છતાં આટલો મોટો સમાજ આવનારી પેઢીની ચિંતા-ચર્ચા કરવા ભેગો થાય, ભાઈઓ-બહેનો, આ ઘટના નાની નથી..! દુનિયાના પર્યાવરણવિદોને હું કહું છું, જરા જુઓ આ શું થઈ રહ્યું છે..! આ મારા ગુજરાતનો ગામડાનો ખેડૂત, જેને પર્યાવરણ શબ્દ પણ કદાચ જીવનમાં વાંચવાનો અવસર નથી આવ્યો, એ આજે આવનારી પેઢીઓના પર્યાવરણની ચિંતા કરવા માટે પસીનાથી રેબેઝેબ થઈને અહીંયાં બેઠો છે. ભાઈઓ-બહેનો, આ સમાજની શક્તિ છે, અને આ સમાજની શક્તિ પરિવર્તન લાવે છે. મારી બધા જ રાજકીય પક્ષોને વિનંતી છે, મીડિયાના પણ મિત્રોને વિનંતી છે, કે આમાં સરકારને કોઈ ક્રૅડિટ આપવાની જરૂર નથી, આ સમાજની શક્તિ છે અને આપણે બધા એના ચરણોમાં વંદન કરીએ છીએ. અને તેથી કોઈ આટાપાટા વગર, માત્રને માત્ર પાણી, માત્રને માત્ર ગુજરાતની આવતી કાલ, માત્રને માત્ર ગુજરાતની ભાવિ પેઢીનું ભલું થાય એની મથામણ, એમાં આપણે બધા સહયોગ આપીએ..!

પૂજ્ય સચ્ચિદાનંદ સ્વામી ક્રાંતિકારી વિચારો ધરાવે છે. મને યાદ છે જ્યારે મારી વિરુદ્ધમાં ખેડૂતોનાં આંદોલન ચાલતાં હતાં, વીજળીના મુદ્દે તોફાનો કરતા હતા ત્યારે પૂજ્ય સ્વામી સચ્ચિદાનંદજી મારી પડખે ઊભા હતા અને ખેડૂતોને બોલાવીને કહેતા હતા કે તમે ખોટા રસ્તે છો, આ મોદી કહે છે કે પાણી બચાવો..! મને યાદ છે બરાબર, લડતા હતા મારા માટે થઈને..! અને આજે એમના આશીર્વાદ આ પવિત્ર કામ માટે આપણને મળ્યા છે. મિત્રો, મને પૂરો વિશ્વાસ છે કે આપે નક્કી કર્યું છે ને..? થઈને જ રહેવાનું..! અને હું આપને વિશ્વાસ આપું છું, અમારે પાંચ ડગલાં ચાલવાનું હશે ત્યાં અમે સવા પાંચ ડગલાં ચાલી બતાવીશું પણ ભાઈઓ-બહેનો, આ સમાજની શક્તિથી જ થવાનું છે. અને આ વર્ષે ગામે-ગામ ખેત તલાવડીઓના હિસાબ કરીશું, બોરીબંધ કરીએ, ચેકડૅમને ફરી પાછા જરા તાજા તમતમતા કરીએ, કાંપ-બાંપ ભેગો થયો હોય તો કાઢી નાખીએ... મોટા જળાશયોના કાંપ કાઢવાનું કામ સરકાર કરી રહી છે, મશીનો મૂકી-મૂકીને કામ કર્યું છે. અને એમાંય મારી ખેડૂતોને વિનંતી છે, આ મોટા-મોટા જળાશયોમાંથી અમે જે કાંપ ઉલેચી રહ્યા છી, એ તમે ઉપાડી જાવ. તમારો જ છે, ખેતરોમાં નાખો અને ખેતરોને સમૃધ બનાવો..! ભાઈઓ-બહેનો, આ ધરતી તમારી છે, આ ભાગ્ય તમારું છે, અમે તો નિમિત્ત માત્ર છીએ, જેણે એક જ કામ કરવાનું છે કે આડે નહીં આવવાનું, બસ..! અને અમે આડે ના આવીએ ને એટલે તમારે આડે કશું ન આવે..! અને આટલી મોટી શક્તિ જોઈએ, તો અમનેય તમારી જોડે ચાલવાનું મન થાય, અમનેય તમારી પાછળ-પાછળ આવવાનું મન થાય..! એવાં શક્તિનાં દર્શન કરાવ્યાં છે. સાચા અર્થમાં આ એક પવિત્ર કામ આપે ઉપાડ્યું છે. હું આપને ખૂબ-ખૂબ અભિનંદન આપું છું અને આપને વિશ્વાસ આપું છું કે આપણે જે કામ ઉપાડ્યું છે તે આપણે નિર્ધારીત સમયમાં કરીને રહીશું અને જે પાણી આપણી મુસીબતનું કારણ હતું, તે જ પાણી આપણી પ્રગતિનું પણ કારણ બનશે એવા વિશ્વાસ સાથે આપણે આગળ વધીએ એ જ શુભકામના..! ફરી એકવાર આ કામ કરનાર મિત્રોને લાખ લાખ અભિનંદન આપું છું..!

