ભારત માતા કી જય...!!

મંચ પર બિરાજમાન સર્વે મહાનુભાવો અને આ વહેલી સવારે આટલી મોટી સંખ્યામાં પાટણ જિલ્લામાંથી પધારેલ સૌ યુવાન મિત્રો..!

આ સ્વામી વિવેકાનંદજીની 150 મી જયંતીનો અવસર છે. સ્વામી વિવેકાનંદજીની બે-ત્રણ બાબતો આપના ધ્યાને મૂકવા માંગું છું. વિવેકાનંદજીએ એક લેખ લખ્યો હતો અને એ લેખમાં એમણે કહ્યું હતું કે મારું આયુષ્ય 40 વર્ષથી વધારે નથી અને હું મારા નિર્ધારિત સમયે આ દુનિયાને છોડીને વિદાય થઈ જઈશ. આ વાત જ્યારે કહી હતી ત્યારે કોઈના ગળે ઊતરે નહીં, અચરજ થાય. પણ હકીકતે બન્યું એવું કે 40 મા વર્ષે જ એમણે દેહત્યાગ કરી દીધો. એમણે બીજી એક જાહેરાત કરી હતી 1897 માં, 1897 માં એમણે કહ્યું હતું. એ જ્યારે અમેરિકાના શિકાગોથી પાછા આવ્યા ત્યારે મદ્રાસના બંદરે એમનો સ્વાગત સમારંભ હતો અને ત્યારે એ વખતની મેદનીને એમણે સંબોધન કરતાં કહ્યું હતું કે મારી ભારતવાસીઓને વિનંતી છે કે તમે તમારા બધા જ દેવી-દેવતાઓને સુવાડી દો, તમારા બધા જ ઇષ્ટદેવતાઓને સુવાડી દો અને માત્ર ને માત્ર એક જ દેવીની પૂજા કરો અને એ દેવી એટલે ભારતમાતા. એમણે કહ્યું હતું કે આગામી 50 વર્ષ માટે તમે આ કરો, આગામી 50 વર્ષ એક જ માતા, માત્ર ભારતમાતા, એક જ દેવી માત્ર ભારતમાતા, આ એમણે કહ્યું હતું. અને મજા જુઓ કે 1897 ના ઠીક 50 વર્ષ પછી 1947, આ દેશ આઝાદ થયો. એમની આગાહી કેટલી સચોટ હતી એનું આ ઉદાહરણ છે. ભાઈઓ-બહેનો, એ મહાપુરુષે બીજી પણ એક આગાહી કરી હતી. એણે કહ્યું હતું કે હું મારી નજર સામે સ્પષ્ટ જોઈ રહ્યો છું કે આ મારી ભારતમાતા જગદ્દગુરુના સ્થાને બિરાજમાન હશે, મને સ્પષ્ટ દેખાય છે કે મારી ભારતમાતા વિશ્વગુરુ તરીકે બિરાજતી હશે. પણ ભાઈઓ-બહેનો, આઝાદીનાં આટલાં વર્ષ પછી પણ એ દિશામાં કોઈ સંકેત નજર નથી આવતો. મારો ભરોસો સ્વામી વિવેકાનંદમાં વધારે છે. ભલે કદાચ અત્યાર સુધી નહીં થયું હોય, પણ ભવિષ્યમાં નહીં જ થાય એ માનવાને કારણ નથી. અને એટલા માટે આપણે સ્વામી વિવેકાનંદના સપનાને સાકાર કરવા માટે, આ દેશવાસીઓએ ફરીથી સંકલ્પ કરવા માટે આ 150 મી જયંતી એક અવસર છે. સ્વામી વિવેકાનંદે બીજી વાત કરી હતી. એમણે કહ્યું હતું કે મને તમે સો યુવાનો આપો, હું દુનિયા બદલી નાખીશ. આજે વિવેકાનંદ નથી એટલે સો યુવાનોથી નહીં ચાલે પણ લાખો યુવાનોથી તો દુનિયા બદલી શકાય એટલો તો આપણને વિવેકાનંદમાં ભરોસો છે. આ સ્વામી વિવેકાનંદના સપનાં સાકાર કરવા માટે હિંદુસ્તાનમાં કંઈ થાય કે ન થાય, આપણે યુવા શક્તિને જોડીને આ ગુજરાતને શાનદાર, જાનદાર, પ્રગતિવાળું રાજ્ય બનાવીને રહેવું છે.

ભાઈઓ-બહેનો, આજે ધારપુરમાં સવારે મેડિકલ કૉલેજનું ઉદઘાટન કરવાનો મને અવસર મળ્યો. આમ તો મને જો સમયની અનુકૂળતા હોત તો, આ ધારપુર મેડિકલ કૉલેજનો પ્રસંગ પણ સમગ્ર ઉત્તર ગુજરાત માટે ઐતિહાસિક અવસર છે. સૌરાષ્ટ્રમાં તમે જુઓ તો જામનગરમાં મેડિકલ કૉલેજ, ભાવનગરમાં મેડિકલ કૉલેજ, સુરેન્દ્રનગરમાં મેડિકલ કૉલેજ, રાજકોટમાં મેડિકલ કૉલેજ, પણ ઉત્તર ગુજરાત આખું કોરું ધાકોર હતું..! આ જુના શાસકોએ શું શું કર્યું છે એનાં બધાં ઉદાહરણો છે. ભાઈઓ-બહેનો, આ ઉત્તર ગુજરાતના નસીબમાં આજે પહેલી મેડિકલ કૉલેજ આવી છે. આ અવસર આખા ઉત્તર ગુજરાત માટેનો છે અને મારું સપનું તો ગુજરાતના દરેકે જિલ્લામાં મેડિકલ કૉલેજ કરવાનું છે, આદિવાસી જિલ્લામાં પણ મેડિકલ કૉલેજ કરવાનું છે. જો ડૉક્ટરો જ નહીં હોય તો હોસ્પિટલોનાં મકાનો બનાવવાથી આરોગ્ય નહીં સુધરે, ગામડે ગામડે ડૉક્ટરોની સેવા ઉપલબ્ધ હોવી જોઇએ અને ગામડે ગામડે ડૉક્ટરોની સેવા ઉપલબ્ધ કરાવી હશે તો ડૉક્ટરો માટે મેડિકલ કૉલેજો કરવી પડશે. અને ભૂતકાળમાં બારમા ધોરણમાં છોકરો નિચોવાઈ જતો હતો, કારણકે સીટો ઓછી, 90-95% થી ઓછા માર્ક આવે તો મેડિકલમાં ઍડ્મિશન ન મળે. કુટુંબ આખું છોકરાને ડૉક્ટર બનાવવા માટે ગાંડું થઈ જાય. ઘેર મહેમાનને ના આવવા દે, ટી.વી.ના ચાલવા દે, આવી દશા..! ભાઈઓ-બહેનો, અને કરોડો રૂપિયા... જયનારાયણભાઈએ કહ્યું એમ ગયા 50 વર્ષમાં ગુજરાત-બહાર ભણવા જવા માટે છોકરાઓએ જે રૂપિયા ખર્ચ્યા છે, એમના મા-બાપે જે ડોનેશન આપ્યાં છે, એ જો ન કરવું પડ્યું હોત તો આજે અડધા જિલ્લામાં મેડિકલ કૉલેજ એ દાનમાંથી બની ગઈ હોત..! પણ જે દ્રષ્ટિ જોઇએ ને એ દ્રષ્ટિ નહોતી, મિત્રો. અને આવનારા દિવસોમાં ઉત્તર ગુજરાતના ચારેય જિલ્લામાં મેડિકલ કૉલેજ કાર્યરત થશે એ સપના સાથે અમે કામ કરી રહ્યા છીએ. અને આજે જ્યારે ધારપુરમાં મેડિકલ કૉલેજનું ઉદઘાટન કરી રહ્યો છું ત્યારે આ એક પવિત્ર જગ્યા છે, સરસ્વતી સાથે જોડાએલી જગ્યા છે એટલે આપણી આ ધારપુરની મેડિકલ કૉલેજ ‘શ્રી સરસ્વતી મેડિકલ કૉલેજ’ તરીકે ઓળખાશે.

