Quote#MannKiBaat: PM Modi appreciates Indian cricket team for their sportsman spirit and sportsmanship during test match with Afghanistan
QuoteOne of the best ways to unite societies, find out the skills and talent that our youth have, is through sports: PM #MannKiBaat
QuoteFourth Yoga Day celebrations on 21st June were unique; People around the world performed yoga with great enthusiasm: PM Modi #MannKiBaat
Quote#MannKiBaat: Yoga goes beyond boundaries and forms a bond with the society, says Prime Minister Modi
QuoteEntire nation was proud to see the dedication of our soldiers to perform yoga - In the waters, on the land and in the sky: PM Modi #MannKiBaat
QuoteYoga has united people around the world by going beyond the boundaries of caste, creed and geography: Prime Minister #MannKiBaat
QuoteYoga has helped realise the true spirit of Vasudhaiva Kutumbakam, which our saints and seers have propagated since centuries: PM Modi #MannKiBaat
QuoteDoctors are our lifestyle guides; they not only cure but also heal: PM Modi during #MannKiBaat
QuoteIndian doctors have made a mark across the world for their abilities and skills: Prime Minister Modi #MannKiBaat
QuoteSant Kabirdas ji emphasized on social equality, peace and brotherhood through his writings (Dohas and Saakhis): PM Modi #MannKiBaat
QuoteSant Kabirdas ji had said - “जाति न पूछो साधु की, पूछ लीजिये ज्ञान” and appealed to the people to rise above religion and caste, and respect people for their knowledge: PM #MannKiBaat
QuoteGuru Nanak Dev ji always gave the message of embracing the whole mankind as one and eliminating caste discrimination in the society: PM during #MannKiBaat
Quote2019 marks 100 years of the horrific Jallianwala Bagh massacre, an incident which embarrassed entire humanity: PM during #MannKiBaat
QuoteViolence and cruelty can never solve by any problem: Prime Minister Modi during #MannKiBaat
QuoteNo one can ever forget the dark day of April 13, 1919, when innocent people were killed through abuse of power, crossing all the limits of cruelty: PM #MannKIBaat
QuoteDr. Shyama Prasad Mookerjee dreamt of an India which was industrially self-reliant, efficient and prosperous: PM Modi during #MannKiBaat
Quote#MannKiBaat: For Dr. Shyama Prasad Mookerjee, integrity and unity of India was the most important thing, says PM Modi
QuoteGST is a prime example of cooperative federalism: Prime Minister during #MannKiBaat
QuoteGST is the celebration of honesty; after its rollout, IT or information technology replaced Inspector Raj in tax system: PM Modi #MannKiBaat

નમસ્કાર. મારા પ્રિય દેશવાસીઓ. આજે ફરી એકવાર મન કી બાતના આ કાર્યક્રમમાં તમારી બધાની સાથે રૂબરૂ થવાનું સૌભાગ્ય મળ્યું છે. હમણાં થોડા દિવસો પહેલાં જ બેંગલુરુમાં એક ઐતિહાસિક ક્રિકેટ મેચ યોજાઈ. તમે લોકો થોડું ઘણું સમજી જ ગયા હશો કે હું ભારત અને અફઘાનિસ્તાનની ટેસ્ટ મેચની વાત કરી રહ્યો છું. તે અફઘાનિસ્તાનની પ્રથમ આંતરારાષ્ટ્રીય મેચ હતી અને તે ભારતીય માટે ગર્વની વાત છે કે અફઘાનિસ્તાનની આ ઐતિહાસિક મેચ ભારત સાથે હતી. આ મેચમાં બંને ટીમોએ બહુ સારું પ્રદર્શન કર્યું હતુંઅને બીજા અફઘાનિસ્તાનના જ અન્ય બોલર રાશિદ ખાને તો આ વર્ષે આઈપીએલમાં પણ ઘણું સારું પ્રદર્શન કર્યું હતું અને મને યાદ છે કે અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિ શ્રીમાન અશરફ ગનીએ મને ટેગ કરીને પોતાના ટ્વીટર પર લખ્યું હતું, અફઘાનિસ્તાનના લોકોને પોતાના હીરો રાશિદ ખાન પર અત્યંત ગર્વ છે. હું આપણા ભારતીય મિત્રોનો આભારી છું કે જેમણે આપણા ખેલાડીઓને પોતાનું કૌશલ્ય દેખાડવા માટે એક પ્લેટફોર્મ પૂરું પાડ્યું છે. અફઘાનિસ્તાનમાં જે શ્રેષ્ઠ છે રાશિદ તેનું પ્રતિનિધિત્વ કરે છે. તે ક્રિકેટની દુનિયાની એસેટ છે અને તેની સાથે તેમણે થોડા મજાકના અંદાજમાં એ પણ લખ્યું કે નહીં અમે એને કોઈને આપી દઈએ. આ મેચ આપણા બધા માટે એક યાદગાર મેચ રહેશે. આ તો પહેલી મેચ હતી તેથી યાદ રહેવી ઘણું સ્વાભાવિક છે પરંતુ મને એ મેચ કોઈ વિશેષ કારણથી યાદ રહેશે. ભારતીય ટીમે કંઈક એવું કર્યું, જે આખા વિશ્વ માટે એક ઉદાહરણ છે. ભારતીય ટીમે ટ્રોફી લેતી વખતે એક વિજેતા ટીમ શું કરી શકે છે, તે તેમણે કર્યું. ભારતીય ટીમે ટ્રોફી લેતી વખતે અફઘાનિસ્તાનની ટીમ જે પહેલીવાર આંતરરાષ્ટ્રિય મેચ રમી રહી હતી, અફઘાનિસ્તાનની ટીમને આમંત્રિત કરી અને બંને ટીમોએ સાથે ફોટો પડાવ્યો. Sportsman spirit શું હોય છે, Sportsmanship શું હોય છે – આ એક ઘટનાથી આપણે અનુભવ કરી શકીએ છીએ. રમત સમાજને એક કરવા તેમજ આપણા યુવાનોમાં જે કૌશલ છે, તેમનામાં જે પ્રતિભા છે તેને શોધવાનો એક બહુ સારો ઉપાય છે. ભારત અને અફઘાનિસ્તાન બંને ટીમોને મારી શુભકામનાઓ છે. મને આશા છે કે અમે આગળ પણ આવી જ રીતે એકબીજા સાથે, પૂરા Sportsman spirit સાથે રમીશું પણ અને ખીલશું પણ.

