Quoteવી.ઓ.ચિદંબરનાર બંદરમાં આઉટર હાર્બર કંટેનર ટર્મિનલ ની શિલાંકન કર્યો
Quote10 રાજ્યો / કેન્દ્ર શાસિત પ્રદેશોમાં 75 લાઇટહાઉસ પર પર્યાટન સુવિધાઓનું ઉદ્ઘાટન કર્યું
Quoteભારતની પ્રથમ સ્વદેશી ગ્રીન હાઇડ્રોજન ફ્યુલ સેલ ઇનલેન્ડ વોટરવે વેસલ લોન્ચ કર્યો
Quoteવિવિધ રેલ અને રોડ પ્રોજેક્ટ્સ નું લોકાર્પણ કર્યું
Quote“તુતુકુડી તમિળનાડુ માં પ્રગતિનો નવો અધ્યાય લખી રહ્યો છે”
Quote“આજે, દેશ 'સંપૂર્ણ સરકાર'ની પરિસરની સાથે કામ કરી રહ્યું છે”
Quote“સંપર્ક સુધારવાના પ્રયાસોથી જનતાનું સહજ જીવન વધુ સહજ બનાવવામાં આવ્યું છે”
Quote“સમુદ્રી ખેત્રમાં વિકાસ તમિળનાડુ જેવા રાજ્યની અર્થશાસ્ત્રીય વિકાસને આદર્શીત કરે છે”
Quote“એકસમયે 75 સ્થળોમાં વિકાસ, આ નવું ભારત છે”

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે તામિલનાડુનાં થુથુકુડીમાં રૂ. 17,300 કરોડથી વધારે મૂલ્યની વિવિધ વિકાસ પરિયોજનાઓનો શિલાન્યાસ અને લોકાર્પણ કર્યા હતા. પ્રધાનમંત્રીએ વીઓ ચિદમ્બરનાર બંદરગાહ પર આઉટર હાર્બર કન્ટેનર ટર્મિનલનો શિલાન્યાસ કર્યો હતો. પ્રધાનમંત્રીએ હરિત નૌકા પહેલ હેઠળ ભારતનાં પ્રથમ સ્વદેશી ગ્રીન હાઇડ્રોજન ફ્યુઅલ સેલ ઇનલેન્ડ વોટરવે વે જહાજનો પણ શુભારંભ કરાવ્યો હતો. તેમણે 10 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં 75 દિવાદાંડીઓમાં પર્યટક સુવિધાઓ સમર્પિત કરી હતી. તેમણે વાંચી મનિયાચ્ચી-નાગરકોઇલ રેલવે લાઇનને બમણી કરવા માટેનાં રેલવે પ્રોજેક્ટ પણ રાષ્ટ્રને સમર્પિત કર્યા હતાં, જેમાં વાંચી મનિયાચ્ચી-તિરુનેલવેલી સેક્શન અને મેલાપ્પાલયમ-અરલવામાઇમોલી સેક્શન સામેલ છે. પ્રધાનમંત્રીએ તામિલનાડુમાં આશરે રૂ. 4,586 કરોડનાં કુલ ખર્ચ સાથે વિકસાવવામાં આવેલી ચાર માર્ગ પરિયોજનાઓનું લોકાર્પણ કર્યું હતું.

 

|

આ પ્રસંગે ઉપસ્થિત જનમેદનીને સંબોધતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, તામિલનાડુ થુથુકુડીમાં પ્રગતિનો નવો અધ્યાય લખી રહ્યું છે, કારણ કે વિકસિત ભારતનાં રોડ મેપ માટે વિવિધ વિકાસલક્ષી પ્રોજેક્ટનું ઉદઘાટન અને શિલાન્યાસ થઈ રહ્યો છે. તેમણે કહ્યું હતું કે, આજની વિકાસ યોજનાઓમાં કોઈ પણ એક ભારત, શ્રેષ્ઠ ભારતનાં જુસ્સાનાં સાક્ષી બની શકે છે. આ પ્રોજેક્ટ્સ ભલે થુથુકુડીમાં હોય, પણ પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, તેનાથી સમગ્ર ભારતમાં અનેક સ્થળોએ વિકાસને વેગ મળશે.

