QuotePM Modi lays foundation stone for new office complex for Vanijya Bhawan
QuoteWe are breaking silos within the working of the Government; we are moving from silos to solutions: PM Modi
QuoteIt is our collective responsibility to fulfil the aspirations of our youth: PM Modi
QuoteIndia is now playing an important role in the global economy, says PM Modi
QuoteEfforts must be made to raise domestic manufacturing output, to reduce imports: PM Modi

મંત્રીમંડળના મારા સાથીદાર, વાણિજય અને ઉદ્યોગ મંત્રી શ્રી સુરેશ પ્રભુજી, આવાસ અને શહેરી વિકાસ મંત્રી શ્રી હરદીપ સિંહ પુરીજી, વાણિજ્ય અને ઉદ્યોગ રાજ્ય મંત્રી શ્રી સી. આર ચૌધરીજી, વાણિજ્ય મંત્રાલય અને સંબંધિત વિભાગોનો અધિકારીઓ તથા અહિં ઉપસ્થિત અન્ય મહાનુભવો.

સૌથી પહેલાં તો હું આપ સૌને વાણિજ્ય ભવનના શિલાન્યાસ થવા બદલ ખૂબ-ખૂબ અભિનંદન પાઠવું છું. આજે આ કામગીરી શરૂ થઈ ગઈ છે અને જે રીતે મંચ ઉપરથી જણાવવામાં આવ્યું તે રીતે હવે પછીના વર્ષે ડિસેમ્બર સુધીમાં બાંધકામની કામગીરી પૂરી થઈ જશે. મને આશા છે કે સમય મર્યાદામાં રહીને વાણિજ્ય ભવન બનશે અને ખૂબ જલ્દી તેનો લાભ લોકોને પણ મળવા લાગશે.

સાથીઓ, હું સૌથી પહેલાં સમયની વાત એટલા માટે કરૂં છું કે આ સરકારના શાસન દરમિયાન જેટલા પણ ભવનોનો શિલાન્યાસ અથવા તો ઉદઘાટન કરવાની મને તક મળી છે તેમાં તેમાંના મોટા ભાગના ભવનોમાં એક વાત સામાન્ય હતી અને એ બાબત એ હતી કે ઈમારતોના બાંધકામમાં પણ સરકારોની કામ કરવાની પદ્ધતિઓનું પ્રતિબિંબ પડતું હોય છે. નવા ભારત તરફ આગળ વધતો દેશ અને જૂની પુરાણી વ્યવસ્થાઓ વચ્ચે જે તફાવત છે તેનો આ રીતે ખ્યાલ આવે છે.

સાથીઓ, હું તમને કેટલાંક ઉદાહરણો આપવા માંગુ છું. મને યાદ છે કે જ્યારે વર્ષ 2016માં પ્રવાસી ભારતીય કેન્દ્રનું લોકાર્પણ કરવામાં આવ્યું ત્યારે એ સમયે એવી વાત સામે આવી કે તે કેન્દ્રની જાહેરાત અટલ બિહારી વાજપેયીજીના સમયમાં કરવામાં આવી હતી. પછીથી એ યોજનાને સાકાર થતાં 12 વર્ષ લાગી ગયા.

 

|

ગયા વર્ષે ડિસેમ્બરમાં જે ડૉ. આંબેડકર આંતરરાષ્ટ્રીય કેન્દ્રનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું તેના બાંધકામનો નિર્ણય પણ 1992માં લેવામાં આવ્યો હતો, પરંતુ તેનો શિલાન્યાસ વર્ષ 2015માં થયો. મેં કહ્યું કે ક્યાં વર્ષ 1992 અને ક્યાં વર્ષ 2015, તેનું લોકાર્પણ 2017માં થયું. એટલે કે નિર્ણય કરાયા પછી 23-24 વર્ષ જેટલો સમય માત્ર એક કેન્દ્ર બનવામાં લાગ્યો.

સાથીઓ, આ વર્ષે માર્ચ મહિનામાં મેં સેન્ટ્રલ ઈન્ફોર્મેશન કમિશન (સીઆઈસી)નું નવું ભવન દેશને સમર્પિત કર્યું હતું. સીઆઈસી માટે નવા ભવનની માંગ પણ છેલ્લા 12 વર્ષથી થઈ રહી હતી, પરંતુ તેનું કામ એનડીએની હાલની સરકારે શરૂ કરાવ્યું અને નિર્ધારિત સમયમાં તેને પૂરૂ પણ કર્યું.

બીજુ એક ઉદાહરણ છે અલીપુર રોડ પર બનેલા આંબેડકર રાષ્ટ્રીય સ્મારકનું. બે મહિના પહેલાં જ તેનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ સ્મારક માટે પણ વર્ષો સુધી ચર્ચા થઈ. અટલજીના સમયમાં કામમાં ઝડપ પણ આવી, પરંતુ તે પછીના 10-12 વર્ષ સુધી આ કામ ઠપ્પ થઈ ગયું હતું.

દિલ્હીની આ ચાર અલગ-અલગ ઈમારતો એ બાબતની પ્રતિક છે કે સરકાર ટૂકડાઓમાં કામ કરતી હોતી નથી, જ્યારે તમામ વિભાગ, મંત્રાલય, ટૂકડાઓમાંથી બહાર નિકળીને ઉપાય શોધવા માટે એક લક્ષ્ય હાંસલ કરવા માટે સાથે મળીને કામ કરે છે ત્યારે કેટલું સારૂં અને કેટલું જલ્દી પરિણામ પ્રાપ્ત થાય છે. દરેક કામને અટકાવવાની-ભટકાવવાની અને લટકાવવાની પ્રવૃત્તિમાંથી દેશ હવે ઘણો આગળ નિકળી ચૂક્યો છે.

મને એ બાબતનો આનંદ છે કે આજે આ યાદીમાં પાંચમું પ્રતિક જોડાવાની શરૂઆત થઈ ગઈ છે. આ વાણિજ્ય ભવનમાં એક છતની નીચે વાણિજ્ય ક્ષેત્રના દરેક ક્ષેત્રના ટૂકડાઓને ખતમ કરવાનું કાર્ય વધુ સારી પદ્ધતિથી કરવામાં આવશે એવી મારી શુભેચ્છા છે. મને વિશ્વાસ છે કે આ કામગીરી પણ પૂર્ણ થશે.

