QuoteRo-Pax service will decrease transportation costs and aid ease of doing business: PM Modi
QuoteConnectivity boost given by the ferry service will impact everyone starting from traders to students: PM Modi
QuoteName of Ministry of Shipping will be changed to Ministry of Ports, Shipping and Waterways: PM Modi

કોઈ એક પ્રોજેકટની શરૂઆત થવાથી બિઝનેસમાં સરળતા વધે અને સાથે–સાથે જીવન જીવવામાં પણ સરળતા વધે તેનું આ ઉત્તમ ઉદાહરણ છે. હમણાં મને જે ચાર-પાંચ ભાઈ-બહેનો સાથે વાત કરવાની તક મળી અને તે પોતાના અનુભવનું જે રીતે વર્ણન કરતા હતા, પછી ભલેને તે તીર્થ યાત્રાની કલ્પના હોય કે પછી વાહનો દ્વારા ઓછામાં ઓછુ નુકસાન થવાની ચર્ચા હોય, સમય બચાવવાની ચર્ચા હોય કે પછી ખેતીમાં જે ઉત્પાદન મળે છે તેને નુકસાન થતું અટકાવવાની વાત હોય, તાજા ફળ અને શાકભાજી સુરત જેવા બજાર સુધી પહોંચાડવા માટેનો આટલો ઉત્તમ ઉપાય હોય અને એક પ્રકારે કહીએ તો આ યોજનાનાં જેટલાં પાસાં છે તેને અમારી સામે રજૂ કર્યાં અને તેને કારણે વેપાર માટે જે સુવિધાઓમાં વધારો થવાનો છે, ઝડપમાં જે વધારો થવાનો છે મને લાગે છે કે આ બધા કારણોથી ખુબ જ ખુશીનુ વાતાવરણ છે. વેપારી હોય કે વ્યવસાયી, શ્રમિક હોય કે ખેડૂત, સૌ કોઈને આ બહેતર કનેક્ટીવિટીનો લાભ થવાનો છે. જ્યારે પોતાના લોકો સાથેનું અંતર ઓછુ થાય છે, ત્યારે મનને પણ ખૂબ સંતોષ મળતો હોય છે.

એક રીતે કહીએ તો આજે ગુજરાતના લોકોને દિવાળીના તહેવારનો ખૂબ મોટો ઉપહાર પણ મળી રહ્યો છે. ખુશીના આ અવસર ઉપરથી ગુજરાતના મુખ્યમંત્રી શ્રીમાન વિજય રૂપાણીજી, કેન્દ્ર સરકારમાં મારા મંત્રી મંડળના સાથી ભાઈ શ્રી મનસુખભાઈ માંડવિયાજી, ભારતીય જનતા પાર્ટીના ગુજરાત પ્રદેશના અધ્યક્ષ અને સંસદમાં મારા સાથીદાર શ્રી સી. આર પાટીલજી, ગુજરાત સરકારના મંત્રીમંડળના તમામ સભ્યો, સાંસદો, ધારાસભ્યો, અન્ય તમામ લોકો, પ્રતિનિધિઓ અને અલગ–અલગ સ્થળોએથી મોટી સંખ્યામાં એકત્ર થયેલા મારા ભાઈઓ અને બહેનો. આજે ઘોઘા અને હજીરાની વચ્ચે રો-પેક્સ સેવા શરૂ થવાથી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત, બંને વિસ્તારોના લોકોનું વર્ષોનું સપનું સાકાર થયું છે. વર્ષોની પ્રતિક્ષા પૂરી થઈ છે. હજીરામાં આજે નવા ટર્મિનલનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું છે. ભાવનગર અને સુરતની વચ્ચે સ્થાપિત થયેલા આ નવા સમુદ્રી સંપર્ક માટે હું આપ સૌને ખૂબ–ખૂબ અભિનંદન પાઠવું છું. અનેક અનેક શુભેચ્છાઓ પાઠવું છું.

|

સાથીઓ, આ સેવાના કારણે ઘોઘા અને હજીરા વચ્ચે હાલમાં સડક માર્ગે જે પોણા ચારસો કી.મી.નું અંતર છે તે સમુદ્ર માર્ગે માત્ર 90 કી.મી.નું થઈ જશે. આનો અર્થ એ થાય કે જે અંતર પાર કરવા માટે 10 થી 12 કલાકનો સમય લાગતો હતો તે અંતર હવે માત્ર 3 થી 4 કલાકમાં કાપી શકાશે. તેના કારણે સમય તો બચશે જ, પણ સાથે–સાથે તમારો ખર્ચ પણ ઓછો થશે. આ ઉપરાંત સડકો ઉપર જે ટ્રાફિક જામ થતો હતો તે ઓછો થશે, પ્રદુષણ ઓછુ કરવામાં પણ મદદ મળશે. જે રીતે અહીંયા હમણાં કહેવામાં આવ્યું તે રીતે એક વર્ષમાં આ આંકડા ખૂબ ઘણાં મોટા આંકડા છે. એક વર્ષમાં 80,000 પ્રવાસીઓ એટલે કે 80,000 પ્રવાસી ગાડીઓ, કાર, લગભગ 30,000 ટ્રક આ નવી સેવાનો લાભ લઈ શકશે. તમે વિચાર કરો કે કેટલા બધા પેટ્રોલ અને ડિઝલની બચત થવાની છે.

સાથીઓ, સૌથી મોટી વાત એ છે કે ગુજરાતના એક વેપારી મથકની સાથે સૌરાષ્ટ્રની આ કનેક્ટીવિટી જીવનના આ વિસ્તારમાં પરિવર્તન લાવવાની બની રહેશે. હવે સુરતના ખેડૂતો અને પશુપાલકોને ફળ, શાકભાજી અને દૂધ સુરત મોકલવામાં આસાની થશે. અગાઉ સડક માર્ગે શાકભાજી અને દૂધ જેવી ચીજો આટલો લાંબો સમય લાગતો હોવાના કારણે અને ટ્રકની અંદર ઉછળવાને કારણે ખાસ કરીને ફળ અને શાકભાજીને ઘણું નુકસાન થતું હતુ તે બધુ બંધ થઈ જશે. હવે સમુદ્ર માર્ગે પશુપાલક અને ખેડૂતોની ઉપજ વધુ ઝડપથી અને વધુ સુરક્ષિત રીતે બજાર સુધી પહોંચી શકશે. આ રીતે સુરત સાથે વેપાર ધંધો કરનારા સાથીઓ અને શ્રમિકો માટે આવવા તથા જવાનું પરિવહન પણ ખૂબ આસાન બનશે અને સસ્તુ પણ પડશે.