પ્રધાનમંત્રીએ વિકસીત ભારતની યાત્રા અને તેમાં તામિલનાડુની ભૂમિકા પર ભાર મૂક્યો હતો. તેમણે 2 વર્ષ અગાઉની તેમની મુલાકાતને યાદ કરી હતી, જ્યારે તેમણે ચિદમ્બરનાર બંદરની ક્ષમતા વધારવા માટે ઘણાં પ્રોજેક્ટ્સને લીલી ઝંડી આપી હતી અને તેને શિપિંગનું મુખ્ય કેન્દ્ર બનાવવાનાં પોતાનાં વચનને પણ યાદ કર્યું હતું. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, "આ ખાતરી આજે પૂર્ણ થઈ રહી છે." વીઓ ચિદમ્બરનાર બંદરગાહ ખાતે આઉટર હાર્બર કન્ટેનર ટર્મિનલના શિલારોપણ અંગે વાત કરતા પ્રધાનમંત્રીએ માહિતી આપી હતી કે, આ પ્રોજેક્ટમાં રૂ. 7,000 કરોડનું રોકાણ થશે. આજે 900 કરોડ રૂપિયાની પરિયોજનાઓનું લોકાર્પણ કરવામાં આવ્યું છે અને 13 બંદરો પર 2500 કરોડ રૂપિયાની પરિયોજનાઓનો શુભારંભ કરવામાં આવ્યો છે. તેમણે જણાવ્યું હતું કે, આ વિવિધ પ્રોજેક્ટથી તામિલનાડુને લાભ થશે અને રાજ્યમાં રોજગારીની તકોનું સર્જન થશે.

 

|

પ્રધાનમંત્રીએ યાદ અપાવ્યું હતું કે, આજની વિકાસલક્ષી પરિયોજનાઓને વર્તમાન સરકાર લાવી રહી છે, જે લોકોની માગણીઓ છે અને અગાઉની સરકારોએ ક્યારેય તેના તરફ ધ્યાન આપ્યું નહોતું. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, "હું તામિલનાડુની સેવા કરવા અને તેનું ભાવિ બદલવા આવ્યો છું."

હરિત નૌકા પહેલ હેઠળ ભારતના પ્રથમ હાઇડ્રોજન ફ્યુઅલ સેલ ઇનલેન્ડ વોટરવે વે જહાજ વિશે વાત કરતા પીએમ મોદીએ તેને કાશી માટે તામિલનાડુના લોકોની ભેટ ગણાવી હતી. તેમણે કહ્યું હતું કે, તેમણે કાશી તામિલ સંગમમાં તામિલનાડુનાં લોકોનાં ઉત્સાહ અને સ્નેહનાં સાક્ષી બન્યાં હતાં. પ્રધાનમંત્રીએ વીઓ ચિદમ્બરનાર બંદરને દેશનું પ્રથમ ગ્રીન હાઇડ્રોજન હબ બંદર બનાવવાનાં ઉદ્દેશ સાથે અન્ય વિવિધ પ્રોજેક્ટનું ઉદઘાટન કર્યું હતું. આ પ્રોજેક્ટ્સમાં ડિસેલિનેશન પ્લાન્ટ, હાઇડ્રોજન ઉત્પાદન અને બંકરિંગ સુવિધાનો સમાવેશ થાય છે. તેમણે જણાવ્યું હતું કે, "આજે દુનિયા જે વિકલ્પો શોધી રહી છે, તેના સંબંધમાં તામિલનાડુ લાંબી મજલ કાપશે."

પ્રધાનમંત્રીએ આજની રેલવે અને માર્ગ વિકાસલક્ષી પરિયોજનાઓ પર પણ પ્રકાશ પાડ્યો હતો તથા કહ્યું હતું કે, ઇલેક્ટ્રિફિકેશન અને રેલવે લાઇનને બમણી કરવાથી દક્ષિણ તામિલનાડુ અને કેરળ વચ્ચે જોડાણમાં વધારો થશે, ત્યારે તિરુનેલવેલી અને નાગરકોઇલ સેક્ટરની ગીચતામાં પણ ઘટાડો થશે. તેમણે તામિલનાડુમાં અત્યારે રૂ. 4,000 કરોડથી વધારેનાં મૂલ્યનાં રોડવેઝનાં આધુનિકીકરણ માટેનાં ચાર મુખ્ય પ્રોજેક્ટનો ઉલ્લેખ પણ કર્યો હતો. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, તેનાથી કનેક્ટિવિટીને પ્રોત્સાહન મળશે, પ્રવાસનાં સમયમાં ઘટાડો થશે તથા રાજ્યમાં વેપાર અને પ્રવાસનને પ્રોત્સાહન મળશે.

