ભારત માતા કી- જય,

ભારત માતા કી- જય,

ભારત માતા કી- જય.

धेमाजिर हारुवा भूमिर परा अखमबाखीक एई बिखेख दिनटोट मइ हुभेच्छा आरु अभिनंदन जनाइछो !

મંચ પર ઉપસ્થિત આસામના રાજ્યપાલ પ્રોફેસર જગદીશ મુખીજી, અહીંના લોકપ્રિય યશસ્વી મુખ્યમંત્રી શ્રીમાન સર્વાનંદ સોનોવાલજી, કેન્દ્રીય મંત્રીમંડળના મારા સાથી શ્રી ધર્મેન્દ્ર પ્રધાનજી, શ્રી રામેશ્વર તેલીજી, આસામ સરકારના મંત્રી ડૉ. હિમંતા બિશ્વા સરમાજી, રાજ્ય સરકારના અન્ય મંત્રીશ્રીઓ, સાંસદગણ, ધારાસભ્ય ગણ અને વિશાળ સંખ્યામાં પધારેલા આસામનાં મારા વ્હાલાં ભાઇઓ અને બહેનો.

આ મારું સદનસીબ છે કે આજે મને ત્રીજી વાર ઘેમાજી આવવાનું અને આપ સૌના દર્શન કરવાનું સૌભાગ્ય મળ્યું અને દર વખતે અહીંના લોકોની આત્મીયતા, અહીંના લોકોનો લગાવ, અહીંના લોકોના આશીર્વાદ મને વધુને વધુ મહેનત કરવા, આસામ માટે, ઉત્તર-પૂર્વ માટે કઈ ને કઈ નવું કરવાની પ્રેરણા આપતા આવ્યા છે. જ્યારે હું અહીં ગોગામુખમાં ઇન્ડિયન એગ્રિકલ્ચર રિસર્ચ ઇન્સ્ટીટ્યુટનો શિલાન્યાસ કરવા આવ્યો હતો ત્યારે મેં કહ્યું હતું કે નૉર્થ ઇસ્ટ ભારતના ગ્રોથનું નવું એન્જિન બનશે. આજે આપણે આ વિશ્વાસને આપણી નજર સામે ધરતી પર ઉતરતા જોઇ રહ્યા છીએ.

ભાઇઓ અને બહેનો,

બ્રહ્મપુત્રના આ જ ઉત્તરીય કિનારેથી, આઠ દાયકા અગાઉ આસામીઝ સિનેમાને પોતાની યાત્રા, જૉયમતી ફિલ્મ સાથે શરૂ કરી હતી. આ વિસ્તારે આસામની સંસ્કૃતિનું ગૌરવ વધારનાર અનેક વ્યક્તિત્વ આપ્યા છે. રૂપકુંવર જ્યોતિ પ્રસાદ અગ્રવાલ હોય, કલાગુરુ બિષ્ણુ પ્રસાદ રાભા હોય, નચસૂર્ય ફણિ સરમા હોય, એમણે આસામની ઓળખને નવી ઊંચાઈઓ પર પહોંચાડી. ભારતરત્ન ડૉ. ભૂપેન્દ્ર હજારિકાજીએ ક્યારેક લખ્યું હતું- लुइतुर पार दुटि जिलिक उठिब राति, ज्बलि हत देवालीर बन्ति। બ્રહ્મપુત્રના બન્ને કિનારા દિવાળીમાં પ્રગટાવનારા દીવડાથી ઝગમગ હશે અને કાલે મેં ખાસ કરીને સોશિયલ મીડિયામાં જોયું કે તમે આ વિસ્તારમાં કેવી રીતે દિવાળી મનાવી અને કેવી રીતે હજ્જારો દીવડા પ્રગટાવ્યા. દીવાનો એ પ્રકાશ શાંતિ અને સ્થિરતા વચ્ચે આસામમાં થઈ રહેલા વિકાસની તસવીર પણ છે. કેન્દ્ર અને આસામ સરકાર ભેગા મળીને રાજ્યના સંતુલિત વિકાસમાં જોતરાયેલી છે અને આ વિકાસનો એક મોટો આધાર છે આસામનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર.

સાથીઓ,

નૉર્થ બૅન્કમાં ભરપૂર સામર્થ્ય હોવાં છતાં અગાઉની સરકારોએ આ ક્ષેત્ર સાથે સાવકો વ્યવહાર કર્યો. અહીંની કનેક્ટિવિટી હોય, હૉસ્પિટલ હોય, શૈક્ષણિક સંસ્થાઓ હોય, ઉદ્યોગ હોય, અગાઉની સરકારોની અગ્રતામાં દેખાતા જ ન હતા. સબકા સાથ- સબકા વિકાસ અને સબકા વિશ્વાસ આ મંત્ર પર કામ કરતી અમારી સરકારે, સર્વાનંદજીની સરકારે આ ભેદભાવને દૂર કર્યો. જે બોગીબીલ બ્રિજની આ વિસ્તાર વર્ષોથી રાહ જોતો હતો એનું કામ અમારી સરકારે જ ઝડપથી પૂરું કરાવ્યું. નૉર્થ બૅન્કમાં બ્રૉડ ગૅજ રેલવે લાઇન અમારી સરકાર આવ્યા બાદ જ આવી શકી. બ્રહ્મપુત્ર પર બીજો કલિયાભુમુરા બ્રિજ અહીંની કનેક્ટિવિટીને વધુ વધારશે. એને પણ ઝડપથી પૂર્ણ કરાઇ રહ્યો છે. નૉર્થ બૅન્કમાં ચાર-લેનના નેશનલ હાઈવેનું કામ પણ ઝડપથી ચાલી રહ્યું છે. ગત સપ્તાહે જ મહાબાહુ બ્રહ્મપુત્રથી અહીં જળમાર્ગ કનેક્ટિવિટીને લઈને નવા કામોની શરૂઆત થઈ છે. બોંગાઇગાંવના જોગીઘોપામાં એક મોટા ટર્મિનલ અને લૉજિસ્ટિક પાર્ક પર પણ કામ શરૂ થઈ ચૂક્યું છે.

