Quote"જ્યારે તેમાં શીખવાનું સામેલ હોય ત્યારે વિજય સુનિશ્ચિત થાય છે"
Quote"જ્યારે દેશની સુરક્ષાની વાત આવે છે, ત્યારે રાજસ્થાનના યુવાનો હંમેશાં બાકીના લોકોથી આગળ રહે છે"
Quote"જયપુર મહાખેલનું સફળ આયોજન એ ભારતના પ્રયાસોની દિશામાં આગામી મહત્ત્વપૂર્ણ કડી છે"
Quote"દેશ નવી વ્યાખ્યાઓ બનાવી રહ્યો છે અને અમૃત કાલમાં એક નવો ક્રમ બનાવી રહ્યો છે"
Quote"વર્ષ 2014થી અત્યાર સુધીમાં દેશનું રમતગમતનું બજેટ લગભગ ત્રણ ગણું વધી ગયું છે"
Quote"દેશમાં સ્પોર્ટ્સ યુનિવર્સિટીઓની સ્થાપના કરવામાં આવી રહી છે, અને ખેલ મહાકુંભ જેવા મોટા કાર્યક્રમોનું પણ વ્યાવસાયિક રીતે આયોજન કરવામાં આવી રહ્યું છે"
Quote"અમારી સરકાર એ વાતનું ધ્યાન રાખે છે કે પૈસાના અભાવે કોઈ પણ યુવક પાછળ ન રહે"
Quote"તમે ફિટ હશો, તો જ તમે સુપરહિટ થઈ જશો"
Quote"રાજસ્થાનનાં શ્રી અન્ન-બાજરા અને શ્રી અન્ન-જુવાર આ સ્થળની ઓળખ છે"
Quote"આજના યુવાનો તેમની બહુ-પ્રતિભાશાળી અને બહુ-પરિમાણીય ક્ષમતાઓને કારણે ફક્ત એક જ ક્ષેત્ર સુધી મર્યાદિત રહેવા માગતા નથી"
Quote"રમતગમત એ માત્ર એક કળા જ નથી, પરંતુ એક ઉદ્યોગ છે"
Quote"જ્યારે પૂરાં દિલથી પ્રયત્નો કરવામાં આવે છે, ત્યારે પરિણામોની ખાતરી થાય છે"
Quote"દેશ માટે આગામી સુવર્ણ અને રજત ચંદ્રક વિજેતાઓ તમારામાંથી બહાર આવશે"

જયપુર ગ્રામીણના સાંસદ તથા આપણા સહયોગી ભાઈ રાજ્યવર્ધન સિંહ રાઠોડ, તમામ ખેલાડી, કોચ તથા મારા યુવાન સાથીઓ.
સૌ પ્રથમ તો જયપુર મહાખેલમાં મેડલ જીતનારા, આ સ્પર્ધામાં સામેલ થયેલા પ્રત્યેક ખેલાડી, કોચ તથા તેમના પરિવારજનોને ખૂબ ખૂબ અભિનંદન. આપ સૌ જયપુરના રમતના મેદાનમાં માત્ર રમવા માટે ઉતર્યા ન હતા. આપ જીતવા માટે પણ ઉતર્યા અને શીખવા માટે પણ મેદાનમાં ઉતર્યા હતા. અને જ્યાં શીખ હોય છે ત્યાં વિજય આપોઆપ સુનિશ્ચિત થઈ જાય છે. રમતના મેદાન પરથી ક્યારેય કોઈ ખેલાડી ખાલી હાથે પરત ફરતો નથી.

સાથીઓ,

હમણાં જ આપણે સૌએ કબડ્ડીના ખેલાડીઓનું શાનદાર પ્રદર્શન નિહાળ્યું. હું જોઈ રહ્યો છું કે આજના આ સમાપન સમારંભમાં એવા ઘણા ચહેરા ઉપસ્થિત છે જેમણે રમતોમાં આંતરરાષ્ટ્રીય કક્ષાએ ભારતનું નામ રોશન કર્યું છે. એશિયન ગેમ્સના મેડલ વિજેતા રામ સિંહ દેખાઈ રહ્યા છે. ધ્યાન ચંદ ખેલ રત્ન પુરસ્કારથી સન્માનિત પેરા એથ્લેટ ભાઈ દેવેન્દ્ર ઝાઝરિયા પણ જોવા મળી રહ્યા છે. અર્જુન એવોર્ડ વિજેતા સાક્ષી કુમારી અને અન્ય વરિષ્ઠ ખેલાડીઓ પણ છે. અહીં આપ રમત જગતના આ તારલાઓને જયપુર ગ્રામીણના ખેલાડીઓનું ઉત્સાહવર્ધન કરતાં જોઇને મને ઘણો જ આનંદ થઈ રહ્યો છે.

