QuotePM Modi pays homage to Dr. Sree Sree Sree Sivakumara Swamigalu during #MannKiBaat, remembers his teachings
QuoteI commend the Election Commission for continuous efforts to strengthen our democracy: PM During #MannKiBaat
QuoteUpcoming Lok Sabha elections an opportunity for the first time voters of 21st century to take the responsibility of the nation on their shoulders: PM during #MannKiBaat
QuoteSubhas Babu will always be remembered as a heroic soldier and skilled organiser: PM during #MannKiBaat
QuoteFor many years it was being demanded that the files related to Netaji should be made public and I am happy that we fulfilled this demand: PM during #MannKiBaat
QuoteNetaji had a very deep connection with the radio and he made it a medium to communicate with the countrymen: PM refers to Azad Hind Radio during #MannKiBaat
QuoteWe all know Gurudev Rabindranath Tagore as a wonderful writer and a musician. But Gurudev was also a great painter too: PM during #MannKiBaat
Quote#MannKiBaat: PM Modi remembers Sant Ravidas’ invaluable teachings, says He always taught the importance of “Shram” and “Shramik”
QuoteThe contribution of Dr. Vikram Sarabhai to India's space programme is invaluable: Prime Minister during #MannKiBaat
QuoteThe number of space missions that took place since the country's independence till 2014, almost the same number of space missions has taken place in the past four years: PM #MannKiBaat
QuoteIndia will soon be registering it’s presence on moon through the Chandrayaan-2 campaign: PM Modi during #MannKiBaat
QuotePM Modi during #MannKiBaat: We are using Space Technology to improve delivery and accountability of government services
Quote#MannKiBaat: Our satellites are a symbol of the country's growing power today, says PM Modi
QuoteThose who play, shine; when a player performs best at the local level then there is no about his or her best performance best at global level: PM #MannKiBaat
QuoteWith the support of the people of India, today the country is rapidly moving towards becoming an open defecation free nation: PM during #MannKiBaat
QuoteMore than five lakh villages and more than 600 districts have declared themselves open defecation free. Sanitation coverage has crossed 98% in rural India: PM during #MannKiBaat

મારા પ્રિય દેશવાસીઓ, નમસ્કાર. આ મહિનાની 21 તારીખે દેશને એક ખૂબ જ દુઃખદ સમાચાર મળ્યા. કર્ણાટકના ટુમકુર જિલ્લાના શ્રી સિદ્ધગંગા મઠના ડૉક્ટર શ્રી શ્રી શ્રી શિવકુમાર સ્વામીજી આપણા વચ્ચે નથી રહ્યા. શિવકુમાર સ્વામીજીએ પોતાનું સંપૂર્ણ જીવન સમાજસેવામાં સમર્પિત કરી દીધું. ભગવાન બસવેશ્વરે આપણને શિખવાડ્યું છે- ‘कायकवे कैलास’ અર્થાત્ કઠિન પરિશ્રમ કરતા પોતાની જવાબદારી નિભાવતા જવી, ભગવાન શિવના નિવાસસ્થાન કૈલાસમ ધામમાં હોવાને સમાન છે. શિવકુમાર સ્વામીજી આ દર્શનના અનુયાયી હતા અને તેમણે પોતાનાં 111 વર્ષોનાં જીવનકાળમાં હજારો લોકોના સામાજિક, શૈક્ષણિક અને આર્થિક ઉત્થાન માટે કાર્ય કર્યું. તેમની ખ્યાતિ એક એવા વિદ્વાનના રૂપમાં હતી જેમની અંગ્રેજી, સંસ્કૃત અને કન્નડ ભાષાઓ પર અદ્ભુત પક્કડ હતી. તેઓ એક સમાજ સુધારક હતા. તેમણે પોતાનું સમગ્ર જીવન એ ધ્યેય પાછળ લગાવી દીધું કે લોકોને ભોજન, આશ્રય, શિક્ષણ અને આધ્યાત્મિક જ્ઞાન મળે. ખેડૂતોનું દરેક પ્રકારે કલ્યાણ થાય, તે સ્વામીજીના જીવનની પ્રાથમિકતા રહેતી હતી. સિદ્ધગંગા મઠ નિયમિત રૂપે પશુ અને કૃષિ મેળાઓનું આયોજન કરતો હતો. મને અનેક વાર પરમ પૂજ્ય સ્વામીજીના આશીર્વાદ પ્રાપ્ત કરવાનું સૌભાગ્ય મળ્યું છે. વર્ષ 2007માં શ્રી શ્રી શ્રી શિવકુમાર સ્વામીજીના શતાબ્દિ વર્ષ ઉત્સવ સમારોહના અવસર પર આપણા પૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. એ. પી. જે. અબ્દુલ કલામ ટુમકુર ગયા હતા. કલામસાહેબે આ અવસર પર પૂજ્ય સ્વામીજી માટે એક કવિતા સંભળાવી હતી. તેમણે કહ્યું હતું:

‘O my citizens – In giving, you receive happiness,

In Body and Soul, You have everything to give.

If you have knowledge – share it.

If you have resources – share them with the needy.

You, your mind and heart

To remove the pain of the suffering, And cheer the sad hearts.

In giving, you receive happiness. Almighty will bless, all your actions.”

ડૉક્ટર કલામ સાહેબની આ કવિતા શ્રી શ્રી શ્રી શિવકુમાર સ્વામીજીના જીવન અને સિદ્ધગંગા મઠના મિશનને સુંદર રૂપે પ્રસ્તુત કરે છે. એક વાર ફરી, હું આવા મહાપુરુષને મારા શ્રદ્ધાસુમન અર્પિત કરું છું.