સાથીઓ, આજે ભારત સમયના ખૂબ જ મહત્વના વળાંક પર આવીને ઉભુ છે. આપણું વસતિ વિષયક વિભાજન કોઈપણ દેશ માટે ઈર્ષાનો વિષય બની શકે છે. આપણી લોકશાહી કે જે આપણાં નવ યુવાનોને ઊર્જા આપે છે એ નવયુવાનો 21મી સદીના ભારતનો આધાર છે. તેમની આશાઓ અને આકાંક્ષાઓ પરિપૂર્ણ કરવી તે માત્ર કેટલાંક મંત્રાલયોની જવાબદારી નથી, પણ આપણાં સૌની સામુહિક જવાબદારી છે.

ભારત વિતેલી સદીમાં ઔદ્યોગિક ક્રાંતિનો લાભ લેવાનું ચૂકી ગયો છે. તે સમયે આ સ્થિતિ માટે અનેક કારણો હતા, પરંતુ આજે એટલા જ કારણો છે, જેને કારણે ભારત હવે આ સદીની ઔદ્યોગિક ક્રાંતિનું નેતૃત્વ કરનાર દેશોમાંનો એક દેશ બની શકે તેમ છે. ચોથી ઔદ્યોગિક ક્રાંતિ કે જે ફોર્થ ઈન્ડસ્ટ્રીયલ રિવોલ્યુશન તરીકે પણ ઓળખવામાં આવે છે. તેનો મુખ્ય આધાર ડિજિટલ ટેકનોલોજી છે અને આ ક્ષેત્રમાં ચોક્કસપણે ભારત દુનિયાના ઘણાં દેશોની તુલનામાં ખૂબ આગળ છે.

આજે તમે વાણિજ્ય મંત્રાલયોના જેટલા પણ લક્ષ્યો તરફ નજર નાખશો, જેટલા પણ કાર્યોને જોશો તો તેમાં તમને ડિજિટલ ટેકનોલોજીની અગ્રતા નજરે પડશે.

આ વાણિજ્ય ભવનનો જ દાખલો લો. જે જમીન પર આ ઈમારત બનવાની છે તે જમીન અગાઉ ડિરેક્ટોરેટ જનરલ ઑફ સપ્લાઈ એન્ડ ડિસ્પોઝલના તાબામાં હતી. 100 કરતાં પણ વધુ જૂનો આ વિભાગ હવે બંધ થઈ ચૂક્યો છે અને તેની જગ્યા ડિજિટલ ટેકનોલોજી પર આધારિત ગવર્નમેન્ટ- ઈ-માર્કેટ પ્લેસ-GeM દ્વારા લેવામાં આવી છે. જે રીતે સરકાર પોતાની જરૂરિયાતના સામાનની ખરીદી કરે છે તે વ્યવસ્થાને GeM દ્વારા સંપૂર્ણ રીતે બદલી નાંખવામાં આવી છે.

આજની તારીખે 1,17,000 થી વધુ નાના મોટા વિક્રેતા, કંપનીઓ તેની સાથે જોડાઈ ચૂકી છે. આ વેચાણ કરનાર સમુદાયના 5લાખથી વધુ ઓર્ડર્સ GeMના માધ્યમથી આપવામાં આવ્યા છે. ખૂબ જ થોડાક સમયમાં GeM પર રૂ. 8700 કરોડનો સામાન ખરીદવામાં આવ્યો છે.

જે રીતે GeM દ્વારા દેશના દૂર-દૂરના ખૂણે બેઠેલા નાના-નાના વેપારીઓને પોતાના ઉત્પાદનોને સીધા સરકારને વેચવાની તક પ્રાપ્ત થઈ છે. તેના માટે વ્યાપાર મંત્રાલયની કામગીરી પ્રશંસાપાત્ર છે, પરંતુ તમારા લોકો માટે હું તેને એક લાંબી યાત્રાની શરૂઆત જ માનું છું.

GeMનું વિસ્તરણ કેવી રીતે આગળ ધપાવવામાં આવે, કેવી રીતે આ દેશના એમએસએમઈ ક્ષેત્ર, નાના વેપારીઓ વગેરેને આંતરરાષ્ટ્રીય વાણિજ્ય તરફ લઈ જવાય તે બાબતે ઘણું બધું કરવાનું હજુ બાકી છે. આજે દેશમાં સ્માર્ટ ફોન, ઈન્ટરનેટ વાપરનાર વર્ગની સંખ્યા 40 કરોડથી વધુ છે. સસ્તો ડેટા તમારા કાર્યોને વધુ આસાન બનાવી રહ્યો છે.

સાથીઓ, આપણે ત્યાં કહેવામાં આવે છે કે समर्थानाम् किम् दूरव्यवसायिनाम् જેનો અર્થ એ થાય છે કે જે વ્યક્તિ શક્તિશાળી હોય છે તેને માટે કોઈપણ બાબત મુશ્કેલ હોતી નથી. એવી જ રીતે વ્યવસાય કરનાર વ્યક્તિ માટે કોઈ જગ્યા દૂર નથી હોતી. આજે ટેકનોલોજીના કારણે વ્યાપાર કરવો એટલો સરળ બની ગયો છે કે અંતર રોજે-રોજ ઓછુ થતું જાય છે. આ ટેકનોલોજી દેશની વ્યવસાય સંસ્કૃતિમાં જેટલી વધશે તેટલો ફાયદો જ થવાનો છે.

આપણે જોઈ રહ્યા છીએ કે કેવી રીતે એક વર્ષથી પણ ઓછા સમયમાં જીએસટી દ્વારા દેશમાં વ્યાપાર કરવાની પદ્ધતિ બદલાઈ ગઈ છે. જો ટેકનોલોજી ન હોત તો શું આ શક્ય બન્યું હોત? આજે જીએસટીના કારણે જ દેશમાં અપ્રત્યક્ષ કરવેરા અને તેની સાથે જોડાયેલા લોકોનો વ્યાપ ખૂબ ઝડપથી વધી રહ્યો છે.

|

સ્વતંત્રતા પછી આપણાં દેશમાં આડકતરા વેરાની પદ્ધતિ સાથે માત્ર 60 લાખ લોકો જોડાયેલા હતા. તે પછી જીએસટી આવ્યા પછી 11 મહિનાના સમય દરમિયાન 54 લાખથી વધુ લોકોએ નોંધણી માટે અરજી કરી છે અને તેમાંથી 47 લાખથી વધુ લોકો નોંધાઈ ચૂક્યા છે. આ રીતે નોંધાયેલા લોકોની સંખ્યા અત્યાર સુધીમાં એક કરોડથી વધુ થઈ ચૂકી છે.

આ બાબતને કારણે કહી શકાય કે પ્રક્રિયાઓને સરળ બનાવવા માટે લઘુતમ સરકાર, મહત્તમ શાસન (Minimum Government, Maximum Governance) ના માર્ગે ચાલવાથી જે પરિણામો મળ્યા છે તે જોતાં વધુને વધુ લોકો વિકાસની મુખ્ય ધારા સાથે જોડાવા માટે કદમ મિલાવી રહ્યા છે.

