QuoteDedicates National Atomic Timescale and Bhartiya Nirdeshak Dravya to the Nation
QuoteLays Foundation Stone of National Environmental Standards Laboratory
QuoteUrges CSIR to interact with students to inspire them become future scientists
QuoteBhartiya Nirdeshak Dravya’s 'Certified Reference Material System' would help in improving the Quality of Indian products
QuoteExhorts Scientific Community to Promote ‘value creation cycle’ of Science, Technology and Industry
QuoteStrong Research will Lead to Stronger Brand India: PM

કેન્દ્રીય મંત્રીમંડળમાં મારા સાથી ડૉક્ટર હર્ષવર્ધનજી, મુખ્ય વૈજ્ઞાનિક સલાહકાર ડૉક્ટર વિજય રાઘવનજી, સીએસઆઈઆરના વડા ડૉક્ટર શેખર સી માંડેજી, વિજ્ઞાન જગતના અન્ય તમામ મહાનુભવ, દેવીઓ અને સજ્જનો!

નેશનલ ફિઝિકલ લેબોરેટરીની પ્લેટિનમ જ્યુબિલી સમારોહની આપ સૌને ખૂબ-ખૂબ શુભેચ્છાઓ. આજે આપણાં વૈજ્ઞાનિકો નેશનલ એટમિક ટાઈમ સ્કેલ અને ભારતીય નિર્દેશક દ્રવ્ય પ્રણાલી રાષ્ટ્રને અર્પિત કરી રહ્યા છે, અને સાથે-સાથે જ દેશની સૌપ્રથમ નેશનલ એન્વાયર્ન્મેન્ટલ સ્ટેન્ડર્ડ લેબીરેટરીનો શિલાન્યાસ પણ કરવામાં આવ્યો છે. નવા દાયકામાં આ શુભારંભ, દેશનું ગૌરવ વધારનારો છે.

સાથીઓ,

નવું વર્ષ પોતાની સાથે એક બીજી મોટી ઉપલબ્ધિ લઈને આવ્યું છે. ભારતના વૈજ્ઞાનિકોએ એક નહિ બે-બે મેઇડ ઇન ઈન્ડિયા કોવિડ રસી વિકસિત કરવામાં સફળતા પ્રાપ્ત કરી છે. ભારતમાં દુનિયાનો સૌથી મોટો કોવિડ વેક્સિન પ્રોગ્રામ પણ શરૂ થવા જઈ રહ્યો છે. તેની માટે દેશને પોતાના વૈજ્ઞાનિકોના યોગદાન ઉપર ખૂબ ગર્વ છે, દરેક દેશવાસી આપ સૌ વૈજ્ઞાનિકો પ્રત્યે, ટેક્નિશિયનો પ્રત્યે, સૌ માટે કૃતજ્ઞ છે.

સાથીઓ,

આજે તે સમયને પણ યાદ કરવાનો દિવસ છે જ્યારે આપણાં વૈજ્ઞાનિક સંસ્થાનોમાં, આપ સૌએ કોરોના સામે મુકાબલો કરવા માટે, રસીને વિકસિત કરવા માટે દિવસ રાત એક કરી નાંખી હતી. સીએસઆઈઆર સહિત અન્ય સંસ્થાનોએ સાથે મળીને દરેક પડકારનો સામનો કર્યો, નવી નવી પરિસ્થિતિઓના સમાધાન શોધ્યા.

તમારા આ જ સમર્પણ વડે આજે દેશમાં પોતાના આ વૈજ્ઞાનિક સંસ્થાનો પ્રત્યે જાગૃત અને સન્માનનો એક નવો ભાવ ઉત્પન્ન થયો છે. આપણાં યુવાનો આજે સીએસઆઈઆર જેવા સંસ્થાનો વિષે હજી વધારે જાણવા સમજવા માંગી રહ્યા છે. એટલા માટે હું ઇચ્છીશ કે સીએસઆઈઆરના વૈજ્ઞાનિક, દેશની વધુમાં વધુ શાળાઓ સાથે, વિદ્યાર્થી વિદ્યાર્થિનીઓ સાથે સંવાદ કરે. કોરોના કાળમાં પોતાના અનુભવોને અને આ સંશોધન ક્ષેત્રમા કરવામાં આવેલ કામોને નવી પેઢી સાથે વહેંચે. તેના દ્વારા આવનાર સમયમાં તમને યુવા વૈજ્ઞાનિકોની નવી પેઢી તૈયાર કરવામાં, તેમને પ્રેરિત કરવામાં બહુ મોટી મદદ મળશે.

|

સાથીઓ,

થોડા સમય પહેલા સાડા 7 દાયકાની તમારી સિદ્ધિઓનો અહિયાં ઉલ્લેખ થયો છે. આ વર્ષો દરમિયાન આ સંસ્થાનની અનેક મહાન વિભૂતિઓએ દેશની ઉત્તમમાં ઉત્તમ સેવા કરી છે. અહિયાથી નીકળેલા સમાધાનોએ દેશનો પથ પ્રશસ્ત કર્યો છે. સીએસઆઈઆઈ એનપીએલએ દેશના વિકાસની વૈજ્ઞાનિક ઉત્ક્રાંતિ અને ઇ-વેલ્યુએશન બંનેમાં પોતાની મહત્વની ભૂમિકા નિભાવી છે. વિતેલા વર્ષોની સિદ્ધિઓ અને ભવિષ્યના પડકારો પર ચર્ચા કરવા માટે આજે અહિયાં કોંકલેવ પણ આયોજિત થઈ રહી છે.  

