રમ પૂજ્ય સચ્ચિદાનંદજી મહારાજ, મંત્રીમંડળના મારા સૌ સાથીઓ, સામાજિક ક્રાંતિ કેવી રીતે કરાય એનું ઉત્તમ ઉદાહરણ ગુજરાતમાં જે મિત્રોએ પૂરું પાડ્યું છે એવા મથુરદાસભાઈ તથા એમના સૌ સાથીઓ અને વિશાળ સંખ્યામાં આવેલા સૌ વ્હાલા નાગરિક ભાઈઓ અને બહેનો..!

ડીભર કલ્પના કરો કે સૌરાષ્ટ્ર જલધારા ટ્રસ્ટ દ્વારા ગયા બે દાયકાથી જે લોકહિતનો યજ્ઞ ચાલી રહ્યો છે અને જેમાં સમાજના સૌ નાના-મોટાએ ખૂબ યોગદાન કર્યું છે, એમના શબ્દ પર ભરોસો કરીને આબાલ-વૃદ્ધ સૌ એ દિશામાં ચાલ્યા છે. ઘડીભર કલ્પના કરો કે આ જ સંસ્થા, આ જ એન.જી.ઓ. એ જરા અંગ્રેજી બોલવાવાળું ટોળું જોડે રાખતા હોત, થોડા ફાટ્યા-તૂટ્યા ઝભ્ભા પહેરીને, ખભે થેલો લઈને લટકાવીને ફરતા હોત, સાંજ પડે ફાઇવ સ્ટાર હોટલોમાં પડ્યા રહેતા હોત, વિદેશોમાંથી રૂપિયા લાવતા હોત, માન-મરતબા મેળવવા માટે દુનિયાની બધી સંસ્થાઓ સાથે જાતજાતનાં અને ભાતભાતનાં કામ કર્યાં હોત તો કદાચ આ એન.જી.ઓ. ની દુનિયામાં એવી વાહવાહી ચાલતી હોત, હિંદુસ્તાનનું મીડિયા પણ એમને એવું ઉછાળતું હોત... તમે નર્મદાનો વિરોધ કરો તો દુનિયાનાં છાપાંઓમાં હેડલાઈન બને અને તમે ટી.વી. પર ચોવીસ કલાક ચમકો, પણ નર્મદાને સફળ બનાવવાનું કામ કરો તો તમે ગુનેગાર..! આવી માનસિકતાની વચ્ચે અને દેશ અને દુનિયાના આ ફાઇવસ્ટાર ઍક્ટિવિસ્ટોને હું જાહેરમાં કહું છું કે સાચા અર્થમાં સમાજનું કામ કેમ થાય, દેશ અને દુનિયાનું ભલું કેમ થાય એનો રસ્તો શોધવો હોય તો આ સૌરાષ્ટ્ર જળધારા સમિતિએ જે કામ કર્યું છે ને એના પગલે ચાલવું પડે..! આ આખાયે અવસરને ચૂંથી નાખવા માટે કેટલાંક હિત ધરાવતા તત્વો, સ્થાપિત હિતો, ગયા બે-ચાર દિવસથી જે મેદાનમાં ઊતર્યા છે એમને મારે કહેવું છે કે આ મોદીના કારણે તમને ઘણી તકલીફો પડતી હશે, તમારું ધાર્યું નહીં થતું હોય, તમારે જે ખિસ્સાં ભરવાં છે એમાં હું રૂકાવટ કરતો હોઈશ, એના કારણે તમને મારી સામે વાંધો હશે તો તમને મારા વિરુદ્ધમાં આવતું આખું અઠવાડિયું, એક સપ્તાહ ચલાવવા માટે હું નિમંત્રણ આપું છું, છૂટ આપું છું, પણ કમ સે કમ આ પવિત્ર કામને દાગ લગાવવાનું પાપ ન કરતા..! આપનો વાંધો મારી સામે હોય તો જેટલી બદનામી કરવી હોય એટલી કરો, પણ આ પવિત્ર કામની ઉપર લાંછન લગાવવાનું પાપ જે ચાર-છ દિવસથી કેટલાક લોકોએ ચાલુ કર્યું છે, મહેરબાની કરીને આ પાપ ન કરતા..! આજે સમાજમાં આવા લોકો ક્યાં છે કે જે ઘરે ઘરે ફરીને કહે કે ભાઈ આપણી પણ કંઈક જવાબદારી છે..! ભાઈઓ-બહેનો, જે કામ આ દેશના રાજનેતાઓએ કરવું જોઇએ જે નથી કરી શકતા એ કામ આ સમાજસેવકો કરી રહ્યા છે, આ વિરાટ સંખ્યામાં પધારેલા મારા ભાઈઓ-બહેનો કરી રહ્યા છે..! આપ વિચાર કરો, આ સમાજના લોકોએ આગળ આવીને આ ચેકડેમોનું, જળસિંચનનું અભિયાન ન ચલાવ્યું હોત તો આજે આપણી શું દશા થઈ હોત, મિત્રો..! બચી ગયા, આ પુરૂષાર્થના કારણે બચી ગયા..! અને આપણે બધા તો એવા લોકો છીએ કે જેમણે આપણા જીવતે જીવ આપણે કરેલા પુરૂષાર્થનાં ફળ પણ આપણી સામે જ જોયાં છે અને એટલે આપણે સાચે રસ્તે છીએ એ વિશ્વાસ આપણામાં પેદા થયો છે..!

ભાઈઓ-બહેનો, હવે પરમાત્માને ફરિયાદ કરવા જવા માટે આપણી પાસે કંઈ કારણ નથી..! આપણને બધાને ખબર છે કે એણે આપણને ગુજરાતમાં જન્મ આપ્યો છે. હવે આપણે અહીંયાં ગંગા નથી તો નથી ભાઈ, યમના નથી તો નથી, કૃષ્ણા નથી તો નથી, ગોદાવરી નથી તો નથી... અહીંયાં દોઢસો ઈંચ વરસાદ નથી પડતો તો નથી પડતો, એ હકીકત છે, ભાઈ... આપણા નસીબમાં રણ લખાયું છે એ લખાયું છે, ખારોપાટ દરિયો પડ્યો છે તો પડ્યો છે... એને તો કંઈ આપણે બદલી શકવાના નથી, પણ એટલા માટે માથે હાથ મૂકીને રડે એનું નામ ગુજરાતી નહીં..! કુદરતે જે આપ્યું છે એમાંથી રસ્તો કાઢીને, હિંમત બતાવીને, પત્થર પર પાટું મારીને પાણી કાઢવાની તાકાત બતાવે એનું નામ ગુજરાતી..! અને ગુજરાતી એકલપટ્ટો નથી હોતો. પોતાનું જ સુખ જુવે એ ગુજરાતી નહીં..! આ ગુજરાતીના સ્વભાવમાં છે કે એ આવતી પેઢીનું પણ સુખ જુવે ભાઈઓ..! અને આવતી પેઢીના સુખની ચિંતા કરવાનો આજે શિલાન્યાસ થઈ રહ્યો છે ભાઈઓ, આ કાર્યક્રમ આવનારી પેઢીઓના સુખની ચિંતા કરવાનો શિલાન્યાસ છે..!