ભાઈઓ-બહેનો, મને પાટણ જિલ્લાના આગેવાનો વચ્ચે મળવા આવ્યા હતા. એમણે ફરિયાદ કરી હતી કે સાહેબ, તમે સદભાવના મિશનમાં આવ્યા, આખા રાજ્યમાં બધે ગયા પણ અમારા જિલ્લામાં પૅકેજ જાહેર કરવાનું રહી ગયું હતું. મેં એમને કહ્યું હતું કે ભાઈ, હવે જ્યારે આવીશ ત્યારે પહેલું કામ આ તમારું પૂરું કરી આપીશ, કારણકે એ દિવસે ઉતાવળ ઉતાવળમાં મારા ભાષણમાં એ વાતનો ઉલ્લેખ રહી ગયો હતો અને રહી ગયો એટલે એની નોંધ લેવાણી કે ભાઈ, બધા જિલ્લાને સદભાવનામાં પૅકેજ મળ્યું તો અમને કેમ નહીં? ભાઈઓ-બહેનો, આજે જ્યારે આપની વચ્ચે આવ્યો છું ત્યારે મારે ગર્વ સાથે કહેવું છે કે પાટણ જિલ્લાને પણ વિકાસના કામો માટે 2000 કરોડ રૂપિયા અને તે પૈકીના 275 કરોડ રૂપિયાનાં કામ ઑલરેડી ચાલુ છે. ભલે કદાચ પૅકેજ જાહેર કરવામાં હું મોડો પડ્યો હોઉં, પણ તમને પૅકેજ આપવામાં મોડો નથી પડ્યો. આપ્યું છે પહેલાં, જાહેરાત પછી કરું છું.

ભાઈઓ-બહેનો, આજે જ્યારે હું અહીં આવ્યો છું ત્યારે બનાસકાંઠા અને પાટણ, એના માટે પણ મારે મહત્વની જાહેરાત કરવી છે. આપણો આ પાટણ તાલુકો ખૂબ પથરાયેલો તાલુકો છે, ગામોની સંખ્યા પણ વધારે છે તેથી અમે નક્કી કર્યું છે કે પાટણ તાલુકાના બે ભાગ કરીને એક પાટણ તાલુકો અને બીજો સરસ્વતી તાલુકો બનાવવામાં આવશે. અને 26 જાન્યુઆરી, 2013 થી આ નવો સરસ્વતી તાલુકો પણ કાર્યરત કરી દેવામાં આવશે. એ જ રીતે સમી તાલુકો, સમી તાલુકાનો પણ ખૂબ લાંબો પાટ છે. વહીવટી દ્રષ્ટિથી આપણે અનેક સુધારાઓ કર્યા છે, આજે કરીએ છીએ એવું નહીં, આપણે પ્રાંતની ઓફિસો વધારી દીધી. એ જ રીતે સમી તાલુકાનો પણ પાટ લાંબો હોવાના કારણે સમી તાલુકામાંથી શંખેશ્વર તાલુકો જુદો બનાવવામાં આવશે. એ જ રીતે મારે બનાસકાંઠા જિલ્લાની વાત પણ આજે પાટણમાં કરી દેવી છે. બનાસકાંઠા જિલ્લો વિસ્તરેલો છે, તાલુકા પણ ઘણા છે તેમ છતાંય પાકિસ્તાનની સરહદે આવેલો વાવ તાલુકો, એનો પાટ ખૂબ પહોળો છે, ચારે બાજુ પથરાએલો છે. છેવાડાના વિસ્તારને વિકાસના લાભ મળે એટલા માટે વાવ તાલુકામાં અલગ સૂઈગામ તાલુકો જુદો બનાવવામાં આવશે. ભાઈઓ-બહેનો, પાટણ જિલ્લાને અને બનાસકાંઠા જિલ્લાને બંનેને એનો લાભ મળે એ આપના ધ્યાનમાં આવતું હશે.

નવજુવાન મિત્રો, પાટણના યુવકો માટે, ઉત્તર ગુજરાતના યુવકો માટે ભૂતકાળ કેવો હતો? એ દસમું-બારમું ભણતો હોય ત્યારથી આગળ શું ભણશે એનો વિચાર ઓછામાં ઓછો હોય, પણ કયા ગામમાં જઉં તો રોજીરોટી મળશે એનો જ વિચાર ચાલતો હોય. કચ્છના લોકો કચ્છની કઠિન પરિસ્થિતિ જોઇને કચ્છ છોડીને જતા રહે, પણ ઉત્તર ગુજરાતનો છોકરો કચ્છની અંદર શિક્ષકની નોકરી મળે તો ય બિચારો હોંશે હોંશે લેવા જાય, કારણકે પેટ ભરવા માટે કોઈ વ્યવસ્થા નહીં. ખેતી કુદરત ઉપર આધારિત, પાંચ વર્ષમાં માંડ ત્રણ પાક લઈ શકે. દોહ્યલું જીવન, શિક્ષક સિવાય કોઈ રોજગાર નહીં. આપણા ઘણાં ગામ એવાં છે જ્યાં શિક્ષકો જ શિક્ષકો પેદા થાય, દરેક ઘરમાં તમે હાથ નાખો તો શિક્ષકો હોય, કારણ બીજું કંઈ હતું જ નહીં..! ભાઈઓ-બહેનો, આખો વિસ્તાર પછાત રહી ગયો. એમાં એક બદલાવ લાવવાનું આપણે અભિયાન ઊપાડ્યું છે. અને નવજુવાન મિત્રો, આપને આજે અંદાજ નહીં આવે કે આપના ભાગ્યના દરવાજા કેવા ખૂલી ગયા છે, પણ તમે તમારા અગાઉના લોકોને જોશો કે એમની હોનહાર જીંદગી કેવી રોળાઈ ગઈ છે, ત્યારે તમને ખબર પડશે કે તમને કેવો સ્વર્ણિમ અવસર મળ્યો છે, આ સરકારને કારણે મળ્યો છે, વિકાસની દ્રષ્ટિને કારણે મળ્યો છે. અને વિકાસની દ્રષ્ટિને કારણે જે ઉત્તર ગુજરાત ધૂળની ડમરીઓ અને ધોમ ધખતા તાપવાળું ઉત્તર ગુજરાત આજે સુજલામ-સુફલામને કારણે, નર્મદા યોજનાને કારણે આપનો આખો વિસ્તાર લીલોછમ થવા માંડ્યો છે, ભાઈઓ. કૃષિ ક્ષેત્રે એક નવી ક્રાંતિની સંભાવના પાટણ જિલ્લાના યુવકો સામે આવીને ઊભી છે. અને હું પાટણ જિલ્લાના યુવકોને આવાહન કરું છું કે કૃષિક્ષેત્ર દ્વારા પણ, પશુપાલન દ્વારા પણ, ડેરી ઉદ્યોગ દ્વારા પણ આપ વિકાસની એક નવી ક્રાંતિ સર્જો એના માટેનું બધું જ ગ્રાઉન્ડ-વર્ક મારી સરકારે પૂરું કરી દીધું છે, હું આપને નિમંત્રણ આપું છું..!

ભાઈઓ-બહેનો, ક્યારેય કોઈએ કલ્પના કરી હતી કે આ પાટણ જિલ્લો, આ પાકિસ્તાનની સરહદનો જિલ્લો એ તો વળી ઔદ્યોગિક વિસ્તાર બની શકે..? અહીંયાં કોઈ ઉદ્યોગો થઈ શકે..? કલ્પના નહોતા કરી શકતા..! ભાઈઓ-બહેનો, આ તમારું પડોશી બહુચરાજી, આ બાજુ સાંતલપુર... આખી દુનિયાનું ધ્યાન જાય, આ કંઈ નાની વાત નથી, દોસ્તો. માત્ર હિંદુસ્તાન ચર્ચા કરે એવું નહીં, આખી દુનિયા નોંધ લે એવો સોલાર પાર્ક આ તમારા સાંતલપુરની અંદર કાર્યરત થઈ ગયો. અને 2009 ની ચૂંટણીમાં મેં જ્યારે પાટણમાં ભાષણ કર્યું હતું તો કેટલાક લોકોએ મારી મજાક ઉડાવી હતી કે આ મોદી બધાને આંબા-આમલી બતાવે છે પણ કશું થવાનું નથી, એવું કહ્યું હતું. આ સોલાર પાર્ક બની ગયો..!

