Quoteભાવિ મહામારીનો સામનો કરવા માટે આપણા ગ્રહને સજ્જ કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો
Quoteમહામારી દરમિયાન ડિજિટલ ટેકનોલોજીએ અમને તેનો સામનો કરવા, સંપર્ક બનાવવા, અનુકૂળતા સાધવા તથા ધીરજ ધરવામાં મદદ કરી
Quoteવિક્ષેપનો અર્થ નિરાશા નથી, આપણે રિપેર અને પ્રિપેર (સમારકામ અને તૈયારી)ના બે પાયા પર ધ્યાન કેન્દ્રિત કરવવું જોઇએ : પ્રધાનમંત્રી
Quoteઆપણો ગ્રહ જે પડકારનો સામનો કરી રહ્યો છે તેમાંથી માનવ કેન્દ્રિત અભિગમ અને સામૂહિક ભાવનાથી જ બહાર આવી શકાય છે : પ્રધાનમંત્રી
Quoteઆ મહામારી એ આપણી સ્થિતિસ્થાપકતાની જ કસોટી નથી પણ આપણી કલ્પનાશક્તિની પણ કસોટી છે. તે આપણા તમામ માટે વધુ વ્યાપક, દેખરેખ અને ટકાઉ ભવિષ્ય ઘડવાની તક સમાન છે : પ્રધાનમંત્રી
Quoteભારત એ વિશ્વની સૌથી વિશાળ સ્ટાર્ટ અપ ઇકો સિસ્ટમનું નિવાસ છે, સંશોધકો અને રોકાણકારોની જરૂરિયાત ભારત પૂરી પાડે છે : પ્રધાનમંત્રી
Quoteપ્રતિભા, માર્કેટ, મૂડી, ઇકો સિસ્ટમ અને મુક્ત સંસ્કૃતિના પાયા પર રચાયેલા ભારતમાં રોકાણ કરવા માટે હું સમગ્ર વિશ્વને આમંત્રણ આપું છું : પ્રધાનમંત્રી
Quoteફ્રાન્સ અને યુરોપ અમારા ચાવીરૂપ ભાગીદારી છે, અમારી ભાગીદારી માનવતાની સેવાના વ્યાપક હેતૂ માટે ફર

એક્સેલન્સી, મારા સારા મિત્ર પ્રેસિડેન્ટ મેક્રોન,

પબ્લિસિસ ગ્રુપના ચેરમેન શ્રી મોરિસ લેવી,

દુનિયાભરમાંથી સામેલ થયેલા મહાનુભાવો,

નમસ્તે !

હાલના કપરા સમયમાં વિવાટેકનુ સફળ આયોજન કરવા બદલ આયોજકોને  ખૂબ ખૂબ અભિનંદન.

આ પ્લેટફોર્મ ફ્રાન્સના ટેકનોલોજી વિઝનનુ પ્રતિબિંબ પાડે છે. ભારત અને ફ્રાન્સ ભિન્ન પ્રકારના વિષયો ઉપર સાથે કામ કરી રહયા છે, જેમાં ટેકનોલોજી અને ડિજિટલ બાબતો એ સહયોગનાં ઉભરતાં ક્ષેત્રો છે. આ પ્રકારનાં સહયોગનાં ક્ષેત્રો વધુ વિકસવાનુ ચાલુ રાખે તે વર્તમાન સમયની જરૂરિયાત છે. તેનાથી આપણાં રાષ્ટ્રોને તો મદદ થવાની  જ છે પણ સાથે સાથે દુનિયાને પણ વ્યાપકપણે સહાય થશે.

ઘણા યુવાનો ફ્રેન્ચ ઓપન ભારે ઉત્સાહ સાથે જોઈ રહયા છે. ભારતની ટેકનોલોજી કંપનીઓમાંની એક ઈન્ફોસિસે ટુર્નામેન્ટને ટેકનોલોજીકલ સહયોગ પૂરો પાડયો છે. સમાન પ્રકારે ભારતમાં સૌથી ઝડપી સુપર કોમ્પયુટરના નિર્માણમાં ફ્રેન્ચ કંપની એટોસ સંકળાયેલી છે. ફ્રાન્સની કેપજેમીની હોય કે ભારતની ટીસીએસ અને વિપ્રો, આપણી આઈટી પ્રતિભાઓ દુનિયાભરની કંપનીઓ અને નાગરિકોને સેવા પૂરી પાડી રહી છે.