        મારા પ્રિય દેશવાસીઓ આ 21 જૂને ચોથા યોગ દિવસ પર એક અલગ જ નજારો હતો. આખી દુનિયા એકસાથે નજરે પડી. વિશ્વભરમાં લોકોએ પૂરા ઉત્સાહ અને ઉમંગ સાથે યોગાભ્યાસ કર્યો. Brusselsમાં Europian Parliament હોય, ન્યૂયોર્ક સ્થિત સંયુક્ત રાષ્ટ્રનું મુખ્યાલય હોય, જાપાની નૌ-સેનાના લડાકૂ જહાજ હોય, દરેક જગ્યાએ લોકો યોગ કરતા નજરે પડ્યા. સાઉદી અરેબિયામાં પહેલીવાર યોગનો ઐતિહાસિક કાર્યક્રમ થયો અને મને કહેવામાં આવ્યું કે ઘણાં બધા આસનોના demonstration તો મહિલાઓએ કર્યું. લદ્દાખના ઉંચા બર્ફિલા શિખરો પર ભારત અને ચીનના સૈનિકોએ એકસાથે મળીને યોગાભ્યાસ કર્યો. યોગ બધી સીમાઓને તોડીને, જોડવાનું કામ કરે છે. સેંકડો દેશોના હજારો ઉત્સાહી લોકોએ જાતિ, ધર્મ, ક્ષેત્ર, રંગ અથવા લિંગ, દરેક પ્રકારના ભેદભાવથી ઉપર જઈને આ અવસરને એક ઘણો મોટો ઉત્સવ બનાવી દીધો. જો દુનિયાભરના લોકો આટલા ઉત્સાહિત થઈને યોગ દિવસના કાર્યક્રમોમાં ભાગ લઈ રહ્યા હતા તો ભારતમાં તેનો ઉત્સાહ અનેક ગણો કેમ નહીં હોય.

        દેશને ગર્વ થાય છે, જ્યારે સવા સો કરોડ લોકો જુએ છે કે અમારા દેશના સુરક્ષા બળના જવાનોએ નૌ-સેના, થલસેના તેમજ વાયુસેના ત્રણેય જગ્યાએ યોગનો અભ્યાસ કર્યો. કેટલાક વીર સૈનિકોએ ક્યાંક સબમરીનામાં યોગ કર્યો, તો કેટલાક સૈનિકોએ સિયાચીનમાં બરફના પહાડો પર યોગાભ્યાસ કર્યો. વાયુસેનાના આપણા યોદ્ધાઓએ તો આકાશની વચ્ચે, ધરતીથી 15 હજાર ફૂટની ઉંચાઈ પર યોગાસન કરીને બધાને સ્તબ્ધ કરી દીધા. જોવાનો નજારો એ હતો કે તેમણે વિમાનમાં બેસીને નહીં પરંતુ હવામાં તરતા યોગ કર્યા. સ્કૂલ હોય, કોલેજ હોય, કાર્યાલય હોય, પાર્ક હોય, ઉંચી ઈમારત હોય કે રમતગમતનું મેદાન હોય, દરેક જગ્યાએ યોગાભ્યાસ થયો. અમદાવાદનું એક દ્રશ્ય તો હ્રદય સ્પર્શી હતું. ત્યાં લગભગ 750 દિવ્યાંગ ભાઈ-બહેનોએ એક સ્થળ પર, એક સાથે ભેગા યોગાભ્યાસ કરીને વિશ્વ કિર્તિમાન સ્થાપિત કર્યો. યોગે જાતિ, પંથ અને ભૂગોળથી પણ આગળ જઈને વિશ્વભરના લોકોને ભેગા કરવાનું કામ કર્યું છે. વસુધૈવ કુટુંબકમ ના જે ભાવને આપણે સદીયોથી જીવતા આવ્યા છીએ. આપણા ઋષિ, મુનિ, સંત જેના પર હંમેશા જોર આપતા હતા, યોગે તેને સાચી રીતે સિદ્ધ કરીને દેખાડ્યું. હું માનું છું કે આજેયોગ એકwellness, revolution નું કામ કરી રહ્યું છે. હું આશા કરું છું કે યોગ થી wellnessની જે ચળવળ ચાલી છે, તે આગળ વધશે. વધારેમાં વધારે લોકો તેને પોતાના જીવનનો હિસ્સો બનાવશે.