 

|

નવા ભારતનાં સંપૂર્ણ સરકારી અભિગમનો ઉલ્લેખ કરીને પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, તામિલનાડુમાં માર્ગમાર્ગો, રાજમાર્ગો અને જળમાર્ગોનાં વિભાગો શ્રેષ્ઠ કનેક્ટિવિટી અને શ્રેષ્ઠ તકોનું સર્જન કરવા કામ કરી રહ્યાં છે. આથી રેલવે, રોડ અને મેરીટાઈમ પ્રોજેકટ મળીને શરૂ કરવામાં આવી રહ્યા છે. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, મલ્ટિ-મોડલ અભિગમથી રાજ્યનાં વિકાસને નવી ગતિ મળશે.

પ્રધાનમંત્રીએ 'મન કી બાત'નાં એક એપિસોડ દરમિયાન દેશનાં પ્રધાનમંત્રી દિવાદાંડીઓને પ્રવાસન સ્થળો તરીકે વિકસાવવાનાં પોતાનાં સૂચનોને યાદ કર્યા હતાં અને 10 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોનાં 75 દિવાદાંડીઓમાં પ્રવાસન સુવિધાઓ સમર્પિત કરવા બદલ ગર્વની લાગણી વ્યક્ત કરી હતી. પીએમ મોદીએ કહ્યું કે, "એક સાથે 75 સ્થળોએ વિકાસ, આ નવું ભારત છે." તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, આ 75 સ્થળો આગામી સમયમાં વિશાળ પર્યટન કેન્દ્રો બનશે.

કેન્દ્ર સરકારની પહેલોનો ઉલ્લેખ કરીને પ્રધાનમંત્રીએ જાણકારી આપી હતી કે, છેલ્લાં 10 વર્ષમાં તામિલનાડુમાં 1300 કિલોમીટરની લંબાઈ ધરાવતાં રેલવે પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યાં છે. 2000 કિલોમીટરની રેલવે વીજળીકરણની કામગીરી, ફ્લાયઓવર અને અંડરપાસનું નિર્માણ અને અનેક રેલવે સ્ટેશનોનું અપગ્રેડેશન કરવામાં આવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, રાજ્યમાં 5 વંદે ભારત ટ્રેનો ચાલી રહી છે, જે વિશ્વસ્તરીય પ્રવાસનો અનુભવ પ્રદાન કરે છે. ભારત સરકાર તામિલનાડુના રોડ ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં 1.5 લાખ કરોડ રૂપિયાનું રોકાણ કરી રહી છે. તેમણે કહ્યું હતું કે, "કનેક્ટિવિટી સુધારવા માટે કેન્દ્ર સરકારનાં પ્રયાસોથી જીવનની સરળતામાં વધારો થઈ રહ્યો છે."

 

|

પ્રધાનમંત્રીએ દાયકાઓથી ભારતનાં જળમાર્ગો અને દરિયાઈ ક્ષેત્ર સાથેની મોટી અપેક્ષાઓ પર ભાર મૂક્યો હતો અને કહ્યું હતું કે, આ ક્ષેત્રો આજે વિકસિત ભારતનો પાયો બની રહ્યાં છે અને સંપૂર્ણ દક્ષિણ ભારતની સાથે તામિલનાડુ પણ આનો સૌથી મોટો લાભ લે છે. પ્રધાનમંત્રીએ તામિલનાડુમાં ત્રણ મુખ્ય બંદરો અને 12થી વધારે નાનાં બંદરો પર પ્રકાશ પાડ્યો હતો તથા દક્ષિણનાં તમામ રાજ્યો માટે સંભવિતતાઓ પર ભાર મૂક્યો હતો. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, "દરિયાઈ ક્ષેત્રનો વિકાસ એટલે તામિલનાડુ જેવા રાજ્યનો વિકાસ." પ્રધાનમંત્રીએ છેલ્લાં દાયકામાં વીઓ ચિદમ્બરનાર બંદર પર ટ્રાફિકમાં 35 ટકાની વૃદ્ધિ વિશે જાણકારી આપી હતી. તેમણે વધુમાં ઉમેર્યું કે ગયા વર્ષે બંદરે 38 મિલિયન ટનનું સંચાલન કર્યું હતું, જેમાં વાર્ષિક 11 ટકાની વૃદ્ધિ નોંધાઈ હતી. પીએમ મોદીએ સાગરમાલા જેવા પ્રોજેક્ટ્સની ભૂમિકાને શ્રેય આપતા ઉમેર્યું હતું કે, "દેશના અન્ય મોટા બંદરોમાં પણ આવા જ પરિણામો જોવા મળી શકે છે."

પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, ભારત જળમાર્ગો અને દરિયાઈ ક્ષેત્રોમાં નવા વિક્રમોનું સર્જન કરી રહ્યું છે. તેમણે નોંધ્યું હતું કે, લોજિસ્ટિક્સ પર્ફોર્મન્સ ઇન્ડેક્સમાં ભારતનો ક્રમ વધીને 38મો થયો છે અને બંદર ક્ષમતા એક દાયકામાં બમણી થઈ ગઈ છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે આ સમયગાળા દરમિયાન રાષ્ટ્રીય જળમાર્ગોમાં આઠ ગણો વધારો થયો છે અને ક્રુઝના મુસાફરોની સંખ્યામાં ચાર ગણો વધારો થયો છે જ્યારે નાવિકો બમણા થઈ ગયા છે. તેમણે કહ્યું હતું કે, આ પ્રગતિથી તામિલનાડુ અને આપણાં યુવાનોને લાભ થશે. "મને ખાતરી છે કે તામિલનાડુ વિકાસના પથ પર આગળ વધશે અને હું તમને ખાતરી આપું છું કે જ્યારે રાષ્ટ્ર અમને ત્રીજી વખત સેવા કરવાની તક આપશે ત્યારે હું નવા ઉત્સાહ સાથે તમારી સેવા કરીશ."

 

|

પોતાની હાલની મુલાકાત દરમિયાન તામિલનાડુનાં વિવિધ વિસ્તારોનાં લોકોનાં પ્રેમ, સ્નેહ, ઉત્સાહ અને આશીર્વાદ વિશે વાત કરતાં પ્રધાનમંત્રીએ સરકારની કટિબદ્ધતા પર પ્રકાશ પાડ્યો હતો અને કહ્યું હતું કે, તેઓ રાજ્યનાં વિકાસ સાથે લોકોનાં દરેક પ્રેમની બરોબરી કરશે.

અંતમાં પ્રધાનમંત્રીએ દરેકને તેમની ફોનની લાઈટ્સ ચાલુ કરવા જણાવ્યું હતું અને તામિલનાડુ અને ભારત સરકાર વિકાસનો તહેવાર ઉજવી રહી છે તે દર્શાવવા જણાવ્યું હતું.

આ પ્રસંગે તામિલનાડુનાં રાજ્યપાલ શ્રી આર એન રવિ, બંદરો, જહાજ અને જળમાર્ગોનાં કેન્દ્રીય મંત્રી શ્રી સર્વાનંદ સોનોવાલ અને રાજ્ય કક્ષાનાં કેન્દ્રીય મંત્રી ડૉ. એલ મુરુગન ઉપસ્થિત રહ્યાં હતાં.

પાશ્વ ભાગ

પ્રધાનમંત્રીએ વીઓ ચિદમ્બરનાર બંદરગાહ પર આઉટર હાર્બર કન્ટેનર ટર્મિનલનો શિલાન્યાસ કર્યો હતો. આ કન્ટેનર ટર્મિનલ વી.ઓ.ચિદમ્બરનાર બંદરને પૂર્વ કિનારા માટે ટ્રાન્સશિપમેન્ટ હબમાં પરિવર્તિત કરવાની દિશામાં એક પગલું છે. આ પ્રોજેક્ટનો ઉદ્દેશ ભારતનાં લાંબા દરિયાકિનારાનો લાભ લેવાનો અને અનુકૂળ ભૌગોલિક સ્થાન મેળવવાનો તથા વૈશ્વિક વેપારી ક્ષેત્રમાં ભારતની સ્પર્ધાત્મકતાને મજબૂત કરવાનો છે. મુખ્ય માળખાગત પ્રોજેક્ટથી આ વિસ્તારમાં રોજગારીનું સર્જન અને આર્થિક વિકાસ પણ થશે. પ્રધાનમંત્રીએ વીઓ ચિદમ્બરનાર બંદરને દેશનું પ્રથમ ગ્રીન હાઇડ્રોજન હબ બંદર બનાવવાનાં ઉદ્દેશ સાથે અન્ય વિવિધ પ્રોજેક્ટનું ઉદઘાટન કર્યું હતું. આ પ્રોજેક્ટ્સમાં ડિસેલિનેશન પ્લાન્ટ, હાઇડ્રોજન ઉત્પાદન, બંકરિંગ સુવિધા વગેરેનો સમાવેશ થાય છે.

