Quote"કાશીને જ્ઞાન, કર્તવ્ય અને સત્યના ભંડાર તરીકે ઓળખવામાં આવે છે અને તે ખરેખર ભારતની સાંસ્કૃતિક તેમજ આધ્યાત્મિક રાજધાની છે"
Quote“ભારતમાં અમને અમારી શાશ્વત અને વૈવિધ્યસભર સંસ્કૃતિ પર ખૂબ જ ગૌરવ છે. અમે અમારા અમૂર્ત સાંસ્કૃતિક વારસાને પણ ખૂબ જ મૂલ્ય આપીએ છીએ”
Quote"'યુગે યુગીન ભારત' રાષ્ટ્રીય સંગ્રહાલયનું કામ પૂરું થતાં તે 5,000 વર્ષ કરતાં વધુ સમયથી ફેલાયેલા ભારતના ઇતિહાસ અને સંસ્કૃતિનું પ્રદર્શન કરતા વિશ્વના સૌથી મોટા સંગ્રહાલય તરીકે ઊભું રહેશે"
Quote"મૂર્ત વારસો એ માત્ર ભૌતિક મૂલ્યનો જ નથી હોતો પરંતુ તે રાષ્ટ્રનો ઇતિહાસ અને ઓળખ પણ છે"
Quote"આર્થિક વિકાસ અને વૈવિધ્યકરણ માટે વારસો એ એક મહત્વપૂર્ણ સંપત્તિ છે, અને 'વિકાસ ભી વિરાસત ભી'ના ભારતના મંત્રમાં તેનો પડઘો પડે છે"
Quote"ભારતનો રાષ્ટ્રીય ડિજિટલ જિલ્લા ભંડાર સ્વાતંત્ર્ય સંગ્રામની ગાથાઓને ફરીથી શોધવામાં મદદ કરી રહ્યો છે"
Quote"કાર્યકારી સમૂહનું કાર્ય ચાર ‘C’ એટલે કે – કલ્ચર, ક્રિએટીવિટી, કોમર્સ અને કોલૅબ્રેશનના મહત્વને પ્રતિબિંબિત કરે છે"

નમસ્કાર!

વારાણસીમાં આપનું સ્વાગત છે, જેને કાશી તરીકે પણ ઓળખવામાં આવે છે. વારાણસીમાં આપને મળવાથી મને ખૂબ જ આનંદ થયો છે, આ મારો સંસદીય મતવિસ્તાર છે. કાશી, એ માત્ર વિશ્વનું સૌથી જૂનું જીવંત શહેર જ નથી. અહીંથી નજીકમાં જ સારનાથ છે, જ્યાં ભગવાન બુદ્ધે તેમનો પ્રથમ ઉપદેશ આપ્યો હતો. કાશીને "સુજ્ઞાન, ધર્મ અને સત્યરાશિની નગરી" મતલબ કે - જ્ઞાન, કર્તવ્ય અને સત્યનો ભંડાર કહેવામાં આવે છે. તે ખરેખર ભારતની સાંસ્કૃતિક અને આધ્યાત્મિક રાજધાની છે. હું આશા રાખું છું કે તમે બધાએ તમારા કાર્યક્રમમાં ગંગા આરતીના દર્શન કરવા, સારનાથની મુલાકાત લેવા અને કાશીના ભોજનનો આનંદ માણવા માટે થોડો સમય રાખ્યો હશે.

