Quoteપ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, "ભારતના યુવાનો વચ્ચે પ્રથમ જાહેર જોડાણથી આનંદ થાય છે"
Quoteપ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, "ભારતીદાસન યુનિવર્સિટી મજબૂત અને પરિપક્વ પાયા પર શરૂ થઈ હતી."
Quote"કોઈ પણ રાષ્ટ્રને દિશા આપવામાં યુનિવર્સિટીઓ નિર્ણાયક ભૂમિકા ભજવે છે"
Quote"આપણું રાષ્ટ્ર અને તેની સભ્યતા હંમેશાં જ્ઞાનની આસપાસ કેન્દ્રિત રહી છે."
Quoteપ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, "મને યુવાનોની વર્ષ 2047 સુધીના વર્ષોને આપણા ઇતિહાસમાં સૌથી મહત્ત્વપૂર્ણ બનાવવાની ક્ષમતામાં વિશ્વાસ છે."
Quote"યૌવન એટલે ઊર્જા. તેનો અર્થ એ છે કે ઝડપ, કુશળતા અને સ્કેલ સાથે કામ કરવાની ક્ષમતા"
Quote"દરેક વૈશ્વિક સમાધાનના ભાગરૂપે ભારતનું સ્વાગત કરવામાં આવી રહ્યું છે."
Quote"ઘણી રીતે, સ્થાનિક અને વૈશ્વિક પરિબળોને કારણે, ભારતમાં યુવાન બનવાનો આ શ્રેષ્ઠ સમય છે"

તામિલનાડુનાં રાજ્યપાલ થિરુ આર. એન. રવિજી, તમિલનાડુનાં મુખ્યમંત્રી થિરુ એમ. કે. સ્ટાલિનજી, ભારતીદાસન યુનિવર્સિટીનાં વાઇસ ચાન્સેલર થિરુ એમ. સેલ્વમજી, મારા યુવાન મિત્રો, શિક્ષકો અને યુનિવર્સિટીનાં સહાયક કર્મચારીઓ,

 

|

વાનક્કમ!

एनदु माणव कुडुम्बमे ભારતીદાસન યુનિવર્સિટીના 38માં પદવીદાન સમારંભમાં અહીં આવવું મારા માટે વિશેષ છે. વર્ષ 2024માં આ મારી પ્રથમ જાહેર વાતચીત છે. હું તમિલનાડુ અને યુવાનોની વચ્ચે સુંદર રાજ્યમાં હોવાનો આનંદ અનુભવું છું. મને એ જાણીને પણ આનંદ થયો છે કે હું પહેલો એવો પ્રધાનમંત્રી છું કે જેમને અહીં પદવીદાન સમારંભમાં આવવાનો લહાવો મળ્યો છે. હું આ મહત્વપૂર્ણ પ્રસંગે સ્નાતક થયેલા વિદ્યાર્થીઓ, તેમના માતાપિતા અને શિક્ષકોને અભિનંદન આપું છું.

एनदु माणव कुडुम्बमे, ઘણીવાર, યુનિવર્સિટીની રચના એ એક કાયદાકીય પ્રક્રિયા હોય છે. એક અધિનિયમ પસાર કરવામાં આવે છે અને એક યુનિવર્સિટી અસ્તિત્વમાં આવે છે. બાદમાં તેના હેઠળ કોલેજો શરૂ કરવામાં આવે છે. પછી યુનિવર્સિટી વિકસે છે અને શ્રેષ્ઠતાના કેન્દ્રમાં પરિપક્વ થાય છે. જો કે ભારતીદાસન યુનિવર્સિટી સાથે કેસ થોડો અલગ છે. જ્યારે 1982માં તેની રચના કરવામાં આવી હતી, ત્યારે ઘણી વર્તમાન અને પ્રતિષ્ઠિત કોલેજોને તમારી યુનિવર્સિટી હેઠળ લાવવામાં આવી હતી. આમાંની કેટલીક કોલેજોમાં પહેલેથી જ મહાન લોકોના નિર્માણનો ટ્રેક રેકોર્ડ હતો. આથી, ભારતીદાસન યુનિવર્સિટીએ મજબૂત અને પરિપક્વ પાયા પર શરૂઆત કરી. આ પરિપક્વતાએ તમારી યુનિવર્સિટીને ઘણા ડોમેન્સમાં અસરકારક બનાવી છે. પછી તે માનવતા હોય, ભાષાઓ હોય, વિજ્ઞાન હોય કે ઉપગ્રહો પણ હોય, તમારી યુનિવર્સિટી એક અનોખી છાપ ઊભી કરે છે!

