QuoteWhen India grows, the world grows, when India reforms, the world transforms: PM Modi
QuoteOn the occasion of 75 years of Independence, India will send 75 satellites being created by Indian students in schools & colleges: PM Modi
QuoteThose using terror as a political tool must understand that terror is just as bad for them. It has to be ensured that Afghanistan soil must not be used to breed or propagate terror: PM
QuoteIt is important that we must strengthen UN to ensure global order and global laws: PM Modi

નમસ્કાર સાથીઓ,

મહામહિમ અબ્દુલ્લા શાહિદજી તમને અધ્યક્ષપદ સંભાળવા બદલ હાર્દિક અભિનંદન પાઠવું છું.

તમારૂં અધ્યક્ષ બનવું તે તમામ વિકાસશીલ દેશ અને ખાસ કરીને નાના ટાપુ જેવા વિકાસમાન દેશો માટે ખૂબ જ ગૌરવની બાબત છે.

અધ્યક્ષ મહોદય,

સમગ્ર વિશ્વ વિતેલા દોઢ વર્ષથી 100 વર્ષમાં આવેલી સૌથી મોટી મહામારીનો સામનો કરી રહ્યું છે. આવી ભયંકર મહામારીમાં જીવ ગુમાવનાર તમામ લોકોને હું શ્રધ્ધાંજલિ આપું છું અને એ પરિવારો પ્રત્યે મારી સંવેદના વ્યક્ત કરૂં છું.

અધ્યક્ષ મહોદય,

હું એવા દેશનું પ્રતિનિધિત્વ કરી રહ્યો છું કે જેને લોકશાહીની માતા તરીકેનું ગૌરવ પ્રાપ્ત થયું છે. લોકતંત્રની અમારી હજારો વર્ષોની મહાન પરંપરા રહી છે. આ 15મી ઓગસ્ટે ભારતે પોતાની આઝાદીની 75મા વર્ષમાં પ્રવેશ કર્યો છે. ભારતની વિવિધતા, અમારા સશક્ત લોકતંત્રની ઓળખ છે.

એક એવો દેશ કે જ્યાં ડઝનબંધ ભાષાઓ છે, સેંકડો બોલીઓ છે. અલગ અલગ રહેણીકરણી અને ખાન-પાન છે. વાયબ્રન્ટ લોકશાહીનું આ શ્રેષ્ઠ ઉદાહરણ છે.

ભારતના લોકતંત્રની એ તાકાત છે કે એક નાનો બાળક પણ ક્યારેક રેલવે સ્ટેશનના ટી સ્ટોલ પર પોતાના પિતાને મદદ કરતો હતો તે આજે ચોથી વખત UNGA ને સંબોધન કરી રહ્યો છે.

સૌથી લાંબા સમય સુધી ગુજરાતના મુખ્યમંત્રી અને વિતેલા 7 વર્ષથી ભારતના પ્રધાનમંત્રી તરીકે સરકારના વડાની ભૂમિકામાં સેવા કરતાં 20 વર્ષથી વિતી ગયાં છે.

અને હું, મારા અનુભવથી કહીશ કે હા, લોકશાહી પરિણામો આપી શકે છે.

લોકશાહીએ પરિણામો આપ્યા છે.

અધ્યક્ષ મહોદય,

એકાત્મ માનવદર્શનના પ્રણેતા પંડિત દિન દયાળ ઉપાધ્યાયજીની આજે જન્મ જયંતિ છે. એકાત્મ માનવદર્શન એટલે કે સંકલિત માનવતાવાદ, એટલે કે વ્યક્તિથી સમષ્ટિ સુધીના વિકાસ અને વિસ્તારની સહયાત્રા.

વ્યક્તિનું વિસ્તરણ, વ્યક્તિથી સમાજ સુધી અને રાષ્ટ્ર તથા સમગ્ર માનવજાત સુધીની ગતિનું આ ચિંતન અંત્યોદયને સમર્પિત છે. આજની પરિભાષામાં અંત્યોદયને, એક પણ વ્યક્તિ બાકી રહી જાય નહીં તેવી વ્યવસ્થા તરીકે ઓળખવામાં આવે છે.

આવી ભાવના સાથે ભારત આજે સુસંકલિત સમાન વિકાસની તરફ આગળ ધપી રહ્યું છે. વિકાસ સર્વસમાવેશી હોય, સર્વસ્પર્શી હોય, સર્વપોષક હોય તે અમારી અગ્રતા છે.

વિતેલા વર્ષોમાં ભારતમાં 43 કરોડથી વધુ લોકો કે જે અત્યાર સુધી જેનાથી વંચિત હતા તેવી બેંકીંગ વ્યવસ્થા સાથે જોડવામાં આવ્યા છે. આજે 36 કરોડથી વધુ લોકોને વીમા સુરક્ષાનું કવચ મળ્યું છે. આ લોકો અગાઉ આ બાબતે વિચારી પણ શકતા ન હતા.