ભાઈઓ-બહેનો, યજ્ઞો તો ઘણા જોયા છે. પુણ્ય કમાવા માટે થતા યજ્ઞો જોયા છે, પાપ ધોવા માટે કરાનારા યજ્ઞો પણ જોયા છે, સમાજમાં આબરૂ સુધારવા માટે થતા યજ્ઞો પણ જોયા છે, પણ ભાઈઓ-બહેનો, સમાજનું ભલું થાય એના માટે યજ્ઞ, પવિત્ર અગ્નિની સાક્ષીએ, ઈશ્વરની સાક્ષીએ સમાજ માટે કંઈ કરવાનો સંકલ્પ કરવાનો યજ્ઞ, આ એક અજોડ ઘટના છે, અજોડ ઘટના..! અને જે લોકો હિંદુસ્તાનનું ભવિષ્ય ઉજ્જવળ ઈચ્છે છે એવા સૌને મારી વિનંતી છે કે આ ઘટનાને હિંદુસ્તાનના ખૂણે ખૂણે પહોંચાડજો, આખા દેશના નાગરિકોને પ્રેરણા મળશે, વિશ્વાસ મળશે, એવું ભગીરથ કામ આજે અહીંયાં થયું છે. આટલો મોટો આ મેળાવડો છે, એ રાજ્ય સરકાર પાસે કશું માંગવાનો મેળાવડો નથી, ઉપરથી રાજ્ય સરકારની ચિંતા ઓછી કરવાનો યજ્ઞ છે, ભાઈ..! મને ચોક્કસ લાગે છે મિત્રો, ભલે અહીંયાં 4800 ગામના લોકો આવ્યા છે, પણ સારું થાત કે આપણે ગુજરાતના દરેક તાલુકામાંથી જો પાંચ-પાંચને લઈ આવ્યા હોય તો એ જુવે તો ખરા કે આ સમાજ-યજ્ઞ કેવો ચાલી રહ્યો છે..! આટલું મોટું કામ આપે કર્યું છે..! ગઈકાલે મને ચિંતા હતી કે આચારસંહિતા આવી છે તો મારું શું થશે, મને આ વિરાટના દર્શન કરવાની તક મળશે કે નહીં મળે..! આ ગુજરાતની આવતીકાલની ચિંતા કરવા માટે પરસેવો પાડનાર ભાઈઓ-બહેનોના પરસેવાની સુગંધ લેવાનું મને સૌભાગ્ય મળશે કે નહીં મળે એની મને ચિંતા હતી, પણ ઈશ્વરની કંઇક કૃપા છે, ઇલેક્શન કમિશનને લાગ્યું કે ના, ના, આ પવિત્ર કામ છે, મોદીને જવા દેવા જોઇએ, એટલે મને આવવા દીધો આજે..! એનો અર્થ એ થયો મિત્રો કે કંઈક પવિત્રતા પડી છે આ કામમાં..! રાજકીય સ્વાર્થ હોત, રાજકીય આટાપાટા હોત તો ઇલેક્શન કમિશને પણ આજે મને અહીંયાં ન આવવા દીધો હોત, મને રોકી લીધો હોત. એનો અર્થ જ એ છે ભાઈઓ, કે આ પૂર્ણરૂપે શુદ્ધ અને શુદ્ધરૂપે સામાજિક કામ છે, શુદ્ધરૂપે કુદરતની ચિંતા કરનારું કામ છે, શુદ્ધરૂપે આવતી કાલની પેઢીની ચિંતા કરનારું કામ છે અને એ ભગીરથ કામનાં દર્શન કરવાનું મને સૌભાગ્ય મળ્યું છે..!

ભાઈઓ-બહેનો, હું આપને વિશ્વાસ આપવા માગું છું. સામાન્ય રીતે કોઈ યોજના પાર ન પડવાની હોય તો એને હાથ લગાવવાનો મારો સ્વભાવ જ નથી, એ મને ફાવે જ નહીં..! કોઈને નારાજ થવું હોય થાય, પણ ના થાય એવું હોય તો હું કહી દઉં કે ભાઈ, આમાં નહીં મેળ પડે..! અને કરવા જેવું, થવા જેવું હોય તો જાત ઘસી નાખીને પણ કરવા માટે હંમેશાં કોશિશ કરતો હોઉં છું..! મિત્રો, મનમાં સપનું છે કે ગુજરાતનો ખૂણેખૂણો પાણીદાર બનાવવો છે, સપનું છે કે ગુજરાતનો ખૂણેખૂણો લીલોછમ બનાવવો છે..! અને ભાઈઓ-બહેનો, જ્યારે આવી વિરાટ શક્તિનાં દર્શન કરું છું ત્યારે મારો વિશ્વાસ હજારો ગણો વધી જાય છે. ભરોસો પડે છે કે બધું થઈ શકે છે, એવો ભરોસો પડે છે, મિત્રો..!

ને યાદ છે જ્યારે હું ખેત તલાવડીઓનું અભિયાન ચલાવતો હતો ત્યારે મને ઘણા ખેડૂતો કહેતા કે સાહેબ, હવે અમારી પાસે જમીનો ક્યાં છે, બે-પાંચ વીઘા જમીન હોય અને એમાંથીયે તમે એક ખૂણો બોટી લેવાની વાત કરો, અમે ક્યાંથી ખેત તલાવડી કરીએ..? ખેતી કરીએ કે ખેત તલાવડીઓ કરીએ..? ત્યારે હું એમને સમજાવતો હતો કે ભાઈ, ગરીબમાં ગરીબ માનવી હોય, ઝૂંપડપટ્ટીમાં જિંદગી જીવતો હોય, નાનકડી એક ખોલી હોય, રાત્રે સુઈ જાય તો પગ લાંબા કરવાની જગ્યા ના હોય, તેમ છતાંય એણે એવા નાનકડા ઝૂંપડામાં પણ પાણીનું માટલું મૂકવાની જગ્યા રાખી હોય, રાખી હોયને રાખી જ હોય..! પગ લાંબો ન થાય, પણ પાણીનું માટલું મૂકવાની જગ્યા રાખી હોય કારણકે એના જીવનમાં એ પાણીના મહાત્મયને સમજે છે. એમ ભાઈઓ-બહેનો, આપણે ગમે તેટલા સુખી હોઇએ, સમૃદ્ધ હોઈએ, રૂપિયાની છોળો ઉડતી હોય, બધું જ હોય, પણ આપણે ન ભૂલીએ કે જેમ ગરીબના ઘરમાં પણ પીવાના પાણી માટે માટલાંની જરૂર હોય છે, એમ આ ધરતીમાતાને પણ પીવા માટે પાણીના માટલાંની જરૂર હોય છે, આ તમારા ખેતરના ખૂણે કરેલી ખેત તલાવડી એ ધરતીમાતા માટેનું માટલું છે..! અને ભાઈઓ-બહેનો, ધરતીમાતાને પાણી પીવડાવવાના પૂણ્યકાર્યથી પોતાની માની સેવા કરતાં પણ વધારે આશીર્વાદ મળતા હોય છે અને એટલા માટે આ ખેત તલાવડીના અભિયાનને આપણે તાકાત આપીએ..! અને અઠવાડિયાથી વધારે ટાઈમ નથી જતો, ભાઈ. ખેત તલાવડીનો એક મોટો લાભ તમને ખબર છે..? જ્યારે આ ખેત તલાવડીનું આપણે અભિયાન ઉપાડ્યું, ત્યારે એટલી જ વાત ધ્યાનમાં હતી કે ભાઈ, પાણી રોકાશે અને પંદર-વીસ દિવસ જો વરસાદ ખેંચાઈ ગયો તો તે પાણી જે રોકાણું હશે તે કામમાં આવશે, ખેત તલાવડી હશે તો જમીનમાં જરા અમી રહેશે... આવા બધા વિચારો મનમાં હતા, પણ જ્યારે પ્રયોગ સફળ થયો ત્યારે એક આશ્ચર્યજનક અહેવાલ મારી સામે આવ્યો, ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લાની જમીન, જેવો વરસાદ પડે અને પાણી નીચે ઉતરે એટલે ખારાશ ઉપર આવે, ખારાશ ઉપર આવે એટલે જમીનની જે ઉપરની પરત હોય છે એ લગભગ ખારાશવાળી થઈ જાય અને એના કારણે પાકના ઉત્પાદનમાં મોટામાં મોટું નુકશાન થાય..! ખેત તલાવડી બનાવવાના કારણે થયું એવું કે ખેતરમાં પાણી પડ્યા પછી ઉતરવાને બદલે એ પાણી રગડીને પેલા ખાબોચિયાં, તળાવ, ખેત તલાવડીમાં જવા માંડ્યું, એ જવા માંડ્યું તો જોડે જોડે ખારી પરત પણ લઈ ગયું અને એના કારણે કલ્પના બહારનો જમીનમાં સુધારો થયો. આ કલ્પના બહારનો જમીનમાં જે સુધારો થયો એણે પેલી નાનકડી ખેત તલાવડીમાં જે જમીન રોકાણી હતી એના કરતાં ઉત્પાદનમાં દસ ગણો વધારો કરી આપ્યો. આ સીધેસીધો ફાયદો જોવા મળ્યો..! અને તેથી ભાઈઓ-બહેનો, જેમ ખેતીના રક્ષણ માટે વાડ કરવા માટે આપણે કાળજી લઈએ છીએ, જેમ ખેતીના રક્ષણ માટે સમય સમય પર આપણે જમીનની કાળજી લઈએ છીએ, એવી જ રીતે દર વર્ષે ખેત તલાવડી સરખી કરવી, પાણીના ઓવારા સરખા કરવાનું પુણ્ય કામ કરીએ તો આપણે ન કલ્પ્યું હોય એટલો ફાયદો થવાનો છે..!

