Quote"ધરતીકંપ દરમિયાન ભારતના ઝડપી પ્રતિસાદે સમગ્ર વિશ્વનું ધ્યાન આકર્ષિત કર્યું છે. તે આપણી બચાવ અને રાહત ટીમોની સજ્જતાનું પ્રતિબિંબ છે"
Quote"ભારતે તેની આત્મનિર્ભરતાની સાથે સાથે તેની નિઃસ્વાર્થતાને પણ પોષી છે"
Quote"વિશ્વમાં જ્યાં પણ કોઈ આપત્તિ આવે છે, ભારત પ્રથમ પ્રતિસાદ આપનાર તરીકે તૈયાર જોવા મળે છે"
Quote"આપણે 'તિરંગા' સાથે જ્યાં પણ પહોંચીએ છીએ, ત્યાં એક ખાતરી થઈ જાય છે કે હવે જ્યારે ભારતીય ટીમો આવી ગઈ છે, ત્યારે પરિસ્થિતિ સારી થવા લાગશે"
Quote"એનડીઆરએફે દેશના લોકો વચ્ચે ઘણી સારી પ્રતિષ્ઠા ઊભી કરી છે. દેશના લોકો તમારા પર ભરોસો કરે છે"
Quote"આપણે વિશ્વની શ્રેષ્ઠ રાહત અને બચાવ ટીમ તરીકેની આપણી ઓળખને મજબૂત બનાવવી પડશે. આપણી પોતાની તૈયારી જેટલી સારી હશે, તેટલી જ સારી રીતે આપણે વિશ્વની સેવા કરી શકીશું"

પ્રધાનમંત્રીએ ભૂકંપગ્રસ્ત તુર્કિયે અને સીરિયામાં 'ઓપરેશન દોસ્ત'માં સામેલ નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સના જવાનો સાથે વાતચીત કરી હતી.

આ કર્મચારીઓને સંબોધતા પ્રધાનમંત્રીએ ભૂકંપગ્રસ્ત તુર્કિયે અને સીરિયામાં 'ઓપરેશન દોસ્ત'માં તેમનાં મહાન કાર્ય માટે તેમની પ્રશંસા કરી હતી. પ્રધાનમંત્રીએ વસુધૈવ કુટુમ્બકમ્‌ની વિભાવનાને વિસ્તૃત રીતે રજૂ કરી હતી. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, તુર્કિયે અને સીરિયામાં ભારતીય ટીમે સમગ્ર વિશ્વ આપણા માટે એક પરિવાર હોવાની ભાવનાને પ્રતિબિંબિત કરી છે.

કુદરતી આપત્તિના સમયે ઝડપી પ્રતિક્રિયા આપવાના સમયનાં મહત્વને સૂચવીને પ્રધાનમંત્રીએ 'ગોલ્ડન અવર'નો ઉલ્લેખ કર્યો હતો અને કહ્યું હતું કે, તુર્કિયેમાં એનડીઆરએફની ટીમે ઝડપી પ્રતિસાદ આપવાથી સમગ્ર વિશ્વનું ધ્યાન આકર્ષિત થયું છે. તેમણે કહ્યું કે ઝડપી પ્રતિસાદ ટીમની સજ્જતા અને તાલીમ કુશળતાને પ્રકાશિત કરે છે.

Quote

ટીમના સભ્યોને તેમના પ્રયાસો માટે આશીર્વાદ આપનાર એક માતાની તસવીરોને યાદ કરીને, પ્રધાનમંત્રીએ અસરગ્રસ્ત વિસ્તારોમાં હાથ ધરવામાં આવેલી બચાવ અને રાહત કામગીરીની દરેક તસવીર જોયા પછી દરેક ભારતીયને જે ગર્વની લાગણી થઈ હતી એ વાતની નોંધ લીધી હતી. પ્રધાનમંત્રીએ વ્યાવસાયિકોના અજોડ- વિશિષ્ટ ગુણો અને માનવીય સ્પર્શ પર ભાર મૂક્યો હતો અને કહ્યું હતું કે, જ્યારે કોઈ વ્યક્તિ આઘાતનો સામનો કરી રહી હોય અને તેણે પોતાનું સર્વસ્વ ગુમાવી દીધું હોય, ત્યારે તે મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. પ્રધાનમંત્રીએ ટીમ દ્વારા દાખવવામાં આવેલાં કરૂણાપૂર્ણ કાર્યોની પણ પ્રશંસા કરી હતી.

