Quoteપ્રધાનમંત્રી ક્રેડિટ લિંક્ડ સરકારી યોજનાઓ માટે રાષ્ટ્રીય પોર્ટલ લોન્ચ કરશે - જન સમર્થ પોર્ટલ

 

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 6મી જૂન, 2022ના રોજ નવી દિલ્હીના વિજ્ઞાન ભવન ખાતે સવારે 10:30 વાગ્યે નાણા મંત્રાલય અને કોર્પોરેટ બાબતોના મંત્રાલયના આઇકોનિક સપ્તાહની ઉજવણીનું ઉદ્ઘાટન કરશે. આ સપ્તાહ 6 થી 11 જૂન, 2022 દરમિયાન ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ (AKAM)ના ભાગ રૂપે ઉજવવામાં આવી રહ્યું છે.

પ્રધાનમંત્રી ક્રેડિટ લિંક્ડ સરકારી યોજનાઓ માટે રાષ્ટ્રીય પોર્ટલ લોન્ચ કરશે - જન સમર્થ પોર્ટલ. તે સરકારી ધિરાણ યોજનાઓને જોડતું વન-સ્ટોપ ડિજિટલ પોર્ટલ છે. તે તેના પ્રકારનું પ્રથમ પ્લેટફોર્મ છે જે લાભાર્થીઓને ધિરાણકર્તાઓ સાથે સીધું જોડે છે. જન સમર્થ પોર્ટલનો મુખ્ય હેતુ આસાન અને સરળ ડિજિટલ પ્રક્રિયાઓ દ્વારા માર્ગદર્શન આપીને અને તેમને યોગ્ય પ્રકારના સરકારી લાભો પ્રદાન કરીને વિવિધ ક્ષેત્રોની સમાવેશી વૃદ્ધિ અને વિકાસને પ્રોત્સાહિત કરવાનો છે. પોર્ટલ તમામ લિંક્ડ સ્કીમોના અંતથી અંત સુધી કવરેજની ખાતરી કરે છે.

પ્રધાનમંત્રી એક ડિજિટલ પ્રદર્શનનું ઉદ્ઘાટન કરશે જે છેલ્લાં આઠ વર્ષમાં બંને મંત્રાલયોની સફરને દર્શાવે છે. પ્રધાનમંત્રી ₹1, ₹2, ₹5, ₹10 અને ₹20ના સિક્કાની વિશેષ શ્રેણી પણ બહાર પાડશે. સિક્કાઓની આ વિશેષ શ્રેણીમાં AKAMના લોગોની થીમ હશે અને દૃષ્ટિહીન વ્યક્તિઓ પણ સરળતાથી ઓળખી શકશે.

આ કાર્યક્રમ દેશભરમાં 75 સ્થળોએ એકસાથે યોજવામાં આવશે અને દરેક સ્થાનને મુખ્ય સ્થળ સાથે વર્ચ્યુઅલ મોડ દ્વારા કનેક્ટ કરવામાં આવશે.

 

 

Explore More
78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ
RSS is banyan tree of India's Immortal culture, says PM Modi

Media Coverage

RSS is banyan tree of India's Immortal culture, says PM Modi
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 30 માર્ચ 2025
March 30, 2025

Citizens Appreciate Economic Surge: India Soars with PM Modi’s Leadership