મારા પ્રિય વારાણસી વાસીઓ,

પ્રાચિન નગરી વારાણસી હજારો વર્ષોથી જ્ઞાન, શિક્ષણ અને સંસ્કૃતિનું પ્રતિક રહી છે. આ શિવની નગરી છે. શિવ કે જે વિભિન્ન સંસ્કૃતિઓ વચ્ચેના સમન્વય સેતુ છે. શિવ કે જેઓ સંસારને બુરાઇઓથી બચાવવા માટે સ્વયં ઝેર પીને નીકલંઠ તરીકે ઓળખાય છે. આજે સમગ્ર દેશની નજર વારાણસી ઉપર કેન્દ્રિત થઇ છે તો તેનું કારણ વારાણસીનું આ જ શિવ સ્વરૂપ છે કે જેઓ વિષ પી પણ શકે છે અને દેશને નિરાશાની ગર્તમાં ધકેલતા લોકોથી મુક્ત કરવા માટે ડમરૂ પણ વગાડી શકે છે.

Varanasi shall set in motion the wheels of change that will take India on the path of good governance.

એવું મનાય છે કે આ વારાણસીમાં ગંગા માતાનું સૌંદર્ય અને મહત્વ તેના ઉચ્ચતમ સ્તરને પ્રાપ્ત કરી લે છે અને ગંગાના દર્શન માત્ર જ મુક્તિનું માધ્યમ બની જાય છે. જોકે, આજે આ મોક્ષદાયિની ગંગા સ્વયં પોતાના અસ્તિત્વ માટે સંઘર્ષ કરી રહી છે. હજારો કરોડ વ્યય કરવા છતાં પણ ગંગાની સ્થિતિમાં કોઇ બદલાવ આવ્યો નથી. ગંગા વારાણસીનું ગૌરવ છે અને અહીંના રહેવાસીઓની આન છે. ગંગાને તેનું ગૌરવ પાછું અપાવવા માટે વ્યાપક પ્રયાસની આવશ્યકતા છે.

વારાણસી ગંગા-જમુના સંસ્કૃતિનું પણ સૌથી મોટું કેન્દ્ર છે. હિંદુ ધર્મમાં તો આ સૌથી પવિત્ર શહેર તરીકે ઓળખાય છે અન તેની સાથે-સાથે જૈન અને બૌદ્ધ ધર્મમાં પણ તેનું ખુબજ મહત્વ છે. ગૌતમ બુદ્ધે પોતાનું પ્રથમ પ્રવચન સારનાથમાં આપ્યું હતું. ભારત રત્ન બિસમિલ્લા ખાનની શહેનાઇની ગુંજ પણ હિંદુ-મુસ્લિમ એકતાની ઓળખ અહીંથી જ આપતી રહી છે. આના પરિણામે આજે વારાણસી આધ્યાત્મિક જ્ઞાનનું દુનિયાનું સૌથી મોટું કેન્દ્ર છે.

નવી દિલ્હી દેશની રાજધાની છે. મુંબઇને નાણાકીય શહેર કહેવામાં આવે છે. આ યાદીમાં હું ઇચ્છું છું કે વારાણસી ભારતની બૌદ્ધિક રાજધાની બને. હું અને મારો પક્ષ આ દિશમાં ભરપૂર પ્રયાસો કરીશું. અમે કાશીને એવો શહેરના રૂપે વિકાસ કરીશું કે જે ભારતની સાંસ્કૃતિક અને બૌદ્ધિત ગતિવિધિઓનું કેન્દ્ર હોય અને જ્યાં જ્ઞાનનો નિરંતર પ્રવાહ હોય.

અહીં બનારસ હિંદુ વિશ્વવિદ્યાલય, સંપૂર્ણાનંદ સંસ્કૃત વિશ્વવિદ્યાલય અને મહાત્મા ગાંધી કાશી વિદ્યાપીઠ જેવા વિશ્વસ્તરીય શિક્ષા સંસ્થાન છે, જેમની સાચવણી અને સતત વિકાસની જરૂર છે. આ સંસ્થાન માત્ર બનારસની જ ઓળખ નથી, પરંતુ ભોજપુરી ક્ષેત્રો સહિત સમગ્ર પૂર્વાંચલમાં જ્ઞાનની જ્યોત ચાલુ રાખવા માટે પણ આવશ્યક છે.