 

|

પ્રધાનમંત્રીએ હરિત નૌકા પહેલ હેઠળ ભારતનાં પ્રથમ સ્વદેશી ગ્રીન હાઇડ્રોજન ફ્યુઅલ સેલ ઇનલેન્ડ વોટરવે વે જહાજનો પણ શુભારંભ કરાવ્યો હતો. આ જહાજનું ઉત્પાદન કોચીન શિપયાર્ડ દ્વારા કરવામાં આવે છે અને તે સ્વચ્છ ઊર્જા ઉકેલોને અપનાવવા અને રાષ્ટ્રની નેટ-ઝીરો પ્રતિબદ્ધતાઓ સાથે જોડાણ કરવા માટેના એક અગ્રણી પગલા પર ભાર મૂકે છે. પ્રધાનમંત્રીએ 10 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં 75 દિવાદાંડીઓમાં પ્રવાસી સુવિધાઓનું લોકાર્પણ પણ કર્યું હતું.

કાર્યક્રમ દરમિયાન પ્રધાનમંત્રીએ વાંચી મનિયાચ્ચી-નાગરકોઈલ રેલ લાઈનના ડબલિંગ માટે વનચી મનિયાચ્ચી-તિરુનેલવેલી સેક્શન અને મેલાપ્પાલયમ-અરાલવાયમોલી સેક્શન સહિતની રેલવે પરિયોજનાઓ રાષ્ટ્રને સમર્પિત કરી હતી. આશરે રૂ. 1,477 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવેલા આ ડબલિંગ પ્રોજેક્ટથી કન્યાકુમારી, નાગરકોઇલ અને તિરુનેલવેલીથી ચેન્નાઈ તરફ જતી ટ્રેનો માટે મુસાફરીનો સમય ઘટાડવામાં મદદ મળશે.

પ્રધાનમંત્રીએ તામિલનાડુમાં આશરે રૂ. 4,586 કરોડનાં કુલ ખર્ચ સાથે વિકસાવવામાં આવેલી ચાર માર્ગ પરિયોજનાઓનું લોકાર્પણ કર્યું હતું. આ પ્રોજેક્ટ્સમાં રાષ્ટ્રીય રાજમાર્ગ – 844નાં જિત્તાનહલ્લી-ધર્મપુરી વિભાગને ચાર માર્ગીય બનાવવા, રાષ્ટ્રીય રાજમાર્ગ–81નાં મીનસુરુટ્ટી-ચિદમ્બરમ વિભાગનાં પાકા ખભા સાથે દ્વિમાર્ગીયકરણ, રાષ્ટ્રીય રાજમાર્ગ-83નાં ઓડનચત્રમ-મદાથુકુલમ વિભાગને ચાર માર્ગીય બનાવવા તથા રાષ્ટ્રીય રાજમાર્ગ – 83નાં નાગાપટ્ટિનમ-તંજાવુર વિભાગનાં પાકા ખભા સાથે દ્વિમાર્ગીય બનાવવાનો સમાવેશ થાય છે. આ પ્રોજેક્ટનો ઉદ્દેશ કનેક્ટિવિટીમાં સુધારો કરવાનો, પ્રવાસનો સમય ઘટાડવાનો, સામાજિક-આર્થિક વૃદ્ધિ વધારવાનો અને પ્રદેશમાં યાત્રાધામોની મુલાકાતને સુલભ બનાવવાનો છે.