સાથીઓ,

આજે દેશમાં રમત પ્રતિસ્પર્ધાઓ તથા ખેલ મહાકૂંભોનો જે સિલસિલો શરૂ થયો છે તે એક મોટા પરિવર્તનનું પ્રતિબિંબ છે. રાજસ્થાનની ઘરતી તો પોતાના યુવાનોના જોશ અને સામર્થ્ય માટે જ ઓળખવામાં આવે છે. ઇતિહાસ સાક્ષી છે કે આ વીર ધરાના સંતાનો રણભૂમિને પણ પોતાના શૌર્યથી રમતનું મેદાન બનાવી દે છે. તેથી જ ભૂતકાળથી લઇને આજ સુધી જ્યારે પણ દેશના રક્ષણની વાત આવે છે તો રાજસ્થાનના યુવાનો ક્યારેય કોઈનાથી પાછળ હોતા નથી. અહીંના યુવાનોના આ શારીરિક અને માનસિક સામર્થ્યને વિકસિત કરવામાં રાજસ્થાની ખેલ પરંપરાઓનું મોટું યોગદાન રહ્યું છે.  સેંકડો વર્ષોથી મકર સંક્રાતિ પર યોજનારી રમત ‘દડા’ ‘દડા’ હોય કે બાળપણના સંભારણા સાથે સંકળાયેલા તોલિયા, રૂમાલ ઝપટ્ટા જેવી પરંપરાગત રમત હોય, આ રાજસ્થાનની રગે રગમાં વસેલી રમતો છે. તેથી જ આ રાજ્યએ દેશને ઘણી બધી રમત પ્રતિભાઓ આપી છે. કેટલાંય મેડલ અપાવીને દેશની શાન વધારી છે અને આપપપ જયપુરવાસીઓએ તો સાંસદ પણ ઓલિમ્પિક ચંદ્રક વિજેતા ચૂંટ્યો છે. મને આનંદ છે કે રાજ્યવર્ધન સિંહ રાઠોડ હા તેમણે દેશને જે પણ આપ્યું છે તેને એ સાંસદ ખેલ સ્પર્ધા મારફતે નવી પેઢીને પરત આપવાનું કામ કરી રહ્યા છે. આપણે આ પ્રયાસોને વધુ વ્યાપક બનાવવાના છે જેથી તેનો પ્રભાવ વધારે વ્યાપક હોય. જયપુર મહાખેલનું સફળ આયોજન અમારા આવા જ પ્રયાસોની આગલી કડી છે. આ વર્ષે 600થી વધારે ટીમોનો, સાડા છ હજાર યુવાનોનો તેમાં ભાગ લેવો તે તેની સફળતાનું પ્રતિબિંબ છે. મને માહિતી આપવામાં આવી છે કે આ આયોજનમાં દિકરીઓની પણ સવા સો કરતાં વધારે ટીમોએ ભાગ લીધો હતો. દિકરીઓની આ વધતી ભાગીદારી એક સુખદ સંકેત આપી રહી છે.

સાથીઓ,

આઝાદીના આ અમૃતકાળમાં દેશ નવી નવી પરિભાષાઓ ઘડી રહ્યો છે, નવી વ્યવસ્થાઓનું નિર્માણ કરી રહ્યો છે. દેશમાં આજે પહેલી વાર રમતોને પણ સરકારી ચશ્માથી નહીં પણ ખેલાડીઓની નજરથી જોવામાં આવે છે. હું જાણું છું કે યુવા ભારતની યુવાન પેઢી માટે કાંઈ પણ બાબત અશક્ય નથી. યુવાનોને જ્યારે સામર્થ્ય, સ્વાભિમાન, સ્વાવલંબન, સુવિધા તથા સંસાધનની શક્તિ મળે છે તો દરેક લક્ષ્યાંક આસાન બની જાય છે. દેશના આ વલણની ઝલક આ વખતના બજેટમાં  પણ જોવા મળી છે. આ વખતે દેશના બજેટમાં રમત વિભાગને લગભગ 2500 કરોડ રૂપિયાનું બજેટ મળ્યું છે. જ્યારે 2014 અગાઉ ખેલ વિભાગનું બજેટ આઠ સો થી સાડા આઠ સો રૂપિયાની આસપાસ જ રહી જતું હતું. એટલે કે 2014ની સરખામણીએ દેશના રમત વિભાગના બજેટમાં લગભગ ત્રણ ગણો વધારો થયો છે. આ વખતે એકલા ખેલો ઇન્ડિયા અભિયાન માટે જ એક હજાર કરોડ રૂપિયાથી વધુ બજેટ આપવામાં આવ્યું છે. આ નાણા રમત સાથે સંકળાયેલા દરેક ક્ષેત્રમાં સંસાધનો તથા સુવિધાઓના નિર્માણ કરવાની દિશામાં કામ આવશે.

