Quote“કેગ વિરુદ્ધ સરકારની માન્યતામાં બદલાવ આવ્યો છે. આજના ઓડિટને વધારાના મૂલ્યવર્ધનના મહત્વના ભાગ તરીકે જોવામાં આવે છે”
Quote“અમે અગાઉની સરકારની વાસ્તવિકતાને દેશ સમક્ષ પ્રામાણિકતાથી રજૂ કરી છે. અમે જ્યારે સમસ્યા શોધી કાઢીશું ત્યારે જ તેનો ઉકેલ શોધીશું.”
Quote“કોન્ટેક્ટલેસ કસ્ટમ્સ, ઓટોમેટિક રિન્યુઅલ્સ, ફેસલેસ એસેસમેન્ટ્સ, સર્વિસ ડિલિવરી માટે ઓનલાઈન એપ્લિકેશન. આ તમામ સુધારાથી સરકારની બિનજરૂરી દખલગીરીનો અંત આવ્યો છે”
Quote“આધુનિક પ્રક્રિયા અપનાવીને કેગમાં ઝડપથી પરિવર્તન આવ્યા છે. આજે તમે અદ્યતન એનાલિટિક્સ ટૂલ્સ, જીઓ સ્પેશિયલ ડેટા અને સેટેલાઇટ ઇમેજરીનો ઉપયોગ કરી રહ્યાં છો”
Quote“21મી સદીમાં ડેટા એ માહિતી છે અને આગામી સમયમાં આપણો ઇતિહાસ ડેટા મારફતે જ જોવાશે અને સમજાશે. ભવિષ્યમાં ડેટા જ ઇતિહાસ નક્કી કરશે.”

પ્રથમ ઓડિટ દિવસની ઉજવણી નિમિત્તે યોજાયેલા એક કાર્યક્રમમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સંબોધન કર્યું હતું. આ પ્રસંગે તેમણે સરદાર વલ્લભભાઈ પટેલની એક પ્રતિમાનું પણ અનાવરણ કર્યું હતું. ભારતના કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટ જનરલ (કેગ) શ્રી ગિરીશચંદ્ર મુરમુ સહિત મહાનુભાવો આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા.

|

ઉપસ્થિત મહાનુભાવોને સંબોધતાં પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે કેગ માત્ર રાષ્ટ્રના હિસાબ કિતાબોનું જ જતન નથી કરતું પરંતુ ઉત્પાદકતા અને કાર્યક્ષમતામાં મૂલ્યવર્ધન પણ કરે છે. આથી જ ઓડિટ દિવસ અને તે સંબંધિત  કાર્યક્રમો અમારા સુધારણા તથા સુધારાનો એક ભાગ છે. કેગ એ એવી સંસ્થા છે જેનું મહત્વ વધ્યું છે અને સમયની સાથે સાથે તેણે એક વારસો રચ્યો છે.


પ્રધાનમંત્રીએ મહાત્મા ગાંધી, સરદાર પટેલ અને બાબાસાહેબ આંબેડકરને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી અને જણાવ્યું હતું કે આ મહાન નેતાઓએ આપણને કેવી રીતે મોટા લક્ષ્યાંકો સ્થાપવા તથા તેને કેવી રીતે હાંસલ કરવા તે શીખવ્યું છે.

|

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે એક સમય હતો જ્યારે દેશમાં ઓડિટિંગને આશંકા અને ડરની નજરથી જોવામાં આવતું હતું. ‘કેગ વિરુદ્ધ સરકાર’ આ માન્યતા આપણી સિસ્ટમમાં એક સામાન્ય માન્યતા હતી. પરંતુ, આજે આ માન્યતા બદલાઈ ગઈ છે. આજે ઓડિટને મૂલ્યવર્ધનના મહત્વના ભાગ તરીકે જોવામાં આવી રહ્યું છે.


પ્રધાનમંત્રીએ ટકોર કરી હતી કે બેકિંગ ક્ષેત્રમાં પારદર્શિતના અભાવને કારણે વિવિધ ખોટી પ્રથાઓ અનુસરવામાં કે અપનાવવામાં આવતી હતી. “તમે જાણો છો કે ભૂતકાળમાં કેવી રીતે એનપીએને દબાવી દેવામાં આવતો હતો. જોકે અમે અગાઉની સરકારની વાસ્તવિકતાઓ સંપૂર્ણ પ્રામાણિકતા સાથે દેશ સમક્ષ લાવ્યા છીએ. જ્યારે અમે સમસ્યા શોધી કાઢીશું ત્યારે જ અમે તેનો ઉકેલ શોધી કાઢીશું.” તેમ પ્રધાનમંત્રીએ ઉમેર્યું હતું.

|

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે “આજે અમે એક એવી સિસ્ટમ રચી છે જેનો હેતુ છે 'સરકાર સર્વમ' એટલે કે સરકારની દખલગીરી ઘટી ગઈ છે. અને તમારું કાર્ય સરળ બની રહ્યું છે.” તેમ પ્રધાનમંત્રીએ ઓડિટર્સને જણાવ્યું હતું. આ બાબત લઘુત્તમ સરકાર, મહત્તમ સંચાલનની નીતિ સાથે ચાલી રહી છે. “કોન્ટેક્ટલેસ કસ્ટમ્સ, ઓટોમેટિક રિન્યુઅલ્સ, ફેસલેસ એસેસમેન્ટ્સ, સર્વિસ ડિલિવરી માટે ઓનલાઈન એપ્લિકેશન. આ તમામ સુધારાથી સરકારની બિનજરૂરી દખલગીરીનો અંત આવ્યો છે” તેમ પ્રધાનમંત્રીએ ઉમેર્યુ હતું.