 

સંપૂર્ણ ટેક્સ્ટ સ્પીચ વાંચવા માટે અહીં ક્લિક કરો

  • Vijay bapu kamble August 31, 2024

    इचलकरंजी विधानसभा मतदारसंघ 279 बूथ प्रमुख भाजप बूथ क्रमांक 55 श्री विजय बापू कांबळे चंदुर भाजप कार्यकर्ता माननीय श्री पंतप्रधान नरेंद्र मोदी जी यांचे नमो ॲप ला मिळालेले गुण अकरा लाख गुण मिळाले आहेत
  • Vivek Kumar Gupta May 10, 2024

    नमो .......................🙏🙏🙏🙏🙏
  • Vivek Kumar Gupta May 10, 2024

    नमो ....................................🙏🙏🙏🙏🙏
  • Pradhuman Singh Tomar April 30, 2024

    BJP
  • Krishna Jadon April 29, 2024

    BJP
  • B M S Balyan April 13, 2024

    विकसित ओर सुदृढ़ भारत। विकसित ओर सुदृढ़ भारत बनाने के लिए बहुत प्रयास करना पड़ेगा और बहुत मेहनत करनी पड़ेगी इस देश में समस्याएं बहुत है उन पर भी ध्यान देना है इस देश की शांति बनाए रखने के लिए भी बहुत मेहनत करनी है। यहां पर अहंकार की बहुत बड़ी प्रॉब्लम है हर किसी को अहंकार है उसे डेवलपमेंट से कोई मतलब नहीं है अगर उनकी अहंकार बीच में आ जाती है तो वह डेवलपमेंट को नहीं चाहते। इस देश में गद्दारों की भी कमी नहीं है यहां पर घरों में एजेंट बैठे हैं जो नौकरी करते है बिजनेस करते हैं पर उन लोगों के सम्बन्ध अभी भी बाहरी ताकतों से जुड़े हैं यह वह समय है जब हम कुछ सही कर सकते हैं अगर समय चला गया तो बहुत मुश्किल हो जाएगी जो भी हमने मेहनत करी है इस देश में सब बेकार हो जायेगी। समस्याओं की कमी नहीं है कोई ना कोई ना कोई समस्या चलती रहती है और उन समस्याओं को खत्म करते हे तो दूसरी समस्या पैदा हो जाती है अभी भी बहुत सारी सुविधाओं की जरूरत है पापुलेशन पर कंट्रोल होना बहुत जरूरी है। गांव में अभी भी बहुत सारी सुविधाओं का आना बाकी है गांव को मॉडर्न बनाना है बेसिक सुविधाओं से उनको पूरा करना है ।गांव को भी वर्ल्ड क्लास सुविधा प्रदान करनी है । गांव में टेक्नोलॉजी का उपयोग करना हैं एडवांस टेक्नोलॉजी और कंप्यूटर सेंटर खोलने जरूरी है जिससे कि गांव के नागरिक भी आगे आने चाहिए और देश में क्या डेवलपमेंट हो रहा है उसको वह समझ सके ओर आगे बड़ सके। गांव में सुरक्षा की भी एक प्रॉब्लम है उसको भी बढ़ाना है जिससे कि गांव का व्यक्ति भी सुरक्षित महसूस करें और उसे भी लगे कि मैं यहां एक सुरक्षित भारत का नागरिक हूं और एक नए भारत का नागरिक हूं। उनके लिए भी हमें हेल्प सेंटर खोलने है जहां पर वह कानून की सुविधा प्राप्त कर सके ऑनलाइन जिससे वह तुरंत सहायता ले सके। किसानों के लिए केंद्र खोलने हैं जहां पर वह अपनी लागत को कम करने का तरीका सीख सके अपनी फसल को बढ़ाने का तरीका सीख सके अपनी फसल को बेचने का तरीका सीख सके और ऐसे सेंटर खोलने जहां पर उनकी फसल आराम से बिक जाए और हर गांव को एक सलाहकार दिया जाएगा जो उन को एडवाइज करें ओर इस बात की गारंटी दे की फसल को हम खरीदेंगे और इतने दामों पर खरीदेंगे उनके लिए मॉनिटरिंग सिस्टम बनाया जाए वाटर हार्वेस्टिंग सिस्टम बनाया जाए और एक हेल्प सेंटर खोला जाए जो इन सब चीजों के लिए जिम्मेदार हो और किसानों को आगे बढ़ाने में जिम्मेदारी लें। सुरक्षा की गारंटी दी जाए आज तक किसी पार्टी ने सुरक्षा की गारंटी नहीं