Quoteઆયુષ્યમાન ભારત નવા ભારતનું એક ક્રાંતિકારી પગલું છે
Quoteઆયુષ્યમાન ભારત દેશના 130 લોકોના સમર્પણ અને તાકાતનું પ્રતિક છે : પ્રધાનમંત્રી મોદી
Quoteઆયુષ્યમાન ભારત તંદુરસ્ત ભારત માટે એક સમગ્રલક્ષી ઉકેલ છે : પ્રધાનમંત્રી

મંચ પર ઉપસ્થિત મંત્રી પરિષદના મારા સાથી ડૉક્ટર હર્ષવર્ધનજી, અશ્વિનીકુમાર ચૌબેજી, જુદા-જુદા રાજ્યોમાંથી આવેલા અને અન્ય સંસ્થાનોમાંથી આવેલા પ્રતિનિધિગણ, આયુષ્માન ભારતની સાથે જોડાયેલ તમામ સાથીઓ, તેમજ અહિં આવેલા સૌ લાભાર્થીઓ.

ભાઈઓ અને બહેનો, આજે ત્રીજી નવરાત્રી છે. આજે માઁના ચંદ્રઘંટા સ્વરૂપની પૂજા કરવામાં આવે છે. માન્યતા છે કે દસ ભુજાઓવાળી દેવી ચંદ્રઘંટા ચંદ્રમાઁની શીતળતા અને સૌમ્યતા લઈને સંપૂર્ણ જગતની પીડાનો નાશ કરે છે. ભારતના 50 કરોડથી વધુ ગરીબોની પીડાને હરનારી આયુષ્માન ભારત યોજનાના પહેલા વર્ષ પર ચર્ચાનો આનાથી વધુ સારો સંયોગ વળી બીજો કયો હોઈ શકે છે.

સાથીઓ, આયુષ્માન ભારતનું આ પહેલું વર્ષ સંકલ્પનું રહ્યું છે, સમર્પણનું રહ્યું છે, શિક્ષાનું રહ્યું છે. આ ભારતની સંકલ્પ શક્તિ જ છે કે દુનિયાની સૌથી મોટી આરોગ્ય કાળજી યોજના આપણે ભારતમાં સફળતાપૂર્વક ચલાવી રહ્યા છીએ. અને આ સફળતાની પાછળ સૌથી મોટી સમર્પણની ભાવના છે, સદભાવના છે. આ સમર્પણ દેશના દરેક રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશનું છે, આ સમપર્ણ દેશના હજારો સરકારી અને ખાનગી દવાખાનાઓનું છે, આ સમર્પણ દરેક કર્મચારી, દરેક તબિબ, આયુષ્માન મિત્ર, આશા વર્કર સામાજિક સંગઠનો, જન પ્રતિનિધિઓ, એટલે કે બધાનું છે.

ભાઈઓ અને બહેનો, આ જ સમર્પણના કારણે જ આજે દેશ વિશ્વાસથી કહી રહ્યો છે, ગર્વ સાથે કહી રહ્યો છે- વર્ષ એક, આયુષ્માન અનેક.

દેશભરના ગરીબ, 46 લાખ ગરીબ પરિવારોને બીમારીની નિરાશામાંથી સ્વસ્થ જીવનની આશા જગાડવી, તે એક બહુ મોટી સિદ્ધિ છે. આ એક વર્ષમાં જો કોઈ એક વ્યક્તિની જમીન, ઘર, ઘરેણા કે બીજો કોઈ સામાન બીમારીના ખર્ચમાં વેચાતો બચ્યો છે, ગીરવે રાખવામાંથી બચ્યો છે; તો તે આયુષ્માન ભારતની ઘણી મોટી સફળતા છે.

|

સાથીઓ, થોડા સમય પહેલા આવા જ કેટલાક લાભાર્થીઓ સાથે મને વાત કરવાનો અવસર મળ્યો. વીતેલા એક વર્ષમાં, ત્યાં સુધી કે ચૂંટણી દરમિયાન પણ મેં દેશભરમાં આવા તમામ સાથીઓની સાથે સંવાદ કરવાનો સતત પ્રયાસ કર્યો છે. તેમની સાથે વાતચીત કરવાથી તમને એવો અનુભવ થાય છે કે આયુષ્માન ભારત ‘PM-JAY’ ગરીબોના જીવનમાં શું પરિવર્તન લાવી રહી છે અને એક રીતે PM-JAY હવે ગરીબોની જય બની ગઈ છે. જયારે ગરીબનું બાળક સ્વસ્થ હોય છે, જયારે ઘરે ઘરના એકમાત્ર કમાનારા સ્વસ્થ થઇને પછી કામ પર જવા નીકળે છે, ત્યારે આયુષ્માન હોવાનો અર્થ સમજણમાં આવે છે. અનેએટલા માટે આયુષ્માન ભારત ‘PM-JAY’ની સફળતાની માટે સમર્પણ કરનારા, સમર્પિત દરેક વ્યક્તિ, દરેક સંસ્થાની સાથે દેશના કરોડો ગરીબોની અનેક અનેક શુભકામનાઓ છે. આ મહાન કાર્યમાં લાગેલા દરેક સાથીને હું ખૂબ-ખૂબ સાધુવાદ આપું છું, અભિનંદન આપું છું.