ય જય ગરવી ગુજરાત..!

ય જય ગરવી ગુજરાત..!

Explore More
78-ാം സ്വാതന്ത്ര്യ ദിനത്തില്‍ ചുവപ്പ് കോട്ടയില്‍ നിന്ന് പ്രധാനമന്ത്രി ശ്രീ നരേന്ദ്ര മോദി നടത്തിയ പ്രസംഗം

ജനപ്രിയ പ്രസംഗങ്ങൾ

78-ാം സ്വാതന്ത്ര്യ ദിനത്തില്‍ ചുവപ്പ് കോട്ടയില്‍ നിന്ന് പ്രധാനമന്ത്രി ശ്രീ നരേന്ദ്ര മോദി നടത്തിയ പ്രസംഗം
India is taking the nuclear energy leap

Media Coverage

India is taking the nuclear energy leap
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Government is running a special campaign for the development of tribal society: PM Modi in Bilaspur, Chhattisgarh
March 30, 2025
QuoteToday, on the auspicious day of Navratri, on the New Year, three lakh poor families of Chhattisgarh are entering their new houses: PM
QuoteGovernment is concerned about providing health facilities and medical treatment for poor tribals: PM
QuoteGovernment is running a special campaign for the development of tribal society: PM

भारत माता की जय!

भारत माता की जय!

भारत माता की जय!

छत्तीसगढ़ महतारी की जय!

रतनपुर वाली माता महामाया की जय!

कर्मा माया की जय! बाबा गुरु घासीदास की जय!

जम्मो संगी-साथी-जहुंरिया,

महतारी-दीदी-बहिनी अउ सियान-जवान,

मन ला जय जोहार !

छत्तीसगढ़ के राज्यपाल श्री रमेन डेका जी, यहां के लोकप्रिय और ऊर्जावान मुख्‍यमंत्री श्री विष्णुदेव साय जी, केंद्रीय मंत्रिमंडल के मेरे साथी मनोहर लाल जी, इसी क्षेत्र के सांसद और केंद्र में मंत्री तोखन साहू जी, छत्तीसगढ़ विधानसभा के स्‍पीकर मेरे परम मित्र रमन सिंह जी, उपमुख्यमंत्री विजय शर्मा जी, अरुण साहू जी, छत्तीसगढ़ सरकार के सभी मंत्री गण, सांसद गण और विधायक गण और दूर-दूर से यहां आए मेरे भाइयों और बहनों!

|

आज से नववर्ष शुरू हो रहा है। आज पहला नवरात्रि है और ये तो माता महामाया की धरती है। छत्तीसगढ़ माता कौशल्या का मायका है। ऐसे में मातृशक्ति के लिए समर्पित इन नौ दिन छत्तीसगढ़ के लिए बहुत ही विशेष रहते हैं और मेरा परम सौभाग्य है कि नवरात्रि के पहले दिन मैं यहां पहुंचा हूं। अभी कुछ दिन पहले भक्त शिरोमणि माता कर्मा के नाम पर डाक टिकट भी जारी हुआ है। मैं आप सभी को इसकी बधाई देता हूं।

साथियों,

नवरात्रि का ये पर्व रामनवमी के उत्सव के साथ संपन्न होगा और छत्तीसगढ़ की तो, यहां की राम भक्ति भी अद्भुत है। हमारा जो रामनामी समाज है, उसने तो पूरा शरीर राम नाम के लिए समर्पित किया है। मैं प्रभु राम के ननिहाल वालों को, आप सभी साथियों को बहुत-बहुत शुभकामनाएं देता हूं। जय श्री राम!