સાથીઓ,

આની જ કડીમાં આજે આસામને 3 હજાર કરોડથી વધુના Energy અને Education ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સની એક નવી ભેટ મળી રહી છે. ધેમાજી અને સુઆલકુચીમાં ઇજનેરી કૉલેજ હોય, બોંગઈગાંવમાં રિફાઇનરીના વિસ્તરણનું કામ હોય, દિબ્રુગઢમાં સેકન્ડરી ટેંક ફાર્મ હોય કે પછી તિનસુખિયામાં ગેસ કૉમ્પ્રેસર સ્ટેશન, આ પ્રોજેક્ટ્સ ઉર્જા અને શિક્ષણના હબ સ્વરૂપે આ ક્ષેત્રની ઓળખને મજબૂત કરશે. આ પ્રોજેક્ટ્સ આસામની સાથે જ ઝડપી ગતિથી મજબૂત થતાં પૂર્વી ભારતનાં પ્રતીક પણ છે.

સાથીઓ,

આત્મનિર્ભર બનતા ભારત માટે સતત પોતાના સામર્થ્ય, પોતાની ક્ષમતાઓમાં પણ વૃદ્ધિ કરવી એ અત્યંત જરૂરી છે. વીતેલા વર્ષોમાં અમે ભારતમાં જ, રિફાઈનિંગ અને ઇમરજન્સી માટે ઑઈલ સ્ટૉરેજ કૅપેસિટીને ઘણી વધારે વધારી છે. બોંગઈગાંવ રિફાઇનરીમાં પણ રિફાઇનિંગ કૅપેસિટી વધારાઇ છે. આજે જે ગૅસ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું છે એ અહીં એલપીજી ઉત્પાદનની ક્ષમતાને વધારનારું છે. આ તમામ પ્રોજેક્ટ્સથી આસામ અને નૉર્થઈસ્ટમાં લોકોનું જીવન સરળ થશે અને યુવાઓને રોજગારની તકો પણ વધશે.

|

ભાઇઓ અને બહેનો,

જ્યારે કોઇ વ્યક્તિને મૂળભૂત સુવિધાઓ મળે છે ત્યારે એનો આત્મવિશ્વાસ બહુ વધી જાય છે. વધતો આત્મવિશ્વાસ વિસ્તારનો પણ વિકાસ કરે છે અને દેશનો પણ વિકાસ કરે છે. આજે અમારી સરકાર એ લોકો, એ ક્ષેત્રો સુધી પહોંચવાનો પ્રયાસ કરી રહી છે જ્યાં અગાઉ સુવિધાઓ પહોંચી નથી. હવે વ્યવસ્થાએ એમને સુવિધાઓ આપવા પર જોર આપ્યું છે. અગાઉ લોકોએ બધું એમના નસીબ પર છોડી દીધું હતું. તમે વિચારો, 2014 અગાઉ, દેશના દર 100 પરિવારોમાંથી માત્ર 50-55 પરિવારો એટલે કે લગભગ અડધાં ઘરોમાં જ એલજીપી કનેક્શન હતું. આસામમાં તો રિફાઇનરી અને અન્ય સુવિધાઓ હોવાં છતાં 100માંથી 40 લોકો પાસે જ ગેસ કનેક્શન ઉપલબ્ધ હતું. 60 લોકો પાસે હતું નહીં. ગરીબ બહેનો-દીકરીઓએ રસોઇ માટે ધુમાડા અને બીમારીના આવરણમાં રહેવું, એમનાં જીવનની બહુ મોટી લાચારી હતી. અમે ઉજ્જવલા યોજનાના માધ્યમથી આ સ્થિતિને બદલી નાખી છે. આસામમાં આજે ગેસ કનેક્શનનો વિસ્તાર હવે લગભગ લગભગ 100% થઈ રહ્યો છે. અહીં બોંગઈગાંવ રિફાઇનરીની આસપાસના જિલ્લાઓમાં જ 2014 બાદ 3 ગણાથી વધારે એલપીજી કનેક્શન વધી ગયા છે. હવે આ વખતના કેન્દ્રીય બજેટમાં 1 કરોડ વધુ ગરીબ બહેનોને ઉજ્જવલાના મફત એલપીજી કનેક્શન આપવાની જોગવાઈ કરવામાં આવી છે.