સાથીઓ, તમે સારી રીતે જાણો છો કે વિતેલા ચાર વર્ષમાં સરકારે લોકલક્ષી, વિકાસલક્ષી અને મૂડી રોકાણલક્ષી વાતાવરણ ઉભુ કરવા માટે નિરંતર પ્રયાસ કર્યો છે. તમામ વૈશ્વિક પડકારો હોવા છતાં પણ ભારતના સુક્ષ્મ-આર્થિક નિર્દેશકો સ્થિર રહ્યા છે. ફૂગાવો હોય, નાણાંકિય ખાધ હોય કે પછી ચાલુ ખાતાની જમા રકમ હોય. આ બધામાં અગાઉની સરકારોની તુલનામાં સુધારો થયો છે.

આજે ભારત દુનિયાની અર્થ વ્યવસ્થાને આગળ ધપાવવામાં મહત્વની ભૂમિકા બજાવી રહ્યું છે. હજુ છેલ્લા ત્રિમાસિક ગાળામાં દેશનો વિકાસ દર 7.7 ટકાના આંકડાને સ્પર્શી ચૂક્યો છે. છેલ્લા 4 વર્ષમાં થયેલું વિદેશી રોકાણ, વિદેશી ચલણની સ્થિતિ ખુદ એક વિક્રમ સમાન છે.

આજે ભારત સીધા વિદેશી મૂડી રોકાણના વિશ્વસનિયતા સુચકાંકની દ્રષ્ટિએ ટોચના બે ઉભરતા બજારોમાંનું એક ગણાય છે. વ્યાપાર-વાણિજ્યની સરળતાના ક્રમાંકમાં 142થી આગળ નીકળીને 100 સુધી પહોંચ્યું છે. લોજીસ્ટીક પર્ફોર્મન્સ ઈન્ડેક્સમાં 19 આંકડાનો સુધારો નોંધાયો છે, વૈશ્વિક સ્પર્ધાત્મક ઈન્ડેક્સમાં 71નું રેંકીંગ સુધરીને 39 સુધી પહોંચ્યું છે. વૈશ્વિક નવીનીકરણ સુચકાંકમાં 21આંકડાનો ઉછાળો આવવો તે આ દૃષ્ટિકોણનું પરિણામ છે. ચોક્કસપણે તમારી જાણકારીમાં હશે કે હજુ હમણાં જ ભારતે દુનિયાના ટોચના 5 આર્થિક તકનીકિ ક્ષેત્રમાં સ્થાન પ્રાપ્ત કર્યું છે.

પરંતુ, આ હકારાત્મક નિર્દેશકોની સાથે ખૂબ મોટો સવાલ એ પણ છે કે હવે આગળ શું? સાથીઓ, 7 ટકા, 8 ટકાના વિકાસ દરથી આગળ વધીને આપણે હવે બે આંકડાનો વિકાસ દર પ્રાપ્ત કરવાના ધ્યેય સાથે કામ કરી રહ્યા છીએ. દુનિયાની નજરમાં આજે ભારતને એ દ્રષ્ટિએ પણ જોવામાં આવે છે કે ભારત કેટલા વર્ષોમાં 5 ટ્રિલિયન ડોલરની ક્લબમાં સામેલ થવાનું છે.

હું માનું છું કે આપ સૌ વાણિજ્ય મંત્રાલયના જવાબદાર અધિકારીઓનો સમૂહ આ ધ્યેયોને એક પડકાર તરીકે ઉપાડી લેશે. આર્થિક મોરચે આપણે જે પ્રગતિ સિદ્ધ કરી છે તે પ્રગતિ સીધે સીધી દેશના સામાન્ય નાગરિકના જીવન સાથે જોડાયેલી છે.

એટલા માટે તમે પણ જોયું હશે કે જ્યારે પણ હું વેપારમાં સરળતા, વ્યવસાય કરવામાં આસાની વગેરની વાત કરતો હોઉં છું ત્યારે સાથે-સાથે જીવન જીવવાની સરળતાનો વિષય પણ હંમેશા ઉઠાવતો હોઉં છું. એક બીજા સાથે જોડાયેલી આજની દુનિયામાં આ બાબતો પણ એક બીજા સાથે જોડાયેલી છે.

જ્યારે વિજળીનું જોડાણ લેવાનું સરળ હોય છે, બાંધકામ કરવાની મંજૂરી જલ્દી મળી જતી હોય છે ત્યારે ઉદ્યોગોએ અને કંપનીઓએ વિવિધ પ્રક્રિયાઓમાં ગૂંચવાવું પડતું નથી હોતું. તેનો લાભ સામાન્ય માણસો સુધી પણ પહોંચે છે. આ રીતે તમારા લોકો માટે પણ આ એક પડકાર છે કે આજે હજુ પણ અલગ-અલગ ક્ષેત્રોમાં જે સમસ્યાઓ રહેલી છે. જ્યાં-જ્યાં પણ ટૂકડાઓમાં કામ કરવામાં આવે છે ત્યાં આ બધી બાબતોને જેટલી જલ્દી દૂર કરી શકાય તેટલું જલ્દી દૂર કરવી જોઈએ.

ખાસ કરીને માળખાગત સુવિધાઓના ક્ષેત્રમાં જે મુશ્કેલીઓ પડે છે તેમાં ઊંચો વ્યવહારિક ખર્ચ (high Transaction cost) થતો હોય છે. ઉત્પાદનને આગળ વધારવામાં તે અવરોધો પેદા કરે છે. સેવા ક્ષેત્રનું અપૂરતું વૈવિધ્યકરણ કરે છે. તેને અટકાવવાનું અને સુધારો કરવાનું ખૂબ જ આવશ્યક છે.

મને એ બાબતનો આનંદ છે કે હજુ હમણાં જ વાણિજ્ય મંત્રાલયે દેશના માલપરિવહન ક્ષેત્રનો સુસંકલિત વિકાસ કરવાનો પડકાર ઉપાડી લીધો છે. આ પહેલ દેશમાં વેપાર માટેનું વાતાવરણ સુધારવામાં ખૂબ જ મોટી ભૂમિકા ભજવવાનું છે.

સાથીઓ, સુસંકલિત મલપરિવહન કાર્ય યોજના એ આજના સમયની માંગ છે અને ન્યૂ ઈન્ડિયાની જરૂરિયાત પણ છે. નીતિમાં ફેરફાર કરીને જો હાલની પ્રક્રિયાઓમાં સુધારાઓ કરીને, આજની આધુનિક ટેકનિકનો ઉપયોગ વધારીને આ લક્ષ્ય પ્રાપ્ત કરી શકે તેમ છે.