साथियों,

आज के इस पावन दिवस पर मुझे मोहभट्टा स्वयंभू शिवलिंग महादेव के आशीर्वाद से छत्तीसगढ़ के विकास को और गति देने का अवसर मिला है। थोड़ी देर पहले 33 हजार 700 करोड़ रुपये से अधिक की परियोजनाओं का शिलान्यास और लोकार्पण हुआ है। इसमें गरीबों के घर हैं, स्‍कूल हैं, रोड है, रेल है, बिजली है, गैस की पाइप लाइन हैं। यानी ये सारे प्रोजेक्‍ट्स छत्तीसगढ़ के नागरिकों को सुविधा देने वाले हैं। यहां नौजवानों के लिए नए रोजगार बनाने वाले हैं। आप सभी को इन विकास कार्यों के लिए बहुत-बहुत बधाई।

साथियों,

हमारी परंपरा में किसी को भी आश्रय देना एक बहुत बड़ा पुण्य माना जाता है। लेकिन जब किसी के घर का सपना पूरा होता है, तो उससे बड़ा आनंद भला क्‍या हो सकता है। आज नवरात्रि के शुभ दिन, नव वर्ष पर छत्तीसगढ़ के तीन लाख गरीब परिवार अपने नए घर में गृह प्रवेश कर रहे हैं। मुझे अभी यहां तीन लाभार्थियों से मिलने का अवसर मिला और मैं देख रहा था उनके चेहरे पर खुशी नहीं समा रही थी और वो मां तो अपना यहां आनंद रोक ही नहीं पा रही थी। मैं इन सभी परिवारों को, तीन लाख परिवार साथियों, एक नए जीवन के लिए बहुत शुभकामनाएं देता हूं। इन गरीब परिवारों के सिर पर पक्की छत आप सभी की वजह से ही संभव हो पाई है। ये मैं इसलिए कह रहा हूं क्योंकि आपने मोदी की गारंटी पर भरोसा किया। छत्तीसगढ़ के लाखों परिवारों के पक्के घर का सपना पहले की सरकार ने फाइलों में गुमा दिया था और तब हमने गारंटी दी थी, ये सपना हमारी सरकार पूरा करेगी। और इसलिए विष्‍णु देव जी की सरकार बनते ही पहली कैबिनेट में 18 लाख घर बनाने का निर्णय लिया गया। आज उसमें से तीन लाख घर बनकर तैयार हैं। मुझे खुशी इस बात की भी है, इसमें बहुत सारे घर हमारे आदिवासी क्षेत्रों में बने हैं। बस्तर और सरगुजा के अनेक परिवारों को भी अपने पक्के घर मिले हैं। जिन परिवारों की अनेक पीढ़ियों ने झोपड़ियों में बेहाल जीवन बिताया है, उनके लिए ये कितना बड़ा उपहार है, ये हम समझ सकते हैं और जो नहीं समझ सकते हैं, मैं उनको समझाना चाहता हूं। आप अगर रेलवे में या बस में यात्रा कर रहे हैं, जगह नहीं मिल रही है, खड़े-खड़े जा रहे हैं और अगर थोड़ी सी एकाध सीट मिल जाए, आपका आनंद कितना बड़ा रह जाता है, पता है न! एक-दो-तीन घंटे की यात्रा में बैठने की जगह मिल जाए, तो आपकी खुशियां अनेक गुना बढ़ जाती हैं। आप कल्पना कीजिए कि इन परिवारों ने पीढ़ी दर पीढ़ी झोपड़ी में जिंदगी गुजारी। आज जब उनको पक्का घर मिल रहा है, आप कल्‍पना कीजिए, उनकी जीवन की खुशियां कितनी उमंग से भरी होंगी। और जब ये सोचता हूं, ये देखता हूं, मुझे भी नई ऊर्जा मिलती है। देशवासियों के लिए रात-दिन काम करने का मन मजबूत हो जाता है।

