Quoteપ્રધાનમંત્રી શ્રી સાંઈબાબા સમાધિ મંદિર, શિરડીમાં પૂજા અને દર્શન કરશે
Quoteપ્રધાનમંત્રી મંદિરમાં નવા દર્શન કતાર સંકુલનું ઉદ્ઘાટન કરશે
Quoteપીએમ નીલવંડે ડેમનું જલ પૂજન કરશે અને તેની ડાબી કાંઠાની નહેરનું નેટવર્ક રાષ્ટ્રને સમર્પિત કરશે
Quoteપ્રધાનમંત્રી 86 લાખથી વધુ ખેડૂત લાભાર્થીઓને લાભ આપતી ‘નમો શેતકરી મહાસન્માન નિધિ યોજના’ શરૂ કરશે
Quoteપ્રધાનમંત્રી મહારાષ્ટ્રમાં આશરે રૂ. 7500 કરોડના મૂલ્યની બહુવિધ વિકાસ યોજનાઓનું ઉદ્ઘાટન, રાષ્ટ્રને સમર્પિત અને શિલાન્યાસ કરશે
Quoteપ્રધાનમંત્રી પહેલીવાર ગોવામાં આયોજિત 37મી નેશનલ ગેમ્સનું ઉદ્ઘાટન કરશે

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 26મી ઓક્ટોબર, 2023ના રોજ મહારાષ્ટ્ર અને ગોવાની મુલાકાત લેશે.

બપોરે લગભગ 1 વાગ્યે, પ્રધાનમંત્રી અહમદનગર જિલ્લાના શિરડી પહોંચશે, જ્યાં તેઓ શ્રી સાંઈબાબા સમાધિ મંદિરમાં પૂજા અને દર્શન કરશે. તેઓ મંદિરમાં નવા દર્શન કતાર સંકુલનું ઉદ્ઘાટન પણ કરશે. બપોરે લગભગ 2 વાગ્યે, પ્રધાનમંત્રી નીલવંદે ડેમનું જલ પૂજન કરશે અને ડેમનું નહેર નેટવર્ક રાષ્ટ્રને સમર્પિત કરશે. બપોરે લગભગ 3:15 વાગ્યે, પ્રધાનમંત્રી શિરડીમાં એક જાહેર કાર્યક્રમમાં હાજરી આપશે, જ્યાં તેઓ આરોગ્ય, રેલ, માર્ગ અને તેલ -ગેસ જેવા ક્ષેત્રોમાં આશરે રૂ. 7500 કરોડના મૂલ્યની બહુવિધ વિકાસ યોજનાઓનું ઉદ્ઘાટન, રાષ્ટ્રને સમર્પિત અને શિલાન્યાસ કરશે.

સાંજે લગભગ 06:30 વાગ્યે, પ્રધાનમંત્રી ગોવા પહોંચશે, જ્યાં તેઓ 37મી રાષ્ટ્રીય રમતોનું ઉદ્ઘાટન કરશે.

મહારાષ્ટ્રમાં પી.એમ

શિરડી ખાતેનું નવાં દર્શન કતાર સંકુલ, જેનું ઉદ્ઘાટન પ્રધાનમંત્રી દ્વારા કરવામાં આવશે, તે અત્યાધુનિક આધુનિક મેગા બિલ્ડીંગ છે જે ભક્તો માટે આરામદાયક પ્રતીક્ષા વિસ્તારો પ્રદાન કરવા માટે પરિકલ્પનામાં છે. તે દસ હજારથી વધુ ભક્તોની સંચિત બેઠક ક્ષમતા સાથે અનેક વેઇટિંગ હોલથી સજ્જ છે. તેમાં ક્લોક રૂમ, શૌચાલય, બુકિંગ કાઉન્ટર, પ્રસાદ કાઉન્ટર, માહિતી કેન્દ્ર વગેરે જેવી વાતાનુકૂલિત જાહેર સુવિધાઓની જોગવાઈ છે. આ નવા દર્શન કતાર સંકુલનો શિલાન્યાસ ઓક્ટોબર, 2018માં પ્રધાનમંત્રી દ્વારા કરવામાં આવ્યો હતો.

પ્રધાનમંત્રી નિલવંડે ડેમના ડાબા કાંઠા (85 કિમી) નહેર નેટવર્કને રાષ્ટ્રને સમર્પિત કરશે. તે પાણીના પાઈપ વિતરણ નેટવર્કની સુવિધા દ્વારા 7 તાલુકાઓ (6 અહમદનગર જિલ્લામાં અને 1 નાસિક જિલ્લામાં) ના 182 ગામોને લાભ કરશે. નિલવંડે ડેમનો વિચાર સૌપ્રથમ 1970માં આવ્યો હતો. તે લગભગ રૂ. 5177 કરોડના ખર્ચે વિકસાવવામાં આવી રહ્યો છે.