બનારસ પર્યટનનું મોટું કેન્દ્ર છે અને સાથે જ પોતાના હસ્ત-શિલ્પ અને કારીગરી માટે વિશ્વ વિખ્યાત છે. આમ છતાં પણ અહીંના યુવાનોને રોજગારી મળતી નથી. એક સમય હતો કે જ્યારે સમગ્ર દેશમાં બનારસી પાન અને બનારસી સાડીનું વર્ચસ્વ હતું અને જેનાથી હજારો લોકોને રોજગાર મળતો હતો, પરંતુ આજે આ બંન્ને પોતાના અસ્તિત્વ માટે લડાઇ લડી રહ્યાં છે. આટલા વર્ષોમાં આપણે બનારસ માટે કોઇ નવી બ્રાન્ડ તૈયાર કરી શક્યા નથી અને જુની બ્રાન્ડની ચમક ગુમાવી રહ્યાં છીએ.

આપણે વારાણસીની સમૃદ્ધ વિરાસતનો પુનરોદ્ધાર કરીએ તેની આવશ્યકતા છે. અહીંના કુટિર ઉદ્યોગો અને હસ્ત-શિલ્પના વ્યવસાયને પુનર્જીવિત કરીએ. અહીં રોજગારનું સર્જન કરીએ. આમ કરીને આપણે હજારો લોકોને તેમના ઘર પાસે રોજગાર ઉપલ્બધ કરાવવાની સાથે-સાથે વારાણસી માટે તેનું જુનુ ગૌરવ પણ પાછું લાવી શકીશું.

જોકે, આ તમામ બાબતો સારી નાગરિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવ્યા વિના હાંસલ કરી શકાશે નહીં. આજે બનારસ માર્ગ, દબાણ, જામ અને વિજળી-પાણી જેવી સમસ્યાઓથી ત્રસ્ત છે. આ સમસ્યાઓનું મોટું કારણ કેન્દ્ર અને રાજ્ય સરકારની ઉપેક્ષા છે. સરકારી વિભાગોમાં ઠેકેદારી તેમજ માફિયાઓની દખલ પણ એક કારણ છે. હું તમને ખાતરી આપું છું કે દિલ્હીથી લઇને બનારસ સુધી જનતાના ધનની લુંટ કરતા માફિયાઓના વર્ચસ્વને સંપૂર્ણ પણે નાબૂદ કરવામાં આવશે.

16મી લોકસભા માટે મતદાનની નિર્ણાયક ઘડીઓ આવી ગઇ છે. તમને યાદ હશે કે 20મી સદીના અંતિમ વર્ષોમાં દુનિયાભરના વિચારકો અને ચિંતકોએ જાહેરાત કરી હતી કે 21મી સદી ભારતની રહેશે. અને સદીના શરૂઆતના વર્ષોમાં ભાજપની આગેવાની હેઠળની એનડીએ સરકારમાં આ ભવિષ્યવાણી હકીકત બનતી જોવા મળી રહી હતી. દુનિયા ભારત તરફ અપેક્ષાની નજરેથી જૂએ છે. દેશના યુવાનોમાં ગજબનો ઉત્સાહ હતો અને દરેક પરિવારો પાસે પોતાના બાળકોની સફળતાની વાતો હતી. જોકે, યુપીએના દસ વર્ષના કુશાસનને કારણે દેશ આગળ વધવાની જગ્યાએ પાછળ ધકેલાઇ ગયો અને આગળ વધી રહેલા ભારતની વાર્તાને અડધે જ છોડી દીધી.

મિત્રો આજે સમય આવી ગયો છે કે આપણે આ સ્થિતિમાં બદલાવ લાવીએ. કહેવાય છે કે દેશની રાજનીતિનું પ્રતિબિંબ વારાણસીમાં જોવા મળે છે. તો આપણે અહીંથી જ શરૂઆત કરીએ.