મહાનુભાવો,

સંસ્કૃતિમાં બધાને એકજૂથ કરવાનું સહજ સામર્થ્ય હોય છે. આ આપણને વિવિધ પૃષ્ઠભૂમિ અને પરિપ્રેક્ષ્યોને સમજવા માટે સમર્થ બનાવે છે. અને તેથી, તમારું કાર્ય સમગ્ર માનવાજાત માટે ખૂબ જ મહત્વ ધરાવે છે. અમને ભારતીયોને અમારી શાશ્વત અને વૈવિધ્યસભર સંસ્કૃતિ પર ખૂબ જ ગૌરવ છે. અમે અમારા અમૂર્ત સાંસ્કૃતિક વારસાને પણ ખૂબ મહત્વ આપીએ છીએ. અમે અમારા વારસાગત સ્થળોને સાચવવા અને તેમનો પુનરોદ્ધાર કરવા માટે સખત મહેનત કરી રહ્યા છીએ. અમે અમારી સાંસ્કૃતિક સંપત્તિ અને કલાકારોને માત્ર રાષ્ટ્રીય સ્તરે જ નહીં પરંતુ સમગ્ર ભારતના ગ્રામ્ય સ્તરે પણ તેમનું જતન કર્યું છે. અમે અમારી સંસ્કૃતિની ઉજવણી માટે ઘણાં કેન્દ્રો પણ બનાવી રહ્યા છીએ. તેમાંથી કેટલાક અગ્રણીઓમાં દેશના વિવિધ ભાગોમાં આવેલા આદિજાતિ સંગ્રહાલયો છે. આ સંગ્રહાલયો ભારતના આદિવાસી સમુદાયોની જીવંત સંસ્કૃતિને પ્રદર્શિત કરશે. નવી દિલ્હીમાં અમારી પાસે પ્રધાનમંત્રી સંગ્રહાલય છે. આ પોતાની રીતે એક અનોખો પ્રયાસ છે, જે ભારતના લોકશાહી વારસાને પ્રદર્શિત કરે છે. અમે 'યુગે-યુગીન ભારત' રાષ્ટ્રીય સંગ્રહાલયનું પણ નિર્માણ કરી રહ્યા છીએ. એકવાર તેનું કામ પૂરું થયા પછી તે વિશ્વનું સૌથી મોટું સંગ્રહાલય હશે. તેમાં ભારતનો 5000 વર્ષથી પણ વધુ જૂનો ઇતિહાસ અને સંસ્કૃતિ પ્રદર્શિત કરવામાં આવશે.

મહાનુભાવો,

સાંસ્કૃતિક સંપત્તિ પરત લાવવાનો મુદ્દો મહત્વનો છે. અને, હું આ સંદર્ભે તમે કરેલા પ્રયાસોને આવકારું છું. આખરે તો, મૂર્ત વારસો માત્ર ભૌતિક મૂલ્ય નથી ધરાવતો. પરંતુ તે રાષ્ટ્રનો ઇતિહાસ અને ઓળખ પણ છે. દરેક વ્યક્તિને તેમના સાંસ્કૃતિક વારસા સુધી પહોંચવાનો અને તેને માણવાનો અધિકાર છે. 2014થી અત્યાર સુધીમાં, ભારતે સેંકડો કલાકૃતિઓ સ્વદેશમાં પાછી લાવી છે, જે અમારી પ્રાચીન સંસ્કૃતિના ગૌરવને પ્રતિબિંબિત કરે છે. હું 'લિવિંગ હેરિટેજ'ની દિશામાં કરવામાં આવેલા તમારા પ્રયાસોની તેમજ 'કલ્ચર ફોર લાઇફ'ની દિશામાં તમે આપેલા યોગદાનની પ્રશંસા કરું છું. આખરે તો, સાંસ્કૃતિક વારસો એ માત્ર પથ્થરમાં સુયોજિત રીતે તૈયાર કરેલી કોઇ રચના નથી. તે પરંપરાઓ, રિવાજો અને તહેવારો પણ છે, જે પેઢી દર પેઢી આગળ વધે છે. મને વિશ્વાસ છે કે તમારા પ્રયાસો ટકાઉક્ષમ વ્યવહાર અને જીવનશૈલીઓને પ્રોત્સાહન આપશે.