|

સાથીઓ, ગુજરાતમાં રો–પેક્સ ફેરી સેવા જેવી સુવિધાઓનો વિકાસ કરવામાં ઘણાં લોકોએ મહેનત કરી છે. આ કામ એટલી આસાનીથી થયું નથી. આ કામગીરીમાં અનેક મુસીબતો આવી છે. માર્ગમાં ઘણાં પડકારો નડ્યા છે. આ પ્રોજેકટ સાથે ઘણાં સમય પહેલાંથી હું તેની સાથે જોડાયેલો છું અને તેના કારણે મને તેની સમસ્યાઓ બાબતે ઘણી માહિતી છે. કેવી કેવી મુસીબતોમાંથી રસ્તો કાઢવો પડતો હતો, ક્યારેક તો એવું પણ લાગતું હતું કે આ કામ કરી શકીશું કે નહીં કરી શકાય. કારણ કે અમારા લોકો માટે તો આ નવો અનુભવ હતો. ગુજરાતમાં તો મેં અન્ય તમામ બાબતો જોઈ છે અને એટલા માટે આ યોજના અંગે જેમણે મહેનત કરી છે તે તમામ લોકો અભિનંદનને પાત્ર છે. આ તમામ ઈજનેરોનો, શ્રમિકોનો હું આજે વિશેષ આભાર વ્યક્ત કરૂં છું. આ લોકો જે હિંમત સાથે ટકી રહયા હતા અને આજે આ સપનું સાકાર કરીને બતાવ્યું છે. તેમનો આ પરિશ્રમ, તેમની આ હિંમત લાખો ગુજરાતીઓ માટે નવી સુવિધા લઈને આવી છે, નવી તક લઈને આવી છે.

સાથીઓ, ગુજરાત પાસે સમુદ્રી વેપાર વ્યવસાયનો એક સમૃધ્ધ વારસો પડેલો છે. હજુ હમણાં મનસુખભાઈ હજારો સેંકડો વર્ષોના વારસાની વાત કરી રહ્યા હતા કે કેવી રીતે આપણે સમુદ્રી વેપાર સાથે જોડાયેલા છીએ. ગુજરાતમાં જે રીતે વિતેલા બે દાયકા દરમિયાન તમે સમુદ્રી સામર્થ્યને સમજીને પોર્ટ ડેવલપમેન્ટને અગ્રતા આપી છે તે દરેક ગુજરાત માટે ગૌરવનો વિષય છે. આ ગાળા દરમિયાન ગુજરાતના સમુદ્ર કાંઠાના વિસ્તારોમાં માળખાગત સુવિધાઓ અને વિકાસની અન્ય યોજનાઓ તરફ પણ વિશેષ ધ્યાન આપવામા આવ્યું છે. રાજ્યમાં શીપ બિલ્ડીંગની પોલિસી બનાવવાની હોય કે શીપ બિલ્ડીંગ પાર્ક બનાવવાનો હોય અથવા તો વિશેષ ટર્મિનલનું નિર્માણ કરવાનું હોય, દરેક માળખાગત સુવિધાને અગ્રતા આપવામાં આવી છે. જે રીતે દહેજમાં સોલીડ કાર્ગો, કેમિકલ અને એલએનજી ટર્મિનલ તથા મુંદ્રામાં કોલસા માટે ટર્મિનલ. તેની સાથે–સાથે જહાજ ટ્રાફિક મેનેજમેન્ટ સિસ્ટમ અને નવતર પ્રકારની કનેક્ટીવિટીની યોજનાઓને પણ અમે સંપૂર્ણપણે પ્રોત્સાહન પૂરૂં પાડ્યું છે. આવા પ્રયાસોના કારણે ગુજરાતના પોર્ટ સેક્ટરને એક નવી દિશા પ્રાપ્ત થઈ છે.

|

સાથીઓ, માત્ર બંદરો ઉપર ભૌતિક માળખાગત સુવિધાઓનું નિર્માણ જ નહીં, પણ તે બંદરોની આસપાસ રહેનારા સાથીઓનું જીવન આસાન બની રહે તેના માટે પણ કામ કરવામાં આવ્યું છે. સાગરકાંઠાનું સમગ્ર વ્યવસ્થા તંત્ર આધુનિક હોય તે બાબત ઉપર પણ અમે ધ્યાન કેન્દ્રિત કર્યું છે. સાગર ખેડુ જેવી અમારી મિશન મોડ ધરાવતી યોજના હોય કે પછી શિપીંગ ઉદ્યોગમાં સ્થાનિક યુવાનોને રોજગારી આપવાની વાત હોય, ગુજરાતમાં બંદર આધારિત નિકાસનો વ્યાપ ઘણો મોટો રહ્યો છે. સરકારે સારગકાંઠા વિસ્તારોમાં દરેક પ્રકારની પાયાની સુવિધા મળી રહે તેની ખાત્રી રાખી છે.

સાથીઓ, આવા પ્રયાસોના પરિણામે ગુજરાત આજે, એક રીતે કહીએ તો ભારતના સમુદ્રી દ્વાર તરીકે સ્થાપિત થયું છે, ગેટવે બની રહ્યું છે. સમૃધ્ધિનો ગેટવે બન્યું છે. વિતેલા બે દાયકાની પરંપરાગત બંદર સંચાલનની પધ્ધતિમાંથી બહાર નિકળીને ઘનિષ્ટ અને એકીકૃત પધ્ધતિનું એક અનોખું મોડલ ગુજરાતમાં લાગુ કરવામાં આવ્યું છે. આ મોડલ આજે એક સીમાચિહ્ન તરીકે વિકાસ પામ્યું છે. આજે મુંદ્રા ભારતના સૌથી મોટા ભિન્ન ઉદ્દેશ ધરાવતું બંદર અને સિક્કા સૌથી બંદી બંદર છે અને તે આ પ્રયાસોનું પરિણામ છે. અને એટલે જ ગુજરાતના બંદરો દેશના મુખ્ય સમુદ્રી કેન્દ્રો તરીકે ઉભરી રહ્યા છે. ગયા વર્ષ દેશના કુલ દરિયાઈ વેપારથી 40 ટકા કરતાં વધુ હિસ્સેદારી ગુજરાતના બંદરોની રહી છે. આ બાબત કદાચ ગુજરાતના લોકોને પણ હું પહેલી વખત જણાવી રહ્યો છું.

|

સાથીઓ, આજે ગુજરાતમાં દરિયાઈ કારોબાર સાથે જોડાયેલી માળખાગત સુવિધાઓ અને ક્ષમતા નિર્માણ બાબતે ઝડપભેર કામ ચાલી રહ્યું છે. જે રીતે ગુજરાત મેરીટાઈમ ક્લસ્ટર, ગુજરાત સમુદ્રી વિશ્વ વિદ્યાલય, મેરીટાઈમ યુનિવર્સિટી, ભાવનગરમાં દુનિયાનું પ્રથમ સીએનજી ટર્મિનલ જેવી અનેક સુવિધાઓ ગુજરાતમાં તૈયાર થઈ રહી છે. ગિફ્ટ સીટીમાં આકાર પામનાર ગુજરાત મેરીટાઈમ ક્લસ્ટર બંદરોથી માંડીને સમુદ્ર આધારીત લોજીસ્ટીક્સને હલ કરનારૂં એક સમર્પિત તંત્ર બની રહેશે. એક રીતે કહીએ તો આ ક્લસ્ટર સરકાર, ઉદ્યોગ અને શૈક્ષણિક સંસ્થાઓ વચ્ચે સહયોગને ગતિ આપશે. તેના કારણે આ ક્ષેત્રમાં મૂલ્યવૃધ્ધિમાં પણ ઘણી મોટી મદદ થવાની છે.