મારા પ્રિય દેશવાસીઓ, 26 જાન્યુઆરી 1950ના રોજ આપણા દેશમાં બંધારણ લાગુ થયું અને આ દિવસે આપણો દેશ ગણતંત્ર બન્યો અને કાલે જ આપણે આન-બાન-શાન સાથે ગણતંત્ર દિવસ પણ મનાવ્યો, પરંતુ હું આજે કંઈક બીજી વાત કરવા માગું છું. આપણા દેશમાં એક બહુ જ મહત્ત્વપૂર્ણ સંસ્થા છે, જે આપણા લોકતંત્રનું અભિન્ન અંગ તો છે જ અને આપણા ગણતંત્રથી પણ જૂની છે- હું ભારતના ચૂંટણી પંચ વિશે વાત કરી રહ્યો છું. 25 જાન્યુઆરીએ ચૂંટણી પંચની સ્થાપના દિવસ હતો, જેમણે ‘રાષ્ટ્રીય મતદાતા દિવસ’, ‘National Voters Day’ના રૂપમાં મનાવવામાં આવે છે. ભારતમાં જે સ્તરે ચૂંટણીનું આયોજન થાય છે તેને જોઈને વિશ્વના લોકોને આશ્ચર્ય થાય છે અને આપણું ચૂંટણી પંચ જે સુંદર રીતે તેનું આયોજન કરે છે તેને જોઈને પ્રત્યેક દેશવાસીને ચૂંટણી પંચ પર ગર્વ થાય તે સ્વાભાવિક છે. આપણા દેશમાં એ સુનિશ્ચિત કરવામાં કોઈ કસર છોડવામાં નથી આવતી કે ભારતનો પ્રત્યેક નાગરિક જે એક નોંધાયેલો મતદાતા છે, registered મતદાતા છે તેને મતદાન કરવાનો અવસર મળે.

જ્યારે આપણે સાંભળીએ છીએ કે હિમાચલ પ્રદેશમાં સમુદ્ર સપાટીથી 15 હજાર ફીટની ઊંચાઈવાળા ક્ષેત્રમાં પણ મતદાન કેન્દ્ર સ્થાપિત કરવામાં આવે છે તો આંદામાન અને નિકોબાર દ્વીપ સમૂહમાં અંતરિયાળ દ્વીપોમાં પણ મતદાનની વ્યવસ્થા કરવામાં આવે છે. અને તમે ગુજરાતના વિષયમાં જરૂર સાંભળ્યું હશે કે ગીરના જંગલમાં એક સુદૂર ક્ષેત્રમાં એક પૉલિંગ બૂથ છે જે માત્ર એક મતદાતા માટે છે. કલ્પના કરો…માત્ર એક મતદાતા માટે! જ્યારે આ વાતો સાંભળીએ છીએ તો ચૂંટણી પંચ પર ગર્વ થાય તે સ્વાભાવિક છે. તે એક મતદાતાને ધ્યાનમાં રાખતા, તે મતદાતાને તેના મતાધિકારનો ઉપયોગ કરવાનો અવસર મળે, તે માટે ચૂંટણી પંચના કર્મચારીઓની પૂરી ટીમ અંતરિયાળ ક્ષેત્રમાં જાય છે અને મતદાનની વ્યવસ્થા  કરે છે અને આ જ તો આપણા લોકતંત્રની સુંદરતા છે.

હું આપણા લોકતંત્રને મજબૂત કરવાના નિરંતર પ્રયાસ કરવા માટે ચૂંટણી પંચની પ્રશંસા કરું છું. હું બધાં રાજ્યોના ચૂંટણી પંચની, બધા સુરક્ષા કર્મચારીઓ, અન્ય કર્મચારીઓની પણ પ્રશંસા કરું છું જે મતદાન પ્રક્રિયામાં ભાગ લે છે અને સ્વતંત્ર અને નિષ્પક્ષ ચૂંટણી સુનિશ્ચિત કરે છે.

આ વર્ષે આપણા દેશમાં લોકસભાની ચૂંટણી થશે, આ પહેલો અવસર હશે જ્યાં 21મી સદીમાં જન્મેલા યુવાનો લોકસભા ચૂંટણીમાં પોતાના મતનો ઉપયોગ કરશે. તેમના માટે દેશની જવાબદારી પોતાના ખભા પર લેવાનો અવસર આવી ગયો છે. હવે તેઓ દેશમાં નિર્ણય પ્રક્રિયાનો હિસ્સેદાર બનવા જઈ રહ્યા છે. પોતાનાં સપનાંઓને દેશનાં સપનાંઓ સાથે જોડવાનો સમય આવી ગયો છે. હું યુવા પેઢીને અનુરોધ કરું છું કે જો તેઓ મતદાન કરવાના પાત્ર છે તો પોતાને જરૂર મતદાતાના રૂપમાં નોંધાવે. આપણામાંના પ્રત્યેકને અહેસાસ હોવો જોઈએ કે દેશમાં મતદાતા બનવું, મતના અધિકારને પ્રાપ્ત કરવો, તે જીવનની મહત્ત્વપૂર્ણ ઉપલબ્ધિમાંથી એક મહત્ત્વપૂર્ણ પડાવ છે. સાથેસાથે મતદાન કરવું તે મારું કર્તવ્ય છે- આ ભાવ આપણી અંદર સતત રહેવો જોઈએ. જીવનમાં ક્યારેય કોઈ પણ કારણથી, જો મતદાન ન કરી શક્યા તો ખૂબ જ પીડા થવી જોઈએ. ક્યારેય ક્યાંય દેશમાં કંઈક ખોટું થતા જુઓ તો દુઃખ થવું જોઈએ. હા, મેં મત નહોતો આપ્યો, તે દિવસે હું મત આપવા નહોતો ગયો- તેનું જ નુકસાન આજે મારો દેશ ભોગવી રહ્યો છે. આપણને આ જવાબદારીનો અહેસાસ હોવો જોઈએ. તે આપણી વૃત્તિ, તે આપણી પ્રવૃત્તિ બનવી જોઈએ. તે આપણા સંસ્કાર હોવા જોઈએ. હું દેશની જાણીતી હસ્તીઓને અનુરોધ કરું છું કે આપણે બધાં મળીને મતદાતાની નોંધણી થાય કે પછી મતદાનના દિવસે મત આપવાનો હોય તે વિશે અભિયાન ચલાવીને લોકોને જાગૃત કરીએ. મને આશા છે કે ભારે સંખ્યામાં યુવાનો મતદાતાના રૂપમાં નોંધણી કરાવશે અને પોતાની ભાગીદારીથી આપણા લોકતંત્રને વધુ મજબૂતી પ્રદાન કરશે.