મને જણાવવામાં આવ્યું છે કે વાણિજ્ય મંત્રાલયનું એક ઓનલાઈન પોર્ટલ પણ આ દિશામાં કામ કરી રહ્યું છે. વૈશ્વિક વેપારમાં ભારતની હાજરીને વધુ મજબૂત બનાવવા માટે નવી ઊંચાઈઓ પ્રાપ્ત કરવા માટે તમામ મંત્રાલયો અને તમામ રાજ્યો એક સાથે મળીને કામ કરે તે ખૂબ જ આવશ્યક છે. આપણે જેને 'સમગ્રલક્ષી સરકારી અભિગમ' તરીકે ઓળખીએ છીએ તે અપનાવવાની જરૂર છે.

વ્યાપાર વિકાસ અને સંવર્ધન પરિષદ, રાજ્ય સરકારો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં આંતરરાષ્ટ્રીય વેપાર આગળ વધે તેવું વાતાવરણ ઉભું કરવાનું કામ કરી રહ્યા છે. ભારતની નિકાસને વધારવી હશે તો રાજ્યોને સક્રિય ભાગીદાર બનાવીને જ આગળ વધી શકાશે.

મારી એવી સમજ છે કે રાજ્યોમાં, રાજ્ય સ્તરની નિકાસ વ્યૂહરચનાનું નિર્માણ કરીને તેને રાષ્ટ્રીય વેપાર નીતિની સાથે તાલમેલ સાધી શકાય તે રીતે, આર્થિક સહાયતા કરતાં રહીને, તેના જેટલા પણ સહયોગીઓ છે તે તમામને સાથે લઈને આ દિશામાં જેટલી ઝડપથી આગળ વધીશું તેટલો દેશને જ લાભ થવાનો છે.

સાથીઓ, આંતરરાષ્ટ્રીય બજારમાં ભારતની હાજરી વિસ્તારવા માટે આપણા પરંપરાગત ઉત્પાદનો અને બજારો છે તેમને જાળવી રાખીને નવા ઉત્પાદનો અને નવા બજારો તરફ ધ્યાન આપવાનું પણ ખૂબ જ આવશ્યક બની રહે છે. આપણે દેશની અંદરના પડકારોની સાથે-સાથે દેશની બહારની પરિસ્થિતિઓ માટે પણ આપણી જાતને ખૂબ જ મજબૂત બનાવવાની રહેશે.

જ્યારે આપણે વિકાસના ટૂંકા ગાળાના લાભ અને લાંબા સમય સુધી ટકી રહેવાની બાબત વચ્ચે સમતુલા સાધીને ચાલીશું તો તેના પરિણામો પણ દેખાવા માંડશે.

ગયા વર્ષે ડિસેમ્બર મહિનામાં વિદેશ વ્યાપાર નીતિ સાથે જોડાયેલી મધ્ય સત્ર સમીક્ષા હાથ ધરવામાં આવી હતી. આ બાબતને પણ હું ખૂબ જ હકારાત્મક પહેલ માનું છું. પ્રોત્સાહનો વધારીને એમએસએમઈ ક્ષેત્રની આંગળી પકડીને નિકાસ વધારવા માટે જે દરેક ફેરફારો કરાયા છે તે પ્રશંસાપાત્ર છે. આ બાબત સીધે સીધી દેશના રોજગારની જરૂરિયાતો સાથે પણ જોડાયેલી છે.

બીજો એક મહત્વનો વિષય છે- ઉત્પાદનની ગુણવત્તા. આ જ કારણે વર્ષ 2014માં મેં 15 ઓગષ્ટના રોજ લાલ કિલ્લા પરથી ઝીરો ડિફેક્ટ, ઝીરો ઈફેક્ટ માટે અનુરોધ કર્યો હતો. ઉદ્યોગ નાનો હોય કે મોટો, દરેક ઉત્પાદકને એ બાબતની પ્રેરણા આપવી જોઈએ કે એવી ચીજોનું ઉત્પાદન કરે કે જેમાં ઝીરો ડિફેક્ટ હોય, કોઈ આપણાં નિકાસ કરેલા માલ-સામાનને પાછો ન મોકલે તેવી સ્થિતિ થવી જોઈએ. તેની સાથે-સાથે મેં ઝીરો ઈફેક્ટની પણ વાત કરી હતી. આનો અર્થ એ થાય કે ઉત્પાદનોની પર્યાવરણ પણ કોઈ નકારાત્મક અસર ન થાય તે બાબતનું ધ્યાન રાખે. ઉત્પાદનની ગુણવત્તા બાબતે જાગૃતિ મેક ઈન ઈન્ડિયા ની ચમક વધારવામાં અને નવા ભારતની ઓળખ મજબૂત બનાવવાનું કામ કરશે.

તમે અત્યારે જોતાં હશો કે જ્યારે 2014માં આપણા દેશમાં મોબાઈલ ફોનનું ઉત્પાદન માત્ર બે જ કંપનીઓ કરતી હતી તે હવે વધીને 120 કંપનીઓ થઈ ગઈ છે. ખૂબ જ ઓછી કિંમતે વિશ્વ સ્તરના ગુણવત્તા ધરાવતા ઉત્પાદનો આ કંપનીઓ બનાવી રહી છે તે બાબત પણ આપણને ગૌરવ થાય તેવી સ્થિતિ પેદા કરે છે.

સાથીઓ, વર્તમાન સમયનો એ સંકલ્પ છે કે આપણે પડકારોને ઉપાડી લેવા જોઈએ. શું વાણિજ્ય વિભાગ એવો પડકાર ઉપાડી લેશે કે વિશ્વની કુલ નિકાસમાં હાલમાં ભારતનું જે યોગદાન છે તે વધારીને બે ગણું કરવામાં આવે. હાલના 1.6 ટકા કરતાં વધારીને તેને ઓછામાં ઓછું તેને વધારીને 3.4 ટકા સુધી લઈ જવામાં આવે. વિશ્વના અર્થતંત્રમાં આવી કામગીરી ભારતની જીડીપીનું યોગદાન વધારવા સમકક્ષ ગણાશે. તેનાથી દેશમાં રોજગારીની નવી તકો પેદા થશે. આપણી માથાદીઠ આવકમાં પણ વૃદ્ધિ થશે.