50 કરોડથી વધુ લોકોને મફત સારવારની સુવિધા પૂરી પાડીને ભારતે તેમને ગુણવત્તાયુક્ત આરોગ્ય સેવા સાથે જોડ્યા છે. ભારતે ત્રણ કરોડ પાકા મકાન બનાવીને ઘર વિહોણા પરિવારોને મકાનના માલિક બનાવ્યા છે.

અધ્યક્ષ મહોદય,

પ્રદૂષિત પાણી માત્ર ભારત જ નહીં, પણ સમગ્ર વિશ્વ અને ખાસ કરીને ગરીબ તથા વિકાસશીલ દેશોની ખૂબ મોટી સમસ્યા છે. ભારતમાં આ પડકારને પાર પાડવા માટે 17 કરોડથી વધુ ઘર સુધી પાઈપલાઈનથી શુધ્ધ પાણી પહોંચાડવાનું ખૂબ મોટું અભિયાન ચાલી રહ્યું છે.

વિશ્વની મોટી મોટી સંસ્થાઓનું એવું માનવું છે કે કોઈપણ દેશના વિકાસ માટે ત્યાંના નાગરિકો પાસે જમીન અને ઘરના માલિકી હક્કો એટલે કે માલિકીનો રેકોર્ડ હોય તે ખૂબ જ જરૂરી છે. દુનિયાના મોટા મોટા દેશોમાં, ખૂબ મોટી સંખ્યામાં એવા લોકો છે કે જેમની પાસે જમીનો અને ઘરના માલિકી હકક નથી.

આજે અમે ભારતના 6 લાખથી વધુ ગામમાં ડ્રોન વડે મેપીંગ કરીને કરોડો લોકોને તેમના ઘર અને જમીનનો ડીજીટલ રેકોર્ડ પૂરો પાડવામાં જોડાયા છીએ.

આ ડીજીટલ રેકોર્ડ મિલકત અંગે વિવાદ ઓછા કરવાની સાથે સાથે ધિરાણ પ્રાપ્તિ- એટલે કે બેંક લોન સુધી લોકોની પહોંચ વધારી રહ્યા છે.

|

અધ્યક્ષ મહોદય,

આજે વિશ્વની દર છઠ્ઠી વ્યક્તિ ભારતીય છે. જ્યારે ભારતની પ્રગતિ થાય છે ત્યારે વિશ્વના વિકાસને પણ ગતિ પ્રાપ્ત થાય છે.

જ્યારે ભારત વૃધ્ધિ પામે છે ત્યારે વિશ્વની વૃધ્ધિ થાય છે. જ્યારે ભારતમાં સુધારા થાય છે ત્યારે વિશ્વમાં પરિવર્તન આવે છે. ભારતમાં વિજ્ઞાન અને ટેકનોલોજી આધારિત ઈનોવેશન્સ વિશ્વને ખૂબ મોટી મદદ કરી શકે છે. અમારા ટેક- સોલ્યુશન્સનો વ્યાપ અને તેના ઓછા ખર્ચની તુલના થઈ શકે તેમ નથી.

અમારૂં યુનીફાઈડ પેમેન્ટ ઈન્ટરફેસ, યુપીઆઈથી આજે ભારતમાં દર મહિને 350 કરોડથી વધુ વ્યવહારો થઈ શક્યા છે. ભારતનું વેક્સિન ડીલીવરી પ્લેટફોર્મ કો-વીન એક જ દિવસમાં વેક્સીનના કરોડો ડોઝ આપવા માટે ડીજીટલ સપોર્ટ પૂરો પાડી રહ્યું છે.

અધ્યક્ષ મહોદય,

सेवा परमो धर्म:

સેવા પરમ ધર્મ માનીને જીવનારૂં ભારત મર્યાદિત સાધનો હોવા છતાં પણ વેક્સિનેશનના વિકાસ અને ઉત્પાદનમાં પૂરા દિલથી લાગી ગયું છે.

હું UNGA ને માહિતી આપવા માંગુ છું કે ભારતે દુનિયાની પ્રથમ, દુનિયાની પ્રથમ ડીએનએ વેક્સિન વિકસાવી છે, જે 12 વર્ષથી વધુ વય ધરાવતા લોકોને આપી શકાય છે.

વધુ એક m-RNA વેક્સિન તેના વિકાસના આખરી તબક્કામાં છે. ભારતના વૈજ્ઞાનિકો કોરોના માટે નાકથી લઈ શકાય તેવી એક વેક્સિનની નિર્માણમાં લાગી ગયા છે. માનવ જાત પ્રત્યે પોતાની જવાબદારી સમજીને ભારતે વધુ એક વખત દુનિયાના જરૂરિયાત ધરાવનાર લોકોને રસી આપવાની શરૂઆત કરી દીધી છે.