|

साथियों,

इन घरों को बनाने के लिए भले ही सरकार ने मदद दी है। लेकिन घर कैसा बनेगा, ये सरकार ने नहीं, हर लाभार्थी ने खुद तय किया है। ये आपके सपनों का घर है और हमारी सरकार सिर्फ चारदीवारी ही नहीं बनाती, इन घरों में रहने वालों की जिंदगी भी बनाती है। इन घरों को Toilet, बिजली, उज्ज्वला की गैस, नल से जल, सभी सुविधाओं से जोड़ने का प्रयास है। यहां मैं देख रहा हूं कि बहुत बड़ी संख्या में माताएं-बहनें आई हैं। ये जो पक्के घर मिले हैं, इनमें से अधिकतर की मालिक हमारी माताएं-बहनें ही हैं। हजारों ऐसी बहनें हैं, जिनके नाम पर पहली बार कोई संपत्ति रजिस्टर हुई है। मेरी माताओं-बहनों, आपके चेहरे की ये खुशी, आपका ये आशीर्वाद, ये मेरी बहुत बड़ी पूंजी है।

साथियों,

जब इतने सारे घर बनते हैं, लाखों की संख्या में घर बनते हैं, तो इससे एक और बड़ा काम होता है। अब आप सोचिए कि ये घर बनाता कौन है, इन घरों में लगने वाला सामान कहां से आता है, ये छुट-पुट का सामान कोई दिल्ली-मुंबई से थोड़ा आता है, जब इतने सारे घर बनते हैं, तो गांव में हमारे राज मिस्त्री, रानी मिस्त्री, श्रमिक साथी, सभी को काम मिलता है और जो सामान आता है, उसका फायदा भी तो स्‍थानीय छोटे-छोटे दुकानदारों को होता है। जो गाड़ी में, ट्रक में सामान लाते हैं, उनको होता है। यानी लाखों घरों ने छत्तीसगढ़ में बहुत सारे लोगों को रोजगार भी दिया है।

साथियों,

भाजपा सरकार, छत्तीसगढ़ के लोगों से किए गए, हर वादे को पूरा कर रही है। और अभी मुख्‍यमंत्री जी बता रहे थे कि पिछले दिनों जो स्‍थानिक स्‍वराज संस्थाओं के चुनाव हुए, त्रिस्‍तीय चुनाव और उसमें भी आपने जिस प्रकार से आशीर्वाद दिए हैं, आज मैं आया हूं, तो इसके लिए भी आभार व्यक्त करता हूं।

साथियों,

यहां बहुत बड़ी संख्या में अलग-अलग योजनाओं के लाभार्थी आए हैं। आप सभी ने अनुभव किया है कि हमारी सरकार कितनी तेज़ी से अपनी गारंटियां पूरी कर रही हैं। छत्तीसगढ़ की बहनों से हमने जो वादा किया था, वो पूरा कर के दिखाया। धान किसानों को 2 साल का बकाया बोनस मिला है, बढ़े हुए MSP पर धान की खरीदी की गई है। इससे लाखों किसान परिवारों को हज़ारों करोड़ रुपए मिले हैं। कांग्रेस की सरकार में यहां भर्ती परीक्षाओं में भी खूब घोटाले हुए, भाजपा सरकार ने भर्ती परीक्षाओं में हुए घोटालों को लेकर जांच बिठाई है। और हमारी सरकार पूरी पारदर्शिता के साथ परीक्षाएं करवा रही है। इन ईमानदार प्रयासों का नतीजा है कि भाजपा पर जनता का भरोसा बढ़ता जा रहा है। विधानसभा और लोकसभा चुनाव के बाद अब निकाय चुनाव में भी यहां भाजपा का परचम लहराया है। छत्तीसगढ़ की जनता भाजपा सरकार के प्रयासों को अपना भरपूर समर्थन दे रही है।

|

साथियों,

छत्तीसगढ़ को राज्य बने 25 साल हो रहे हैं, ये वर्ष छत्तीसगढ़ का रजत जयंती वर्ष है, संयोग से यह साल अटल जी का जन्म शताब्दी वर्ष भी है। छत्तीसगढ़ सरकार, 2025 को अटल निर्माण वर्ष के रूप में मना रही है। हमारा संकल्प है– हमने बनाया है, हम ही संवारेंगे। आज इंफ्रास्ट्रक्चर के जितने भी प्रोजेक्ट्स का शिलान्यास और लोकार्पण हुआ है, वो इसी संकल्प का हिस्सा है।