સાથીઓ, વિતેલા વર્ષોમાં દહેજમાં ભારતનું પ્રથમ રાસાયણિક ટર્મિનલ બન્યું હતું. પહેલું એલએનજી ટર્મિનલ પણ સ્થપાયું હતું. હવે ભાવનગર બંદરે દુનિયાનું પહેલું સીએનજી ટર્મિનલ સ્થાપિત થવાની તૈયારીઓ ચાલી રહી છે. સીએનજી ટર્મિનલ સિવાય ભાવનગર બંદરે રો-રો ટર્મિનલ, લિક્વીડ કાર્ગો ટર્મિનલ અને કન્ટેનર ટર્મિનલ જેવી સુવિધાઓ પણ તૈયાર કરવામાં આવી રહી છે. આ નવા ટર્મિનલો સાથે જોડાવાથી ભાવનગર બંદરની ક્ષમતા અનેકગણી વધી જશે.

સાથીઓ, સરકારનો પ્રયાસ ઘોઘા અને દહેજ વચ્ચે પણ ફેરી સર્વિસને ઝડપથી શરૂ કરવાનો છે. આ પ્રોજેક્ટ સામે કુદરતના અનેક પડકારો સામે આવીને ઉભા છે અને તેને આધુનિક ટેકનોલોજીના માધ્યમથી દૂર કરવાના પ્રયાસો ચાલી રહ્યા છે. મને આશા છે કે ઘોઘા અને દહેજના લોકો ખૂબ જ ટૂંકા ગાળામાં આ સુવિધાનો લાભ ફરીથી લઈ શકશે.

સાથીઓ, દરિયાઈ વેપાર વ્યવસાય માટેના નિષ્ણાતો તૈયાર કરવાના હોય કે પછી તાલીમ પામેલ માનવબળ માટે ગુજરાતમાં મેરીટાઈમ યુનિવર્સિટી એક મોટું કેન્દ્ર છે. આ ક્ષેત્ર સાથે જોડાયેલી આવશ્યકતાઓ માટે વ્યવસાયી શિક્ષણ આપનારી દેશની આ પ્રથમ સંસ્થા બની રહેશે. આજે અહીંયા દરિયાઈ કાયદાઓ અને આંતરરાષ્ટ્રીય વેપારના કાયદા અંગે અભ્યાસથી માંડીન મેરીટાઈમ મેનેજમેન્ટ, શિપીંગ, લોજીસ્ટીક્સ. વગેરેમાં એમબીએ સુધીની અભ્યાસની સુવિધા ઉપલબ્ધ છે. આ યુનિવર્સિટી ઉપરાંત જેનો ઉલ્લેખ હમણાં મનસુખભાઈએ કર્યો હતો તે લોથલમાં દેશનું સમુદ્રી વારસાને દર્શાવનાર પ્રથમ રાષ્ટ્રીય મ્યુઝિયમ બનાવવાની દિશામાં કામ ચાલી રહ્યુ છે.

સાથીઓ, આજની રો–પેક્સ ફેરી સેવા હોય કે પછી થોડાંક દિવસ પહેલાં શરૂ કરવામાં આવેલી સી- પ્લેન જેવી સુવિધા હોય, તેના કારણે જળ આધારિત અર્થતંત્રને મોટી ગતિ પ્રાપ્ત થવાની છે. અને તમે જુઓ, જળ, સ્થળ અને નભ- ત્રણેય માટે ગુજરાત આ દિવસોમાં મોટી હરણફાળ ભરી રહ્યું છે. થોડાંક દિવસ પહેલાં મને ગિરનારમાં રોપવેનું લોકાર્પણ કરવાની તક પ્રાપ્ત થઈ હતી. તેના કારણે પ્રવાસન પ્રવૃત્તિને વેગ મળશે. યાત્રાળુઓની સુવિધામાં વધારો થશે અને આકાશ તરફ જવાનો એક નવો માર્ગ મળશે. ત્યાર પછી મને સી- પ્લેનની તક મળી. એક સ્થળેથી પાણીમાંથી ઉડવું અને બીજા સ્થળે જઈ પાણીમાં ઉતરવું. અને આજે સમુદ્રની અંદર પાણીના માધ્યમથી પ્રવાસ કરવાની એટલે કે એક સાથે કેટલા પ્રકારે ગતિ વધવાની છે તેનો તમે સારી રીતે અંદાજ લગાવી શકો તેમ છો.

સાથીઓ, જ્યારે સમુદ્રની વાત આવે છે, પાણીની વાત આવે છે ત્યારે તેનો વિસ્તાર, માછલી સાથે જોડાયેલા વેપાર વ્યવસાયથી માંડીને સી-વીડની ખેતીથી માંડીને જલ પરિવહન અને પ્રવાસનની તકો ઉભી થઈ રહી છે. વિતેલા વર્ષોમાં દેશમાં બ્લૂ ઈકોનોમીને સશક્ત બનાવવા માટે ગંભીર પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. પહેલાં દરિયાઈ અર્થતંત્રની વાત થતી હતી, આજે આપણે બ્લૂ ઈકોનોમીની પણ વાત કરી રહ્યા છીએ.

સાથીઓ, સાગરકાંઠાનું સમગ્ર વ્યવસ્થા તંત્ર અને માછીમાર સાથીદારોને મદદરૂપ થવા માટે વિતેલા વર્ષોમાં અનેક યોજનાઓ ઘડવામાં આવી છે. આધુનિક ટ્રોલર્સ માટે માછીમારોને આર્થિક મદદ આપવાની બાબત હોય કે પછી મોસમ અને સમુદ્ર અંગેની સાચી જાણકારી પૂરી પાડનારી નેવિગેશન સિસ્ટમ હોય, માછીમારોની સુરક્ષા અને સમૃધ્ધિ એ અમારી અગ્રતા રહી છે. હાલમાં જ માછલી સાથે જોડાયેલા વેપારને વેગ આપવા માટે પ્રધાન મંત્રી મત્સ્ય સંપદા યોજના પણ શરૂ કરવામાં આવી છે. આ યોજના હેઠળ આગામી વર્ષોમાં માછીમારી સાથે જોડાયેલી માળખાગત સુવિધાઓ માટે રૂ.20,000 કરોડનો ખર્ચ કરવામાં આવશે અને તેનો ખૂબ મોટો લાભ ગુજરાતના લાખો માછીમાર પરિવારોને થશે. દેશની બ્લૂ ઈકોનોમીને પણ તેનો લાભ મળશે.