ભાઈઓ અને બહેનો, સંકલ્પ અને સમર્પણની સાથે-સાથે આ પહેલા વર્ષમાં અમે અનુભવથી ઘણું બધું શીખ્યું છે. હમણાં અહિં આવતા પહેલા મેં પ્રદર્શનના માધ્યમથી એક વર્ષની યાત્રાને પણ જોઈ છે. કેવી રીતે સમયની સાથે અમે દરેક પડકારને દૂર કર્યા છે, ટેકનીકલ રૂપે સતત વિસ્તરણ કર્યું છે, દરેક શેરધારક સાથે સતત સંવાદ બનાવેલો રાખ્યો છે, શંકાઓ અને આશંકાઓને દૂર કર્યા છે. શિક્ષાનો, સંવાદનો, સુધારાનો આ સિલસિલો આગળ પણ સતત ચાલતો રહેશે.

સાથીઓ, આ યોજનાના પહોંચને, દેખરેખને કઈ રીતે અસરકારક બનાવી શકાય, લાભાર્થીઓ માટે કેવી રીતે તેને સુગમ બનાવી શકાય, દવાખાનાઓની તકલીફોને કઈ રીતે દૂર કરી શકાય; તેને લઈને અહિં બે દિવસ દરમિયાન વિસ્તૃત ચર્ચા થઇ છે. ખાસ કરીને વૈશ્વિક આરોગ્ય કાળજી એટલે કે આ યોજનાની હદ દરેક પરિવાર પર કઈ રીતે લાગુ થાય, તેને લઈને દેશના કેટલાક રાજ્યોએ જે પોતાના અનુભવો વહેંચ્યા છે, તેમના ઉપર ગંભીરતાથી વિચાર થવો જોઈએ. તે આપણા સૌની જવાબદારી છે કે દરેક ગરીબ માટે, દરેક દેશવાસી માટે મુસીબતના સમયમાં દવાખાનાના દરવાજા ખુલ્લા રહેવા જોઈએ, વધુ સારો સારવાર ઉપલબ્ધ હોવો જોઈએ.

|

ભાઈઓ અને બહેનો, આયુષ્માન ભારત ન્યુ ઇન્ડિયાના ક્રાંતિકારી પગલાઓમાનું એક છે. માત્ર એટલા માટે નહીં કારણ કે તે દેશના સામાન્ય માનવીના, ગરીબના જીવનને બચાવવામાં મહત્વની ભૂમિકા નિભાવી રહ્યું છે પરંતુ એટલા માટે પણ કારણ કે તે ભારતના રૂપમાં 130 કરોડ લોકોના સામુહિક સંકલ્પો અને સામર્થ્યનું પણ પ્રતિક છે. આવું હું એટલા માટે કહી રહ્યો છું કે આપણા દેશમાં ગરીબને સસ્તી અને વધુ સારી સ્વાસ્થ્ય સેવા આપવાના પ્રયાસ પહેલા પણ થયા છે. દરેક રાજ્ય, દરેક કેન્દ્રશાસિત પ્રદેશે પોતાના સીમિત સ્તર પર દરેક શક્ય કોશિશ કરી છે. રાજ્યોની તમામ સદભાવના છતાં ના તો ગરીબોને તે લાભ મળી રહ્યો હતો અને ના તો મેડિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના ક્ષેત્રમાં કોઈ સુધારો થઇ રહ્યો હતો. પરંતુ આયુષ્માન ભારતે સિદ્ધ કરી દીધું કે જયારે ભારતની સામુહિક તાકાત જો ક્યાંય પણ લાગી જાય છે તો તેનો લાભ અને શક્તિ ખૂબ વ્યાપક થઇ જાય છે, વિરાટ થઇ જાય છે. આયુષ્માન ભારત દેશના કોઇપણ ભાગના દર્દીને દેશના કોઈ પણ ખૂણામાં લાભ સુનિશ્ચિત કરાવી આપે છે જે પહેલા અશક્ય હતું. આ જ કારણ છે કે વીતેલા એક વર્ષમાં આશરે 50 હજાર લાભાર્થીઓએ પોતાના રાજ્યની બહાર બીજા રાજ્યોમાં આ યોજનાનો લાભ ઉઠાવ્યો છે, એટલે કે સારા દવાખાનામાં જવું.

