તેલંગણાની રચના- લડત અને માર્ગ આગળ પણ છે

 

મુખ્ય મંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ, તેલંગાણાની અલગ રાજ્ય તરીકેની જાહેરાતને તેલંગાણાની પ્રજા શક્તિનો વિજય ગણાવ્યો છે… તેલંગાણાની અલગ રાજ્ય તરીકેની જાહેરાત અંગે પ્રતિક્રિયા આપતા મુખ્ય મંત્રીશ્રીનો બ્લોગ અક્ષરસ: આ પ્રમાણે છે…

આંધ્રપ્રદેશના વિવિધ વિસ્તારોના રહેવાસી મારા ભાઇઓ અને બહેનો,

નમસ્કારમ! 11મી ઑગષ્ટના રોજ હૈદરાબાદ ખાતે યોજાનારી નવભારત યુવા ભેરી પબ્લિક રેલીમાં આપની સાથે વાર્તાલાપ માટે હું આતુર છું.

હૈદરાબાદ ખાતેની આ પબ્લિક મીટીંગ દરમ્યાન, હું મારા તેલંગણાના વિભાજનના મુદ્દાની સાથે-સાથે આંધ્રપ્રદેશના તમામ વિસ્તારોને દર્શાવનારા નકશા પ્રત્યેની આપની નિસ્બત અંગે મારા વિચારો રજૂ કરવાનું ઇચ્છી રહ્યો હતો.

અલબત્ત, ઘટનાઓની આ હારમાળા વચ્ચે કોંગ્રેસ પાર્ટી જે કામ છેલ્લા 9 વર્ષોથી કરવા કતરાતી હતી તેમણે ઓવરટાઇમ કરીને રાતોરાત તેલંગણા અંગેનો આ નિર્ણય લઇ લીધો. તે નિર્વિવાદસભર તથ્ય છે કે કોંગ્રેસ પાર્ટી અલગ તેલંગણા રાજ્યની રચના અંગેના તેમના આચરણ પર પારદર્શક કે સ્પષ્ટ નથી. તેથી, એક પાર્ટી અને એક સરકાર જેણે તેલંગણા મુદ્દે લોકોનો દ્રોહ કર્યો હતો અને આ મુદ્દે હાલના સમયગાળામાં તેના પર ભાગ્યે જ વિશ્વાસ મૂકી શકાય.

You can read the Telugu translation of Shri Modi's letter to the people of Andhra Pradesh

તેને અનુરૂપ તે તથ્ય છે કે તેલંગણા અલગ રાજ્ય નિર્માણના ટેકામાં ભાજપ પ્રતિસાદ આપનાર અને પારદર્શક રહ્યું છે.

નાના-નાના રાજ્યો અંગે જેનો ઇતિહાસ પ્રભાવશાળી રહ્યો હોય તેવી એકમાત્ર પાર્ટી ભાજપ છે. તે આપને યાદ જ હશે કે શ્રી અટલ બિહારી વાજપેયીના નેતૃત્વ હેઠળની એનડીએ સરકારે તેના શાસનકાળ દરમ્યાન વર્ષ 2000માં ત્રણ નવા રાજ્યો છત્તીસગઢ, ઉત્તરાખંડ (તે સમયે તેને ઉત્તરાંચલ તરીકે ઓળખવામાં આવતું હતું) તેમજ ઝારખંડ ની રચના કરી અને આ વિસ્તારોના લોકોને તેના ઉચ્ચારણમાં નવી આશાનું કિરણ પુરૂં પાડ્યું હતું.

મિત્રો, આ જ કોંગ્રેસ પાર્ટીએ વર્ષ 2004માં તેલંગણા મુદ્દે વચન આપીને વિજય મેળવ્યો હતો, તેણે છેલ્લા નવ-નવ વર્ષોથી લોકોની લાગણીઓ સાથે ઉપહાસકારક રમતો રમી છે. હવે, જ્યારે આ દેશના લોકોને ફરીથી મતદાન કરવાના થોડાક જ માસ બાકી રહ્યાં છે, ત્યારે કોંગ્રેસ પાર્ટી તેલંગણાની જાહેરાત કરવા ધસી આવી છે. જે કોંગ્રેસની ગંભીરતા અને મનસૂબા અંગેની ગંભીર સંડોવણી છતી કરે છે.