સાથીઓ, આજે સમગ્ર દેશમાં સમુદ્રી સરહદો ઉપર બંદરોની ક્ષમતા પણ વધારવામાં આવી રહી છે અને નવા બંદરોના નિર્માણની કામગીરી પણ ઝડપભેર ચાલી રહી છે. દેશ પાસે આશરે 21,000 કી.મી.નો જે જળમાર્ગ છે તેને દેશના વિકાસમાં કેવી રીતે વધુને વધુ ઉપયોગમાં લઈ શકાય તેના માટે પ્રયાસો ચાલી રહ્યા છે. સાગરમાલા પ્રોજેક્ટ હેઠળ આજે સમગ્ર દેશમાં 500 થી વધુ યોજનાઓ પર કામ ચાલી રહ્યું છે. લાખો- કરોડોની યોજનાઓમાંથી અનેક યોજનાઓ પૂર્ણ પણ થઈ ચૂકી છે.

સાથીઓ, સમુદ્રી જળમાર્ગ હોય કે પછી નદી જળમાર્ગ. ભારત પાસે સાધનો છે અને નિપુણતાની પણ કોઈ અછત નથી. એ બાબત પણ નિશ્ચિત છે કે જળમાર્ગે થનારૂં પરિવહન સડક અને રેલવે માર્ગે થનારા પરિવહન કરતાં અનેકગણું સસ્તુ પડવાનું છે અને તેના કારણે પર્યાવરણને પણ ઓછામાં ઓછુ નુકસાન થશે. આમ છતાં પણ આ દિશામાં એક સમગ્રલક્ષી અભિગમ અપનાવીને વર્ષ 2014 પછી જ કામ થઈ શક્યું છે. આ નદીઓ અને આ સમુદ્ર મોદી પ્રધાન મંત્રી બન્યા તે પછી આવ્યા નથી, પરંતુ અગાઉ તે માટેની દ્રષ્ટિ ન હતી, જેનો આજે લોકો અનુભવ કરી રહ્યા છે. આજે સમગ્ર દેશમાં નદીઓમાં જે આંતરિક જળમાર્ગો અંગે કામ ચાલી રહ્યું છે તેના કારણે ચારે તરફ જમીન સાથે જોડાયેલા રાજ્યોને પણ દરિયા સાથે જોડવાના પ્રયાસો થઈ રહ્યા છે. આજે બંગાળની ખાડીમાં, હિંદ મહાસાગરમાં આપણી ક્ષમતાઓને આપણે અભૂતપૂર્વ સ્વરૂપે વિકસાવી રહ્યા છીએ. દેશનો સમુદ્રી હિસ્સો આત્મનિર્ભર ભારતનો એક મહત્વનો હિસ્સો બનીને ઉભરી આવે તે માટે નિરંતર કામ ચાલી રહ્યું છે. સરકારના આ પ્રયાસોને વેગ આપવા માટે એક મોટું કદમ ઉઠાવવામાં આવી રહ્યું છે. હવે વહાણવટા મંત્રાલયનું પણ નામ બદલવામાં આવી રહ્યું છે. હવે આ મંત્રાલયને પોર્ટસ, શિપીંગ અને જળમાર્ગ મંત્રાલયના નામથી ઓળખવામાં આવશે. આ મંત્રાલયનું વિસ્તરણ કરવામાં આવી રહ્યું છે. વિકસીત અર્થ વ્યવસ્થાઓમાં મહદ્દ અંશે શિપીંગ મંત્રાલય જ બંદર અને જળ માર્ગોની જવાબદારી સંભાળતું હોય છે. ભારતમાં પણ શિપીંગ મંત્રાલય બંદરો અને જળ માર્ગો સાથે જોડાયેલા અનેક કામ કરતું રહ્યું છે. હવે આ નામમાં વધુ સ્પષ્ટતા થવાને કારણે કામમાં પણ વધુ સ્પષ્ટતા આવશે.

સાથીઓ, આત્મનિર્ભર ભારતમાં બ્લૂ ઈકોનોમીની હિસ્સેદારીને મજબૂત બનાવવા માટે સમુદ્ર સાથે જોડાયેલા લોજીસ્ટીક્સને પણ મજબૂત કરવાનું ખૂબ જ આવશ્યક બની રહે છે. આ એટલા માટે જરૂરી છે, કારણ કે આપણી અર્થ વ્યવસ્થા ઉપર લોજીસ્ટીક્સ માટે થનારા ખર્ચની અસર ઘણી મોટી છે. આનો અર્થ એ થાય કે આપણા દેશમાં જે સામાન દેશના એક ખૂણેથી બીજા વિસ્તારમાં લઈ જવા માટે બીજા દેશોની તુલનામાં આજે પણ વધુ ખર્ચ કરવામાં આવી રહ્યો છે. જળ પરિવહનના માધ્યમથી લોજીસ્ટીક્સનો ખર્ચ ખૂબ જ નીચે લાવવા માટેની કામગીરી થઈ શકે છે અને એટલા માટે અમારૂં ધ્યાન એક એવું વ્યવસ્થા તંત્ર ઉભુ કરવા ઉપર છે કે જેમાં કાર્ગોની અપાર હેરફેરની ખાત્રી થઈ શકે. આજે એક બહેતર માળખાગત સુવિધાઓની સાથે સાથે બહેતર મેરીટાઈમ લોજીસ્ટીક્સ માટે એક સિંગલ વિન્ડો સિસ્ટમ ઉપર પણ આપણે કામ કરવાની દિશામાં આગળ વધી રહ્યા છીએ અને તે માટેની તૈયારીઓ પણ ચાલી રહી છે.