હું આજે સમગ્ર દુનિયાના વેક્સિન ઉત્પાદનોને આમંત્રિત કરૂં છું કે આવો અને ભારતમાં વેક્સિન બનાવો.

અધ્યક્ષ મહોદય,

આપણે જાણીએ છીએ કે આજે માનવજીવનમાં ટેકનોલોજીનું કેટલું મહત્વ છે, પરંતુ બદલાતી જતી દુનિયામાં ટેકનોલોજી સાથે લોકશાહી મૂલ્યો સુનિશ્ચિત કરવાની આવશ્યક છે.

ભારતીય મૂળના ડોક્ટરો, ઈનોવેટર્સ, એન્જીનિયર્સ, મેનેજર્સ, કોઈપણ દેશમાં રહેતા હોય, અમારા લોકશાહી મૂલ્યો તેમને માનવજાતની સેવામાં જોડાયેલા રહેવાની પ્રેરણા આપતા રહે છે, અને તે અમે કોરોના કાળમાં પણ જોયું છે.

અધ્યક્ષ મહોદય,

કોરોના મહામારીએ વિશ્વને એવો પણ બોધપાઠ આપ્યો છે કે વિશ્વની અર્થવ્યવસ્થાનું હવે વધુ વ્યાપક પ્રમાણમાં વિસ્તરણ કરવામાં આવે અને તેના માટે ગ્લોબલ વેલ્યુચેઈનનો પણ વિસ્તાર થાય તે આવશ્યક છે.

અમારૂં આત્મનિર્ભર ભારત અભિયાન, આવી ભાવનાથી પ્રેરિત છે. ગ્લોબલ ઔદ્યોગિક વિવિધિકરણ માટે ભારત વિશ્વનું એક લોકતાંત્રિક અને ભરોસાપાત્ર ભાગીદાર બની રહ્યું છે.

અને આ અભિયાનમાં ભારતે ઈકોનોમી અને ઈકોલોજી બંનેમાં બહેતર સમતુલા સ્થાપિત કરી છે. મોટા અને વિકસીત દેશોની તુલનામાં ક્લાયમેટ એક્શનથી શરૂ કરીને ભારતના પ્રયાસો જોઈને આપ સૌને ચોક્કસપણે ગર્વ થશે. આજે ભારત ખૂબ ઝડપ સાથે 450 ગીગાવોટ રિન્યુએબલ એનર્જીના લક્ષ્ય તરફ આગળ વધી રહ્યું છે. અમે ભારતને દુનિયાના સૌથી મોટું ગ્રીન હાઈડ્રોજન હબ બનાવવાના અભિયાનમાં જોડાઈ ગયા છે.

અધ્યક્ષ મહોદય,

આપણે આપણી આવનારી પેઢીઓને જવાબ આપવો પડશે કે જ્યારે નિર્ણય લેવાનો સમય હતો ત્યારે, જેમની ઉપર વિશ્વને દિશા દર્શાવવાની જવાબદારી હતી, ત્યારે તે લોકો શું કરી રહ્યા હતાં? આજે વિશ્વની સામે પ્રત્યાઘાતી વિચારધારા અને આત્યંતિક્તાનું જોખમ વધતું જાય છે.

આવી પરિસ્થિતિમાં સમગ્ર વિશ્વએ વિજ્ઞાન આધારિત, તાર્કિક અને પ્રગતિલક્ષી વિચારધારાને વિકાસનો આધાર બનાવવી જ પડશે.

વિજ્ઞાન આધારિત અભિગમને મજબૂત બનાવવા માટે ભારત અનુભવ આધારિત ભણતરને વેગ આપી રહ્યું છે. અમારે ત્યાં શાળાઓમાં હજારો અટલ ટીન્કરીંગ લેબ્ઝ શરૂ કરવામાં આવી છે. ઈનક્યુબેટર્સ બનાવ્યા છે અને એક મજૂબત સ્ટાર્ટ-અપ વ્યવસ્થા વિકસીત થઈ છે.

અમારી આઝાદીના 75મા વર્ષના સંદર્ભમાં ભારત એવા 75 સેટેલાઈટ અંતરિક્ષમાં મોકલવાનું છે કે જે ભારતીય વિદ્યાર્થી, સ્કૂલ-કોલેજો બનાવી રહી છે.

|

અધ્યક્ષજી,

પ્રત્યાઘાતી વિચારધારા સાથે જે દેશ આતંકવાદને રાજકિય સાધન તરીકે ઉપયોગમાં લઈ રહ્યા છે તેમણે એ સમજવું પડશે કે આતંકવાદ તેમના માટે પણ એટલું જ મોટું જોખમ ઉભુ કરી શકે તેમ છે.આથી એ નિશ્ચિત કરવું ખૂબ જરૂરી છે કે અફઘાનિસ્તાનની જમીનનો ઉપયોગ આતંકવાદ ફેલાવવામાં અને આતંકી હુમલાઓ માટે થાય નહીં. આપણે એ બાબતે પણ સતર્ક રહેવું પડશે કે ત્યાંની નાજૂક સ્થિતિનો કોઈ દેશ પોતાના સ્વાર્થ માટે, તેનો એક સાધન તરીકે ઉપયોગ કરે તેવો પ્રયાસ થાય નહીં.