મહાનુભાવો,

અમે માનીએ છીએ કે આર્થિક વૃદ્ધિ અને વૈવિધ્યકરણ માટે વારસો એ એક મહત્વપૂર્ણ સંપત્તિ છે. અમારા મંત્ર 'વિકાસ પણ, વારસો પણ'માં આ બાબત પ્રતિબિંબિત થાય છે. ભારતને તેના 2,000 વર્ષ જૂના હસ્તકળાના વારસા પર ગૌરવ છે, જેમાં લગભગ 3,000 અનન્ય કળા અને હસ્તકળાઓ છે. અમારી 'એક જિલ્લો, એક ઉત્પાદન' પહેલ આત્મનિર્ભરતાને પ્રોત્સાહન આપવાની સાથે સાથે ભારતીય હસ્તકળાની વિશિષ્ટતા દર્શાવે છે. સાંસ્કૃતિક અને સર્જનાત્મક ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા માટેના આપ સૌએ કરેલા પ્રયાસો ખૂબ જ મહત્વના છે. આનાથી સહિયારી આર્થિક વૃદ્ધિ સરળ બનશે અને સર્જનાત્મકતા તેમજ આવિષ્કારને તે સમર્થન આપશે. આવતા મહિનામાં ભારતમાં પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના શરૂ કરવાની છે. 1.8 અબજ ડૉલરના પ્રારંભિક ખર્ચ સાથે, તે પરંપરાગત કારીગરોને સહકાર આપવાની ઇકો-સિસ્ટમનું નિર્માણ કરશે. આનાથી તેઓ તેમની હસ્તકળામાં વિકાસ કરી શકશે અને ભારતના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાના સંરક્ષણમાં યોગદાન આપી શકશે.

મિત્રો,

સંસ્કૃતિની ઉજવણીમાં ટેક્નોલોજી એક મહત્વપૂર્ણ સહયોગી છે. ભારતમાં, અમારી પાસે રાષ્ટ્રીય ડિજિટલ જિલ્લા ભંડાર છે. તે અમને અમારા સ્વાતંત્ર્ય સંગ્રામની ગાથાઓને ફરીથી શોધવામાં મદદ કરે છે. અમે અમારા સાંસ્કૃતિક સ્થળોનું વધુ સારું સંરક્ષણ સુનિશ્ચિત કરી શકીએ તે માટે ટેકનોલોજીનો ઉપયોગ કરી રહ્યા છીએ. અમે અમારા સાંસ્કૃતિક સ્થળોને પર્યટકો માટે વધુ મૈત્રીપૂર્ણ બનાવવા માટે પણ ટેકનોલોજીનો ઉપયોગ કરી રહ્યા છીએ.

મહાનુભાવો,

મને આનંદ છે કે તમારા સમૂહે 'સંસ્કૃતિ બધાને એક કરે છે' અભિયાનનો પ્રારંભ કર્યો છે. આ અભિયાન વસુધૈવ કુટુંબકમ - 'એક પૃથ્વી, એક કુટુંબ, એક ભવિષ્ય'ની ભાવનાને મૂર્તિમંત કરે છે. નક્કર પરિણામો સાથે G20 એક્શન પ્લાનને આકાર આપવામાં તમે જે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યા છો તેની પણ હું પ્રશંસા કરું છું. તમારું કાર્ય ચાર ‘C’ – કલ્ચર (સંસ્કૃતિ), ક્રિએટિવિટી (સર્જનાત્મકતા), કોમર્સ (વેપાર) અને કોલૅબ્રેશન (સહયોગ)ના મહત્વને પ્રતિબિંબિત કરે છે. તે આપણને કરુણાપૂર્ણ, સર્વસમાવેશી અને શાંતિપૂર્ણ ભવિષ્યનું નિર્માણ કરવા માટે સંસ્કૃતિની શક્તિનો ઉપયોગ કરવામાં સમર્થ બનાવશે. આપ સૌની બેઠક ખૂબ જ ફળદાયી અને સફળ રહે તેવી હું ઇચ્છા કરું છું.

આભાર!