વર્ષ 2004 અને 2009માં ડૉ. વાય. એસ. રાજાશેખર રેડ્ડીના નેતૃત્વ હેઠળ આંધ્રપ્રદેશમાં બહોળો વિજય મેળવ્યા બાદ, કોંગ્રેસે આ રાજ્યમાં તેના ભૂતપૂર્વ મુખ્યમંત્રીના નિધન બાદ તેની પીઠ ફેરવી લીધી હતી. ત્યારબાદ ડિસેમ્બર 2009માં ગૃહમંત્રી શ્રી પી. ચિદમ્બરમે તેલંગણાને અલગ રાજ્ય બનાવવાની પ્રક્રિયાની શરૂઆતને અવિચારી રીતે પરત ખેંચી લીધી હતી. ત્યારબાદ કોંગ્રેસ પાર્ટીએ સમયાનુસાર તેલંગણા મુદ્દે અન્ય એક સમિતીની રચનાની બૂમરાણ મચાવી. પરંતુ વહીવટ, રાજકીય હિંસા અને તેલંગણાના યુવાનોની આત્મહત્યાની દુર્ભાગ્યપૂર્ણ ઘટનાઓમાં ખરાબ રીતે તેનો ધબડકો થયો. તે દરમ્યાન આંધ્રપ્રદેશની શાસન વ્યવસ્થા મંદ પડી.

હાલના સમયમાં કોંગ્રેસ અને યુપીએ સરકારના ઉદ્દેશ્યો કેટલા વાસ્તવિક છે તે અંગે જ્યારે આપણે તેલંગણા મુદ્દે કોઇ ચળવળને આવકારીએ ત્યારે ફરીથી બોલીશું.

હું કોંગ્રેસ પાર્ટી અને યુપીએ સરકારના નેતાઓને નીચે દર્શાવેલા પ્રશ્નો પુછવા ઇચ્છુ છું.

પ્રશ્ન 1- તેલંગણા મુદ્દે જ્યારે જુદી-જુદી દિશાઓમાંથી બોલવામાં આવતી બાબતો વચ્ચે આપની ખુદની પાર્ટી, આપની સરકાર અને ગઠબંધનની તમામ પાર્ટીઓમાં સર્વસંમતિ બાબતનું આપનું હોમવર્ક ક્યાં છે?

પ્રશ્ન 2- બે રાજ્યોની સીમાઓ પર વહેંચાયેલા વિશિષ્ટ પાટનગર તરીકે આવેલું શહેર, હૈદરાબાદ તેલંગણામાં તેનો વધુ હિસ્સો સ્થિત હોવા છતાં વહેંચણી પામેલું પાટનગર તરીકે રાખવામાં આવ્યું. તેથી જોકે ટૂંકો સમયગાળો હોવાથી પાટનગરની વહેંચણીનો આ તર્ક વાજબી જણાતો નથી. તેનાથી વ્યવસ્થાકીય મુશ્કેલીઓનો અવકાશ રહે છે.

તેથી, એક રાજ્ય માટે તેની મર્યાદાઓમાં ન આવતું હોય કે તેની સીમાઓમાં ન આવતું હોય તેવા શહેરને પાટનગર તરીકે વિક્સાવવું કેટલું વ્યવહારિક છે?

પ્રશ્ન 3- તેલંગણાના આ નિર્ણયને આવકારવા આંધ્રપ્રદેશ અને રયાલસીમાના લોકોના મનના કેવા રચનાત્મક માપદંડોને તમે અમલમાં લીધાં? તમે તેમના મંડળની રચના અને તેમની ચિંતાઓના શમન માટે કેવી બાંહેધરી પુરી પાડી હતી? લોકોમાં સર્વસંમતિનું નિર્માણ કરવા આપણા સર્વે પાસે એક ટેકનિકલ પ્રક્રિયા હોય છે, તેને અનુસંધાને આપનો પોલિટીકલ રોડમેપ ક્યાં છે?