સાથીઓ,

તમે જ્યારે પાછળ ફરીને જુઓ છો તો તમારી શરૂઆત ગુલામીમાંથી બહાર નીકળેલા ભારતના નવ નિર્માણ માટે કરવામાં આવી હતી. સમયની સાથે તમારી ભૂમિકામાં વધારે વિસ્તરણ થયું છે, હવે દેશની સામે નવા લક્ષ્યો છે, નવા ગંતવ્યો પણ છે. દેશ વર્ષ 2022માં પોતાની સ્વતંત્રતાના 75 વર્ષ પૂર્ણ કરી રહ્યો છે, વર્ષ 2047માં આપણી આઝાદીના 100 વર્ષ પૂરા થશે. આ સમયગાળા દરમિયાન આપણે આત્મનિર્ભર ભારતના નવા સંકલ્પોને ધ્યાનમાં રાખીને નવા માનાંક, નવા માપદંડો – ન્યુ સ્ટેન્ડર્ડ, નવા સીમા સ્તંભોને સ્થાપિત કરવાની દિશામાં આગળ વધવાનું જ છે.

સાથીઓ,

સીએસઆઈઆર-એનપીએલ તો ભારતનું એક રીતે સમય સંરક્ષક છે. એટલે કે ભારતના સમયની દેખરેખ, વ્યવસ્થા તમારા માથે જ છે. જ્યારે સમયની જવાબદારી તમારી છે તો સમયનું પરિવર્તન પણ તમારા વડે જ શરૂ થશે. નવા સમયનું નવા ભવિષ્યનું નિર્માણ પણ તમારી પાસેથી જ દિશા મેળવશે.

સાથીઓ,

આપણો દેશ દાયકાઓથી ગુણવત્તા અને માપદંડ માટે વિદેશી માનાંક પર નિર્ભર રહ્યો છે. પરંતુ આ દાયકામાં ભારતે પોતાના માનાંકોને નવી ઊંચાઈ આપવી પડશે. આ દાયકામાં ભારતની ગતિ, ભારતની પ્રગતિ, ભારતનું ઉત્થાન, ભારતની છબી, ભારતનું સામર્થ્ય, આપણું ક્ષમતા નિર્માણ, આપણાં માનાંકો વડે જ નિર્ધારિત થશે. આપણાં દેશમાં સેવાની ગુણવત્તા હોય, સરકારી ક્ષેત્ર અથવા તો પછી ખાનગી ક્ષેત્રમા, આપણાં દેશમાં ઉત્પાદનની ગુણવત્તા હોય, ભલે સરકાર બનાવે કે ખાનગી ક્ષેત્ર, આપણાં ગુણવત્તાના માનાંકો જ નક્કી કરશે કે દુનિયામાં ભારત અને ભારતના ઉત્પાદનોની તાકાત કેટલી વધારે વધશે.

|

સાથીઓ,

આ મેટ્રોલોજી, સાધારણ ભાષામાં કહીએ તો માપવા કરવાનું વિજ્ઞાન, તે કોઈપણ વૈજ્ઞાનિક સિદ્ધિ માટે પણ પાયાની જેમ કામ કરે છે. કોઈપણ સંશોધન માપ વિના આગળ નથી વધી શકતું. ત્યાં સુધી કે આપણે આપણી સિદ્ધિઓ પણ કોઈને કોઈ માપદંડ ઉપર જ માપવી પડે છે. એટલા માટે મેટ્રોલોજી આધુનિકતાનો પાયો છે. જેટલી વધુ સારી તમારી પદ્ધતિ હશે તેટલી જ વધારે સારી મેટ્રોલોજી હશે અને જેટલી વિશ્વસનીય મેટ્રોલોજી જે દેશની હશે તે દેશની વિશ્વસનીયતા દુનિયામાં તેટલી જ વધારે હશે. મેટ્રોલોજી આપણી માટે અરીસા સમાન હોય છે. દુનિયામાં આપણાં ઉત્પાદનો ક્યાં ઊભા રહે છે, આપણે ક્યાં સુધારો કરવાની જરૂર છે, આ ઓળખ, આ આંતરિક સંશોધન મેટ્રોલોજી દ્વારા જ તો શક્ય બને છે.

એટલા માટે આજે જ્યારે દેશ આત્મનિર્ભર ભારત અભિયાન, તેનો સંકલ્પ લઈને આગળ વધી રહ્યો છે, તો આપણે યાદ રાખવાનું છે કે તેનું લક્ષ્ય જથ્થો તો છે જ પરંતુ સાથે સાથે ગુણવત્તા પણ તેટલી જ મહત્વપૂર્ણ છે. એટલે કે સ્કેલ પણ વધે અને સાથે સાથે સ્ટેન્ડર્ડ પણ વધે. આપણે દુનિયાને માત્ર ભારતીય ઉત્પાદનો વડે ભરવાની જ નથી, ઢગલા નથી ઊભા કરવાના. આપણે ભારતીય ઉત્પાદન ખરીદનાર ગ્રાહકોના દિલ પણ જીતવાના છે અને દુનિયાના દરેક ખૂણામાં દિલ જીતવાના છે. મેઇડ ઇન ઈન્ડિયાની માત્ર વૈશ્વિક માંગ જ ના હોય પરંતુ વૈશ્વિક સ્વીકૃતિ પણ હોય, આપણે એ બાબતની ખાતરી કરવાની છે. આપણે બ્રાન્ડ ઈન્ડિયાને ગુણવત્તા, વિશ્વસનીયતાના મજબૂત સ્તંભો પર વધારે મજબૂત બનાવવાની છે.