સાથીઓ,

ગેસ કનેક્શન હોય, વીજળી કનેક્શન હોય, ખાતર ઉત્પાદન હોય, એમાં તંગીનું સૌથી વધારે નુક્સાન આપણા દેશના ગરીબને, આપણા દેશના નાના ખેડૂતને જ થાય છે. આઝાદીના દાયકાઓ બાદ પણ જે 18 હજાર ગામોમાં વીજળી નહોતી પહોંચી એમાં મોટા ભાગના ગામડાં આસામના હતા, નૉર્થ ઈસ્ટના હતા. પૂર્વી ભારતના અનેક ફર્ટિલાઈઝર કારખાના ગેસના અભાવે કાં તો બંધ થઈ ગયા કાં તો માંદા જાહેર કરી દેવાયા હતા. કોણે ભોગવવું પડ્યું? અહીંના ગરીબે, અહીંના મધ્યમ વર્ગે, અહીંના નવયુવાનોએ, અગાઉ કરાયેલી ભૂલોને સુધારવાનું કામ અમારી સરકાર જ કરી રહી છે. આજે પ્રધાનમંત્રી ઉર્જા ગંગા યોજના હેઠળ પૂર્વી ભારતને દુનિયાની સૌથી મોટી ગેસ પાઈપલાઈનમાંની એક મારફતે જોડવામાં આવી રહ્યું છે. નીતિ સાચી હોય, નિયત સાફ હોય તો નિયત પણ બદલાય છે અને નિયતિ પણ બદલાય જાય છે. ખરાબ નિયતનો ખાત્મો થાય છે અને નિયતી જન જનનું નસીબ પણ બદલે છે. આજે દેશમાં જે ગેસ પાઈપલાઇનનું નેટવર્ક તૈયાર થઈ થઈ રહ્યું છે, દેશના દરેક ગામડાં સુધી ઑપ્ટિકલ ફાઇબર બિછાવાઈ રહ્યા છે, દરેક ઘર સુધી જળ પહોંચાડવા માટે પાઈપ લગાવાઇ રહી છે, આ ભારત માતાના ખોળામાં જે તમામ ઇન્ફ્રાસ્ટ્રક્ચર બિછાવાઇ રહ્યા છે એ માત્ર લોખંડની પાઈપ કે ફાઈબર નથી, આ તો ભારત માતાની નવી ભાગ્યરેખાઓ છે.

ભાઈઓ અને બહેનો,

આત્મનિર્ભર ભારતને વેગ આપવામાં આપણા વૈજ્ઞાનિક, આપણા એન્જિનિયર, ટેકનિશિયન્સના સશક્ત ટેલેન્ટ પૂલની મોટી ભૂમિકા છે. વીતેલા વર્ષોમાં દેશમાં એક એવું વાતાવરણ બનાવવા માટે અમે કામ કરી રહ્યા છીએ જેમાં નવયુવાનો સમસ્યાઓનો ઉકેલ નવી નવી ઈનોવેટિવ પદ્ધતિએ કરે, સ્ટાર્ટ અપ્સ આપે. આજે સમગ્ર દુનિયા ભારતના એન્જિનિયર્સનું, ભારતના ટેક્નોક્રેટ્સનું મહત્વ સ્વીકારે છે. આસામના યુવાનોમાં તો અદભૂત ક્ષમતા છે. આ ક્ષમતાને ઉત્તેજન આપવા માટે રાજ્ય સરકાર તનતોડ મહેનત કરી રહી છે. આસામ સરકારના પ્રયાસોને કારણે જ આજે અહીં 20થી વધારે એન્જિનિયરિંગ કૉલેજો થઈ ચૂકી છે. આજે ઘેમાલી એન્જિનિયરિંગ કૉલેજના લોકાર્પણ અને સુઆલકુચી એન્જિનિયરિંગ કૉલેજના શિલાન્યાસથી આ સ્થિતિ વધારે મજબૂત થશે. ધેમાજી એન્જિનિયરિંગ કૉલેજ તો નૉર્થ બૅન્કની પહેલી ઇજનેરી કૉલેજ છે. મને કહેવામાં આવ્યું છે કે આવી જ 3 વધુ એન્જિનિયરિંગ કૉલેજ બનાવવાની પ્રક્રિયા ચાલી રહી છે. દીકરીઓ માટે વિશેષ કૉલેજ હોય, પોલિટેકનિક કૉલેજ હોય કે બીજી સંસ્થાઓ, આસામની સરકાર આ માટે મોટા સ્તરે કામ કરી રહી છે.