|

સાથીઓ,

અગાઉ દેશમાં યુવાનોમાં રમત પ્રત્યેનો ઉત્સાહ અને જુસ્સો તો હતો , પ્રતિભા પણ હતી પરંતુ અવારનવાર સંસાધન તથા સરકારી સહયોગની ઉણપ દર વખતે આડે આવતી હતી. હવે આપણા ખેલાડીઓના આ પડકારનો પણ ઉકેલ લાવવામાં આવી રહ્યો છે. હું આપને આ જયપુર મહાખેલનું જ એક ઉદાહરણ આપીશ. જયપુરમાં આ આયોજન છેલ્લા પાંચથી છ વર્ષથી ચાલી રહ્યું છે. આવી  જ રીતે દેશના ખૂણે ખૂણેમાં ભારતીય જનતા પાર્ટીના સાંસદો પોત પોતાના ક્ષેત્રોમાં ખેલ મહાકૂંભનું  આયોજન કરાવી રહ્યા છે. આ સેંકડો ખેલ મહાકૂંભોમાં હજારો યુવાનો, હજારો પ્રતિભાશાળી ખેલાડીઓ અલગ અલગ રમતોમાં ભાગ લઈ રહ્યા છે. સાંસદ ખેલ મહાકૂંભને કારણે દેશની હજારો નવી પ્રતિભાઓ ઉભરીને સામે આવી રહી છે.

સાથીઓ,

આ બાબત તમામ માટે શક્ય બની રહી છે કેમ કે કેન્દ્ર સરકાર હવે જિલ્લા કક્ષાએ તથા સ્થાનિક સ્તર સુધી રમત સવલતો ઘડી રહી છે. અને ખેલ મહાકૂંભ જેવા મોટા આયોજનો પણ વ્યવસાયી ઢબે થઈ રહ્યા છે.
આ વખતે નેશનલ સ્પોર્ટ્સ યુનિવર્સિટીને પણ મહત્તમ બજેટ પ્રદાન કરવામાં આવ્યું છે. અમારો પ્રયાસ છે કે સ્પોર્ટ્સ મેનેજમેન્ટ અને સ્પોર્ટ્સ ટેકનોલોજી સાથે સંકળાયેલી દરેક વિદ્યા શીખવાનો એક માહોલ બને. જેનાથી યુવાનોને આ ક્ષેત્રમાં કારકિર્દી બનાવવાનો અવસર પ્રાપ્ત થશે.

સાથીઓ,

નાણાની અછતને કારણે કોઈ યુવાન પાછળ રહી જાય નહીં તેની ઉપર પણ અમારી સરકાર ધ્યાન આપી રહી છે. શાનદાર પ્રદર્શન કરનારા ખેલાડીઓને કેન્દ્ર સરકાર હવે વાર્ષિક પાંચ લાખ રૂપિયા સુધીની મદદ કરે છે. પ્રમુખ રમત પુરસ્કારોમાં અપાનારી રકમ પણ ત્રણ ગણી વધારી દેવામાં આવી છે. ઓલિમ્પિક્સ જેવી મોટી વૈશ્વિક સ્પર્ધાઓમાં પણ હવે સરકાર સંપૂર્ણ શક્તિથી આપણા ખેલાડીઓની સાથે ઉભી રહે છે. ટોપ્સ TOPS જેવી યોજના મારફતે વર્ષો અગાઉથી જ ખેલાડીઓ ઓલિમ્પિક્સની તૈયારી કરી રહ્યા છે.

|

સાથીઓ,

રમતોમાં આગળ વધવા માટે કોઈ પણ રમતવીર માટે સૌથી જરૂરી હોય છે – પોતાની ફિટનેસને જાળવી રાખવી. તમે ફિટ હશો તો જ સુપરહિટ થશો. અને ફિટનેસ તો જેટલી રમતોમાં જરૂરી છે તેટલી જ જીવનના મેદાનમાં પણ જરૂરી હોય છે. તેથી જ આજે ખેલો ઇન્ડિયાની સાથે સાથે ફિટ ઇન્ડિયા પણ એક મોટું મિશન છે. આપણી ફિટનેસમાં ઘણી મોટી ભૂમિકા આપણી ખાણી-પીણી, આપણા પોષણની પણ હોય છે. તેથી જ હું આપ સૌ સાથે એક એવા અભિયાનની વાત કરવા માગું છું જેની શરૂઆત તો ભારતે કરી પરંતુ હવે તે એક વૈશ્વિક અભિયાન બની ગયું છે. આપે સાંભળ્યું હશે કે ભારતની દરખાસ્ત પર યુનાઇટેડ નેશન્સ UN વર્ષ 2023ને ઇન્ટરનેશનલ મિલેટ વર્ષ તરીકે મનાવી રહ્યું છે. અને રાજસ્થાન તો મિલેટ એટલે કે મોટા અનાજની એક અત્યંત સમૃદ્ધ પરંપરાઓનું ઘર છે. અને હવે તેની દેશવ્યાપી ઓળખ બને તે માટે મોટા અનાજને શ્રી અન્ન આ નામથી લોકો જાણે તે અત્યંત જરૂરી છે. આ વખતે બજેટમાં પણ આ વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.  આ સુપર ફૂડ છે, આ શ્રી અન્ન છે. અને તેથી જ રાજસ્થાનનું શ્રી અન્ન બાજરો, શ્રી અન્ન જુવાર, જેવા અનેક મોટા અનાજ આ શ્રી અન્નના નામની સાથે હવે જોડાઈ ગયા છે. તેની ઓળખ છે.  અને એ કોણ જાણતું નથી જે રાજસ્થાનને જાણે છે. આ આપણા રાજસ્થાનના બાજરાનો ખીચડો અને ચૂરમા શું કોઈ ભૂલી શકે છે ? મારું આપ સૌ  યુવાનોને વિશેષ આહવાન હશે, આપ પોતાના ખોરાકમાં શ્રી અન્ન, શ્રી અન્ન એટલે કે મોટા અનાજન તો સામેલ કરો જ એટલું જ નહીં શાળા, કોલેજની યુવાન પેઢીમાં તમે જાતે જ તેના બ્રાન્ડ એમ્બેસેડર બનીને લાગી પડો.