ભાઈઓ-બહેનો, અમારું ચરિત્ર કૉંગ્રેસ જેવું ચરિત્ર નથી, છેતરપિંડી કરવી એ અમારું કામ નથી. નૌજવાન મિત્રો, આ કૉંગ્રેસ પાર્ટીએ, દિલ્હીમાં બેઠેલી સરકારે 2004 માં તમને વચન આપ્યું હતું, 2009 માં વચન આપ્યું હતું. આજે પણ તમારામાંથી કોઈને ઇન્ટરનેટ પર સર્ફિંગ કરવાનો શોખ હોય તો કૉંગ્રેસનો મૅનિફેસ્ટો જોઈ લેજો એમાં લખ્યું છે, 2004 માં એમણે કહ્યું હતું કે દરેક કુટુંબમાં એક વ્યક્તિને રોજગાર આપશે. નવજુવાન મિત્રો, મળ્યો છે તમને..? ખોંખારીને જવાબ આપો, આવું મડદાલ મડદાલ બોલો તો કોઈ ના આપે..! મળ્યું છે, તમારામાંથી કોઈને મળ્યું છે..? તો આ છેતરપિંડી કરવાની જરૂર શું હતી, ભાઈ? આ છેતરપિંડી કરવાવાળા લોકો છે. 2009 માં એમણે કહ્યું હતું કે એક કરોડ લોકોને રોજગાર આપીશું, એક કરોડ લોકોને..! મળ્યું છે ભાઈ કોઈને..? કોઈને મળ્યું હોય તો મને કહો. આ પ્રકારે યુવકો સાથે છેતરપિંડી કરવાની આમની હિંમત... અને ભાઈઓ-બહેનો, કોઈ ભૂલ કરે તો માફ કરાય, કોઈ ગુનો કરે તો ય ઉદારતા વર્તાય, પણ કોઈ છેતરપિંડી કરે એને ક્યારેય માફ ન કરી શકાય ભાઈઓ, ક્યારેય માફ ન કરી શકાય. દિલ્હીમાં બેઠેલી સરકારે આ દેશની યુવા શક્તિ સાથે છેતરપિંડી કરવાનું પાપ કર્યું છે. એની સામે આજે હું તમારા ઉત્તર ગુજરાતના વિસ્તારમાં ઔદ્યોગિક ક્રાંતિ લઈને આવ્યો છું. અને નવજુવાન મિત્રો, કોઈપણ યુવક કે યુવતી, આ મારા શબ્દો લખી રાખજો, જવાબદારીપૂર્વક બોલું છું દોસ્તો, કોઈપણ યુવક કે યુવતી પોતાનો સ્વતંત્ર ધંધો કરવો હશે, ઉદ્યોગ કરવો હશે અને બૅન્કમાં લોન લેવા જશે તો બૅન્કવાળો શું કહેશે કે તને તો જ લોન મળે કે તું કોઈ ગેરંટર લાવે..! હવે પેલો બિચારો, એને ખાવાના ફાંફાં હોય એને ગેરંટર કોણ મળે? મળે ગેરંટર, ભાઈ? કોણ તૈયાર થાય? જો મારા નવજુવાનોને ગેરંટરના કારણે ઉદ્યોગ વિકાસ કે વ્યાવસાયિક જીવનમાં પ્રવેશતાં અટકવું પડતું હોય તો મેં હિંમતપૂર્વક નિર્ણય કર્યો છે કે મારા ગુજરાતનો કોઈ નવજુવાન બૅન્કમાં લોન લેવા જશે અને એને ગેરંટરની જરૂર હશે તો ગેરંટર મારી સરકાર બનશે. મિત્રો, આ નિર્ણય નાનો નથી. તમે કલ્પના કરો અને આ નિર્ણય એટલા માટે નથી કે મારામાં હિંમત છે, આ નિર્ણય એટલા માટે છે કે મારો તમારામાં ભરોસો છે. આ ભરોસાનો સોદો છે, દોસ્તો..! મને વિશ્વાસ છે કે મારો ગુજરાતનો નવજુવાન ક્યારેય કોઈનો રૂપિયો ડુબાડશે નહીં, ક્યારેય ખોટું નહીં કરે, કોઈ બૅન્કમાંથી ઉચાપત નહીં કરે એ ભરોસો છે અને એટલા માટે આપના ગેરંટર બનવા માટેનો હિંમતભર્યો નિર્ણય મેં કર્યો છે.

આપ વિચાર કરો, ગયા દસ જ વર્ષમાં સાડા ત્રણ લાખ લોકોને સરકારમાં રોજગાર આપવાનું કામ આ સરકારે કર્યું છે. એટલું જ નહીં, આ વર્ષમાં બીજા એક લાખ લોકોની ભરતી થવાની છે, એક લાખ લોકોની સરકારમાં ભરતી થવાની છે. ભારત સરકાર, હમણાં આંકડા જાહેર કર્યા. ભારત સરકારે કહ્યું કે સમગ્ર દેશમાં કુલ જે રોજગાર મળ્યા છે એમાંથી 72% રોજગાર એકલું ગુજરાત આપે છે, એકલું ગુજરાત... અને 28% માં આખું હિંદુસ્તાન..! ડૂબી મરો ડૂબી મરો, તમે શું ચલાવો છો, ડૂબી મરો..! એમની પાસે કશી આશા જ ના રાખતા, એ ઝાડ ગણવામાં પડ્યા છે. આખું દિલ્હી શોધે છે કે કયા ઝાડમાંથી પૈસા નીકળે, બોલો..! પ્રધાનમંત્રી સહિત ઝાડ શોધવા નીકળ્યા છે કે કયા ઝાડમાંથી પૈસા પાકે...! અને પછી તેમાંથી 2-જીનું ઝાડ શોધી કાઢે, કોયલાનું ઝાડ શોધી કાઢે, આ ખેલ ચાલે છે..? તમે મને કહો ભાઈ, કોઈ સાઇકલની ચોરી કરે એ તો સાંભળ્યું હોય ને? જરા જવાબ આપોને યાર, કોઈ સાઈકલ ચોરી કરી હોય એ સાંભળ્યું હોય ને? કોઈ મોટર ચોરી કરી જાય એ સાંભળ્યું છે? કોઈના રૂપિયા ચોરાઈ ગયા સાંભળ્યું છે? કોઈનું પાકીટ ચોરાઈ ગયું સાંભળ્યું છે? કોઈનો મોબાઈલ ફોન ચોરાઈ ગયો સાંભળ્યું છે? કોઈના જર-ઝવેરાત ચોરાઈ ગયા સાંભળ્યું છે? હીરા-મોતી ચોરાઈ ગયા સાંભળ્યું છે? પણ કોલસો ચોરાઈ જાય એવું સાંભળ્યું છે..? આ લોકો બે લાખ કરોડનો કોલસો ચોરી ગયા બોલો, બે લાખ કરોડનો કોલસો..! હવે અમારે રોવું કે હસવું કંઈ ખબર નથી પડતી. આવી સરકાર અમારા દેશની..? કોલસો ના છોડે...? સાહેબ, તમારા ઘરની બહાર થેલો પડ્યો હોય ને કોઈ ગરીબ ભિખારી પણ કોયલાને હાથ ન લગાડે બોલો. આપણા ઉત્તર ગુજરાતમાં છાણાં હોય છે, છાણાં પડ્યા હોય છે ને? કોઈ છાણાંને હાથ લગાવે છે? કોઈ દિવસ છાણું ચોરી ગયો? આ લોકો બે લાખ કરોડનો કોલસો ચોરી ગયા બોલો, કોલસો ચોરી ગયા..!

