"ભારત અને શ્રીલંકા રાજદ્વારી અને આર્થિક સંબંધોમાં નવા અધ્યાયની શરૂઆત કરી રહ્યા છે"
"ફેરી સેવા તમામ ઐતિહાસિક અને સાંસ્કૃતિક જોડાણોને જીવંત બનાવે છે"
“કનેક્ટિવિટી માત્ર બે શહેરોને નજીક લાવવા માટે નથી. તે આપણા દેશોને પણ નજીક લાવે છે, આપણા લોકોને નજીક લાવે છે અને આપણા હૃદયને પણ નજીક લાવે છે”
"પ્રગતિ અને વિકાસ માટેની ભાગીદારી એ ભારત-શ્રીલંકા દ્વિપક્ષીય સંબંધોના સૌથી મજબૂત સ્તંભોમાંનું એક છે"
"શ્રીલંકામાં ભારતીય સહાયથી અમલમાં મુકાયેલા પ્રોજેક્ટોએ લોકોના જીવનને સ્પર્શ્યું છે"

મહાનુભાવો, ભાઈઓ અને બહેનો, નમસ્કાર, આયુબોવન, વન્નકમ!

મિત્રો,

આ મહત્વપૂર્ણ પ્રસંગે તમારી સાથે જોડાવું એ મારું સૌભાગ્ય છે. આપણે ભારત અને શ્રીલંકા વચ્ચેના રાજદ્વારી અને આર્થિક સંબંધોમાં એક નવા અધ્યાયની શરૂઆત કરી રહ્યા છીએ. નાગાપટ્ટિનમ અને કંકેસંથુરાઈ વચ્ચે ફેરી સર્વિસની શરૂઆત એ આપણા સંબંધોને મજબૂત કરવા માટે એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ છે.

મિત્રો,

ભારત અને શ્રીલંકા સંસ્કૃતિ, વાણિજ્ય અને સભ્યતાનો ઊંડો ઇતિહાસ ધરાવે છે. નાગાપટ્ટિનમ અને નજીકના નગરો લાંબા સમયથી શ્રીલંકા સહિત ઘણા દેશો સાથે દરિયાઈ વેપાર માટે જાણીતા છે. પ્રાચીન તમિલ સાહિત્યમાં પૂમ્પુહારના ઐતિહાસિક બંદરનો હબ તરીકે ઉલ્લેખ કરવામાં આવ્યો છે. સંગમ યુગનું સાહિત્ય જેમ કે પટ્ટિનપ્પલાઈ અને મણિમેકલાઈ ભારત અને શ્રીલંકા વચ્ચે ચાલતી નૌકાઓ અને જહાજો વિશે વાત કરે છે. મહાન કવિ સુબ્રમણિયા ભારતીએ તેમના ગીત ‘સિંધુ નદીં મિસાઈ’માં આપણા બંને દેશોને જોડતા પુલની વાત કરી હતી. આ ફેરી સેવા તે તમામ ઐતિહાસિક અને સાંસ્કૃતિક જોડાણોને જીવંત બનાવે છે.

મિત્રો,

રાષ્ટ્રપતિ વિક્રમસિંઘેની તાજેતરની મુલાકાત દરમિયાન, અમે અમારી આર્થિક ભાગીદારી માટે સંયુક્ત રીતે વિઝન ડોક્યુમેન્ટ અપનાવ્યું હતું. કનેક્ટિવિટી આ ભાગીદારીની કેન્દ્રીય થીમ છે. કનેક્ટિવિટીનો અર્થ માત્ર બે શહેરોને નજીક લાવવાનો નથી. તે આપણા દેશોને પણ નજીક લાવે છે, આપણા લોકો અને આપણા હૃદયને નજીક લાવે છે. કનેક્ટિવિટી વેપાર, પ્રવાસન અને લોકો વચ્ચેના સંબંધોને વધારે છે. તે બંને દેશોના યુવાનો માટે તકો પણ ઉભી કરે છે.

 

મિત્રો,

2015માં મારી શ્રીલંકાની મુલાકાત પછી, અમે દિલ્હી અને કોલંબો વચ્ચે સીધી ફ્લાઇટ્સ શરૂ કરી હતી.

. પાછળથી, અમે શ્રીલંકાથી કુશીનગરના તીર્થ નગરમાં પ્રથમ આંતરરાષ્ટ્રીય ફ્લાઇટના ઉતરાણની ઉજવણી કરી. ચેન્નાઈ અને જાફના વચ્ચેની સીધી ફ્લાઇટ 2019 માં શરૂ થઈ હતી. હવે, નાગાપટ્ટિનમ અને કંકેસંથુરાઈ વચ્ચેની ફેરી સેવા આ દિશામાં બીજું એક મહત્વપૂર્ણ પગલું છે.

મિત્રો,

કનેક્ટિવિટી માટેનું અમારું વિઝન ટ્રાન્સપોર્ટ સેક્ટરની બહાર છે. ભારત અને શ્રીલંકા ફિન-ટેક અને ઉર્જા જેવા ક્ષેત્રોની વિશાળ શ્રેણીમાં નજીકથી સહયોગ કરે છે. UPI ને કારણે ભારતમાં ડિજિટલ પેમેન્ટ એક જન ચળવળ અને જીવન જીવવાની રીત બની ગઈ છે. અમે UPI અને લંકા પેને લિંક કરીને ફિન-ટેક સેક્ટર કનેક્ટિવિટી પર કામ કરી રહ્યા છીએ. આપણી વિકાસ યાત્રાને શક્તિ આપવા માટે આપણા દેશો માટે ઉર્જા સુરક્ષા નિર્ણાયક છે. ઉર્જા સુરક્ષા અને વિશ્વસનીયતા વધારવા માટે અમે અમારા એનર્જી ગ્રીડને જોડી રહ્યા છીએ.