સાથીઓ,

આજનો યુવાન માત્ર એક જ ક્ષેત્રમાં સમેટીને રહેવો જોઇએ નહીં. તે બહુ પ્રતિભાશાળી પણ છે અને મલ્ટિ ડાયમેન્સનલ પણ છે. દેશ પણ આથી જ યુવાનોના સર્વાંગી વિકાસ માટે કામ કરી રહ્યો છે. યુવાનો માટે વધુ એક આધુનિક સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર બની રહ્યું છે તો સાથે સાથે જ બાળકો તથા યુવાનો માટે નેશનલ ડિજિટલ લાયબ્રેરીનો પ્રસ્તાવ પણ બજેટમાં મૂકવામાં આવ્યો છે. નેશનલ ડિજિટલ લાયબ્રેરી મારફતે વિજ્ઞાન, ઇતિહાસ, સમાજશાસ્ત્ર અને સંસ્કૃત જેવી ભાષાઓ પ્રત્યેક વિષયમાં પુસ્તકો શહેરથી ગામડા સુધી, દરેક સ્તરે ડિજિટલના માધ્યમથી ઉપલબ્ધ થશે. તે તમારા સૌના શીખવાના અનુભવને નવી ઉંચાઈ પ્રદાન કરશે. તમામ સંસાધનો આપના કમ્પ્યુટર તથા મોબાઇલમાં પણ ઉપલબ્ધ કરાવશે.

|

સાથીઓ,

રમતગમત માત્ર એક વિદ્યા જ નહીં પરંતુ સ્પોર્ટ્સ એક ઘણો મોટો ઉદ્યોગ પણ છે. સ્પોર્ટ્સ સાથે સકળાયેલી ચીજો તથા સંસાધનો બનાવવાથી મોટી સંખ્યામાં લોકોને રોજગાર પણ મળે છે. આ કાર્ય મોટા ભાગે આપણા લઘુ ઉદ્યોગ MSMEs કરે છે. આ વખતે બજેટમાં રમત ગમત ક્ષેત્ર સાથે સંકળાયેલી MSMEsને મજબૂત કરવા માટે પણ ઘણી મહત્વપૂર્ણ જાહેરાતો કરવામાં આવી છે. હું આપને વધુ એક યોજના અંગે જાણકારી આપવા માગીશ. આ યોજના છે – પીએમ વિશ્વકર્મા કૌશલ્ય સન્માન એટલે કે પીએમ વિકાસ યોજના. એવા લોકો જે પોતાના હાથના કૌશલ્યથી, હાથ દ્વારા ઉપયોગમા લેવાતા ઓજારોથી સ્વરોજગાર કરે છે, નિર્માણ કરે છે તેમને આ યોજના ઘણી મદદ કરશે. તેમના આર્થિક સહયોગથી લઈને તેમના માટે નવી બજાર સુધી, તમામ પ્રકારની મદદ, પીએમ વિશ્વકર્મા યોજના દ્વારા જ આપવામાં આવશે. આપણા યુવાનો માટે આ પણ રોજગારની, સ્વરોજગારની મોટી તક બનાવશે.