તેના માટે સરકારના તમામ વિભાગો અને અહિંયા હાજર રહેલા એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલોના તમામ લોકોએ સાથે મળીને પ્રયાસ કરવાનો રહેશે. આ ઉપરાંત વધુ એક સંકલ્પ પણ લઈ શકાય તેમ છે અને તે આયાત બાબતે છે. શું આપણે કેટલાક પસંદ કરેલા ક્ષેત્રોમાં આયાત પરના આપણાં અવલંબનને ઓછું કરી શકીએ ખરા? ભલે તે ઊર્જાની આયાત હોય કે ઈલેક્ટ્રોનિક્સ માલ સામાનની આયાત હોય. સંરક્ષણ ક્ષેત્ર માટે ઉત્પાદન હોય કે મેડિકલ ઉપકરણોનું ક્ષેત્ર હોય. મેક ઈન ઈન્ડિયા દ્વારા આ બધું શક્ય છે.

સ્થાનિક ઉત્પાદન દ્વારા આયાતમાં 10 ટકા જેટલો પણ ઘટાડો કરી શકાય તો દેશની સાડા ત્રણ લાખ કરોડની આવક વધારી શકાય તેમ છે. આ બાબત દેશની જીડીપીમાં વૃદ્ધિને બે આંકડા સુધી લઈ જવા માટે એક અસરકારક સાધન બની શકે તેમ છે.

હું તમને ઈલેક્ટ્રોનિક માલસામાનના ઉત્પાદનનું જ ઉદાહરણ આપવા માંગુ છું. શું આપણાં સૌ લોકો માટે એક પડકારરૂપ બાબત નથી કે આપણી ઈલેક્ટ્રોનિક માલસામાનની કુલ માંગનો 65 ટકા હિસ્સો આપણે બહારથી ખરીદવો પડે છે. જે રીતે મોબાઈલ ફોનના ક્ષેત્રમાં બન્યું છે તે રીતે શું તમે આ પડકાર ઉપાડી લઈને દેશને ઈલેક્ટ્રોનિક માલ સામાનના ક્ષેત્રમાં આત્મનિર્ભર બનાવી શકો તેમ છો?

સાથીઓ, તમને એ બાબતે જાણકારી હશે જ કે આયાત પરનું અવલંબન ઘટાડવાની દિશામાં એક ખૂબ જ મહત્વનું કદમ આપણે ગયા વર્ષે ઉઠાવ્યું હતું. જાહેર ખરીદી (પસંદગીમાં મેક ઈન ઈન્ડિયાને અગ્રતા) ના આદેશ દ્વારા સરકારે તમામ વિભાગો અને સંસ્થાઓ દ્વારા ખરીદવામાં આવી રહેલી વસ્તુઓ અને સેવાઓ સ્થાનિક સ્રોત મારફતે ખરીદવા પર ભાર મૂક્યો હતો. આ આદેશને પૂરી ગંભીરતા સાથે લાગુ કરવાનો પ્રયાસ થતો રહેવો જોઈએ. તેના માટે આપ સૌ લોકોએ સરકારના તમામ એકમોની પોતાની મોનિટરીંગ વ્યવસ્થાને આ આદેશનું પાલન કરવા માટે અને તેને સુદ્રઢ કરવામાં યોગદાન આપવાનું રહેશે.

સ્થાનિક ઉત્પાદન વધારવા માટે સરકારે કેટલાક મહત્વના નિર્ણયો પણ કર્યા છે. નિયમો માટેનું માળખું હોય કે પછી નિયમોના માળખામાં સરળતા લાવવાની વાત હોય. મૂડી રોકાણલક્ષી નીતિ હોય કે માળખાગત સુવિધાઓ અને માલપરિવહન પર ભાર મૂકવાનો હોય. આ બધુ એટલા માટે કરવામાં આવે છે કે ભારત આત્મનિર્ભર બની શકે. 21મી સદીની ઔદ્યગિક ક્રાંતિમાં એક ડગલું પણ પાછળ ન રહી જાય. મેક ઈન ઈન્ડિયાની સાથે આગળ વધવાનું આ ગૌરવ, નવા બનનારા વાણિજ્ય ભવનનું પણ ગૌરવ વધારે તેવી મારી શુભેચ્છા છે.

સાથીઓ, અહીં આવતાં પહેલાં વધુ એક શુભ કાર્ય તમે લોકોએ મારી પાસે કરાવ્યું છે. આ સંકુલમાં મૌલશ્રી અથવા બકુલના છોડ રોપવાનું સૌભાગ્ય મને પ્રાપ્ત થયું છે. મૌલશ્રીની એક ખૂબ પુરાણી માન્યતા છે કે તેનામાં ઘણાં ઔષધિય ગુણ રહેલા છે અને આ વૃક્ષ વર્ષો સુધી છાંયડો પણ આપતું રહે છે. મને કહેવામાં આવ્યું છે કે આ સિવાય પણ અહિંયા લગભગ 1000 જેટલા વૃક્ષોના વાવેતરની પણ યોજના છે.

નવા બનનારા વાણિજ્ય ભવનનો પ્રકૃતિની સાથે આ સંવાદ, તેમાં કામ કરનાર લોકોને સ્ફૂર્તિમાં રાખશે અને તેમને રાહત પણ પૂરી પાડશે.

પર્યાવરણ માટે અનુકૂળ હોય, પરંતુ આધુનિક ટેકનિક માટે યોગ્ય વાતાવરણ પણ ધરાવતું હોય તે બાબત તમામ પ્રકારે નવા ભારત માટે અત્યંત શ્રેષ્ઠ બની રહેશે. આથી તમારૂં સૌથી શ્રેષ્ઠ પ્રદાન કરો, ઉત્તમ પ્રયાસો કરો. આ શુભેચ્છાની સાથે હું મારી વાત અહિંયા સમાપ્ત કરૂં છું. વધુ એકવાર આપ સૌને વાણિજ્ય ભવનનું નિર્માણ કરવાનું કામ શરૂ કરવા બદલ ખૂબ-ખૂબ અભિનંદન પાઠવું છું.

ધન્યવાદ…!!!