ભાઈઓ-બહેનો, હમણાં ભારત સરકારે એક એવો નિર્ણય કર્યો. આ વાત યુવાનો સમજવા જેવી છે, પત્રકાર મિત્રોએ પણ સમજવા જેવી છે. હમણાં એમણે કહ્યું કે ભાઈ ગેસના બાટલા લોકોને અમે આપીએ છીએ એના કારણે અમને સબસિડીનો બહુ બોજ આવે છે. એટલા માટે હવે અમે સબસિડીનો બોજ વહન નથી થઈ શકે એમ, તો હવે છ જ બાટલા આપીશું, બાકી તમારે અઢાર બાટલા વર્ષે જોઈતા હોય તો બજારમાંથી કાળા બજારમાંથી લઈ આવજો, આવું પ્રધાનમંત્રીએ જાહેર કર્યું. હવે એમની આવડત જુઓ, એમના અણઘડ વહીવટનો નમૂનો જુઓ આ કે એમને સબસિડીનો ભાર પડે છે તો ઉપાય શું શોધ્યો? બાટલા તમને આપવાનું બંધ કરી દીધું. અમે ઉપાય કયો શોધ્યો? આ દેશની તિજોરીમાં બોજ ન પડે, સામાન્ય માનવીને ગેસની તકલીફ ન પડે, એના બળતણ માટે એને ખોટો આર્થિક બોજ ન પડે, એના માટે ગુજરાતે શું કર્યું..? આપણે 2200 કિલોમીટર લાંબી ગેસની પાઈપલાઇન લગાવી આખા ગુજરાતમાં, 2200 કિલોમીટર, 10,000 કરોડ રૂપિયાનો ખર્ચો કર્યો..! મિત્રો, આ ચીજને સમજવા જેવી છે. સારી સરકાર કોને કહેવાય અને ભૂંડી સરકાર કોને કહેવાય, આ એક ઉદાહરણ ઉપર એની તુલના થઈ શકે એવી છે. 10,000 કરોડ રૂપિયાનો ખર્ચો કરીને 2200 કિલોમીટરની ગેસની પાઈપલાઈન લગાવી અને 300 ગામોમાં એક મુખ્ય પાઈપલાઇનમાંથી નાની પાઈપલાઇનના ગેસના કનેક્શન આપી દીધાં, 300 ગામોમાં..! હિંદુસ્તાનમાં કોઈપણ ગામડામાં પાઈપલાઇનથી ગેસ હજુ કોઈએ આપ્યો નથી, ગુજરાત પહેલું રાજ્ય હતું કે જેણે 300 ગામોમાં પાઈપલાઇનથી ગેસ આપ્યો, મિત્રો. અને પછી દિલ્હીવાળા જાગ્યા, ત્યાં સુધી ઊંઘતા હતા પાછા. મેં 2200 કિલોમીટરની પાઈપલાઇન નાખી ત્યાં સુધી ઊંઘતા રહ્યા, મેં 300 ગામોમાં પાઈપલાઇન નાખી ત્યાં સુધી ઊંઘતા રહ્યા, મેં 7 લાખ ઘરોમાં જેમ રસોડામાં નળમાં પાણી આવે એમ પાઈપથી ગેસ આવે એમ 7 લાખ ઘરોમાં પાઈપલાઇનથી ગેસ આપી દીધો ત્યાં સુધી દિલ્હીની સરકાર ઊંઘતી રહી..! પછી ગેસના બાટલા વપરાવાના ઘટ્યા કારણકે 7 લાખ કુટુંબોને ગેસના બાટલા જરૂર ના પડી. ભારત સરકારની બાટલા દીઠ સબસિડી બચવા માંડી, વર્ષે લગભગ 600 કરોડ રૂપિયાની સબસિડી આપણે બચાવી આપી. પણ એમને થયું કે આ મોદી તો સ્વતંત્ર થઈ ગયા, હવે એને અમારી પાસે બાટલા માગવા આવવું નહીં પડે, હવે એને બાટલાની જરૂર નહીં પડે અને આ મોદીની દાદાગીરી વધી જશે, આ મોદીને ઠેકાણે પાડો..! આ તમે જુઓ કેવું કરે છે દિલ્હીવાળા? આ મોદીને ઠેકાણે પાડવા માટે સાહેબ, એમણે ફતવો બહાર પાડ્યો. તમને જાણીને અચરજ થશે, ફતવો એવો બહાર પાડ્યો કે હવે મોદી સરકાર ગુજરાતની અંદર નવી એક ઇંચ પણ પાઈપલાઇન લગાવી નહીં શકે, ગેસની પાઈપલાઇન લગાવવાનો અધિકાર માત્ર દિલ્હીમાં મનમોહનસિંહજીની, સોનિયાજીની સરકારને છે, મોદી આ ન કરી શકે. બોલો ગુજરાત કોનું, ભાઈ? ખોંખારીને બોલો, ગુજરાત કોનું? આ ધરતી કોની? આ પૈસા કોના? આ સરકાર કોની? આ ગ્રાહકોને ગેસ જોઇએ તો પાઈપલાઇન ન નાખી શકીએ? જેને પાઈપલાઇન જોઇએ એ પૈસા આપવા તૈયાર છે, સરકાર પૈસા નાખવા તૈયાર છે..! આપને આશ્ચર્ય થશે, 300 ગામોમાં પાઈપલાઇન નાખ્યા પછી બે વર્ષ થયાં, મારી ઉપર પાઈપલાઇન નાખવાનો પ્રતિબંધ નાખી દીધો છે. મને પાઈપ નાખવા દો એના માટે મારે સુપ્રીમ કોર્ટમાં જવું પડ્યું, સુપ્રીમ કોર્ટમાં..! જો ભારત સરકારે આ પાપ ન કર્યું હોત તો 7 લાખ ઘરોમાં જે ગેસ પહોંચાડ્યો છે, એ આજે 20 લાખ ઘરોમાં ગેસ પહોંચી ગયો હોત અને આજે જો 20 લાખ ઘરોમાં મારો પાઈપલાઇનથી ગેસ પહોંચ્યો હોત તો સાડા ત્રણ કરોડ બાટલાની ગુજરાતમાં જરૂર ન પડત. આ તમારે 18 ના 6 કરવા પડ્યા, 24 ના 6, એ તમારે ન કરવા પડ્યા હોત, ઉપરથી તમારી તિજોરીમાં કરોડ-કરોડો, અરબો-ખરવો રૂપિયાની સબસિડી બચી જાત, ભારત સરકારની મોટામાં મોટી સેવા ગુજરાત કરી શકત, પરંતુ કમનસીબી જુઓ, એમની દીર્ધદ્રષ્ટિનો અભાવ જુઓ કે એક બાજુ બાટલા બંધ અને બીજી બાજુ પાઈપલાઇનને તાળું, આ પ્રકારનો અણઘડ વ્યવહાર કરનારા લોકો છે એની સામે મારો આક્રોશ છે, ભાઈઓ..! અને પાછા અહીંયાં કૉંગ્રેસના નેતાઓ સમજ્યા કર્યા વગર નિવેદન કરે છે, હવે એ લોકો સમજીને કંઈ કરે એ આશા રાખવી મુશ્કેલ છે કારણકે ઈશ્વરે અમુક કામ અમુક માટે જ રાખ્યાં હોય..! એમણે કાલે આમ, કૉંગ્રેસની સરકારોએ ત્રણ બાટલા પોતાના તરફથી આપવાના જાહેર કર્યા છે, મોદી કેમ જાહેર ના કરે... અરે લલવાઓ, આ મોદીએ તો 7 લાખ ઘરોમાં પાઈપલાઇનથી આપી દીધું, અમારી તો આ બાટલાની સામે જોવાનીયે તૈયારી નથી અને 20 લાખ કુટુંબોમાં પાઈપલાઇનથી પહોંચાડવાની આજે પણ તૈયારી છે..!