સાથીઓ,

જ્યાં પૂરા મનથી પ્રયાસ થાય છે ત્યાં પરિણામ સુનિશ્ચિત હોય છે. દેશે પ્રયાસ કર્યા, પરિણામ આપણે ટોક્યો ઓલિમ્પિક્સમાં જોયું, કોમનવેલ્થ ગેમ્સમાં જોયું. જયપુર મહા ખેલમાં પણ આપ સૌના પ્રયાસ ભવિષ્યમાં આવા જ શાનદાર પરિણામ આપશે. આપમાંથી જ દેશ માટે આગામી ગોલ્ડ અને સિલ્વર મેડલ વિજેતા આવનારા છે. આપ જો નક્કી કરી લેશો તો ઓલિમ્પિક્સ સુધી તિરંગાની શાન વધારશો. આપ જે ક્ષેત્રમાં જશો ત્યાં દેશનું નામ રોશન કરશો. મને વિશ્વાસ છે કે આપણા યુવાનો દેશની સફળતાને ઘણે આગળ સુધી લઈ જશે. આ જ ભાવના સાથે આપ સૌનો ખૂબ ખૂબ આભાર. ખૂબ ખૂબ શુભકામનાઓ.

  • दिग्विजय सिंह राना September 20, 2024

    हर हर महादेव
  • JBL SRIVASTAVA May 27, 2024

    मोदी जी 400 पार
  • Vaishali Tangsale February 13, 2024

    🙏🏻🙏🏻
  • ज्योती चंद्रकांत मारकडे February 12, 2024

    जय हो
  • ckkrishnaji February 15, 2023

    🙏
  • amrit singh February 09, 2023

    Jay shree ram🙏🙏🙏🙏🙏
  • Sanjay Zala February 09, 2023

    🏏🎳🏓 'Chak' _ De _ '"ndia" 🎾🏑🏸
  • Ambikesh Pandey February 07, 2023

    👌
  • shabbir khan February 07, 2023

    hii
  • Bhagat Ram Chauhan February 07, 2023

    जय हिन्द
Explore More
દરેક ભારતીયનું લોહી ઉકળી રહ્યું છે: મન કી બાતમાં વડાપ્રધાન મોદી

લોકપ્રિય ભાષણો

દરેક ભારતીયનું લોહી ઉકળી રહ્યું છે: મન કી બાતમાં વડાપ્રધાન મોદી
'Operation Sindoor on, if they fire, we fire': India's big message to Pakistan

Media Coverage

'Operation Sindoor on, if they fire, we fire': India's big message to Pakistan
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
PM Modi's address to the nation
May 12, 2025
QuoteToday, every terrorist knows the consequences of wiping Sindoor from the foreheads of our sisters and daughters: PM
QuoteOperation Sindoor is an unwavering pledge for justice: PM
QuoteTerrorists dared to wipe the Sindoor from the foreheads of our sisters; that's why India destroyed the very headquarters of terror: PM
QuotePakistan had prepared to strike at our borders,but India hit them right at their core: PM
QuoteOperation Sindoor has redefined the fight against terror, setting a new benchmark, a new normal: PM
QuoteThis is not an era of war, but it is not an era of terrorism either: PM
QuoteZero tolerance against terrorism is the guarantee of a better world: PM
QuoteAny talks with Pakistan will focus on terrorism and PoK: PM

પ્રિય દેશવાસીઓ,

નમસ્કાર!...

આપણે સૌએ વિતેલા દિવસોમાં દેશનું સામર્થ્ય અને તેનો સંયમ બંને જોયા છે.

હું સૌને પહેલા ભારતના પરાક્રમી સેનાઓને,

સશસ્ત્ર દળોને...

આપણી ગુપ્તચર એજન્સીઓને....

અને આપણા વૈજ્ઞાનિકોને...

 

તમામ ભારતવાસીઓ તરફથી સલામ કરું છું.

આપણા વીર સૈનિકોએ ઓપરેશન સિંદૂરના લક્ષ્યો પ્રાપ્ત કરવા માટે અસીમ શૌર્ય બતાવ્યું છે.

હું તેમની વીરતાને... તેમના સાહસને... તેમના પરાક્રમને... આજે સમર્પિત કરું છું...

 

આપણા દેશની માતાઓને...

દેશની દરેક બહેનને...

અને દેશની દરેક દીકરીને આ પરાક્રમ સમર્પિત કરું છું.

 

સાથીઓ,

22 એપ્રિલે પહેલગામમાં આતંકવાદીઓએ જે બર્બરતા બતાવી હતી, તેમનાથી દેશ અને દુનિયા હચમચી ગયા હતા.

રજાઓ વિતાવવા આવેલા નિર્દોષ- માસૂમ નાગિરકોને

ધર્મ પૂછીને...

તેમના પરિવારની સામે જ,

તેમના બાળકોની સામે...

નિર્દયતાપૂર્વક મારી નાખ્યા..

આ આંતકનો ખૂબ જ બિભત્સ ચહેરો હતો.. ક્રૂરતા હતી...

આ દેશના સદભાવને તોડવાનો કાયરતાપૂર્ણ પ્રયાસ પણ હતો.

મારા માટે વ્યક્તિગતરૂપે આ પીડા ખૂબ જ મોટી હતી.

 

આ આતંકી હુમલા પછી આખો દેશ...