મારા પ્રિય દેશવાસીઓ, ભારતની આ મહાન ધરતીએ ઘણાં બધાં મહાપુરુષોને જન્મ આપ્યો છે અને આ મહાપુરુષોએ માનવતા માટે કેટલાંક અદ્ભુત-અવિસ્મરણીય કાર્ય કર્યાં છે. આપણો દેશ બહુરત્ના વસુંધરા છે. આવા મહાપુરુષોમાંના એક હતા- નેતાજી સુભાષચંદ્ર બોઝ. 23 જાન્યુઆરીએ સમગ્ર દેશે એક અલગ અંદાજથી તેમની જયંતી મનાવી. નેતાજીની જયંતી પર મને ભારતની સ્વતંત્રતાના સંઘર્ષમાં પોતાનું યોગદાન આપનારા વીરોને સમર્પિત એક મ્યુઝિયમ- સંગ્રહાલયનું ઉદ્ઘાટન કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું. તમે જાણો છો કે લાલ કિલ્લાની અંદર સ્વતંત્રતાથી અત્યાર સુધી અનેક ઓરડા, ઈમારતો બંધ પડી હતી. તે બંધ પડેલા લાલ કિલ્લાના ઓરડાઓને ખૂબ જ સુંદર સંગ્રહાલયમાં બદલી નાખવામાં આવ્યા છે, નેતાજી સુભાષચંદ્ર બોઝ અને ઇન્ડિયન નેશનલ આર્મીને સમર્પિત સંગ્રહાલય ‘યાદ-એ-જલિયાં’ અને 1857-ભારતના પ્રથમ સ્વતંત્રતા સંગ્રામને સમર્પિત સંગ્રહાલય અને આ સમગ્ર પરિસરને ‘ક્રાન્તિ મંદિર’ના રૂપમાં દેશને સમર્પિત કરવામાં આવ્યું છે. આ સંગ્રહાલયોની એક-એક ઈંટમાં આપણા ગૌરવશાળી ઈતિહાસની સુગંધ વસેલી છે. સંગ્રહાલયના ખૂણેખૂણે આપણા સ્વાધીનતા સંગ્રામના વીરોની ગાથાને પ્રસ્તુત કરનારી વાતો, આપણને ઇતિહાસની અંદર જવા માટે પ્રેરિત કરે છે. આ સ્થાન પર ભારત માતાના વીર સપૂતો- કર્નલ પ્રેમ સહગલ, કર્નલ ગુરુબખ્શસિંહ ઢિલ્લોં અને મેજર જનરલ શાહનવાઝ ખાં પર અંગ્રેજ શાસને કેસ ચલાવ્યા હતા.

જ્યારે હું લાલ કિલ્લામાં ક્રાન્તિ મંદિરમાં તે નેતાજી સાથે જોડાયેલી યાદોનું દર્શન કરી રહ્યો હતો ત્યારે મને નેતાજીના પરિવારના સભ્યોએ એક ખૂબ જ ખાસ ટોપી ભેટમાં આપી. નેતાજી આ ટોપીને પહેરતા હતા. મેં સંગ્રહાલયમાં જ તે ટોપીને રખાવી દીધી જેથી ત્યાં મુલાકાત લેતા લોકો પણ તે ટોપીને જુએ અને તેનાથી દેશભક્તિની પ્રેરણા લે. હકીકતે પોતાના નાયકોના શૌર્ય અને દેશભક્તિને નવી પેઢી સુધી વારંવાર અલગ-અલગ રૂપથી નિરંતર પહોંચાડવાની આવશ્યકતા હોય છે. હજુ મહિના પહેલાં જ 30 ડિસેમ્બરે હું આંદામાન અને નિકોબાર દ્વીપ ગયો હતો. એક કાર્યક્રમમાં બરાબર એ જ જગ્યાએ તિરંગો લહેરાવ્યો હતો જ્યાં નેતાજી સુભાષચંદ્ર બોઝે 75 વર્ષ પહેલાં તિરંગો લહેરાવ્યો હતો. આ રીતે ઑક્ટોબર 2018માં લાલ કિલ્લા પર જ્યારે તિરંગો ફરકાવવામાં આવ્યો તો બધાંને આશ્ચર્ય થયું કારણકે ત્યાં તો 15 ઑગસ્ટે જ આવી પરંપરા છે. આ અવસર હતો આઝાદ હિન્દ સરકારના ગઠનનાં 75 વર્ષ પૂરા થવાનો.