ભાઈઓ અને બહેનો, દેશનો કોઇપણ વ્યક્તિ સારવારની માટે પોતાના ઘર, પોતાના જિલ્લા, પોતાના રાજ્યથી દૂર નથી જવા માંગતો, તે પગલું મજબૂરીમાં જ ઉપાડવું પડે છે. દેશના દરેક નાગરિકને ઘરની પાસે જ સારામાં સારી સ્વાસ્થ્ય સુવિધાઓ મળે, તેની માટે દરેક રાજ્ય પ્રયાસ કરી રહ્યા છે. તેપણ સત્ય છે કે દેશના એવા ભાગોમાં, જ્યાં સ્વાસ્થ્ય સુવિધાઓ વધુ સારી છે, ત્યાં દબાણ જરા વધુ છે પરંતુ તે દરેક ભારતીયની ફરજ છે કે દેશનો કોઇપણ નાગરિક આધુનિક સ્વાસ્થ્ય સેવાઓથી વંચિત ન રહી જવો જોઈએ. આયુષ્માન ભારત આ જ ભાવનાને મજબૂત કરી રહ્યું છે.

સાથીઓ, આયુષ્માન ભારત સંપૂર્ણ ભારત માટે સામુહિક સમાધાન સાથે-સાથે સ્વસ્થ ભારતના સંપૂર્ણ સમાધાનની પણ યોજના છે. સરકારની તે વિચારધારાનો વિસ્તાર છે જે અંતર્ગત અમે ભારતની સમસ્યાઓ અને પડકારોને પહોંચી વળવા માટે ટુકડાઓમાં વિચારવાને બદલે સમગ્રતામાં કામ કરી રહ્યા છીએ. કેટલાક દિવસો પહેલા સંયુક્ત રાષ્ટ્રમાં યુનિવર્સલ હેલ્થ કેરને લઇને એક કાર્યક્રમ થયો હતો, જેમાં મને ભારતની વાત કહેવાનો અવસર મળ્યો હતો. ભારતમાં આરોગ્ય કાળજીને લઈને જે રીતે સંપૂર્ણ પહોંચની સાથે કામ થઇ રહ્યું છે, જે માપદંડ પર કામ થઇ રહ્યું છે, એ દુનિયા માટે એક અજાયબી છે, આશ્ચર્યચકિત છે દુનિયા!

|

ભાઈઓ અને બહેનો, સંયુક્ત રાષ્ટ્રમાં ઉપસ્થિત દુનિયાભરના પ્રતિનિધિઓને મેં જણાવ્યું છે કે કઈ રીતે અમે સ્વસ્થ ભારતને ચાર મજબૂત સ્તંભો પર ઉભું કરી રહ્યા છીએ. પહેલો – અટકાયતી આરોગ્ય કાળજી, બીજો – સસ્તી આરોગ્ય કાળજી, ત્રીજો – પુરવઠામાં સુધારો અને ચોથો- રાષ્ટ્રીય પોષણ અભિયાન જેવી મિશન મોડવાળી દખલગીરીઓ છે.

પહેલા સ્તંભની જો વાત કરીએ તો આજે સ્વચ્છતા, યોગ, આયુષ, રસીકરણ અને તંદુરસ્તી પર ભાર મુકવામાં આવી રહ્યો છે, જેથી દૈનિક જીવન સાથે જોડાયેલી બીમારીઓ ઓછામાં ઓછી થાય. એટલું જ નહી, પશુઓના કારણે પણ ફેલાનારી બીમારીઓ મનુષ્યને પરેશાન કરે છે અને એટલા માટે આ વખતે અમે એક મિશન મોડમાં કામ ઉપાડ્યું છે – પશુઓમાં ફૂટ ટુ માઉથ જે રોગ છે, તે બીમારીથી હિન્દુસ્તાનને મુક્ત કરવાનું. એટલે કે પશુઓની પણ ચિંતા, તેને પણ અમે ભૂલ્યા નથી.

મેં બીજા સ્તંભની વાત કરી. બીજો સ્તંભ એટલે કે દેશના સામાન્ય જનને ઉત્તમ અને સસ્તો સારવાર મળે, તેની માટે સતત પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.

ભાઈઓ અને બહેનો, આ બંને સ્તંભોને આયુષ્માન ભારત યોજના ખૂબ મજબૂતી આપી રહી છે. પછી તે દેશભરમાં દોઢ લાખથી વધુ આરોગ્ય અને કલ્યાણ કેન્દ્રોનું નિર્માણ હોય કે પછી દર વર્ષે પાંચ લાખ રૂપિયા સુધીના મફત સારવારની સુવિધા, આયુષ્માન ભારતની ભૂમિકા જ મહત્વની છે.

સાથીઓ, આયુષ્માન ભારત અમારા ત્રીજા સ્તંભ એટલે કે પુરવઠા બાજુની મજબૂતીનો પણ સક્ષમ આધાર બનાવી રહી છે. આયુષ્માન ભારતથી દેશમાં સ્વાસ્થ્ય સેવાઓની માંગમાં વૃદ્ધિ થઇ રહી છે. હવે તે ગરીબ દર્દી પણ દવાખાનામાં પહોંચી રહ્યો છે જે ક્યારેય સારવારના વિષયમાં વિચારતો સુદ્ધા નહોતો. ખાનગી દવાખાનાઓમાં તો સારવારની તે કલ્પના જ નહોતો કરી શકતો. આજે PM-JAYની સેવા આપનારા 18 હજારથી વધુ દવાખાનાઓમાંથી ઓછામાં ઓછા 10 હજાર એટલે કે આવા અડધાથી વધુ દવાખાના ખાનગી ક્ષેત્રના છે. આવનારા સમયમાં આ ભાગીદારી હજી વધુ વધવાની છે.