ભાઈઓ-બહેનો, દિલ્હીમાં ગુજરાત વિરોધનું વાતાવરણ છે. જાણે આપણે કોઈ દુશ્મન દેશનું રાજ્ય હોઈએ ને, ડગલે ને પગલે એવો વ્યવહાર ચાલે છે. મને તો જોઈને એમને શું થતું હશે મને આશ્ચર્ય થાય છે. આખી સી.બી.આઈ. લગાડી દીધી છે બોલો, આખી સી.બી.આઈ...! આ મારે સી.બી.આઈ.થી ડરવું જોઇએ, ભાઈ? તમે છો ને? આપના ભરોસે છે બધું, પાકું?

ભાઈઓ-બહેનો, આજે આ હોમગાર્ડના ચહેરા પર મને ખુશી દેખાય છે. કાયમ ઊભા રહેતા હોય, આજે એમને બેસવા મળ્યું છે. 400% નો વધારો, 50,000 હોમગાર્ડ્ઝને લાભ મળ્યો છે. અને મને વિશ્વાસ છે કે આ નવજુવાનો ગુજરાતની સેવા-સુરક્ષામાં અગાઉ કરતાં ઉત્તમ કામગીરી કરીને બતાવશે એવો મને પૂરો ભરોસો છે. હોમગાર્ડના મિત્રોને મારી શુભકામનાઓ છે.

ભાઈઓ-બહેનો, આપે સ્વાગત કર્યું, સન્માન કર્યું, આ યુવા પરિષદ નવાં સપનાં લઈને આગળ વધે એ જ અપેક્ષા સાથે...

ભારત માતા કી જય...!! ભારત માતા કી જય...!! ભારત માતા કી જય...!!

Explore More
દરેક ભારતીયનું લોહી ઉકળી રહ્યું છે: મન કી બાતમાં વડાપ્રધાન મોદી

લોકપ્રિય ભાષણો

દરેક ભારતીયનું લોહી ઉકળી રહ્યું છે: મન કી બાતમાં વડાપ્રધાન મોદી
Building AI for Bharat

Media Coverage

Building AI for Bharat
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
રોજગાર મેળા હેઠળ 51,000થી વધુ નિમણૂક પત્રોના વિતરણ પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
July 12, 2025
Quoteઆજે, 51 હજારથી વધુ યુવાનોને નિમણૂક પત્રો આપવામાં આવ્યા છે. આવા રોજગાર મેળાઓ દ્વારા, લાખો યુવાનોને સરકારમાં કાયમી નોકરીઓ મળી છે. હવે આ યુવાનો રાષ્ટ્ર નિર્માણમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યા છે: પ્રધાનમંત્રી
Quoteઆજે દુનિયા માને છે કે ભારતમાં બે અપાર શક્તિઓ છે, એક વસ્તી વિષયક, બીજી લોકશાહી. બીજા શબ્દોમાં કહીએ તો, સૌથી મોટી યુવા વસ્તી અને સૌથી મોટી લોકશાહી: પ્રધાનમંત્રી
Quoteઆજે, દેશમાં જે સ્ટાર્ટઅપ્સ, નવીનતા અને સંશોધન વાતાવરણ બનાવવામાં આવી રહ્યું છે તે દેશના યુવાનોની ક્ષમતાઓમાં વધારો કરી રહ્યું છે: પ્રધાનમંત્રી
Quoteતાજેતરમાં મંજૂર થયેલી નવી યોજના, રોજગાર લિંક્ડ ઇન્સેન્ટિવ યોજના સાથે, સરકાર ખાનગી ક્ષેત્રમાં નવી રોજગાર તકો ઊભી કરવા પર પણ ધ્યાન કેન્દ્રિત કરી રહી છે: પ્રધાનમંત્રી
Quoteઆજે, ભારતની સૌથી મોટી શક્તિઓમાંની એક આપણું ઉત્પાદન ક્ષેત્ર છે. બાંધકામ ક્ષેત્ર મોટી સંખ્યામાં નવી નોકરીઓનું સર્જન કરી રહ્યું છે: PM
Quoteઆ વર્ષના બજેટમાં બાંધકામ ક્ષેત્રને પ્રોત્સાહન આપવા માટે મિશન બાંધકામ ક્ષેત્રની જાહેરાત કરવામાં આવી છે: PM

નમસ્કાર!

કેન્દ્ર સરકારમાં યુવાનોને કાયમી નોકરીઓ પૂરી પાડવાનું અમારું અભિયાન અવિરતપણે ચાલુ છે. અને અમારી ઓળખ પણ છે, કાપલી વિના, ખર્ચ વિના. આજે, 51 હજારથી વધુ યુવાનોને નિમણૂક પત્રો આપવામાં આવ્યા છે. આવા રોજગાર મેળાઓ દ્વારા, અત્યાર સુધીમાં લાખો યુવાનોને ભારત સરકારમાં કાયમી નોકરીઓ મળી છે. હવે આ યુવાનો રાષ્ટ્ર નિર્માણમાં મોટી ભૂમિકા ભજવી રહ્યા છે. આજે પણ, તમારામાંથી ઘણાએ ભારતીય રેલવેમાં તમારી જવાબદારીઓ શરૂ કરી દીધી છે, ઘણા સાથીઓ હવે દેશની સુરક્ષાના રક્ષક બનશે, ટપાલ વિભાગમાં નિયુક્ત સાથીઓ સરકારની સુવિધાઓને દરેક ગામ સુધી લઈ જશે, કેટલાક સાથીઓ હેલ્થ ફોર ઓલ મિશનના સૈનિક હશે, ઘણા યુવાનો નાણાકીય સમાવેશના એન્જિનને વધુ વેગ આપશે અને ઘણા સાથીઓ ભારતના ઔદ્યોગિક વિકાસને નવી ગતિ આપશે. તમારા વિભાગો અલગ અલગ છે, પરંતુ ધ્યેય એક છે અને તે ધ્યેય શું છે, આપણે વારંવાર યાદ રાખવું પડશે કે, એક જ ધ્યેય છે, ગમે તે વિભાગ હોય, ગમે તે કાર્ય હોય, ગમે તે પદ હોય, ગમે તે ક્ષેત્ર હોય, એક જ ધ્યેય છે - રાષ્ટ્રની સેવા. સૂત્ર એક છે - નાગરિક પહેલા. દેશના લોકોની સેવા કરવા માટે તમારી પાસે ખૂબ મોટું પ્લેટફોર્મ છે. જીવનના આ મહત્વપૂર્ણ તબક્કામાં આટલી મોટી સફળતા માટે હું આપ સૌ યુવાનોને અભિનંદન આપું છું. આપની આ નવી સફર માટે હું આપ સૌને શુભકામનાઓ પાઠવું છું.

મિત્રો,

આજે દુનિયા સ્વીકારી રહી છે કે ભારતમાં બે અમર્યાદિત શક્તિઓ છે. એક છે ડેમોગ્રાફી, બીજી છે લોકશાહી. એટલે કે, સૌથી મોટી યુવા વસ્તી અને સૌથી મોટી લોકશાહી. યુવાનોની આ શક્તિ આપણી સૌથી મોટી મૂડી છે અને ભારતના ઉજ્જવળ ભવિષ્યની સૌથી મોટી ગેરંટી છે. અને આપણી સરકાર આ મૂડીને સમૃદ્ધિનું સૂત્ર બનાવવામાં દિવસ-રાત કાર્યરત છે. તમે બધા જાણો છો, હમણાં જ એક દિવસ પહેલા હું પાંચ દેશોની મુલાકાત લઈને પાછો ફર્યો છું. ભારતની યુવા શક્તિનો પડઘો દરેક દેશમાં સંભળાયો. આ સમયગાળા દરમિયાન થયેલા તમામ કરારો દેશના અને વિદેશના યુવાનોને લાભ પહોંચાડવા માટે બંધાયેલા છે. સંરક્ષણ, ફાર્મા, ડિજિટલ ટેકનોલોજી, ઉર્જા, દુર્લભ પૃથ્વી ખનીજ, આવા અનેક ક્ષેત્રોમાં થયેલા કરારો આવનારા દિવસોમાં ભારતને ખૂબ ફાયદો કરાવશે, ભારતના ઉત્પાદન અને સેવા ક્ષેત્રોને ઘણી મજબૂતી મળશે.

