"આ ટિકિટો પર કલાત્મક અભિવ્યક્તિ દ્વારા ભગવાન રામની ભક્તિ વ્યક્ત કરવામાં આવી છે"
"ભગવાન રામ, મા સીતા અને રામાયણ સાથે સંબંધિત ઉપદેશો સમય, સમાજ અને જાતિની સીમાઓથી આગળ વધે છે અને ત્યાંના દરેક વ્યક્તિ સાથે જોડાયેલા છે"
"ઓસ્ટ્રેલિયા, કમ્બોડિયા, અમેરિકા, ન્યુઝીલેન્ડ સહિત વિશ્વના ઘણા દેશોએ ભગવાન રામના જીવન પ્રસંગો પર ખૂબ રસ સાથે ટપાલ ટિકિટ બહાર પાડી છે"
"જ્યાં સુધી પૃથ્વી પર પર્વતો અને નદીઓ છે ત્યાં સુધી રામાયણની કથા લોકોમાં પ્રચલિત રહેશે"

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે શ્રી રામ જન્મભૂમિ મંદિરને સમર્પિત 6 વિશેષ સ્મારક ટપાલ ટિકિટો બહાર પાડી હતી અને આ સાથે જ અગાઉ વિશ્વના વિવિધ દેશોમાં ભગવાન રામ સાથે સંબંધિત સમાન પ્રકારની ટિકિટો બહાર પાડવામાં આવી હતી, જેનું એક આલ્બમ પણ બહાર પાડવામાં આવ્યું હતું. તેમણે આ પ્રસંગે ભારત અને વિદેશમાં ભગવાન રામના તમામ ભક્તોને અભિનંદન પાઠવ્યા હતા.

 

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, આપણે સૌ જાણીએ છીએ કે આ ટિકિટો પત્રો કે મહત્ત્વપૂર્ણ દસ્તાવેજો મોકલવા માટે પરબિડીયા પર ચોંટાડવામાં આવે છે. પરંતુ તેઓ એક બીજો હેતુ પણ પૂરો કરે છે. ટપાલ ટિકિટો એ ઐતિહાસિક ઘટનાઓને ભાવિ પેઢીઓ સુધી પહોંચાડવા માટે પણ માધ્યમ તરીકે કાર્ય કરે છે. તેથી જ્યારે પણ તમે કોઈને પત્ર અથવા વસ્તુ મોકલો છો, જેના પર પોસ્ટલ સ્ટેમ્પ હોય છે, ત્યારે તમે તેને ઇતિહાસનો એક ભાગ પણ મોકલો છો. આ ટિકિટો માત્ર કાગળનો ટુકડો નથી, પરંતુ ઇતિહાસનાં પુસ્તકો, કલાકૃતિઓ અને ઐતિહાસિક સ્થળોનું સૌથી નાનું સ્વરૂપ છે.

 

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, આ સ્મારક ટિકિટો આપણી યુવા પેઢીને ભગવાન રામ અને તેમનાં જીવન વિશે જાણકારી મેળવવામાં પણ મદદરૂપ થશે. તેમણે જણાવ્યું હતું કે, આ ટિકિટો પર કલાત્મક અભિવ્યક્તિ દ્વારા અને લોકપ્રિય ચોપાઈનાં ઉલ્લેખ સાથે ભગવાન રામ પ્રત્યેની ભક્તિ વ્યક્ત કરવામાં આવી છેઃ 'मंगल भवन अमंगल हारी', રાષ્ટ્રના વિકાસની ઇચ્છા કરવામાં આવી છે. આ ટિકિટો પર 'સૂર્યવંશી' રામ, 'સરયુ' નદી અને મંદિરની આંતરિક વાસ્તુકળાનું પ્રતીક સૂર્ય પણ દર્શાવવામાં આવ્યું છે. સૂર્ય દેશમાં નવા પ્રકાશનો સંદેશ આપે છે, ત્યારે સરયુની તસવીર સૂચવે છે કે રામના આશીર્વાદથી દેશ હંમેશા ગતિશીલ રહેશે.