હાલના સમયમાં અફઘાનિસ્તાનની જનતાને, ત્યાંની મહિલાઓ અને બાળકોને, ત્યાંની લઘુમતિઓને મદદ કરવાની જરૂર છે અને તે માટે આપણે પોતાની જવાબદારી નિભાવવી જ પડશે.

અધ્યક્ષ મહોદય,

આપણાં સમુદ્રો પણ આપણો સહિયારો વારસો છે અને એટલા માટે જ આપણે એ બાબતનું ધ્યાન રાખવું પડશે કે સામુદ્રિક સાધનોનો આપણે ઉપયોગ કરીએ, દુરૂપયોગ નહીં. આપણાં સમુદ્રો આંતરરાષ્ટ્રીય વેપાર માટે લાઈફલાઈન પણ છે. તેને આપણે વિસ્તરણ અને પ્રવેશથી વંચિત રાખવાની હરિફાઈથી બચાવવા પડશે.

નિયમ આધારિત વિશ્વ વ્યવસ્થાને બચાવવા માટે આંતરરાષ્ટ્રીય સમુદાયે એકસૂરમાં અવાજ ઉઠાવવો પડશે. સુરક્ષા પરિષદમાં ભારતના પ્રમુખપદ સમયે હાંસલ કરાયેલી વ્યાપક સંમતિ વિશ્વને મેરિટાઈમ સિક્યોરિટીના વિષયમાં આગળ ધપવાનો માર્ગ દર્શાવે છે.

અધ્યક્ષ મહોદય,

સદીઓ પહેલાં ભારતના મહાન કૂટનીતિજ્ઞ, આચાર્ય ચાણક્યએ કહ્યું છે કે कालाति क्रमात काल एव फलम् पिबति એટલે કે જો, યોગ્ય સમયે યોગ્ય કાર્ય કરવામાં ના આવે તો તે સમયે તે કાર્યની સફળતા સમાપ્ત થઈ જાય છે.

સંયુક્ત રાષ્ટ્રએ પોતાને પ્રાસંગિક બનાવી રાખવા માટે પોતાની અસરકારકતા સુધારવી પડશે, અને ભરોસાપાત્રતા વધારવી પડશે.

સંયુક્ત રાષ્ટ્ર અંગે આજે અનેક પ્રકારના સવાલો ઉભા કરવામાં આવી રહ્યા છે. આવા સવાલો આપણે કોવિડ ક્રાઈસીસમાં જોયા છે, કોવિડ કાળ દરમ્યાન જોયા છે. દુનિયાના અનેક ભાગોમાં ચાલી રહેલું પ્રોક્સીવૉર આતંકવાદ અને હવે અફઘાનિસ્તાનના સંકટના કારણે આ સવાલો ગંભીર બની ગયા છે. કોવિડની શરૂઆતના સંદર્ભમાં અને ખાસ કરીને આસાનીથી બિઝનેસ કરવાના રેંકીંગ બાબતે વિશ્વમાં શાસન સાથે જોડાયેલી સંસ્થાઓની દાયકાઓના પરિશ્રમથી ઉભી થયેલી વિશ્વસનિયતાને નુકશાન પહોંચાડવામાં આવ્યું છે.

એ આવશ્યક છે કે આપણે સંયુક્ત રાષ્ટ્રને ગ્લોબલ ઓર્ડર, ગ્લોબલ લૉઝ અને ગ્લોબલ વેલ્યુઝની સુરક્ષા માટે સતત સુદ્રઢ રાખીએ. હું, નોબલ પુરસ્કાર વિજેતા ગુરૂદેવ રવિન્દ્ર નાથ ટાગોરજીના શબ્દોની સાથે મારી વાતને પૂરી કરી રહ્યો છું.

शुभो कोर्मो-पोथे / धोरो निर्भोयो गान, शोब दुर्बोल सोन्शोय /होक ओबोसान।

આનો અર્થ એ થાય છે કે શુભકર્મ પથ ઉપર નિર્ભય બનીને આગળ ધપો. તમામ દુર્બળતાઓ અને શંકાઓ સમાપ્ત થઈ જશે.