મિત્રો,

 હું માનું છું કે જ્યાં પરંપરાગત બાબતો નિષ્ફળ જાય છે ત્યાં ઈનોવેશન સહાય કરે છે. આ સ્થિતિ આપણા સમયનો સૌથી મોટો અવરોધ ગણાતી  કોવિડ-19 વૈશ્વિક મહામારી દરમિયાન પણ જોવા મળી છે. દરેક રાષ્ટ્રને નુકસાન થયુ છે અને અજંપો અનુભવાયો છે. આપણી અનેક પરંપરાગત પધ્ધતિઓને કોરોના મહામારીએ કસોટીની એરણ ઉપર મુકી દીધી છે. આમ છતાં પણ ઈનોવેશન મદદમાં આવ્યું છે.  હું જ્યારે ઈનોવેશનની વાત કરૂં છું ત્યારે મહામારી પહેલાંનાં ઈનોવેશન અને મહામારી પછીનાં ઈનોવેશનનો નિર્દેશ કરી રહ્યો છું.

હું જ્યારે મહામારી પહેલાંના ઈનોવેશનની વાત કરૂ છું ત્યારે  હું અગાઉથી અસ્તિત્વ ધરાવતી પ્રગતિની વાત કરૂ છું. ડિજિટલ ટેકનોલોજીએ આપણને મુકાબલો કરવામાં, જોડાણમાં રાહત અને દિલાસો આપવામાં સહાય કરી છે. ડિજિટલ ટેકનોલોજી મારફતે  આપણે કામ કરી શકયા, આપણા સ્નેહીઓ સાથે  વાતો કરી શકયા અને અન્યને સહાય કરી શકયા છીએ. ભારતની સાર્વત્રિક, અનોખી બાયો-મેટ્રીક સિસ્ટમ -આધાર- ગરીબોને સમયસર સહાય પહોંચાડવામાં મદદરૂપ નિવડી છે.  અમે 800 મિલિયનથી વધુ લોકોને વિનામૂલ્યે  અનાજ  અને ઘણાં આવસોને  રાંધણ ગેસની સબસીડી પહેંચાડી શકયા છીએ.  અમે ભારતમાં વિદ્યાર્થીઓને સહાય કરવા માટે બે પબ્લિક ડિજિટલ એજ્યુકેશન પ્રોગ્રામ -સ્વયમ અને દિક્ષા-નું સંચાલન કરી રહયા  છીએ.

 

બીજો ભાગ એટલે કે મહામારી માટેનાં ઈનોવેશનનો ઉલ્લેખ કરીએ તો માનવજાત કેવી રીતે પ્રસંગ અનુસાર કૌવત દાખવી શકી અને તેની સામેની લડત વધુ અસરકારક બનાવી તેનો સમાવેશ થાય છે. આ સમયમાં આપણા સ્ટાર્ટ-અપ સેકટરની ભૂમિકા સર્વોપરી રહી. હું તમને ભારતનુ ઉદાહરણ આપું તો, જયારે મહામારી અમારે ત્યાં પહોંચી ત્યારે અમારે ત્યાં ટેસ્ટીંગની ક્ષમતા અપૂરતી હતી અને માસ્કસ, પીપીઈ, વેન્ટીલેટર્સ, અને એ પ્રકારનાં અન્ય સાધનોની અછત હતી. અમારા ખાનગી ક્ષેત્રએ આ અછત નિવારવામાં મહત્વની ભૂમિકા બજાવી. અમારા ડોકટરોએ મોટા પાયે ટેલિ-મેડિસીન પધ્ધતિ અપનાવી કે જેથી કોવિડના અને અન્ય કેટલાક કોવિડ સિવાયની સમસ્યાઓ વર્ચ્યુઅલી હલ થઈ શકી. ભારતમાં બે વેકસીન બનાવવામાં આવી અને વધુ વેકસીન ટ્રાયલના તબક્કામાં વિકસી રહી છે. સરકારની ભૂમિકાની વાત કરીએ તો, અમારૂ સ્વદેશી આઈટી પ્લેટફોર્મ આરોગ્ય સેતુ કોન્ટેક્ટ ટ્રેસીંગમાં અસરકારક રહ્યું. અમારૂં કોવિન ડિજિટલ પ્લેટફોર્મ કરોડો લોકોને રસી મળી રહે તેમાં સહાય કરી રહ્યું છે. અમે સતત ઈનોવેશન કર્યુ ના હોત તો અમારી કોવિડ સામેની લડત ઘણી નબળી  પડી હોત. હવે પછી નવી આફત ત્રાટકે ત્યારે સારી રીતે સુસજ્જ હોઈએ તે માટે અમારે આ ઈનોવેટિવ ઉત્સાહ ત્યજવાનો નથી.