        મારા પ્રિય દેશવાસીઓ. My Gov અને નરેન્દ્ર મોદી એપ પર કેટલાય લોકોએ મને લખ્યું કે હું આ વખતે ‘મન કી બાત’માં 1 જુલાઈએ આવનારા ‘ડોક્ટર્સ ડે’ વિશે વાત કરું – સાચી વાત છે. આપણે મુસીબતના સમયમાં જ ડોક્ટરને યાદ કરીએ છીએ પરંતુ આ એક એવો દિવસ છે જ્યારે દેશ આપણા ડોક્ટર્સની ઉપલબ્ધિઓની ઉજવણી કરે છે અને સમાજ પ્રત્યે તેમની સેવા અને સમર્પણ માટે તેમને બહુ જ ધન્યવાદ આપે છે. આપણે એ લોકો છીએ જે સ્વાભાવતઃ માં ને ભગવાનના રૂપમાં પૂજીએ છીએ, ભગવાનની બરાબર માનીએ છીએ કારણે કે માં આપણને જીવન આપે છે. માં આપણને જન્મ આપે છે, તો કેટલીકવાર ડોક્ટર આપણને પુનઃ જન્મ આપે છે. ડોક્ટરની ભૂમિકા માત્ર બિમારીઓનો ઈલાજ કરવા સુધી સીમિત નથી. હંમેશા ડોક્ટર પરિવારના મિત્ર જેવા હોય છે. આપણા Lifestyle Guides છે, – “They not only cure but also heal”. આજે ડોક્ટર્સ પાસે Medical expertise તો હોય જ છે સાથે જ તેમની પાસે general life style trends વિશે, તેનો આપણા સ્વાસ્થ્ય પર શું પ્રભાવ પડે છે, તે બધા વિશે બહુ ઉંડો અનુભવ હોય છે. ભારતીય ડોક્ટરોએ પોતાની ક્ષમતા અને કૌશલથી આખા વિશ્વમાં પોતાની ઓળખ બનાવી છે. Medical professionમાં મહારથ, hardworking ની સાથે સાથે આપણા ડોક્ટર complex medical problems ને ઉકેલવા માટે પણ જાણીતા છે. મન કી બાત ના માધ્યથી હું દરેક દેશવાસીઓની તરફથી આપણા બધા ડોક્ટર સાથીઓને આગામી 1 જુલાઈએ આવનારા ‘ડોક્ટર્સ ડે’ની અઢળક શુભેચ્છા આપું છું.

        મારા પ્રિય દેશવાસીઓ. આપણે એવા ભાગ્યશાળી લોકો છીએ જેનો આ ભારત ભૂમિમાં જન્મ થયો છે. ભારત એક એવો સમૃદ્ધ ઈતિહાસ રહ્યું છે, જ્યારે કોઈ એવો મહિનો નહીં હોય, કોઈ એવો દિવસ નહીં હોય, જેમાં કોઈને કોઈ ઐતિહાસિક ઘટના ન ઘટી હોય. જોઈઓ તો ભારતમાં દરેક જગ્યાનો પોતાનો એક વારસો છે. ત્યાંથી જોડાયેલા કોઈ સંત છે, કોઈ મહાપુરુષ છે, કોઈ પ્રસિદ્ધ વ્યક્તિ છે, દરેકનું પોતપોતાનું યોગદાન છે, પોતાનું મહાત્મ્ય છે.

“પ્રધાનમંત્રી જી નમસ્કાર. હું ડો. સુરેન્દ્ર મિશ્ર બોલું છું. અમને ખબર પડી છે કે 28 જૂને આપ મગહર આવી રહ્યા છો. હું મગહરની બાજુમાં જ એક નાના ગામ તડવા, જે ગોરખપુરમાં છે, ત્યાંનો રહેવાસી છું. મગહર કબીરનું સમાધી સ્થળ છે અને કબીરને લોકો અહીં સામાજિક સમરસતા માટે યાદ રાખે છે અને કબીરના વિચારો પર દરેક સ્તરે ચર્ચા થાય છે. આપની કાર્યયોજનાથી આ દિશામાં સમાજના દરેક સ્તર પર ઘણો પ્રભાવ પડશે. આપને પ્રાર્થના છે કે ભારત સરકારની જે કાર્યયોજના છે, તેના વિશે અવગત કરાવવા કૃપા કરશો. ”

        આપના ફોન કોલ માટે ખૂબ-ખૂબ ધન્યવાદ. એ સાચું છે કે હું 28 તારીખે મગહર આવી રહ્યો છું અને આમ પણ જ્યારે હું ગુજરાતમાં હતો, ગુજરાતનો કબીરવડ તો આપ જાણતા જ હશો. જ્યારે હું ત્યાં કામ કરતો હતો, તો મેં એક સંત કબીરની પરંપરાથી જોડાયેલા લોકોનું એક બહુ મોટું રાષ્ટ્રિય અધિવેશન કર્યું હતું. તમે લોકો જાણો છો, કબીરદાસજી મગહર કેમ આવ્યા હતા? એ સમયે એક ધારણા હતી કે મગહરમાં જેનું મૃત્યુ થાય, તે સ્વર્ગ નથી જતા. તેનાથી ઉંધું કાશીમાં જે શરીર ત્યાગ કરે છે, તે સ્વર્ગમાં જાય છે. મગહરને અપવિત્ર માનવામાં આવતું હતું પરંતુ સંત કબીરદાસ તેના પર વિશ્વાસ નહોતા કરતા. તેમના સમયની આવી જ કુરીતિઓ અને અંધવિશ્વાસને તેમણે તોડવાનું કામ કર્યું અને તેથી તેઓ મગહર ગયા અને ત્યાંજ તેમણે સમાધી લીધી. સંત કબીરદાસજીએ તેમની સાખીઓ તેમજ દોહાના માધ્યમથી સામાજિક સમાનતા, શાંતિ અને ભાઈચારા પર ભાર આપ્યો. તે તેમના આદર્શ હતા. તેમની રચનાઓમાં આપણને આ જ આદર્શો જોવા મળે છે અને આજના યુગમાં પણ તે એટલા જ પ્રેરક છે. તેમનો એક દોહા છેઃ-