મિત્રો,

બદલાતા સમય સાથે, 21મી સદીમાં નોકરીઓનું સ્વરૂપ પણ બદલાઈ રહ્યું છે, નવા ક્ષેત્રો પણ ઉભરી રહ્યા છે. તેથી, છેલ્લા દાયકામાં, ભારતનો ભાર તેના યુવાનોને આ માટે તૈયાર કરવા પર છે. હવે આ માટે મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા છે, આધુનિક જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને આધુનિક નીતિઓ પણ બનાવવામાં આવી છે. આજે દેશમાં જે સ્ટાર્ટ-અપ્સ, નવીનતા અને સંશોધનનું ઇકોસિસ્ટમ બની રહ્યું છે તે દેશના યુવાનોની ક્ષમતાઓમાં વધારો કરી રહ્યું છે, આજે જ્યારે હું યુવાનોને પોતાનું સ્ટાર્ટ-અપ શરૂ કરવા માંગતા જોઉં છું, ત્યારે મારો આત્મવિશ્વાસ પણ વધે છે, અને હમણાં જ આપણા ડૉ. જીતેન્દ્ર સિંહજીએ પણ તમારી સામે સ્ટાર્ટઅપ વિશે વિગતવાર કેટલાક આંકડા શેર કર્યા છે. મને ખુશી છે કે મારા દેશના યુવાનો એક મોટા વિઝન સાથે મજબૂત ગતિએ આગળ વધી રહ્યા છે, તેઓ કંઈક નવું કરવા માંગે છે.

મિત્રો,

ભારત સરકાર ખાનગી ક્ષેત્રમાં રોજગારની નવી તકો ઊભી કરવા પર પણ ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. તાજેતરમાં, સરકારે એક નવી યોજના, રોજગાર સાથે જોડાયેલ પ્રોત્સાહન યોજનાને મંજૂરી આપી છે. આ યોજના હેઠળ, સરકાર ખાનગી ક્ષેત્રમાં પહેલી વાર રોજગાર મેળવનારા યુવાનોને 15,000 રૂપિયા આપશે. એટલે કે, સરકાર પહેલી નોકરીના પહેલા પગારમાં ફાળો આપશે. આ માટે, સરકારે લગભગ એક લાખ કરોડ રૂપિયાનું બજેટ બનાવ્યું છે. આ યોજના લગભગ 3.5 કરોડ નવી નોકરીઓ ઊભી કરવામાં મદદ કરશે.

મિત્રો,

આજે, ભારતની એક ખૂબ જ મોટી તાકાત આપણું ઉત્પાદન ક્ષેત્ર છે. ઉત્પાદનમાં મોટી સંખ્યામાં નવી નોકરીઓનું સર્જન થઈ રહ્યું છે. ઉત્પાદન ક્ષેત્રને વેગ આપવા માટે આ વર્ષના બજેટમાં મિશન ઉત્પાદનની જાહેરાત કરવામાં આવી છે. છેલ્લા વર્ષોમાં, અમે મેક ઇન ઇન્ડિયા અભિયાનને મજબૂત બનાવ્યું છે. ફક્ત PLI યોજના દ્વારા દેશમાં 11 લાખથી વધુ નોકરીઓનું સર્જન થયું છે. છેલ્લા કેટલાક વર્ષોમાં મોબાઇલ ફોન અને ઇલેક્ટ્રોનિક્સ ક્ષેત્રનો અભૂતપૂર્વ વિકાસ થયો છે. આજે લગભગ 11 લાખ કરોડ રૂપિયાનું ઇલેક્ટ્રોનિક્સ ઉત્પાદન થઈ રહ્યું છે, 11 લાખ કરોડ. આમાં પણ છેલ્લા 11 વર્ષમાં 5 ગણાથી વધુનો વધારો થયો છે. પહેલા દેશમાં મોબાઇલ ફોન ઉત્પાદનના ફક્ત 2 કે 4 યુનિટ હતા, ફક્ત 2 કે 4. હવે ભારતમાં મોબાઇલ ફોન ઉત્પાદન સાથે સંબંધિત લગભગ 300 યુનિટ છે. અને લાખો યુવાનો તેમાં કામ કરી રહ્યા છે. એક બીજું સમાન ક્ષેત્ર છે અને ઓપરેશન સિંદૂર પછી, તેની ખૂબ ચર્ચા થઈ રહી છે, તેની ખૂબ ગર્વથી ચર્ચા થઈ રહી છે અને તે છે સંરક્ષણ ઉત્પાદન. ભારત સંરક્ષણ ઉત્પાદનમાં પણ નવા રેકોર્ડ બનાવી રહ્યું છે. આપણું સંરક્ષણ ઉત્પાદન 1.25 લાખ કરોડ રૂપિયાથી વધુ થયું છે. ભારતે લોકોમોટિવ ક્ષેત્રમાં બીજી એક મોટી સિદ્ધિ હાંસલ કરી છે. ભારત વિશ્વમાં સૌથી વધુ લોકોમોટિવ બનાવતો દેશ બની ગયો છે, વિશ્વમાં સૌથી વધુ. તે લોકોમોટિવ હોય, રેલ કોચ હોય, મેટ્રો કોચ હોય, આજે ભારત વિશ્વના ઘણા દેશોમાં મોટી સંખ્યામાં તેમની નિકાસ કરી રહ્યું છે. આપણું ઓટોમોબાઇલ ક્ષેત્ર પણ અભૂતપૂર્વ વૃદ્ધિ દર્શાવી રહ્યું છે.

છેલ્લા 5 વર્ષમાં આ ક્ષેત્રમાં લગભગ 40 અબજ ડોલરનું FDI આવ્યું છે. એટલે કે, નવી કંપનીઓ આવી છે, નવા કારખાનાઓ સ્થપાયા છે, નવી નોકરીઓનું સર્જન થયું છે, અને તે જ સમયે વાહનોની માંગમાં પણ ઘણો વધારો થયો છે, ભારતમાં વાહનોનું રેકોર્ડ વેચાણ થયું છે. વિવિધ ક્ષેત્રોમાં દેશની આ પ્રગતિ, આ ઉત્પાદન રેકોર્ડ ત્યારે જ બને છે, તે આ રીતે બનતા નથી, આ બધું ત્યારે શક્ય છે જ્યારે વધુને વધુ યુવાનોને નોકરીઓ મળી રહી હોય. યુવાનો પોતાનો પરસેવો પાડે છે, તેમનું મગજ કામ કરે છે, તેઓ સખત મહેનત કરે છે, દેશના યુવાનોને માત્ર રોજગાર મળ્યો જ નથી, પરંતુ આ અદ્ભુત સિદ્ધિ પણ હાંસલ કરી છે. હવે એક સરકારી કર્મચારી તરીકે, તમારે દેશમાં ઉત્પાદન ક્ષેત્ર આ ગતિએ આગળ વધે તે માટે શક્ય તેટલા બધા પ્રયાસો કરવા પડશે. તમને જ્યાં પણ જવાબદારી મળે છે, તમારે પ્રોત્સાહન તરીકે કામ કરવું જોઈએ, લોકોને પ્રોત્સાહિત કરવા જોઈએ, અવરોધો દૂર કરવા જોઈએ, તમે જેટલી સરળતા લાવશો, તેટલી જ વધુ સુવિધાઓ દેશના અન્ય લોકોને પણ મળશે.