  • krishangopal sharma Bjp January 14, 2025

    नमो नमो 🙏 जय भाजपा 🙏🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷
  • krishangopal sharma Bjp January 14, 2025

    नमो नमो 🙏 जय भाजपा 🙏🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹
  • krishangopal sharma Bjp January 14, 2025

    नमो नमो 🙏 जय भाजपा 🙏🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷
  • Reena chaurasia August 29, 2024

    modi
  • Reena chaurasia August 29, 2024

    bjp
  • Govindan Krishnamurthy October 03, 2022

    Excellent
  • R N Singh BJP June 27, 2022

    jai hind
  • Laxman singh Rana June 23, 2022

    नमो नमो 🇮🇳🌷
  • Laxman singh Rana June 23, 2022

    नमो नमो 🇮🇳
  • G.shankar Srivastav June 11, 2022

    G.shankar Srivastav
Explore More
78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ
Laying the digital path to a developed India

Media Coverage

Laying the digital path to a developed India
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
This decade is becoming the decade of Uttarakhand: PM Modi at Harsil
March 06, 2025
QuoteBlessed to be in Devbhoomi Uttarakhand once again: PM
QuoteThis decade is becoming the decade of Uttarakhand: PM
QuoteDiversifying our tourism sector, making it perennial, is very important for Uttarakhand: PM
QuoteThere should not be any off season, tourism should be on in every season in Uttarakhand: PM
QuoteOur governments at Center and state are working together to make Uttarakhand a developed state: PM

गंगा मैया की जय।

गंगा मैया की जय।

गंगा मैया की जय।

भारत माता की जय।

भारत माता की जय।

भारत माता की जय!

उत्तराखंड का म्यारा प्यारा भै-वैण्यों, आप सबी तैं मेरी सेवा-सौंली, नमस्कार!

यहां के ऊर्जावान मुख्यमंत्री, मेरे छोटे भाई पुष्कर सिंह धामी जी, केंद्रीय मंत्री श्री अजय टम्टा जी, राज्य के मंत्री सतपाल महाराज जी, संसद में मेरे साथी और भारतीय जनता पार्टी के प्रदेश अध्यक्ष महेंद्र भट्ट जी, संसद में मेरे साथी माला राज्य लक्ष्मी जी, विधायक सुरेश चौहान जी, सभी गणमान्य लोग, भाइयों और बहनों।

सबसे पहले मैं माणा गांव में कुछ दिन पहले जो हादसा हुआ है, उस पर अपना दु:ख व्यक्त करता हूं। मैं हादसे में जान गंवाने वाले साथियों के परिवारों के प्रति अपनी संवेदना प्रकट करता हूं। संकट की घड़ी में देश के लोगों ने जो एकजुटता दिखाई है, उससे पीड़ित परिवारों को बहुत हौसला मिला है।

|

साथियों,

उत्तराखंड की ये भूमि, हमारी ये देवभूमि, आध्यात्मिक ऊर्जा से ओतप्रोत है। चार धाम और अनंत तीर्थों का आशीर्वाद, जीवनदायिनी मां गंगा का ये शीतकालीन गद्दी स्थल, आज एक बार फिर यहाँ आकर, आप सब अपने परिवारजनों से मिलकर, मैं धन्य हो गया हूं। माँ गंगा की कृपा से ही मुझे दशकों तक उत्तराखंड की सेवा का सौभाग्य मिला है। मैं मानता हूँ, उन्हीं के आशीर्वाद से मैं काशी तक पहुंचा, और अब सांसद के रूप में काशी की सेवा कर रहा हूँ। और इसलिए, मैंने काशी में कहा भी था- मुझे माँ गंगा ने बुलाया है। और कुछ महीने पहले मुझे ये भी अनुभूति हुई कि जैसे मां गंगा ने मुझे अब गोद ले लिया है। ये माँ गंगा की ही दुलार है। अपने इस बच्चे के प्रति उनका स्नेह है कि आज मैं उनके मायके मुखवा गांव आया हूँ। यहाँ मुझे मुखीमठ-मुखवा में दर्शन पूजन का भी सौभाग्य प्राप्त हुआ है।

साथियों,

आज हर्षिल की इस धरती पर आया हूं तो मैं अपनी दीदी-भुलियों के स्नेह को भी याद कर रहा हूं। वो मुझे हर्षिल का राजमा और दूसरे लोकल प्रोडक्ट्स भेजती रहती हैं। आपके इस लगाव और उपहार के लिए मैं आपका आभारी हूं।

साथियों,

कुछ साल पहले जब मैं बाबा केदारनाथ के दर्शन के लिए, बाबा के चरणों में गया था, तो बाबा के दर्शन-अर्चन के बाद मेरे मुंह से अचानक कुछ भाव प्रकट हुए थे, और मैं बोल पड़ा था- ये दशक उत्तराखंड का दशक होगा। वो शब्द मेरे थे, भाव मेरे थे, लेकिन उनके पीछे सामर्थ्य देने की शक्ति स्वयं बाबा केदारनाथ ने दी थी। मैं देख रहा हूँ, बाबा केदार के आशीर्वाद से धीरे-धीरे वो शब्द, वो भाव सच्चाई में, हकीकत में बदल रहे हैं। ये दशक उत्तराखंड का बन रहा है। यहां उत्तराखंड की प्रगति के लिए नए-नए रास्ते खुल रहे हैं। जिन आकांक्षाओं को लेकर उत्तराखंड का जन्म हुआ था, उत्तराखंड के विकास के लिए जो संकल्प हमने लिए थे, नित नई सफलताओं और नए लक्ष्यों की ओर बढ़ते हुए वो संकल्प आज पूरे हो रहे हैं। इसी दिशा में, शीतकालीन पर्यटन एक और बड़ा महत्वपूर्ण कदम है। इसके माध्यम से उत्तराखंड के आर्थिक सामर्थ्य को साकार करने में बहुत बड़ी मदद मिलेगी। मैं इस अभिनव प्रयास के लिए धामी जी को, उत्तराखंड सरकार को बहुत-बहुत बधाई देता हूँ, और उत्तराखंड की प्रगति के लिए कामना करता हूँ।

|

साथियों,

अपने टूरिज्म सेक्टर को diversify करना, बारहमासी बनाना, 365 दिन, ये उत्तराखंड के लिए बहुत जरूरी है। मैं चाहता हूं कि उत्तराखंड में कोई भी सीजन हो, कोई भी सीजन ऑफ सीजन ना हो, हर सीजन में टूरिज्म ऑन रहे। अब ऑफ नहीं ऑन का जमाना। अभी पहाड़ों पर पर्यटन सीजन के हिसाब से चलता है। आप सब जानते हैं, मार्च, अप्रैल, मई, जून के महीने में बड़ी संख्या में पर्यटक आते हैं, लेकिन इसके बाद उनकी गिनती बहुत कम हो जाती है। सर्दियों में अधिकतर होटल्स, resorts और होमस्टे खाली पड़े रहते हैं। ये असंतुलन उत्तराखंड में, साल के एक बड़े हिस्से में आर्थिक सुस्ती ला देता है, इससे पर्यावरण के लिए भी चुनौती पैदा होती है।