પ્રશ્ન 4- તેલંગણાના લોકો કે જેઓ આપના અનેક વિશ્વાસઘાત કે આપ ફરી એક વખત તેમને સવારી કરાવશો, તેનાથી ગંભીર માનસિક આઘાત ભોગવી રહ્યાં છે તેમના માટે આપે પ્રતિબદ્ધતાની શું તૈયારી દર્શાવી છે?

પ્રશ્ન ૫ : તેલંગણાના ઘણા યુવાનોએ આત્મહત્યા કરી છે. હૈદરાબાદે મૂડીરોકાણના સ્થાન તરીકે ઘણુ સહન કર્યુ છે જેના કારણે આન્દ્રપ્રદેશ રાજ્ય ખરાબ સ્થિતીમા સપડાયેલુ છે. જે રાજ્યને પહેલા ભારતમાં ચોખાનો ઘડો તરીકે ઓળખવામા આવતુ હતુ તેમા કૃષિક્ષેત્રે થયેલા વિનાશને કારણે ઘણા ખેડૂતોએ આત્મહત્યા કરી છે.

હકીકતમાં એવુ છે કે કોંગ્રેસ પક્ષે આન્દ્રપ્રદેશના લોકોને મળવાની બદલે તેની કમિટી, તેના રિપોર્ટૅ તેમજ તેની નકામી ચર્ચા વિચારણા પાછળ સમય વેડફ્યો છે. હકિકત તો એ છે કે આન્દ્રપ્રદેશે વર્ષ ૨૦૦૪ અને ૨૦૦૯ મા સૌથી વધારે કોંગ્રેસના સંસદસભ્યો આપ્યા હોવા છતા કોંગ્રેસ પ્રેસિડેન્ટે કે વાઇસ પ્રેસિડેંન્ટે કોઇ પણ પ્રકારના પગલા ભર્યા નથી. શુ કોંગ્રેસ આગેવાનોએ તેમની રાજકીય વર્તણુકને અનૂરૂપ હોય તે રીતે આન્દ્રપ્રદેશના લોકો જોડે ખરાબ વર્તન કરવા બદલ માફી ન માંગવી જોઇએ?

આન્દ્રપ્રદેશના દરેક વિસ્તારના નકશા માટે ભાજપના સિધ્ધાંતો

અમે તેલંગણાને એક રાજ્ય તરીકે પ્રસ્થાપિત કરવા માટેની અમારી પ્રતિબધ્ધતાને ટેકો આપીએ છીએ. અમે એવુ વિચારીએ છીએ કે નકશો એવો હોય કે વિસ્તારના બધા લોકોને સરળતાથી માર્ગ મળે. કોઇ એક વિસ્તારમા રાજ્યની સ્થાપના કરવા માટે બીજા વિસ્તારને ખર્ચો થાય તેવુ ન કરવુ જોઇએ.

અમે એવુ વિચારીએ છીએ કે આપણને આન્દ્રપ્રદેશ વિસ્તારમા વિશાખાપટનમ, વિજયવાડા, ગુન્ટુર, વરાંગલ, કરીમનગર, ઓંગોલ, અનંતપુર કુર્નુલ તેમજ કાદપા જેવા મોટા શહેરોનો વિકાસ કરવાની તક મળી છે.

અમે સંવિધાનનુ આદર કરીએ છીએ કે જેને દરેક નાગરિકને હક આપ્યા છે. આન્દ્રપ્રદેશમા રહેતા દરેક લોકો, દરેક કુટુંબો, વેપારો તેમજ મિલકતોના રક્ષણ માટે ભાજપ તમામ જરૂરી પગલા ભરશે.

આન્દ્રપ્રદેશના અર્થતંત્રને ફરીથી જીવંત કરવા અમે પ્રતિબધ્ધ છીએ. કાયદો અને વ્યવસ્થા, રાજકિય સ્થીરતા અને ગતિશીલ કાર્યપધ્ધતિ અમારી પ્રાથમિકતા હશે. બીજેપી ખાતરીપૂર્વક નદીના પાણીને દરેક વિસ્તારમા પહોંચાડશે.