ભાઇઓ અને બહેનો,

આસામની સરકાર અહીં નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિને પણ જલદી અમલી કરવા કોશિશ કરી રહી છે. આ નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિનો લાભ આસામને, અહીંના જનજાતીય સમાજને, ચાના બગીચામાં કામ કરતા મારા શ્રમિક ભાઈ-બહેનોના બાળકોને બહુ વધારે લાભ થવાનો છે. આનું કારણ એ કે એમાં સ્થાનિક ભાષામાં શિક્ષણ અને સ્થાનિક વ્યવસાય સાથે જોડાયેલ કૌશલ પર ભાર મૂકવામાં આવ્યો છે. જ્યારે સ્થાનિક ભાષામાં મેડિકલનું શિક્ષણ હશે, જ્યારે સ્થાનિક ભાષામાં ટેકનિકલ એજ્યુકેશન અપાશે તો ગરીબમાં ગરીબના બાળકો પણ ડૉક્ટર બની શક્શે, એન્જિનિયર બની શક્શે અને દેશનું કલ્યાણ કરશે. ગરીબમાં ગરીબ માતા-પિતાના સપનાં પૂરાં કરી શક્શે. આસામ જેવું રાજ્ય જ્યાં Tea, Tourism, Handloom અને Handicraft આત્મનિર્ભરતાની એક બહુ મોટી શક્તિ છે. એવામાં અહીંના યુવાનો જ્યારે આ સ્કિલ્સને સ્કૂલ અને કૉલેજમાં જ શીખશે તો એનાથી બહુ લાભ થવાનો છે. આત્મનિર્ભરતાનો પાયો અહીંથી જ જોડાવાનો છે. આ વર્ષના બજેટમાં પણ જનજાતીય વિસ્તારોમાં સેંકડો નવી એકલવ્ય મોડૅલની શાળાઓ ખોલવાની જોગવાઇ કરવામાં આવી છે જેનો લાભ પણ આસામને મળશે.

સાથીઓ,

બ્રહ્મપુત્રના આશીર્વાદથી આ ક્ષેત્રની જમીન બહુ જ ઉપજાઉ રહી છે. અહીંના ખેડૂતો પોતાના સામર્થ્યને વધારી શકે, એમને ખેતીની આધુનિક સુવિધાઓ મળી શકે, એમની આવક વધે એ માટે રાજ્ય અને કેન્દ્ર સરકાર મળીને કામ કરી રહી છે. ખેડૂતોના બૅન્ક ખાતામાં સીધા પૈસા ટ્રાન્સફર કરવાના હોય, ખેડૂતોને પેન્શન માટે યોજના શરૂ કરવાની હોય, એમને સારા બીજ આપવાના હોય, સૉઈલ હેલ્થ કાર્ડ્સ આપવાના હોય, એમની જરૂરિયાતોને સર્વોપરી રાખીને કામ કરાઇ રહ્યું છે. મત્સ્યપાલન પર વિશેષ જોર આપતા અમારી સરકારે મત્સ્યપાલન સાથે સંકળાયેલ એક અલગ મંત્રાલય ઘણાં વખત પૂર્વે બનાવી ચૂકી છે. મત્સ્યપાલનને વેગ આપવા જેટલો ખર્ચ આઝાદી બાદ નથી થયો એનાથી પણ વધારે ખર્ચ અમારી સરકાર કરી રહી છે. મત્સ્ય વ્યવસાય સાથે સંકળાયેલા ખેડૂતોને માટે 20 હજાર કરોડ રૂપિયાની એક બહુ મોટી યોજના પણ બનાવાઇ છે જેનો લાભ આસામના મારા મત્સ્યોદ્યોગ સાથે જોડાયેલા ભાઈઓને પણ મળશે. સરકારનો પ્રયાસ છે કે આસામનો ખેડૂત દેશમના ખેડૂત જે પેદા કરે છે એ આંતરરાષ્ટ્રીય બજાર સુધી પહોંચે. આ માટે અમે કૃષિ સાથે સંકળાયેલા કાયદાઓમાં પણ સુધારા કર્યા છે.

સાથીઓ,

આસામની અર્થવ્યવસ્થામાં નૉર્થ બૅન્કના ટી-ગાર્ડન્સની પણ બહુ મોટી ભૂમિકા છે. આ ટી ગાર્ડન્સમાં કામ કરનારા અમારા ભાઇ-બહેનોનું જીવન સરળ બને, એ અમારી સરકારની સર્વોચ્ચ અગ્રતાઓમાંની એક છે. હું આસામની સરકારની પ્રશંસા કરીશ કે એણે નાના ચા ઉત્પાદકોને જમીનના પટ્ટા આપવાનું અભિયાન પણ ચલાવ્યું છે.

ભાઇઓ અને બહેનો,

જે લોકોએ દાયકાઓ સુધી દેશ પર રાજ કર્યું, એમણે દિસપુરને દિલ્હીથી બહુ દૂર માની લીધું હતું. આ વિચારને લીધે આસામને બહુ નુક્સાન થયું. પણ હવે દિલ્હી તમારાથી દૂર નથી. દિલ્હી તમારા દરવાજે ઊભી છે. વીતેલા વર્ષોમાં સેંકડો વખત કેન્દ્ર સરકારના પ્રધાનોને અહીં મોકલાયા છે જેથી તેઓ તમારી મુશ્કેલીઓ જાણે, જમીન પર જે કામ થઈ રહ્યું છે એને જુએ અને આપ સૌની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને યોજનાઓ બનવી જોઇએ અને એ દિશામાં અમે પ્રયાસ કર્યા છે. હું પણ અનેકવાર આસામ આવ્યો છું જેથી આપની વચ્ચે આવીને આપની વિકાસયાત્રામાં પણ એક સહભાગી બની શકું. અહીંના દરેક નાગરિકને વધારે સારું જીવન આપવા માટે જોઇએ એ બધું જ આસામ પાસે છે. હવે જરૂર એ વાતની છે કે વિકાસનું, પ્રગતિનું કે ડબલ એન્જિન ચાલી રહ્યું છે, જરા એ ડબલ એન્જિનને વધારે મજબૂત કરવાની તક આપની પાસે આવી રહી છે. હું આસામના લોકોને વિશ્વાસ આપું છું કે તમારા સહયોગથી, તમારા આશીર્વાદથી, આસામના વિકાસમાં વધુ ઝડપ આવશે, આસામ વિકાસની નવી ઊંચાઇએ પહોંચશે.