ભાઈઓ-બહેનો, કલ્પસરની યોજના..! મારે આજે આનંદ અને ગર્વ સાથે કહેવું છે કે લગભગ 80% ફીઝિબિલિટી રિપૉર્ટનું કામ આપણે પૂર્ણ કરી દીધું છે. અને કલ્પસર યોજનામાં એક મહત્વનો ભાગ છે કે જે નર્મદાનું પાણી સરદાર સરોવર ડૅમમાંથી છલકાઈને નીકળ્યા પછી દરિયામાં જાય છે, તો ભરૂચ પાસે ભાડભૂતમાં આ નર્મદાનું પાણી આપણે રોકવા માંગીએ છીએ. લગભગ 4000 કરોડ રૂપિયાના ખર્ચે ભાડભૂતનો બૅરેજ બનાવીશું અને સરદાર સરોવર ડૅમથી લઈને દરિયા સુધીનો આખો પટ્ટો પાણીથી ભરાશે અને પછી એમાંથી એક કૅનાલ કલ્પસર તરફ જશે. એટલે આખી નર્મદાનું વધારાનું પાણી કલ્પસરમાં ઠલવાય એના માટેનું એક ભગીરથ કામ અને એનો એક ભાગ એટલે ભાડભૂતનો બૅરેજ..! 4000 કરોડ રૂપિયાના કામનું ટેન્ડર લગભગ થોડા દિવસમાં નીકળી જવાનું છે, એનો અર્થ એ કે કલ્પસરના કામની શુભ શરૂઆતનાં મંડાણ થઈ જવાનાં છે..! એક વાત નક્કી છે કે આવનારા સો વર્ષના ગુજરાતના પાણીના પ્રશ્નનો નિકાલ કરવાની તાકાત આ કલ્પસરની યોજનામાં છે, અને એને માટે આપણે કામે લાગ્યા છીએ..!

ભાઈઓ-બહેનો, આપ વિચાર કરો, ‘સૌની યોજના’ દ્વારા 115 જેટલાં જળાશયો, તળાવો, નાળાંઓ, આ બધું ભરાવાનું છે. ઈશ્વર ઘણીવાર આફત લાવે છે, પણ આફતને અવસરમાં પણ પલટી શકાય છે..! ‘સૌની યોજના’ ને સફળ કરવા માટે કુદરતે કદાચ આ વખતે આપણી કસોટી કરી છે એવું મને લાગે છે. તકલીફ તો પડી છે..! બાર વર્ષથી આપણે એ.સી. માં રહ્યા હોઇએ અને અચાનક વીજળી જતી રહે તો કેવી તકલીફ પડે, એમ બાર વર્ષથી પાણીમાં ધબાકા માર્યા છે અને એમાં અચાનક પાણી ગયું એટલે તકલીફ તો થાય જ..! પણ તેમ છતાંય, આ આફતને અવસરમાં પલટવા માટે આપણે એક મોટું કામ કર્યું છે કે જેટલાં જળાશયો છે, સેંકડો કરોડો રૂપિયા ખર્ચીને એ જળાશયો, બંધ બન્યા હતા, પણ એના પછી ક્યારેય એમાં ડિસિલ્ટીંગનું કામ નહોતું થયું, જે કાંપ ભરાયો હતો એ કાંપ ઓછો કરવાનું કામ થયું ન હતું, તેથી આ બધા ડૅમ લગભગ ભરાઈ ગયા હતા. આપણે આ પાણીના અભાવને અવસરમાં પલટીને બધી જ જગ્યાએથી આ બધા જ જળાશયો ઊંડા કરવાનું કામ ઉપાડ્યું છે. એના કારણે આજે આપણી જળાશયોની જે સંગ્રહશક્તિ છે એ ખાલી અને ઊંડા કરવાને કારણે લગભગ ડબલ થઈ જવાની છે અને જ્યારે ‘સૌની યોજના’ નું પાણી આવશે ત્યારે આપણે ધારીએ છીએ એના કરતાં સંગ્રહશક્તિ ડબલ કરવાની દિશામાં આપણે સફળ થઈશું..! અને કદાચ પાણી આવ્યું હોત, વરસાદ પૂરતો પડ્યો હોત, તો કદાચ આ ડૅમ ઊંડા કરવાનું કામ રહી ગયું હોત. તો ઈશ્વરે પૂર્વ તૈયારી કરાવી હોય એમ મને લાગે છે અને એનો અર્થ કે ઈશ્વરની પણ ઈચ્છા છે કે ભાઈ, આ તમે બધાં જે કામ ઉપાડ્યાં છે, તેના માટે હું તમને મદદ કરું. અને આપણે ઈશ્વરે જે પરિસ્થિતિ પેદા કરી છે એને અવસરમાં પલટીને આજે કરોડો કરોડો ટન કાંપ અને માટી આ આપણા જળાશયોમાંથી બહાર કાઢીએ છીએ અને જૂન મહિનો આવતાં સુધીમાં તો આ બધું કામ પૂરું કરવાની નેમ સાથે યુદ્ધના ધોરણે કામ ઉપાડ્યું છે..!