આ સંદેશ આજના સંદર્ભમાં સંયુક્ત રાષ્ટ્ર માટે જેટલો પ્રાસંગિક છે તેટલો જ, દરેક જવાબદાર દેશ માટે પણ પ્રાસંગિક છે. મને વિશ્વાસ છે કે આપણાં સૌના પ્રયાસ, વિશ્વમાં શાંતિ અને સૌહાર્દ વધારશે. વિશ્વને સ્વસ્થ, સુરક્ષિત અને સમૃધ્ધ બનાવશે.

આવી શુભકામનાઓ સાથે

ખૂબ ખૂબ ધન્યવાદ!

નમસ્કાર!

  • Anuj Parihar April 11, 2025

    yogi ge modi geko ram ram ge marihy
  • Anuj Parihar April 11, 2025

    ram ram ge 🙏
  • krishangopal sharma Bjp January 14, 2025

    नमो नमो 🙏 जय भाजपा 🙏
  • krishangopal sharma Bjp January 14, 2025

    नमो नमो 🙏 जय भाजपा 🙏🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷
  • krishangopal sharma Bjp January 14, 2025

    नमो नमो 🙏 जय भाजपा 🙏🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹
  • krishangopal sharma Bjp January 14, 2025

    नमो नमो 🙏 जय भाजपा 🙏🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷
  • Reena chaurasia September 05, 2024

    बीजेपी
  • MLA Devyani Pharande February 17, 2024

    जय हिंद
  • Babla sengupta December 28, 2023

    Babla sengupta
  • Mahendra singh Solanki Loksabha Sansad Dewas Shajapur mp November 16, 2023

    नमो नमो नमो नमो नमो नमो नमो
Explore More
દરેક ભારતીયનું લોહી ઉકળી રહ્યું છે: મન કી બાતમાં વડાપ્રધાન મોદી

લોકપ્રિય ભાષણો

દરેક ભારતીયનું લોહી ઉકળી રહ્યું છે: મન કી બાતમાં વડાપ્રધાન મોદી
After Operation Sindoor, a diminished terror landscape

Media Coverage

After Operation Sindoor, a diminished terror landscape
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
PM Modi's address to the nation
May 12, 2025
QuoteToday, every terrorist knows the consequences of wiping Sindoor from the foreheads of our sisters and daughters: PM
QuoteOperation Sindoor is an unwavering pledge for justice: PM
QuoteTerrorists dared to wipe the Sindoor from the foreheads of our sisters; that's why India destroyed the very headquarters of terror: PM
QuotePakistan had prepared to strike at our borders,but India hit them right at their core: PM
QuoteOperation Sindoor has redefined the fight against terror, setting a new benchmark, a new normal: PM
QuoteThis is not an era of war, but it is not an era of terrorism either: PM
QuoteZero tolerance against terrorism is the guarantee of a better world: PM
QuoteAny talks with Pakistan will focus on terrorism and PoK: PM

પ્રિય દેશવાસીઓ,

નમસ્કાર!...

આપણે સૌએ વિતેલા દિવસોમાં દેશનું સામર્થ્ય અને તેનો સંયમ બંને જોયા છે.

હું સૌને પહેલા ભારતના પરાક્રમી સેનાઓને,

સશસ્ત્ર દળોને...

આપણી ગુપ્તચર એજન્સીઓને....

અને આપણા વૈજ્ઞાનિકોને...

 

તમામ ભારતવાસીઓ તરફથી સલામ કરું છું.

આપણા વીર સૈનિકોએ ઓપરેશન સિંદૂરના લક્ષ્યો પ્રાપ્ત કરવા માટે અસીમ શૌર્ય બતાવ્યું છે.

હું તેમની વીરતાને... તેમના સાહસને... તેમના પરાક્રમને... આજે સમર્પિત કરું છું...

 

આપણા દેશની માતાઓને...

દેશની દરેક બહેનને...

અને દેશની દરેક દીકરીને આ પરાક્રમ સમર્પિત કરું છું.

 

સાથીઓ,

22 એપ્રિલે પહેલગામમાં આતંકવાદીઓએ જે બર્બરતા બતાવી હતી, તેમનાથી દેશ અને દુનિયા હચમચી ગયા હતા.

રજાઓ વિતાવવા આવેલા નિર્દોષ- માસૂમ નાગિરકોને

ધર્મ પૂછીને...

તેમના પરિવારની સામે જ,

તેમના બાળકોની સામે...

નિર્દયતાપૂર્વક મારી નાખ્યા..

આ આંતકનો ખૂબ જ બિભત્સ ચહેરો હતો.. ક્રૂરતા હતી...

આ દેશના સદભાવને તોડવાનો કાયરતાપૂર્ણ પ્રયાસ પણ હતો.

મારા માટે વ્યક્તિગતરૂપે આ પીડા ખૂબ જ મોટી હતી.

 

આ આતંકી હુમલા પછી આખો દેશ...

દરેક નાગરિક... દરેક સમાજ... દરેક વર્ગ... દરેક રાજકીય પક્ષ...