ભાઇઓ અને બહેનો,

હું જાણું છું કે હવે તમે ચૂંટણીની રાહ જોતા હશો. કદાચ મને યાદ છે કે ગત વખતે જ્યારે ચૂંટણી જાહેર થઈ ત્યારે કદાચ ચોથી માર્ચ હતી. આ વખતે પણ મને શકયતા દેખાય છે કે માર્ચના પ્રથમ સપ્તાહમાં ગમે ત્યારે ચૂંટણી જાહેર થઈ જશે. ચૂંટણી પંચનું એ કામ છે અને તેઓ કરશે. પણ મારી કોશિશ રહેશે કે ચૂંટણીની જાહેરાત પહેલાં જેટલી વાર આસામ આવી શકું, પશ્ચિમ બંગાળ જઈ શકું, તમિલનાડુ જઈ શકું, પુડુચેરી જઈ શકું. હું પૂરી કોશીશ કરીશ કે 7 માર્ચ જો આપણે માની લઈએ કે ચૂંટણી જાહેર થઈ તો એ જે પણ સમય મળે એમાં આવવાની કોશિશ કરીશ. ગત વખતે 4 માર્ચે થઈ હતી એટલે એની આસપાસ આ વખતે પણ થઈ શકે. જે પણ હોય, હું આપની વચ્ચે આવવાનો નિરંતર પ્રયાસ કરીશ અને ભાઇઓ અને બહેનો, આજે આટલી મોટી સંખ્યામાં આવીને આપે મને આશીર્વાદ આપ્યા છે. વિકાસની યાત્રા માટે આપે અમારા વિશ્વાસને મજબૂત કર્યો છે. આ માટે હું આપનો હૃદયથી આભાર વ્યક્ત કરું છું. અને એ જ વિશ્વાસ સાથે ફરી એક વાર આટલી બધી વિકાસની યોજનાઓ માટે આત્મનિર્ભર આસામ બનાવવા માટે, ભારતના નિર્માણમાં આસામના યોગદાન માટે, આસામની યુવ પેઢીના ઉજ્જવળ ભવિષ્ય માટે, આસામના માછીમારો હોય, આસામના ખેડૂતો હોય, આસામની માતાઓ, બહેનો હોય, આસામના મારા આદિવાસી ભાઈઓ અને બહેનો હોય, દરેકના કલ્યાણ માટે આજે જે અનેક યોજનાઓનું લોકાર્પણ-શિલાન્યાસ થયું છે, એ માટે પણ આપ સૌને હૃદયથી ખૂબ ખૂબ અભિનંદન આપું છું. ઘણી ઘણી શુભકામનાઓ પાઠવું છું. બન્ને મુઠ્ઠી બંધ કરીને મારી સાથે પૂરી તાકાતથી બોલો: ભારત માતા કી- જય, ભારત માતા કી- જય, ભારત માતા કી- જય.

  • Manda krishna BJP Telangana Mahabubabad District mahabubabad June 24, 2022

    👍🏼👍🏼🙏🏻
  • Manda krishna BJP Telangana Mahabubabad District mahabubabad June 24, 2022

    👍🏼👍🏼🙏
  • Manda krishna BJP Telangana Mahabubabad District mahabubabad June 24, 2022

    👍🏼👍🏼🇮🇳
  • Manda krishna BJP Telangana Mahabubabad District mahabubabad June 24, 2022

    👍🏼👍🏼💐
  • Manda krishna BJP Telangana Mahabubabad District mahabubabad June 24, 2022

    👍🏼👍🏼🏝️
  • Manda krishna BJP Telangana Mahabubabad District mahabubabad June 24, 2022

    👍🏼👍🏼🌱
  • Manda krishna BJP Telangana Mahabubabad District mahabubabad June 24, 2022

    👍🏼👍🏼👌
  • Manda krishna BJP Telangana Mahabubabad District mahabubabad June 24, 2022

    👍🏼👍🏼🌹
  • Manda krishna BJP Telangana Mahabubabad District mahabubabad June 24, 2022

    👍🏼👍🏼👍🏼
  • Manda krishna BJP Telangana Mahabubabad District mahabubabad June 24, 2022

    👍🏼👍🏼
Explore More
78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ
Apple CEO Tim Cook confirms majority of iPhones sold in the US will come from India