અમે દરેક વિસ્તારમા વિશ્વાસ અને હિંમતને પાછુ લાવવા માટે પ્રતિબધ્ધ છીએ. હવે વધારે રાજકિય રમતો કે દગાખોરી નહી જોવા મળે.

આ કદાચિત એવું પ્રથમ રાજ્ય ભાષા સ્તરે આધારિત વિભાજન પામશે. જે એક ભાવનાશીલ ક્ષણ છે.

હાલમાં આ રાજ્ય વિભાજન પામી રહ્યું હોવા છતાં પણ લોકલાગણીને માન આપીને શ્રી પોટ્ટી શ્રીરામુલુ કે જેમણે આંધ્રપ્રદેશના નિર્માણ માટે તેમના જીવનને સમર્પિત કરી દીધું હતું તેના માનમાં આવો આપણે સહુ શિશ ઝુકાવીએ. તેમની યાદગીરીની પ્રેરણા લઇને આ તમામ વિસ્તારોના તેલુગુ લોકોની પ્રગતિ માટે આપણે આપણી જાતને કાર્યરત કરીએ.

આપનો,

 

 

નરેન્દ્ર મોદી

  • Jitendra Kumar May 09, 2025

    ❤️🇮🇳🙏
  • Chhedilal Mishra December 07, 2024

    Jai shrikrishna
  • Amrita Singh September 22, 2024

    जय श्री राम जय जय श्री राम जय
  • Amrita Singh September 22, 2024

    जय श्री राम जय जय
  • दिग्विजय सिंह राना September 18, 2024

    हर हर महादेव
  • JBL SRIVASTAVA May 24, 2024

    मोदी जी 400 पार
  • MLA Devyani Pharande February 16, 2024

    good
  • rajiv Ghosh February 13, 2024

    abki baar 400 paar, Modi ji jindabad
  • Jitender Kumar February 12, 2024

    🙏🇮🇳🆘
  • KRISHNA DEV SINGH February 10, 2024

    jai shree ram
Explore More
દરેક ભારતીયનું લોહી ઉકળી રહ્યું છે: મન કી બાતમાં વડાપ્રધાન મોદી

લોકપ્રિય ભાષણો

દરેક ભારતીયનું લોહી ઉકળી રહ્યું છે: મન કી બાતમાં વડાપ્રધાન મોદી
Behind India’s remarkable showing on renewables

Media Coverage

Behind India’s remarkable showing on renewables
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
એકતા કા મહાકુંભ - એક નવા યુગનો પ્રારંભ
February 27, 2025

– નરેન્દ્ર મોદી
પ્રધાનમંત્રી

પવિત્ર નગરી પ્રયાગરાજમાં મહાકુંભ સફળતાપૂર્વક સંપન્ન થયો છે. એકતાનો ભવ્ય મહાયજ્ઞ પૂર્ણ થયો છે. જ્યારે કોઈ રાષ્ટ્રની ચેતના જાગૃત થાય છે, જ્યારે તે સદીઓ જૂની પરાધીનતાની માનસિકતાના બંધનમાંથી મુક્ત થાય છે, ત્યારે તે નવી ઉર્જાની તાજી હવામાં મુક્તપણે શ્વાસ લે છે. આનું પરિણામ 13 જાન્યુઆરીથી પ્રયાગરાજમાં એકતા કા મહાકુંભ (એકતાનો મહાકુંભ)માં જોવા મળ્યું.

|

22 જાન્યુઆરી, 2024ના રોજ અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા દરમિયાન મેં દેવભક્તિ અને દેશભક્તિ અંગે વાત કરી હતી. પ્રયાગરાજમાં મહાકુંભ દરમિયાન, દેવી-દેવતાઓ, સંતો, મહિલાઓ, બાળકો, યુવાનો, વૃદ્ધો અને દરેક વર્ગના લોકો એક સાથે આવ્યા હતા. આપણે રાષ્ટ્રની જાગૃત ચેતનાના સાક્ષી બન્યા. આ એકતા કા મહાકુંભ હતો, જ્યાં 140 કરોડ ભારતીયોની લાગણીઓ આ પવિત્ર અવસર માટે એક જ જગ્યાએ, એક જ સમયે એકઠી થઈ હતી.
પ્રયાગરાજના આ પવિત્ર ક્ષેત્રમાં એકતા, સદ્ભાવ અને પ્રેમની પવિત્ર ભૂમિ શ્રૃંગવેરપુર છે. જ્યાં પ્રભુ શ્રી રામ અને નિષાદરાજની મુલાકાત થઈ હતી. તેમનું મિલન ભક્તિ અને સદ્ભાવનાના સંગમનું પ્રતીક હતું. આજે પણ, પ્રયાગરાજ આપણને એ જ ભાવનાથી પ્રેરિત કરે છે.