પ્રધાનમંત્રીએ એવા સંતોની પણ પ્રશંસા કરી હતી, જેમણે રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ સાથે ટપાલ વિભાગને સ્મારક ટિકિટો તૈયાર કરવા માટે માર્ગદર્શન આપ્યું હતું.

 

પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, ભગવાન રામ, મા સીતા અને રામાયણ સાથે સંબંધિત ઉપદેશો સમય, સમાજ અને જાતિની સીમાઓથી પર છે તથા ત્યાંની દરેક વ્યક્તિ સાથે જોડાયેલા છે. તેમણે કહ્યું હતું કે, રામાયણ, જે અતિ મુશ્કેલ સમયમાં પણ પ્રેમ, ત્યાગ, એકતા અને સાહસ વિશે શીખવે છે, તે સમગ્ર માનવતાને જોડે છે. આ જ કારણ છે કે રામાયણ હંમેશાં વિશ્વમાં ધ્યાનનું કેન્દ્ર રહ્યું છે. તેમણે જણાવ્યું હતું કે, આજે જે પુસ્તકોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે, એ સમગ્ર વિશ્વમાં ભગવાન રામ, મા સીતા અને રામાયણને કેટલી ગર્વથી જોવામાં આવે છે તેનું પ્રતિબિંબ છે.

 

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, અમેરિકા, ઓસ્ટ્રેલિયા, કમ્બોડિયા, કેનેડા, ચેક રિપબ્લિક, ફિજી, ઇન્ડોનેશિયા, શ્રીલંકા, ન્યૂઝીલેન્ડ, થાઇલેન્ડ, ગુયાના, સિંગાપોર જેવા એવા અનેક દેશોમાં સામેલ છે જેમણે ભગવાન રામના જીવન પ્રસંગો પર ખૂબ જ રસ ધરાવતી ટપાલ ટિકિટ બહાર પાડી છે. તેમણે કહ્યું હતું કે ભગવાન શ્રી રામ વિશેની તમામ માહિતી અને માતા જાનકીની કથાઓ સાથેનું નવું લોન્ચ થયેલું આલ્બમ આપણને તેમના જીવનની સમજ આપશે. તે આપણને એ પણ જણાવશે કે કેવી રીતે ભગવાન રામ ભારતની બહાર પણ એટલા જ મહાન આયકન છે અને કેવી રીતે આધુનિક સમયના રાષ્ટ્રોમાં પણ, તેમના ચારિત્ર્યની પ્રશંસા કરવામાં આવે છે.

 

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, મહર્ષિ વાલ્મીકિનું આહવાન આજે પણ અમર છે, જેમાં તેમણે કહ્યું હતું કેઃ यावत् स्थास्यंति गिरयः, सरितश्च महीतले। तावत् रामायणकथा, लोकेषु प्रचरिष्यति॥ તેનો અર્થ એ છે કે જ્યાં સુધી પૃથ્વી પર પર્વતો અને નદીઓ છે ત્યાં સુધી રામાયણની કથા લોકોમાં પ્રચલિત રહેશે. તો, ભગવાન રામનું વ્યક્તિત્વ હશે.

 

Click here to read full text speech

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
Ray Dalio: Why India is at a ‘Wonderful Arc’ in history—And the 5 forces redefining global power

Media Coverage

Ray Dalio: Why India is at a ‘Wonderful Arc’ in history—And the 5 forces redefining global power
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Prime Minister pays tributes to Shri Atal Bihari Vajpayee ji at ‘Sadaiv Atal’
December 25, 2025

The Prime Minister, Shri Narendra Modi paid tributes at ‘Sadaiv Atal’, the memorial site of former Prime Minister, Atal Bihari Vajpayee ji, on his birth anniversary, today. Shri Modi stated that Atal ji's life was dedicated to public service and national service and he will always continue to inspire the people of the country.

The Prime Minister posted on X:

"पूर्व प्रधानमंत्री श्रद्धेय अटल बिहारी वाजपेयी जी की जयंती पर आज दिल्ली में उनके स्मृति स्थल ‘सदैव अटल’ जाकर उन्हें श्रद्धांजलि अर्पित करने का सौभाग्य मिला। जनसेवा और राष्ट्रसेवा को समर्पित उनका जीवन देशवासियों को हमेशा प्रेरित करता रहेगा।"