 

  • कृष्ण सिंह राजपुरोहित भाजपा विधान सभा गुड़ामा लानी November 21, 2024

    जय श्री राम 🚩 वन्दे मातरम् जय भाजपा विजय भाजपा
  • Devendra Kunwar October 08, 2024

    BJP
  • दिग्विजय सिंह राना September 20, 2024

    हर हर महादेव
  • JBL SRIVASTAVA May 27, 2024

    मोदी जी 400 पार
  • Vaishali Tangsale February 12, 2024

    🙏🏻🙏🏻🙏🏻
  • ज्योती चंद्रकांत मारकडे February 11, 2024

    जय हो
  • Uma tyagi bjp January 28, 2024

    जय श्री राम
  • CHANDRA KUMAR September 04, 2023

    G 20 सम्मेलन भारत के नेतृत्वकर्ता को, वैश्विक राजनीति को प्रभावित करने के लिए, विश्व से आए हुए नेताओं के बीच निम्न प्रस्ताव रखना चाहिए : 1. तिब्बत और ताइवान को एक स्वतंत्र देश का मान्यता दिया जाए। 2. तिब्बत रिजर्व बैंक की स्थापना न्यूयॉर्क में किया जाए। 3. चीन ने तिब्बत की सभ्यता संस्कृति को नष्ट करके वहां से प्राकृतिक और मानव संसाधन का दोहन और शोषण किया है। 4. अतः चीन को दंडित करते हुए, चीन के द्वारा अमेरिका में किए गए तीन ट्रिलियन डॉलर के निवेश को, तिब्बत रिजर्व बैंक में स्थानांतरित कर दिया जाए। 5. तिब्बत का नया संविधान और नया प्रतिनिधि लोकतांत्रिक तरीके से चुना जाए, जिसका मुख्यालय भारत में होगा, लेकिन उसका कार्य विश्व के सभी तिब्बतियों को राजनीतिक सुरक्षा, शिक्षा और स्वास्थ्य पहुंचाना होगा। 6. विश्व के सभी देश तिब्बत और ताइवान को राजनीतिक संरक्षण प्रदान करके, स्वतंत्र देश का मान्यता देगा। 7. इससे चीन के आक्रामकता को नियंत्रित करना संभव हो सकेगा। क्योंकि चीन का बड़ा भूभाग उससे अलग राजनीतिक ईकाई बनने की ओर अग्रसर हो जायेगा। तथा चीन का तीन ट्रिलियन डॉलर, निर्वासित तिब्बतियों के हित में इस्तेमाल होने लगेगा। इससे चीन का आर्थिक नुकसान होगा और चीन के आक्रामक सैन्यीकरण को गहरा धक्का लगेगा। 8. विश्व में चीन द्वारा फैलाई जा रही अशांति तथा अस्थिरता को टाला जा सकेगा। 9. भारत एशिया का महाशक्ति बन जायेगा जो चीन को नियंत्रित करने का सोच और सामर्थ्य रखता है। 10. देश के नागरिकों में यह संदेश जायेगा की मोदीजी चीन को नियंत्रित कर सकता है और विश्व के सभी देश मोदीजी को अपना नेतृत्व कर्ता मानता है। चीन और रूस G20 सम्मेलन में नहीं आ रहा है, इसका राजनीतिक फायदा भारतीय राजनेताओं को अवश्य उठाना चाहिए और अपना राजनीतिक कद बढ़ाना चाहिए।
  • Mintu Kumar September 01, 2023

