Quote“Central Government is standing alongside the State Government for all assistance and relief work”
QuoteShri Narendra Modi visits and inspects landslide-hit areas in Wayanad, Kerala

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે અમારી પ્રાર્થના વાયનાડમાં ભૂસ્ખલનથી અસરગ્રસ્ત લોકો સાથે છે અને કેન્દ્ર રાહત પ્રયત્નોમાં સહાય માટે શક્ય તમામ સમર્થનની ખાતરી આપે છે. તેમણે કહ્યું હતું કે, કેન્દ્ર સરકાર તમામ સહાય અને રાહત કાર્યો માટે રાજ્ય સરકારની સાથે ઊભી છે. પ્રધાનમંત્રીએ આજે કેરળના વાયનાડમાં હવાઈ નિરીક્ષણ કર્યા બાદ ભૂસ્ખલનથી અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી હતી અને તેનું નિરીક્ષણ કર્યું હતું.

 

|

પ્રધાનમંત્રીએ કુદરતી આપત્તિ દરમિયાન ઘાયલ થયેલા દર્દીઓ સાથે મુલાકાત કરી હતી અને રાહત શિબિરોમાં રહેતા લોકો સાથે વાતચીત કરી હતી. . એક સમીક્ષા બેઠકમાં શ્રી મોદીએ આશ્વાસન આપ્યું હતું કે, કેન્દ્ર સરકાર અને દેશ દુઃખની આ ઘડીમાં આપત્તિગ્રસ્ત પીડિતોની સાથે છે. તેમણે જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી દ્વારા વિસ્તૃત મેમોરેન્ડમ મોકલવામાં આવશે.

 

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, તેઓ વાયનાડમાં બચાવ કામગીરી પર બારીકાઈથી નજર રાખી રહ્યાં છે અને અધિકારીઓ સાથે સતત સંપર્કમાં છે. તેમણે કહ્યું કે ડિઝાસ્ટર મેનેજમેન્ટ ભંડોળ પહેલેથી જ બહાર પાડવામાં આવ્યું છે અને બાકીનો ભાગ પણ તાત્કાલિક ધોરણે બહાર પાડવામાં આવશે.

 

|

શ્રી મોદીએ જણાવ્યું હતું કે, હાલની સ્થિતિનો સામનો કરી શકે તેવી તમામ કેન્દ્રીય સંસ્થાઓને કાર્યરત કરવામાં આવી છે અને તેઓ અસરગ્રસ્તોને મદદ કરી રહી છે. પ્રધાનમંત્રીએ એનડીઆરએફ, એસડીઆરએફ, સેના, રાજ્ય પોલીસ, સ્થાનિક તબીબી દળ, એનજીઓ અને અન્ય સેવાલક્ષી સંસ્થાઓનાં જવાનોની પ્રશંસા કરી હતી, જેઓ આપત્તિગ્રસ્ત વિસ્તારમાં તાત્કાલિક પહોંચી ગયા હતા તથા શોધખોળ અને બચાવ કામગીરી શરૂ કરી હતી.

 

|

શ્રી મોદીએ અસરગ્રસ્ત લોકોને, ખાસ કરીને જેમણે પોતાના પરિવારોને ગુમાવ્યા છે, તેમને સહાય કરવા માટે નવી લાંબા ગાળાની યોજનાઓની રચના કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે કેન્દ્ર તરફથી જરૂરી તમામ સમર્થન સાથે રાજ્ય સરકાર આમાં નિર્ણાયક ભૂમિકા ભજવશે.

 

|
|

પ્રધાનમંત્રીએ વાયનાડના લોકોને ખાતરી આપી હતી કે, ઘર હોય, શાળાઓ હોય, રોડ પરનું માળખું હોય, સાથે-સાથે બાળકોનું ભવિષ્ય હોય, આ વિસ્તારમાં આજીવિકા પુનઃસ્થાપિત કરવામાં દેશ અને કેન્દ્ર સરકાર કોઈ કસર છોડશે નહીં.

 

 

Click here to read full text speech

  • Jitendra Kumar July 07, 2025

    131
  • Jitendra Kumar July 07, 2025

    121
  • Jitendra Kumar July 07, 2025

    1212
  • Jitendra Kumar July 07, 2025

    1222
  • Jitendra Kumar July 07, 2025

    112
  • Jitendra Kumar July 07, 2025

    1
  • Aniket Malwankar October 08, 2024

    #NaMo
  • Lal Singh Chaudhary October 07, 2024

    झुकती है दुनिया झुकाने वाला चाहिए शेर ए हिन्दुस्तान मोदी जी को बहुत-बहुत बधाई एवं हार्दिक शुभकामनाएं 🙏🙏🙏
  • Vivek Kumar Gupta October 06, 2024

    नमो ..🙏🙏🙏🙏🙏
  • Vivek Kumar Gupta October 06, 2024

    नमो ............................🙏🙏🙏🙏🙏
Explore More
દરેક ભારતીયનું લોહી ઉકળી રહ્યું છે: મન કી બાતમાં વડાપ્રધાન મોદી

લોકપ્રિય ભાષણો

દરેક ભારતીયનું લોહી ઉકળી રહ્યું છે: મન કી બાતમાં વડાપ્રધાન મોદી
Independence Day and Kashmir

Media Coverage

Independence Day and Kashmir
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Prime Minister condoles the loss of lives in an accident in Dausa, Rajasthan
August 13, 2025
QuotePM announces ex-gratia from PMNRF

Prime Minister Shri Narendra Modi today condoled the loss of lives in an accident in Dausa, Rajasthan. He announced an ex-gratia of Rs. 2 lakh from PMNRF for the next of kin of each deceased and Rs. 50,000 to the injured.

The PMO India handle in post on X said:

“Deeply saddened by the loss of lives in an accident in Dausa, Rajasthan. Condolences to the families who have lost their loved ones. Praying for the speedy recovery of the injured.

An ex-gratia of Rs. 2 lakh from PMNRF would be given to the next of kin of each deceased. The injured would be given Rs. 50,000: PM @narendramodi”