સાથીઓ,

મને ખુશી છે કે ભારત હવે આ દિશામાં ઝડપથી આગળ વધી રહ્યું છે. આજે ભારત દુનિયાના તે દેશોમાંથી એક છે જેમની પાસે પોતાની નેવિગેશન સિસ્ટમ છે. નાવિક વડે ભારતે આ સિદ્ધિ પ્રાપ્ત કરી બતાવી છે. આજે આ જ દિશામાં બીજું એક મોટું પગલું ભરવામાં આવ્યું છે. આજે જે ભારતીય નિર્દેશક દ્રવ્યનું લોકાર્પણ કરવામાં આવ્યું છે, તે આપણાં ઉદ્યોગ જગતને ગુણવત્તાયુક્ત ઉત્પાદનો બનાવવા માટે પ્રોત્સાહિત કરશે. હવે ખાદ્યાન્ન, એડીબલ, ખનીજ તેલ, ખનીજ, ભારે ધાતુ, પેસ્ટીસાઇડ્સ, ફાર્મા અને ટેક્સટાઇલ જેવા અનેક ક્ષેત્રોમાં આપણાં “સર્ટિફાઇડ રેફરન્સ મટિરિયલ સિસ્ટમ’ને મજબૂત કરવાની દિશામાં આપણે ઝડપથી આગળ વધી રહ્યા છીએ. હવે આપણે એ સ્થિતિ બાજુ આગળ વધી રહ્યા છીએ કે જ્યાં ઉદ્યોગ નિયંત્રણ કેન્દ્રી અભિગમને બદલે ગ્રાહક કેન્દ્રી અભિગમ બાજુ વળે. આ નવા માનાંકો વડે દેશભરના જિલ્લાઓમાં ત્યાંનાં સ્થાનિક ઉત્પાદનને વૈશ્વિક ઓળખ અપાવવાનું અભિયાન છે, તેને ઘણો લાભ મળશે. તેનાથી આપણાં એમએસએમઇ ક્ષેત્રને વિશેષ લાભ મળશે. કારણ કે બહારની જે મોટી ઉત્પાદન કંપનીઓ ભારતમાં આવી રહી છે, તેમને અહિયાં આગળ જ આંતરરાષ્ટ્રીય માનાંકની સ્થાનિક પુરવઠા શૃંખલા મળશે.

સૌથી મોટી વાત, નવા માનાંકો વડે નિકાસ અને આયાત, બંનેની ગુણવત્તા નક્કી કરવામાં આવશે. તેનાથી ભારતના સામાન્ય ગ્રાહકોને પણ સારો સમાન મળશે, નિકાસકારની મુશ્કેલી પણ હળવી થશે. એટલે કે આપણું ઉત્પાદન, આપણી ચીજવસ્તુઓ, ગુણવત્તામાં જેટલા વધારે સારા હશે, તેટલી જ તાકાત દેશની અર્થવ્યવસ્થાને મળશે.

સાથીઓ,

અતિતથી લઈને વર્તમાન સુધી તમે ગમે તે સમયમાં જુઓ, જે દેશે વિજ્ઞાનને જેટલું આગળ વધાર્યું છે, તે દેશ તેટલો જ આગળ વધ્યો છે. આ વિજ્ઞાન, ટેકનોલોજી અને ઉદ્યોગનું ‘મૂલ્ય નિર્માણ ચક્ર’ છે. વિજ્ઞાન દ્વારા કોઈ સંશોધન થાય છે, તો તેના જ પ્રકાશમાં ટેકનોલોજી વિકસિત થતી હોય છે અને ટેકનોલોજી દ્વારા ઉદ્યોગ ઊભો થાય છે, નવા ઉત્પાદનો તૈયાર થાય છે, નવી વસ્તુઓ નીકળે છે, નવા ઉત્પાદનો નીકળે છે.

ઉદ્યોગો ફરી નવા સંશોધન માટે વિજ્ઞાનમાં રોકાણ કરે છે. અને આ ચક્ર નવી સંભાવનાઓની દિશામાં આગળ વધ્યા કરે છે. સીએસઆઈઆર એનપીએલ દ્વારા ભારતના આ મૂલ્ય ચક્રને આગળ વધારવા માટે મહત્વની ભૂમિકા નિભાવવામાં આવી છે. આજે જ્યારે દેશ આત્મનિર્ભર ભારતના લક્ષ્યને લઈને આગળ વધી રહ્યું છે, ત્યારે વિજ્ઞાન વડે બહોળા ઉત્પાદનના આ મૂલ્ય નિર્માણના ચક્રનું મહત્વ વધારે વધી જાય છે. એટલા માટે સીએસઆઈઆરે તેમાં મોટી ભૂમિકા નિભાવવી પડશે.

સાથીઓ,

સીએસઆઈઆર એનપીએલે આજે જે નેશનલ એટમિક ટાઈમસ્કેલ દેશને સમર્પિત કર્યો છે, તેનાથી ભારત નેનો સેકન્ડ એટલે કે એક સેકન્ડના 1 અરબમા હિસ્સા સુધીના ભાગને માપવા માટે પણ આત્મનિર્ભર બની ગયું છે. 2.8 નેનો સેકન્ડનું આ ચોકસાઇ સ્તર હાંસલ કરવું, એ પોતાનામાં જ એક બહુ મોટું સામર્થ્ય છે. હવે આંતરરાષ્ટ્રીય સ્ટેન્ડર્ડ ટાઈમને આપણો ભારતીય સ્ટેન્ડર્ડ ટાઈમ 3 નેનો સેકન્ડ કરતાં પણ ઓછાના ચોકસાઇ સ્તર સાથે મેળ ખાઈ રહ્યો છે. તેનાથી ઇસરો સહિત આપણાં જેટલા પણ સંસ્થાન કટિંગ એજ ટેકનોલોજીમાં કામ કરી રહ્યા છે તેમને ઘણી મદદ મળવાની છે. તેનાથી બેંકિંગ, રેલવે, ડિફેન્સ, આરોગ્ય, ટેલિકોમ, હવામાન આગાહી, કુદરતી આપત્તિ વ્યવસ્થાપન, એમ અગણિત ક્ષેત્ર સાથે જોડાયેલ આધુનિક ટેકનોલોજીમાં ઘણી મદદ મળશે. એટલું જ નહિ, આપણે જે ઇન્ડસ્ટ્રી ફોર પોઈન્ટ ઝીરોની વાત કરીએ છીએ તે ઇન્ડસ્ટ્રી ફોર પોઈન્ટ ઝીરો માટે પણ ભારતની ભૂમિકાને સશક્ત કરશે.