“કબીર સોઈ પીર હૈ, જો જાને પર પીર

જો પર પીર ન જાનહી, સો કા પીર મેં પીર”

તેનો મતલબ કે સાચો પીર સંત એ જ છે જે બીજાની પીડા ને જાણતો હોય અને સમજતો હોય, જે બીજાના દુઃખને નથી જાણતા તે નિષ્ઠુર છે. કબીરદાસજીએ સામાજિક સમરસતા પર વિશેષ ભાર આપ્યો હતો. તેઓ પોતાના સમયથી ઘણું આગળનું વિચારતા હતા. તે સમય જ્યારે વિશ્વમાં પડતી અને સંઘર્ષનો સમય ચાલી રહ્યો હતો, તેમણે શાંતિ અને સદભાવનો સંદેશ આપ્યો અને લોકમાનસને એક કરીને મતભેદોને દૂર કરવાનું કામ કર્યું.

“જગ મેં બૈરી કોઈ નહીં, જો મન શીતલ હોય,

યહ આપા તો ડાલ દે, દયા કરે સબ કોય”

અન્ય દોહામાં કબીર લખે છે કે,

 

“જહાં દયા તહં ધર્મ હૈ, જહાં લોભ તહં પાપ,

જહાં ક્રોધ તહં કાલ હૈ, જહાં ક્ષમા તહં આપ”.

તેમણે કહ્યું,

“જાતિ ન પૂછો સાધૂ કી, પૂછ લીજિયે જ્ઞાન”

 

અને લોકોને અપીલ કરી કે તેઓ ધર્મ અને જાતિથી ઉપર ઉઠીને લોકોને જ્ઞાનના આધાર પર માને, તેમનું સન્માન કરે, તેમની વાતો આજે સદિઓ બાદ પણ તેટલી જ પ્રભાવી છે. અત્યારે જ્યારે આપણે સંત કબીરદાસજી વિશે વાત કરી રહ્યા છીએ તો મને તેમનો એક દોહા યાદ આવે છે. જેમાં તેઓ કહે છે,

 

“ગુરુ ગોવિન્દ દોઉ ખડે, કાકે લાગું પાય

બલિહારી ગુરુ આપને, ગોવિન્દ દિયો બતાય.”

 

આવી હોય છે આ ગુરુની મહાનતા અને એવા જ એક ગુરુ છે જગતગુરુ- ગુરુનાનક દેવ જેમણે કરોડો લોકોને સન્માર્ગ દેખાડ્યો, સદીઓથી પ્રેરણા આપતા રહ્યા છે. ગુરુ નાનક દેવે સમાજમાં જાતીગત ભેદભાવને પૂરા કરવા અને આખી માનવજાતીને એક માનીને તેમને ગળે લગાડવાની શિક્ષા આપી. ગુરુ નાનક દેવ કહેતા હતા કે ગરીબો અને જરૂરિયાતવાળાઓની સેવા જ ભગવાનની સેવા છે. તેઓ જ્યાં પણ ગયા તેમણે સમાજની ભલાઈ માટે કેટલીયે પહેલ કરી. સામાજિક ભેદભાવથી મુક્ત રસોઈની વ્યવસ્થા જ્યાં દરેક જાતિ, પંત, ધર્મ કે સંપ્રદાયનો વ્યક્તિ આવીને ખાવાનું ખાઈ શકે છે. ગુરુ નાનક દેવે જ તો આ લંગર વ્યવસ્થાની શરૂઆત કરી હતી. 2019માં ગુરુ નાનક દેવજીનું 550મું પ્રકાશ પર્વ મનાવવામાં આવશે. હું ઈચ્છું છું કે આપણે બધા લોકો ઉત્સાહ અને ઉમંગ સાથે તેની સાથે જોડાઈએ. તમારા લોકોથી પણ મારો આગ્રહ છે કે ગુરુ નાનક દેવ જીના 550 મા પ્રકાશ પર્વ પર આખા સમાજમાં અને વિશ્વભરમાં તેને કેવી રીતે મનાવાય, નવા-નવા આઈડીયા કયા હોય, નવા-નવા વિચારો કયા હોય, નવી-નવી કલ્પનાઓ કઈ હોય, તેના પર આપણે વિચારીએ, તૈયારી કરીએ અને ઘણાં ગૌરવ સાથે તેને આપણે બધા, આ પ્રકાશ પર્વને પ્રેરણા પર્વ બનાવીએ.