મિત્રો,

આજે આપણો દેશ ઝડપથી વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવા તરફ આગળ વધી રહ્યો છે, અને કોઈપણ ભારતીય ખૂબ ગર્વથી કહી શકે છે. આ મારા યુવાનોના પરસેવાનો ચમત્કાર છે. છેલ્લા 11 વર્ષમાં, દેશે દરેક ક્ષેત્રમાં પ્રગતિ કરી છે. તાજેતરમાં, આંતરરાષ્ટ્રીય શ્રમ સંગઠન - ILO - તરફથી એક ખૂબ જ સારો અહેવાલ આવ્યો છે - તે એક અદ્ભુત અહેવાલ છે. આ અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે છેલ્લા દાયકામાં, ભારતના 90 કરોડથી વધુ નાગરિકોને કલ્યાણકારી યોજનાઓના દાયરામાં લાવવામાં આવ્યા છે. એક રીતે, સામાજિક સુરક્ષાનો અવકાશ ગણાય છે. અને આ યોજનાઓના ફાયદા ફક્ત કલ્યાણ પૂરતા મર્યાદિત નથી. આનાથી મોટી સંખ્યામાં નવી નોકરીઓનું પણ સર્જન થયું છે. ઉદાહરણ તરીકે, હું એક નાનું ઉદાહરણ આપીશ - પ્રધાનમંત્રી આવાસ યોજના. હવે, આ પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ, 4 કરોડ નવા ઘરો બનાવવામાં આવ્યા છે અને 3 કરોડ નવા ઘરો બનાવવાની પ્રક્રિયા હજુ પણ ચાલુ છે. ઘણા બધા ઘરો બનાવવામાં આવી રહ્યા છે, તેથી કડિયાકામના, મજૂર અને કાચા માલથી લઈને પરિવહન ક્ષેત્રના નાના દુકાનદારો, માલસામાન વહન કરતા ટ્રકના સંચાલકો સુધી, તમે કલ્પના કરી શકો છો કે કેટલી નોકરીઓનું સર્જન થયું છે. આમાં સૌથી ખુશીની વાત એ છે કે મોટાભાગની નોકરીઓ આપણા ગામડાઓમાં મળી છે, કોઈને ગામ છોડવાની જરૂર નથી. તેવી જ રીતે, દેશમાં 12 કરોડ નવા શૌચાલય બનાવવામાં આવ્યા છે. બાંધકામની સાથે, પ્લમ્બર, લાકડાના કામદારો, આપણા વિશ્વકર્મા સમાજના લોકો માટે ઘણી નોકરીઓનું સર્જન થયું છે. આ જ રોજગારનો વિસ્તાર કરે છે અને અસર પણ પેદા કરે છે. તેવી જ રીતે, આજે ઉજ્જવલા યોજના હેઠળ દેશમાં 10 કરોડથી વધુ નવા LPG કનેક્શન આપવામાં આવ્યા છે. હવે, આ માટે, મોટી સંખ્યામાં બોટલિંગ પ્લાન્ટ બનાવવામાં આવ્યા છે. ગેસ સિલિન્ડર બનાવનારાઓને કામ મળ્યું છે, તેમાં પણ નોકરીઓ ઉભી થઈ છે, ગેસ સિલિન્ડર એજન્સીઓને કામ મળ્યું છે. જેમને ઘર સુધી ગેસ સિલિન્ડર પહોંચાડવાની જરૂર છે તેમને નવી નોકરીઓ મળી છે. તમે દરેક કામ એક પછી એક લો, રોજગારની કેટલી તકો ઉભી થાય છે. આ બધી જગ્યાએ લાખો લોકોને નવી નોકરીઓ મળી છે.

મિત્રો,

હું બીજી યોજનાની પણ ચર્ચા કરવા માંગુ છું. હવે તમે આ યોજના જાણો છો, એટલે કે, એવું કહેવામાં આવે છે કે પાંચેય આંગળીઓ ઘીમાં છે, અથવા એવું કહેવામાં આવે છે કે બંને હાથોમાં લાડુ છે. પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજના. સરકાર તમારા ઘરની છત પર છત ઉપર સોલાર પ્લાન્ટ લગાવવા માટે એક પરિવારને સરેરાશ ₹ 75,000 થી વધુ આપી રહી છે. આ સાથે, તે તેના ઘરની છત પર સોલાર પ્લાન્ટ લગાવે છે. એક રીતે, તેના ઘરની છત વીજળી ફેક્ટરી બની જાય છે, તે વીજળી ઉત્પન્ન કરે છે અને તે પોતે વીજળીનો ઉપયોગ કરે છે, જો વધારાની વીજળી હોય, તો તે તેને વેચે છે. આનાથી વીજળીનું બિલ શૂન્ય થઈ રહ્યું છે, તે પૈસા બચાવી રહ્યો છે. આ પ્લાન્ટ લગાવવા માટે એન્જિનિયરોની જરૂર છે, ટેકનિશિયનોની જરૂર છે. સોલાર પેનલ બનાવવા માટે ફેક્ટરીઓ સ્થાપિત કરવામાં આવી રહી છે, કાચા માલ માટે, તેના પરિવહન માટે ફેક્ટરીઓ સ્થાપિત કરવામાં આવી રહી છે. તેને સુધારવા માટે એક નવો ઉદ્યોગ પણ સ્થાપિત કરવામાં આવી રહ્યો છે. તમે કલ્પના કરી શકો છો કે, દરેક યોજના લોકોનું ભલું કરી રહી છે, પરંતુ તેના કારણે લાખો નવી નોકરીઓ પણ ઉભી થઈ રહી છે.

મિત્રો,

નમો ડ્રોન દીદી અભિયાનથી બહેનો અને દીકરીઓની આવકમાં પણ વધારો થયો છે અને ગ્રામીણ વિસ્તારોમાં રોજગારની નવી તકો પણ ઉભી થઈ છે. આ યોજના હેઠળ, લાખો ગ્રામીણ બહેનોને ડ્રોન પાઇલટ તરીકે તાલીમ આપવામાં આવી રહી છે. ઉપલબ્ધ અહેવાલો જણાવે છે કે આપણી ડ્રોન દીદી, આપણી ગામડાની માતાઓ અને બહેનોએ ખેતીની દરેક સીઝનમાં ડ્રોનથી ખેતી કરવામાં મદદ કરીને અને કોન્ટ્રાક્ટ પર કામ લઈને લાખો રૂપિયા કમાવવાનું શરૂ કર્યું છે. એટલું જ નહીં, આ દેશમાં ડ્રોન ઉત્પાદન સંબંધિત નવા ક્ષેત્રને ઘણી શક્તિ આપી રહ્યું છે. કૃષિ હોય કે સંરક્ષણ, આજે ડ્રોન ઉત્પાદન દેશના યુવાનો માટે નવી તકો ઉભી કરી રહ્યું છે.

મિત્રો,

દેશમાં 3 કરોડ લખપતિ દીદી બનાવવાનું અભિયાન ચાલી રહ્યું છે. તેમાંથી 1.5 કરોડ લખપતિ દીદીઓ બની ચૂકી છે. અને તમે જાણો છો કે લખપતિ દીદી બનવાનો અર્થ એ છે કે તેની આવક વર્ષમાં ઓછામાં ઓછી 1 લાખથી વધુ હોવી જોઈએ અને તે એક વાર નહીં પણ દર વર્ષે થવી જોઈએ, તે મારી લખપતિ દીદી છે. 1.5 કરોડ લખપતિ દીદી, હવે જો તમે ગામમાં જશો તો તમને કેટલીક વાતો સાંભળવા મળશે, બેંક સખી, વીમા સખી, કૃષિ સખી, પશુ સખી, આવી ઘણી યોજનાઓમાં આપણા ગામની માતાઓ અને બહેનોને પણ રોજગાર મળ્યો છે. તેવી જ રીતે, પીએમ સ્વાનિધિ યોજના હેઠળ, પહેલીવાર, ફૂટપાથ પર કામ કરતા લોકો અને ફેરિયાઓને મદદ કરવામાં આવી. આ હેઠળ, લાખો લોકોને કામ મળ્યું છે અને ડિજિટલ પેમેન્ટને કારણે, આજકાલ દરેક ફેરિયા રોકડ લેતા નથી, તે UPIનો ઉપયોગ કરે છે. કેમ? કારણ કે તેને બેંકમાંથી તરત જ આગળની રકમ મળે છે. બેંકનો વિશ્વાસ વધે છે. તેને કોઈ કાગળની જરૂર નથી. તેનો અર્થ એ કે આજે ફેરિયા આત્મવિશ્વાસ અને ગર્વ સાથે આગળ વધી રહ્યો છે.