સાથીઓ,

આજનું ભારત પર્યાવરણની દિશામાં વિશ્વનું નેતૃત્વ કરવા તરફ આગળ વધી રહ્યું છે. પરંતુ હવાની ગુણવત્તા અને ઉત્સર્જન માપવા માટેની ટેક્નોલોજીથી લઈને સાધનો સુદ્ધાં માટે આપણે બીજાઓ ઉપર નિર્ભર રહ્યા છીએ. આજે આમાં પણ આત્મનિર્ભરતા માટે આપણે એક મોટું પગલું ભર્યું છે. તેનાથી ભારતમાં પ્રદૂષણ સામે લડવા માટે વધુ સસ્તી અને અસરકારક વ્યવસ્થા તો વિકસિત થશે જ, સાથે સાથે હવાની ગુણવત્તા અને ઉત્સર્જન સાથે જોડાયેલ ટેકનોલોજીના વૈશ્વિક બજારમાં પણ ભારતની ભાગીદારી વધી જશે. આપણાં વૈજ્ઞાનિકોના જ સતત પ્રયાસો વડે ભારત આજે આ સિદ્ધિ હાંસલ કરી રહ્યું છે.

સાથીઓ,

કોઈપણ પ્રગતિશીલ સમાજમાં સંશોધન જીવનનો એક સહજ સ્વભાવ પણ હોય છે, અને સહજ પ્રક્રિયા પણ હોય છે. સંશોધનની અસરો વ્યાવસાયિક પણ હોય છે, સામાજિક પણ હોય છે અને સંશોધન આપણાં જ્ઞાનને, આપણી સમજણને વિસ્તૃત કરવા માટેના કામમાં પણ આવે છે. ઘણી વાર સંશોધન કરતી વખતે આ બાબતનો અંદાજો નથી હોતો કે અંતિમ લક્ષ્ય સિવાય પણ તે અન્ય કઈ દિશામાં જશે, ભવિષ્યમાં તે બીજા કયા કામમાં આવશે. પરંતુ એટલું નક્કી છે કે સંશોધન, જ્ઞાનનો નવો અધ્યાય ક્યારેય પણ વ્યર્થ નથી જતો હોતો. આપણે ત્યાં શસ્ત્રોમાં જેમ કે કહેવામાં આવ્યું છે ને કે આત્મા ક્યારેય મરતી નથી. હું માનું છું કે સંશોધન પણ ક્યારેય મરતું નથી. ઇતિહાસમાં આવા કેટલાય ઉદાહરણો છે જે, ફાધર ઓફ જીનેટિક્સ મેંડલના કામને ઓળખ ક્યારે મળી? તેમના ગયા પછી. નિકોલા ટેસ્લાના કામની ક્ષમતા પણ ઘણા સમય પછી દુનિયા પૂરી રીતે સમજી શકી. અનેક સંશોધન આપણે જે દિશામાં, જે ઉદ્દેશ્ય સાથે કરી રહ્યા હોઈએ છીએ તે પૂરા નથી થઈ શકતા. પરંતુ તે જ સંશોધન કોઈ અન્ય ક્ષેત્રમાં અગ્રણી બની જતાં હોય છે. ઉદાહરણ તરીકે જોઈએ તો, જગદીશ ચંદ્ર બોઝજીએ કોલકાતાના પ્રેસિડેન્સી કોલેજમાં માઇક્રોવેવના સિદ્ધાંતને રજૂ કર્યો, સર બોઝ તેના વ્યાવસાયિક ઉપયોગની દિશામાં આગળ ના વધ્યા, પરંતુ આજે રેડિયો કમ્યુનિકેશન સિસ્ટમ તે જ સિદ્ધાંત ઉપર ઊભું છે. વિશ્વ યુદ્ધના સમયે જે સંશોધન યુદ્ધ માટે હતું અથવા સૈનિકોને બચાવવા માટે થયું હતું પાછળથી તેમણે જ જુદા જુદા ક્ષેત્રોમાં ક્રાંતિ લાવી દીધી હતી. ડ્રોન પણ પહેલા યુદ્ધ માટે જ બનાવવામાં આવ્યા હતા. પરંતુ આજે ડ્રોન વડે ફોટો શુટ પણ થઈ રહ્યા છે, અને સામાનની ડિલિવરી પણ થઈ રહી છે. એટલા માટે આજે એ જરૂરી છે કે આપણાં વૈજ્ઞાનિકો, અને ખાસ કરીને યુવાન વૈજ્ઞાનિકો સંશોધનના ક્રોસ યુટીલાઈઝેશનની પ્રત્યેક સંભાવનાની શોધ કરે. તેમના ક્ષેત્રની બહાર તેમના સંશોધનનો કઈ રીતે પ્રયોગ થઈ શકે છે, તેવી વિચારધારા હંમેશા રહેવી જોઈએ.