મારી આપ સૌની પાસે એક બીજી મદદની વિનંતી છે. આપણે પણ ગામમાં બે કે ચાર દિવસ જો શ્રમ કાર્ય ઉપાડીએ, વધારે નહીં, બે કે ચાર દિવસ... તો બે કે ચાર દિવસમાં જ આપણા ગામ આસપાસના જે બાર, પંદર, પચીસ ચેકડૅમ છે, એની જો માટી અને કાંપ કાઢી કાઢીને ખેતરોમાં લઈ જઈએ, તો આપના ખેતરને પણ લાભ થશે, અને સરકાર મફતમાં આ કાંપ લઈ જવાની છૂટ આપે છે, કોઈ તમને પૂછશે નહીં અને જો આપણે આ કાંપ લઈ જઈએ તો આપણા ખેતરને પણ લાભ થશે અને આ આપણા ચેકડૅમોમાં પણ કાંપ ભરાઈ જવાના કારણે જે પાણી ઓછું ભરાય છે, એ પણ ખુલ્લા થઈ જશે. આપણે આ બે-ચાર દિવસનું એક અભિયાન, નાગરિક અભિયાન ઉપાડીએ અને ચેકડૅમની પણ સંગ્રહશક્તિ વધે એના માટેનું જો કામ ઉપાડીશું તો મને ખાત્રી છે ભાઈઓ-બહેનો, કે આ ‘સૌની યોજના’ ને સાચા અર્થમાં પરિણામકારી યોજના બનાવવામાં આપણે યશસ્વી થઈશું..! ભાઈઓ-બહેનો, જળસંચયનું જેમ કામ છે એમ એક વાત નક્કી છે મિત્રો, હવે આખે આખું નવું ગુજરાત સૌરાષ્ટ્રના દરિયાકિનારે ઊભું થવાનું છે, આખું નવું ગુજરાત સૌરાષ્ટ્રના દરિયાકિનારે આકાર લેવાનું છે. પાંચ-પચીસ-પચાસ વર્ષે આખું નવું ગુજરાત તમે જોશો. ત્યારે પાણીની કેટલી બધી જરૂરિયાત ઊભી થશે એનો અંદાજ કરી શકો છો. અને એટલા માટે આપણે દરિયાનું પાણી મીઠું કરવા માટેનું એક મોટું અભિયાન ઉપાડ્યું છે. વિશ્વની પ્રસિદ્ધ કંપનીઓની સાથે કરાર કર્યા છે અને દરિયાનું પાણી મીઠું કરીને દરિયાકિનારે જે નવાં શહેરો બનવાનાં છે એના માટે પાણીનો ઉત્તમ પ્રબંધ થાય એના માટે ધ્યાન કેન્દ્રિત કર્યું છે. બીજું આપણે ધ્યાન કેન્દ્રિત કર્યું છે, ગુજરાતની અંદર 50 નાના-મોટાં નગર એવાં પકડ્યાં છે, જે 50 નગરોમાં સૉલિડ વેસ્ટ મૅનેજમૅન્ટ કરીને, પાણીને રીસાઇકલ કરીને, ગટરના પાણીનું શુદ્ધિકરણ કરીને એ પાણી એ નગરની આસપાસના ગામડાંના ખેડૂતોને મળે. એ પાણી સાચા અર્થમાં ખેતી માટે ઉપકારક હોય છે. ગટરનું પાણી વહી જાય છે, એ પાણીને બચાવવા માટે પણ અરબો-ખરબો રૂપિયા ખર્ચવાના અભિયાન સાથે આપણે કામ કરી રહ્યા છીએ..! દરિયાનું પાણી, ગટરનું પાણી, વરસાદનું પાણી, નદીઓનું પાણી, પાણી માત્રનો બગાડ ન થાય, એનો સંચય થાય, એવા એક હોલિસ્ટિક ઍપ્રોચ સાથે આપણે કામ કરી રહ્યા છીએ.

જેમ જળ-સંચય માટે કામ કરી રહ્યા છીએ, એમ જળ-સિંચન માટે પણ કામ કરી રહ્યા છીએ. પાણી ટપક સિંચાઈથી વપરાય, અને આપણે જોયું છે કે બનાસકાંઠા, જ્યાં ધૂળની ડમરીઓ ઊડતી હતી, ત્યાંના ખેડૂતો પાણી વગર વલખાં મારતા હતા. આજે એ લોકો ટપક સિંચાઈમાં ગયા અને ભાઈઓ-બહેનો, મારે કહેવું છે, આજે દુનિયાની અંદર એકર દીઠ હાઇએસ્ટ બટાકા પેદા કરવાનું ઈનામ જો કોઈને મળતું હોય, તો બનાસકાંઠાના ખેડૂતોને મળે છે..! એકર દીઠ વધુમાં વધુ બટાકા દુનિયામાં સૌથી વધારે પેદા કરે છે અને કર્યા છે કઈ રીતે..? ટપક સિંચાઈથી..! અને બીજું, મારી માતાઓ-બહેનોને વિનંતી છે કે તમે તો ઘરમાં નક્કી કરો કે ટપક સિંચાઈ નહીં લાવો તો રસોઈ નહીં બને. કારણ..? આજે ખેતરમાં નીંદામણનું કામ આ મારી માતાઓ-બહેનોને કરવું પડે છે. એમની કમર તૂટી જાય છે, ચાર-ચાર કલાક વાંકાને વાંકા રહીને ખેતરમાં નીંદામણ કરતા હોય છે. અને ખેડૂતના દરેક કુટુંબમાં માતાઓ-બહેનોએ આ કામ કરવું પડે છે. આ ટપક સિંચાઈ આવે તો આ નીંદામણનું કામ જ ના રહે..! સૌથી પહેલો લાભ મળે મારી માતાઓ-બહેનોને. એમના ચાર-પાંચ કલાક આ કાળી મજૂરીમાંથી બચી જાય તો છોકરાંઓને સંસ્કાર મળે, શિક્ષણ મળે અને કુટુંબ જાજરમાન બની જાય..! આ મારી માતાઓ-બહેનોની મહેનત બચાવવા માટે, આ નીંદામણ કરવાની મુસીબતમાંથી બહાર લાવવા માટે ટપક સિંચાઈ ઉત્તમમાં ઉત્તમ કામ છે. પાક પેદા થાય છે, પાણી બચે છે, મજૂરી બચે છે, સમયગાળોય બચે છે..! ફ્લડ વૉટરથી જે પાક ચાલીસ દિવસમાં થતો હોય, ટપક સિંચાઈથી એ ત્રીસ-બત્રીસ દિવસમાં થઈ જાય છે. અઠવાડિયું વહેલાં થાય છે, આનો લાભ બજારની અંદર મળતો હોય છે. અને ટપક સિંચાઈમાં તમારે કાણી પાઈ ખર્ચવાની નથી, એક લાખ રૂપિયાનો ખર્ચો હોય તો તમારે ખિસ્સામાંથી માત્ર પાંચ હજાર રૂપિયા કાઢવાના છે, બાકીના પૈસા સરકાર આપે છે..! આપણો મંત્ર છે, ‘પર ડ્રૉપ, મૉર ક્રૉપ’..! એક એક ટીપામાંથી સોનું પકવવું છે, આ મંત્ર લઈને આપણે ચાલીએ છીએ અને એમાં આપણે આગળ વધવા માગીએ છીએ..!

ભાઈઓ-બહેનો, સરદાર સરોવર ડૅમ ઉપર દરવાજા મૂકવાના છે. એક-એક દરવાજો છ માળના મકાન જેવડો છે, અને એવા છત્રીસ દરવાજા છે..! આજે કામ શરૂ કરું ને તો પણ પૂરું કરવું હોય તો ત્રણ વર્ષ લાગે, એટલું બધું કામ છે. દરવાજા રૅડી પડ્યા છે, હું પ્રધાનમંત્રીને પંદર વખત મળ્યો છું, આ અમારા રૂપાલાજીના નેતૃત્વમાં અડવાણીજી સહિત અમારા બધા એમ.પી. પ્રધાનમંત્રીને પચીસ વખત મળ્યા છે અને દર વખતે પ્રધાનમંત્રી એમ જ કહે છે, “અચ્છા, અભી નહીં હુઆ હૈ..?”, બોલો, દર વખત એમ જ કહે છે, “અભી નહીં હુઆ હૈ..?” હવે મેં એમને સમજાવ્યું કે સાહેબ, દરવાજા ઊભા કરીએ તોય ત્રણ વર્ષ લાગે છે, અમને ઊભા કરવા દો. તમને પ્રોબ્લેમ હોય તો દરવાજો બંધ નહીં કરીએ, તમે રજા નહીં આપો ત્યાં સુધી પાણી ભેગું નહીં કરીએ, પણ નાખવા તો દો..! તો કહે કે આમાં તો શું વાંધો છે, એ તો હવે કરી શકાય..! હવે આ તમને સમજણ પડે છે ને ભાઈ, દરવાજા બંધ ન કરીએ તો કોઈને તકલીફ પડે, ઊભા કરવામાં કંઈ વાંધો છે..? આ તમને સમજાય છે ને, આ દિલ્હી સરકારવાળાને નથી સમજાતું..! આટલી વાત સમજાતી નથી. કહી કહીને હું થાકી ગયો, સમજાવી-સમજાવીને થાકી ગયો, પણ એ કામ કરવાની પરમિશન આપતા નથી અને આપણું આ કામ બગડી રહ્યું છે..! ભાઈઓ-બહેનો, ખાલી ગુજરાતનું જ નહીં, જો આ દરવાજા નાખીએ અને પાણી ભરાવા માંડે, તો આ મહારાષ્ટ્રમાં જે વીજળીનો પ્રશ્ન છે, અંધારપટ છે ને એ ય દૂર થઈ જાય, કારણકે વીજળી આપણે મહારાષ્ટ્રને આપવાની છે..! આ પાણીમાંથી જે વીજળી થાય એનો મોટો ભાગ મહારાષ્ટ્રને મળવાનો છે, તોયે કરતા નથી બોલો, એમની સરકાર છે મહારાષ્ટ્રમાં..! પડી જ નથી, એમને કશી પડી જ નથી. એ લોકો તો આ ભાણિયા, ભત્રીજા અને કાકા-મામાને સાચવવામાં જ પડી ગયા છે..! કોઈ બાકી નથી, હવે તો ભાણિયા પણ મેદાનમાં આવી ગયા, બોલો..! જેને લૂટવું હોય એ લૂંટો, આ જ કામ કરવું છે, ભાઈ..! અને એટલા માટે ભાઈઓ-બહેનો, ચાહે કલ્પસરની યોજના હોય, ચાહે સરદાર સરોવર ડૅમની યોજના હોય, ચાહે સમુદ્રનું પાણી મીઠું કરવાની યોજના હોય, આપણે એક ભગીરથ કામ ઉપાડ્યું છે..!