વારાણસી જ એવી જગ્યા છે કે જ્યાં ગંગા ઉત્તર વાહિની છે. શક્તિશાળી ગંગાની ધારા પણ અહીં પહોંચીને પોતાની દિશા બદલી દે છે. આથી જ તમારા શહેરથી જ મોટા પરિવર્તનની શરૂઆત થશે. દેશ ફરીથી સુશાસનના માર્ગે આગળ વધશે અને વારાણસીમાંથી નીકળેલો આ સંદેશ સમગ્ર દેશમાં નવી ભાવના જન્માવશે.

આ વિશ્વાસ સાથે.

કાલ હર ! કષ્ટ હર ! દુખ હર ! દરિદ્ર હર ! હર હર મહાદેવ ! ॐ નમઃશિવાય. જય જય બાબા વિશ્વનાથ જી કી.

આપનો નરેન્દ્ર મોદી

 

To read the Blog in Hindi, click here

  • Jitendra Kumar May 09, 2025

    ❤️🇮🇳🙏
  • Babla sengupta April 20, 2025

    Babla sengupta.
  • Dheeraj Thakur April 02, 2025

    जय श्री राम जय श्री राम
  • Dheeraj Thakur April 02, 2025

    जय श्री राम
  • Chhedilal Mishra December 07, 2024

    Jai shrikrishna
  • manvendra singh September 24, 2024

    jai hind jai bharat 🙏🏽
  • manvendra singh September 24, 2024

    jai hind jai bharat 🙏🏽
  • Amrita Singh September 22, 2024

    जय हो
  • दिग्विजय सिंह राना September 18, 2024

    हर हर महादेव
  • JBL SRIVASTAVA May 24, 2024

    मोदी जी 400 पार
Explore More
દરેક ભારતીયનું લોહી ઉકળી રહ્યું છે: મન કી બાતમાં વડાપ્રધાન મોદી

લોકપ્રિય ભાષણો

દરેક ભારતીયનું લોહી ઉકળી રહ્યું છે: મન કી બાતમાં વડાપ્રધાન મોદી
Indian economy 'resilient' despite 'fragile' global growth outlook: RBI Bulletin

Media Coverage

Indian economy 'resilient' despite 'fragile' global growth outlook: RBI Bulletin
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
એકતા કા મહાકુંભ - એક નવા યુગનો પ્રારંભ
February 27, 2025

– નરેન્દ્ર મોદી
પ્રધાનમંત્રી

પવિત્ર નગરી પ્રયાગરાજમાં મહાકુંભ સફળતાપૂર્વક સંપન્ન થયો છે. એકતાનો ભવ્ય મહાયજ્ઞ પૂર્ણ થયો છે. જ્યારે કોઈ રાષ્ટ્રની ચેતના જાગૃત થાય છે, જ્યારે તે સદીઓ જૂની પરાધીનતાની માનસિકતાના બંધનમાંથી મુક્ત થાય છે, ત્યારે તે નવી ઉર્જાની તાજી હવામાં મુક્તપણે શ્વાસ લે છે. આનું પરિણામ 13 જાન્યુઆરીથી પ્રયાગરાજમાં એકતા કા મહાકુંભ (એકતાનો મહાકુંભ)માં જોવા મળ્યું.

|

22 જાન્યુઆરી, 2024ના રોજ અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા દરમિયાન મેં દેવભક્તિ અને દેશભક્તિ અંગે વાત કરી હતી. પ્રયાગરાજમાં મહાકુંભ દરમિયાન, દેવી-દેવતાઓ, સંતો, મહિલાઓ, બાળકો, યુવાનો, વૃદ્ધો અને દરેક વર્ગના લોકો એક સાથે આવ્યા હતા. આપણે રાષ્ટ્રની જાગૃત ચેતનાના સાક્ષી બન્યા. આ એકતા કા મહાકુંભ હતો, જ્યાં 140 કરોડ ભારતીયોની લાગણીઓ આ પવિત્ર અવસર માટે એક જ જગ્યાએ, એક જ સમયે એકઠી થઈ હતી.
પ્રયાગરાજના આ પવિત્ર ક્ષેત્રમાં એકતા, સદ્ભાવ અને પ્રેમની પવિત્ર ભૂમિ શ્રૃંગવેરપુર છે. જ્યાં પ્રભુ શ્રી રામ અને નિષાદરાજની મુલાકાત થઈ હતી. તેમનું મિલન ભક્તિ અને સદ્ભાવનાના સંગમનું પ્રતીક હતું. આજે પણ, પ્રયાગરાજ આપણને એ જ ભાવનાથી પ્રેરિત કરે છે.