સુભાષબાબુને હંમેશાં એક વીર સૈનિક અને કુશળ સંગઠનકર્તાના રૂપમાં યાદ કરવામાં આવશે. એક એવા વીર સૈનિક જેમણે સ્વતંત્રતાની લડાઈમાં મહત્ત્વની ભૂમિકા નિભાવી. ‘દિલ્લી ચલો’, ‘તુમ મુઝે ખૂન દો, મૈં તુમ્હેં આઝાદી દૂંગા’ જેવાં ઓજસ્વી સૂત્રો સાથે નેતાજીએ દરેક ભારતીયના હૃદયમાં જગ્યા બનાવી. અનેક વર્ષો સુધી એવી માગણી રહી હતી કે નેતાજીની સાથે જોડાયેલી ફાઇલોને સાર્વજનિક કરવામાં આવે અને મને એ વાતની ખુશી છે કે તે કામ અમે લોકો કરી શક્યા. મને તે દિવસ યાદ છે જ્યારે નેતાજીનો સમગ્ર પરિવાર પ્રધાનમંત્રી નિવાસ આવ્યો હતો. અમે મળીને નેતાજીની સાથે જોડાયેલી ઘણી બધી વાતો કરી અને નેતાજી સુભાષચંદ્ર બોઝને શ્રદ્ધાંજલિ અર્પિત કરી.

મને આનંદ છે કે ભારતના મહાન નાયકો સાથે જોડાયેલાં અનેક સ્થાનોને દિલ્લીમાં વિકસિત કરવાનો પ્રયાસ થયો છે. ચાહે તે બાબાસાહેબ આંબેડકર સાથે જોડાયેલો 26 અલીપુર રૉડ હોય કે પછી સરદાર પટેલ સંગ્રહાલય હોય કે પછી તે ક્રાન્તિ મંદિર હોય. જો તમે દિલ્લી જાવ તો આ સ્થાનોને જોવા માટે જરૂર જજો.

મારા પ્રિય દેશવાસીઓ, આજે જ્યારે આપણે નેતાજી સુભાષચંદ્ર બોઝ વિશે ચર્ચા કરી રહ્યા છીએ અને તે પણ ‘મન કી બાત’માં, તો હું તમને નેતાજીની જિંદગી સાથે જોડાયેલો એક કિસ્સો કહેવા માગું છું. મેં હંમેશાં રેડિયોને લોકો સાથે જોડાવાનું એક મહત્ત્વપૂર્ણ માધ્યમ માન્યું છે જે રીતે નેતાજીનો પણ રેડિયો સાથે ગાઢ સંબંધ હતો અને તેમણે પણ દેશવાસીઓ સાથે સંવાદ કરવા માટે રેડિયોને પસંદ કર્યો હતો.

1942માં સુભાષબાબુએ આઝાદ હિન્દ રેડિયોની શરૂઆત કરી હતી અને રેડિયોના માધ્યમથી તેઓ ‘આઝાદ હિન્દ ફૌજ’ના સૈનિકો સાથે અને દેશના લોકો સાથે સંવાદ કરતા હતા. સુભાષબાબુનો રેડિયો પર વાતચીત શરૂ કરવાનો એક અલગ જ અંદાજ હતો. તેઓ વાતચીત શરૂ કરતા સૌથી પહેલાં કહેતા હતા – This is Subhash Chandra Bose speaking to you over the Azad Hind Radio અને આટલું સાંભળતાં જ શ્રોતાઓમાં જાણે કે એક નવો જોશ, એક નવી ઊર્જાનો સંચાર થઈ જતો હતો.

મને કહેવામાં આવ્યું કે તે રેડિયો સ્ટેશન, સાપ્તાહિક સમાચાર બુલેટિન પણ પ્રસારિત કરતું હતું જે અંગ્રેજી, હિન્દી, તમિલ, બાંગ્લા, મરાઠી, પંજાબી, પશ્તો અને ઉર્દૂ આદિ ભાષાઓમાં રહેતું હતું. આ રેડિયો સ્ટેશનના સંચાલનમાં ગુજરાતના રહેવાસી એમ. આર. વ્યાસજીએ ઘણી મહત્ત્વપૂર્ણ ભૂમિકા નિભાવી. આઝાદ હિન્દ રેડિયો પર પ્રસારિત થનારા કાર્યક્રમ સામાન્ય લોકોમાં ઘણા લોકપ્રિય હતા અને તેમના કાર્યક્રમોથી આપણા સ્વાધીનતા સંગ્રામના યૌદ્ધાઓને પણ ઘણું બળ મળ્યું.

આ ક્રાન્તિ મંદિરમાં એક દૃશ્યકળા સંગ્રહાલય પણ બનાવવામાં આવ્યું છે. ભારતીય કળા અને સંસ્કૃતિ ઘણી જ આકર્ષક રીતે બતાવવાનો આ પ્રયાસ થયો છે. સંગ્રહાલયમાં ચાર ઐતિહાસિક પ્રદર્શનો છે અને ત્યાં ત્રણ સદી જૂનાં 450થી વધુ ચિત્રો અને કળાકારીગરી મૂકવામાં આવી છે. સંગ્રહાલયમાં અમૃતા શેરગિલ, રાજા રવિ વર્મા, અવનીંદ્ર નાથ ટાગોર, ગગનેન્દ્ર ટાગોર, નંદલાલ બોઝ, જામિની રાય, સેલોજ મુખર્જી જેવા મહાન કલાકારોનાં ઉત્કૃષ્ટ કાર્યોને સુંદર રીતે પ્રદર્શિત કરવામાં આવ્યાં છે. અને હું તમને સહુને વિશેષ રીતે અનુરોધ કરીશ કે તમે ત્યાં જજો અને ગુરુદેવ રબીન્દ્રનાથ ટાગોરનાં કાર્યોને પણ જરૂર જુઓ.