45 દિવસ સુધી મેં દેશના ખૂણે ખૂણેથી કરોડો લોકોને સંગમ તરફ આવતા જોયા. સંગમ પર લાગણીઓની લહેર વધતી રહી. દરેક ભક્ત એક જ હેતુ સાથે આવતા હતા - સંગમમાં ડૂબકી લગાવવી. ગંગા, યમુના અને સરસ્વતીના પવિત્ર સંગમથી દરેક યાત્રાળુને ઉત્સાહ, ઉર્જા અને આત્મવિશ્વાસથી તરબોળ કરી દેતા હતા.

|

પ્રયાગરાજના આ પવિત્ર ક્ષેત્રમાં એકતા, સદ્ભાવ અને પ્રેમની પવિત્ર ભૂમિ શ્રૃંગવેરપુર છે. જ્યાં પ્રભુ શ્રી રામ અને નિષાદરાજની મુલાકાત થઈ હતી. તેમનું મિલન ભક્તિ અને સદ્ભાવનાના સંગમનું પ્રતીક હતું. આજે પણ, પ્રયાગરાજ આપણને એ જ ભાવનાથી પ્રેરિત કરે છે.

|

45 દિવસ સુધી મેં દેશના ખૂણે ખૂણેથી કરોડો લોકોને સંગમ તરફ આવતા જોયા. સંગમ પર લાગણીઓની લહેર વધતી રહી. દરેક ભક્ત એક જ હેતુ સાથે આવતા હતા - સંગમમાં ડૂબકી લગાવવી. ગંગા, યમુના અને સરસ્વતીના પવિત્ર સંગમથી દરેક યાત્રાળુને ઉત્સાહ, ઉર્જા અને આત્મવિશ્વાસથી તરબોળ કરી દેતા હતા.

પ્રયાગરાજમાં યોજાયેલો આ મહાકુંભ આધુનિક મેનેજમેન્ટ વ્યાવસાયિકો, આયોજન અને નીતિ નિષ્ણાતો માટે અભ્યાસનો વિષય છે. દુનિયામાં ક્યાંય પણ આ સ્તરનું કોઈ સમાંતર કે ઉદાહરણ નથી.

|

દુનિયાએ આશ્ચર્યથી જોયું કે કેવી રીતે પ્રયાગરાજમાં નદીઓના સંગમ કિનારે કરોડો લોકો ભેગા થયા હતા. આ લોકોને કોઈ ઔપચારિક આમંત્રણ નહોતું કે ક્યારે જવું તે અંગે કોઈ પૂર્વ સૂચના નહોતી. છતાં કરોડો લોકો પોતાની મરજીથી મહાકુંભ જવા રવાના થયા અને પવિત્ર જળમાં ડૂબકી લગાવવાનો આનંદ અનુભવ્યો.

|

પવિત્ર સ્નાન પછી અપાર આનંદ અને સંતોષ ફેલાવતા ચહેરાઓ હું ભૂલી શકતો નથી. મહિલાઓ, વડીલો, આપણા દિવ્યાંગ ભાઈઓ અને બહેનો - દરેકે સંગમ સુધી પહોંચવાનો માર્ગ શોધી કાઢ્યો હતો.