કામની સાથે સાથે એક બીજું પણ સપનું છે. સરદાર સરોવર ડૅમ હોય કે ગુજરાતનો ખેડૂત હોય, આઝાદીના આંદોલનમાં ગુજરાતના ખેડૂતને માટે ક્રાંતિના બીજ વાવવાનું કામ સરદાર પટેલે કર્યું હતું. હિંદુસ્તાને જે સરદાર પટેલને હજુ શ્રદ્ધાંજલિ નથી આપી, એવી શ્રદ્ધાંજલિ ગુજરાત અપવા માંગે છે અને એટલા માટે જ્યાં સરદાર સરોવર ડૅમ છે ત્યાં જ દુનિયાનું સૌથી ઊંચામાં ઊંચું સરદાર પટેલનું પૂતળું પણ મારે મૂકવું છે..! દુનિયાના ઊંચામાં ઊંચા સ્ટેચ્યૂ પૈકીનું એક ‘સ્ટેચ્યૂ ઑફ લિબર્ટી’, આ સ્ટેચ્યૂ એના કરતાં પણ ડબલ બનશે..! લગભગ સાંઇઠ માળના મકાન જેટલા ઊંચા સરદાર પટેલ ઊભા હશે અને આખી દુનિયાને રસ્તો બતાવતા હશે..! અને એને પણ મારે આ સરદાર સરોવર યોજના સાથે જોડીને કામ કરવું છે..!

ભાઈઓ-બહેનો, હમણાં બેન ભાષા કેટલા આત્મવિશ્વાસ સાથે બોલતી હતી..! એમાં લાગણી પડી હતી, એક નાનકડી વિનંતી કરે છે આપણને, આપણને બધાને કહે છે કે કમ સે કમ અમને વારસામાં પાણી તો મૂકતા જજો..! અમને વારસામાં ઝાડ, ડાખળાં, પાણી, ફૂલ, પૌધા કંઈક તો આપતા જજો, કંઈક હરિયાળી તો આપતા જજો..! એક દિકરી આપણી પાસે માગે છે, અને ત્યારે એક સમાજ તરીકે આપણું કર્તવ્ય છે, સમાજ તરીકે આપણી જવાબદારી છે. આમાં કોઈ રાજકીય આટાપાટા ન હોય ભાઈ, કોંગ્રેસવાળો હોય એનેય પીવા પાણી જોઇએ અને ભાજપવાળો હોય એનેય પીવા પાણી જોઇએ. આમાં કોઈ રાજકારણ ના હોય..! પાણી એ તો પરમેશ્વરનો પ્રસાદ છે, એ સૌની જરૂરિયાત છે અને સૌની જવાબદારી પણ છે..! ભાઈઓ-બહેનો, આ ‘સૌની યોજના’ ની સફળતાના મૂળમાં આ ક્રાંતિ મોટું કામ કરવાની છે. ભાઈઓ, મારી નજર પહોંચે ત્યાં સુધી માણસો જ માણસો છે. આવા ધોમધખતા તાપમાં કશું લેવાનું ના હોય અને તેમ છતાં આટલો મોટો સમાજ આવનારી પેઢીની ચિંતા-ચર્ચા કરવા ભેગો થાય, ભાઈઓ-બહેનો, આ ઘટના નાની નથી..! દુનિયાના પર્યાવરણવિદોને હું કહું છું, જરા જુઓ આ શું થઈ રહ્યું છે..! આ મારા ગુજરાતનો ગામડાનો ખેડૂત, જેને પર્યાવરણ શબ્દ પણ કદાચ જીવનમાં વાંચવાનો અવસર નથી આવ્યો, એ આજે આવનારી પેઢીઓના પર્યાવરણની ચિંતા કરવા માટે પસીનાથી રેબેઝેબ થઈને અહીંયાં બેઠો છે. ભાઈઓ-બહેનો, આ સમાજની શક્તિ છે, અને આ સમાજની શક્તિ પરિવર્તન લાવે છે. મારી બધા જ રાજકીય પક્ષોને વિનંતી છે, મીડિયાના પણ મિત્રોને વિનંતી છે, કે આમાં સરકારને કોઈ ક્રૅડિટ આપવાની જરૂર નથી, આ સમાજની શક્તિ છે અને આપણે બધા એના ચરણોમાં વંદન કરીએ છીએ. અને તેથી કોઈ આટાપાટા વગર, માત્રને માત્ર પાણી, માત્રને માત્ર ગુજરાતની આવતી કાલ, માત્રને માત્ર ગુજરાતની ભાવિ પેઢીનું ભલું થાય એની મથામણ, એમાં આપણે બધા સહયોગ આપીએ..!