સાથીઓ, લોજીસ્ટીક્સ ઉપર થનારા ખર્ચને ઓછો કરવા માટે દેશમાં મલ્ટી-મોડલ કનેક્ટીવિટીની દિશામાં પણ એક ખૂબ જ સમગ્રલક્ષી દ્રષ્ટિકોણની સાથે આપણે આગળ વધી રહ્યા છીએ. આપણો પ્રયાસએ રહ્યો છે કે રોડ, રેલવે, એર અને શિપીંગ જેવી માળખાગત સુવિધાઓ બાબતે એક બીજા સાથે કનેક્ટીવિટી પણ બહેતર હોય અને એ માટે જે અવરોધો નડી રહ્યા છે તેને પણ દૂર કરવામાં આવશે. દેશમાં મલ્ટી મોડલ લોજીસ્ટીક્સ પાર્કસનું નિર્માણ પણ કરવામાં આવી રહ્યું છે અને માત્ર દેશની અંદર જ નહીં, પરંતુ આપણાં પડોશી દેશોની સાથે મલ્ટી મોડલ કનેક્ટીવિટીના વિકાસ માટે સાથે મળીને કામ કરવામાં આવી રહ્યું છે. મને વિશ્વાસ છે કે આ તમામ પ્રયાસોથી આપણાં લોજીસ્ટીક્સ ખર્ચને નિયંત્રિત કરવા માટે જે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે તે પ્રયાસોને કારણે અર્થવ્યવસ્થાને એક નવી ગતિ પ્રાપ્ત થશે.

સાથીઓ, તહેવારોના આ સમયમાં ખરીદી પણ ખૂબ થઈ રહી છે. આ ખરીદીના સમયે હું સુરતના લોકોને થોડોક આગ્રહ કરીશ કે તેમના માટે તો દુનિયામાં આવવા- જવાનું ખૂબ જ રૂટિન રહ્યું છે. આવી ખરીદીના સમયે હું તેમને વોકલ ફોર લોકલ એટલે કે વોકલ ફોર લોકલનો મંત્ર નહીં ભૂલવા આગ્રહ કરૂં છું. વોકલ ફોર લોકલ અને મેં જોયું છે કે લોકોને લાગે છે કે આપણાં દીવડા ખરીદી લીધા અને તેનો અર્થ એ કે આપણે આત્મનિર્ભર થઈ ગયા, જી નહીં, દરેક બાબતમાં ધ્યાન આપવાનું છે, નહીં તો આજકાલના દિવસોમાં માત્ર દીવા જ નહીં, અરે ભાઈ આપણે ભારતના દીવા ખરીદીશું તો તે ઘણી સારી બાબત છે. પરંતુ તમે જાતે જોશો તો જણાશે કે આપણાં શરીર ઉપર, આપણાં ઘરમાં કેટલી બધી ચીજો બહારની હોય છે કે જેને આપણાં દેશના લોકો પણ બનાવી રહ્યા છે. આપણાં દેશના નાના લોકો તેને બનાવે છે. આપણે તેમને શા માટે તક નહીં આપવી જોઈએ. દેશને આગળ વધારવાનો છે. દોસ્તો તેના માટે આપણે આ નાના લોકોને, નાના વેપારીઓને, નાના કારીગરોને, નાના કલાકારોને,ગામડાંની આપણી બહેનોને તે જે ચીજો બનાવે છે, અનેક પ્રકારની ચીજો બનાવે છે તેને એક વખત હાથમાં લઈને જુઓ અને દુનિયાને બતાવો કે તે આપણાં ગામના લોકોએ બનાવેલી ચીજો છે, આપણાં જીલ્લાના લોકોએ બનાવેલી ચીજો છે. આપણાં દેશના લોકોએ તેને બનાવી છે. જુઓ, તમારી છાતી પણ ગર્વથી ફૂલાઈ જશે. દિવાળી મનાવવાની મજામાં વધારો થશે અને એટલા જ માટે, વોકલ ફોર લોકલ માટે, આપણે કોઈ સમાધાન કરીશું નહીં.

દેશ આઝાદીના 75 વર્ષની ઉજવણી કરવાનો છે ત્યાં સુધી આ મંત્રને આપણાં જીવનનો મંત્ર માનવામાં આવે. આપણાં પરિવારનો મંત્ર બની જાય. આપણાં ઘરની દરેક વ્યક્તિના મનમાં એવો ભાવ પેદા થાય તે બાબતે આપણે આગ્રહ રાખવો જોઈએ. અને એટલા માટે જ આ દિવાળી, વોકલ ફોર લોકલનો એક ટર્નિંગ પોઈન્ટ બનવો જોઈએ. હું મારા ગુજરાતના ભાઈ-બહેનો પાસે અધિકારપૂર્વક આ માંગણી કરી શકું છું. અને મને ખાત્રી છે કે તમે મને ક્યારેય નિરાશ નહીં કરો. હમણાં જ નંદલાલજીએ એક વાત કરી હશે અને લોકોએ તેને સાંભળી પણ હશે અને તેને આજથી લાગુ કરવામાં આવી છે. તમે બધાં મારા માટે નંદલાલ છો, આવો મહેનત કરો અને મારા દેશના ગરીબો માટે કશુંક કામ કરો. દિવાળી મનાવો અને તેમના ઘરમાં પણ દિવાળી મનાવાય તેવું વાતાવરણ ઉભુ કરો. દીવો પ્રગટાવો અને ગરીબના ઘરમાં પણ દીવો પ્રગટે, વોકલ ફોર લોકલનો મંત્ર તે રીતે આગળ ધપાવો. મને વિશ્વાસ છે કે કોરોનાના આ સમયમાં આપ સૌ સંપૂર્ણ સાવધાની સાથે તહેવારો ઉજવશો, કારણ કે તમારૂં રક્ષણ એ દેશનું રક્ષણ છે. મારા વ્હાલા ભાઈઓ અને બહેનો, સમગ્ર દેશના ભાઈ બહેનોને હું આવનારા દિવસોમાં ધનતેરસ હોય, દિવાળી હોય, ગુજરાત માટે નવુ વર્ષ પણ આવશે. દરેક બાબત માટે, દરેક તહેવાર માટે હું તમને ખૂબ–ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું.

ખૂબ ખૂબ ધન્યવાદ !

  • krishangopal sharma Bjp January 14, 2025

    नमो नमो 🙏 जय भाजपा 🙏🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹
  • krishangopal sharma Bjp January 14, 2025

    नमो नमो 🙏 जय भाजपा 🙏🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌹
  • krishangopal sharma Bjp January 14, 2025

    नमो नमो 🙏 जय भाजपा 🙏🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌹🌷
  • शिवकुमार गुप्ता March 12, 2022

    जय भारत
  • शिवकुमार गुप्ता March 12, 2022

    जय हिंद
  • शिवकुमार गुप्ता March 12, 2022

    जय श्री सीताराम
  • शिवकुमार गुप्ता March 12, 2022

    जय श्री राम
Explore More
78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ
Namo Drone Didi, Kisan Drones & More: How India Is Changing The Agri-Tech Game

Media Coverage

Namo Drone Didi, Kisan Drones & More: How India Is Changing The Agri-Tech Game
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
In future leadership, SOUL's objective should be to instill both the Steel and Spirit in every sector to build Viksit Bharat: PM
February 21, 2025
QuoteThe School of Ultimate Leadership (SOUL) will shape leaders who excel nationally and globally: PM
QuoteToday, India is emerging as a global powerhouse: PM
QuoteLeaders must set trends: PM
QuoteIn future leadership, SOUL's objective should be to instill both the Steel and Spirit in every sector to build Viksit Bharat: PM
QuoteIndia needs leaders who can develop new institutions of global excellence: PM
QuoteThe bond forged by a shared purpose is stronger than blood: PM

