મહાનુભાવો,

આ વર્ષના પડકારજનક વૈશ્વિક અને પ્રાદેશિક વાતાવરણમાં SCOના અસરકારક નેતૃત્વ માટે હું રાષ્ટ્રપતિ મિર્ઝિઓયેવને હૃદયપૂર્વક અભિનંદન આપું છું.

આજે જ્યારે આખું વિશ્વ રોગચાળા પછી આર્થિક સુધારણાના પડકારોનો સામનો કરી રહ્યું છે, ત્યારે SCOની ભૂમિકા ખૂબ જ મહત્વપૂર્ણ છે. SCO સભ્ય દેશો વૈશ્વિક જીડીપીમાં લગભગ 30 ટકા યોગદાન આપે છે અને વિશ્વની 40 ટકા વસ્તી પણ SCO દેશોમાં રહે છે. ભારત SCO સભ્યો વચ્ચે વધુ સહયોગ અને પરસ્પર વિશ્વાસનું સમર્થન કરે છે. યુક્રેનમાં રોગચાળો અને કટોકટીએ વૈશ્વિક પુરવઠા શૃંખલાઓમાં ઘણા વિક્ષેપો સર્જ્યા છે, જેના કારણે વિશ્વને અભૂતપૂર્વ ઊર્જા અને ખાદ્ય કટોકટીનો સામનો કરવો પડી રહ્યો છે. SCO એ આપણા પ્રદેશમાં વિશ્વસનીય, સ્થિતિસ્થાપક અને વૈવિધ્યસભર પુરવઠા શૃંખલા વિકસાવવા માટે પ્રયત્ન કરવો જોઈએ. આ માટે સારી કનેક્ટિવિટી જરૂરી છે, સાથે જ એ પણ મહત્વનું રહેશે કે આપણે બધા એકબીજાને ટ્રાન્ઝિટના સંપૂર્ણ અધિકારો આપીએ.

મહાનુભાવો,

અમે ભારતને મેન્યુફેક્ચરિંગ હબ બનાવવાની દિશામાં પ્રગતિ કરી રહ્યા છીએ. ભારતનું યુવા અને પ્રતિભાશાળી કાર્યબળ આપણને કુદરતી રીતે સ્પર્ધાત્મક બનાવે છે. ભારતની અર્થવ્યવસ્થા આ વર્ષે 7.5 ટકાના દરે વૃદ્ધિ પામવાની ધારણા છે, જે વિશ્વની મુખ્ય અર્થવ્યવસ્થાઓમાં સૌથી વધુ હશે. આપણા લોકો-કેન્દ્રિત વિકાસ મોડેલમાં ટેક્નોલોજીના યોગ્ય ઉપયોગ પર પણ ઘણું ધ્યાન આપવામાં આવ્યું છે. અમે દરેક ક્ષેત્રમાં ઇનોવેશનને સમર્થન આપી રહ્યા છીએ. ભારતમાં આજે 70,000 થી વધુ સ્ટાર્ટ-અપ્સ છે, જેમાંથી 100 થી વધુ યુનિકોર્ન છે. અમારો આ અનુભવ અન્ય ઘણા SCO સભ્યો માટે પણ ઉપયોગી થઈ શકે છે. આ હેતુ માટે, અમે સ્ટાર્ટઅપ્સ અને ઇનોવેશન પર નવા સ્પેશિયલ વર્કિંગ ગ્રુપની સ્થાપના કરીને SCO ના સભ્ય દેશો સાથે અમારો અનુભવ શેર કરવા તૈયાર છીએ.

મહાનુભાવો,

વિશ્વ આજે બીજા એક મોટા પડકારનો સામનો કરી રહ્યું છે - અને તે છે આપણા નાગરિકોની ખાદ્ય સુરક્ષા સુનિશ્ચિત કરવી. આ સમસ્યાનો એક સંભવિત ઉકેલ એ છે કે બાજરીની ખેતી અને વપરાશને પ્રોત્સાહન આપવું. બાજરી એ એક સુપરફૂડ છે જે હજારો વર્ષોથી ઉગાડવામાં આવે છે, માત્ર SCO દેશોમાં જ નહીં, પરંતુ વિશ્વના ઘણા ભાગોમાં, અને તે ખાદ્ય કટોકટી માટે પરંપરાગત, પૌષ્ટિક અને ઓછી કિંમતનો વિકલ્પ છે. વર્ષ 2023 યુએન ઇન્ટરનેશનલ યર ઓફ મિલેટ્સ તરીકે ઉજવવામાં આવશે. આપણે SCO હેઠળ 'મિલેટ ફૂડ ફેસ્ટિવલ'નું આયોજન કરવાનું વિચારવું જોઈએ.

ભારત આજે વિશ્વમાં મેડિકલ અને વેલનેસ ટુરિઝમ માટે સૌથી વધુ પોસાય તેવા સ્થળોમાંનું એક છે. WHO ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિનનું ગુજરાતમાં એપ્રિલ 2022માં ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ WHOનું પહેલું અને એકમાત્ર ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિન હશે. આપણે SCO દેશો વચ્ચે પરંપરાગત દવા પર સહકાર વધારવો જોઈએ. આ માટે ભારત પરંપરાગત દવા પર નવા SCO વર્કિંગ ગ્રુપ પર પહેલ કરશે.