        મારા પ્રિય દેશવાસીઓ. ભારતની આઝાદીનો સંઘર્ષ ઘણો લાંબો છે, બહુ વ્યાપક છે, બહુ ઉંડો છે, અગણિત શહિદીઓથી ભરેલો છે. પંજાબથી જોડાયેલો એક ઈતિહાસ છે. 2019માં જલિયાવાલા બાગની એ ભયાનક ઘટનાના પણ 100 વર્ષ પૂરા થઈ રહ્યા છે જેને માનવતાને શરમમાં મૂકી દીધી હતી. 13 એપ્રિલ 1919નો એ કાળો દિવસ કોણ ભૂલી શકે છે જ્યારે પાવરનો દુરુપયોગ કરતાં ક્રૂરતાની બધી હદ પાર કરીને નિર્દોષ, હથિયાર વગરના અને માસૂમ લોકો પર ગોળીઓ ચલાવાઈ હતી. આ ઘટનાના 100 વર્ષ પૂરા થવાના છે. એનું આપણે સ્મરણ કરીએ, આપણે બધા તેના પર વિચાર કરી શકીએ છીએ, પરંતુ આ ઘટનાએ જે અમર સંદેશ આપ્યો, તેને આપણે હંમેશા યાદ રાખીએ. આ હિંસા અને ક્રૂરતાથી ક્યારેય પણ કોઈ સમસ્યાનું સમાધાન નથી કરી શકાતું. જીત હંમેશા શાંતિ અને અહિંસાની થાય છે, ત્યાગ અને બલિદાનની થાય છે.

        મારા પ્રિય દેશવાસીઓ. દિલ્હીના રોહિણીના શ્રીમાન રમણ કુમારે નરેન્દ્ર મોદી મોબાઇલ એપ પર લખ્યું છે કે આવનારી 6 જુલાઈએ ડો. શ્યામાપ્રસાદ મુખર્જીનો જન્મદિવસ છે અને તેઓ ઈચ્છે છે કે આ કાર્યક્રમમાં ડો.શ્યામા પ્રસાદ મુખર્જી વિશે દેશવાસીઓ સાથે વાત કરું. રમણજી સૌથી પહેલાં તો તમને ખૂબ-ખૂબ ધન્યવાદ. ભારતના ઈતિહાસમાં તમારી રૂચી જોઈને ઘણું સારું લાગ્યું. તમે જાણો છો, કાલે જ ડો. શ્યામા પ્રસાદ મુખર્જીની પુણ્યતિથિ હતી 23 જૂને. ડો. શ્યામા પ્રસાદ મુખર્જી કેટલાય ક્ષેત્રો સાથે જોડાયેલા રહ્યા પરંતુ જે ક્ષેત્રો તેમનાથી સૌથી નજીક રહ્યા તે હતા education, administrations અને parliamentary affairs. બહુ ઓછા લોકોને ખબર હશે કે કોલકાતા વિશ્વવિદ્યાલયના સૌથી ઓછી ઉંમરના વાઈસ ચાન્સેલર હતા. જ્યારે તેઓ વાઈસ ચાન્સેલર બન્યા હતા ત્યારે તેમની ઉંમર માત્ર 33 વર્ષ હતી. બહુ ઓછા લોકો જાણતા હશે કે 1937માં ડો. શ્યામા પ્રસાદ મુખર્જીના નિમંત્રણ પર શ્રી ગુરુદેવ રવિન્દ્રનાથ ટાગોરે કોલકાતા વિશ્વવિદ્યાલયમાં convocation ને બાંગ્લા ભાષામાં સંબોધિત કર્યું હતું. એ પહેલો અવસર હતો, જ્યારે અંગ્રેજોની સલ્તનત હતી અને કોલકાતા વિશ્વવિદ્યાલયમાં કોઈએ બાંગ્લા ભાષામાં convocation ને સંબોધિત કર્યું હતું. 1947 થી 1950 સુધી ડો. શ્યામા પ્રસાદ મુખર્જી ભારતના પહેલા ઉદ્યોગ મંત્રી રહ્યા અને એક અર્થમાં જોઈએ તો તેમણે ભારતનો અને ઔદ્યોગિક વિકાસનો મજબૂત શિલાન્યાસ કર્યો હતો, મજબૂત base તૈયાર કર્યો હતો, એક મજબૂત પ્લેટફોર્મ તૈયાર કર્યું હતું. 1948માં આવેલી સ્વતંત્ર ભારતની પહેલી ઔદ્યોગીક નીતિ તેમના આઈડિયા અને વિઝનની છાપ લઈને આવી હતી. ડો. મુખર્જીનું સપનું હતું, ભારત દરેક ક્ષેત્રમાં ઔદ્યોગિક રૂપથી આત્મનિર્ભર હોય, કુશળ અને સમૃદ્ધ હોય. તેઓ ઈચ્છતા હતા કે ભારત મોટા ઉદ્યોગોને ડેવેલપ કરે અને સાથે જ MSME, હાથશાળ, વસ્ત્ર અને કુટિર ઉદ્યોગ પર પણ પૂરું ધ્યાન આપે. કુટિર અને લઘુ ઉદ્યોગોના સારા વિકાસ માટે તેમને ફાઈનાન્સ અને Organization Setup મળે, તેને માટે 1948 થી 1950 વચ્ચે All India Handicrafts Board, All IndiaHandloom Boardઅને Khadi& Village Industries Board ની સ્થાપના કરવામાં આવી હતી. ડો. મુખર્જીના ભારતના રક્ષા ઉત્પાદનના સ્વદેશીકરણ પર પણ વિશેષ ભાર આપ્યો હતો. Chittaranjan Locomotive Works factory, Hindustan Aircraft Factory, સિંદરીનું ખાતરનું કારખાનું અને દામોદર ઘાટી નિગમ, આ ચાર સૌથી સફળ અને મોટા પ્રોજેક્ટ્સ ને અને બીજા River Valley Projectsની સ્થાપનામાં ડો. શ્યામાપ્રસાદ મુખર્જીનું બહુ મોટું યોગદાન હતું. પશ્ચિમ બંગાળના વિકાસ માટે તેઓ ખૂબ જ સમર્પિત હતા. તેમની સમજ, વિવેક અને સક્રિયતાનું જ પરિણામ છે કે બંગાળનો એક હિસ્સો બચાવી શકાયો અને તે આજે ભારતનો હિસ્સો છે. ડો. શ્યામાપ્રસાદ મુખર્જી માટે જે સૌથી મહત્વપૂર્ણ વાત જે હતી તે હતી, ભારતની અખંડિતતા અને એકતા – અને તેને માટે 52 વર્ષની ઓછી ઉંમરમાં જ તેમણે પોતાનો જીવ પણ ગુમાવવો પડ્યો. આવો, આપણે હંમેશા ડો. શ્યામાપ્રસાદ મુખર્જીના એકતાના સંદેશને યાદ રાખીએ, સદભાવ અને ભાઈચારાની ભાવના સાથે, ભારતની પ્રગતિ માટે જોડાયેલા રહીએ.