दिए पर भाजपा ने दि सभी पार्टी बड़ी-बड़ी बात करती है बोलती भी है पर सुरक्षा नहीं देती हम आपको सुरक्षा भी दे रहे हैं स्वास्थ्य बीमा भी दे रहे हैं फसल बीमा भी दे रहे है सुविधा भी दे रहे हैं तो उसके लिए मॉनिटरिंग सिस्टम भी प्रदान कर रहे हैं जहां पर आप अपनी शिकायत दर्ज कर सकते हैं और बता सकते हैं कि आपको यह सुविधा अभी तक नहीं मिली। अगर कहीं कोई आपसे रिश्वत मांगी जा रही है उसकी आप कंप्लेंट कर सके वह भी ऑनलाइन हो जाए जिस की फ्यूचर में भविष्य में इसका संज्ञान लिया जा सके। सुरक्षा की कमी की वजह से इस देश में अभी भी बहुत सारे लोग आजाद देश में रहते हुए भी गुलाम की तरह ही रहे हैं जो अपनी बातों को खुलकर नहीं बता पाते या कानून की सहायताएं उन्हें पूर्ण रूप से नहीं मिल पाती करप्शन अपना रूप बदलता रहता है उसके लिए हमें पब्लिक के सपोर्ट की जरूरत है पब्लिक ही सबसे पहले बता सकती है कि कहां पर क्या करप्शन है और क्यों है इसके लिए पब्लिक पोर्टल बनाई गई है जनसुनवाई केंद्र खोले गए हैं कंप्लेंट करना जरूरी है इस चीज को खत्म करने में गवर्नमेंट की सहायता कर सकते हैं। अभी भी हमें हर वर्ग के लिए काम करना है जो भी डेवलपमेंट हमने किए हैं वह अभी भी कम है अभी भी हमें बहुत से लोगों के लिए काम करना है और इस देश को वर्ल्ड क्लास देश बनाने के लिए बहुत कुछ करना बाकी है अभी भी बहुत सारी समस्याएं हैं हमने हर तरह की सुविधा जन-जन तक पहुंचने का प्रयास किया है फिर भी अभी बहुत सारी जगह ऐसी हैं जहां अभी भी समस्या है वहां पर अभी और प्रयास करने की और उन सुविधाओं को और बेहतर बनाने की हमारे को जरूरत है कोशिश करनी है। सुविधा हमने प्रदान कराई हे वो उज्जवला योजना, महिला सम्मान, कन्या योजना कन्या शादी समारोह, प्रेगनेंसी मे मेडिकल की सुविधा, आयुष्मान हेल्थ कार्ड, घरों की योजना, स्वच्छता अभियान, जल योजना, जनधन योजना है पर अभी भी बहुत सारी समस्या बाकी है जो योजना हमने बनाई है टेक्नोलॉजी को उपयोग करके यह सब देखना है कि मॉनिटर करना कि हमारी योजना कहां-कहां तक पहुंच चुकी है और अभी भी कितने लोगों तक पहुंची नहीं है बाकी है। हर तरह की वर्ल्ड क्लास सूविधा प्रदान करने की योजनाएं गांव गांव कस्बे कस्बे तक यह सुविधा पहुंचाई जाएगी। उद्योग धंधों को हर आदमी की पहुंच तक लाना है उनको शिक्षित करना है उनको तरीके सीखने हे की कैसे वो अपना रोजगार शुरू कर सके। कैसे वह अपने उद्योग शुरू कर सके और किस तरह से वह सरकार से उद्योग चलाने में सहायता प्राप्त कर सकते हैं किस तरह से उन्हें लोन मिल सकता है यह सब चीज अभी भी पहुंचानी बाकी है सिखानी बाकी उसके लिए हमें मॉनिटरिंग सिस्टम बनाने हैं मॉनिटरिंग सिस्टम और कंट्रोल सिस्टम के थ्रू हमें हर आदमी तक इन सुविधाओं को पहुंचना है टेक्नोलॉजी का उपयोग करना है। हर आदमी को सुरक्षा की गारंटी देनी है कुछ भी गलत होने पर उसकी जिम्मेदारी हमारी होगी यूपी को आप देख सकते हैं किसी भी समूह की ज़ोर जबर्दस्ती नहीं चलती है कोई भी व्यक्ति विशेष समूह अपनी मन मर्जी नहीं चला सकता है अगर कोई चलाएगा और कानून के खिलाफ जाकर या कानून का पालन किये बिना अगर कोई भी व्यक्ति ऐसा करेगा तो जेल जाएगा चाहे वह कोई भी हो। उस पर गलत