एनदु माणव कुडुम्बमे, આપણું રાષ્ટ્ર અને સંસ્કૃતિ હંમેશાં જ્ઞાનની આસપાસ કેન્દ્રિત રહી છે. નાલંદા અને વિક્રમશિલા જેવી કેટલીક પ્રાચીન યુનિવર્સિટીઓ જાણીતી છે. એ જ રીતે, કાંચીપુરમ હાઉસિંગ ગ્રેટ યુનિવર્સિટીઓ જેવી જગ્યાઓના સંદર્ભો છે. गंगई-कोण्ड-चोलपुरम् અને મદુરાઈ પણ વિદ્યાની મહાન બેઠકો હતી. આ જગ્યાઓ પર દુનિયાભરના વિદ્યાર્થીઓ આવતા હતા. एनदु माणव कुडुम्बमे, તે જ રીતે, દિક્ષાંત સમારંભની વિભાવના પણ ખૂબ જ પ્રાચીન છે અને આપણા માટે જાણીતી છે. દાખલા તરીકે, કવિઓ અને બૌદ્ધિકોની પ્રાચીન તમિલ સંગમ બેઠકનો જ દાખલો લો. સંગમોમાં, અન્યના વિશ્લેષણ માટે કવિતા અને સાહિત્ય રજૂ કરવામાં આવ્યા હતા. વિશ્લેષણ પછી, કવિ અને તેમની કૃતિને વિશાળ સમાજ દ્વારા માન્યતા આપવામાં આવી. આ જ તર્ક આજે પણ શિક્ષણ અને ઉચ્ચ શિક્ષણમાં વપરાય છે! તો, મારા યુવા મિત્રો, તમે જ્ઞાનની એક મહાન ઐતિહાસિક પરંપરાનો ભાગ છો. एनदु माणव कुडुम्बमे, યુનિવર્સિટીઓ કોઈપણ રાષ્ટ્રને દિશા આપવામાં નિર્ણાયક ભૂમિકા ભજવે છે. જ્યારે આપણી યુનિવર્સિટીઓ જીવંત હતી, ત્યારે આપણું રાષ્ટ્ર અને સંસ્કૃતિ પણ જીવંત હતી. જ્યારે આપણા રાષ્ટ્ર પર હુમલો થયો, ત્યારે આપણી જ્ઞાન પ્રણાલીઓને તાત્કાલિક નિશાન બનાવવામાં આવી. 20મી સદીની શરૂઆતમાં મહાત્મા ગાંધી, પંડિત મદન મોહન માલવિયા અને સર અન્નામલાઈ ચેટ્ટીયર જેવા લોકોએ વિશ્વવિદ્યાલયોની શરૂઆત કરી હતી. સ્વાતંત્ર્ય સંગ્રામ દરમિયાન આ જ્ઞાન અને રાષ્ટ્રવાદનાં કેન્દ્રો હતાં.

 

|

તે જ રીતે, આજે ભારતના ઉત્થાન પાછળનાં પરિબળોમાંનું એક પરિબળ છે આપણાં વિશ્વવિદ્યાલયોનું ઉત્થાન. ભારત સૌથી ઝડપથી વિકસતી મોટી અર્થવ્યવસ્થા તરીકે આર્થિક વૃદ્ધિમાં રેકોર્ડ સ્થાપિત કરી રહ્યું છે. સાથે સાથે આપણી યુનિવર્સિટીઓ પણ રેકોર્ડ સંખ્યામાં વૈશ્વિક રેન્કિંગમાં પ્રવેશી રહી છે. एनदु माणव कुडुम्बमे, તમારી યુનિવર્સિટીએ આજે તમારામાંના ઘણાને ડિગ્રીઓ એનાયત કરી છે. તમારા શિક્ષકો, પરિવાર, મિત્રો, દરેક જણ તમારા માટે ખુશ છે. ખરેખર, જો તમે ગ્રેજ્યુએશન ગાઉન પહેરીને બહાર દેખાશો, તો લોકો તમને જાણતા ન હોય તો પણ તમને અભિનંદન આપશે. આ તમને શિક્ષણના હેતુ અને સમાજ તમને આશાથી કેવી રીતે જુએ છે તે વિશે ઉંડાણપૂર્વક વિચારવું જોઈએ.