45 દિવસ સુધી મેં દેશના ખૂણે ખૂણેથી કરોડો લોકોને સંગમ તરફ આવતા જોયા. સંગમ પર લાગણીઓની લહેર વધતી રહી. દરેક ભક્ત એક જ હેતુ સાથે આવતા હતા - સંગમમાં ડૂબકી લગાવવી. ગંગા, યમુના અને સરસ્વતીના પવિત્ર સંગમથી દરેક યાત્રાળુને ઉત્સાહ, ઉર્જા અને આત્મવિશ્વાસથી તરબોળ કરી દેતા હતા.

|

પ્રયાગરાજના આ પવિત્ર ક્ષેત્રમાં એકતા, સદ્ભાવ અને પ્રેમની પવિત્ર ભૂમિ શ્રૃંગવેરપુર છે. જ્યાં પ્રભુ શ્રી રામ અને નિષાદરાજની મુલાકાત થઈ હતી. તેમનું મિલન ભક્તિ અને સદ્ભાવનાના સંગમનું પ્રતીક હતું. આજે પણ, પ્રયાગરાજ આપણને એ જ ભાવનાથી પ્રેરિત કરે છે.

|

45 દિવસ સુધી મેં દેશના ખૂણે ખૂણેથી કરોડો લોકોને સંગમ તરફ આવતા જોયા. સંગમ પર લાગણીઓની લહેર વધતી રહી. દરેક ભક્ત એક જ હેતુ સાથે આવતા હતા - સંગમમાં ડૂબકી લગાવવી. ગંગા, યમુના અને સરસ્વતીના પવિત્ર સંગમથી દરેક યાત્રાળુને ઉત્સાહ, ઉર્જા અને આત્મવિશ્વાસથી તરબોળ કરી દેતા હતા.

પ્રયાગરાજમાં યોજાયેલો આ મહાકુંભ આધુનિક મેનેજમેન્ટ વ્યાવસાયિકો, આયોજન અને નીતિ નિષ્ણાતો માટે અભ્યાસનો વિષય છે. દુનિયામાં ક્યાંય પણ આ સ્તરનું કોઈ સમાંતર કે ઉદાહરણ નથી.

|

દુનિયાએ આશ્ચર્યથી જોયું કે કેવી રીતે પ્રયાગરાજમાં નદીઓના સંગમ કિનારે કરોડો લોકો ભેગા થયા હતા. આ લોકોને કોઈ ઔપચારિક આમંત્રણ નહોતું કે ક્યારે જવું તે અંગે કોઈ પૂર્વ સૂચના નહોતી. છતાં કરોડો લોકો પોતાની મરજીથી મહાકુંભ જવા રવાના થયા અને પવિત્ર જળમાં ડૂબકી લગાવવાનો આનંદ અનુભવ્યો.

|

પવિત્ર સ્નાન પછી અપાર આનંદ અને સંતોષ ફેલાવતા ચહેરાઓ હું ભૂલી શકતો નથી. મહિલાઓ, વડીલો, આપણા દિવ્યાંગ ભાઈઓ અને બહેનો - દરેકે સંગમ સુધી પહોંચવાનો માર્ગ શોધી કાઢ્યો હતો.