Media Coverage

Apple CEO Tim Cook confirms majority of iPhones sold in the US will come from India
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Text of PM's speech while dedicating the Vizhinjam International Seaport to the nation in Thiruvananthapuram, Kerala
May 02, 2025
QuoteThe Vizhinjam International Deepwater Multipurpose Seaport in Kerala is a significant advancement in India's maritime infrastructure: PM
QuoteToday is the birth anniversary of Bhagwan Adi Shankaracharya, Adi Shankaracharya ji awakened the consciousness of the nation by coming out of Kerala and establishing monasteries in different corners of the country, I pay tribute to him on this auspicious occasion: PM
QuoteIndia's coastal states and our port cities will become key centres of growth for a Viksit Bharat: PM
QuoteGovernment in collaboration with the state governments has upgraded the port infrastructure under the Sagarmala project enhancing port connectivity: PM
QuoteUnder PM-Gatishakti, the inter-connectivity of waterways, railways, highways and airways is being improved at a fast pace: PM
QuoteIn the last 10 years investments under Public-Private Partnerships have not only upgraded our ports to global standards, but have also made them future ready: PM
QuoteThe world will always remember Pope Francis for his spirit of service: PM

केरल के गवर्नर राजेंद्र अर्लेकर जी, मुख्यमंत्री श्रीमान पी. विजयन जी, केंद्रीय कैबिनेट के मेरे सहयोगीगण, मंच पर मौजूद अन्य सभी महानुभाव, और केरल के मेरे भाइयों और बहनों।

एल्लावर्क्कुम एन्डे नमस्कारम्। ओरिक्कल कूडि श्री अनन्तपद्मनाभंडे मण्णिलेक्क वरान् साद्धिच्चदिल् एनिक्क अतियाय सन्तोषमुण्ड।

साथियों,

आज भगवान आदि शंकराचार्य जी की जयंती है। तीन वर्ष पूर्व सितंबर में मुझे उनके जन्मभूमि क्षेत्रम में जाने का सौभाग्य मिला था। मुझे खुशी है कि मेरे संसदीय क्षेत्र काशी में विश्वनाथ धाम परिसर में आदि शंकराचार्य जी की भव्य प्रतिमा स्थापित की गई है। मुझे उत्तराखंड के केदारनाथ धाम में आदि शंकराचार्य जी की दिव्य प्रतिमा के अनावरण का भी सौभाग्य मिला है। और आज ही देवभूमि उत्तराखंड में केदारनाथ मंदिर के पट खुले हैं, केरल से निकलकर, देश के अलग-अलग कोनों में मठों की स्थापना करके आदि शंकराचार्य जी ने राष्ट्र की चेतना को जागृत किया। इस पुनीत अवसर पर मैं उन्हें श्रद्धापूर्वक नमन करता हूं।

साथियों,

यहां एक ओर अपनी संभावनाओं के साथ उपस्थित ये विशाल समुद्र है। औऱ दूसरी ओर प्रकृति का अद्भुत सौंदर्य है। और इन सबके बीच अब new age development का सिंबल, ये विझिंजम डीप-वॉटर सी-पोर्ट है। मैं केरल के लोगों को, देश के लोगों को बहुत-बहुत बधाई देता हूं।

|

साथियों,

इस सी-पोर्ट को Eight thousand eight hundred करोड़ रुपए की लागत से तैयार किया गया है। अभी इस ट्रांस-शिपमेंट हब की जो क्षमता है, वो भी आने वाले समय में बढ़कर के तीन गुनी हो जाएगी। यहां दुनिया के बड़े मालवाहक जहाज आसानी से आ सकेंगे। अभी तक भारत का 75 परसेंट ट्रांस-शिपमेंट भारत के बाहर के पोर्ट्स पर होता था। इससे देश को बहुत बड़ा revenue loss होता आया है। ये परिस्थिति अब बदलने जा रही है। अब देश का पैसा देश के काम आएगा। जो पैसा बाहर जाता था, वो केरल और विझिंजम के लोगों के लिए नई economic opportunities लेकर आएगा।

साथियों,

गुलामी से पहले हमारे भारत ने हजारों वर्ष की समृद्धि देखी है। एक समय में ग्लोबल GDP में मेजर शेयर भारत का हुआ करता था। उस दौर में हमें जो चीज दूसरे देशों से अलग बनाती थी, वो थी हमारी मैरिटाइम कैपेसिटी, हमारी पोर्ट सिटीज़ की economic activity! केरल का इसमें बड़ा योगदान था। केरल से अरब सागर के रास्ते दुनिया के अलग-अलग देशों से ट्रेड होता था। यहां से जहाज व्यापार के लिए दुनिया के कई देशों में जाते थे। आज भारत सरकार देश की आर्थिक ताकत के उस चैनल को और मजबूत करने के संकल्प के साथ काम कर रही है। भारत के कोस्टल स्टेट्स, हमारी पोर्ट सिटीज़, विकसित भारत की ग्रोथ का अहम सेंटर बनेंगे। मैं अभी पोर्ट की विजिट करके आया हूं, और गुजरात के लोगों को जब पता चलेगा, कि इतना बढ़िया पोर्ट ये अडानी ने यहां केरल में बनाया है, ये गुजरात में 30 साल से पोर्ट पर काम कर रहे हैं, लेकिन अभी तक वहां उन्होंने ऐसा पोर्ट नहीं बनाया है, तब उनको गुजरात के लोगों से गुस्सा सहन करने के लिए तैयार रहना पड़ेगा। हमारे मुख्यमंत्री जी से भी मैं कहना चाहूंगा, आप तो इंडी एलायंस के बहुत बड़े मजबूत पिलर हैं, यहां शशि थरूर भी बैठे हैं, और आज का ये इवेंट कई लोगों की नींद हराम कर देगा। वहाँ मैसेज चला गया जहां जाना था।