ગુરુદેવ રવીન્દ્રનાથ ટાગોરે કહ્યું હતું કે, ઉચ્ચ શિક્ષણ આપણને માત્ર માહિતી આપતું નથી. પરંતુ તે આપણને તમામ અસ્તિત્વ સાથે સુમેળમાં રહેવામાં મદદ કરે છે. ગરીબમાં ગરીબ સમાજ સહિત સમગ્ર સમાજે તમને આ મહત્વપૂર્ણ દિવસ સુધી પહોંચાડવામાં ભૂમિકા ભજવી હતી. તેથી, તેમને પાછા આપવું, વધુ સારા સમાજ અને દેશનું નિર્માણ કરવું એ શિક્ષણનો સાચો હેતુ છે. તમે જે વિજ્ઞાન શીખ્યા છો તે તમારા ગામના ખેડૂતને મદદ કરી શકે છે. તમે જે તકનીકી શીખ્યા તે જટિલ સમસ્યાઓ હલ કરવામાં મદદ કરી શકે છે. તમે જે વ્યવસાય સંચાલન શીખ્યા છો તે વ્યવસાયો ચલાવવામાં મદદ કરી શકે છે અને અન્ય લોકો માટે આવક વૃદ્ધિની ખાતરી આપી શકે છે. તમે જે અર્થશાસ્ત્ર શીખ્યા છો તે ગરીબી ઘટાડવાનું કામ કરવામાં મદદ કરી શકે છે. તમે જે ભાષાઓ અને ઇતિહાસ શીખ્યા છો તે સંસ્કૃતિને મજબૂત બનાવવાનું કામ કરવામાં મદદ કરી શકે છે. એક પ્રકારે અહીંનો દરેક સ્નાતક વર્ષ 2047 સુધીમાં વિકસિત ભારતનું નિર્માણ કરવામાં પોતાનું યોગદાન આપવામાં મદદરૂપ થઈ શકે છે.

 

|

एनदु माणव कुडुम्बमे 2047 સુધીના વર્ષોને આપણા ઇતિહાસમાં સૌથી મહત્વપૂર્ણ બનાવવાની યુવાનોની ક્ષમતામાં મને વિશ્વાસ છે. મહાન કવિ ભારતીદાસને જણાવ્યું હતું पुदियदोर् उलगम् सेय्वोम्. આ તમારી યુનિવર્સિટીનું સૂત્ર પણ છે. આનો અર્થ એ છે કે ચાલો આપણે એક બહાદુર નવી દુનિયાનું નિર્માણ કરીએ. ભારતીય યુવાનો પહેલેથી જ આવી દુનિયાનું નિર્માણ કરી રહ્યા છે. યુવા વૈજ્ઞાનિકોએ કોવિડ-19 દરમિયાન વિશ્વને રસી પહોંચાડવામાં મદદ કરી હતી. ચંદ્રયાન જેવા મિશન દ્વારા ભારતીય વિજ્ઞાન વિશ્વના નકશા પર છે. અમારા નવપ્રવર્તકોએ વર્ષ 2014માં પેટન્ટની સંખ્યા આશરે 4,000 હતી, જે અત્યારે વધીને 50,000 થઈ ગઈ છે! આપણા માનવતાના વિદ્વાનો ભારતની વાર્તાને વિશ્વને પહેલાની જેમ પ્રદર્શિત કરી રહ્યા છે. આપણા સંગીતકારો અને કલાકારો સતત આપણા દેશમાં આંતરરાષ્ટ્રીય એવોર્ડ લાવી રહ્યા છે. આપણા રમતવીરોએ એશિયન ગેમ્સ, એશિયન પેરા ગેમ્સ અને અન્ય ટુર્નામેન્ટમાં વિક્રમી સંખ્યામાં ચંદ્રકો જીત્યા હતા. તમે એવા સમયે વિશ્વમાં પગ મૂકી રહ્યા છો જ્યારે દરેક જણ તમને દરેક ક્ષેત્રમાં નવી આશા સાથે જોઈ રહ્યું છે. एनदु माणव कुडुम्बमे, યુવાનીનો અર્થ ઊર્જા થાય છે. તેનો અર્થ એ છે કે ઝડપ, કુશળતા અને સ્કેલ સાથે કામ કરવાની ક્ષમતા. છેલ્લા કેટલાક વર્ષોમાં અમે તમને સ્પીડ અને સ્કેલમાં મેચ કરવાનું કામ કર્યું છે, જેથી અમે તમને ફાયદો પહોંચાડી શકીએ.

 