    नमस्कार सर, मैं कुलदीप पिता का नाम स्वर्गीय श्री शेरसिंह हरियाणा जिला महेंद्रगढ़ का रहने वाला हूं। मैं जून 2023 में मुम्बई बांद्रा टर्मिनस रेलवे स्टेशन पर लिनेन (LILEN) में काम करने के लिए गया था। मेरी ज्वाइनिंग 19 को बांद्रा टर्मिनस रेलवे स्टेशन पर हुई थी, मेरा काम ट्रेन में चदर और कंबल देने का था। वहां पर हमारे ग्रुप 10 लोग थे। वहां पर हमारे लिए रहने की भी कोई व्यवस्था नहीं थी, हम बांद्रा टर्मिनस रेलवे स्टेशन पर ही प्लेटफार्म पर ही सोते थे। वहां पर मैं 8 हजार रूपए लेकर गया था। परंतु दोनों समय का खुद के पैसों से खाना पड़ता था इसलिए सभी पैसै खत्म हो गऍ और फिर मैं 19 जुलाई को बांद्रा टर्मिनस से घर पर आ गया। लेकिन मेरी सैलरी उन्होंने अभी तक नहीं दी है। जब मैं मेरी सैलरी के लिए उनको फोन करता हूं तो बोलते हैं 2 दिन बाद आयेगी 5 दिन बाद आयेगी। ऐसा बोलते हुए उनको दो महीने हो गए हैं। लेकिन मेरी सैलरी अभी तक नहीं दी गई है। मैंने वहां पर 19 जून से 19 जुलाई तक काम किया है। मेरे साथ में जो लोग थे मेरे ग्रुप के उन सभी की सैलरी आ गई है। जो मेरे से पहले छोड़ कर चले गए थे उनकी भी सैलरी आ गई है लेकिन मेरी सैलरी अभी तक नहीं आई है। सर घर में कमाने वाला सिर्फ मैं ही हूं मेरे मम्मी बीमार रहती है जैसे तैसे घर का खर्च चला रहा हूं। सर मैंने मेरे UAN नम्बर से EPFO की साइट पर अपनी डिटेल्स भी चैक की थी। वहां पर मेरी ज्वाइनिंग 1 जून से दिखा रखी है। सर आपसे निवेदन है कि मुझे मेरी सैलरी दिलवा दीजिए। सर मैं बहुत गरीब हूं। मेरे पास घर का खर्च चलाने के लिए भी पैसे नहीं हैं। वहां के accountant का नम्बर (8291027127) भी है मेरे पास लेकिन वह मेरी सैलरी नहीं भेज रहे हैं। वहां पर LILEN में कंपनी का नाम THARU AND SONS है। मैंने अपने सारे कागज - आधार कार्ड, पैन कार्ड, बैंक की कॉपी भी दी हुई है। सर 2 महीने हो गए हैं मेरी सैलरी अभी तक नहीं आई है। सर आपसे हाथ जोड़कर विनती है कि मुझे मेरी सैलरी दिलवा दीजिए आपकी बहुत मेहरबानी होगी नाम - कुलदीप पिता - स्वर्गीय श्री शेरसिंह तहसील - कनीना जिला - महेंद्रगढ़ राज्य - हरियाणा पिनकोड - 123027
  • Rtn Vinod August 28, 2023

    आ०प्र० मंत्री जी सादर प्रणाम 🌹🙏 आपकी ग्रीस यात्रा सफल हुई और सकुशल स्वदेश लौटे बहुत बहुत बधाई ।
Explore More
78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ
Beyond Freebies: Modi’s economic reforms is empowering the middle class and MSMEs

Media Coverage

Beyond Freebies: Modi’s economic reforms is empowering the middle class and MSMEs
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Prime Minister condoles demise of Pasala Krishna Bharathi
March 23, 2025

The Prime Minister, Shri Narendra Modi has expressed deep sorrow over the passing of Pasala Krishna Bharathi, a devoted Gandhian who dedicated her life to nation-building through Mahatma Gandhi’s ideals.

In a heartfelt message on X, the Prime Minister stated;

“Pained by the passing away of Pasala Krishna Bharathi Ji. She was devoted to Gandhian values and dedicated her life towards nation-building through Bapu’s ideals. She wonderfully carried forward the legacy of her parents, who were active during our freedom struggle. I recall meeting her during the programme held in Bhimavaram. Condolences to her family and admirers. Om Shanti: PM @narendramodi”

“పసల కృష్ణ భారతి గారి మరణం ఎంతో బాధించింది . గాంధీజీ ఆదర్శాలకు తన జీవితాన్ని అంకితం చేసిన ఆమె బాపూజీ విలువలతో దేశాభివృద్ధికి కృషి చేశారు . మన దేశ స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొన్న తన తల్లితండ్రుల వారసత్వాన్ని ఆమె ఎంతో గొప్పగా కొనసాగించారు . భీమవరం లో జరిగిన కార్యక్రమంలో ఆమెను కలవడం నాకు గుర్తుంది .ఆమె కుటుంబానికీ , అభిమానులకూ నా సంతాపం . ఓం శాంతి : ప్రధాన మంత్రి @narendramodi”