સાથીઓ,

તમારું નાનકડું સંશોધન કઈ રીતે દુનિયાનું ભવિષ્ય બદલી શકે છે, અનેક ઉદાહરણો છે દુનિયામાં જો વીજળીનું જ ઉદાહરણ લઈ લઈએ. આજે જીવનનો કોઈ એવો હિસ્સો નથી કોઈ એવું પાસું નથી જ્યાં વીજળી વિના ગુજારો થઈ શકે તેમ છે. વાહનવ્યવહાર હોય, કમ્યુનિકેશન હોય, ઉદ્યોગ હોય કે પછી રોજબરોજનું જીવન, બધુ જ વીજળી સાથે જોડાયેલું છે. એક સેમી કંડકટરની શોધથી દુનિયા એટલી બદલાઈ ગઈ છે. એક ડિજિટલ ક્રાંતિએ આપણાં જીવનને કેટલી સમૃદ્ધ કરી દીધી છે. એવી કેટલીય સંભાવનાઓ આ નવા ભવિષ્યમાં આપણાં યુવાન સંશોધકો સામે પડી છે. આવનારું ભવિષ્ય આજથી તદ્દન જુદું જ હશે. અને આ દિશામાં તે એક સંશોધન, તે એક આવિષ્કાર તમારે જ કરવાનો છે. છેલ્લા છ વર્ષોમાં દેશે તેની માટે નવી રીતે ફ્યુચર રેડી ઇકો સિસ્ટમ બનાવવાની દિશામાં કામ કર્યું છે. આજે ભારત વૈશ્વિક ઇનોવેશન રેન્કિંગમાં દુનિયાના ટોચના 50 દેશોમાં છે. આજે બહર્ટમાં ઇન્ડસ્ટ્રી અને સંસ્થાનોની વચ્ચે સંગઠન પણ મજબૂત કરવામાં આવી રહ્યું છે. દુનિયાની મોટી મોટી કંપનીઓ પણ ભારતમાં પોતાના સંશોધન કેન્દ્રો અને સુવિધાઓ સ્થાપિત કરી રહી છે. વિતેલા વર્ષોમાં આ સુવિધાઓની સંખ્યા ઘણી વધારે થઈ ગઈ છે.

એટલા માટે સાથીઓ,

આજે ભારતના યુવાનોની પાસે સંશોધન અને ઇનોવેશનમાં અસીમ સંભાવનાઓ છે. પરંતુ આજે આપણી માટે જેટલું ઇનોવેશન ગંભીર છે, તેટલું જ મહત્વપૂર્ણ છે ઇનોવેશનને સંસ્થાગત સ્વરૂપ આપવાનું. તે કઈ રીતે થાય, બૌદ્ધિક સંપદાની સુરક્ષા કઈ રીતે થાય, તે પણ આજે આપણાં યુવાનોને શીખવાનું છે. આપણે એ યાદ રાખવાનું છે કે આપણાં જેટલા પેટન્ટ હશે તેટલો જ ઉપયોગ આપણાં આ પેટન્ટનો હશે, આપણું સંશોધન જેટલા ક્ષેત્રોમાં નેતૃત્વ કરશે તેટલી જ ઓળખ મજબૂત થશે. તેટલું જ બ્રાન્ડ ઈન્ડિયા મજબૂત થશે. આપણે સૌએ કર્મણ્યે વાધિકારસ્તે માં ફલેષુ કદાચન્ ના મંત્રથી ઉર્જા લઈને તે કર્મમાં જોડાયેલા રહેવાનું છે. અને કદાચ આ મંત્રને જો કોઈએ જીવનમાં ઉતાર્યો છે તો મને હંમેશા લાગે છે કે વૈજ્ઞાનિકોએ ઉતાર્યો છે. તેમને એવું જ મન રહેતું હોય છે કે તેઓ લેબોરેટરીમાં એક ઋષિની જેમ તપસ્યા કરતાં રહે છે. ‘કર્મણ્યે વાધિકારસ્તે માં ફલેષુ કદાચન્’ કર્મ કરતાં રહો ફળ મળે કે ના મળે તે લાગેલો રહે છે. તમે માત્ર ભારતના વિજ્ઞાન અને ટેકનોલોજીના જ કર્મયોગીઓ નથી પરંતુ આપ 130 કરોડ કરતાં વધુ ભારતીયોની આશાઓ અને અપેક્ષાઓની પૂર્તિ માટેના પણ સાધક છો. તમે સફળ થતાં રહો, આ જ કામના સાથે તમને નવા વર્ષની ફરીથી ખૂબ ખૂબ શુભકામનાઓ આપું છું.

ખૂબ ખૂબ આભાર!

 

  • G.shankar Srivastav June 20, 2022

    नमस्ते
  • शिवकुमार गुप्ता February 26, 2022

    जय श्री राम
  • शिवकुमार गुप्ता February 26, 2022

    जय श्री सीताराम
Explore More
78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ
Laying the digital path to a developed India

Media Coverage

Laying the digital path to a developed India
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
This decade is becoming the decade of Uttarakhand: PM Modi at Harsil
March 06, 2025
QuoteBlessed to be in Devbhoomi Uttarakhand once again: PM
QuoteThis decade is becoming the decade of Uttarakhand: PM
QuoteDiversifying our tourism sector, making it perennial, is very important for Uttarakhand: PM
QuoteThere should not be any off season, tourism should be on in every season in Uttarakhand: PM
QuoteOur governments at Center and state are working together to make Uttarakhand a developed state: PM

गंगा मैया की जय।

गंगा मैया की जय।

गंगा मैया की जय।

भारत माता की जय।

भारत माता की जय।

भारत माता की जय!

उत्तराखंड का म्यारा प्यारा भै-वैण्यों, आप सबी तैं मेरी सेवा-सौंली, नमस्कार!

यहां के ऊर्जावान मुख्यमंत्री, मेरे छोटे भाई पुष्कर सिंह धामी जी, केंद्रीय मंत्री श्री अजय टम्टा जी, राज्य के मंत्री सतपाल महाराज जी, संसद में मेरे साथी और भारतीय जनता पार्टी के प्रदेश अध्यक्ष महेंद्र भट्ट जी, संसद में मेरे साथी माला राज्य लक्ष्मी जी, विधायक सुरेश चौहान जी, सभी गणमान्य लोग, भाइयों और बहनों।