बोलने की या गलत करने की हिम्मत नहीं है किसी को भी हिम्मत नहीं है अगर कोई करेगा तो उसको हम सबक सिखाएंगे जिससे कि वह या कोई और दोबारा से ऐसी कोई गलती ना करें या करने की कोई और कोशिश ना करें। हमें हर वर्ग के लिए काम करना है हमारे पास अभी भी बहुत सारी योजनाएं हैं जिससे कि हर वर्ग के पास हर तरह की सुविधा पहूचाई जा सके और जीवन को आसान बना सके अब हमारा फोकस रहेगा कि आम जनता का जीवन आसान कैसे बन जाए उनकी भविष्य को सुनहरा कैसा बनाया जाए उनके जीवन को सरल कैसा बनाया जाए हर तरह की सुविधाएं हर आदमी तक कैसे पहुंचा जाए ।मोटरसाइकिल, कार, एसी वाला घर यह सब सुविधाएं हर आदमी तक कैसे पहुंचे उनकी सोर्स आफ इनकम कैसे बढ़ेगी कमाई का जरिए कैसे बढ़ाए इन सब चीजों पर हमें फोकस करना होगा इन सब पर फोकस करना होगा हमें अभी भी बहुत काम करना है हमें अभी भी गरीब लोगों के लिए काम करना है हमें अभी भी पिछडे लोगों के लिए काम करना है हमें अभी भी मिडिल क्लास और सर्विस क्लास लोगों के लिए काम करना है हर वर्ग के लोगों तक सुविधा पहुंचानी है जिससे कि उनकी लाइफ सरल हो सके हमें अभी भी कुछ ऐसा करना है जिससे कि लोगों की सोर्स आफ इनकम बन सके उनकी कमाई का जरिया हमेशा के लिए बन जाए उनको उस चीज की टेंशन ना रहे हैं कि वह कल क्या करेंगे कैसे काम आएंगे और किस तरह से उनका जीवन निकलेगा उनके लिए हमें काम करना है। करप्शन को जीरो करना है करप्शन को हमेशा हमेशा के लिए खत्म करना है जिससे की मेहनत करने वालों की कमाई को कोई चालाक आदमी ना खा सके टेक्नोलॉजी का उपयोग करना है जिससे कि लोगों को हर सुविधा मिल सके और करप्शन फ्री देश बन सके जब पीस होगी सिक्योरिटी होगी तभी आप अपने टैलेंट का सही इस्तेमाल कर सकते हैं और जीरो करप्शन होगा तभी आप विश्वास कर सकते हैं कि आपका टैलेंट का सही उपयोग हो पाएगा और जब भी आप मेहनत करेंगे और आगे बढ़ेंगे और देश को भी आगे बढ़ाएंगे करप्शन को खत्म करने के लिए टेक्नोलॉजी का उपयोग करा जाएगा लोगों से मदद ली जाएगी । टेक्नोलॉजी का विकास करा जाएगा क्योंकि टेक्नोलॉजी आज के युग में बहुत जरूरी है एडवांस टेक्नोलॉजी का उपयोग करा जाएगा सेमीकंडक्टर का उपयोग करा जाएगा ऑटोमेशंस का उपयोग कर जाएगा ड्रोन का उपयोग कर जाएगा रोबोट का उपयोग करा जाएगा । जोब क्रिएट करे जाएंगे लोगों को नई टेक्नोलॉजी सिखाई जाएगी स्किल सेंटर्स ओपन कर जाएंगे हमें अपने देश को बेटर और बहुत बैटर बनाना है अब हमारा कंपटीशन डेवलपड कंट्रीज के साथ है। जय हिन्द जय भारत लेखक भूपेंद्र बालयाण
  • Shabbir meman April 10, 2024

    🙏🙏
  • Sunil Kumar Sharma April 09, 2024

    जय भाजपा 🚩 जय भारत
  • Jayanta Kumar Bhadra April 07, 2024

    Jai hind sir
  • Jayanta Kumar Bhadra April 07, 2024

    Jai Sri Krishna
Explore More
78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ
How the makhana can take Bihar to the world

Media Coverage

How the makhana can take Bihar to the world
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 25 ફેબ્રુઆરી 2025
February 25, 2025

Appreciation for PM Modi’s Effort to Promote Holistic Growth Across Various Sectors