સાથીઓ, જેમ જેમ માંગ વધી રહી છે, તેમ-તેમ દેશમાં નાના શહેરોમાં આધુનિક મેડિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની જાળ પથરાઈ રહી છે. આવનારા સમયમાં અનેક નવા દવાખાના બનવાના છે. રોજગારના નવા અવસર મળવાના છે. એક અનુમાન અનુસાર આવનારા પાંચ સાત વર્ષોમાં માત્ર આયુષ્માન ભારત યોજનાથી ઉત્પન્ન થયેલી માગના કારણે જ આશરે 11 લાખ નવા રોજગાર નિર્મિત થશે. તે કેટલો મોટો આંકડો છે કે તેનો અંદાજો એ વાત ઉપરથી જ લગાવી શકાય તેમ છે કે માત્ર રેલવે જ આના કરતા રોજગારનું વધુ નિર્માણ કરે છે.

|

ભાઈઓ અને બહેનો, રોજગારની આ સંભાવનાઓની માટે આપણા યુવા સાથીઓને તાલીમ આપવી ખૂબ જરૂરી છે. આ જ કારણ છે કે મેડિકલ શિક્ષણ સાથે જોડાયેલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને વિસ્તાર આપવામાં આવી રહ્યો છે અને નીતિઓમાં સતત સુધારા કરવામાં આવી રહ્યા છે. એક બાજુ દેશમાં મેડિકલ શિક્ષણમાં બેઠકોની સંખ્યા વધારવામાં આવી છે ત્યાં જ તેમાં પ્રવેશથી લઈને નિયમન સુધી એક સળંગ અને પારદર્શક વ્યવસ્થા બનાવવામાં આવી રહી છે. દેશભરમાં 75 નવા સરકારી મેડિકલ કોલેજો બનાવવાનો નિર્ણય હોય કે પછી દેશમાં નવા નેશનલ મેડિકલ કમિશનનું નિર્માણ, તેનાથી મેડિકલ ક્ષેત્રને નિશ્ચિતપણે લાભ થવાનો છે.

નેશનલ મેડિકલ કમીશનથી દેશમાં મેડિકલ શિક્ષણના વિસ્તરણને ગતિ મળશે, તેની ગુણવત્તામાં સુધારો આવશે અને ભ્રષ્ટાચારની ફરિયાદો પણ દૂર થશે.

સાથીઓ, આયુષ્માન ભારત યોજનાને પણ વપરાશકર્તાઓને અનુકુળ બનાવવા માટે તેને ફૂલ પ્રૂફ બનાવવા માટે સતત પ્રયાસ કરવામાં આવી રહ્યા છે અને મને જણાવવામાં આવ્યું છે કે તેની સાથે જોડાયેલા આઈટી સિસ્ટમને PM-JAY 2.૦ના રૂપમાં અપગ્રેડ કરવામાં આવ્યું છે અને તેમાં સતત સુધારો કરવામાં આવી રહ્યો છે. આજે જે એપ લોન્ચ કરવામાં આવી છે, તેનાથી લાભાર્થીને ખૂબ મદદ મળવાની છે. પરંતુ સાથીઓ આ યોજનાને વધુ સક્ષમ વધુ વ્યાપક બનાવવા માટે આપણે હજુ વધારે ટેકનિકલ સમાધાનોની જરૂરિયાત છે. આયુષ્માન ભારતના જુદા જુદા ઘટકો છે, તેમને અંદરો અંદર જોડવા માટે એક અસરકારક અને સુગમ તંત્રની જરૂર છે. આરોગ્ય અને કલ્યાણ કેન્દ્રોથી લઈને મોટા દવાખાનાના ઓપરેશન થીયેટર સુધી, ડાયગ્નોસિસ, રેફરલ અને ફોલો અપ કેરનું એક ટેકનોલોજી આધારિત તંત્ર આપણે વિકસિત કરવાનું છે. આપણે તે સ્થિતિ તરફ વધવાનું છે જ્યાં ગામના આરોગ્ય અને કલ્યાણ કેન્દ્રમાં દાખલ થયેલ કોઇપણ વ્યક્તિનો આરોગ્ય ડેટા તે વ્યક્તિની બીમારીના ડાયગ્નોસિસમાં કામમાં આવે. આ જ ડેટા મોટા દવાખાનાઓ માટે રીફર કરવાથી આગળના સારવારની માટે અસરકારક ભૂમિકા નિભાવી શકે. તેના માટે આપણે સૌએ વિચારવું પડશે, નવી પેઢીના લોકોને જોડવા પડશે.