પૂજ્ય સચ્ચિદાનંદ સ્વામી ક્રાંતિકારી વિચારો ધરાવે છે. મને યાદ છે જ્યારે મારી વિરુદ્ધમાં ખેડૂતોનાં આંદોલન ચાલતાં હતાં, વીજળીના મુદ્દે તોફાનો કરતા હતા ત્યારે પૂજ્ય સ્વામી સચ્ચિદાનંદજી મારી પડખે ઊભા હતા અને ખેડૂતોને બોલાવીને કહેતા હતા કે તમે ખોટા રસ્તે છો, આ મોદી કહે છે કે પાણી બચાવો..! મને યાદ છે બરાબર, લડતા હતા મારા માટે થઈને..! અને આજે એમના આશીર્વાદ આ પવિત્ર કામ માટે આપણને મળ્યા છે. મિત્રો, મને પૂરો વિશ્વાસ છે કે આપે નક્કી કર્યું છે ને..? થઈને જ રહેવાનું..! અને હું આપને વિશ્વાસ આપું છું, અમારે પાંચ ડગલાં ચાલવાનું હશે ત્યાં અમે સવા પાંચ ડગલાં ચાલી બતાવીશું પણ ભાઈઓ-બહેનો, આ સમાજની શક્તિથી જ થવાનું છે. અને આ વર્ષે ગામે-ગામ ખેત તલાવડીઓના હિસાબ કરીશું, બોરીબંધ કરીએ, ચેકડૅમને ફરી પાછા જરા તાજા તમતમતા કરીએ, કાંપ-બાંપ ભેગો થયો હોય તો કાઢી નાખીએ... મોટા જળાશયોના કાંપ કાઢવાનું કામ સરકાર કરી રહી છે, મશીનો મૂકી-મૂકીને કામ કર્યું છે. અને એમાંય મારી ખેડૂતોને વિનંતી છે, આ મોટા-મોટા જળાશયોમાંથી અમે જે કાંપ ઉલેચી રહ્યા છી, એ તમે ઉપાડી જાવ. તમારો જ છે, ખેતરોમાં નાખો અને ખેતરોને સમૃધ બનાવો..! ભાઈઓ-બહેનો, આ ધરતી તમારી છે, આ ભાગ્ય તમારું છે, અમે તો નિમિત્ત માત્ર છીએ, જેણે એક જ કામ કરવાનું છે કે આડે નહીં આવવાનું, બસ..! અને અમે આડે ના આવીએ ને એટલે તમારે આડે કશું ન આવે..! અને આટલી મોટી શક્તિ જોઈએ, તો અમનેય તમારી જોડે ચાલવાનું મન થાય, અમનેય તમારી પાછળ-પાછળ આવવાનું મન થાય..! એવાં શક્તિનાં દર્શન કરાવ્યાં છે. સાચા અર્થમાં આ એક પવિત્ર કામ આપે ઉપાડ્યું છે. હું આપને ખૂબ-ખૂબ અભિનંદન આપું છું અને આપને વિશ્વાસ આપું છું કે આપણે જે કામ ઉપાડ્યું છે તે આપણે નિર્ધારીત સમયમાં કરીને રહીશું અને જે પાણી આપણી મુસીબતનું કારણ હતું, તે જ પાણી આપણી પ્રગતિનું પણ કારણ બનશે એવા વિશ્વાસ સાથે આપણે આગળ વધીએ એ જ શુભકામના..! ફરી એકવાર આ કામ કરનાર મિત્રોને લાખ લાખ અભિનંદન આપું છું..!

ય જય ગરવી ગુજરાત..!

ય જય ગરવી ગુજરાત..!

Explore More
हर भारतीय का खून खौल रहा है: ‘मन की बात’ में पीएम मोदी

लोकप्रिय भाषण

हर भारतीय का खून खौल रहा है: ‘मन की बात’ में पीएम मोदी
When Narendra Modi woke up at 5 am to make tea for everyone: A heartwarming Trinidad tale of 25 years ago

Media Coverage

When Narendra Modi woke up at 5 am to make tea for everyone: A heartwarming Trinidad tale of 25 years ago
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
भारत और त्रिनिदाद & टोबैगो के बीच सदियों पुराने संबंध हैं: त्रिनिदाद & टोबैगो की संसद में पीएम मोदी
July 04, 2025
Quoteमैं गौरवशाली लोकतंत्र और मित्र राष्ट्र के निर्वाचित प्रतिनिधियों के समक्ष मौजूद होकर बहुत गौरवान्वित महसूस कर रहा हूँ: प्रधानमंत्री
Quoteलोकतंत्र भारत के लिए जीवन शैली है: प्रधानमंत्री
Quoteभारत तथा त्रिनिदाद और टोबैगो के रिश्‍ते सदियों पुराने संबंधों की बुनियाद पर आधारित हैं: प्रधानमंत्री
Quoteहम आधुनिक भारत के निर्माण के लिए महिलाओं को सशक्‍त बना रहे हैं: प्रधानमंत्री
Quoteहम अपने विकास को दूसरों के प्रति जिम्मेदारी के रूप में देखते हैं; और, ग्‍लोबल साउथ हमेशा हमारी प्राथमिकता रहेगी: प्रधानमंत्री
Quoteग्‍लोबल साउथ उन्‍नति कर रहा है; वे नई और न्‍यायपूर्ण विश्व व्यवस्था देखना चाहते हैं: प्रधानमंत्री
Quoteमहासागर ग्‍लोबल साउथ के लिए भारत का मार्गदर्शक दृष्टिकोण है: प्रधानमंत्री

महामहिम प्रधानमंत्री कमला प्रसाद-बिसेसर जी,

सीनेट के माननीय अध्यक्ष श्री वेड मार्क,

माननीय अध्यक्ष श्री जगदेव सिंह,

माननीय मंत्रीगण,

संसद के सम्मानित सदस्य,

नमस्कार!

सुप्रभात!

 

एक गौरवशाली लोकतंत्र और मित्र राष्ट्र के निर्वाचित प्रतिनिधियों, मैं आप सभी के समक्ष खड़े होकर बहुत सम्मानित महसूस कर रहा हूँ।

मैं भारत के 1.4 बिलियन लोगों की ओर से शुभकामनाएँ लेकर आया हूँ। मैं घाना के लोगों की ओर से भी हार्दिक शुभकामनाएँ लेकर आया हूँ, जिस देश की मैंने यहाँ आने से ठीक पहले यात्रा की थी।

मैं आभारी हूँ कि मैं इस प्रतिष्ठित रेड हाउस में आपसे बात करने वाला पहला भारतीय प्रधानमंत्री हूँ। यह ऐतिहासिक इमारत, स्वतंत्रता और सम्मान के लिए त्रिनिदाद और टोबैगो के लोगों के संघर्ष और बलिदान का साक्षी रहा है। पिछले छह दशकों में, यह मजबूती से खड़ा रहा है, क्योंकि आपने एक न्यायसंगत, समावेशी और समृद्ध लोकतंत्र का निर्माण किया है।

|

मित्रों,

इस महान राष्ट्र के लोगों ने दो उल्लेखनीय महिला राजनेताओं को चुना है - राष्ट्रपति और प्रधानमंत्री। वे गर्व से खुद को भारतीय प्रवासियों की बेटियाँ कहती हैं। उन्हें अपनी भारतीय विरासत पर गर्व है। भारत में, हम उनके नेतृत्व, धैर्य और दृढ़ संकल्प की प्रशंसा करते हैं। वे हमारे देशों के बीच आपसी संबंधों की जीवंत प्रतीक हैं, जो साझा जड़ों और साझा सपनों पर निर्मित हुए हैं।

सम्मानित सदस्यगण,

हमारे दोनों राष्ट्र, औपनिवेशिक शासन की छाया से उठकर अपनी गाथाएँ लिखने के लिए उभरकर सामने आये - साहस हमारी स्याही थी और लोकतंत्र हमारी लेखनी थी।

आज, हमारे दोनों राष्ट्र आधुनिक दुनिया में गौरवशाली लोकतंत्र और शक्ति के स्तंभ के रूप में मौजूद हैं। कुछ महीने पहले, आपने चुनावों में भाग लेकर लोकतंत्र का उत्सव मनाया। मैं इस देश के लोगों को उनकी बुद्धिमत्ता और दूरदर्शिता - शांति, स्थिरता और समृद्धि - के लिए बधाई देता हूँ। मैं इस प्रतिष्ठित सदन के नवनिर्वाचित सदस्यों को भी बधाई देता हूँ।

मैं प्रधानमंत्री कमला जी को एक बार फिर सरकार बनाने के लिए विशेष तौर पर बधाई देता हूँ। मैं उनकी निरंतर सफलता की कामना करता हूं, क्योंकि वे इस महान राष्ट्र को सतत विकास और समृद्धि की ओर ले जा रही हैं।

|

मित्रों,

जब मैं अध्यक्ष की कुर्सी पर अंकित सुनहरे शब्दों को देखता हूँ:

"भारत के लोगों की ओर से त्रिनिदाद और टोबैगो के लोगों के लिए",

मुझे गहरी भावना की अनुभूति होती है। वह कुर्सी सिर्फ फर्नीचर का एक टुकड़ा नहीं है, बल्कि हमारे दोनों देशों के बीच मित्रता और विश्वास का शक्तिशाली प्रतीक है। ये शब्द उस बंधन को व्यक्त करते हैं, जो एक लोकतंत्र दूसरे लोकतंत्र के लिए महसूस करता है।

आप सभी जानते हैं…

भारतीयों के लिए लोकतंत्र, सिर्फ एक राजनीतिक मॉडल भर नहीं है।

हमारे लिए, ये जीवन जीने का तरीका है…

हमारी हज़ारों वर्षों की महान विरासत है।

इस संसद में भी कई साथी ऐसे हैं...जिनके पूर्वज बिहार से हैं...