His Excellency,

भूटान के प्रधानमंत्री, मेरे Brother दाशो शेरिंग तोबगे जी, सोल बोर्ड के चेयरमैन सुधीर मेहता, वाइस चेयरमैन हंसमुख अढ़िया, उद्योग जगत के दिग्गज, जो अपने जीवन में, अपने-अपने क्षेत्र में लीडरशिप देने में सफल रहे हैं, ऐसे अनेक महानुभावों को मैं यहां देख रहा हूं, और भविष्य जिनका इंतजार कर रहा है, ऐसे मेरे युवा साथियों को भी यहां देख रहा हूं।

साथियों,

कुछ आयोजन ऐसे होते हैं, जो हृदय के बहुत करीब होते हैं, और आज का ये कार्यक्रम भी ऐसा ही है। नेशन बिल्डिंग के लिए, बेहतर सिटिजन्स का डेवलपमेंट ज़रूरी है। व्यक्ति निर्माण से राष्ट्र निर्माण, जन से जगत, जन से जग, ये किसी भी ऊंचाई को प्राप्त करना है, विशालता को पाना है, तो आरंभ जन से ही शुरू होता है। हर क्षेत्र में बेहतरीन लीडर्स का डेवलपमेंट बहुत जरूरी है, और समय की मांग है। और इसलिए The School of Ultimate Leadership की स्थापना, विकसित भारत की विकास यात्रा में एक बहुत महत्वपूर्ण और बहुत बड़ा कदम है। इस संस्थान के नाम में ही ‘सोल’ है, ऐसा नहीं है, ये भारत की सोशल लाइफ की soul बनने वाला है, और हम लोग जिससे भली-भांति परिचित हैं, बार-बार सुनने को मिलता है- आत्मा, अगर इस सोल को उस भाव से देखें, तो ये आत्मा की अनुभूति कराता है। मैं इस मिशन से जुड़े सभी साथियों का, इस संस्थान से जुड़े सभी महानुभावों का हृदय से बहुत-बहुत अभिनंदन करता हूं। बहुत जल्द ही गिफ्ट सिटी के पास The School of Ultimate Leadership का एक विशाल कैंपस भी बनकर तैयार होने वाला है। और अभी जब मैं आपके बीच आ रहा था, तो चेयरमैन श्री ने मुझे उसका पूरा मॉडल दिखाया, प्लान दिखाया, वाकई मुझे लगता है कि आर्किटेक्चर की दृष्टि से भी ये लीडरशिप लेगा।

|

साथियों,

आज जब The School of Ultimate Leadership- सोल, अपने सफर का पहला बड़ा कदम उठा रहा है, तब आपको ये याद रखना है कि आपकी दिशा क्या है, आपका लक्ष्य क्या है? स्वामी विवेकानंद ने कहा था- “Give me a hundred energetic young men and women and I shall transform India.” स्वामी विवेकानंद जी, भारत को गुलामी से बाहर निकालकर भारत को ट्रांसफॉर्म करना चाहते थे। और उनका विश्वास था कि अगर 100 लीडर्स उनके पास हों, तो वो भारत को आज़ाद ही नहीं बल्कि दुनिया का नंबर वन देश बना सकते हैं। इसी इच्छा-शक्ति के साथ, इसी मंत्र को लेकर हम सबको और विशेषकर आपको आगे बढ़ना है। आज हर भारतीय 21वीं सदी के विकसित भारत के लिए दिन-रात काम कर रहा है। ऐसे में 140 करोड़ के देश में भी हर सेक्टर में, हर वर्टिकल में, जीवन के हर पहलू में, हमें उत्तम से उत्तम लीडरशिप की जरूरत है। सिर्फ पॉलीटिकल लीडरशिप नहीं, जीवन के हर क्षेत्र में School of Ultimate Leadership के पास भी 21st सेंचुरी की लीडरशिप तैयार करने का बहुत बड़ा स्कोप है। मुझे विश्वास है, School of Ultimate Leadership से ऐसे लीडर निकलेंगे, जो देश ही नहीं बल्कि दुनिया की संस्थाओं में, हर क्षेत्र में अपना परचम लहराएंगे। और हो सकता है, यहां से ट्रेनिंग लेकर निकला कोई युवा, शायद पॉलिटिक्स में नया मुकाम हासिल करे।

साथियों,

कोई भी देश जब तरक्की करता है, तो नेचुरल रिसोर्सेज की अपनी भूमिका होती ही है, लेकिन उससे भी ज्यादा ह्यूमेन रिसोर्स की बहुत बड़ी भूमिका है। मुझे याद है, जब महाराष्ट्र और गुजरात के अलग होने का आंदोलन चल रहा था, तब तो हम बहुत बच्चे थे, लेकिन उस समय एक चर्चा ये भी होती थी, कि गुजरात अलग होकर के क्या करेगा? उसके पास कोई प्राकृतिक संसाधन नहीं है, कोई खदान नहीं है, ना कोयला है, कुछ नहीं है, ये करेगा क्या? पानी भी नहीं है, रेगिस्तान है और उधर पाकिस्तान है, ये करेगा क्या? और ज्यादा से ज्यादा इन गुजरात वालों के पास नमक है, और है क्या? लेकिन लीडरशिप की ताकत देखिए, आज वही गुजरात सब कुछ है। वहां के जन सामान्य में ये जो सामर्थ्य था, रोते नहीं बैठें, कि ये नहीं है, वो नहीं है, ढ़िकना नहीं, फलाना नहीं, अरे जो है सो वो। गुजरात में डायमंड की एक भी खदान नहीं है, लेकिन दुनिया में 10 में से 9 डायमंड वो है, जो किसी न किसी गुजराती का हाथ लगा हुआ होता है। मेरे कहने का तात्पर्य ये है कि सिर्फ संसाधन ही नहीं, सबसे बड़ा सामर्थ्य होता है- ह्यूमन रिसोर्स में, मानवीय सामर्थ्य में, जनशक्ति में और जिसको आपकी भाषा में लीडरशिप कहा जाता है।