મિત્રો,

ટેકનોલોજી અને સ્ટાર્ટ-અપના ક્ષેત્રે ભારતના પ્રયાસો  જાણીતા છે. અમારા રાષ્ટ્રની  દુનિયાની સૌથી મોટી સ્ટાર્ટ-અપ તંત્ર વ્યવસ્થામાં ગણના થાય છે. તાજેતરનાં વર્ષોમાં અનેક યુનિકોર્ન આવી ચૂકયાં છે.  ઈનોવેટર્સ અને ઈનવેસ્ટર્સને જેની જરૂર છે તેવી બાબતો ભારત ઓફર કરે છે. હું પ્રતિભા, બજાર, મૂડી, તંત્ર વ્યવસ્થા  અને નિખાલસતાની સંસ્કૃતિ  જેવા પાંચ સ્થંભોને આધારે વિશ્વને ભારતમાં મૂડીરોકાણ કરવા આમંત્રણ આપુ છું.

ભારતની ટેકનોલોજી પ્રતિભાઓનો સમુદાય  દુનિયાભરમાં વિખ્યાત  છે. ભારતના યુવાનોએ દુનિયાની કેટલીક કપરી સમસ્યાઓ માટેના ઉપાયો પૂરા પાડયા છે. આજે ભારતમાં 1.18 અબજ મોબાઈલ ફોન અને 775 મિલિયન ઈન્ટરનેટ યુઝર્સ છે. આ સંખ્યા દુનિયાના કેટલાક દેશની વસતી કરતાં પણ વધારે છે.  ભારત દુનિયામાં ડેટાનો સૌથી વધુ વપરાશ કરનારમાં અને સૌથી સસ્તો ડેટા ધરાવનાર  દેશમાં સમાવેશ પામે છે. ભારતીયો સોશિયલ મિડીયાના સૌથી મોટા વપરાશકારો છે. અહીં વિવિધતા ધરાવતું અને વ્યાપક બજાર તમારી પ્રતિક્ષામાં છે.

મિત્રો,

આ ડિજિટલ વિસ્તરણને અદ્યતન પબ્લિક ડિજિટલ ઈનફ્રાસ્ટ્રકચરની તાકાત પ્રાપ્ત થઈ છે.  523 હજાર કિલોમીટરનુ ઓપ્ટિક ફાઈબર નેટવર્ક અમારી 56 હજાર ગ્રામ પંચાયતો સુધી પહોંચી ગયુ છે. આગામી સમયમાં ઘણી પંચાયતોનુ જોડાણ થશે. દેશભરમાં પબ્લિક વાઈ-ફાઈ નેટવર્કનુ આગમન થઈ રહ્યુ છે.

સમાન પ્રકારે ભારત ઈનોવેશનની સંસ્કૃતિનુ સક્રીય રીતે સંવર્ધન થઈ રહ્યુ છે. અટલ ઈનોવેશન મિશન હેઠળ 7500 સ્કૂલોમાં અદ્યતન ઈનોવેશન લેબઝ કામ કરે છે. વિદેશ સ્થિત વિદ્યાર્થીઓ સહિત અમારા વિદ્યાર્થીઓ વિવિધ હેકેથોનમાં સામેલ થઈ રહયા છે. આનાથી તેમને વૈશ્વિક પ્રતિભાઓ અને ઉત્તમ પ્રણાલીઓનો પરિચય થાય છે.

|

મિત્રો,

વિતેલાં વર્ષો દરમ્યાન અમે વિવિધ ક્ષેત્રોમાં અનેક અવરોધો જોયા છે. એમાંના કેટલાક હજુ પણ અસ્તિત્વ ધરાવે છે. અવરોધોનો અર્થ  હતાશા થતો નથી. હતાશાને બદલે  આપણે માવજત અને તૈયારી  (રિપેર એન્ડ પ્રિપેર) ઉપર ધ્યાન કેન્દ્રિત કરવાનુ રહે છે. ગયા વર્ષે આ સમયે, દુનિયા રસીની શોધમાં હતી.  આજે અમારી પાસે કેટલીક રસી છે. સમાન પ્રકારે આપણે હેલ્થ ઈનફ્રાસ્ટ્રકચરમાં અને અર્થતંત્રોમાં સુધારા કરવાનુ ચાલુ રાખવાનું છે. ખાણકામ હોય, અવકાશ સંશોધન હોય કે એટમિક એનર્જી હોય, અમે ભારતમાં અનેક ક્ષેત્રોમાં મોટા સુધારા અમલમાં મુકી રહયા છીએ. આ બાબત બતાવે છે કે મહામારીની વચ્ચે પણ એક રાષ્ટ્ર તરીકે ભારત નવી પરિસ્થિતિને અનુકૂળ થવાની અને ચપળ રહેવાની ક્ષમતા ધરાવે છે. અને હું જ્યારે પ્રિપેરની વાત કરૂ છું ત્યારે મારા કહેવાનો અર્થ આપણી પૃથ્વીને હવે પછીની મહામારી સામે સુરક્ષા આવરણ પૂરૂં પાડવાનો છે. આપણે પર્યાવરણલક્ષી જીવનશૈલીઓ અપનાવાય અને આસપાસની પરિસ્થિતિમાં થતી અવનતિ (ડીગ્રેડેશન) રોકવામાં આવે તેમાં ધ્યાન કેન્દ્રિત કરવાનું છે.  સંશોધનની અને સાથે સાથે ઈનોવેશન આગળ ધપે તે માટેના સહયોગને મજબૂત કરવાનો છે.