એક સૂરમાં... આતંકની સામે આકરી કાર્યવાહી કરવા માટે ઉભા થયા...

આપણે આતંકવાદીઓને માટીમાં મિલાવી તેવા માટે ભારતની સેનાઓને સંપૂર્ણ છૂટ આપી દીધી.

અને આજે દરેક આતંકી, આંતકનું દરેક સંગઠન જાણી ગયું છે....

કે આપણી બહેન-દીકરીઓના માથા પરથી સિંદૂર હટાવવાનું પરિણામ શું આવે છે.

 

સાથીઓ,

ઓપરેશન સિંદૂર... આ માત્ર નામ નથી...

આ દેશના કોટી-કોટી લોકોની ભાવનાઓનું પ્રતિબિંબ છે.

ઓપરેશન સિંદૂર... ન્યાયની અખંડ પ્રતિજ્ઞા છે.

6 મેની મોડી રાતે... 7 મેની સવારે... આખી દુનિયાએ આ પ્રતિજ્ઞાને પરિણામમાં બદલાતી જોઈ છે.

ભારતની સેનાઓએ પાકિસ્તાનમાં આતંકાના ઠેકાણાઓ પર...

તેમના ટ્રેનિંગ સેન્ટરો પર સચોટ પ્રહારો કર્યા.

 

આતંકીઓએ સપનામાં પણ નહીં વિચાર્યું હોય તે ભારત આટલો મોટો નિર્ણય લઈ શકે છે.

પરંતુ જ્યારે દેશ એકજૂથ થાય છે... નેશન ફર્સ્ટની ભાવનાથી ભરાયેલો હોય છે.. રાષ્ટ્ર સર્વોપરી હોય છે...

તો પોલાદી નિર્ણયો લેવામાં આવે છે.. પરિણામ લાવીને બતાવવામાં આવે છે.

જ્યારે પાકિસ્તાનમાં આતંકના અડ્ડાઓ પર ભારતની મિસાઈલોએ હુમલા કર્યા....

ભારતના ડ્રોને હુમલા કર્યા...

તો આતંકી સંગઠનોની ઈમારતો જ નહીં.... પરંતુ તેમની હિંમત પણ ધરાશાયી થઈ ગઈ.

બહાવલપુર અને મુરીદગે જેવા આતંકી ઠેકાણાઓ... એક પ્રકારે ગ્લોબલ ટેરરિઝમની યુનિવર્સિટી રહ્યા છે.

દુનિયામાં ક્યાંય પણ જે મોટા આતંકી હુમલા થયા છે...

નાઇન ઇલેવન હોય...

લંડન ટ્યુબ બોમ્બિંગ્સ હોય...

કે પછી ભારતમાં દાયદાઓમાં જે પણ મોટા આતંકી હુમલા થયા છે....

તેમના તાર ક્યાંકને ક્યાંક આતંકના આ ઠેકાણાઓ સાથે જ જોડાયેલા છે.

 

આતંકવાદીઓએ આપણી બહેનોના સિંદૂર ઉજાડ્યા હતા.. આથી ભારતે આતંકીઓના હેડક્વાર્ટર્સ ઉજાડી દીધા.

ભારતે આ હુમલાઓમાં 100થી વધુ ખૂંખાર આતંકવાદીઓને મોતના ઘાટ ઉતારી દીધા છે.

આતંકના કેટલાક આકાઓ...

છેલ્લા અઢી દાયકાથી ખુલ્લેઆમ પાકિસ્તાનમાં ફરી રહ્યા હતા...

તેઓ ભારતની વિરુદ્ધ કાવતરાઓ ઘડતા હતા...

તેમને ભારતે એક ઝાટકે જ ખતમ કરી નાખ્યા છે.

સાથીઓ,

ભારતની આ કાર્યવાહીથી પાકિસ્તાન ઘોર નિરાશામાં ઘેરાઈ ગયું હતું...

હતાશામાં ઘેરાઈ ગયું હતું..

ડરી ગયું હતું...

અને આ ડરમાં જ તેમણે વધુ એક દુઃસાહસ કર્યું.

આતંક પર ભારતની કાર્યવાહીનો સાથ આપવાના બદલે પાકિસ્તાને ભારત પર જ હુમલો કરવાનું શરૂ કરી દીધું.

પાકિસ્તાને આપણી શાળાઓ- કોલેજોને... ગુરુદ્વારાઓને... મંદિરોને... સામાન્ય નાગરિકોના ઘરોને નિશાન બનાવ્યા...

પાકિસ્તાને આપણા સૈન્ય ઠેકાણાઓને નિશાન બનાવ્યા...

પરંતુ તેમાં પણ પાકિસ્તાન પોતે જ ઉઘાડું પડી ગયું..