वो बिहार, जो महाजनपदों, यानि प्राचीन गणतंत्रों की भूमि है।

भारत में लोकतंत्र सिर्फ एक राजनीतिक व्यवस्था नहीं है। हमारे लिए यह जीवन जीने का तरीका है।' आपकी संसद में कुछ ऐसे सदस्य भी हैं, जिनके पूर्वज भारत के बिहार राज्य से थे, जो वैशाली जैसे केन्द्रों के लिए प्रसिद्ध है।

दोस्तों,

हमारे दोनों देशों के बीच संबंधों में एक स्वाभाविक गर्मजोशी है। मुझे अवश्य कहना चाहिए कि भारतीय वेस्टइंडीज क्रिकेट टीम के सबसे जोशीले प्रशंसकों में से हैं! हम पूरे दिल से उनका उत्साहवर्धन करते हैं, सिवाय इसके कि जब वे भारत के खिलाफ खेल रहे हों।

हमारे दोनों देशों के बीच संबंध सदियों पुराने बंधनों की नींव पर बने हैं। 180 साल पहले, भारतीय एक लंबी और कठिन यात्रा के बाद पहली बार इस भूमि पर पहुंचे थे। समुद्र के पार, भारतीय धुनें कैरेबियाई लय के साथ खूबसूरती से घुलमिल गई थीं।

यहां भोजपुरी ने क्रियोल के साथ सामंजस्य स्थापित किया।

दाल पूरी, डबल्स के साथ मिल गयी!

और, तबला ने स्टील पैन का साथ दिया!

आज, भारतीय मूल के लोग लाल, काले और सफेद झंडे के गौरवशाली वाहक हैं!

राजनीति से लेकर कविता तक, क्रिकेट से लेकर वाणिज्य तक, कैलिप्सो से लेकर चटनी तक, वे हर क्षेत्र में योगदान देते हैं। वे उस जीवंत विविधता के अभिन्न अंग हैं, जिसका आप सभी सम्मान करते हैं। साथ मिलकर, आपने एक ऐसे राष्ट्र का निर्माण किया है, जो अपने आदर्श वाक्य, "हम साथ मिलकर आकांक्षा करते हैं, हम इसे साथ मिलकर हासिल करते हैं" पर आगे बढ़ता है।

|

मित्रों,

आज महामहिम राष्ट्रपति महोदया ने मुझे इस देश के सर्वोच्च राष्ट्रीय सम्मान से सम्मानित किया। मैंने इसे 1.4 बिलियन भारतीयों की ओर से विनम्रतापूर्वक स्वीकार किया।

अब, मैं अपार कृतज्ञता के साथ इसे हमारे दोनों देशों के बीच स्थायी मित्रता और पैतृक संबंधों को समर्पित करता हूँ।

मित्रों,

मुझे इस सदन में इतनी सारी महिला सदस्यों को देखकर बहुत खुशी हो रही है। महिलाओं के प्रति सम्मान भारतीय संस्कृति में गहराई से निहित है। हमारे महत्वपूर्ण पवित्र ग्रंथों में से एक, स्कंद-पुराण में कहा गया है:

दशपुत्र समा कन्या दशपुत्रान् प्रवर्धयन् |

यत् फलं लभते मर्त्यः तत् लभ्यं कन्या एकया ||

इसका अर्थ है, एक बेटी 10 बेटों के बराबर खुशी लाती है। हम आधुनिक भारत के निर्माण के लिए महिलाओं के हाथ मजबूत कर रहे हैं।

अंतरिक्ष से लेकर खेल तक, स्टार्टअप से लेकर विज्ञान तक, शिक्षा से लेकर उद्यम तक, विमानन से लेकर सशस्त्र बलों तक, वे विभिन्न क्षेत्रों में भारत को एक नए भविष्य की ओर ले जाने का नेतृत्व कर रही हैं। आपकी तरह, हमारे पास एक महिला है, जो साधारण जीवन से ऊपर उठकर हमारी राष्ट्रपति बनीं।

दो साल पहले भारतीय संसद ने एक ऐतिहासिक कदम उठाया था। हमने संसद और राज्य विधानसभाओं में महिलाओं के लिए 33% आरक्षण सुनिश्चित करने का निर्णय लिया। इससे यह सुनिश्चित होता है कि आने वाली पीढ़ियों में अधिक से अधिक महिलाएं देश की नियति और दिशा तय करेंगी।

भारत में जमीनी स्तर पर भी महिलाएँ अग्रणी भूमिका निभा रही हैं। लगभग 15 लाख निर्वाचित महिलाएँ स्थानीय शासन संस्थाओं को शक्ति प्रदान करती हैं। हम महिलाओं के नेतृत्व वाले विकास के युग में हैं। यह भी उन महत्वपूर्ण विषयों में से एक था, जिसे हमने जी20 की अध्यक्षता के दौरान आगे बढ़ाया।

हम भारत में महिलाओं के नेतृत्व वाले विकास का एक नया मॉडल विकसित कर रहे हैं। अपनी जी20 अध्यक्षता के दौरान भी इस मॉडल की सफलता को हमने पूरी दुनिया के सामने रखा था।

|

सम्मानित सदस्यगण,

आज भारत दुनिया की सबसे तेजी से बढ़ती प्रमुख अर्थव्यवस्था है। उद्यम का हर क्षेत्र, हर भौगोलिक क्षेत्र और हर समाज इस विकास गाथा का हिस्सा है।

भारत का विकास समावेशी और जन-केंद्रित है। अंतर्राष्ट्रीय श्रम संगठन की एक हाल की रिपोर्ट में कहा गया है कि भारत की सामाजिक सुरक्षा और कल्याण छत्रछाया में 950 मिलियन लोग शामिल हैं। यह लगभग 1 बिलियन लोग हैं, जो दुनिया के अधिकांश देशों की आबादी की तुलना में अधिक है!

ऐसी समावेशी वृद्धि के लिए हमारा दृष्टिकोण हमारे देश तक ही सीमित नहीं है। हम अपने विकास को दूसरों के प्रति जिम्मेदारी के रूप में भी देखते हैं। और, हमारी प्राथमिकता हमेशा ‘वैश्विक दक्षिण’ रहेगी।

इसी भावना के साथ, हम त्रिनिदाद और टोबैगो के साथ अपने संबंधों को प्रगाढ़ कर रहे हैं। हमारा व्यापार बढ़ता रहेगा। हम अपने व्यवसायों को इस देश में और अधिक निवेश करने के लिए प्रोत्साहित करेंगे। हमारी विकास साझेदारी का विस्तार होगा। प्रशिक्षण, क्षमता निर्माण और कौशल विकास मानव विकास को अपने केंद्र में रखेंगे। स्वास्थ्य हमारी साझेदारी का एक महत्वपूर्ण हिस्सा रहा है और रहेगा।

कई भारतीय डॉक्टर और स्वास्थ्य सेवा कर्मी यहाँ विशिष्टता के साथ सेवा कर रहे हैं। हमें खुशी है कि आपने भारतीय चिकित्सा मानकों को मान्यता देने का फैसला किया है। इससे सभी को उच्च गुणवत्ता वाली, सस्ती दवाइयाँ मिल सकेंगी।

हम यूपीआई डिजिटल भुगतान प्रणाली को अपनाने के आपके निर्णय का भी स्वागत करते हैं। यह एक बड़ा कदम है। यूपीआई ने भारत में डिजिटल भुगतान में क्रांति ला दी है।

इस प्लेटफ़ॉर्म की मदद से, भारत दुनिया में वास्तविक समय पर सबसे ज़्यादा डिजिटल भुगतान करने वाला देश बन गया है। आज भारत में आम बेचने वालों के पास भी क्यूआर कोड हैं। यदि आप उन्हें नकद में भुगतान करने की कोशिश करेंगे, तो वे आपसे यूपीआई का इस्तेमाल करने के लिए कहेंगे, क्योंकि उनके पास फुटकर पैसे नहीं हैं!

