Quoteમહામાના પંડિત મદન મોહન માલવિયાની 162મી જન્મજયંતી નિમિત્તે કાર્યક્રમ યોજાશે
Quote11 વોલ્યુમની પ્રથમ શ્રેણી રિલીઝ થશે

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી મહામના પંડિત મદન મોહન માલવિયાની 162મી જન્મજયંતીનાં પ્રસંગે વિજ્ઞાન ભવનમાં આયોજિત એક કાર્યક્રમમાં 25 ડિસેમ્બર, 2023નાં રોજ સાંજે 4:30 વાગ્યે ''કલેક્ટેડ વર્ક્સ ઑફ પંડિત મદન મોહન માલવિયા'નાં 11 ખંડોની પ્રથમ શ્રેણીનું વિમોચન કરશે. પ્રધાનમંત્રી આ પ્રસંગે જનમેદનીને સંબોધન પણ કરશે.

અમૃત કાલમાં પ્રધાનમંત્રીનું વિઝન રહ્યું છે કે, તેઓ દેશની સેવામાં મહત્ત્વપૂર્ણ પ્રદાન કરનારા સ્વાતંત્ર્ય સેનાનીઓને ઉચિત સન્માન આપે. ''કલેક્ટેડ વર્ક્સ ઑફ પંડિત મદન મોહન માલવિયા' આ દિશામાં એક પ્રયાસ છે.

11 ગ્રંથોમાં દ્વિભાષી (અંગ્રેજી અને હિંદી) કૃતિ, જે લગભગ 4000 પાનાંઓમાં ફેલાયેલી છે, તે પંડિત મદનમોહન માલવિયાનાં લખાણો અને ભાષણોનો સંગ્રહ છે, જે દેશના ખૂણેખૂણેથી એકત્રિત કરવામાં આવી છે. આ ગ્રંથોમાં તેમના અપ્રકાશિત પત્રો, લેખો અને ભાષણોનો સમાવેશ થાય છે, જેમાં મેમોરેન્ડમનો પણ સમાવેશ થાય છે; હિંદી સાપ્તાહિક 'અભ્યુદય'ની સંપાદકીય સામગ્રી 1907માં તેમના દ્વારા શરૂ કરવામાં આવી હતી; સમયાંતરે તેમણે લખેલા લેખો, પત્રિકાઓ અને પુસ્તિકાઓ; 1903 અને 1910ની વચ્ચે આગ્રા અને અવધના સંયુક્ત પ્રાંતોની વિધાન પરિષદમાં આપવામાં આવેલા તમામ ભાષણો; રોયલ કમિશન સમક્ષ આપવામાં આવેલા નિવેદનો; 1910 અને 1920ની વચ્ચે ઈમ્પિરિયલ લેજિસ્લેટિવ કાઉન્સિલમાં બિલોની રજૂઆત દરમિયાન આપવામાં આવેલા ભાષણો; બનારસ હિન્દુ યુનિવર્સિટીની સ્થાપના પહેલાં અને પછી લખાયેલા પત્રો, લેખો અને ભાષણો; અને 1923થી 1925ની વચ્ચે તેમણે લખેલી એક ડાયરી આ વોલ્યુમમાં સામેલ છે.

પંડિત મદનમોહન માલવિયાએ લખેલા અને તેમના દ્વારા બોલાયેલા દસ્તાવેજોના સંશોધન અને સંકલનનું કાર્ય મહામાના પંડિત મદન મોહન માલવિયાના આદર્શો અને મૂલ્યોના પ્રચાર-પ્રસાર માટે સમર્પિત સંસ્થા મહામના માલવિયા મિશન દ્વારા હાથ ધરવામાં આવ્યું હતું. પ્રખ્યાત પત્રકાર શ્રી રામ બહાદુર રાયની આગેવાની હેઠળ મિશનની એક સમર્પિત ટીમે ભાષા અને લખાણમાં ફેરફાર કર્યા વિના પંડિત મદન મોહન માલવિયાના મૌલિક સાહિત્ય પર કામ કર્યું છે. આ પુસ્તકોનું પ્રકાશન માહિતી અને પ્રસારણ મંત્રાલય હેઠળના પ્રકાશન વિભાગ દ્વારા કરવામાં આવ્યું છે.

બનારસ હિન્દુ યુનિવર્સિટીના પ્રખ્યાત સ્થાપક પંડિત મદન મોહન માલવિયા આધુનિક ભારતના ઘડવૈયાઓમાં મોખરાનું સ્થાન ધરાવે છે. તેમને એક ઉત્કૃષ્ટ વિદ્વાન અને સ્વાતંત્ર્ય સેનાની તરીકે યાદ કરવામાં આવે છે જેમણે લોકોમાં રાષ્ટ્રીય ચેતના વધારવા માટે પુષ્કળ કાર્ય કર્યું હતું.

 

  • Reena chaurasia September 09, 2024

    bjp
  • Amit Kumar August 25, 2024

    आदरणीय प्रधानमंत्री जी भारत सरकार मेरा नाम अमित कुमार मैं विकलांग हूं मेष बिहार सुपौल से निवासी हूं मैं आपके ऑफिस में एप्लीकेशन दिए थे इसलिए लगभग एक महीना से जय हो गया है मेरे पास दिक्कत परेशानी है तब हम आपको एप्लीकेशन आपके ऑफिस में दिए थे लेकिन हम बिहार से इतना दूर से चलकर आया हूं और यहीं पर रहते हैं स्टेशन पर जी आप लोग मुझे मेरे बर्थडे पर ध्यान देते हुए मैं आप लोगों से चरण में कोटि-कोटि नमन करता हूं जय हिंद जय भारत 9262955847
  • Dhajendra Khari February 20, 2024

    ओहदे और बड़प्पन का अभिमान कभी भी नहीं करना चाहिये, क्योंकि मोर के पंखों का बोझ ही उसे उड़ने नहीं देता है।
  • Dhajendra Khari February 19, 2024

    विश्व के सबसे लोकप्रिय राजनेता, राष्ट्र उत्थान के लिए दिन-रात परिश्रम कर रहे भारत के यशस्वी प्रधानमंत्री श्री नरेन्द्र मोदी जी का हार्दिक स्वागत, वंदन एवं अभिनंदन।
  • Dhajendra Khari February 13, 2024

    यह भारत के विकास का अमृत काल है। आज भारत युवा शक्ति की पूंजी से भरा हुआ है।
  • Dhajendra Khari February 10, 2024

    Modi sarkar fir ek baar
  • Raju Saha February 06, 2024

    bjp jindabad
  • Indrajit Das February 03, 2024

    joy Modiji
  • Ranjit Sarkar January 31, 2024

    🙏🙏
  • Ranjit Sarkar January 31, 2024

    🙏🙏
Explore More
દરેક ભારતીયનું લોહી ઉકળી રહ્યું છે: મન કી બાતમાં વડાપ્રધાન મોદી

લોકપ્રિય ભાષણો

દરેક ભારતીયનું લોહી ઉકળી રહ્યું છે: મન કી બાતમાં વડાપ્રધાન મોદી
Social security cover up from 24% in 2019 to 64%: ILO report

Media Coverage

Social security cover up from 24% in 2019 to 64%: ILO report
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 12 જૂન 2025
June 12, 2025

Building a Viksit Bharat with Innovation and Inclusion under the Leadership of PM Modi