साथियों,

छत्तीसगढ़ को अलग राज्य इसलिए बनाना पड़ा था, क्योंकि यहां विकास का लाभ नहीं पहुंच पा रहा था। कांग्रेस के राज में यहां विकास का काम नहीं हो पाता था और जो काम होते भी थे, उसमें कांग्रेस वाले घोटाले कर देते थे। कांग्रेस को कभी आपकी चिंता नहीं रही। आपके जीवन की, आपकी सुविधाओं की, आपके बच्चों की चिंता हमने की है। हम विकास की योजनाओं को छत्तीसगढ़ के गांव-गांव तक ले जा रहे हैं। वहां एक बेटी कोई एक पेंटिंग बना के लाई है, बेचारी कब से हाथ ऊपर रख के खड़ी है। मैं जरा security वालों से कहूंगा जरा उस बेटी को, जरा पीछे बेटा नाम-पता लिख देना, मैं आपको चिट्ठी भेजूंगा। जरा इसको कोई collect करके मेरे तक पहुंचा दे। बहुत-बहुत धन्यवाद बेटा, बहुत धन्यवाद। आज आप देखिए, यहां दूर-सूदूर के आदिवासी क्षेत्रों में भी अच्छी स़ड़कें पहुंच रही हैं। कई इलाकों में पहली बार ट्रेन पहुंच रही है, अभी मैंने यहां एक ट्रेन को हरी झंडी दिखाई है। अब यहां कहीं पहली बार बिजली पहुंच रही है, कहीं पाइप से पानी पहली बार पहुंच रहा है, कहीं नया मोबाइल टावर पहली बार लग रहा है। नए स्कूल-कॉलेज-अस्पताल बन रहे हैं। यानि हमारे छत्तीसगढ़ की तस्वीर भी बदल रही है, तकदीर भी बदल रही है।

साथियों,

छत्तीसगढ़ देश के उन राज्यों में शामिल हो गया है, जहां शत-प्रतिशत रेल नेटवर्क बिजली से चलने लगा है। ये बहुत बड़ी उपलब्धि है। छत्तीसगढ़ में इस समय करीब 40 हज़ार करोड़ रुपए के रेल प्रोजेक्ट्स पर काम चल रहा है। इस साल के बजट में भी छत्तीसगढ़ के लिए 7 हज़ार करोड़ रुपए की व्यवस्था की गई है। इससे छत्तीसगढ़ के अनेक क्षेत्रों में अच्छी रेल कनेक्टिविटी की मांग पूरी होगी। इससे आसपास के राज्यों से कनेक्टिविटी भी बेहतर होगी।

|

साथियों,

विकास के लिए बजट के साथ-साथ नेक-नीयत भी ज़रूरी है। अगर कांग्रेस की तरह मन और मस्तिष्क में बेईमानी भरी हो, तो बड़े से बड़े खज़ाने भी खाली हो जाते हैं। यही स्थिति हमने कांग्रेस के शासन के दौरान देखी है। इस कारण, आदिवासी अंचलों तक विकास नहीं पहुंच पाया। हमारे सामने कोयले का उदाहरण है। छत्तीसगढ़ में बहुत बड़ी मात्रा में कोयला है। लेकिन यहां आपको जरूरत भर की बिजली नहीं मिल पाती थी। कांग्रेस के समय में बिजली की हालत खस्ताहाल थी, यहां पर बिजली के कारखानों पर उतना काम ही नहीं किया गया। आज हमारी सरकार यहां नए बिजली कारखाने लगवा रही है।

साथियों,

हम यहां सौर ऊर्जा से बिजली बनाने पर भी बहुत अधिक जोर दे रहे हैं। और मैं आपको एक और बड़ी शानदार योजना के बारे में बताऊंगा। मोदी ने एक ऐसी योजना शुरू की है, जिसमें आपका बिजली बिल जीरो हो जाएगा और घर में बिजली पैदा करके आप कमाई भी कर सकेंगे। इस योजना का नाम है- पीएम सूर्य घर मुफ्त बिजली योजना। इसके लिए हमारी सरकार हर घर को सोलर पैनल लगाने के लिए 70-80 हजार रुपए की मदद दे रही है। यहां छत्तीसगढ़ में भी 2 लाख से ज्यादा परिवारों ने पीएम सूर्य घर मुफ्त बिजली योजना में अपना रजिस्ट्रेशन करा दिया है। आप भी इस योजना से जुड़ेंगे तो आपको बहुत लाभ होगा।