મિત્રો, આપણી પૃથ્વી જે પડકારોનો સામનો કરી રહી છે તેનો સમૂહ ભાવના અને માનવ કેન્દ્રિત અભિગમથી ઉકેલ લાવવાનો છે. આ માટે હું સ્ટાર્ટ-અપ સમુદાયને આગેવાની લેવા માટે હાકલ કરૂં છું. સ્ટાર્ટ-અપ ક્ષેત્રમાં યુવાનોનું વર્ચસ્વ છે. આ લોકો ભૂતકાળના બોજથી મુક્ત છે. તે લોકો વૈશ્વિક પરિવર્તન લાવવાની ઉત્તમ સ્થિતિમાં છે. આપણી સ્ટાર્ટ-અપ વ્યવસ્થાએ હેલ્થકેર અને કચરાના રિસાયકલિંગ સહિતની  ઈકો-ફ્રેન્ડલી ટેકનોલોજી જેવાં નવા યુગના ભણતરનાં ક્ષેત્રોમાં  કામ કરવાનું છે.

|

મિત્રો,

એક ખુલ્લા સમાજ અને અર્થતંત્ર તરીકે, એક રાષ્ટ્ર તરીરે  ભારત આંતરરાષ્ટ્રીય વ્યવસ્થા માટે કટિબધ્ધ છે. ભારત માટે સહયોગ મહત્વનો છે. ફ્રાન્સ અને યુરોપનો અમારા મહત્વના સહયોગીઓમાં સમાવેશ થાય છે. પ્રેસિડેન્ટ મેક્રોન સાથેની ઘણી ચર્ચાઓમાં, મે માસમાં યોજાયેલી યુરોપિયન લીડર્સ સાથેની મારી પોર્ટો સમિટમાં સ્ટાર્ટ-અપથી માંડીને ક્વોન્ટમ કોમ્પ્યુટિંગ સુધીની બાબતો ડિજિટલ પાર્ટનરશિપ મહત્વની અગ્રતા તરીકે ઉભરી આવી હતી. ઈતિહાસે દર્શાવ્યુ છે કે નવી ટેકનોલોજીમાં આગેવાની આર્થિક તાકાત, રોજગારી અને સમૃધ્ધિને વેગ આપે છે, પરંતુ આપણી ભાગીદારીમાં માનવજાતની સેવાનો વ્યાપક ઉદ્દેશ  હલ થવો જોઈએ. આ મહામારીએ આપણી સ્થિતિસ્થાપકતાની માત્ર કસોટી જ કરી નથી પણ આપણી કલ્પના શક્તિની પણ કસોટી કરી છે. તમામ લોકો માટે  વધુ સમાવેશી કાળજીની વ્યવસ્થા અને લાંબા ગાળા માટે ટકાઉ ભાવિના નિર્માણની તક છે. પ્રેસિડેન્ટ મેક્રોનની જેમ મને પણ આપણા વિજ્ઞાનની શક્તિમાં અને આપણને ભવિષ્યની સિધ્ધિઓ માટે ઈનોવેશનની સંભાવનાઓમાં શ્રધ્ધા છે.

આપનો આભાર.