सबसे पहले मैं माणा गांव में कुछ दिन पहले जो हादसा हुआ है, उस पर अपना दु:ख व्यक्त करता हूं। मैं हादसे में जान गंवाने वाले साथियों के परिवारों के प्रति अपनी संवेदना प्रकट करता हूं। संकट की घड़ी में देश के लोगों ने जो एकजुटता दिखाई है, उससे पीड़ित परिवारों को बहुत हौसला मिला है।

|

साथियों,

उत्तराखंड की ये भूमि, हमारी ये देवभूमि, आध्यात्मिक ऊर्जा से ओतप्रोत है। चार धाम और अनंत तीर्थों का आशीर्वाद, जीवनदायिनी मां गंगा का ये शीतकालीन गद्दी स्थल, आज एक बार फिर यहाँ आकर, आप सब अपने परिवारजनों से मिलकर, मैं धन्य हो गया हूं। माँ गंगा की कृपा से ही मुझे दशकों तक उत्तराखंड की सेवा का सौभाग्य मिला है। मैं मानता हूँ, उन्हीं के आशीर्वाद से मैं काशी तक पहुंचा, और अब सांसद के रूप में काशी की सेवा कर रहा हूँ। और इसलिए, मैंने काशी में कहा भी था- मुझे माँ गंगा ने बुलाया है। और कुछ महीने पहले मुझे ये भी अनुभूति हुई कि जैसे मां गंगा ने मुझे अब गोद ले लिया है। ये माँ गंगा की ही दुलार है। अपने इस बच्चे के प्रति उनका स्नेह है कि आज मैं उनके मायके मुखवा गांव आया हूँ। यहाँ मुझे मुखीमठ-मुखवा में दर्शन पूजन का भी सौभाग्य प्राप्त हुआ है।

साथियों,

आज हर्षिल की इस धरती पर आया हूं तो मैं अपनी दीदी-भुलियों के स्नेह को भी याद कर रहा हूं। वो मुझे हर्षिल का राजमा और दूसरे लोकल प्रोडक्ट्स भेजती रहती हैं। आपके इस लगाव और उपहार के लिए मैं आपका आभारी हूं।

साथियों,

कुछ साल पहले जब मैं बाबा केदारनाथ के दर्शन के लिए, बाबा के चरणों में गया था, तो बाबा के दर्शन-अर्चन के बाद मेरे मुंह से अचानक कुछ भाव प्रकट हुए थे, और मैं बोल पड़ा था- ये दशक उत्तराखंड का दशक होगा। वो शब्द मेरे थे, भाव मेरे थे, लेकिन उनके पीछे सामर्थ्य देने की शक्ति स्वयं बाबा केदारनाथ ने दी थी। मैं देख रहा हूँ, बाबा केदार के आशीर्वाद से धीरे-धीरे वो शब्द, वो भाव सच्चाई में, हकीकत में बदल रहे हैं। ये दशक उत्तराखंड का बन रहा है। यहां उत्तराखंड की प्रगति के लिए नए-नए रास्ते खुल रहे हैं। जिन आकांक्षाओं को लेकर उत्तराखंड का जन्म हुआ था, उत्तराखंड के विकास के लिए जो संकल्प हमने लिए थे, नित नई सफलताओं और नए लक्ष्यों की ओर बढ़ते हुए वो संकल्प आज पूरे हो रहे हैं। इसी दिशा में, शीतकालीन पर्यटन एक और बड़ा महत्वपूर्ण कदम है। इसके माध्यम से उत्तराखंड के आर्थिक सामर्थ्य को साकार करने में बहुत बड़ी मदद मिलेगी। मैं इस अभिनव प्रयास के लिए धामी जी को, उत्तराखंड सरकार को बहुत-बहुत बधाई देता हूँ, और उत्तराखंड की प्रगति के लिए कामना करता हूँ।

|

साथियों,

अपने टूरिज्म सेक्टर को diversify करना, बारहमासी बनाना, 365 दिन, ये उत्तराखंड के लिए बहुत जरूरी है। मैं चाहता हूं कि उत्तराखंड में कोई भी सीजन हो, कोई भी सीजन ऑफ सीजन ना हो, हर सीजन में टूरिज्म ऑन रहे। अब ऑफ नहीं ऑन का जमाना। अभी पहाड़ों पर पर्यटन सीजन के हिसाब से चलता है। आप सब जानते हैं, मार्च, अप्रैल, मई, जून के महीने में बड़ी संख्या में पर्यटक आते हैं, लेकिन इसके बाद उनकी गिनती बहुत कम हो जाती है। सर्दियों में अधिकतर होटल्स, resorts और होमस्टे खाली पड़े रहते हैं। ये असंतुलन उत्तराखंड में, साल के एक बड़े हिस्से में आर्थिक सुस्ती ला देता है, इससे पर्यावरण के लिए भी चुनौती पैदा होती है।

साथियों,

सच्चाई ये है कि अगर देश-विदेश के लोग सर्दियों के मौसम में यहाँ आएं, तो उन्हें सच्चे अर्थ में देवभूमि की आभा का वास्तविक परिचय मिलेगा। विंटर टूरिज्म में यहां लोगों को ट्रैकिंग, स्कीइंग जैसी Activities का रोमांच, सचमुच में रोमांचित कर देगा। धार्मिक यात्रा के लिए भी उत्तराखंड में सर्दियों का समय बेहद खास होता है। कई तीर्थ स्थलों पर इसी समय विशेष अनुष्ठान भी होते हैं। यहां मुखवा गांव में ही देखिए, यहाँ जो धार्मिक अनुष्ठान किया जाता है, वो हमारी प्राचीन और अद्भुत परंपरा का हिस्सा है। इसलिए, उत्तराखंड सरकार का बारहमासी पर्यटन का विजन, 365 दिन के पर्यटन का विजन लोगों को दिव्य अनुभूतियों से जुड़ने का अवसर देगा। इससे यहां साल भर उपलब्ध रहने वाले रोजगार के अवसर विकसित होंगे, इसका बड़ा फायदा उत्तराखंड के स्थानीय लोगों को होगा, यहां के युवाओं को होगा।