ભારતના યુવાનોની જબરદસ્ત ભાગીદારી જોઈને મને ખાસ આનંદ થયો. મહાકુંભમાં યુવા પેઢીની હાજરી એક ખાસ સંદેશ આપે છે કે, ભારતના યુવાનો આપણી ભવ્ય સંસ્કૃતિ અને વારસાના પથદર્શક બનશે. તેઓ તેને જાળવવા પ્રત્યેની તેમની જવાબદારી સમજે છે અને તેને આગળ વધારવા માટે પ્રતિબદ્ધ છે.

|

આ મહાકુંભ માટે પ્રયાગરાજ પહોંચેલા લોકોની સંખ્યાએ નિઃશંકપણે નવા રેકોર્ડ બનાવ્યા છે. પરંતુ શારીરિક રીતે હાજર રહેલા લોકો ઉપરાંત, કરોડો લોકો જે પ્રયાગરાજ પહોંચી શક્યા ન હતા. તેઓ પણ આ પ્રસંગ સાથે ભાવનાત્મક રીતે ઊંડાણપૂર્વક જોડાયેલા હતા. યાત્રાળુઓ દ્વારા પરત લાવવામાં આવેલ પવિત્ર જળ લાખો લોકો માટે આધ્યાત્મિક આનંદનો સ્ત્રોત બન્યું. મહાકુંભમાંથી પાછા ફરનારા ઘણા લોકોનું તેમના ગામમાં આદરપૂર્વક સ્વાગત કરવામાં આવ્યું, સમાજ દ્વારા તેમનું સન્માન કરવામાં આવ્યું.

છેલ્લા કેટલાક અઠવાડિયામાં જે બન્યું છે તે અભૂતપૂર્વ છે અને તેણે આવનારી સદીઓ માટે પાયો નાખ્યો છે.

પ્રયાગરાજમાં કોઈએ કલ્પના કરી ન હતી તેના કરતાં વધુ ભક્તો પહોંચ્યા. વહીવટીતંત્રે કુંભના ભૂતકાળના અનુભવોના આધારે હાજરીનો અંદાજ લગાવ્યો હતો.

આ એકતા કા મહાકુંભમાં અમેરિકાની લગભગ બમણી વસ્તીએ ભાગ લીધો હતો.

|

જો આધ્યાત્મિકતાના વિદ્વાનો કરોડો ભારતીયોની ઉત્સાહી ભાગીદારીનું વિશ્લેષણ કરે તો તેઓ જોશે કે ભારત જે તેના વારસા પર ગર્વ કરે છે, તે હવે એક નવી ઉર્જા સાથે આગળ વધી રહ્યું છે. મારું માનવું છે કે આ એક નવા યુગનો ઉદય છે, જે નવા ભારતનું ભવિષ્ય બનાવશે.

હજારો વર્ષોથી મહાકુંભ ભારતની રાષ્ટ્રીય ચેતનાને મજબૂત બનાવે છે. દરેક પૂર્ણ કુંભમાં સંતો, વિદ્વાનો અને વિચારકો પોતાના સમયમાં સમાજની સ્થિતિ પર વિચાર-વિમર્શ કરતા હતા. તેમના વિચારો રાષ્ટ્ર અને સમાજને નવી દિશા આપતા હતા. દર છ વર્ષે અર્ધ કુંભ દરમિયાન આ વિચારોની સમીક્ષા કરવામાં આવતી હતી. 144 વર્ષમાં પૂર્ણ કુંભની 12 ઘટનાઓ પછી જૂની પરંપરાઓનો ત્યાગ કરવામાં આવ્યો, નવા વિચારો અપનાવવામાં આવ્યા અને સમય સાથે આગળ વધવા માટે નવી પરંપરાઓનું નિર્માણ કરવામાં આવ્યું.

144 વર્ષ પછી, આ મહાકુંભમાં આપણા સંતોએ ફરી એકવાર આપણને ભારતની વિકાસ યાત્રા માટે એક નવો સંદેશ આપ્યો છે. તે સંદેશ છે ડેવલપ ભારત - વિકસિત ભારત.

|

આ એકતા કા મહાકુંભમાં દરેક યાત્રાળુ, ભલે તે ગરીબ હોય કે અમીર, યુવાન હોય કે વૃદ્ધ, ગામડાંના હોય કે શહેરોના, ભારત હોય કે વિદેશથી, પૂર્વ હોય કે પશ્ચિમથી, ઉત્તર હોય કે દક્ષિણથી, જાતિ, સંપ્રદાય અને વિચારધારાને ધ્યાનમાં લીધા વિના એકઠા થયા. આ એક ભારત, શ્રેષ્ઠ ભારતના વિઝનનું મૂર્ત સ્વરૂપ હતું જેણે કરોડો લોકોમાં વિશ્વાસ ભરી દીધો. હવે, આપણે વિકસિત ભારત બનાવવાના મિશન માટે સમાન ભાવના સાથે એક સાથે આવવું જોઈએ.