હવે તમે વિચારી રહ્યા હશો કે અહીં વાત કળાની થઈ રહી છે અને હું તમને ગુરુદેવ ટાગોરનાં ઉત્કૃષ્ટ કાર્યોને જોવાની વાત કરી રહ્યો છું. તમે હજુ સુધી ગુરુદેવ રબીન્દ્રનાથ ટાગોરને એક લેખક અને એક સંગીતકારના રૂપમાં જાણ્યા હશે. પરંતુ હું તમને જણાવવા માગીશ કે ગુરુદેવ એક ચિત્રકાર પણ હતા. તેમણે અનેક વિષયો પર ચિત્રો બનાવ્યાં છે. તેમણે પશુપક્ષીઓનાં પણ ચિત્રો બનાવ્યાં છે, તેમણે અનેક સુંદર પરિદૃશ્યોનાં ચિત્રો પણ બનાવ્યાં છે અને તદુપરાંત તેમણે માનવ પાત્રોને પણ કળાના માધ્યમથી કેનવાસ પર ઉતારવાનું કામ કર્યું છે. અને ખાસ વાત એ છે કે ગુરુદેવ ટાગોરે પોતાના મોટા ભાગનાં કાર્યોને કોઈ નામ જ નથી આપ્યું. તેમનું માનવું હતું કે તેમનાં ચિત્રો જોનારા પોતે જ તે ચિત્રોને સમજે, ચિત્રોમાં તેમના દ્વારા આપવામાં આવેલા સંદેશને પોતાના દૃષ્ટિકોણથી જુએ. તેમનાં ચિત્રોને યુરોપીય દેશોમાં, રશિયામાં અને અમેરિકામાં પણ પ્રદર્શિત કરવામાં આવ્યાં છે. મને આશા છે કે તમે ક્રાન્તિ મંદિરમાં તેમનાં ચિત્રોને જોવા જરૂર જશો.

મારા પ્રિય દેશવાસીઓ, ભારત સંતોની ભૂમિ છે. આપણા સંતોએ પોતાના વિચારો અને કાર્યોના માધ્યમથી સદ્ભાવ, સમાનતા અને સામાજિક સશક્તિકરણનો સંદેશ આપ્યો છે. આવા જ એક સંત હતા- સંત રવિદાસ. 19 ફેબ્રુઆરીએ રવિદાસ જયંતી છે. સંત રવિદાસજીના દોહા ઘણા પ્રસિદ્ધ છે. સંત રવિદાસજી થોડી જ પંક્તિઓના માધ્યમથી મોટો સંદેશ આપતા હતા. તેમણે કહ્યું હતું-

‘जाति जाति में जाति है,

जो केतन के पात,

रैदास मनुष ना जुड सके

जब तक जाति न जात’

જે રીતે કેળાના થડને છોલવામાં આવે તો પાંદડાની નીચે પાંદડું, પછી પાંદડાની નીચે પાંદડું અને અંતમાં કંઈ નથી નીકળતું, પરંતુ સમગ્ર ઝાડ નાશ પામે છે, તે જ રીતે માણસને પણ જાતિઓમાં વહેંચવામાં આવ્યો છે અને માણસ માણસ નથી રહ્યો. તેઓ કહેતા હતા કે જો વાસ્તવમાં ભગવાન દરેક માણસમાં હોય તો તેમને જાતિ, પંથ અને અન્ય સામાજિક આધારો પર વહેંચવા ઉચિત નથી.

ગુરુ રવિદાસજીનો જન્મ વારાણસીની પવિત્ર ભૂમિ પર થયો હતો. સંત રવિદાસજીએ પોતાના સંદેશા માધ્યમથી પોતાના પૂરા જીવનકાળમાં શ્રમ અને શ્રમિકના મહત્ત્વને સમજાવવાનો પ્રયાસ કર્યો. એમ કહીએ તો ખોટું નહીં હોય કે તેમણે દુનિયાને શ્રમની પ્રતિષ્ઠાનો વાસ્તવિક અર્થ સમજાવ્યો છે. તેઓ કહેતા હતા-

‘મન ચંગા તો કઠૌતી મેં ગંગા’

અર્થાત્ જો તમારું મન અને હૃદય પવિત્ર છે તો સાક્ષાત્ ઈશ્વર તમારા હૃદયમાં નિવાસ કરે છે. સંત રવિદાસજીના સંદેશાઓએ દરેક સ્તર, દરેક વર્ગના લોકોને પ્રભાવિત કર્યા છે. ચાહે ચિત્તોડના મહારાજા અને રાણી હોય કે પછી મીરાબાઈ હોય, બધાં તેમના અનુયાયી હતાં.

હું ફરી એક વાર સંત રવિદાસજીને નમન કરું છું.

મારા પ્રિય દેશવાસીઓ, કિરણ સિદરે MyGov પર લખ્યું છે કે હું ભારતના અંતરિક્ષ કાર્યક્રમ અને તેના ભવિષ્ય સાથે જોડાયેલાં પાસાંઓ પર પ્રકાશ ફેંકું. તેઓ મારી પાસે એ પણ ઈચ્છતા હતા કે હું વિદ્યાર્થીઓને અંતરિક્ષ કાર્યક્રમમાં રુચિ લેવા અને કંઈક અલગ હટીને, આકાશથી આગળ જવા વિચારવાનો અનુરોધ કરું- કિરણજી, હું તમારા આ વિચાર અને વિશેષ રૂપથી આપણાં બાળકો માટે આપવામાં આવેલા સંદેશની પ્રશંસા કરું છું.