 

  • Devendra Kunwar October 17, 2024

    BJP
  • Reena chaurasia September 04, 2024

    बीजेपी
  • Mahendra singh Solanki Loksabha Sansad Dewas Shajapur mp February 25, 2024

    नमो नमो नमो नमो नमो
  • Mahendra singh Solanki Loksabha Sansad Dewas Shajapur mp February 25, 2024

    जय श्री राम
  • MLA Devyani Pharande February 17, 2024

    nice
  • Shivkumragupta Gupta July 02, 2022

    नमो नमो नमो नमो🌹🌷🌹
  • G.shankar Srivastav June 20, 2022

    नमस्ते
  • Laxman singh Rana June 19, 2022

    नमो नमो 🇮🇳
  • R N Singh BJP June 07, 2022

    jai hind
  • Jayanta Kumar Bhadra May 23, 2022

    Jay Sree Krishna
Explore More
દરેક ભારતીયનું લોહી ઉકળી રહ્યું છે: મન કી બાતમાં વડાપ્રધાન મોદી

લોકપ્રિય ભાષણો

દરેક ભારતીયનું લોહી ઉકળી રહ્યું છે: મન કી બાતમાં વડાપ્રધાન મોદી
After Operation Sindoor, a diminished terror landscape

Media Coverage

After Operation Sindoor, a diminished terror landscape
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
PM reviews status and progress of TB Mukt Bharat Abhiyaan
May 13, 2025
QuotePM lauds recent innovations in India’s TB Elimination Strategy which enable shorter treatment, faster diagnosis and better nutrition for TB patients
QuotePM calls for strengthening Jan Bhagidari to drive a whole-of-government and whole-of-society approach towards eliminating TB
QuotePM underscores the importance of cleanliness for TB elimination
QuotePM reviews the recently concluded 100-Day TB Mukt Bharat Abhiyaan and says that it can be accelerated and scaled across the country

Prime Minister Shri Narendra Modi chaired a high-level review meeting on the National TB Elimination Programme (NTEP) at his residence at 7, Lok Kalyan Marg, New Delhi earlier today.

Lauding the significant progress made in early detection and treatment of TB patients in 2024, Prime Minister called for scaling up successful strategies nationwide, reaffirming India’s commitment to eliminate TB from India.

Prime Minister reviewed the recently concluded 100-Day TB Mukt Bharat Abhiyaan covering high-focus districts wherein 12.97 crore vulnerable individuals were screened; 7.19 lakh TB cases detected, including 2.85 lakh asymptomatic TB cases. Over 1 lakh new Ni-kshay Mitras joined the effort during the campaign, which has been a model for Jan Bhagidari that can be accelerated and scaled across the country to drive a whole-of-government and whole-of-society approach.

Prime Minister stressed the need to analyse the trends of TB patients based on urban or rural areas and also based on their occupations. This will help identify groups that need early testing and treatment, especially workers in construction, mining, textile mills, and similar fields. As technology in healthcare improves, Nikshay Mitras (supporters of TB patients) should be encouraged to use technology to connect with TB patients. They can help patients understand the disease and its treatment using interactive and easy-to-use technology.

Prime Minister said that since TB is now curable with regular treatment, there should be less fear and more awareness among the public.

Prime Minister highlighted the importance of cleanliness through Jan Bhagidari as a key step in eliminating TB. He urged efforts to personally reach out to each patient to ensure they get proper treatment.

During the meeting, Prime Minister noted the encouraging findings of the WHO Global TB Report 2024, which affirmed an 18% reduction in TB incidence (from 237 to 195 per lakh population between 2015 and 2023), which is double the global pace; 21% decline in TB mortality (from 28 to 22 per lakh population) and 85% treatment coverage, reflecting the programme’s growing reach and effectiveness.

Prime Minister reviewed key infrastructure enhancements, including expansion of the TB diagnostic network to 8,540 NAAT (Nucleic Acid Amplification Testing) labs and 87 culture & drug susceptibility labs; over 26,700 X-ray units, including 500 AI-enabled handheld X-ray devices, with another 1,000 in the pipeline. The decentralization of all TB services including free screening, diagnosis, treatment and nutrition support at Ayushman Arogya Mandirs was also highlighted.

Prime Minister was apprised of introduction of several new initiatives such as AI driven hand-held X-rays for screening, shorter treatment regimen for drug resistant TB, newer indigenous molecular diagnostics, nutrition interventions and screening & early detection in congregate settings like mines, tea garden, construction sites, urban slums, etc. including nutrition initiatives; Ni-kshay Poshan Yojana DBT payments to 1.28 crore TB patients since 2018 and enhancement of the incentive to ₹1,000 in 2024. Under Ni-kshay Mitra Initiative, 29.4 lakh food baskets have been distributed by 2.55 lakh Ni-kshay Mitras.

The meeting was attended by Union Health Minister Shri Jagat Prakash Nadda, Principal Secretary to PM Dr. P. K. Mishra, Principal Secretary-2 to PM Shri Shaktikanta Das, Adviser to PM Shri Amit Khare, Health Secretary and other senior officials.