        મારા પ્રિયે દેશવાસીઓ ગત કેટલાક સપ્તાહમાં મને વીડિયો કોલના માધ્યમથી સરકારની વિભિન્ન યોજાનાઓના લાભાર્થીઓ સાથે સંવાદ કરવાનો અવસર મળ્યો. ફાઈલોથી આગળ વધીને લોકોની લાઈફમાં જે ફેરફાર આવી રહ્યા છે, તેના વિશે સીધા તેમની પાસેથી જાણવાનો અવસર મળ્યો. લોકોએ પોતાના સંકલ્પ, પોતાના સુખ-દુઃખ, પોતાની ઉપલબ્ધિઓ વિશે જણાવ્યું. હું માનું છું કે મારા માટે આ માત્ર એક સરકારી કાર્યક્રમ નહોતો પરંતુ એક અલગ રીતનો learning experience હતો અને આ દરમિયાન લોકોના ચહેરા પર જે ખુશીઓ જોવા મળી, તેનાથી મોટી સંતોષની પળ કોઈના જીવનમાં કઈ હોઈ શકે? જ્યારે એક સામાન્ય માનવીની વાત સાંભળતો હતો. તેમના ભોળા શબ્દો પોતાના અનુભવની કથા તેઓ જે કહી રહ્યા હતા, હ્રદયને સ્પર્શી જતી હતી. દૂર-દૂરના ગામોમાં દીકરીઓ common service center ના માધ્યમથી ગામના વૃદ્ધોના પેન્શનથી લઈને પાસપોર્ટ બનાવવા સુધીની સેવાઓ ઉપલબ્ધ કરાવી રહી છે. જ્યારે છત્તીસગઢની કોઈ બહેન સિતાફળને ભેગા કરીને તેનો આઈસક્રીમ બનાવીને વ્યવસાય કરતી હોય. ઝારખંડમાં અંજન પ્રકાશની જેમ દેશના લાખો યુવાનો જન ઔષધિ કેન્દ્ર ચલાવવાની સાથે સાથે આસપાસના ગામોમાં જઈને સસ્તી દવાઓ ઉપલબ્ધ કરાવી રહ્યા છે. તો પશ્ચિમ બંગાળના કેટલાય નવયુવાનો બે-ત્રણ વર્ષ પહેલા સરકારી નોકરી શોધતા હોય અને હવે તેઓ માત્ર પોતાનો સફળ વ્યવસાય કરી રહ્યા છે, એટલું જ નહીં, દસ-પંદર લોકોને નોકરી પણ આપી રહ્યા છે. તો આ તરફ તમિલનાડુ, પંજાબ, ગોવાની સ્કૂલના વિદ્યાર્થીઓ પોતાની નાની ઉંમરમાં સ્કૂલની tinkering lab માં વેસ્ટ મેનેજમેન્ટ જેવા important topic પર કામ કરી રહ્યા હોય. ન જાણે કેટ-કેટલીયે વાતો હતી. દેશનો કોઈ ખૂણો એવો નહીં હોય જ્યાં લોકોને પોતાની સફળતાની વાત નહીં કહેવી હોય. મને ખુશી એ વાતની છે કે આ આખા કાર્યક્રમમાં સરકારની સફળતાથી વધારે સામાન્ય માનવીની સફળતાની વાતો દેશની શક્તિ, નવા ભારતના સપનાંની શક્તિ, નવા ભારતના સંકલ્પની શક્તિ – તેનો હું અનુભવ કરી રહ્યો હતો. સમાજમાં કેટલાક લોકો હોય છે. તેઓ જ્યાં સુધી નિરાશાની વાતો ન કરે, હતાશાની વાતો ન કરે, અવિશ્વાસ પેદા કરવાનો પ્રયાસ ન કરે, જોડવા કરતાં તોડવાના રસ્તા ન શોધે ત્યાં સુધી તેમને ચેન ન પડે. એવા વાતાવરણમાં સામાન્ય માનવી જ્યારે નવી આશા, નવો ઉમંગ અને પોતાના જીવનમાં ઘટેલી ઘટનાઓની વાત લઈને આવે છે તો તે સરકારનો શ્રેય નથી હોતો. દૂર-દૂરના એક નાનાં ગામની નાની બાળકીની ઘટના પણ સવા સો કરોડ દેશવાસીઓ માટે પ્રેરણા બની જાય છે. મારા માટે ટેક્નોલોજીની મદદથી, video bridge ના માધ્યમથી લાભાર્થિઓ સાથે સમય વિતાવવાની એક પળ બહુ જ સુખદ, બહુ જ પ્રેરક રહી છે અને તેનાથી કાર્ય કરવાનો સંતોષ તો મળે જ છે પરંતુ વધુ કાર્ય કરવાનો ઉત્સાહ પણ મળે છે. ગરીબ થી ગરીબ વ્યક્તિ માટે જિંદગી આપવાનો એક નવો આનંદ, એક નવો ઉત્સાહ, વધુ એક નવી પ્રેરણા પ્રાપ્ત થાય છે .