साथियों,

सच्चाई ये है कि अगर देश-विदेश के लोग सर्दियों के मौसम में यहाँ आएं, तो उन्हें सच्चे अर्थ में देवभूमि की आभा का वास्तविक परिचय मिलेगा। विंटर टूरिज्म में यहां लोगों को ट्रैकिंग, स्कीइंग जैसी Activities का रोमांच, सचमुच में रोमांचित कर देगा। धार्मिक यात्रा के लिए भी उत्तराखंड में सर्दियों का समय बेहद खास होता है। कई तीर्थ स्थलों पर इसी समय विशेष अनुष्ठान भी होते हैं। यहां मुखवा गांव में ही देखिए, यहाँ जो धार्मिक अनुष्ठान किया जाता है, वो हमारी प्राचीन और अद्भुत परंपरा का हिस्सा है। इसलिए, उत्तराखंड सरकार का बारहमासी पर्यटन का विजन, 365 दिन के पर्यटन का विजन लोगों को दिव्य अनुभूतियों से जुड़ने का अवसर देगा। इससे यहां साल भर उपलब्ध रहने वाले रोजगार के अवसर विकसित होंगे, इसका बड़ा फायदा उत्तराखंड के स्थानीय लोगों को होगा, यहां के युवाओं को होगा।

साथियों,

उत्तराखंड को विकसित राज्य बनाने के लिए हमारी डबल इंजन सरकार मिलकर काम कर रही हैं। चारधाम-ऑल वेदर रोड, आधुनिक एक्सप्रेस-वे, राज्य में रेलवे, विमान औऱ हेलीकॉप्टर सेवाओं का विस्तार, 10 वर्षों में उत्तराखंड में तेजी से विकास हुआ है। अभी कल ही उत्तराखंड के लिए केंद्र सरकार ने बहुत बड़े निर्णय लिए हैं। कल केंद्रीय कैबिनेट ने केदारनाथ रोपवे प्रोजेक्ट और हेमकुंड रोपवे प्रोजेक्ट को मंजूरी दे दी है। केदारनाथ रोपवे बनने के बाद जो यात्रा 8 से 9 घंटे में पूरी होती है, अब उसे लगभग 30 मिनट में पूरा किया जाएगा। इससे बुजुर्गों, बच्चों, महिलाओं के लिए केदारनाथ यात्रा और सुगम हो जाएगी। इन रोप-वे प्रोजेक्ट्स पर हजारों करोड़ रुपए खर्च किए जाएंगे। मैं उत्तराखंड समेत पूरे देश को इन प्रोजेक्ट्स की बधाई देता हूं।

|

साथियों,

आज पहाड़ों पर इको लॉग हट्स, कन्वेंशन सेंटर, हेलीपैड इंफ्रास्ट्रक्चर पर फोकस भी किया जा रहा है। उत्तराखंड के टिम्मर-सैण महादेव, माणा गांव, जादुंग गांव में टूरिज्म इंफ्रास्ट्रक्चर नए सिरे से विकसित हो रहा है, और देशवासियों को पता होगा, शायद नहीं होगा, 1962 में जब चीन ने भारत पर आक्रमण किया, तब ये हमारा जादुंग गांव को खाली करवा दिया गया था, ये हमारे दो गांव खाली कर दिए गए थे। 60-70 साल हो गए, लोग भूल गए, हम नहीं भूल सकते, हमने उन दो गांवों को फिर से बसाने का अभियान चलाया है, और बहुत बड़ा टूरिस्ट डेस्टिनेशन बनाने की दिशा में हम आगे बढ़ रहे हैं। और इसी का परिणाम है कि उत्तराखंड में पर्यटकों की संख्या इस एक दशक में तेजी से बढ़ी है। 2014 से पहले चारधाम यात्रा पर हर साल औसतन 18 लाख यात्री आते थे। अब हर साल लगभग 50 लाख तीर्थयात्री आने लगे हैं। इस साल के बजट में 50 Tourist destinations को विकसित करने का प्रावधान किया गया है। इन destinations पर होटलों को इंफ्रास्ट्रक्चर का दर्जा दिया जाएगा। इससे पर्यटकों के लिए सुविधाएं बढ़ेंगी और स्थानीय रोजगार को भी बढ़ावा मिलेगा।

साथियों,

हमारा प्रयास है, उत्तराखंड के बॉर्डर वाले इलाकों को भी पर्यटन का विशेष लाभ मिले। पहले सीमावर्ती गांवों को आखिरी गाँव कहा जाता था। हमने ये सोच बदल दी, हमने कहा ये आखिरी गांव नहीं है, ये हमारे प्रथम गाँव कहा। उनके विकास के लिए वाइब्रेंट विलेज प्रोग्राम शुरू किया। इस क्षेत्र के भी 10 गांव इस योजना में शमिल किए गए हैं, और मुझे बताया गया, उस गांव से भी कुछ बंधु आज यहां हमारे सामने मौजूद हैं। नेलांग और जादुंग गांव, जिसका मैंने वर्णन किया, 1962 में क्या हुआ था, फिर से बसाने का काम शुरू किया गया है। आज यहां से जादुंग के लिए मैंने अभी-अभी बाइक रैली को रवाना किया। हमने होमस्टे बनाने वालों को मुद्रा योजना का लाभ देने का ऐलान किया है। उत्तराखंड सरकार भी राज्य में होमस्टे को बढ़ावा देने में जुटी है। जो गांव इतने दशकों तक इंफ्रास्ट्रक्चर से वंचित रहें, वहाँ नए होमस्टे खुलने से पर्यटन बढ़ रहा है, लोगों की आय बढ़ रही है।

साथियों,

आज मैं देवभूमि से, देश के पूरब-पश्चिम-उत्तर-दक्षिण, और मध्य भी, हर कोने के लोगों से, खासकर युवा पीढ़ी से, और मां गंगा के मायके से, इस पवित्र भूमि से, देश की नौज़वान पीढ़ी को विशेष रूप से आह्वान कर रहा हूं, आग्रह कर रहा हूं।

|

साथियों,

सर्दियों में देश के बड़े हिस्से में जब कोहरा होता है, सूर्यदेव के दर्शन नहीं होते, तब पहाड़ों पर धूप का आनंद मिल रहा होता है। ये एक स्पेशल इवेंट बन सकता है। और गढ़वाली में इसे क्या कहेंगे? 'घाम तापो पर्यटन', सही है ना? 'घाम तापो पर्यटन'। इसके लिए देश के कोने-कोने से लोग उत्तराखंड जरूर आयें। खासकर, हमारे कॉरपोरेट वर्ल्ड के साथी, वे विंटर टूरिज्म का हिस्सा बनें। Meetings करनी हों, conferences करनी हों, exhibitions करने हों, तो विंटर का समय और देवभूमि, इससे होनहार कोई जगह नहीं हो सकती है। मैं कॉरपोरेट वर्ल्ड के बड़े महानुभावों से भी आग्रह करूंगा, वो अपने बड़े-बड़े सेमिनार्स के लिए उत्तराखंड आएं, माइस सेक्टर को explore करें। यहाँ आकर लोग योग और आयुर्वेद के जरिए recharge और re-energise भी हो सकते हैं। देश की यूनिवर्सिटीज, प्राइवेट स्कूल्स और कॉलेज में, मैं उन सब नौज़वान साथियों से भी कहूंगा कि students के विंटर ट्रिप्स के लिए आप उत्तराखंड को पसंद कीजिए।