દરેક નાગરિક... દરેક સમાજ... દરેક વર્ગ... દરેક રાજકીય પક્ષ...

એક સૂરમાં... આતંકની સામે આકરી કાર્યવાહી કરવા માટે ઉભા થયા...

આપણે આતંકવાદીઓને માટીમાં મિલાવી તેવા માટે ભારતની સેનાઓને સંપૂર્ણ છૂટ આપી દીધી.

અને આજે દરેક આતંકી, આંતકનું દરેક સંગઠન જાણી ગયું છે....

કે આપણી બહેન-દીકરીઓના માથા પરથી સિંદૂર હટાવવાનું પરિણામ શું આવે છે.

 

સાથીઓ,

ઓપરેશન સિંદૂર... આ માત્ર નામ નથી...

આ દેશના કોટી-કોટી લોકોની ભાવનાઓનું પ્રતિબિંબ છે.

ઓપરેશન સિંદૂર... ન્યાયની અખંડ પ્રતિજ્ઞા છે.

6 મેની મોડી રાતે... 7 મેની સવારે... આખી દુનિયાએ આ પ્રતિજ્ઞાને પરિણામમાં બદલાતી જોઈ છે.

ભારતની સેનાઓએ પાકિસ્તાનમાં આતંકાના ઠેકાણાઓ પર...

તેમના ટ્રેનિંગ સેન્ટરો પર સચોટ પ્રહારો કર્યા.

 

આતંકીઓએ સપનામાં પણ નહીં વિચાર્યું હોય તે ભારત આટલો મોટો નિર્ણય લઈ શકે છે.

પરંતુ જ્યારે દેશ એકજૂથ થાય છે... નેશન ફર્સ્ટની ભાવનાથી ભરાયેલો હોય છે.. રાષ્ટ્ર સર્વોપરી હોય છે...

તો પોલાદી નિર્ણયો લેવામાં આવે છે.. પરિણામ લાવીને બતાવવામાં આવે છે.

જ્યારે પાકિસ્તાનમાં આતંકના અડ્ડાઓ પર ભારતની મિસાઈલોએ હુમલા કર્યા....

ભારતના ડ્રોને હુમલા કર્યા...

તો આતંકી સંગઠનોની ઈમારતો જ નહીં.... પરંતુ તેમની હિંમત પણ ધરાશાયી થઈ ગઈ.

બહાવલપુર અને મુરીદગે જેવા આતંકી ઠેકાણાઓ... એક પ્રકારે ગ્લોબલ ટેરરિઝમની યુનિવર્સિટી રહ્યા છે.

દુનિયામાં ક્યાંય પણ જે મોટા આતંકી હુમલા થયા છે...

નાઇન ઇલેવન હોય...

લંડન ટ્યુબ બોમ્બિંગ્સ હોય...

કે પછી ભારતમાં દાયદાઓમાં જે પણ મોટા આતંકી હુમલા થયા છે....

તેમના તાર ક્યાંકને ક્યાંક આતંકના આ ઠેકાણાઓ સાથે જ જોડાયેલા છે.

 

આતંકવાદીઓએ આપણી બહેનોના સિંદૂર ઉજાડ્યા હતા.. આથી ભારતે આતંકીઓના હેડક્વાર્ટર્સ ઉજાડી દીધા.

ભારતે આ હુમલાઓમાં 100થી વધુ ખૂંખાર આતંકવાદીઓને મોતના ઘાટ ઉતારી દીધા છે.

આતંકના કેટલાક આકાઓ...

છેલ્લા અઢી દાયકાથી ખુલ્લેઆમ પાકિસ્તાનમાં ફરી રહ્યા હતા...

તેઓ ભારતની વિરુદ્ધ કાવતરાઓ ઘડતા હતા...

તેમને ભારતે એક ઝાટકે જ ખતમ કરી નાખ્યા છે.

સાથીઓ,

ભારતની આ કાર્યવાહીથી પાકિસ્તાન ઘોર નિરાશામાં ઘેરાઈ ગયું હતું...

હતાશામાં ઘેરાઈ ગયું હતું..

ડરી ગયું હતું...

અને આ ડરમાં જ તેમણે વધુ એક દુઃસાહસ કર્યું.

આતંક પર ભારતની કાર્યવાહીનો સાથ આપવાના બદલે પાકિસ્તાને ભારત પર જ હુમલો કરવાનું શરૂ કરી દીધું.

પાકિસ્તાને આપણી શાળાઓ- કોલેજોને... ગુરુદ્વારાઓને... મંદિરોને... સામાન્ય નાગરિકોના ઘરોને નિશાન બનાવ્યા...

પાકિસ્તાને આપણા સૈન્ય ઠેકાણાઓને નિશાન બનાવ્યા...

પરંતુ તેમાં પણ પાકિસ્તાન પોતે જ ઉઘાડું પડી ગયું..