|

છેલ્લાં 10 વર્ષમાં એરપોર્ટની સંખ્યા 74થી બમણી થઈને 150 થઈ ગઈ છે! તામિલનાડુમાં એક જીવંત દરિયાકિનારો છે. એટલે તમને એ જાણીને આનંદ થશે કે વર્ષ 2014થી અત્યાર સુધીમાં ભારતમાં મુખ્ય બંદરોની કુલ કાર્ગો હેન્ડલિંગ ક્ષમતા બમણી થઈ ગઈ છે. છેલ્લા 10 વર્ષમાં દેશમાં રોડ અને હાઈવે નિર્માણની ગતિ લગભગ બમણી થઈ ગઈ છે. દેશમાં રજિસ્ટર્ડ સ્ટાર્ટ અપની સંખ્યા વધીને લગભગ 1 લાખ થઈ ગઈ છે. 2014માં આ 100 કરતા પણ ઓછી હતી. ભારતે મહત્વપૂર્ણ અર્થવ્યવસ્થાઓ સાથે અનેક વેપાર સોદાઓ પર પણ મહોર લગાવી દીધી છે. આ સોદાઓ આપણી ચીજવસ્તુઓ અને સેવાઓ માટે નવા બજારો ખોલશે. તેઓ આપણા યુવાનો માટે અસંખ્ય નવી તકોનું સર્જન પણ કરે છે. જી-20 જેવી સંસ્થાઓને મજબૂત કરવાની વાત હોય, આબોહવામાં પરિવર્તન સામે લડવાની વાત હોય કે પછી વૈશ્વિક પુરવઠા શ્રુંખલામાં મોટી ભૂમિકા ભજવવાની વાત હોય, દરેક વૈશ્વિક સમાધાનના ભાગરૂપે ભારતનું સ્વાગત કરવામાં આવી રહ્યું છે. ઘણી રીતે, સ્થાનિક અને વૈશ્વિક પરિબળોને કારણે, યુવાન ભારતીય બનવાનો આ શ્રેષ્ઠ સમય છે. આ સમયનો સૌથી વધુ લાભ ઉઠાવો અને આપણા દેશને નવી ઊંચાઈઓ પર લઈ જાઓ.

 

|

एनदु माणव कुडुम्बमे, તમારામાંના કેટલાક એવું વિચારતા હશે કે આજે તમારા માટે યુનિવર્સિટી જીવનનો અંત છે. તે સાચું હોઈ શકે છે, પરંતુ તે શીખવાનો અંત નથી. તમને હવે તમારા પ્રાધ્યાપકો દ્વારા શીખવવામાં આવશે નહીં પરંતુ જીવન તમારા શિક્ષક બનશે. સતત શીખવાની ભાવનામાં, અન-લર્નિંગ, રિસ્કિલિંગ અને અપ-સ્કિલિંગ પર સક્રિયપણે કામ કરવું મહત્વપૂર્ણ છે. કારણ કે ઝડપથી બદલાઈ રહેલા વિશ્વમાં કાં તો તમે પરિવર્તન લાવો છો અથવા તો પરિવર્તન તમને પ્રેરિત કરે છે. હું ફરી એકવાર અહિંના સ્નાતક થયેલા નવયુવાનોને આજે ખૂબ-ખૂબ અભિનંદન આપું છું.

હું તમને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છા પાઠવું છું! मिक्क ननरी

 

  • krishangopal sharma Bjp January 24, 2025

    नमो नमो 🙏 जय भाजपा🙏🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹
  • krishangopal sharma Bjp January 24, 2025

    नमो नमो 🙏 जय भाजपा🙏🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷
  • krishangopal sharma Bjp January 24, 2025

    नमो नमो 🙏 जय भाजपा🙏🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹
  • कृष्ण सिंह राजपुरोहित भाजपा विधान सभा गुड़ामा लानी November 21, 2024

    नमो
  • कृष्ण सिंह राजपुरोहित भाजपा विधान सभा गुड़ामा लानी November 21, 2024

    बीजेपी
  • कृष्ण सिंह राजपुरोहित भाजपा विधान सभा गुड़ामा लानी November 21, 2024

    जय श्री राम 🚩 वन्दे मातरम् जय भाजपा विजय भाजपा
  • Devendra Kunwar October 08, 2024

    BJP
  • दिग्विजय सिंह राना September 20, 2024

    हर हर महादेव
  • krishangopal sharma Bjp July 31, 2024

    नमो नमो 🙏 जय भाजपा 🙏
  • krishangopal sharma Bjp July 31, 2024

    नमो नमो 🙏 जय भाजपा 🙏
Explore More
78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ
Rs 1332 cr project: Govt approves doubling of Tirupati-Pakala-Katpadi single railway line section

Media Coverage

Rs 1332 cr project: Govt approves doubling of Tirupati-Pakala-Katpadi single railway line section
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Prime Minister pays tributes to Bhagwan Mahavir on Mahavir Jayanti
April 10, 2025

The Prime Minister, Shri Narendra Modi paid tributes to Bhagwan Mahavir on the occasion of Mahavir Jayanti today. Shri Modi said that Bhagwan Mahavir always emphasised on non-violence, truth and compassion, and that his ideals give strength to countless people all around the world. The Prime Minister also noted that last year, the Government conferred the status of Classical Language on Prakrit, a decision which received a lot of appreciation.

In a post on X, the Prime Minister said;

“We all bow to Bhagwan Mahavir, who always emphasised on non-violence, truth and compassion. His ideals give strength to countless people all around the world. His teachings have been beautifully preserved and popularised by the Jain community. Inspired by Bhagwan Mahavir, they have excelled in different walks of life and contributed to societal well-being.

Our Government will always work to fulfil the vision of Bhagwan Mahavir. Last year, we conferred the status of Classical Language on Prakrit, a decision which received a lot of appreciation.”