साथियों,

हमारे यहाँ हजारों करोड़ की इकोनॉमी, वेडिंग इकोनॉमी है, शादियों में हजारों करोड़ रूपये का खर्च होता है, बहुत बड़ी इकोनॉमी है। आपको याद होगा, मैंने देश के लोगों से आग्रह किया था- Wed in India, हिन्दुस्तान में शादी करों, आजकल लोग दुनिया के देशों में चले जाते हैं, यहां क्या कमी है भई? पैसे यहां खर्च करो ना, और उत्तराखंड से बढ़िया क्या हो सकता है। मैं चाहूँगा कि सर्दियों में destination वेडिंग के लिए भी उत्तराखंड को देशवासी प्राथमिकता दें। इसी तरह भारत की फिल्म इंडस्ट्री से भी मेरी अपेक्षाएं हैं। उत्तराखंड को मोस्ट फिल्म फ्रेंडली स्टेट का पुरस्कार मिला हुआ है। यहां तेजी के साथ आधुनिक सुविधाएं डेवलप हो रही हैं। इसलिए सर्दियों के दिनों में फिल्म की शूटिंग्स के लिए भी उत्तराखंड, पूरे भारत का फेवरेट डेस्टिनेशन बन सकता है।

साथियों,

दुनिया के कई देशों में विंटर टूरिज़्म काफी पॉपुलर है। उत्तराखंड में विंटर टूरिज़्म को बढ़ावा देने के, और इसके लिए हम ऐसे देशों से बहुत कुछ सीख सकते हैं। मैं चाहूँगा, उत्तराखंड के टूरिज़्म सेक्टर से जुड़े सभी स्टेकहोल्डर्स, होटल और resorts उन देशों की जरूर स्टडी करें। अभी मैं यहां, एक छोटी सी प्रदर्शनी लगी है, उसको मैंने देखा, बहुत प्रभावित करने वाला मुझे लगा, जो कल्पना की गई है, जो लोकेशंस तय किए गए हैं, जो आधुनिक रचनाएं खड़ी की जा रही हैं, एक-एक लोकेशन का, एक-एक चित्र इतना प्रभावित करने वाला था, जैसे मन कर रहा था, मेरे 50 साल पुरानी वो जिंदगी के दिन, मैं फिर एक बार यहां आपके बीच आकर के बिताऊ, और हर डेस्टिनेशन पर कभी जाने का मौका तलाशू, इतने बढ़िया बना रहे हैं। मैं उत्तराखंड सरकार से कहूंगा कि जो विदशों से स्टडी हो, और स्टडी से निकले एक्शनेबल प्वाइंट्स पर सक्रिय रूप से काम करे। हमें स्थानीय परंपराओं, म्यूजिक, डांस और कुजीन को बढ़ावा देना होगा। यहां कई हॉट स्प्रिंग्स हैं, सिर्फ बद्रीनाथ जी में ही है, ऐसा नहीं है, और भी है, उन क्षेत्रों को वेलनेस स्पा के रूप में भी विकसित किया जा सकता है। शांत और बर्फीले क्षेत्रों में विंटर योगा रिट्रीट का आयोजन किया जा सकता है। मैं सभी बड़े-बड़े साधु-महात्माओं को, मठ-मंदिर के मठाधिपतियों को, सभी योगाचार्यों को, उनसे भी आग्रह करूंगा कि वे साल में एक योगा कैंप अपने शिष्यों का, विंटर में उत्तराखंड में लगाए। विंटर सीजन के लिए स्पेशल वाइल्ड लाइफ सफारी का आकर्षण उत्तराखंड की विशेष पहचान बन सकता है। यानि हमें 360 डिग्री अप्रोच के साथ आगे बढ़ना होगा, हर स्तर पर काम करना होगा।

|

साथियों,

सुविधाओं के विकास के अलावा, लोगों तक जानकारी पहुंचाना भी उतना ही अहम होता है। इसके लिए मैं देश के युवा content creators, आजकल सोशल मीडिया में, बहुत बड़ी संख्या में influencers हैं, content creators हैं, वे अपने यहाँ बैठे-बैठे भी मेरे उत्तराखंड की, मेरी देवभूमि की सेवा कर सकते हैं, वे भी पुण्य कमा सकते हैं। आप देश के पर्यटन सेक्टर को गति देने में, लोगों तक जानकारी पहुंचाने में बहुत बड़ी भूमिका निभा सकते हैं, जो भूमिका निभाई है, उसका और विस्तार करने की जरूरत है। आप उत्तराखंड की विंटर टूरिज़्म की इस मुहिम का भी हिस्सा बनिए, और मैं तो चाहूंगा कि उत्तराखंड सरकार एक बड़ा कंपटीशन आयोजित करें, ये जो content creators हैं, influencers हैं, वे 5 मिनट की, विंटर टूरिज्म की प्रमोशन की फिल्म बनाएं, उनकी कंपटीशन हो और जो अच्छी से अच्छी बनाएं, उसको बढ़िया से बढ़िया इनाम दिया जाए, देशभर के लोगों को कहा जाए, आइए मैदान में, बहुत बड़ा प्रचार-प्रसार होना शुरू हो जाएगा। और मुझे विश्वास है जब ऐसे कंपटीशन करेंगे, तो नई-नई जगहों को एक्सप्लोर करके, नई-नई फिल्में बनाएंगे, लोगों को बताएंगे।

साथियों,

मुझे विश्वास है, आने वाले वर्षों में हम इस सेक्टर में तेज गति से विकास के साक्षी बनेंगे। एक बार फिर 365 दिन का, बारहमासी टूरिज्म अभियान, इसके लिए मैं उत्तराखंड के सभी भाई-बहनों को शुभकामनाएं देता हूं, बधाई देता हूं और राज्य सरकार का अभिनदंन करता हूं। आप सब मेरे साथ बोलिए-

गंगा मैया की जय।

गंगा मैया की जय।

गंगा मैया की जय।

बहुत-बहुत धन्यवाद।