ભારતના યુવાનોની જબરદસ્ત ભાગીદારી જોઈને મને ખાસ આનંદ થયો. મહાકુંભમાં યુવા પેઢીની હાજરી એક ખાસ સંદેશ આપે છે કે, ભારતના યુવાનો આપણી ભવ્ય સંસ્કૃતિ અને વારસાના પથદર્શક બનશે. તેઓ તેને જાળવવા પ્રત્યેની તેમની જવાબદારી સમજે છે અને તેને આગળ વધારવા માટે પ્રતિબદ્ધ છે.

|

આ મહાકુંભ માટે પ્રયાગરાજ પહોંચેલા લોકોની સંખ્યાએ નિઃશંકપણે નવા રેકોર્ડ બનાવ્યા છે. પરંતુ શારીરિક રીતે હાજર રહેલા લોકો ઉપરાંત, કરોડો લોકો જે પ્રયાગરાજ પહોંચી શક્યા ન હતા. તેઓ પણ આ પ્રસંગ સાથે ભાવનાત્મક રીતે ઊંડાણપૂર્વક જોડાયેલા હતા. યાત્રાળુઓ દ્વારા પરત લાવવામાં આવેલ પવિત્ર જળ લાખો લોકો માટે આધ્યાત્મિક આનંદનો સ્ત્રોત બન્યું. મહાકુંભમાંથી પાછા ફરનારા ઘણા લોકોનું તેમના ગામમાં આદરપૂર્વક સ્વાગત કરવામાં આવ્યું, સમાજ દ્વારા તેમનું સન્માન કરવામાં આવ્યું.

છેલ્લા કેટલાક અઠવાડિયામાં જે બન્યું છે તે અભૂતપૂર્વ છે અને તેણે આવનારી સદીઓ માટે પાયો નાખ્યો છે.

પ્રયાગરાજમાં કોઈએ કલ્પના કરી ન હતી તેના કરતાં વધુ ભક્તો પહોંચ્યા. વહીવટીતંત્રે કુંભના ભૂતકાળના અનુભવોના આધારે હાજરીનો અંદાજ લગાવ્યો હતો.

આ એકતા કા મહાકુંભમાં અમેરિકાની લગભગ બમણી વસ્તીએ ભાગ લીધો હતો.

|

જો આધ્યાત્મિકતાના વિદ્વાનો કરોડો ભારતીયોની ઉત્સાહી ભાગીદારીનું વિશ્લેષણ કરે તો તેઓ જોશે કે ભારત જે તેના વારસા પર ગર્વ કરે છે, તે હવે એક નવી ઉર્જા સાથે આગળ વધી રહ્યું છે. મારું માનવું છે કે આ એક નવા યુગનો ઉદય છે, જે નવા ભારતનું ભવિષ્ય બનાવશે.

હજારો વર્ષોથી મહાકુંભ ભારતની રાષ્ટ્રીય ચેતનાને મજબૂત બનાવે છે. દરેક પૂર્ણ કુંભમાં સંતો, વિદ્વાનો અને વિચારકો પોતાના સમયમાં સમાજની સ્થિતિ પર વિચાર-વિમર્શ કરતા હતા. તેમના વિચારો રાષ્ટ્ર અને સમાજને નવી દિશા આપતા હતા. દર છ વર્ષે અર્ધ કુંભ દરમિયાન આ વિચારોની સમીક્ષા કરવામાં આવતી હતી. 144 વર્ષમાં પૂર્ણ કુંભની 12 ઘટનાઓ પછી જૂની પરંપરાઓનો ત્યાગ કરવામાં આવ્યો, નવા વિચારો અપનાવવામાં આવ્યા અને સમય સાથે આગળ વધવા માટે નવી પરંપરાઓનું નિર્માણ કરવામાં આવ્યું.

144 વર્ષ પછી, આ મહાકુંભમાં આપણા સંતોએ ફરી એકવાર આપણને ભારતની વિકાસ યાત્રા માટે એક નવો સંદેશ આપ્યો છે. તે સંદેશ છે ડેવલપ ભારત - વિકસિત ભારત.

|

આ એકતા કા મહાકુંભમાં દરેક યાત્રાળુ, ભલે તે ગરીબ હોય કે અમીર, યુવાન હોય કે વૃદ્ધ, ગામડાંના હોય કે શહેરોના, ભારત હોય કે વિદેશથી, પૂર્વ હોય કે પશ્ચિમથી, ઉત્તર હોય કે દક્ષિણથી, જાતિ, સંપ્રદાય અને વિચારધારાને ધ્યાનમાં લીધા વિના એકઠા થયા. આ એક ભારત, શ્રેષ્ઠ ભારતના વિઝનનું મૂર્ત સ્વરૂપ હતું જેણે કરોડો લોકોમાં વિશ્વાસ ભરી દીધો. હવે, આપણે વિકસિત ભારત બનાવવાના મિશન માટે સમાન ભાવના સાથે એક સાથે આવવું જોઈએ.