સાથીઓ, આજે લોન્ચ કરવામાં આવેલ PM-JAY સ્ટાર્ટ અપ ગ્રાન્ડ ચેલેન્જ મહત્વની ભૂમિકા નિભાવનાર છે અને હું દેશની યુવા શક્તિને, ખાસ કરીને આઈટી વ્યવસાયિકોને આગ્રહ કરીશ કે આ માનવતાનું કામ છે, આ ચેલેન્જને તમે જ ઉપાડી લો અને આવનારા સમયમાં તમે એક શ્રેષ્ઠ ઉપાય લઇને આવો. તેના માધ્યમથી દેશભરમાં આરોગ્ય ક્ષેત્રમાં કામ કરનારા સ્ટાર્ટ અપ્સને આયુષ્માન ભારત સાથે જોડવામાં આવી રહ્યા છે. હું દેશના તમામ યુવા ઉદ્યોગસાહસિકોને, નવિનીકરણ કરનારાઓને આ અવસરનો લાભ ઉઠાવવા માટે ફરી એકવાર આમંત્રિત કરું છું.

ભાઈઓ અને બહેનો, ન્યુ ઇન્ડિયાનું આરોગ્ય અને કાળજી તંત્ર ખરેખર સમગ્ર દુનિયાની માટે એક મિસાલ બનવાનું છે. તેમાં પણ આયુષ્માન ભારત યોજનાનું ઘણું મોટું યોગદાન રહેશે. દેશના કરોડો લોકોને આયુષ્માન બનાવવાની આપણી પ્રતિબદ્ધતા વધુ મજબૂત થાય, આપણા દરેક પ્રયાસ સફળ થાય. એજ કામના સાથે આપ સૌનો હૃદયપૂર્વક ખૂબ-ખૂબ આભાર, ખૂબ-ખૂબ શુભકામનાઓ!

Explore More
દરેક ભારતીયનું લોહી ઉકળી રહ્યું છે: મન કી બાતમાં વડાપ્રધાન મોદી

લોકપ્રિય ભાષણો

દરેક ભારતીયનું લોહી ઉકળી રહ્યું છે: મન કી બાતમાં વડાપ્રધાન મોદી
'Operation Sindoor on, if they fire, we fire': India's big message to Pakistan

Media Coverage

'Operation Sindoor on, if they fire, we fire': India's big message to Pakistan
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
PM Modi's address to the nation
May 12, 2025
QuoteToday, every terrorist knows the consequences of wiping Sindoor from the foreheads of our sisters and daughters: PM
QuoteOperation Sindoor is an unwavering pledge for justice: PM
QuoteTerrorists dared to wipe the Sindoor from the foreheads of our sisters; that's why India destroyed the very headquarters of terror: PM
QuotePakistan had prepared to strike at our borders,but India hit them right at their core: PM
QuoteOperation Sindoor has redefined the fight against terror, setting a new benchmark, a new normal: PM
QuoteThis is not an era of war, but it is not an era of terrorism either: PM
QuoteZero tolerance against terrorism is the guarantee of a better world: PM
QuoteAny talks with Pakistan will focus on terrorism and PoK: PM

પ્રિય દેશવાસીઓ,

નમસ્કાર!...

આપણે સૌએ વિતેલા દિવસોમાં દેશનું સામર્થ્ય અને તેનો સંયમ બંને જોયા છે.

હું સૌને પહેલા ભારતના પરાક્રમી સેનાઓને,

સશસ્ત્ર દળોને...

આપણી ગુપ્તચર એજન્સીઓને....

અને આપણા વૈજ્ઞાનિકોને...

 

તમામ ભારતવાસીઓ તરફથી સલામ કરું છું.

આપણા વીર સૈનિકોએ ઓપરેશન સિંદૂરના લક્ષ્યો પ્રાપ્ત કરવા માટે અસીમ શૌર્ય બતાવ્યું છે.

હું તેમની વીરતાને... તેમના સાહસને... તેમના પરાક્રમને... આજે સમર્પિત કરું છું...

 

આપણા દેશની માતાઓને...

દેશની દરેક બહેનને...

અને દેશની દરેક દીકરીને આ પરાક્રમ સમર્પિત કરું છું.

 

સાથીઓ,

22 એપ્રિલે પહેલગામમાં આતંકવાદીઓએ જે બર્બરતા બતાવી હતી, તેમનાથી દેશ અને દુનિયા હચમચી ગયા હતા.

રજાઓ વિતાવવા આવેલા નિર્દોષ- માસૂમ નાગિરકોને

ધર્મ પૂછીને...

તેમના પરિવારની સામે જ,

તેમના બાળકોની સામે...

નિર્દયતાપૂર્વક મારી નાખ્યા..

આ આંતકનો ખૂબ જ બિભત્સ ચહેરો હતો.. ક્રૂરતા હતી...

