પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી શુક્રવારે, 4 સપ્ટેમ્બર, 2020ના રોજ સવારે 11 વાગ્યે સરદાર વલ્લભભાઇ પટેલ રાષ્ટ્રીય પોલીસ એકેડેમી (એસવીપી એનપીએ) ખાતે યોજાનાર દીક્ષાંત પરેડ સમારોહમાં આઈપીએસ પ્રોબેશનર્સ સાથે વિડિયો કોન્ફરન્સના માધ્યમથી વાર્તાલાપ કરશે.

28 લેડી પ્રોબેશનર્સ સહિત 131 આઈપીએસ પ્રોબેશનરોએ એકેડેમીમાં મૂળભૂત અભ્યાસક્રમ ચરણ -1 ની 42 અઠવાડિયાની તાલીમ પૂર્ણ કરી છે.

આ પ્રોબેશનરોએ લાલ બહાદુર શાસ્ત્રી રાષ્ટ્રીય પ્રશાસન અકાદમી મસુરી અને તેલંગાણાની ડૉ. મેરી ચન્ના રેડ્ડી માનવ સંસાધન વિકાસ સંસ્થા, હૈદરાબાદમાં આઇ.એ.એસ., આઈ.એફ.એસ. જેવી અન્ય સેવાઓના પ્રોબેશનરો સાથે પોતાનો ફાઉન્ડેશન કોર્સ પૂર્ણ કર્યા પછી તેઓ 17 ડિસેમ્બર 2018 ના રોજ એકેડેમીમાં જોડાયા.

એસવીપી એનપીએમાં બેઝિક કોર્સ તાલીમ દરમિયાન પ્રોબેશનર્સને કાયદા, તપાસ, ફોરેન્સિક્સ, નેતૃત્વ અને સંચાલન, ગુનાહિતશાસ્ત્ર, જાહેર હુકમ અને આંતરિક સુરક્ષા, નીતિશાસ્ત્ર અને માનવાધિકાર, આધુનિક ભારતીય પોલીસ વ્યવસ્થાપન, ફીલ્ડ ક્રાફ્ટ, યુક્તિઓ, શસ્ત્ર પ્રશિક્ષણ અને ફાયરિંગ જેવા વિવિધ ઇન્ડોર અને આઉટડોર વિષયોમાં તાલીમ આપવામાં આવે છે.

 

Explore More
78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ
ASER report brings good news — classrooms have recovered post Covid

Media Coverage

ASER report brings good news — classrooms have recovered post Covid
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 31 જાન્યુઆરી 2025
January 31, 2025

PM Modi's January Highlights: From Infrastructure to International Relations India Reaching New Heights