મને એ ઘટના યાદ આવે છે, જ્યારે શ્રી કૃષ્ણ બાળ સ્વરૂપમાં પોતાની માતા યશોદાને તેમના મુખમાં રહેલા સમગ્ર બ્રહ્માંડનો એક ઝલક જોવા મળી હતી. તેવી જ રીતે, આ મહાકુંભમાં ભારત અને વિશ્વના લોકોએ ભારતની સામૂહિક શક્તિની વિશાળ સંભાવના જોઈ છે. આપણે હવે આ આત્મવિશ્વાસ સાથે આગળ વધવું જોઈએ અને વિકસિત ભારત બનાવવા માટે પોતાને સમર્પિત કરવું જોઈએ.

|

અગાઉ, ભક્તિ આંદોલનના સંતોએ સમગ્ર ભારતમાં આપણા સામૂહિક સંકલ્પની શક્તિને ઓળખી અને પ્રોત્સાહન આપ્યું હતું. સ્વામી વિવેકાનંદથી લઈને શ્રી અરવિંદ સુધી, દરેક મહાન વિચારકે આપણને આપણા સામૂહિક સંકલ્પની શક્તિની યાદ અપાવી હતી. મહાત્મા ગાંધીએ પણ સ્વતંત્રતા ચળવળ દરમિયાન તેનો અનુભવ કર્યો હતો. સ્વતંત્રતા પછી, જો આ સામૂહિક શક્તિને યોગ્ય રીતે ઓળખવામાં આવી હોત અને તેનો ઉપયોગ બધાના કલ્યાણ માટે કરવામાં આવ્યો હોત તો તે નવા સ્વતંત્ર રાષ્ટ્ર માટે એક મહાન શક્તિ બની હોત. દુર્ભાગ્યથી તે પહેલાં કરવામાં આવ્યું ન હતું. પરંતુ હવે, વિકસિત ભારત માટે લોકોની આ સામૂહિક શક્તિ જે રીતે એક સાથે આવી રહી છે તે જોઈને મને આનંદ થાય છે.

વેદોથી વિવેકાનંદ સુધી, પ્રાચીન શાસ્ત્રોથી આધુનિક ઉપગ્રહો સુધી, ભારતની મહાન પરંપરાઓએ આ રાષ્ટ્રને ઘડ્યું છે. એક નાગરિક તરીકે હું પ્રાર્થના કરું છું કે આપણે આપણા પૂર્વજો અને સંતોની યાદોમાંથી નવી પ્રેરણા મેળવીએ. આ એકતાનો મહાકુંભ આપણને નવા સંકલ્પો સાથે આગળ વધવામાં મદદ કરે. ચાલો આપણે એકતાને આપણો માર્ગદર્શક સિદ્ધાંત બનાવીએ. ચાલો આપણે એ સમજ સાથે કાર્ય કરીએ કે રાષ્ટ્રની સેવા એ પરમાત્માની સેવા છે.

|

કાશીમાં મારી ચૂંટણી પ્રચાર દરમિયાન, મેં કહ્યું હતું કે, "મા ગંગાએ મને બોલાવ્યો છે." આ ફક્ત એક ભાવના જ નહીં, પણ આપણી પવિત્ર નદીઓની સ્વચ્છતા પ્રત્યે જવાબદારીનું આહ્વાન પણ હતું. પ્રયાગરાજમાં ગંગા, યમુના અને સરસ્વતીના સંગમ પર ઊભા રહીને મારો સંકલ્પ વધુ મજબૂત બન્યો. આપણી નદીઓની સ્વચ્છતા આપણા પોતાના જીવન સાથે ઊંડે સુધી જોડાયેલી છે. આપણી નાની કે મોટી નદીઓને જીવનદાતા માતા તરીકે ઉજવવાની જવાબદારી આપણી છે. આ મહાકુંભ આપણને આપણી નદીઓની સ્વચ્છતા માટે કામ કરતા રહેવાની પ્રેરણા આપે છે.