આ દેશના સદભાવને તોડવાનો કાયરતાપૂર્ણ પ્રયાસ પણ હતો.

મારા માટે વ્યક્તિગતરૂપે આ પીડા ખૂબ જ મોટી હતી.

 

આ આતંકી હુમલા પછી આખો દેશ...

દરેક નાગરિક... દરેક સમાજ... દરેક વર્ગ... દરેક રાજકીય પક્ષ...

એક સૂરમાં... આતંકની સામે આકરી કાર્યવાહી કરવા માટે ઉભા થયા...

આપણે આતંકવાદીઓને માટીમાં મિલાવી તેવા માટે ભારતની સેનાઓને સંપૂર્ણ છૂટ આપી દીધી.

અને આજે દરેક આતંકી, આંતકનું દરેક સંગઠન જાણી ગયું છે....

કે આપણી બહેન-દીકરીઓના માથા પરથી સિંદૂર હટાવવાનું પરિણામ શું આવે છે.

 

સાથીઓ,

ઓપરેશન સિંદૂર... આ માત્ર નામ નથી...

આ દેશના કોટી-કોટી લોકોની ભાવનાઓનું પ્રતિબિંબ છે.

ઓપરેશન સિંદૂર... ન્યાયની અખંડ પ્રતિજ્ઞા છે.

6 મેની મોડી રાતે... 7 મેની સવારે... આખી દુનિયાએ આ પ્રતિજ્ઞાને પરિણામમાં બદલાતી જોઈ છે.

ભારતની સેનાઓએ પાકિસ્તાનમાં આતંકાના ઠેકાણાઓ પર...

તેમના ટ્રેનિંગ સેન્ટરો પર સચોટ પ્રહારો કર્યા.

 

આતંકીઓએ સપનામાં પણ નહીં વિચાર્યું હોય તે ભારત આટલો મોટો નિર્ણય લઈ શકે છે.

પરંતુ જ્યારે દેશ એકજૂથ થાય છે... નેશન ફર્સ્ટની ભાવનાથી ભરાયેલો હોય છે.. રાષ્ટ્ર સર્વોપરી હોય છે...

તો પોલાદી નિર્ણયો લેવામાં આવે છે.. પરિણામ લાવીને બતાવવામાં આવે છે.

જ્યારે પાકિસ્તાનમાં આતંકના અડ્ડાઓ પર ભારતની મિસાઈલોએ હુમલા કર્યા....

ભારતના ડ્રોને હુમલા કર્યા...

તો આતંકી સંગઠનોની ઈમારતો જ નહીં.... પરંતુ તેમની હિંમત પણ ધરાશાયી થઈ ગઈ.

બહાવલપુર અને મુરીદગે જેવા આતંકી ઠેકાણાઓ... એક પ્રકારે ગ્લોબલ ટેરરિઝમની યુનિવર્સિટી રહ્યા છે.

દુનિયામાં ક્યાંય પણ જે મોટા આતંકી હુમલા થયા છે...

નાઇન ઇલેવન હોય...

લંડન ટ્યુબ બોમ્બિંગ્સ હોય...

કે પછી ભારતમાં દાયદાઓમાં જે પણ મોટા આતંકી હુમલા થયા છે....

તેમના તાર ક્યાંકને ક્યાંક આતંકના આ ઠેકાણાઓ સાથે જ જોડાયેલા છે.

 

આતંકવાદીઓએ આપણી બહેનોના સિંદૂર ઉજાડ્યા હતા.. આથી ભારતે આતંકીઓના હેડક્વાર્ટર્સ ઉજાડી દીધા.

ભારતે આ હુમલાઓમાં 100થી વધુ ખૂંખાર આતંકવાદીઓને મોતના ઘાટ ઉતારી દીધા છે.

આતંકના કેટલાક આકાઓ...

છેલ્લા અઢી દાયકાથી ખુલ્લેઆમ પાકિસ્તાનમાં ફરી રહ્યા હતા...

તેઓ ભારતની વિરુદ્ધ કાવતરાઓ ઘડતા હતા...

તેમને ભારતે એક ઝાટકે જ ખતમ કરી નાખ્યા છે.

સાથીઓ,

ભારતની આ કાર્યવાહીથી પાકિસ્તાન ઘોર નિરાશામાં ઘેરાઈ ગયું હતું...

હતાશામાં ઘેરાઈ ગયું હતું..

ડરી ગયું હતું...

અને આ ડરમાં જ તેમણે વધુ એક દુઃસાહસ કર્યું.

આતંક પર ભારતની કાર્યવાહીનો સાથ આપવાના બદલે પાકિસ્તાને ભારત પર જ હુમલો કરવાનું શરૂ કરી દીધું.

પાકિસ્તાને આપણી શાળાઓ- કોલેજોને... ગુરુદ્વારાઓને... મંદિરોને... સામાન્ય નાગરિકોના ઘરોને નિશાન બનાવ્યા...