મને એ ઘટના યાદ આવે છે, જ્યારે શ્રી કૃષ્ણ બાળ સ્વરૂપમાં પોતાની માતા યશોદાને તેમના મુખમાં રહેલા સમગ્ર બ્રહ્માંડનો એક ઝલક જોવા મળી હતી. તેવી જ રીતે, આ મહાકુંભમાં ભારત અને વિશ્વના લોકોએ ભારતની સામૂહિક શક્તિની વિશાળ સંભાવના જોઈ છે. આપણે હવે આ આત્મવિશ્વાસ સાથે આગળ વધવું જોઈએ અને વિકસિત ભારત બનાવવા માટે પોતાને સમર્પિત કરવું જોઈએ.

|

અગાઉ, ભક્તિ આંદોલનના સંતોએ સમગ્ર ભારતમાં આપણા સામૂહિક સંકલ્પની શક્તિને ઓળખી અને પ્રોત્સાહન આપ્યું હતું. સ્વામી વિવેકાનંદથી લઈને શ્રી અરવિંદ સુધી, દરેક મહાન વિચારકે આપણને આપણા સામૂહિક સંકલ્પની શક્તિની યાદ અપાવી હતી. મહાત્મા ગાંધીએ પણ સ્વતંત્રતા ચળવળ દરમિયાન તેનો અનુભવ કર્યો હતો. સ્વતંત્રતા પછી, જો આ સામૂહિક શક્તિને યોગ્ય રીતે ઓળખવામાં આવી હોત અને તેનો ઉપયોગ બધાના કલ્યાણ માટે કરવામાં આવ્યો હોત તો તે નવા સ્વતંત્ર રાષ્ટ્ર માટે એક મહાન શક્તિ બની હોત. દુર્ભાગ્યથી તે પહેલાં કરવામાં આવ્યું ન હતું. પરંતુ હવે, વિકસિત ભારત માટે લોકોની આ સામૂહિક શક્તિ જે રીતે એક સાથે આવી રહી છે તે જોઈને મને આનંદ થાય છે.

વેદોથી વિવેકાનંદ સુધી, પ્રાચીન શાસ્ત્રોથી આધુનિક ઉપગ્રહો સુધી, ભારતની મહાન પરંપરાઓએ આ રાષ્ટ્રને ઘડ્યું છે. એક નાગરિક તરીકે હું પ્રાર્થના કરું છું કે આપણે આપણા પૂર્વજો અને સંતોની યાદોમાંથી નવી પ્રેરણા મેળવીએ. આ એકતાનો મહાકુંભ આપણને નવા સંકલ્પો સાથે આગળ વધવામાં મદદ કરે. ચાલો આપણે એકતાને આપણો માર્ગદર્શક સિદ્ધાંત બનાવીએ. ચાલો આપણે એ સમજ સાથે કાર્ય કરીએ કે રાષ્ટ્રની સેવા એ પરમાત્માની સેવા છે.

|

કાશીમાં મારી ચૂંટણી પ્રચાર દરમિયાન, મેં કહ્યું હતું કે, "મા ગંગાએ મને બોલાવ્યો છે." આ ફક્ત એક ભાવના જ નહીં, પણ આપણી પવિત્ર નદીઓની સ્વચ્છતા પ્રત્યે જવાબદારીનું આહ્વાન પણ હતું. પ્રયાગરાજમાં ગંગા, યમુના અને સરસ્વતીના સંગમ પર ઊભા રહીને મારો સંકલ્પ વધુ મજબૂત બન્યો. આપણી નદીઓની સ્વચ્છતા આપણા પોતાના જીવન સાથે ઊંડે સુધી જોડાયેલી છે. આપણી નાની કે મોટી નદીઓને જીવનદાતા માતા તરીકે ઉજવવાની જવાબદારી આપણી છે. આ મહાકુંભ આપણને આપણી નદીઓની સ્વચ્છતા માટે કામ કરતા રહેવાની પ્રેરણા આપે છે.