કેટલાક દિવસો પહેલાં હું અમદાવાદ હતો, જ્યાં મને ડૉક્ટર વિક્રમ સારાભાઈની પ્રતિમાનું અનાવરણ કરવાનું સૌભાગ્ય મળ્યું. ડૉક્ટર વિક્રમ સારાભાઈનું ભારતના અંતરિક્ષ કાર્યક્રમમાં એક મહત્ત્વપૂર્ણ યોગદાન રહ્યું છે. આપણા અંતરિક્ષ કાર્યક્રમમાં દેશના અસંખ્ય યુવાન વૈજ્ઞાનિકોનું યોગદાન છે. આપણે એ વાતનો ગર્વ કરીએ છીએ કે આજે આપણા વિદ્યાર્થીઓ દ્વારા વિકસાવવામાં આવેલા ઉપગ્રહો અને Sounding rockets અંતરિક્ષ સુધી પહોંચી રહ્યાં છે. આ 24 જાન્યુઆરીએ આપણા વિદ્યાર્થો દ્વારા બનાવવામાં આવેલો ‘કલામ – સેટ’ લૉન્ચ કરવામાં આવ્યો છે. ઓડિશામાં યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ દ્વારા બનાવવામાં આવેલા Sounding rocketsએ પણ અનેક કીર્તિમાન બનાવ્યા છે. દેશ સ્વતંત્ર થયો ત્યારથી વર્ષ 2014 સુધી જેટલાં સ્પેસ મિશન થયાં, લગભગ તેટલાં જ સ્પેશ મિશનની શરૂઆત છેલ્લાં ચાર વર્ષમાં થઈ છે. આપણે એક જ અંતરિક્ષ યાનની સાથે એક સાથે 104 સેટેલાઇટ લૉન્ચ કરવાનો વિશ્વ વિક્રમ પણ બનાવ્યો છે. આપણે ટૂંક સમયમાં જ ચંદ્રયાન-2 અભિયાનના માધ્યમથી ચંદ્ર પર ભારતની ઉપસ્થિતિ નોંધાવવાના છીએ.

આપણો દેશ સ્પેસ ટૅક્નૉલૉજીનો ઉપયોગ જાનમાલની રક્ષામાં સુંદર રીતે કરી રહ્યો છે. ચાહે વાવાઝોડું હોય, કે પછી રેલ અને સડક સુરક્ષા, આ બધાંમાં સ્પેસ ટૅક્નૉલૉજીથી ઘણી સહાયતા મળી રહી છે. આપણા માછીમાર ભાઈઓ વચ્ચે Navic Devices વહેંચવામાં આવી છે જે તેમની સુરક્ષાની સાથેસાથે આર્થિક પ્રગતિમાં પણ સહાયક છે. આપણે સ્પેસ ટૅક્નૉલૉજીનો ઉપયોગ સરકારી સેવાઓની ડિલિવરી અને જવાબદેહીને વધુ સારી બનાવવા માટે કરી રહ્યા છીએ. ‘બધાં માટે ઘર’ આ યોજનામાં 23 રાજ્યોનાં લગભગ 40 લાખ ઘરોને જિઓ-ટેગ કરવામાં આવ્યાં છે. તેની સાથે જ મનરેગા હેઠળ લગભગ સાડા ત્રણ કરોડ સંપત્તિને પણ જિઓ ટેગ કરવામાં આવી છે. આપણા સેટેલાઇટ્સ આજે દેશની વધતી શક્તિનું પ્રતીક છે. દુનિયાના અનેક દેશોની સાથે આપણા વધુ સારા સંબધોમાં તેનું ઘણું યોગદાન છે. સાઉથ એશિયા સેટેલાઇટ્સ તો એક અનોખી પહેલ રહી છે જેનાથી આપણા પડોશી મિત્ર રાષ્ટ્રોને પણ વિકાસનો ઉપહાર આપ્યો છે. આપણી બેહદ competitive launch services ના માધ્યમથી ભારત આજે ન કેવળ વિકાસશીલ દેશોના, પરંતુ વિકસિત દેશોના સેટેલાઇટ્સને પણ લૉન્ચ કરે છે. બાળકો માટે આકાશ અને તારાઓ હંમેશાં આકર્ષક હોય છે. આપણો અંતરિક્ષ કાર્યક્રમ બાળકોને મોટું વિચારવા અને તે સીમાઓથી આગળ વધવાનો અવસર આપે છે જે અત્યાર સુધી અસંભવ માનવામાં આવતાં હતાં. તે આપણાં બાળકો માટે તારાઓને નિહાળતા રહેવાની સાથેસાથે નવાનવા તારાઓની શોધ કરવાની તરફ પ્રેરિત કરવાનું વિઝન છે.

મારા પ્રિય દેશવાસીઓ, હું હંમેશાં કહું છું કે જે ખેલશે તે ખિલશે અને આ વખતે ખેલો ઇન્ડિયામાં ઘણા બધા તરુણ અને યુવાન ખેલાડીઓ ખિલીને સામે આવ્યા છે. જાન્યુઆરી મહિનામાં પૂણેમાં ખેલો ઇન્ડિયા યૂથ ગેમ્સમાં 18 ગેમ્સમાં લગભગ 6,000 ખેલાડીઓએ ભાગ લીધો. જ્યારે આપણા રમતની સ્થાનિક ઇકો સિસ્ટમ મજબૂત થશે એટલે કે જ્યારે આપણો આધાર મજબૂત થશે ત્યારે જ આપણા યુવાનો દેશ અને દુનિયા ભરમાં પોતાની ક્ષમતાનું સર્વોત્તમ પ્રદર્શન કરી શકશે. જ્યારે સ્થાનિક સ્તર પર ખેલાડી શ્રેષ્ઠ પ્રદર્શન કરશે ત્યારે જ તેઓ વૈશ્વિક સ્તર પર પણ શ્રેષ્ઠ પ્રદર્શન કરશે. આ વખતે ‘ખેલો ઇન્ડિયા’માં દરેક રાજ્યના ખેલાડીઓએ પોતપોતાના સ્તર પર સારું પ્રદર્શન કર્યું છે. મેડલ જીતનારા અનેક ખેલાડીઓનું જીવન જબરદસ્ત પ્રેરણા આપનારું છે.