દુનિયાએ જોઈ લીધું કે કેવી રીતે પાકિસ્તાનના ડ્રોન અને મિસાઈલો... ભારતની સામે એક તણખલાની જેમ વેરવિખેર થઈ ગયા.

ભારતની સશક્ત એર ડિફેન્સ સિસ્ટમે, તેમને આકાશમાં જ નષ્ટ કરી દીધા.

પાકિસ્તાનની તૈયારી સીમા પર પ્રહાર કરવાની હતી...

પરંતુ ભારતે પાકિસ્તાનની છાતી પર જ પ્રહાર કરી દીધો.

ભારતના ડ્રોન... ભારતની મિસાઈલોએ સચોટ નિશાન લગાવીને હુમલો કર્યો.

પાકિસ્તાની વાયુસેનાના એ એરબેઝને નુકસાન પહોંચાડ્યું...

જેના પર પાકિસ્તાનને ખૂબ અભિમાન હતું.

ભારતે પહેલા ત્રણ દિવસમાં જ પાકિસ્તાનને એટલું તબાહ કરી દીધું કે જેનો તેને અંદાજ પણ નહોતો.

આથી...

ભારતની આક્રમક કાર્યવાહી પછી... પાકિસ્તાન બચવાના રસ્તાઓ શોધવા લાગ્યું.

પાકિસ્તાન... આખી દુનિયામાં તણાવ ઓછો કરવાની વિનંતી કરવા લાગ્યું હતું...

અને ખૂબ જ ખરાબ રીતે માર ખાધા પછી તેની મજબૂરીમાં 10 મેના રોજ બપોરે પાકિસ્તાનની સેનાએ આપણા DGMOનો સંપર્ક કર્યો.

ત્યાં સુધીમાં આપણે આતંકવાદના ઇન્ફ્રાસ્ટ્રક્ચરને મોટા પાયે નેસ્ત-નાબૂદ કરી ચુક્યા હતા...

 

આતંકીઓને મોતના ઘાટ ઉતારી દીધા હતા...

પાકિસ્તાને પોતાની છાતી પર વસાવેલા આતંકના અડ્ડાઓને આપણે ખંડેર બનાવી દીધા હતા...

આથી, જ્યારે પાકિસ્તાન તરફથી વિનંતી કરવામાં આવી...

પાકિસ્તાન તરફથી જ્યારે કહેવામાં આવ્યું...

કે તેમના તરફથી આગળ કોઈ આતંકી ગતિવિધી અને સૈન્ય દુઃસાહસ કરવામા નહીં આવે...

તો ભારતે તેના પર વિચાર કર્યો.

 

અને હું ફરીથી કહી રહ્યો છું...

આપણે પાકિસ્તાનના આતંકી અને સૈન્ય ઠેકાણાઓ પર આપણી જવાબી કાર્યવાહીને હાલમાં માત્ર સ્થગિત કરી છે.

આવનારા દિવસોમાં...

આપણે પાકિસ્તાનના દરેક પગલાંને આ કસોટી પર માપીશું...

કે તેઓ શું વલણ અપનાવે છે.

 

સાથીઓ,

ભારતની ત્રણેય સેનાઓ...

આપણું વાયુદળ... આપણું સૈન્ય...

અને આપણું નૌકાદળ...

આપણા બોર્ડર સિક્યુરિટી ફોર્સ - BSF...

ભારતના અર્ધલશ્કરી દળો...સતત એલર્ટ પર છે.

સર્જિકલ સ્ટ્રાઇક અને એર સ્ટ્રાઇક પછી...

હવે ઓપરેશન સિંદૂર એ આતંકવાદની વિરુદ્ધમાં ભારતની નીતિ છે.

ઓપરેશન સિંદૂરે આતંકવાદ સામેની લડાઈમાં એક નવી રેખા દોરી છે...

એક નવું ધોરણ, એક ન્યૂ નોર્મ નક્કી કર્યું છે.

પહેલું- જો ભારત પર આતંકવાદી હુમલો થશે તો જડબાતોડ જવાબ આપવામાં આવશે.

આપણે આપણી રીતે, આપણી શરતો પર જવાબ આપીને જ રહીશું.

એ દરેક જગ્યાએ જઈને કઠોર કાર્યવાહી કરીશું, જ્યાંથી આતંકવાદના મૂળિયા નીકળે છે.

બીજું - કોઈપણ ન્યૂક્લિઅર બ્લેકમેઇલને ભારત સહન નહીં કરે.

ન્યૂક્લિઅર બ્લેકમેઇલના આડમાં ફુલી-ફાલી રહેલા આતંકવાદી ઠેકાણાઓ પર ભારત સચોટ અને નિર્ણાયક હુમલો કરશે.

ત્રીજું - આપણે આતંકવાદને સમર્થન આપી રહેલી સરકાર અને આતંકવાદના આકાઓને અલગ અલગ નહીં જોઈએ.