साथियों,

नेक नीयत का एक और उदाहरण, गैस पाइपलाइन भी है। छत्तीसगढ़ समंदर से दूर है। तो यहां तक गैस पहुंचाना इतना आसान नहीं है। पहले जो सरकार थी, उसने गैस पाइपलाइन पर भी जरूरी खर्च नहीं किया। हम इस चुनौती का भी समाधान कर रहे हैं। हमारी सरकार, यहां गैस पाइप लाइनें बिछा रही है। इससे पेट्रोलियम से जुड़े उत्पादों को ट्रकों से ट्रांसपोर्ट करने की मजबूरी कम होगी। ये चीज़ें कम कीमत में आप लोगों को मिलने लगेंगी। गैस पाइपलाइन आने से, यहां CNG से गाड़ियां चल पाएंगी। इसका एक और फायदा होगा। घरों में खाना बनाने की गैस अब पाइप से भी आ पाएगी। जैसे पाइप से पानी आता है किचन में, वैसे ही अब गैस आएगा। हम अभी 2 लाख से ज्यादा घरों में सीधे पाइप से गैस पहुंचाने का लक्ष्य लेकर चल रहे हैं। गैस उपलब्ध होने से यहां छत्तीसगढ़ में नए उद्योग लगाना भी संभव हो पाएगा। यानि बड़ी संख्या में यहीं पर रोजगार बनेंगे।

साथियों,

बीते दशकों में कांग्रेस की नीतियों की वजह से छत्तीसगढ़ सहित देश के अनेक राज्यों में नक्सलवाद को बढ़ावा मिला। देश में जहां-जहां अभाव रहा, जो-जो क्षेत्र विकास से पीछे रहे, वहां-वहां नक्सलवाद फलता-फूलता रहा। लेकिन जिस दल ने 60 साल सरकार चलाई, उसने क्या किया? उसने ऐसे जिलों को पिछड़ा घोषित कर, अपनी जिम्मेदारी से मुंह मोड़ लिया। हमारे नौजवानों की अनेक पीढ़ियां खप गईं। अनेक माताओं ने अपने लाडले खो दिए। अनेक बहनों ने अपना भाई खो दिया।

साथियों,

उस समय की सरकारों की ये उदासीनता, ये आग में घी डालने जैसा था। आपने तो खुद सहा है, देखा है, छत्तीसगढ़ में कितने ही जिलों में सबसे पिछड़े आदिवासी परिवार रहते थे। उनकी कांग्रेस सरकार ने कभी सुध नहीं ली। हमने गरीब आदिवासियों के शौचालय की चिंता की, स्वच्छ भारत अभियान चलाया, हमने गरीब आदिवासियों के इलाज की चिंता की, 5 लाख रुपए तक मुफ्त इलाज देने वाली आयुष्मान भारत योजना चलाई, हमने आपके लिए सस्ती दवा की चिंता की, अस्सी परसेंट छूट देने वाले पीएम जन औषधि केंद्र खोले।

|

साथियों,

जो लोग सामाजिक न्याय पर झूठ बोलते हैं, उन्हीं लोगों ने आदिवासी समाज को भुला रखा था। इसलिए तो मैं कहता हूं, जिसको किसी ने नहीं पूछा, उसको मोदी पूजता है। हम आदिवासी समाज के विकास के लिए भी विशेष अभियान चला रहे हैं। हमने आपके लिए धरती आबा जनजातीय उत्कर्ष अभियान शुरू किया है। इसके तहत करीब 80 हज़ार करोड़ रुपए आदिवासी क्षेत्रों में खर्च किए जा रहे हैं। इससे छत्तीसगढ़ के करीब 7 हज़ार आदिवासी गांवों को फायदा हो रहा है। आप भी जानते हैं कि आदिवासियों में भी अति पिछड़ी आदिवासी जनजातियां होती हैं। पहली बार हमारी सरकार ने ऐसे अति पिछड़े आदिवासियों के लिए पीएम जनमन योजना बनाई है। इसके तहत, छत्तीसगढ़ के 18 जिलों में 2 हज़ार से अधिक बसाहटों में काम किए जा रहा हैं। देशभर में पिछड़ी जनजातियों की बस्तियों में करीब 5 हज़ार किलोमीटर की सड़कें स्वीकृत की गई हैं। इनमें से करीब आधी सड़कें, छत्तीसगढ़ में ही बनाई जानी हैं, यानि ढाई हजार किलोमीटर की सड़कें यहां पीएम जनमन योजना के तहत बनेंगी। आज इस योजना के तहत ही यहां अनेक साथियों को पक्के घर भी मिले हैं।