મુક્કાબાજીમાં યુવાન ખેલાડી આકાશ ગોરખાએ રજત ચંદ્રક જીત્યો. હું વાંચી રહ્યો હતો કે આકાશના પિતા રમેશજી, પૂણેમાં એક કૉમ્પ્લેક્સમાં વૉચમેન તરીકે કામ કરે છે. તેઓ પોતાના પરિવારની સાથે એક પાર્કિંગ શૅડમાં રહે છે. તો મહારાષ્ટ્રની અંડર 21 મહિલા કબડ્ડી ટીમની કપ્તાન સોનાલી હેલવી સતારાની રહેવાસી છે. તેણે ઘણી નાની ઉંમરમાં જ તેના પિતાને ગુમાવી દીધા અને તેના ભાઈ અને તેની માતાએ સોનાલીના હુનરને પ્રોત્સાહન આપ્યું. ઘણી વાર એવું જોવામાં આવે છે કે કબડ્ડી જેવી રમતોમાં દીકરીઓને આટલું પ્રોત્સાહન મળતું નથી. તેમ છતાં સોનાલીએ કબડ્ડીને પસંદ કરી અને ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું. આસનસોલના દસ વર્ષના અભિનવ શૉ, ખેલો ઇન્ડિયા યૂથ ગેમ્સમાં સૌથી નાની ઉંમરનો સુવર્ણ ચંદ્રક  વિજેતા છે. કર્ણાટકમાં એક ખેડૂતની દીકરી અક્ષતા બાસવાની કમતીએ વેઇટલિફ્ટિંગમાં સુવર્ણ ચંદ્રક જીત્યો. તેણે પોતાની જીતનો શ્રેય તેના પિતાને આપ્યો. તેના પિતા બેલગામમાં એક ખેડૂત છે. જ્યારે આપણે ઇન્ડિયાના નિર્માણની વાત કરી રહ્યા છીએ તો તે યુવા શક્તિનો સંકલ્પ જ તો ન્યૂ ઇન્ડિયા છે. ખેલો ઇન્ડિયાની આ કથાઓ બતાવી રહી છે કે ન્યૂ ઇન્ડિયાના નિર્માણમાં માત્ર મોટાં શહેરોના લોકોનું યોગદાન નથી, પરંતુ નાનાં શહેરો, ગામડાંઓમાંથી આવતા લોકો યુવાનો-બાળકો, યુવા ખેલ પ્રતિભાઓ- તેમનું પણ મોટું યોગદાન છે.

મારા પ્રિય દેશવાસીઓ, તમે ઘણી બધી પ્રતિષ્ઠિત બ્યૂટી સ્પર્ધા વિશે સાંભળ્યું હશે. પરંતુ શું તમે ટૉઇલેટ ચમકાવવાની સ્પર્ધા વિશે સાંભળ્યું છે? અરે, છેલ્લા લગભગ એક મહિનાથી ચાલી રહેલી એક અનોખી સ્પર્ધામાં 50 લાખથી વધુ શૌચાલયોએ હિસ્સો લઈ પણ લીધો છે. આ અનોખી સ્પર્ધાનું નામ છે – સ્વચ્છ સુંદર શૌચાલય. લોકો પોતાના શૌચાલયને સ્વચ્છ રાખવાની સાથોસાથ તેને રંગરોગાન કરીને કેટલાંક ચિત્રો બનાવીને સુંદર પણ બનાવી રહ્યાં છે. તમને કાશ્મીરથી કન્યાકુમારી અને કચ્છથી કામરૂપ સુધી સ્વચ્છ સુંદર શૌચાલયનાં અનેક ફોટા સૉશિયલ મિડિયા પર પણ જોવા મળશે. હું બધા સરપંચો અને ગ્રામપ્રધાનોને પોતાની પંચાયતમાં આ અભિયાનનું નેતૃત્વ કરવાનું આહ્વાન કરું છું. પોતાના સ્વચ્છ સુંદર શૌચાલયની તસવીર #MyIzzatGharની સાથે સૉશિયલ મિડિયા પર જરૂર શૅર કરો.

સાથીઓ, 2 ઑક્ટોબર 2014એ આપણે આપણા દેશને સ્વચ્છ અને ખુલ્લામાં શૌચથી મુક્ત કરવા માટે એક સાથે મળીને એક ચિરસ્મરણીય યાત્રા શરૂ કરી હતી. ભારતના જન-જનના સહયોગથી આજે ભારત 2 ઑક્ટોબર 2019ના ઘણા પહેલાં જ ખુલ્લામાં શૌચ મુક્ત થવા તરફ અગ્રેસર છે જેનાથી બાપુને તેમની 150મી જયંતી પર તેમને શ્રદ્ધાંજલી આપી શકાય.

સ્વચ્છ ભારતની આ ચિરસ્મરણીય યાત્રામાં ‘મન કી બાત’ ના શ્રોતાઓનું પણ બહુ મોટું યોગદાન રહ્યું છે અને આથી જ તો તમારી સહુની સાથે એ વાત કરતા આનંદ થઈ રહ્યો છે કે પાંચ લાખ પચાસ હજારથી વધુ ગામડાંઓએ અને 600 જિલ્લાઓએ સ્વયંને ખુલ્લામાં શૌચથી મુક્ત ઘોષિત કરી દીધાં છે અને ગ્રામીણ ભારતમાં સ્વચ્છતા કવરેજ 98% ને પાર કરી ગયું છે અને લગભગ નવ કરોડ પરિવારોને શૌચાલયની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે.