साथियों,

पोर्ट इकोनॉमी की पूरे potential का इस्तेमाल तब होता है, जब इंफ्रास्ट्रक्चर और ease of doing business, दोनों को बढ़ावा मिले। पिछले 10 वर्षों में यही भारत सरकार की पोर्ट और वॉटरवेज पॉलिसी का ब्लूप्रिंट रहा है। हमने इंडस्ट्रियल एक्टिविटीज़ और राज्य के होलिस्टिक विकास के लिए तेजी से काम आगे बढ़ाया है। भारत सरकार ने, राज्य सरकार के सहयोग से सागरमाला परियोजना के तहत पोर्ट इंफ्रास्ट्रक्चर को अपग्रेड किया है, पोर्ट कनेक्टिविटी को भी बढ़ाया है। पीएम-गतिशक्ति के तहत वॉटरवेज, रेलवेज, हाइवेज और एयरवेज की inter-connectivity को तेज गति से बेहतर बनाया जा रहा है। Ease of doing business के लिए जो reforms किए गए हैं, उससे पोर्ट्स और अन्य इंफ्रास्ट्रक्चर सेक्टर में भी इनवेस्टमेंट बढ़ा है। Indian seafarers, उनसे जुड़े नियमों में भी भारत सरकार ने Reforms किए हैं। और इसके परिणाम भी देश देख रहा है। 2014 में Indian seafarers की संख्या सवा लाख से भी कम थी। अब इनकी संख्या सवा तीन लाख से भी ज्यादा हो गई है। आज भारत seafarers की संख्या के मामले में दुनिया के टॉप थ्री देशों की लिस्ट में शामिल हो गया है।

|

Friends,

शिपिंग इंडस्ट्री से जुड़े लोग जानते हैं कि 10 साल पहले हमारे शिप्स को पोर्ट्स पर कितना लंबा इंतज़ार करना पड़ता था। उन्हें unload करने में लंबा समय लग जाता था। इससे बिजनेस, इंडस्ट्री और इकोनॉमी, सबकी स्पीड प्रभावित होती थी। लेकिन, हालात अब बदल चुके हैं। पिछले 10 वर्षों में हमारे प्रमुख बंदरगाहों पर Ship turn-around time में 30 परसेंट तक की कमी आई है। हमारे पोर्ट्स की Efficiency में भी बढ़ोतरी हुई है, जिसके कारण हम कम से कम समय में ज्यादा कार्गो हैंडल कर रहे हैं।

साथियों,

भारत की इस सफलता के पीछे पिछले एक दशक की मेहनत और विज़न है। पिछले 10 वर्षों में हमने अपने पोर्ट्स की क्षमता को दोगुना किया है। हमारे National Waterways का भी 8 गुना विस्तार हुआ है। आज global top 30 ports में हमारे दो भारतीय पोर्ट्स हैं। Logistics Performance Index में भी हमारी रैकिंग बेहतर हुई है। Global shipbuilding में हम टॉप-20 देशों में शामिल हो चुके हैं। अपने बेसिक इंफ्रास्ट्रक्चर को ठीक करने के बाद हम अब ग्लोबल ट्रेड में भारत की strategic position पर फोकस कर रहे हैं। इस दिशा में हमने Maritime Amrit Kaal Vision लॉन्च किया है। विकसित भारत के लक्ष्य तक पहुँचने के लिए हमारी मैरिटाइम strategy क्या होगी, हमने उसका रोडमैप बनाया है। आपको याद होगा, G-20 समिट में हमने कई बड़े देशों के साथ मिलकर इंडिया मिडिल ईस्ट यूरोप कॉरिडोर पर सहमति बनाई है। इस रूट पर केरल बहुत महत्वपूर्ण position पर है। केरल को इसका बहुत लाभ होने वाला है।

साथियों,

देश के मैरीटाइम सेक्टर को नई ऊंचाई देने में प्राइवेट सेक्टर का भी अहम योगदान है। Public-Private Partnerships के तहत पिछले 10 वर्षों में हजारों करोड़ रुपए का निवेश हुआ है। इस भागीदारी से न केवल हमारे पोर्ट्स ग्लोबल स्टैंडर्ड पर अपग्रेड हुए हैं, बल्कि वो फ्यूचर रेडी भी बने हैं। प्राइवेट सेक्टर की भागीदारी से इनोवेशन और efficiency, दोनों को बढ़ावा मिला है। और शायद मीडिया के लोगों ने एक बात पर ध्यान केंद्रित किया होगा, जब हमारे पोर्ट मिनिस्टर अपना भाषण दे रहे थे, तो उन्होंने कहा, अडानी का उल्लेख करते हुए, उन्होंने कहा कि हमारी सरकार के पार्टनर, एक कम्युनिस्ट गवर्नमेंट का मंत्री बोल रहा है, प्राइवेट सेक्टर के लिए, कि हमारी सरकार का पार्टनर, ये बदलता हुआ भारत है।

|

साथियों,

हम कोच्चि में shipbuilding and repair cluster स्थापित करने की दिशा में भी आगे बढ़ रहे हैं। इस cluster के तैयार होने से यहां रोजगार के अनेक नए अवसर तैयार होंगे। केरल के local talent को, केरल के युवाओं को, आगे बढ़ने का मौका मिलेगा।