દુનિયાએ જોઈ લીધું કે કેવી રીતે પાકિસ્તાનના ડ્રોન અને મિસાઈલો... ભારતની સામે એક તણખલાની જેમ વેરવિખેર થઈ ગયા.

ભારતની સશક્ત એર ડિફેન્સ સિસ્ટમે, તેમને આકાશમાં જ નષ્ટ કરી દીધા.

પાકિસ્તાનની તૈયારી સીમા પર પ્રહાર કરવાની હતી...

પરંતુ ભારતે પાકિસ્તાનની છાતી પર જ પ્રહાર કરી દીધો.

ભારતના ડ્રોન... ભારતની મિસાઈલોએ સચોટ નિશાન લગાવીને હુમલો કર્યો.

પાકિસ્તાની વાયુસેનાના એ એરબેઝને નુકસાન પહોંચાડ્યું...

જેના પર પાકિસ્તાનને ખૂબ અભિમાન હતું.

ભારતે પહેલા ત્રણ દિવસમાં જ પાકિસ્તાનને એટલું તબાહ કરી દીધું કે જેનો તેને અંદાજ પણ નહોતો.

આથી...

ભારતની આક્રમક કાર્યવાહી પછી... પાકિસ્તાન બચવાના રસ્તાઓ શોધવા લાગ્યું.

પાકિસ્તાન... આખી દુનિયામાં તણાવ ઓછો કરવાની વિનંતી કરવા લાગ્યું હતું...

અને ખૂબ જ ખરાબ રીતે માર ખાધા પછી તેની મજબૂરીમાં 10 મેના રોજ બપોરે પાકિસ્તાનની સેનાએ આપણા DGMOનો સંપર્ક કર્યો.

ત્યાં સુધીમાં આપણે આતંકવાદના ઇન્ફ્રાસ્ટ્રક્ચરને મોટા પાયે નેસ્ત-નાબૂદ કરી ચુક્યા હતા...

 

આતંકીઓને મોતના ઘાટ ઉતારી દીધા હતા...

પાકિસ્તાને પોતાની છાતી પર વસાવેલા આતંકના અડ્ડાઓને આપણે ખંડેર બનાવી દીધા હતા...

આથી, જ્યારે પાકિસ્તાન તરફથી વિનંતી કરવામાં આવી...

પાકિસ્તાન તરફથી જ્યારે કહેવામાં આવ્યું...

કે તેમના તરફથી આગળ કોઈ આતંકી ગતિવિધી અને સૈન્ય દુઃસાહસ કરવામા નહીં આવે...

તો ભારતે તેના પર વિચાર કર્યો.

 

અને હું ફરીથી કહી રહ્યો છું...

આપણે પાકિસ્તાનના આતંકી અને સૈન્ય ઠેકાણાઓ પર આપણી જવાબી કાર્યવાહીને હાલમાં માત્ર સ્થગિત કરી છે.

આવનારા દિવસોમાં...

આપણે પાકિસ્તાનના દરેક પગલાંને આ કસોટી પર માપીશું...

કે તેઓ શું વલણ અપનાવે છે.

 

સાથીઓ,

ભારતની ત્રણેય સેનાઓ...

આપણું વાયુદળ... આપણું સૈન્ય...

અને આપણું નૌકાદળ...

આપણા બોર્ડર સિક્યુરિટી ફોર્સ - BSF...

ભારતના અર્ધલશ્કરી દળો...સતત એલર્ટ પર છે.

સર્જિકલ સ્ટ્રાઇક અને એર સ્ટ્રાઇક પછી...

હવે ઓપરેશન સિંદૂર એ આતંકવાદની વિરુદ્ધમાં ભારતની નીતિ છે.

ઓપરેશન સિંદૂરે આતંકવાદ સામેની લડાઈમાં એક નવી રેખા દોરી છે...

એક નવું ધોરણ, એક ન્યૂ નોર્મ નક્કી કર્યું છે.

પહેલું- જો ભારત પર આતંકવાદી હુમલો થશે તો જડબાતોડ જવાબ આપવામાં આવશે.

આપણે આપણી રીતે, આપણી શરતો પર જવાબ આપીને જ રહીશું.

એ દરેક જગ્યાએ જઈને કઠોર કાર્યવાહી કરીશું, જ્યાંથી આતંકવાદના મૂળિયા નીકળે છે.

બીજું - કોઈપણ ન્યૂક્લિઅર બ્લેકમેઇલને ભારત સહન નહીં કરે.

ન્યૂક્લિઅર બ્લેકમેઇલના આડમાં ફુલી-ફાલી રહેલા આતંકવાદી ઠેકાણાઓ પર ભારત સચોટ અને નિર્ણાયક હુમલો કરશે.

ત્રીજું - આપણે આતંકવાદને સમર્થન આપી રહેલી સરકાર અને આતંકવાદના આકાઓને અલગ અલગ નહીં જોઈએ.