મને ખબર છે કે આટલા મોટા કાર્યક્રમનું આયોજન કરવું સરળ કાર્ય નહોતું. જો આપણી ભક્તિમાં કોઈ ખામી રહી ગઈ હોય તો હું મા ગંગા, મા યમુના અને મા સરસ્વતીને પ્રાર્થના કરું છું કે, તેઓ આપણને માફ કરે. હું જનતા જનાર્દનને દિવ્યતાનું સ્વરૂપ માનું છું. જો તેમની સેવા કરવાના અમારા પ્રયત્નોમાં કોઈ ખામી રહી ગઈ હોય, તો હું જનતાની પણ ક્ષમા માંગુ છું.

|

કરોડો લોકો ભક્તિની ભાવના સાથે મહાકુંભમાં આવ્યા હતા. તેમની સેવા કરવી એ પણ એક જવાબદારી હતી જે ભક્તિની ભાવના સાથે નિભાવવામાં આવી હતી. ઉત્તર પ્રદેશના સંસદ સભ્ય તરીકે હું ગર્વથી કહી શકું છું કે, યોગીજીના નેતૃત્વમાં, વહીવટ અને લોકોએ આ એકતા કા મહાકુંભને સફળ બનાવવા માટે સાથે મળીને કામ કર્યું. રાજ્ય હોય કે કેન્દ્ર, કોઈ શાસક કે વહીવટકર્તા નહોતા અને તેના બદલે દરેક જણ સમર્પિત સેવક હતા. સ્વચ્છતા કર્મચારીઓ, પોલીસ, હોડીચાલક, ડ્રાઇવર, ભોજન પીરસનારા - બધાએ અથાક મહેનત કરી. પ્રયાગરાજના લોકોએ ઘણી બધી અસુવિધાઓનો સામનો કરવા છતાં ખુલ્લા દિલે યાત્રાળુઓનું સ્વાગત જે રીતે કર્યું તે ખાસ કરીને પ્રેરણાદાયક હતું. હું તેમનો અને ઉત્તર પ્રદેશના લોકોનો હૃદયપૂર્વક આભાર અને પ્રશંસા વ્યક્ત કરું છું.


મને હંમેશા આપણા રાષ્ટ્રના ઉજ્જવળ ભવિષ્યમાં અતૂટ વિશ્વાસ રહ્યો છે. આ મહાકુંભના સાક્ષી બનવાથી મારી શ્રદ્ધા અનેક ગણી મજબૂત થઈ છે.

જે રીતે 140 કરોડ ભારતીયોએ એકતા કા મહાકુંભને વૈશ્વિક પ્રસંગમાં ફેરવ્યો તે ખરેખર અદ્ભુત છે. આપણા લોકોના સમર્પણ, ભક્તિ અને પ્રયત્નોથી પ્રેરિત થઈને હું ટૂંક સમયમાં શ્રી સોમનાથની મુલાકાત લઈશ, જે 12 જ્યોતિર્લિંગોમાંનું પ્રથમ છે. જેથી હું આ સામૂહિક રાષ્ટ્રીય પ્રયાસોના ફળ તેમને અર્પણ કરી શકું અને દરેક ભારતીય માટે પ્રાર્થના કરી શકું.

મહાકુંભનું ભૌતિક સ્વરૂપ ભલે મહાશિવરાત્રી પર સફળતાપૂર્વક પૂર્ણ થયું હોય, પરંતુ ગંગાના શાશ્વત પ્રવાહની જેમ મહાકુંભથી જાગૃત થયેલી આધ્યાત્મિક શક્તિ, રાષ્ટ્રીય ચેતના અને એકતા આવનારી પેઢીઓ સુધી આપણને પ્રેરણા આપતી રહેશે.