साथियों,

आज डबल इंजन सरकार में छत्तीसगढ़ की स्थिति तेज़ी से बदल रही है। जब सुकमा जिले के एक स्वास्थ्य केंद्र को राष्ट्रीय गुणवत्ता प्रमाणपत्र मिलता है, तो नया विश्वास जगता है। जब कई सालों बाद दंतेवाड़ा में फिर से स्वास्थ्य केंद्र शुरू होता है, तो नया विश्वास जगता है। ऐसे ही प्रयासों के कारण, नक्सल प्रभावित क्षेत्रों में स्थाई शांति का नया दौर नज़र आ रहा है। अभी दिसंबर में जब मन की बात हुई, तो मैंने बस्तर ओलंपिक की चर्चा की थी। आपने भी वो मन की बात जरूर सुना होगा, बस्तर ओलंपिक में जिस प्रकार हज़ारों नौजवानों ने हिस्सा लिया, वो छत्तीसगढ़ में आ रहे बदलाव का प्रमाण है।

साथियों,

मैं छत्तीसगढ़ के नौजवानों का एक शानदार भविष्य अपनी आंखों के सामने देख रहा हूं। छत्तीसगढ़ जिस प्रकार, नई शिक्षा नीति को लागू कर रहा है, वो बहुत ही शानदार काम हो रहा है। देशभर में 12 हज़ार से अधिक आधुनिक पीएम श्री स्कूल शुरु हो चुके हैं। इनमें से करीब साढ़े तीन सौ, छत्तीसगढ़ में हैं। ये पीएम श्री स्कूल, दूसरे स्कूलों के लिए आदर्श बनेंगे। इससे राज्य की पूरी शिक्षा व्यवस्था का स्तर ऊपर उठेगा। छत्तीसगढ़ में दर्जनों एकलव्य मॉडल स्कूल पहले से ही शानदार काम कर रहे हैं। नक्सल प्रभावित इलाकों में भी अनेक स्कूल फिर से शुरू किए गए हैं। आज छत्तीसगढ़ में विद्या समीक्षा केंद्र की भी शुरुआत हुई है। ये भी देश की शिक्षा व्यवस्था में एक बड़ा कदम है। इससे स्कूलों में शिक्षा का स्तर और अच्छा होगा, क्लास में शिक्षकों की, विद्यार्थियों की रियल टाइम में मदद भी हो पाएगी।

साथियों,

हमने आपसे किया एक और वादा पूरा किया है। नई राष्ट्रीय शिक्षा नीति के तहत, यहां हिंदी में भी मेडिकल और इंजीनियरिंग की पढ़ाई शुरू हो रही है। अब मेरे गांव, गरीब, आदिवासी परिवारों के युवाओं के सपनों को पूरा करने में भाषा कोई बाधा नहीं बनेगी।

|

साथियों,

बीते वर्षों में मेरे मित्र रमन सिंह जी ने जो मजबूत नींव रखी थी, उसे वर्तमान सरकार और सशक्त कर रही है। आने वाले 25 वर्षों में हमें इस नींव पर विकास की एक भव्य इमारत बनानी है। छत्तीसगढ़ संसाधनों से भरपूर है, छत्तीसगढ़ सपनों से भरपूर है, छत्तीसगढ़ सामर्थ्य से भरपूर है। 25 साल बाद, जब हम छत्तीसगढ़ की स्थापना के 50 वर्ष मनाएं, तो छत्तीसगढ़ देश के अग्रणी राज्यों में हो, इस लक्ष्य को हम पाकर के ही रहेंगे। मैं आपको फिर विश्वास दिलाऊंगा, यहां विकास का लाभ, छत्तीसगढ़ के हर परिवार तक पहुंचे, इसके लिए हम कोई कोर कसर बाकी नहीं छोड़ेंगे। एक बार फिर आप सभी को इतने सारे विकास कार्यों के लिए और नव वर्ष के आरंभ में ही बहुत बड़े सपने लेकर के जो यात्रा आरंभ हो रही है, उसके लिए मैं आपको बहुत-बहुत बधाई देता हूं। बहुत-बहुत धन्यवाद!