મને ખબર છે કે આટલા મોટા કાર્યક્રમનું આયોજન કરવું સરળ કાર્ય નહોતું. જો આપણી ભક્તિમાં કોઈ ખામી રહી ગઈ હોય તો હું મા ગંગા, મા યમુના અને મા સરસ્વતીને પ્રાર્થના કરું છું કે, તેઓ આપણને માફ કરે. હું જનતા જનાર્દનને દિવ્યતાનું સ્વરૂપ માનું છું. જો તેમની સેવા કરવાના અમારા પ્રયત્નોમાં કોઈ ખામી રહી ગઈ હોય, તો હું જનતાની પણ ક્ષમા માંગુ છું.

|

કરોડો લોકો ભક્તિની ભાવના સાથે મહાકુંભમાં આવ્યા હતા. તેમની સેવા કરવી એ પણ એક જવાબદારી હતી જે ભક્તિની ભાવના સાથે નિભાવવામાં આવી હતી. ઉત્તર પ્રદેશના સંસદ સભ્ય તરીકે હું ગર્વથી કહી શકું છું કે, યોગીજીના નેતૃત્વમાં, વહીવટ અને લોકોએ આ એકતા કા મહાકુંભને સફળ બનાવવા માટે સાથે મળીને કામ કર્યું. રાજ્ય હોય કે કેન્દ્ર, કોઈ શાસક કે વહીવટકર્તા નહોતા અને તેના બદલે દરેક જણ સમર્પિત સેવક હતા. સ્વચ્છતા કર્મચારીઓ, પોલીસ, હોડીચાલક, ડ્રાઇવર, ભોજન પીરસનારા - બધાએ અથાક મહેનત કરી. પ્રયાગરાજના લોકોએ ઘણી બધી અસુવિધાઓનો સામનો કરવા છતાં ખુલ્લા દિલે યાત્રાળુઓનું સ્વાગત જે રીતે કર્યું તે ખાસ કરીને પ્રેરણાદાયક હતું. હું તેમનો અને ઉત્તર પ્રદેશના લોકોનો હૃદયપૂર્વક આભાર અને પ્રશંસા વ્યક્ત કરું છું.


મને હંમેશા આપણા રાષ્ટ્રના ઉજ્જવળ ભવિષ્યમાં અતૂટ વિશ્વાસ રહ્યો છે. આ મહાકુંભના સાક્ષી બનવાથી મારી શ્રદ્ધા અનેક ગણી મજબૂત થઈ છે.

જે રીતે 140 કરોડ ભારતીયોએ એકતા કા મહાકુંભને વૈશ્વિક પ્રસંગમાં ફેરવ્યો તે ખરેખર અદ્ભુત છે. આપણા લોકોના સમર્પણ, ભક્તિ અને પ્રયત્નોથી પ્રેરિત થઈને હું ટૂંક સમયમાં શ્રી સોમનાથની મુલાકાત લઈશ, જે 12 જ્યોતિર્લિંગોમાંનું પ્રથમ છે. જેથી હું આ સામૂહિક રાષ્ટ્રીય પ્રયાસોના ફળ તેમને અર્પણ કરી શકું અને દરેક ભારતીય માટે પ્રાર્થના કરી શકું.

મહાકુંભનું ભૌતિક સ્વરૂપ ભલે મહાશિવરાત્રી પર સફળતાપૂર્વક પૂર્ણ થયું હોય, પરંતુ ગંગાના શાશ્વત પ્રવાહની જેમ મહાકુંભથી જાગૃત થયેલી આધ્યાત્મિક શક્તિ, રાષ્ટ્રીય ચેતના અને એકતા આવનારી પેઢીઓ સુધી આપણને પ્રેરણા આપતી રહેશે.