પાકિસ્તાને આપણા સૈન્ય ઠેકાણાઓને નિશાન બનાવ્યા...

પરંતુ તેમાં પણ પાકિસ્તાન પોતે જ ઉઘાડું પડી ગયું..

દુનિયાએ જોઈ લીધું કે કેવી રીતે પાકિસ્તાનના ડ્રોન અને મિસાઈલો... ભારતની સામે એક તણખલાની જેમ વેરવિખેર થઈ ગયા.

ભારતની સશક્ત એર ડિફેન્સ સિસ્ટમે, તેમને આકાશમાં જ નષ્ટ કરી દીધા.

પાકિસ્તાનની તૈયારી સીમા પર પ્રહાર કરવાની હતી...

પરંતુ ભારતે પાકિસ્તાનની છાતી પર જ પ્રહાર કરી દીધો.

ભારતના ડ્રોન... ભારતની મિસાઈલોએ સચોટ નિશાન લગાવીને હુમલો કર્યો.

પાકિસ્તાની વાયુસેનાના એ એરબેઝને નુકસાન પહોંચાડ્યું...

જેના પર પાકિસ્તાનને ખૂબ અભિમાન હતું.

ભારતે પહેલા ત્રણ દિવસમાં જ પાકિસ્તાનને એટલું તબાહ કરી દીધું કે જેનો તેને અંદાજ પણ નહોતો.

આથી...

ભારતની આક્રમક કાર્યવાહી પછી... પાકિસ્તાન બચવાના રસ્તાઓ શોધવા લાગ્યું.

પાકિસ્તાન... આખી દુનિયામાં તણાવ ઓછો કરવાની વિનંતી કરવા લાગ્યું હતું...

અને ખૂબ જ ખરાબ રીતે માર ખાધા પછી તેની મજબૂરીમાં 10 મેના રોજ બપોરે પાકિસ્તાનની સેનાએ આપણા DGMOનો સંપર્ક કર્યો.

ત્યાં સુધીમાં આપણે આતંકવાદના ઇન્ફ્રાસ્ટ્રક્ચરને મોટા પાયે નેસ્ત-નાબૂદ કરી ચુક્યા હતા...

 

આતંકીઓને મોતના ઘાટ ઉતારી દીધા હતા...

પાકિસ્તાને પોતાની છાતી પર વસાવેલા આતંકના અડ્ડાઓને આપણે ખંડેર બનાવી દીધા હતા...

આથી, જ્યારે પાકિસ્તાન તરફથી વિનંતી કરવામાં આવી...

પાકિસ્તાન તરફથી જ્યારે કહેવામાં આવ્યું...

કે તેમના તરફથી આગળ કોઈ આતંકી ગતિવિધી અને સૈન્ય દુઃસાહસ કરવામા નહીં આવે...

તો ભારતે તેના પર વિચાર કર્યો.

 

અને હું ફરીથી કહી રહ્યો છું...

આપણે પાકિસ્તાનના આતંકી અને સૈન્ય ઠેકાણાઓ પર આપણી જવાબી કાર્યવાહીને હાલમાં માત્ર સ્થગિત કરી છે.

આવનારા દિવસોમાં...

આપણે પાકિસ્તાનના દરેક પગલાંને આ કસોટી પર માપીશું...

કે તેઓ શું વલણ અપનાવે છે.

 

સાથીઓ,

ભારતની ત્રણેય સેનાઓ...

આપણું વાયુદળ... આપણું સૈન્ય...

અને આપણું નૌકાદળ...

આપણા બોર્ડર સિક્યુરિટી ફોર્સ - BSF...

ભારતના અર્ધલશ્કરી દળો...સતત એલર્ટ પર છે.

સર્જિકલ સ્ટ્રાઇક અને એર સ્ટ્રાઇક પછી...

હવે ઓપરેશન સિંદૂર એ આતંકવાદની વિરુદ્ધમાં ભારતની નીતિ છે.

ઓપરેશન સિંદૂરે આતંકવાદ સામેની લડાઈમાં એક નવી રેખા દોરી છે...

એક નવું ધોરણ, એક ન્યૂ નોર્મ નક્કી કર્યું છે.

પહેલું- જો ભારત પર આતંકવાદી હુમલો થશે તો જડબાતોડ જવાબ આપવામાં આવશે.

આપણે આપણી રીતે, આપણી શરતો પર જવાબ આપીને જ રહીશું.

એ દરેક જગ્યાએ જઈને કઠોર કાર્યવાહી કરીશું, જ્યાંથી આતંકવાદના મૂળિયા નીકળે છે.

બીજું - કોઈપણ ન્યૂક્લિઅર બ્લેકમેઇલને ભારત સહન નહીં કરે.

ન્યૂક્લિઅર બ્લેકમેઇલના આડમાં ફુલી-ફાલી રહેલા આતંકવાદી ઠેકાણાઓ પર ભારત સચોટ અને નિર્ણાયક હુમલો કરશે.