હું સમાપ્ત કરું તે પહેલાં, હું ફરી એકવાર રાષ્ટ્રપતિ મિર્ઝિયોયેવનો આજની મીટિંગના ઉત્તમ સંચાલન અને તેમના ઉષ્માભર્યા આતિથ્ય માટે આભાર માનું છું.

ખુબ ખુબ આભાર!

  • Reena chaurasia September 05, 2024

    बीजेपी
  • Reena chaurasia September 05, 2024

    जय हो
  • मानिक रामकिशन मुंडे June 21, 2023

    जय हिंद जय भारत माता की जय
  • Ranjeet Kumar September 27, 2022

    jay sri ram
  • Chowkidar Margang Tapo September 25, 2022

    Jai hind jai BJP,.
  • Sudhir kumar modi September 24, 2022

    vande matram vande matram vande matram vande matram
  • SRS RSS SwayamSewak September 23, 2022

    हमारे धर्म का रहस्य... क्या हमारे ऋषि मुनि पागल थे? जो कौवों के लिए खीर बनाने को कहते थे? और कहते थे कि कौवों को खिलाएंगे तो हमारे पूर्वजों को मिल जाएगा? नहीं, हमारे ऋषि मुनि क्रांतिकारी विचारों के थे। *यह है सही कारण।* तुमने किसी भी दिन पीपल और बरगद के पौधे लगाए हैं? या किसी को लगाते हुए देखा है? क्या पीपल या बड़ के बीज मिलते हैं? इसका जवाब है ना.. नहीं.... बरगद या पीपल की कलम जितनी चाहे उतनी रोपने की कोशिश करो परंतु नहीं लगेगी। कारण प्रकृति/कुदरत ने यह दोनों उपयोगी वृक्षों को लगाने के लिए अलग ही व्यवस्था कर रखी है। यह दोनों वृक्षों के टेटे कौवे खाते हैं और उनके पेट में ही बीज की प्रोसेसीग होती है और तब जाकर बीज उगने लायक होते हैं। उसके पश्चात कौवे जहां-जहां बीट करते हैं, वहां वहां पर यह दोनों वृक्ष उगते हैं। पीपल जगत का एकमात्र ऐसा वृक्ष है जो round-the-clock ऑक्सीजन छोड़ता है और बरगद के औषधि गुण अपरम्पार है। देखो अगर यह दोनों वृक्षों को उगाना है तो बिना कौवे की मदद से संभव नहीं है इसलिए कौवे को बचाना पड़ेगा। और यह होगा कैसे? मादा कौआ भादो महीने में अंडा देती है और नवजात बच्चा पैदा होता है। तो इस नयी पीढ़ी के उपयोगी पक्षी को पौष्टिक और भरपूर आहार मिलना जरूरी है इसलिए ऋषि मुनियों ने कौवों के नवजात बच्चों के लिए हर छत पर श्राघ्द के रूप मे पौष्टिक आहार की व्यवस्था कर दी। जिससे कि कौवों की नई जनरेशन का पालन पोषण हो जाये...... इसलिए श्राघ्द करना प्रकृति के रक्षण के लिए नितांत आवश्यक है। घ्यान रखना जब भी बरगद और पीपल के पेड़ को देखो तो अपने पूर्वज तो याद आएंगे ही क्योंकि उन्होंने श्राद्ध दिया था इसीलिए यह दोनों उपयोगी पेड़ हम देख रहे हैं। 🏵सनातन धर्म🏵 पर उंगली उठाने वालों, पहले सनातन धर्म को जानो फिर उस पर ऊँगली उठाओ। जब आपके विज्ञान का (वि) भी नही था तब हमारे सनातन धर्म को पता था कि किस बीमारी का इलाज क्या है, कौन सी चीज खाने लायक है कौन सी नहीं...? अथाह ज्ञान का भंडार है हमारा सनातन धर्म और उनके नियम, मैकाले के शिक्षा पद्धति में पढ़ के केवल अपने पूर्वजों, ऋषि मुनियों के नियमों पर ऊँगली उठाने के बजाय , उसकी गहराई को जानिये। 🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉
  • Ranjeet Kumar September 20, 2022

    jay sri ram🙏
  • Sujit KumarNath September 20, 2022

    sujit
  • Raj kumar Das September 19, 2022

    सराहनीय सम्बोधन साहेब🙏🏻💐💐
Explore More
78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ
Khadi products witnessed sale of Rs 12.02 cr at Maha Kumbh: KVIC chairman

Media Coverage

Khadi products witnessed sale of Rs 12.02 cr at Maha Kumbh: KVIC chairman
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 8 માર્ચ 2025
March 08, 2025

Citizens Appreciate PM Efforts to Empower Women Through Opportunities