हम अन्य डिजिटल नवाचारों पर भी सहयोग करने के इच्छुक हैं। जैसे-जैसे भारत वैश्विक दक्षिण में विकास और वृद्धि को बढ़ावा देने के लिए एआई उपकरण विकसित करेगा, त्रिनिदाद और टोबैगो हमारे लिए एक प्राथमिकता वाला देश होगा।

हम कृषि, बागवानी और खाद्य प्रसंस्करण में अपनी विशेषज्ञता साझा करेंगे। भारत की मशीनरी आपके कृषि उद्योग को सहायता प्रदान करेगी। और, क्योंकि विकास सम्मान के बारे में है, इसलिए हम यहाँ दिव्यांग नागरिकों के लिए एक कृत्रिम अंग प्रत्यारोपण शिविर का आयोजन करेंगे।

हमारे लिए, आपके साथ हमारे सहयोग की कोई सीमा नहीं है। हम हमेशा आपकी आवश्यकताओं और प्राथमिकताओं से निर्देश प्राप्त करेंगे।

|

मित्रों,

हमारे देशों के बीच तालमेल बहुत आशाजनक है। कैरीबियाई क्षेत्र के एक प्रमुख देश और लैटिन अमेरिका के लिए एक सेतु के रूप में, त्रिनिदाद और टोबैगो में बहुत संभावनाएं हैं। मुझे यकीन है कि हमारे संबंध हमें व्यापक क्षेत्र के साथ एक मजबूत संबंध बनाने में मदद करेंगे।

दूसरे भारत-कैरिकॉम शिखर सम्मेलन की गति पर आगे बढ़ते हुए, हम उन पहलों पर सहयोग करने के लिए उत्सुक हैं, जो व्यापार और निवेश को बढ़ाते हों, अवसंरचना और गतिशीलता का निर्माण करते हों, सामुदायिक विकास परियोजनाओं को लागू करते हों और सबसे बढ़कर, बड़े पैमाने पर क्षमता निर्माण, प्रशिक्षण और कौशल विकास का समर्थन करते हों।

मित्रों,

मैं हमारी साझेदारी को एक बड़े वैश्विक परिदृश्य में भी देखता हूं। दुनिया में बदलाव का पैमाना और गति अभूतपूर्व है। राजनीति और सत्ता की प्रकृति में मौलिक बदलाव हो रहे हैं। मुक्त व्यापार दबाव में है। वैश्विक विभाजन, विवाद और असमानताएं बढ़ रही हैं।

दुनिया जलवायु परिवर्तन, खाद्य, स्वास्थ्य और ऊर्जा सुरक्षा की चुनौतियों का सामना कर रही है। आतंकवाद एक गंभीर खतरा बना हुआ है। अतीत के औपनिवेशिक शासन भले ही खत्म हो गए हों, लेकिन उनकी छाया नए रूपों में अभी भी है।

अंतरिक्ष और साइबर सुरक्षा में नई चुनौतियां हैं। कृत्रिम बुद्धिमत्ता (आर्टिफिशियल इंटेलिजेंस) नए अवसरों के साथ-साथ नये जोखिम भी पैदा कर रही है। पुरानी संस्थाएं शांति और प्रगति प्रदान करने के लिए संघर्ष कर रही हैं।

साथ ही, वैश्विक दक्षिण उभर रहा है। वे एक नई और निष्पक्ष विश्व व्यवस्था देखना चाहते हैं। जब संयुक्त राष्ट्र 75 साल का हुआ, तो विकासशील दुनिया में बड़ी उम्मीद जगी थी। एक उम्मीद थी कि लंबे समय से लंबित सुधार साकार होंगे, उनकी आवाज आखिरकार सुनी जाएगी। लेकिन वह उम्मीद निराशा में बदल गई है। विकासशील दुनिया की आवाज हाशिये पर है। भारत ने हमेशा इस अंतर को पाटने की कोशिश की है।

भारत के लिए, महासागर (एमएएचएएसएजीएआर) - क्षेत्रों में सुरक्षा और विकास के लिए पारस्परिक और समग्र उन्नति, वैश्विक दक्षिण के लिए मार्गदर्शक विज़न है। जब भी हमें अवसर मिला, हमने वैश्विक दक्षिण को आवाज़ दी है।

अपनी जी-20 अध्यक्षता के दौरान, हमने वैश्विक दक्षिण की चिंताओं को वैश्विक निर्णय लेने के केंद्र में लाया। महामारी के दौरान, अपने 1.4 बिलियन लोगों की देखभाल करते हुए, भारत ने 150 से अधिक देशों को टीके और दवाइयाँ प्रदान कीं। आपदा के समय, हमने सहायता, राहत और एकजुटता के साथ तेज़ी से जवाबी प्रतिक्रिया दी है। हमारी विकास साझेदारी मांग-संचालित, सम्मानजनक और बिना किसी शर्त के है।

|

सम्मानित सदस्यगण,

अब समय आ गया है कि हम साथ मिलकर काम करें, ताकि वैश्विक दक्षिण को सही जगह पर उसका उचित स्थान मिले। जलवायु न्याय सुनिश्चित करने के लिए, ताकि बोझ उन लोगों पर न पड़े, जिन्होंने जलवायु संकट में सबसे कम योगदान दिया है। हम इस प्रयास में त्रिनिदाद और टोबैगो को एक महत्वपूर्ण भागीदार मानते हैं।

मित्रों,

हमारे दोनों देश आकार और भूगोल में भिन्न हो सकते हैं, लेकिन हम अपने मूल्यों में गहराई से जुड़े हुए हैं। हम गरिमामयी लोकतंत्र हैं। हम संवाद, संप्रभुता, बहुपक्षवाद और मानवीय सम्मान में विश्वास करते हैं। संघर्ष के इस समय में, हमें इन मूल्यों के प्रति सच्ची भावना बनाए रखनी चाहिए।

आतंकवाद मानवता का दुश्मन है। इसी रेड हाउस ने खुद आतंक की विभीषिका और निर्दोष लोगों को जान गवांते देखा है। हमें आतंकवाद को किसी भी तरह की शरण या स्थान न देने के लिए एकजुट होना चाहिए। आतंकवाद के खिलाफ हमारी लड़ाई में हमारे साथ खड़े होने के लिए, हम इस देश के लोगों और सरकार को धन्यवाद देते हैं।

मित्रों,

हमारे पूर्वजों ने संघर्ष किया, बलिदान दिया और भविष्य की पीढ़ियों के लिए बेहतर जीवन के सपने देखे। भारत तथा त्रिनिदाद और टोबैगो दोनों ने उस भविष्य की यात्रा पर एक लंबा सफर तय किया है, जिसके बारे में हमने अपने लोगों से वादा किया था। लेकिन हमें अभी भी बहुत कुछ करना है – स्वयं भी और साथ मिलकर भी।

संसद के सदस्यों के रूप में, आप सभी की उस भविष्य को आकार देने में महत्वपूर्ण भूमिका है। अयोध्या से अरिमा तक, गंगा के घाटों से पारिया की खाड़ी तक, हमारे संबंध और भी प्रगाढ़ हों और हमारे सपने और भी ऊंचे हों।

इस विचार के साथ, मैं आपको एक बार फिर से इस सम्मान के लिए धन्यवाद देता हूं। जैसा कि आप यहां शालीनता और गर्व के साथ कहते हैं - "उचित सम्मान।"

धन्यवाद। बहुत-बहुत धन्यवाद।