ત્રીજું - આપણે આતંકવાદને સમર્થન આપી રહેલી સરકાર અને આતંકવાદના આકાઓને અલગ અલગ નહીં જોઈએ.

ઓપરેશન સિંદૂર દરમિયાન...

દુનિયાએ... ફરી એકવાર પાકિસ્તાનનું ઘૃણાસ્પદ સત્ય જોયું છે...

જ્યારે માર્યા ગયેલા આતંકવાદીઓને વિદાય આપવા...

પાકિસ્તાની સેનાના મોટા મોટા અધિકારીઓ દોડી આવ્યા હતા.

સ્ટેટ સ્પોન્સર્ડ ટેરેરિઝમનો આ ખૂબ મોટો પુરાવો છે.

અમે ભારત અને આપણા નાગરિકોને કોઈપણ જોખમથી બચાવવા માટે સતત નિર્ણાયક પગલાં લેતા રહીશું.

સાથીઓ,

યુદ્ધના મેદાનમાં આપણે આ વખતે પાકિસ્તાનને ધૂળ ચટાડી દીધી છે.

અને આ વખતે ઓપરેશન સિંદૂરે એક નવું પરિમાણ ઉમેર્યું છે.

અમે રણ અને પર્વતોમાં આપણું સામર્થ્ય શાનદાર રીતે બતાવી દીધું છે...

અને સાથે જ..

ન્યૂ એજ વૉરફોરમાં પણ આપણી શ્રેષ્ઠતા સિદ્ધ કરી દીધી છે.

આ ઓપરેશન દરમિયાન…

આપણા મેડ ઇન ઇન્ડિયા હથિયારોની પ્રમાણિકતા સાબિત થઈ છે.

આજે દુનિયા જોઈ રહી છે...

21મી સદીના વૉરફેરમાં મેડ ઇન્ડિયા ડિફેન્સ ઇક્વિપમેન્ટ્સ...

તેનો સમય આવી ગયો છે.

સાથીઓ,

દરેક પ્રકારના આતંકવાદ સામે આપણે એકજૂથ રહીએ છીએ, આપણી એકતા... એ આપણી સૌથી મોટી તાકાત છે.

ચોક્કસપણે આ યુગ યુદ્ધનો નથી...

પરંતુ આ યુગ આતંકવાદનો પણ નથી.

ટેરેરિઝમ સામે ઝીરો ટોલરન્સ... આ એક વધુ સારી દુનિયાની ગેરંટી છે.

સાથીઓ,

પાકિસ્તાની સૈન્ય... પાકિસ્તાન સરકાર...

જે રીતે આતંકવાદને પોષવામાં આવી રહ્યો છે...

તે એક દિવસ પાકિસ્તાનનો જ નાશ કરી દેશે.

પાકિસ્તાને બચવું હોય, તો તેણે પોતાના ટેરર ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો સફાયો કરવો જ પડશે.

આ સિવાય શાંતિનો કોઈ રસ્તો નથી.

ભારતનું વલણ ખૂબ જ સ્પષ્ટ છે...

ટેરર અને ટૉક, એક સાથે ન થઈ શકે...

ટેરર અને ટ્રેડ, એક સાથે ન ચાલી શકે.

અને...

પાણી અને લોહી પણ એકસાથે ન વહી શકે.

હું આજે વિશ્વ સમુદાયને પણ કહેવા માંગુ છું...

અમારી ઘોષિત નીતિ રહી છે...

જો પાકિસ્તાન સાથે વાટાઘાટ થશે... તો તે ફક્ત ટેરેરિઝમ પર જ થશે...

જો પાકિસ્તાન સાથે વાટાઘાટ થશે... તો પાકિસ્તાન ઓક્યૂપાઇડ કાશ્મીર... PoK પર જ થશે...

પ્રિય દેશવાસીઓ,

આજે બુદ્ધ પૂર્ણિમા છે.

ભગવાન બુદ્ધે આપણને શાંતિનો માર્ગ બતાવ્યો છે.

શાંતિનો માર્ગ પણ શક્તિમાંથી પસાર થાય છે.

માનવતા... શાંતિ અને સમૃદ્ધિ તરફ આગળ વધો...

દરેક ભારતીય શાંતિથી જીવી શકે...

વિકસિત ભારતનું સપનું પૂરું કરી શકે...

તેના માટે ભારત શક્તિશાળી હોય તે ખૂબ જ જરૂરી છે...

અને જરૂર પડે ત્યારે આ શક્તિનો ઉપયોગ કરવો પણ જરૂરી છે.

અને છેલ્લા કેટલાક દિવસોમાં, ભારતે આ જ કર્યું છે.

હું ફરી એકવાર ભારતની સેના અને સશસ્ત્ર દળોને... સલામ કરું છું.

આપણે ભારતીયોની હિંમત... અને દરેક ભારતવાસીની એકતાને હું સલામ કરું છું.

આભાર...

ભારત માતાની જય !!!

ભારત માતાની જય !!!

ભારત માતાની જય !!!