21st सेंचुरी में तो ऐसे रिसोर्स की ज़रूरत है, जो इनोवेशन को लीड कर सकें, जो स्किल को चैनेलाइज कर सकें। आज हम देखते हैं कि हर क्षेत्र में स्किल का कितना बड़ा महत्व है। इसलिए जो लीडरशिप डेवलपमेंट का क्षेत्र है, उसे भी नई स्किल्स चाहिए। हमें बहुत साइंटिफिक तरीके से लीडरशिप डेवलपमेंट के इस काम को तेज गति से आगे बढ़ाना है। इस दिशा में सोल की, आपके संस्थान की बहुत बड़ी भूमिका है। मुझे ये जानकर अच्छा लगा कि आपने इसके लिए काम भी शुरु कर दिया है। विधिवत भले आज आपका ये पहला कार्यक्रम दिखता हो, मुझे बताया गया कि नेशनल एजुकेशन पॉलिसी के effective implementation के लिए, State Education Secretaries, State Project Directors और अन्य अधिकारियों के लिए वर्क-शॉप्स हुई हैं। गुजरात के चीफ मिनिस्टर ऑफिस के स्टाफ में लीडरशिप डेवलपमेंट के लिए चिंतन शिविर लगाया गया है। और मैं कह सकता हूं, ये तो अभी शुरुआत है। अभी तो सोल को दुनिया का सबसे बेहतरीन लीडरशिप डेवलपमेंट संस्थान बनते देखना है। और इसके लिए परिश्रम करके दिखाना भी है।

साथियों,

आज भारत एक ग्लोबल पावर हाउस के रूप में Emerge हो रहा है। ये Momentum, ये Speed और तेज हो, हर क्षेत्र में हो, इसके लिए हमें वर्ल्ड क्लास लीडर्स की, इंटरनेशनल लीडरशिप की जरूरत है। SOUL जैसे Leadership Institutions, इसमें Game Changer साबित हो सकते हैं। ऐसे International Institutions हमारी Choice ही नहीं, हमारी Necessity हैं। आज भारत को हर सेक्टर में Energetic Leaders की भी जरूरत है, जो Global Complexities का, Global Needs का Solution ढूंढ पाएं। जो Problems को Solve करते समय, देश के Interest को Global Stage पर सबसे आगे रखें। जिनकी अप्रोच ग्लोबल हो, लेकिन सोच का एक महत्वपूर्ण हिस्सा Local भी हो। हमें ऐसे Individuals तैयार करने होंगे, जो Indian Mind के साथ, International Mind-set को समझते हुए आगे बढ़ें। जो Strategic Decision Making, Crisis Management और Futuristic Thinking के लिए हर पल तैयार हों। अगर हमें International Markets में, Global Institutions में Compete करना है, तो हमें ऐसे Leaders चाहिए जो International Business Dynamics की समझ रखते हों। SOUL का काम यही है, आपकी स्केल बड़ी है, स्कोप बड़ा है, और आपसे उम्मीद भी उतनी ही ज्यादा हैं।

|

साथियों,

आप सभी को एक बात हमेशा- हमेशा उपयोगी होगी, आने वाले समय में Leadership सिर्फ Power तक सीमित नहीं होगी। Leadership के Roles में वही होगा, जिसमें Innovation और Impact की Capabilities हों। देश के Individuals को इस Need के हिसाब से Emerge होना पड़ेगा। SOUL इन Individuals में Critical Thinking, Risk Taking और Solution Driven Mindset develop करने वाला Institution होगा। आने वाले समय में, इस संस्थान से ऐसे लीडर्स निकलेंगे, जो Disruptive Changes के बीच काम करने को तैयार होंगे।

साथियों,

हमें ऐसे लीडर्स बनाने होंगे, जो ट्रेंड बनाने में नहीं, ट्रेंड सेट करने के लिए काम करने वाले हों। आने वाले समय में जब हम Diplomacy से Tech Innovation तक, एक नई लीडरशिप को आगे बढ़ाएंगे। तो इन सारे Sectors में भारत का Influence और impact, दोनों कई गुणा बढ़ेंगे। यानि एक तरह से भारत का पूरा विजन, पूरा फ्यूचर एक Strong Leadership Generation पर निर्भर होगा। इसलिए हमें Global Thinking और Local Upbringing के साथ आगे बढ़ना है। हमारी Governance को, हमारी Policy Making को हमने World Class बनाना होगा। ये तभी हो पाएगा, जब हमारे Policy Makers, Bureaucrats, Entrepreneurs, अपनी पॉलिसीज़ को Global Best Practices के साथ जोड़कर Frame कर पाएंगे। और इसमें सोल जैसे संस्थान की बहुत बड़ी भूमिका होगी।

साथियों,

मैंने पहले भी कहा कि अगर हमें विकसित भारत बनाना है, तो हमें हर क्षेत्र में तेज गति से आगे बढ़ना होगा। हमारे यहां शास्त्रों में कहा गया है-

यत् यत् आचरति श्रेष्ठः, तत् तत् एव इतरः जनः।।

यानि श्रेष्ठ मनुष्य जैसा आचरण करता है, सामान्य लोग उसे ही फॉलो करते हैं। इसलिए, ऐसी लीडरशिप ज़रूरी है, जो हर aspect में वैसी हो, जो भारत के नेशनल विजन को रिफ्लेक्ट करे, उसके हिसाब से conduct करे। फ्यूचर लीडरशिप में, विकसित भारत के निर्माण के लिए ज़रूरी स्टील और ज़रूरी स्पिरिट, दोनों पैदा करना है, SOUL का उद्देश्य वही होना चाहिए। उसके बाद जरूरी change और रिफॉर्म अपने आप आते रहेंगे।

|

साथियों,

ये स्टील और स्पिरिट, हमें पब्लिक पॉलिसी और सोशल सेक्टर्स में भी पैदा करनी है। हमें Deep-Tech, Space, Biotech, Renewable Energy जैसे अनेक Emerging Sectors के लिए लीडरशिप तैयार करनी है। Sports, Agriculture, Manufacturing और Social Service जैसे Conventional Sectors के लिए भी नेतृत्व बनाना है। हमें हर सेक्टर्स में excellence को aspire ही नहीं, अचीव भी करना है। इसलिए, भारत को ऐसे लीडर्स की जरूरत होगी, जो Global Excellence के नए Institutions को डेवलप करें। हमारा इतिहास तो ऐसे Institutions की Glorious Stories से भरा पड़ा है। हमें उस Spirit को revive करना है और ये मुश्किल भी नहीं है। दुनिया में ऐसे अनेक देशों के उदाहरण हैं, जिन्होंने ये करके दिखाया है। मैं समझता हूं, यहां इस हॉल में बैठे साथी और बाहर जो हमें सुन रहे हैं, देख रहे हैं, ऐसे लाखों-लाख साथी हैं, सब के सब सामर्थ्यवान हैं। ये इंस्टीट्यूट, आपके सपनों, आपके विजन की भी प्रयोगशाला होनी चाहिए। ताकि आज से 25-50 साल बाद की पीढ़ी आपको गर्व के साथ याद करें। आप आज जो ये नींव रख रहे हैं, उसका गौरवगान कर सके।