साथियों,

उत्तराखंड को विकसित राज्य बनाने के लिए हमारी डबल इंजन सरकार मिलकर काम कर रही हैं। चारधाम-ऑल वेदर रोड, आधुनिक एक्सप्रेस-वे, राज्य में रेलवे, विमान औऱ हेलीकॉप्टर सेवाओं का विस्तार, 10 वर्षों में उत्तराखंड में तेजी से विकास हुआ है। अभी कल ही उत्तराखंड के लिए केंद्र सरकार ने बहुत बड़े निर्णय लिए हैं। कल केंद्रीय कैबिनेट ने केदारनाथ रोपवे प्रोजेक्ट और हेमकुंड रोपवे प्रोजेक्ट को मंजूरी दे दी है। केदारनाथ रोपवे बनने के बाद जो यात्रा 8 से 9 घंटे में पूरी होती है, अब उसे लगभग 30 मिनट में पूरा किया जाएगा। इससे बुजुर्गों, बच्चों, महिलाओं के लिए केदारनाथ यात्रा और सुगम हो जाएगी। इन रोप-वे प्रोजेक्ट्स पर हजारों करोड़ रुपए खर्च किए जाएंगे। मैं उत्तराखंड समेत पूरे देश को इन प्रोजेक्ट्स की बधाई देता हूं।

|

साथियों,

आज पहाड़ों पर इको लॉग हट्स, कन्वेंशन सेंटर, हेलीपैड इंफ्रास्ट्रक्चर पर फोकस भी किया जा रहा है। उत्तराखंड के टिम्मर-सैण महादेव, माणा गांव, जादुंग गांव में टूरिज्म इंफ्रास्ट्रक्चर नए सिरे से विकसित हो रहा है, और देशवासियों को पता होगा, शायद नहीं होगा, 1962 में जब चीन ने भारत पर आक्रमण किया, तब ये हमारा जादुंग गांव को खाली करवा दिया गया था, ये हमारे दो गांव खाली कर दिए गए थे। 60-70 साल हो गए, लोग भूल गए, हम नहीं भूल सकते, हमने उन दो गांवों को फिर से बसाने का अभियान चलाया है, और बहुत बड़ा टूरिस्ट डेस्टिनेशन बनाने की दिशा में हम आगे बढ़ रहे हैं। और इसी का परिणाम है कि उत्तराखंड में पर्यटकों की संख्या इस एक दशक में तेजी से बढ़ी है। 2014 से पहले चारधाम यात्रा पर हर साल औसतन 18 लाख यात्री आते थे। अब हर साल लगभग 50 लाख तीर्थयात्री आने लगे हैं। इस साल के बजट में 50 Tourist destinations को विकसित करने का प्रावधान किया गया है। इन destinations पर होटलों को इंफ्रास्ट्रक्चर का दर्जा दिया जाएगा। इससे पर्यटकों के लिए सुविधाएं बढ़ेंगी और स्थानीय रोजगार को भी बढ़ावा मिलेगा।

साथियों,

हमारा प्रयास है, उत्तराखंड के बॉर्डर वाले इलाकों को भी पर्यटन का विशेष लाभ मिले। पहले सीमावर्ती गांवों को आखिरी गाँव कहा जाता था। हमने ये सोच बदल दी, हमने कहा ये आखिरी गांव नहीं है, ये हमारे प्रथम गाँव कहा। उनके विकास के लिए वाइब्रेंट विलेज प्रोग्राम शुरू किया। इस क्षेत्र के भी 10 गांव इस योजना में शमिल किए गए हैं, और मुझे बताया गया, उस गांव से भी कुछ बंधु आज यहां हमारे सामने मौजूद हैं। नेलांग और जादुंग गांव, जिसका मैंने वर्णन किया, 1962 में क्या हुआ था, फिर से बसाने का काम शुरू किया गया है। आज यहां से जादुंग के लिए मैंने अभी-अभी बाइक रैली को रवाना किया। हमने होमस्टे बनाने वालों को मुद्रा योजना का लाभ देने का ऐलान किया है। उत्तराखंड सरकार भी राज्य में होमस्टे को बढ़ावा देने में जुटी है। जो गांव इतने दशकों तक इंफ्रास्ट्रक्चर से वंचित रहें, वहाँ नए होमस्टे खुलने से पर्यटन बढ़ रहा है, लोगों की आय बढ़ रही है।

साथियों,

आज मैं देवभूमि से, देश के पूरब-पश्चिम-उत्तर-दक्षिण, और मध्य भी, हर कोने के लोगों से, खासकर युवा पीढ़ी से, और मां गंगा के मायके से, इस पवित्र भूमि से, देश की नौज़वान पीढ़ी को विशेष रूप से आह्वान कर रहा हूं, आग्रह कर रहा हूं।

|

साथियों,

सर्दियों में देश के बड़े हिस्से में जब कोहरा होता है, सूर्यदेव के दर्शन नहीं होते, तब पहाड़ों पर धूप का आनंद मिल रहा होता है। ये एक स्पेशल इवेंट बन सकता है। और गढ़वाली में इसे क्या कहेंगे? 'घाम तापो पर्यटन', सही है ना? 'घाम तापो पर्यटन'। इसके लिए देश के कोने-कोने से लोग उत्तराखंड जरूर आयें। खासकर, हमारे कॉरपोरेट वर्ल्ड के साथी, वे विंटर टूरिज्म का हिस्सा बनें। Meetings करनी हों, conferences करनी हों, exhibitions करने हों, तो विंटर का समय और देवभूमि, इससे होनहार कोई जगह नहीं हो सकती है। मैं कॉरपोरेट वर्ल्ड के बड़े महानुभावों से भी आग्रह करूंगा, वो अपने बड़े-बड़े सेमिनार्स के लिए उत्तराखंड आएं, माइस सेक्टर को explore करें। यहाँ आकर लोग योग और आयुर्वेद के जरिए recharge और re-energise भी हो सकते हैं। देश की यूनिवर्सिटीज, प्राइवेट स्कूल्स और कॉलेज में, मैं उन सब नौज़वान साथियों से भी कहूंगा कि students के विंटर ट्रिप्स के लिए आप उत्तराखंड को पसंद कीजिए।