જાહેર કાર્યક્રમ દરમિયાન પ્રધાનમંત્રી ‘નમો શેતકરી મહાસન્માન નિધિ યોજના’ લોન્ચ કરશે. આ યોજના મહારાષ્ટ્રમાં પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના 86 લાખથી વધુ લાભાર્થીઓને પ્રતિ વર્ષ 6000 રૂપિયાની વધારાની રકમ આપીને લાભ કરશે.

પ્રધાનમંત્રી અહમદનગર સિવિલ હોસ્પિટલ ખાતે આયુષ હોસ્પિટલ અનેક વિકાસ કુર્દુવાડી-લાતુર રોડ રેલ્વે વિભાગનું વીજળીકરણ (186 કિમી); જલગાંવથી ભુસાવલને જોડતી ત્રીજી અને ચોથી રેલ્વે લાઇન (24.46 કિમી); NH-166 (પેકેજ-1) ના સાંગલીથી બોરગાંવ વિભાગને ચાર માર્ગીય; ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન લિમિટેડના મનમાડ ટર્મિનલ પર વધારાની સુવિધાઓ; સહિતના પ્રોજેક્ટોનું ઉદ્ઘાટન કરશે અને રાષ્ટ્રને સમર્પિત કરશે.

પ્રધાનમંત્રી અહમદનગર સિવિલ હોસ્પિટલમાં માતૃ અને બાળ આરોગ્ય વિંગનો શિલાન્યાસ કરશે.

કાર્યક્રમ દરમિયાન, પ્રધાનમંત્રી લાભાર્થીઓને આયુષ્માન કાર્ડ અને સ્વામિત્વ કાર્ડનું પણ વિતરણ કરશે.

ગોવામાં પી.એમ

પ્રધાનમંત્રીના નેતૃત્વમાં દેશમાં રમત-ગમત સંસ્કૃતિમાં ધરખમ પરિવર્તન આવ્યું છે. સતત સરકારી સહાયની મદદથી, એથ્લેટ્સના પ્રદર્શનમાં આંતરરાષ્ટ્રીય સ્તરે જબરદસ્ત સુધારો જોવા મળ્યો છે. ટોચના પર્ફોર્મર્સને ઓળખવા અને રમતગમતની લોકપ્રિયતામાં વધુ વધારો કરવા માટે રાષ્ટ્રીય સ્તરની ટુર્નામેન્ટ યોજવાના મહત્વને ઓળખીને, દેશમાં રાષ્ટ્રીય રમતોનું આયોજન કરવામાં આવી રહ્યું છે.

પ્રધાનમંત્રી 26મી ઑક્ટોબર 2023ના રોજ પંડિત જવાહરલાલ નહેરુ સ્ટેડિયમ, મારગોવા ખાતે 37મી રાષ્ટ્રીય રમતોનું ઉદ્ઘાટન કરશે. તેઓ ગેમ્સમાં ભાગ લઈ રહેલા ખેલાડીઓને પણ સંબોધન કરશે.

ગોવામાં પ્રથમવાર નેશનલ ગેમ્સ યોજાઈ રહી છે. આ ગેમ્સ 26 ઓક્ટોબરથી 9 નવેમ્બર દરમિયાન યોજાશે. દેશભરમાંથી 10,000 થી વધુ રમતવીરો 28 સ્થળો પર 43 થી વધુ રમતગમતની શાખાઓમાં ભાગ લેશે.

 

  • RAMTIRTH MISHRA January 18, 2024

    जय जय श्री राम
  • Tapan kr.Bhanja October 29, 2023

    জয় শ্রী রাম।
  • Geetha Reddy Nandikonda October 25, 2023

    New india
  • Rakesh Singh October 25, 2023

    जय जय श्री राम 🚩
  • Tapan kr.Bhanja October 25, 2023

    জয় হিন্দ, ভারত মাতা কি জয়।
  • Ranjeet Kumar October 25, 2023

    congratulations 🎉👏🎉
  • Ranjeet Kumar October 25, 2023

    new India 🇮🇳🇮🇳🇮🇳
  • Ranjeet Kumar October 25, 2023

    Jai bharat mata 🇮🇳🇮🇳🇮🇳
  • Ranjeet Kumar October 25, 2023

    Jai hind 🇮🇳🇮🇳🇮🇳
  • Ranjeet Kumar October 25, 2023

    Jai shree ram 🙏🙏🙏
Explore More
78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ
India Is Positioned To Lead New World Order Under PM Modi

Media Coverage

India Is Positioned To Lead New World Order Under PM Modi
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
PM Modi pays tribute to Swami Ramakrishna Paramhansa on his Jayanti
February 18, 2025

The Prime Minister, Shri Narendra Modi paid tributes to Swami Ramakrishna Paramhansa on his Jayanti.

In a post on X, the Prime Minister said;

“सभी देशवासियों की ओर से स्वामी रामकृष्ण परमहंस जी को उनकी जयंती पर शत-शत नमन।”