        હું દેશવાસીઓનો ઘણો આભારી છું. 40-40, 50-50 લાખ લોકો આ video bridge ના કાર્યક્રમમાં જોડાયા અને મને નવી તાકાત આપવાનું કામ તમે કર્યું. હું ફરી એકવાર તમારા બધાનો આભાર વ્યક્ત કરવા માગું છું.

        મારા પ્રિય દેશવાસીઓ. હું હંમેશા અનુભવ કરું છું, જો આપણે આપણી આસપાસ જોઈએ તો ક્યાંક ને ક્યાંક, કંઈક ને કંઈક સારું હોય છે. સારું કરવાવાળા લોકો હોય છે. સારાપણાની સુગંધ આપણે પણ અનુભવ કરી શકીએ છીએ. ગત દિવસોમાં એક વાત મારા મનમાં આવી અને તે એક અનોખું combination છે. તેમાં એક તરફ જ્યાં પ્રોફેશનલ્સ અને એન્જિનીયર્સ છે તો બીજી તરફ ખેતરમાં કામ કરનારા, ખેતી સાથે જોડાયેલા આપણા ખેડૂત ભાઈ-બહેન છે. હવે તમે વિચારતા હશો કે આ તો બે બિલકુલ અલગ-અલગ વ્યવસાય છે – તેનો શું સંબંધ? પરંતુ એવું છે કે બેંગલુરુમાં corporate professionals, IT engineersસાથે આવ્યા. તેમણે સાથે મળીને એક સહજ સમૃદ્ધિ ટ્રસ્ટ બનાવ્યું છે અને તેમણે ખેડૂતોની આવક બમણી થાય, તેના માટે આ ટ્રસ્ટને activate કર્યું છે. ખેડૂતો સાથે જોડાતા ગયા અને યોજાનઓ બનાવતા ગયા અને ખેડૂતોની આવક વધારવા માટે સફળ પ્રયાસો કરતા રહ્યા. ખેતીના નવી રીત શિખવાડવાની સાથે જૈવિક ખેતી કેવી રીતે કરાય, ખેતરમાં એક પાકની સાથે અન્ય પાક કેવી રીતે ઉગાડાય, તે ટ્રસ્ટ દ્વારા આ professionals, engineers, technocrats દ્વારા ખેડૂતોને training આપવામાં આવી. પહેલા જે ખેડૂત પોતાના ખેતરોમાં એક જ પાક પર નિર્ભર રહેતા હતા. ઉપજ પણ સારી નહોતી થતી અને નફો પણ વધુ નહોતો થતો. આજે તેઓ ન માત્ર શાકભાજી ઉગાડી રહ્યા છે પરંતુ પોતાના શાકભાજીનું માર્કેટિંગ પણ ટ્રસ્ટના માધ્યમથી કરીને સારા ભાવ મેળવી રહ્યા છે. અનાજ ઉત્પાદન કરનારા ખેડૂતો પણ તેનાથી જોડાયેલા છે. એક તરફ પાકના ઉત્પાદનથી માંડીને માર્કેટિંગ સુધી પૂરી ચેઈનમાં ખેડૂતોની એક પ્રમુખ ભૂમિકા છે તો બીજી તરફ નફામાં ખેડૂતોની ભાગીદારી સુનિશ્ચિત, તેમનો હક સુનિશ્ચિત કરવાનો પ્રયાસ છે. પાક સારો ઉતરે, તેના માટે સારી નસલના બીજ હોય. તેના માટે અલગ સીડ-બેન્ક બનાવવામાં આવી. મહિલાઓ આ સીડ-બેન્કનું કામકાજ જોવે છે. મહિલાઓને પણ જોડવામાં આવી છે. હું આ યુવાનોને આ અભિનવ પ્રયોગ માટે ખૂબ-ખૂબ ધન્યવાદ આપું છું અને મને ખુશી છે કે professionals, technocrats, engineeringની દુનિયા સાથે જોડાયેલા આ નવયુવાનોએ પોતાની સીમાથી બહાર નીકળીને ખેડૂતો સાથે જોડાવું, ગામ સાથે જોડાવું, ખેતરો સાથે જોડાવાનો જે રસ્તો અપનાવ્યો છે. હું ફરી એકવાર મારા દેશની યુવા પેઢીને તેમના આ અભિનવ પ્રયોગોને, થોડું હું કદાચ જાણ્યો હોઈશ, કંઈક નહીં જાણ્યો હોઉં, કેટલાક લોકોને ખબર હશે, કેટલાકને નહીં ખબર હોય, પરંતુ નિરંતર કરોડો લોકો કંઈકને કંઈક સારું કરી રહ્યા છે, તે બધાને મારા તરફથી ખૂબ-ખૂબ શુભકામનાઓ છે.