મિત્રો,

પ્રગતિ અને વિકાસ માટેની ભાગીદારી એ આપણા દ્વિપક્ષીય સંબંધોના સૌથી મજબૂત સ્તંભોમાંથી એક છે. અમારું વિઝન કોઈને પાછળ ન રાખીને વિકાસને દરેક સુધી લઈ જવાનો છે. આ વિઝનને અનુરૂપ, શ્રીલંકામાં ભારતીય સહાયથી અમલમાં મૂકાયેલા પ્રોજેક્ટ્સે લોકોના જીવનને સ્પર્શ્યું છે. ઉત્તરીય પ્રાંતમાં આવાસ, પાણી, આરોગ્ય અને આજીવિકાને લગતી કેટલીક યોજનાઓ પૂર્ણ કરવામાં આવી છે. મને આનંદ છે કે અમે કંકેસંથુરાઈ બંદરના અપગ્રેડેશન માટે સમર્થન આપ્યું છે. જેની સાથે ઉત્તરથી દક્ષિણને જોડતી રેલ્વે લાઇનની પુનઃસ્થાપના; આઇકોનિક જાફના કલ્ચરલ સેન્ટરનું બાંધકામ; સમગ્ર શ્રીલંકામાં ઇમરજન્સી એમ્બ્યુલન્સ સેવા શરૂ કરવી; અથવા ડિક ઓયા ખાતેની મલ્ટી-સ્પેશિયાલિટી હોસ્પિટલ અમે સબકા સાથ, સબકા વિકાસ, સબકા વિશ્વાસ અને સબકા પ્રયાસના વિઝન સાથે કામ કરી રહ્યા છીએ.

 

મિત્રો,

તમે બધા જાણો છો કે તાજેતરમાં જ ભારતે G20 સમિટનું આયોજન કર્યું હતું. વસુધૈવ કુટુમ્બકમના અમારા વિઝનને આંતરરાષ્ટ્રીય સમુદાય દ્વારા આવકારવામાં આવ્યો છે. આ વિઝનનો એક ભાગ છે આપણા પડોશને પ્રથમ સ્થાન આપવું, પ્રગતિ અને સમૃદ્ધિ વહેંચવી. G20 સમિટ દરમિયાન, ભારત-મધ્ય પૂર્વ-યુરોપ આર્થિક કોરિડોર શરૂ કરવામાં આવ્યો હતો. આ એક મહત્વપૂર્ણ કનેક્ટિવિટી કોરિડોર છે

જે સમગ્ર પ્રદેશ પર વ્યાપક આર્થિક અસર કરશે. શ્રીલંકાના લોકોને પણ તેનો ફાયદો થશે કારણ કે અમે અમારા બંને દેશો વચ્ચે મલ્ટિ-મોડલ કનેક્ટિવિટી મજબૂત કરીએ છીએ. આજે ફેરી સર્વિસની સફળ શરૂઆત માટે હું રાષ્ટ્રપતિ, સરકાર અને શ્રીલંકાના લોકોનો આભાર માનું છું. આજની શરૂઆત સાથે, અમે રામેશ્વરમ અને તાલાઈમન્નાર વચ્ચે ફેરી સેવા ફરી શરૂ કરવાની દિશામાં પણ કામ કરીશું.

મિત્રો,

ભારત આપણા લોકોના પરસ્પર લાભ માટે આપણા દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબૂત કરવા શ્રીલંકા સાથે નજીકથી કામ કરવા પ્રતિબદ્ધ છે.

 આભાર!

 

Explore More
78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ
When PM Modi Visited ‘Mini India’: A Look Back At His 1998 Mauritius Visit

Media Coverage

When PM Modi Visited ‘Mini India’: A Look Back At His 1998 Mauritius Visit
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
I reaffirm India’s commitment to strong bilateral relations with Mauritius: PM at banquet hosted by Mauritius President
March 11, 2025

Your Excellency राष्ट्रपति धरमबीर गोकुल जी,

First Lady श्रीमती बृंदा गोकुल जी,
उप राष्ट्रपति रोबर्ट हंगली जी,
प्रधान मंत्री रामगुलाम जी,
विशिष्ट अतिथिगण,

मॉरिशस के राष्ट्रीय दिवस समारोह में मुख्य अतिथि के रूप में एक बार फिर शामिल होना मेरे लिए सौभाग्य की बात है।

इस आतिथ्य सत्कार और सम्मान के लिए मैं राष्ट्रपति जी का हार्दिक आभार व्यक्त करता हूँ।
यह केवल भोजन का अवसर नहीं है, बल्कि भारत और मॉरीशस के जीवंत और घनिष्ठ संबंधों का प्रतीक है।

मॉरीशस की थाली में न केवल स्वाद है, बल्कि मॉरीशस की समृद्ध सामाजिक विविधता की झलक भी है।

इसमें भारत और मॉरीशस की साझी विरासत भी समाहित है।

मॉरीशस की मेज़बानी में हमारी मित्रता की मिठास घुली हुई है।

इस अवसर पर, मैं - His Excellency राष्ट्रपति धरमबीर गोकुल जी और श्रीमती बृंदा गोकुल जी के उत्तम स्वास्थ्य और कल्याण; मॉरीशस के लोगों की निरंतर प्रगति, समृद्धि और खुशहाली की कामना करता हूँ; और, हमारे संबंधों के लिए भारत की प्रतिबद्धता दोहराता हूँ

जय हिन्द !
विवे मॉरीस !