પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે ભારત-જર્મની વચ્ચેના દ્રીપક્ષીય સંબંધો લોકશાહી અને કાયદાના શાસનમાં મૂળભૂત વિશ્વાસ ઉપર આધારિત છે.

આંતર-સરકારી પરામર્શોની ભૂમિકાની પ્રશંસા કરતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે આ વિશિષ્ટ વ્યવસ્થાતંત્રે નવી અને અદ્યતન ટેક્નોલોજી, ઇ-મોબિલિટી, ફ્યૂઅલ સેલ ટેક્નોલોજી, સ્માર્ટ સિટી, આંતર જળમાર્ગો, તટીય સંચાલન, નદીઓની સફાઇ, પર્યાવરણીય સંરક્ષણ વગેરે જેવા ક્ષેત્રોમાં ભારત અને જર્મનીના દ્રીપક્ષીય સંબંધોને ગાઢ બનાવવામાં મદદ કરી છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીમાં જર્મનીના ચાન્સેલર સાથે સંયુક્ત પત્રકાર પરિષદ દરમિયાન પ્રારંભિક નિવેદન આપી રહ્યાં હતા.

જર્મનીના ચાન્સેલર ડૉ.એન્જેલા મર્કેલ અને તેમના પ્રતિનિધિમંડળનું ભારતમાં સ્વાગત કરતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે ભારત-જર્મનીના સંબંધોને મજબૂત બનાવવામાં ચાન્સેલર મર્કેલે ચાવીરૂપ ભૂમિકા ભજવી છે.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે ભારત નિકાસ નિયંત્રણ ક્ષેત્રો અને અન્ય આંતરરાષ્ટ્રીય મંચોમાં ભારતની સદસ્યતાને ટેકો આપવા બદલ જર્મનીનું આભારી છે.

તેમણે જણાવ્યું હતું કે બન્ને દેશો સુરક્ષા પરિષદ, સંયુક્ત રાષ્ટ્રો અને અન્ય આંતરરાષ્ટ્રીય સંગઠનોમાં હાથ ધરાયેલા સહકાર ચાલુ રાખશે.

Click here to read full text speech

Explore More
78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ
Wind power capacity to hit 63 GW by FY27: Crisil

Media Coverage

Wind power capacity to hit 63 GW by FY27: Crisil
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 24 ફેબ્રુઆરી 2025
February 24, 2025

6 Years of PM Kisan Empowering Annadatas for Success

Citizens Appreciate PM Modi’s Effort to Ensure Viksit Bharat Driven by Technology, Innovation and Research