પીએમ વિશ્વકર્મા યોજના જુઓ. આ અંતર્ગત, પૂર્વજોનું કાર્ય, પરંપરાગત કાર્ય, કૌટુંબિક કાર્ય, આપણે તેનું આધુનિકીકરણ કરવું પડશે, તેમાં નવીનતા લાવવી પડશે, નવી ટેકનોલોજી લાવવી પડશે, તેમાં નવા સાધનો લાવવા પડશે, તેમાં કામ કરતા કારીગરો, શિલ્પકારો, કામદારો અને સેવા પ્રદાતાઓને તાલીમ આપવામાં આવી રહી છે. લોન આપવામાં આવી રહી છે, આધુનિક સાધનો પૂરા પાડવામાં આવી રહ્યા છે. હું તમને અસંખ્ય યોજનાઓ વિશે કહી શકું છું. આવી ઘણી યોજનાઓ છે જેણે ગરીબોને લાભ આપ્યો છે અને યુવાનોને રોજગાર પણ આપ્યો છે. આવી ઘણી યોજનાઓનો પ્રભાવ છે કે માત્ર 10 વર્ષમાં 25 કરોડ લોકો ગરીબીમાંથી બહાર આવ્યા છે. જો રોજગાર ન હોત, જો પરિવારમાં આવકનો કોઈ સ્ત્રોત ન હોત, તો મારા ગરીબ ભાઈ-બહેન, જે ત્રણ-ચાર પેઢીઓથી ગરીબીમાં જીવી રહ્યા હતા, તેમણે પોતાના જીવનના દરેક દિવસ દરમિયાન મૃત્યુ જોયું હોત, તે ખૂબ ડરતો હતો. પરંતુ આજે તે એટલો મજબૂત બન્યો છે કે મારા 25 કરોડ ગરીબ ભાઈ-બહેનોએ ગરીબીને હરાવી છે. તેઓ વિજયી બન્યા છે. અને હું આ બધા 25 કરોડ ભાઈ-બહેનોની હિંમતની કદર કરું છું જેમણે ગરીબીને પાછળ છોડી દીધી છે. તેઓએ સરકારી યોજનાઓનો લાભ લીધો અને હિંમતથી આગળ વધ્યા, તેઓ રડતા બેઠા ન રહ્યા. તેઓએ ગરીબીને જડમૂળથી ઉખેડી નાખી, તેને હરાવી. હવે કલ્પના કરો કે આ 25 કરોડ લોકોમાં કેટલો નવો આત્મવિશ્વાસ હશે. એકવાર વ્યક્તિ સંકટમાંથી બહાર આવે છે, ત્યારે એક નવી શક્તિ જન્મે છે. મારા દેશમાં એક નવી તાકાત પણ આવી છે, જે દેશને આગળ વધારવામાં ખૂબ ઉપયોગી થશે. અને તમે જુઓ, ફક્ત સરકાર જ આ વાત કહી રહી નથી. આજે, વિશ્વ બેંક જેવી મોટી વૈશ્વિક સંસ્થાઓ આ કાર્ય માટે ભારતની ખુલ્લેઆમ પ્રશંસા કરી રહી છે. તેઓ ભારતને વિશ્વ સમક્ષ એક મોડેલ તરીકે રજૂ કરે છે. ભારતને વિશ્વના સૌથી વધુ સમાનતા ધરાવતા ટોચના દેશોમાં સ્થાન આપવામાં આવી રહ્યું છે. એટલે કે, અસમાનતા ઝડપથી ઘટી રહી છે. આપણે સમાનતા તરફ આગળ વધી રહ્યા છીએ. વિશ્વ પણ હવે આની નોંધ લઈ રહ્યું છે.

મિત્રો,

વિકાસનો આ મહાન યજ્ઞ, ગરીબ કલ્યાણ અને રોજગાર નિર્માણનું મિશન જે આજથી ચાલી રહ્યું છે, તેને આગળ વધારવાની જવાબદારી તમારી છે. સરકારે અવરોધ ન બનવું જોઈએ, સરકારે વિકાસનું પ્રમોટર બનવું જોઈએ. દરેક વ્યક્તિને આગળ વધવાની તક મળે છે. હાથ પકડવાનું આપણું કામ છે. અને તમે યુવાન મિત્રો છો. મને તમારામાં ખૂબ વિશ્વાસ છે. તમારી પાસેથી મારી અપેક્ષા છે કે તમને જ્યાં પણ જવાબદારી મળે છે, તમે મારા માટે સૌ પ્રથમ આ દેશના નાગરિક છો, તેમને મદદ કરો અને તેમની સમસ્યાઓથી છુટકારો મેળવો, દેશ થોડા સમયમાં પ્રગતિ કરશે. તમારે ભારતના અમૃત કાળનો ભાગ બનવું પડશે. આવનારા 20-25 વર્ષ તમારા કરિયર માટે મહત્વપૂર્ણ છે, પરંતુ તમે એવા સમયગાળામાં છો જ્યારે આગામી 20-25 વર્ષ દેશ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. વિકસિત ભારતના નિર્માણ માટે આ 25 મહત્વપૂર્ણ વર્ષ છે. તેથી, તમારે તમારા કાર્ય, તમારી જવાબદારીઓ, તમારા લક્ષ્યોને વિકસિત ભારતના સંકલ્પ સાથે આત્મસાત કરવા પડશે. 'નાગરિક દેવો ભવ' મંત્ર આપણી નસોમાં દોડવો જોઈએ, આપણા હૃદય અને મનમાં હોવો જોઈએ, આપણા વર્તનમાં દૃશ્યમાન હોવો જોઈએ.

અને હું દ્રઢપણે માનું છું કે મિત્રો, આ યુવા શક્તિ છેલ્લા 10 વર્ષમાં દેશને આગળ વધારવામાં મારી સાથે ઉભી રહી છે. તેમણે મારા દરેક શબ્દો સાંભળીને દેશના કલ્યાણ માટે જે કંઈ કરી શક્યું છે તે કર્યું છે. તેઓ જ્યાં પણ છે ત્યાંથી તે કર્યું છે. તમને તક મળી છે, તમારી પાસેથી અપેક્ષાઓ ઊંચી છે. તમારી જવાબદારી ઊંચી છે, મને વિશ્વાસ છે કે તમે તે કરીને તે કરી બતાવશો. હું ફરી એકવાર તમને અભિનંદન આપું છું. હું તમારા પરિવારને પણ શુભકામનાઓ પાઠવું છું અને તમારા પરિવારને પણ ઉજ્જવળ ભવિષ્યની હકદાર છું. તમે પણ જીવનમાં ઘણી પ્રગતિ કરો. iGOT પ્લેટફોર્મ પર જઈને પોતાને અપગ્રેડ કરતા રહો. એકવાર તમને સ્થાન મળી જાય, પછી શાંતિથી ન બેસો, મોટા સપના જુઓ, ઘણું આગળ વધવાનું વિચારો. કામ કરીને, નવી વસ્તુઓ શીખીને, નવા પરિણામો લાવીને પ્રગતિ કરો. તમારી પ્રગતિમાં દેશનું ગૌરવ છે, તમારી પ્રગતિમાં સંતોષ છે. અને તેથી જ આજે જ્યારે તમે નવું જીવન શરૂ કરી રહ્યા છો, ત્યારે હું તમારી સાથે વાત કરવા, તમને મારી શુભેચ્છાઓ આપવા આવ્યો છું અને હવે તમે ઘણા સપના પૂરા કરવા માટે મારા સાથી બની રહ્યા છો. હું મારા નજીકના સાથીઓમાંના એક તરીકે તમારું સ્વાગત કરું છું. તમારા બધાનો ખૂબ ખૂબ આભાર. શુભકામનાઓ.