Friends,

भारत की shipbuilding capabilities को बढ़ाने के लिए देश अब बड़े लक्ष्य लेकर चल रहा है। इस साल बजट में भारत में बड़े शिप के निर्माण को बढ़ाने के लिए नई पॉलिसी की घोषणा की गई है। इससे हमारे मैन्युफैक्चरिंग सेक्टर को भी बढ़ावा मिलेगा। इसका सीधा लाभ हमारे MSME को होगा, और इससे बड़ी संख्या में employment के और entrepreneurship के अवसर तैयार होंगे।

साथियों,

सही मायनों में विकास तब होता है, जब इंफ्रास्ट्रक्चर भी बिल्ड हो, व्यापार भी बढ़े, और सामान्य मानवी की बेसिक जरूरतें भी पूरी हों। केरल के लोग जानते हैं, हमारे प्रयासों से पिछले 10 वर्षों में केरल में पोर्ट इंफ्रा के साथ-साथ कितनी तेजी से हाइवेज, रेलवेज़ और एयरपोर्ट्स से जुड़ा विकास हुआ है। कोल्लम बाईपास और अलापूझा बाईपास, जैसे वर्षों से अटके प्रोजेक्ट्स को भारत सरकार ने आगे बढ़ाया है। हमने केरल को आधुनिक वंदे भारत ट्रेनें भी दी हैं।

Friends,

भारत सरकार, केरल के विकास से देश के विकास के मंत्र पर भरोसा करती है। हम कॉपरेटिव फेडरिलिज्म की भावना से चल रहे हैं। बीते एक दशक में हमने केरल को विकास के सोशल पैरामीटर्स पर भी आगे ले जाने का काम किया है। जलजीवन मिशन, उज्ज्वला योजना, आयुष्मान भारत, प्रधानमंत्री सूर्यघर मुफ्त बिजली योजना, ऐसी अनेक योजनाओं से केरल के लोगों को बहुत लाभ हो रहा है।

साथियों,

हमारे फिशरमेन का बेनिफिट भी हमारी प्राथमिकता है। ब्लू रेवोल्यूशन और प्रधानमंत्री मत्स्य संपदा योजना के तहत केरल के लिए सैकड़ों करोड़ रुपए की परियोजनाओं को मंजूरी दी गई है। हमने पोन्नानी और पुथियाप्पा जैसे फिशिंग हार्बर का भी modernization किया है। केरल में हजारों मछुआरे भाई-बहनों को किसान क्रेडिट कार्ड्स भी दिये गए हैं, जिसके कारण उन्हें सैकड़ों करोड़ रुपए की मदद मिली है।

|

साथियों,

हमारा केरल सौहार्द और सहिष्णुता की धरती रहा है। यहाँ सैकड़ों साल पहले देश की पहली, और दुनिया की सबसे प्राचीन चर्च में से एक सेंट थॉमस चर्च बनाई गई थी। हम सब जानते हैं, हम सबके लिए कुछ ही दिन पहले दु:ख की बड़ी घड़ी आई है। कुछ दिन पहले हम सभी ने पोप फ्रांसिस को खो दिया है। भारत की ओर से उनके अंतिम संस्कार में शामिल होने के लिए हमारी राष्ट्रपति, राष्ट्रपति द्रौपदी मुर्मू जी वहाँ गई थीं। उसके साथ हमारे केरल के ही साथी, हमारे मंत्री श्री जॉर्ज कुरियन, वह भी गए थे। मैं भी, केरल की धरती से एक बार फिर, इस दुःख में शामिल सभी लोगों के प्रति अपनी संवेदना प्रकट करता हूँ।

साथियों,

पोप फ्रांसिस की सेवा भावना, क्रिश्चियन परम्पराओं में सबको स्थान देने के उनके प्रयास, इसके लिए दुनिया हमेशा उन्हें याद रखेगी। मैं इसे अपना सौभाग्य मानता हूं, कि मुझे उनके साथ जब भी मिलने का अवसर मिला, अनेक विषयों पर विस्तार से मुझे उनसे बातचीत का अवसर मिला। और मैंने देखा हमेशा मुझे उनका विशेष स्नेह मिलता रहता था। मानवता, सेवा और शांति जैसे विषयों पर उनके साथ हुई चर्चा, उनके शब्द हमेशा मुझे प्रेरित करते रहेंगे।

साथियों,

मैं एक बार फिर आप सभी को आज के इस आयोजन के लिए अपनी शुभकामनाएं देता हूं। केरल global maritime trade का बड़ा सेंटर बने, और हजारों नई जॉब्स क्रिएट हों, इस दिशा में भारत सरकार, राज्य सरकार के साथ मिलकर काम करती रहेगी। मुझे पूरा विश्वास है कि केरल के लोगों के सामर्थ्य से भारत का मैरीटाइम सेक्टर नई बुलंदियों को छुएगा।

नमुक्क ओरुमिच्च् ओरु विकसित केरलम पडत्तुयर्ताम्, जइ केरलम् जइ भारत l

धन्यवाद।