|

પ્રધાનમંત્રીએ એ બાબતે ખુશી વ્યક્ત કરી કે કેગ એ ફાઈલોમાં ગડબડ કરતા વ્યસ્ત વ્યક્તિની છબીને દૂર કરી છે. તેમણે નોંધ્યું હતું કે “કેગ આધુનિક પ્રક્રિયાઓ અપનાવીને ઝડપથી બદલાયું છે. આજે તમે અદ્યતન એનાલિટિક્સ ટૂલ્સ, જીઓ સ્પેશિયલ ડેટા અને સેટેલાઇટ ઇમેજરીનો ઉપયોગ કરી રહ્યાં છો”


પ્રધાનમંત્રીએ દેશની સૌથી મોટી મહામારી અંગે ચર્ચા કરી હતી અને દેશે તેની સામે જે લડત આપી તે અસામાન્ય હોવાનું ટાંક્યું હતું. આજે આપણે વિશ્વનું સૌથી મોટું રસીકરણ અભિયાન હાથ ધર્યું છે. હજી થોડા સપ્તાહ અગાઉ દેશે 100 કરોડ વેક્સિનેશનની સિદ્ધિ હાંસલ કરી હતી તેમ તેમણે માહિતી આપી હતી. તેમણે એવું પણ સૂચન  કર્યું હતું કે આ મહાન લડત દરમિયાન દેશે જે પદ્ધતિ અપનાવી તેનો કેગે અભ્યાસ કરવો જોઇએ.

|

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે અગાઉના જમાનામાં માહિતીનું પ્રસારણ વાર્તાઓ દ્વારા થતું હતું. આ વાર્તાઓને આધારે ઇતિહાસ લખાતો હતો. પણ આજે 21મી સદીમાં ડેટા એ માહિતી છે અને આગામી સમયમાં આપણો ઇતિહાસ ડેટા મારફતે જ જોવાશે અને સમજાશે. ભવિષ્યમાં ડેટા જ ઇતિહાસ નક્કી કરશે. તેમ તેમણે ઉમેર્યું હતું.

|

  • n.d.mori August 07, 2022

    Namo Namo Namo Namo Namo Namo Namo 🌹
  • G.shankar Srivastav August 02, 2022

    नमस्ते
  • Jayanta Kumar Bhadra June 30, 2022

    Jay Jay Ganesh
  • Jayanta Kumar Bhadra June 30, 2022

    Jay Jay Ram
  • Jayanta Kumar Bhadra June 30, 2022

    Jay Jay Shyam
  • Laxman singh Rana June 29, 2022

    नमो नमो 🇮🇳🌷
  • Laxman singh Rana June 29, 2022

    नमो नमो 🇮🇳
  • G.shankar Srivastav March 19, 2022

    नमो
  • DR HEMRAJ RANA February 18, 2022

    वैष्णव संप्रदाय के सुहृदय कृष्ण भक्त, राधा-कृष्ण नाम संकिर्तन भक्ति द्वारा जाति-पाति, ऊंच-नीच खत्म करने की शिक्षा देने वाले महान संत एवं विचारक श्री #चैतन्य_महाप्रभु जी की जन्म जयंती पर सादर प्रणाम।
  • DR HEMRAJ RANA February 18, 2022

    वैष्णव संप्रदाय के सुहृदय कृष्ण भक्त, राधा-कृष्ण नाम संकिर्तन भक्ति द्वारा जाति-पाति, ऊंच-नीच खत्म करने की शिक्षा देने वाले महान संत एवं विचारक श्री #चैतन्य_महाप्रभु जी की जन्म जयंती पर सादर प्रणाम।
Explore More
દરેક ભારતીયનું લોહી ઉકળી રહ્યું છે: મન કી બાતમાં વડાપ્રધાન મોદી

લોકપ્રિય ભાષણો

દરેક ભારતીયનું લોહી ઉકળી રહ્યું છે: મન કી બાતમાં વડાપ્રધાન મોદી
Public sector bank NPAs drop to 2.58% from 9.11% in 4 yrs: Finance ministry

Media Coverage

Public sector bank NPAs drop to 2.58% from 9.11% in 4 yrs: Finance ministry
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Prime Minister pays tributes to Chandra Shekhar Azad on his birth anniversary
July 23, 2025

The Prime Minister, Shri Narendra Modi has paid tributes to Chandra Shekhar Azad on his birth anniversary. "His role in India’s quest for freedom is deeply valued and motivates our youth to stand up for what is just, with courage and conviction", Shri Modi stated.

In a X post, the Prime Minister said;

“Tributes to Chandra Shekhar Azad on his birth anniversary. He epitomised unparalleled valour and grit. His role in India’s quest for freedom is deeply valued and motivates our youth to stand up for what is just, with courage and conviction."