ઓપરેશન સિંદૂર દરમિયાન...

દુનિયાએ... ફરી એકવાર પાકિસ્તાનનું ઘૃણાસ્પદ સત્ય જોયું છે...

જ્યારે માર્યા ગયેલા આતંકવાદીઓને વિદાય આપવા...

પાકિસ્તાની સેનાના મોટા મોટા અધિકારીઓ દોડી આવ્યા હતા.

સ્ટેટ સ્પોન્સર્ડ ટેરેરિઝમનો આ ખૂબ મોટો પુરાવો છે.

અમે ભારત અને આપણા નાગરિકોને કોઈપણ જોખમથી બચાવવા માટે સતત નિર્ણાયક પગલાં લેતા રહીશું.

સાથીઓ,

યુદ્ધના મેદાનમાં આપણે આ વખતે પાકિસ્તાનને ધૂળ ચટાડી દીધી છે.

અને આ વખતે ઓપરેશન સિંદૂરે એક નવું પરિમાણ ઉમેર્યું છે.

અમે રણ અને પર્વતોમાં આપણું સામર્થ્ય શાનદાર રીતે બતાવી દીધું છે...

અને સાથે જ..

ન્યૂ એજ વૉરફોરમાં પણ આપણી શ્રેષ્ઠતા સિદ્ધ કરી દીધી છે.

આ ઓપરેશન દરમિયાન…

આપણા મેડ ઇન ઇન્ડિયા હથિયારોની પ્રમાણિકતા સાબિત થઈ છે.

આજે દુનિયા જોઈ રહી છે...

21મી સદીના વૉરફેરમાં મેડ ઇન્ડિયા ડિફેન્સ ઇક્વિપમેન્ટ્સ...

તેનો સમય આવી ગયો છે.

સાથીઓ,

દરેક પ્રકારના આતંકવાદ સામે આપણે એકજૂથ રહીએ છીએ, આપણી એકતા... એ આપણી સૌથી મોટી તાકાત છે.

ચોક્કસપણે આ યુગ યુદ્ધનો નથી...

પરંતુ આ યુગ આતંકવાદનો પણ નથી.

ટેરેરિઝમ સામે ઝીરો ટોલરન્સ... આ એક વધુ સારી દુનિયાની ગેરંટી છે.

સાથીઓ,

પાકિસ્તાની સૈન્ય... પાકિસ્તાન સરકાર...

જે રીતે આતંકવાદને પોષવામાં આવી રહ્યો છે...

તે એક દિવસ પાકિસ્તાનનો જ નાશ કરી દેશે.

પાકિસ્તાને બચવું હોય, તો તેણે પોતાના ટેરર ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો સફાયો કરવો જ પડશે.

આ સિવાય શાંતિનો કોઈ રસ્તો નથી.

ભારતનું વલણ ખૂબ જ સ્પષ્ટ છે...

ટેરર અને ટૉક, એક સાથે ન થઈ શકે...

ટેરર અને ટ્રેડ, એક સાથે ન ચાલી શકે.

અને...

પાણી અને લોહી પણ એકસાથે ન વહી શકે.

હું આજે વિશ્વ સમુદાયને પણ કહેવા માંગુ છું...

અમારી ઘોષિત નીતિ રહી છે...

જો પાકિસ્તાન સાથે વાટાઘાટ થશે... તો તે ફક્ત ટેરેરિઝમ પર જ થશે...

જો પાકિસ્તાન સાથે વાટાઘાટ થશે... તો પાકિસ્તાન ઓક્યૂપાઇડ કાશ્મીર... PoK પર જ થશે...

પ્રિય દેશવાસીઓ,

આજે બુદ્ધ પૂર્ણિમા છે.

ભગવાન બુદ્ધે આપણને શાંતિનો માર્ગ બતાવ્યો છે.

શાંતિનો માર્ગ પણ શક્તિમાંથી પસાર થાય છે.

માનવતા... શાંતિ અને સમૃદ્ધિ તરફ આગળ વધો...

દરેક ભારતીય શાંતિથી જીવી શકે...

વિકસિત ભારતનું સપનું પૂરું કરી શકે...

તેના માટે ભારત શક્તિશાળી હોય તે ખૂબ જ જરૂરી છે...

અને જરૂર પડે ત્યારે આ શક્તિનો ઉપયોગ કરવો પણ જરૂરી છે.

અને છેલ્લા કેટલાક દિવસોમાં, ભારતે આ જ કર્યું છે.

હું ફરી એકવાર ભારતની સેના અને સશસ્ત્ર દળોને... સલામ કરું છું.

આપણે ભારતીયોની હિંમત... અને દરેક ભારતવાસીની એકતાને હું સલામ કરું છું.

આભાર...

ભારત માતાની જય !!!

ભારત માતાની જય !!!

ભારત માતાની જય !!!