साथियों,

एक institute के रूप में आपके सामने करोड़ों भारतीयों का संकल्प और सपना, दोनों एकदम स्पष्ट होना चाहिए। आपके सामने वो सेक्टर्स और फैक्टर्स भी स्पष्ट होने चाहिए, जो हमारे लिए चैलेंज भी हैं और opportunity भी हैं। जब हम एक लक्ष्य के साथ आगे बढ़ते हैं, मिलकर प्रयास करते हैं, तो नतीजे भी अद्भुत मिलते हैं। The bond forged by a shared purpose is stronger than blood. ये माइंड्स को unite करता है, ये passion को fuel करता है और ये समय की कसौटी पर खरा उतरता है। जब Common goal बड़ा होता है, जब आपका purpose बड़ा होता है, ऐसे में leadership भी विकसित होती है, Team spirit भी विकसित होती है, लोग खुद को अपने Goals के लिए dedicate कर देते हैं। जब Common goal होता है, एक shared purpose होता है, तो हर individual की best capacity भी बाहर आती है। और इतना ही नहीं, वो बड़े संकल्प के अनुसार अपनी capabilities बढ़ाता भी है। और इस process में एक लीडर डेवलप होता है। उसमें जो क्षमता नहीं है, उसे वो acquire करने की कोशिश करता है, ताकि औऱ ऊपर पहुंच सकें।

साथियों,

जब shared purpose होता है तो team spirit की अभूतपूर्व भावना हमें गाइड करती है। जब सारे लोग एक shared purpose के co-traveller के तौर पर एक साथ चलते हैं, तो एक bonding विकसित होती है। ये team building का प्रोसेस भी leadership को जन्म देता है। हमारी आज़ादी की लड़ाई से बेहतर Shared purpose का क्या उदाहरण हो सकता है? हमारे freedom struggle से सिर्फ पॉलिटिक्स ही नहीं, दूसरे सेक्टर्स में भी लीडर्स बने। आज हमें आज़ादी के आंदोलन के उसी भाव को वापस जीना है। उसी से प्रेरणा लेते हुए, आगे बढ़ना है।

साथियों,

संस्कृत में एक बहुत ही सुंदर सुभाषित है:

अमन्त्रं अक्षरं नास्ति, नास्ति मूलं अनौषधम्। अयोग्यः पुरुषो नास्ति, योजकाः तत्र दुर्लभः।।

यानि ऐसा कोई शब्द नहीं, जिसमें मंत्र ना बन सके। ऐसी कोई जड़ी-बूटी नहीं, जिससे औषधि ना बन सके। कोई भी ऐसा व्यक्ति नहीं, जो अयोग्य हो। लेकिन सभी को जरूरत सिर्फ ऐसे योजनाकार की है, जो उनका सही जगह इस्तेमाल करे, उन्हें सही दिशा दे। SOUL का रोल भी उस योजनाकार का ही है। आपको भी शब्दों को मंत्र में बदलना है, जड़ी-बूटी को औषधि में बदलना है। यहां भी कई लीडर्स बैठे हैं। आपने लीडरशिप के ये गुर सीखे हैं, तराशे हैं। मैंने कहीं पढ़ा था- If you develop yourself, you can experience personal success. If you develop a team, your organization can experience growth. If you develop leaders, your organization can achieve explosive growth. इन तीन वाक्यों से हमें हमेशा याद रहेगा कि हमें करना क्या है, हमें contribute करना है।

|

साथियों,

आज देश में एक नई सामाजिक व्यवस्था बन रही है, जिसको वो युवा पीढी गढ़ रही है, जो 21वीं सदी में पैदा हुई है, जो बीते दशक में पैदा हुई है। ये सही मायने में विकसित भारत की पहली पीढ़ी होने जा रही है, अमृत पीढ़ी होने जा रही है। मुझे विश्वास है कि ये नया संस्थान, ऐसी इस अमृत पीढ़ी की लीडरशिप तैयार करने में एक बहुत ही महत्वपूर्ण भूमिका निभाएगा। एक बार फिर से आप सभी को मैं बहुत-बहुत शुभकामनाएं देता हूं।

भूटान के राजा का आज जन्मदिन होना, और हमारे यहां यह अवसर होना, ये अपने आप में बहुत ही सुखद संयोग है। और भूटान के प्रधानमंत्री जी का इतने महत्वपूर्ण दिवस में यहां आना और भूटान के राजा का उनको यहां भेजने में बहुत बड़ा रोल है, तो मैं उनका भी हृदय से बहुत-बहुत आभार व्यक्त करता हूं।

|

साथियों,

ये दो दिन, अगर मेरे पास समय होता तो मैं ये दो दिन यहीं रह जाता, क्योंकि मैं कुछ समय पहले विकसित भारत का एक कार्यक्रम था आप में से कई नौजवान थे उसमें, तो लगभग पूरा दिन यहां रहा था, सबसे मिला, गप्पे मार रहा था, मुझे बहुत कुछ सीखने को मिला, बहुत कुछ जानने को मिला, और आज तो मेरा सौभाग्य है, मैं देख रहा हूं कि फर्स्ट रो में सारे लीडर्स वो बैठे हैं जो अपने जीवन में सफलता की नई-नई ऊंचाइयां प्राप्त कर चुके हैं। ये आपके लिए बड़ा अवसर है, इन सबके साथ मिलना, बैठना, बातें करना। मुझे ये सौभाग्य नहीं मिलता है, क्योंकि मुझे जब ये मिलते हैं तब वो कुछ ना कुछ काम लेकर आते हैं। लेकिन आपको उनके अनुभवों से बहुत कुछ सीखने को मिलेगा, जानने को मिलेगा। ये स्वयं में, अपने-अपने क्षेत्र में, बड़े अचीवर्स हैं। और उन्होंने इतना समय आप लोगों के लिए दिया है, इसी में मन लगता है कि इस सोल नाम की इंस्टीट्यूशन का मैं एक बहुत उज्ज्वल भविष्य देख रहा हूं, जब ऐसे सफल लोग बीज बोते हैं तो वो वट वृक्ष भी सफलता की नई ऊंचाइयों को प्राप्त करने वाले लीडर्स को पैदा करके रहेगा, ये पूरे विश्वास के साथ मैं फिर एक बार इस समय देने वाले, सामर्थ्य बढ़ाने वाले, शक्ति देने वाले हर किसी का आभार व्यक्त करते हुए, मेरे नौजवानों के लिए मेरे बहुत सपने हैं, मेरी बहुत उम्मीदें हैं और मैं हर पल, मैं मेरे देश के नौजवानों के लिए कुछ ना कुछ करता रहूं, ये भाव मेरे भीतर हमेशा पड़ा रहता है, मौका ढूंढता रहता हूँ और आज फिर एक बार वो अवसर मिला है, मेरी तरफ से नौजवानों को बहुत-बहुत शुभकामनाएं।

बहुत-बहुत धन्यवाद।