साथियों,

हमारे यहाँ हजारों करोड़ की इकोनॉमी, वेडिंग इकोनॉमी है, शादियों में हजारों करोड़ रूपये का खर्च होता है, बहुत बड़ी इकोनॉमी है। आपको याद होगा, मैंने देश के लोगों से आग्रह किया था- Wed in India, हिन्दुस्तान में शादी करों, आजकल लोग दुनिया के देशों में चले जाते हैं, यहां क्या कमी है भई? पैसे यहां खर्च करो ना, और उत्तराखंड से बढ़िया क्या हो सकता है। मैं चाहूँगा कि सर्दियों में destination वेडिंग के लिए भी उत्तराखंड को देशवासी प्राथमिकता दें। इसी तरह भारत की फिल्म इंडस्ट्री से भी मेरी अपेक्षाएं हैं। उत्तराखंड को मोस्ट फिल्म फ्रेंडली स्टेट का पुरस्कार मिला हुआ है। यहां तेजी के साथ आधुनिक सुविधाएं डेवलप हो रही हैं। इसलिए सर्दियों के दिनों में फिल्म की शूटिंग्स के लिए भी उत्तराखंड, पूरे भारत का फेवरेट डेस्टिनेशन बन सकता है।

साथियों,

दुनिया के कई देशों में विंटर टूरिज़्म काफी पॉपुलर है। उत्तराखंड में विंटर टूरिज़्म को बढ़ावा देने के, और इसके लिए हम ऐसे देशों से बहुत कुछ सीख सकते हैं। मैं चाहूँगा, उत्तराखंड के टूरिज़्म सेक्टर से जुड़े सभी स्टेकहोल्डर्स, होटल और resorts उन देशों की जरूर स्टडी करें। अभी मैं यहां, एक छोटी सी प्रदर्शनी लगी है, उसको मैंने देखा, बहुत प्रभावित करने वाला मुझे लगा, जो कल्पना की गई है, जो लोकेशंस तय किए गए हैं, जो आधुनिक रचनाएं खड़ी की जा रही हैं, एक-एक लोकेशन का, एक-एक चित्र इतना प्रभावित करने वाला था, जैसे मन कर रहा था, मेरे 50 साल पुरानी वो जिंदगी के दिन, मैं फिर एक बार यहां आपके बीच आकर के बिताऊ, और हर डेस्टिनेशन पर कभी जाने का मौका तलाशू, इतने बढ़िया बना रहे हैं। मैं उत्तराखंड सरकार से कहूंगा कि जो विदशों से स्टडी हो, और स्टडी से निकले एक्शनेबल प्वाइंट्स पर सक्रिय रूप से काम करे। हमें स्थानीय परंपराओं, म्यूजिक, डांस और कुजीन को बढ़ावा देना होगा। यहां कई हॉट स्प्रिंग्स हैं, सिर्फ बद्रीनाथ जी में ही है, ऐसा नहीं है, और भी है, उन क्षेत्रों को वेलनेस स्पा के रूप में भी विकसित किया जा सकता है। शांत और बर्फीले क्षेत्रों में विंटर योगा रिट्रीट का आयोजन किया जा सकता है। मैं सभी बड़े-बड़े साधु-महात्माओं को, मठ-मंदिर के मठाधिपतियों को, सभी योगाचार्यों को, उनसे भी आग्रह करूंगा कि वे साल में एक योगा कैंप अपने शिष्यों का, विंटर में उत्तराखंड में लगाए। विंटर सीजन के लिए स्पेशल वाइल्ड लाइफ सफारी का आकर्षण उत्तराखंड की विशेष पहचान बन सकता है। यानि हमें 360 डिग्री अप्रोच के साथ आगे बढ़ना होगा, हर स्तर पर काम करना होगा।

|

साथियों,

सुविधाओं के विकास के अलावा, लोगों तक जानकारी पहुंचाना भी उतना ही अहम होता है। इसके लिए मैं देश के युवा content creators, आजकल सोशल मीडिया में, बहुत बड़ी संख्या में influencers हैं, content creators हैं, वे अपने यहाँ बैठे-बैठे भी मेरे उत्तराखंड की, मेरी देवभूमि की सेवा कर सकते हैं, वे भी पुण्य कमा सकते हैं। आप देश के पर्यटन सेक्टर को गति देने में, लोगों तक जानकारी पहुंचाने में बहुत बड़ी भूमिका निभा सकते हैं, जो भूमिका निभाई है, उसका और विस्तार करने की जरूरत है। आप उत्तराखंड की विंटर टूरिज़्म की इस मुहिम का भी हिस्सा बनिए, और मैं तो चाहूंगा कि उत्तराखंड सरकार एक बड़ा कंपटीशन आयोजित करें, ये जो content creators हैं, influencers हैं, वे 5 मिनट की, विंटर टूरिज्म की प्रमोशन की फिल्म बनाएं, उनकी कंपटीशन हो और जो अच्छी से अच्छी बनाएं, उसको बढ़िया से बढ़िया इनाम दिया जाए, देशभर के लोगों को कहा जाए, आइए मैदान में, बहुत बड़ा प्रचार-प्रसार होना शुरू हो जाएगा। और मुझे विश्वास है जब ऐसे कंपटीशन करेंगे, तो नई-नई जगहों को एक्सप्लोर करके, नई-नई फिल्में बनाएंगे, लोगों को बताएंगे।

साथियों,

मुझे विश्वास है, आने वाले वर्षों में हम इस सेक्टर में तेज गति से विकास के साक्षी बनेंगे। एक बार फिर 365 दिन का, बारहमासी टूरिज्म अभियान, इसके लिए मैं उत्तराखंड के सभी भाई-बहनों को शुभकामनाएं देता हूं, बधाई देता हूं और राज्य सरकार का अभिनदंन करता हूं। आप सब मेरे साथ बोलिए-

गंगा मैया की जय।

गंगा मैया की जय।

गंगा मैया की जय।

बहुत-बहुत धन्यवाद।