પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી પ્રધાનમંત્રી જન ઔષધી પરિયોજનાના લાભાર્થીઓ અને જન ઔષધી કેન્દ્રોના સ્ટોર માલિકો સાથે વાર્તાલાપ કર્યો હતો.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારો કોરોના વાઇરસના જોખમનો સામનો કરવા માટેજરૂરી પગલાં લઇ રહી છે. તેમણે કહ્યું કે, ભારતમાં પણ ખૂબ જ કૌશલ્ય ધરાવતા ડૉક્ટરો, મેડિકલ સ્ટાફ સંસાધનો છે તેમજ લોકોમાંસંપૂર્ણપણે જાગૃતિ ફેલાયેલી છે. તેમણે કહ્યું હતું કે, કોરોના વાઇરસનો ફેલાવો રોકવામાં સતર્ક નાગરિકો ભૂમિકા ખૂબ મહત્વની છે.

|

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, વારંવાર હાથ ધોવાના મહત્વને ઓછુ આંકી શકાય નહીં.તેમણે ઉમેર્યું હતું કે, આ ઉપરાંત કોઇપણ વ્યક્તિ છીંક ખાતી વખત અથવા ઉધરસ આવે ત્યારે પોતાનું મોં ઢાંકવું જોઇએ જેથી અન્ય લોકોને ચેપ ના લાગે.

પ્રધાનમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, “કોરોના વાઇરસનો ચેપ લાગ્યો હોવાની પુષ્ટિ થઇ હોય તેવા તમામ કેસને જરૂરી દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા છે. પરંતુ જો કોઇ વ્યક્તિમાં શંકા લાગે છે કે, તેઓ ચેપગ્રસ્ત વ્યક્તિનાં સંપર્કમાં આવ્યા હતા, તો તેમણે ગભરાવાની જરૂર નથી પરંતુ તમારી નજીકની હોસ્પિટલમાં જઇને ચેકઅપ કરાવી શકો છો. પરિવારમાં બાકીના લોકોને પણ ચેપ લાગવાની શક્યતા વધુ રહે છે, તેવા કિસ્સામાં તેમણે જરૂરી પરીક્ષણો કરાવી લેવા જોઇએ.”

|

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ લોકોને વિનંતી કરી હતી કે, તેઓ કોરોના વાઇરસ મહામારી અંગે કોઇપણ પ્રકારની અફવાઓથી દૂર રહે અને માત્ર ડૉક્ટરની સલાહ લેવાની તેમજ તેને અનુસારવાની સલાહ આપી હતી.

તેમણે ઉમેર્યું હતું કે, “હા, અત્યારે આખી દુનિયા નમસ્તે કરવાની આદત પાડી રહી છે. જો કોઇપણ કારણથી આપણે આ આદત ભૂલી ગયા હોઇએ તો, નમસ્તે કહેવાની આ આદતમાં જોડાવા માટે ફરી એકજૂથ થવાનો આ યોગ્ય સમય છે.”

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

Click here to read PM's speech

Explore More
78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ
Rise of the white-collar NRI gives India hard power

Media Coverage

Rise of the white-collar NRI gives India hard power
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
PM greets people of Bihar on Bihar Diwas
March 22, 2025

The Prime Minister, Shri Narendra Modi greeted people of Bihar on the Bihar Diwas. Shri Modi lauded Bihar’s rich heritage, its contribution to Indian history, and the relentless spirit of its people in driving the state’s development.

The Prime Minister wrote on X;

“वीरों और महान विभूतियों की पावन धरती बिहार के अपने सभी भाई-बहनों को बिहार दिवस की ढेरों शुभकामनाएं। भारतीय इतिहास को गौरवान्वित करने वाला हमारा यह प्रदेश आज अपनी विकास यात्रा के जिस महत्वपूर्ण दौर से गुजर रहा है, उसमें यहां के परिश्रमी और प्रतिभाशाली बिहारवासियों की अहम भागीदारी है। हमारी संस्कृति और परंपरा के केंद्र-बिंदु रहे अपने इस राज्य के चौतरफा विकास के लिए हम कोई कोर-कसर नहीं छोड़ेंगे।”