મારા નાનાભૂલકા સાથીઓ, પરીક્ષાઓના દિવસો આવશે. હિમાચલ પ્રદેશના નિવાસી અંશુલ શર્માએ MyGov પર લખ્યું છે કે મારે પરીક્ષાઓ અને પરીક્ષાના લડવૈયાઓ વિશે વાત કરવી જોઈએ. અંશુલજી, આ મુદ્દો ઉઠાવવા માટે તમારો ધન્યવાદ. હા, અનેક પરિવારો માટે વર્ષનો પહેલો હિસ્સો પરીક્ષાનો સમયગાળો હોય છે. વિદ્યાર્થી, તેમનાં માતાપિતાથી લઈને શિક્ષક સુધી, ઘણા બધા લોકો પરીક્ષાઓ સાથે સંબંધિત કાર્યોમાં વ્યસ્ત રહે છે.

હું બધા વિદ્યાર્થીઓ, તેમનાં માતાપિતા અને શિક્ષકોને શુભકામનાઓ પાઠવું છું. હું આ વિષય પર આજે ‘મન કી બાત’ના આ કાર્યક્રમમાં ચર્ચા કરવાનું જરૂર પસંદ કરત, પરંતુ તમને એ જાણીને પ્રસન્નતા થશે કે હું બે દિવસ બાદ જ 29 જાન્યુઆરીએ સવારે 11 વાગે ‘પરીક્ષા પે ચર્ચા’ કાર્યક્રમમાં દેશભરના વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરવાનો છું. આ વખતે વિદ્યાર્થીઓની સાથોસાથ માતાપિતા અને શિક્ષકો પણ આ કાર્યક્રમનો હિસ્સો બનવાના છે. અને આ વખતે બીજા ઘણા દેશોના વિદ્યાર્થીઓ પણ આ કાર્યક્રમમાં ભાગ લેશે. આ ‘પરીક્ષા પે ચર્ચા’માં પરીક્ષાઓ સાથે જોડાયેલાં બધાં પાસાંઓ, વિશેષ રૂપે તણાવમુક્ત પરીક્ષા પરીક્ષાના સંબંધમાં મારા નૌજવાન મિત્રો સાથે ઘણી બધી વાતો કરીશ. મેં તે માટે લોકોને ઇનપૂટ અને આઇડિયા મોકલવાનો અનુરોધ કર્યો હતો અને મને ઘણો આનંદ છે કે MyGov પર મોટી સંખ્યામાં લોકો પોતાના વિચારો મૂકી રહ્યા છે. તેમાંથી કેટલાંક વિચારો અને સૂચનોને હું ચોક્કસ ટાઉન હૉલ પ્રૉગ્રામ દરમિયાન તમારી સામે રાખીશ. તમે જરૂર આ કાર્યક્રમનો હિસ્સો બનજો…સૉશિયલ મિડિયા અને નમો ઍપના માધ્યમથી તમે તેનું જીવંત પ્રસારણ પણ જોઈ શકશો.

મારા પ્રિય દેશવાસીઓ, 30 જાન્યુઆરીએ પૂજ્ય બાપુની પુણ્યતિથિ છે. 11 વાગે સમગ્ર દેશ શહીદોને શ્રદ્ધાંજલી આપે છે. આપણે પણ જ્યાં હોઈએ ત્યાં બે મિનિટ શહીદોને શ્રદ્ધાંજલી જરૂર આપીએ. પૂજ્ય બાપુનું પુણ્ય સ્મરણ કરીએ અને પૂજ્ય બાપુનાં સપનાંઓને સાકાર કરવા, નવા ભારતનું નિર્માણ કરવું, નાગરિક તરીકે પોતાનાં કર્તવ્યોનો નિર્વાહ કરવો- આ સંકલ્પની સાથે, આવો આપણે આગળ વધીએ. 2019ની આ યાત્રાને સફળતાપૂર્વક આગળ વધારીએ. મારી તમને સહુને ઘણી ઘણી શુભકામનાઓ, ખૂબ ખૂબ ધન્યવાદ.

  • krishangopal sharma Bjp January 21, 2025

    नमो नमो 🙏 जय भाजपा 🙏🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌹🌷🌹🌷🌹
  • krishangopal sharma Bjp January 21, 2025

    नमो नमो 🙏 जय भाजपा 🙏🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌹🌷🌹
  • krishangopal sharma Bjp January 21, 2025

    नमो नमो 🙏 जय भाजपा 🙏🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌷🌹
  • krishangopal sharma Bjp January 21, 2025

    नमो नमो 🙏 जय भाजपा 🙏🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌹
  • krishangopal sharma Bjp January 21, 2025

    नमो नमो 🙏 जय भाजपा 🙏🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹
  • krishangopal sharma Bjp January 21, 2025

    नमो नमो 🙏 जय भाजपा 🙏🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷
  • Priya Satheesh January 15, 2025

    🐯
  • ram Sagar pandey November 04, 2024

    🌹🌹🙏🙏🌹🌹जय श्रीराम 🙏💐🌹
  • Devendra Kunwar September 29, 2024

    BJP
  • रीना चौरसिया September 17, 2024

    भाजपा
Explore More
78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ
'New India's Aspirations': PM Modi Shares Heartwarming Story Of Bihar Villager's International Airport Plea

Media Coverage

'New India's Aspirations': PM Modi Shares Heartwarming Story Of Bihar Villager's International Airport Plea
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 7 માર્ચ 2025
March 07, 2025

Appreciation for PM Modi’s Effort to Ensure Ek Bharat Shreshtha Bharat