ઓપરેશન સિંદૂર દરમિયાન...

દુનિયાએ... ફરી એકવાર પાકિસ્તાનનું ઘૃણાસ્પદ સત્ય જોયું છે...

જ્યારે માર્યા ગયેલા આતંકવાદીઓને વિદાય આપવા...

પાકિસ્તાની સેનાના મોટા મોટા અધિકારીઓ દોડી આવ્યા હતા.

સ્ટેટ સ્પોન્સર્ડ ટેરેરિઝમનો આ ખૂબ મોટો પુરાવો છે.

અમે ભારત અને આપણા નાગરિકોને કોઈપણ જોખમથી બચાવવા માટે સતત નિર્ણાયક પગલાં લેતા રહીશું.

સાથીઓ,

યુદ્ધના મેદાનમાં આપણે આ વખતે પાકિસ્તાનને ધૂળ ચટાડી દીધી છે.

અને આ વખતે ઓપરેશન સિંદૂરે એક નવું પરિમાણ ઉમેર્યું છે.

અમે રણ અને પર્વતોમાં આપણું સામર્થ્ય શાનદાર રીતે બતાવી દીધું છે...

અને સાથે જ..

ન્યૂ એજ વૉરફોરમાં પણ આપણી શ્રેષ્ઠતા સિદ્ધ કરી દીધી છે.

આ ઓપરેશન દરમિયાન…

આપણા મેડ ઇન ઇન્ડિયા હથિયારોની પ્રમાણિકતા સાબિત થઈ છે.

આજે દુનિયા જોઈ રહી છે...

21મી સદીના વૉરફેરમાં મેડ ઇન્ડિયા ડિફેન્સ ઇક્વિપમેન્ટ્સ...

તેનો સમય આવી ગયો છે.

સાથીઓ,

દરેક પ્રકારના આતંકવાદ સામે આપણે એકજૂથ રહીએ છીએ, આપણી એકતા... એ આપણી સૌથી મોટી તાકાત છે.

ચોક્કસપણે આ યુગ યુદ્ધનો નથી...

પરંતુ આ યુગ આતંકવાદનો પણ નથી.

ટેરેરિઝમ સામે ઝીરો ટોલરન્સ... આ એક વધુ સારી દુનિયાની ગેરંટી છે.

સાથીઓ,

પાકિસ્તાની સૈન્ય... પાકિસ્તાન સરકાર...

જે રીતે આતંકવાદને પોષવામાં આવી રહ્યો છે...

તે એક દિવસ પાકિસ્તાનનો જ નાશ કરી દેશે.

પાકિસ્તાને બચવું હોય, તો તેણે પોતાના ટેરર ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો સફાયો કરવો જ પડશે.

આ સિવાય શાંતિનો કોઈ રસ્તો નથી.

ભારતનું વલણ ખૂબ જ સ્પષ્ટ છે...

ટેરર અને ટૉક, એક સાથે ન થઈ શકે...

ટેરર અને ટ્રેડ, એક સાથે ન ચાલી શકે.

અને...

પાણી અને લોહી પણ એકસાથે ન વહી શકે.

હું આજે વિશ્વ સમુદાયને પણ કહેવા માંગુ છું...

અમારી ઘોષિત નીતિ રહી છે...

જો પાકિસ્તાન સાથે વાટાઘાટ થશે... તો તે ફક્ત ટેરેરિઝમ પર જ થશે...

જો પાકિસ્તાન સાથે વાટાઘાટ થશે... તો પાકિસ્તાન ઓક્યૂપાઇડ કાશ્મીર... PoK પર જ થશે...

પ્રિય દેશવાસીઓ,

આજે બુદ્ધ પૂર્ણિમા છે.

ભગવાન બુદ્ધે આપણને શાંતિનો માર્ગ બતાવ્યો છે.

શાંતિનો માર્ગ પણ શક્તિમાંથી પસાર થાય છે.

માનવતા... શાંતિ અને સમૃદ્ધિ તરફ આગળ વધો...

દરેક ભારતીય શાંતિથી જીવી શકે...

વિકસિત ભારતનું સપનું પૂરું કરી શકે...

તેના માટે ભારત શક્તિશાળી હોય તે ખૂબ જ જરૂરી છે...

અને જરૂર પડે ત્યારે આ શક્તિનો ઉપયોગ કરવો પણ જરૂરી છે.

અને છેલ્લા કેટલાક દિવસોમાં, ભારતે આ જ કર્યું છે.

હું ફરી એકવાર ભારતની સેના અને સશસ્ત્ર દળોને... સલામ કરું છું.

આપણે ભારતીયોની હિંમત... અને દરેક ભારતવાસીની એકતાને હું સલામ કરું છું.

આભાર...

ભારત માતાની જય !!!

ભારત માતાની જય !!!

ભારત માતાની જય !!!