        મારા પ્રિય દેશવાસીઓ. GST ને એક વર્ષ પૂર્ણ થવાનું છે.‘One Nation, One Tax’ દેશના લોકોનું સપનું હતું, તે આજે હકીકતમાં બદલાઈ ચૂક્યું છે.One Nation, One Tax reform, તેના માટે જો મારે સૌથી વધુ જો કોઈને creditઆપવી હોય તો હું રાજ્યોને credit આપું છું.GST Cooperative federalismનું એક બહુ સારું ઉદાહરણ છે, જ્યાં બધા રાજ્યોએ મળીને દેશહીતમાં નિર્ણય લીધો અને ત્યારે દેશમાં આટલું મોટું ટેક્સ રિફોર્મ લાગુ થઈ શક્યું. અત્યાર સુધી GST Councilની 27 મીટિંગ થઈ છે અને આપણે સૌ ગર્વ કરી શકીએ કે અલગ-અલગ રાજનીતિક વિચારધારાના લોકો ત્યાં બેસે છે, અલગ-અલગ રાજ્યોના લોકો બેસે છે, અલગ અલગ priority વાળા રાજ્યો હોય છે પરંતુ તે ઉપરાંત પણ GST Council માં અત્યારસુધી જેટલા પણ નિર્ણય લેવાયા છે, તે બધા સર્વસહમતિ થી લેવાયા છે. GST થી પહેલા દેશમાં 17 અલગ-અલગ પ્રકારના ટેક્સ હતા પરંતુ આ વ્યવસ્થામાં હવે માત્ર એક જ ટેક્સ આખા દેશમાં લાગુ કરાયો છે.GST ઈમાનદારીની જીત છે અને ઈમાનદારીનો એક ઉત્સવ પણ છે. પહેલા દેશમાં ઘણી વખત ટેક્સના મામલામાં ઈન્સ્પેક્ટરરાજની ફરિયાદો આવતી રહેતી હતી. GSTમાં ઈન્સ્પેક્ટરની જગ્યા IT એટલે કે Information Technology એ લઈ લીધી છે.Return થી લઈને Refund સુધી બધું Online Information Technologyદ્વારા થાય છે. GSTના આવવાથી ચેક પોસ્ટ બંધ થઈ ગઈ અને માલ-સામાનોનું આવન-જાવન ઝડપી થઈ ગયું, જેનાથી ન માત્ર સમય બચી રહ્યો છે પરંતુ Logistics નાક્ષેત્રમાં પણ તેનો ઘણો લાભ મળી રહ્યો છે.GST કદાચ દુનિયાનું સૌથી મોટું ટેક્સ રિફોર્મ હશે. ભારતમાં આટલું મોટું ટેક્સ રિફોર્મ સફળ એટલે થઈ શક્યું કારણ કે દેશના લોકોએ તેને અપનાવ્યું અને જનશક્તિ દ્વારા જ GST ની સફળતા સુનિશ્ચિત થઈ શકી. સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે આટલું મોટું રિફોર્મ, આટલો મોટો દેશ, આટલી મોટી જન સંખ્યા તેને પૂરી રીતે સ્થિર થવામાં 5 થી 7 વર્ષનો સમય લાગે છે પરંતુ દેશના ઈમાનદાર લોકોનો ઉત્સાહ, દેશની ઈમાનદારીનો ઉત્સવ જનશક્તિની ભાગીદારીનું પરિણામ છે કે એક વર્ષની અંદર મોટી માત્રામાં આ નવી કર પ્રણાલી પોતાની જગ્યા બનાવી ચૂકી છે, સ્થિરતા પ્રાપ્ત કરી ચૂકી છે અને આવશ્યકતા અનુસાર પોતાની inbuilt વ્યવસ્થા દ્વારા તે સુધારા પણ કરતી રહે છે.તે પોતાનામાં એક બહુ મોટી સફળતા સવા સો કરોડ દેશવાસીઓએ અર્પણ કરી છે.

        મારા પ્રિય દેશવાસીઓ. ફરી એકવાર મન કી બાત ને પૂર્ણ કરતાં હવે પછીના મન કી બાતની રાહ જોઈ રહ્યો છું, તમને મળવાની, તમારી સાથે વાતો કરવાની. તમને ખૂબ-ખૂબ શુભકામનાઓ.

ખૂબ-ખૂબ ધન્યવાદ.

 

  • Priya Satheesh January 16, 2025

    🐯
  • ram Sagar pandey November 05, 2024

    🌹🌹🙏🙏🌹🌹जय माँ विन्ध्यवासिनी👏🌹💐🌹🌹🙏🙏🌹🌹जय श्रीराम 🙏💐🌹🌹🌹🙏🙏🌹🌹
  • Pradhuman Singh Tomar July 26, 2024

    bjp
  • Dr Swapna Verma March 12, 2024

    जय हो
  • ज्योती चंद्रकांत मारकडे February 07, 2024

    जय हो
  • Babla sengupta December 24, 2023

    Babla sengupta
  • Diwakar Sharma December 19, 2023

    namo namo
  • amit sharma October 03, 2022

    नमों
  • amit sharma October 03, 2022

    नमो भगवते वासुदेवाय
  • amit sharma October 03, 2022

    नमो भगवते
Explore More
78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ
India’s fruit exports expand into western markets with GI tags driving growth

Media Coverage

India’s fruit exports expand into western markets with GI tags driving growth
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
We remain committed to deepening the unique and historical partnership between India and Bhutan: Prime Minister
February 21, 2025

Appreciating the address of Prime Minister of Bhutan, H.E. Tshering Tobgay at SOUL Leadership Conclave in New Delhi, Shri Modi said that we remain committed to deepening the unique and historical partnership between India and Bhutan.

The Prime Minister posted on X;

“Pleasure to once again meet my friend PM Tshering Tobgay. Appreciate his address at the Leadership Conclave @LeadWithSOUL. We remain committed to deepening the unique and historical partnership between India and Bhutan.

@tsheringtobgay”