ગુજરાતમાં વર્ષ 2001માં આવેલા ધરતીકંપને યાદ કરીને અને ત્યાંના સ્વયંસેવક તરીકેના પોતાના સમયને યાદ કરીને પ્રધાનમંત્રીએ કાટમાળ દૂર કરવાની કામગીરીની મુશ્કેલી અને તેની નીચેથી લોકોને શોધવાની કામગીરીની મુશ્કેલી અને ભુજમાં હૉસ્પિટલ પોતે જ ધરાશાયી થઈ હોવાથી સમગ્ર તબીબી વ્યવસ્થાને કેવો ફટકો પડ્યો હતો તે વિશે ભારપૂર્વક જણાવ્યું હતું. પ્રધાનમંત્રીએ 1979માં મચ્છુ ડેમની દુર્ઘટનાને પણ યાદ કરી હતી. "આ આપત્તિઓમાં મારા અનુભવોના આધારે, હું તમારી સખત મહેનત, ભાવના અને લાગણીઓની પ્રશંસા કરી શકું છું. આજે હું તમને બધાને સલામ કરું છું.", એમ પ્રધાનમંત્રીએ કહ્યું.

|

તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, જે લોકો પોતાની જાતને મદદ કરવા સક્ષમ છે તેમને આત્મનિર્ભર કહેવામાં આવે છે, પણ જેમની પાસે જરૂરિયાતના સમયે અન્યને મદદ કરવાની ક્ષમતા છે, તેમને નિઃસ્વાર્થ કહેવામાં આવે છે. તેમણે કહ્યું હતું કે, આ બાબત માત્ર વ્યક્તિઓને જ નહીં, પણ રાષ્ટ્રોને પણ લાગુ પડે છે. એટલે જ છેલ્લાં કેટલાંક વર્ષોમાં ભારતે પોતાની આત્મનિર્ભરતાની સાથે પોતાની નિઃસ્વાર્થતાને પણ પોષી છે. પ્રધાનમંત્રીએ યુક્રેનમાં તિરંગાની ભૂમિકા પર પ્રકાશ પાડતા કહ્યું હતું કે, "આપણે જ્યાં પણ 'તિરંગા' સાથે પહોંચીએ છીએ, ત્યાં ખાતરી મળી જાય છે કે હવે જ્યારે પણ ભારતીય ટીમો આવી ગઈ છે, ત્યારે પરિસ્થિતિ વધુ સારી થવાનું શરૂ થઈ જશે." પ્રધાનમંત્રીએ તિરંગાને સ્થાનિક લોકોમાં મળેલાં સન્માન વિશે પણ વાત કરી હતી. પ્રધાનમંત્રીએ એ પણ યાદ કર્યું હતું કે કેવી રીતે ઓપરેશન ગંગા દરમિયાન યુક્રેનમાં તિરંગાએ દરેક માટે ઢાલ તરીકે કામ કર્યું હતું. એ જ રીતે, ઓપરેશન દેવી શક્તિમાં અફઘાનિસ્તાનથી ખૂબ જ પ્રતિકૂળ સંજોગોમાં સ્થળાંતર કરવામાં આવ્યું હતું. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, આ જ પ્રતિબદ્ધતા કોરોના મહામારી દરમિયાન સ્પષ્ટ થઈ હતી, જ્યારે ભારતે દરેક નાગરિકને સ્વદેશ પરત લાવ્યું હતું તથા દવાઓ અને રસીઓનો પુરવઠો પૂરો પાડીને વૈશ્વિક સ્તરે ગણના મેળવી હતી. 

|

પ્રધાનમંત્રીએ 'ઓપરેશન દોસ્ત' મારફતે ભારતની માનવતા પ્રત્યેની કટિબદ્ધતા પર ભાર મૂકતા કહ્યું હતું કે, "જ્યારે તુર્કિયે અને સીરિયામાં ધરતીકંપ આવ્યો હતો, ત્યારે ભારત પ્રથમ પ્રતિભાવ આપનારાઓમાંનું એક હતું. તેમણે નેપાળમાં ધરતીકંપ અને માલદિવ્સ અને શ્રીલંકામાં ઊભી થયેલી કટોકટીનાં ઉદાહરણો ટાંક્યાં હતાં તથા કહ્યું હતું કે, ભારત સૌથી પહેલાં મદદ માટે આગળ આવ્યું છે. તેમણે નોંધ્યું હતું કે, ભારતીય દળો તેમજ એનડીઆરએફમાં અન્ય દેશોનો વિશ્વાસ પણ વધી રહ્યો છે. પ્રધાનમંત્રીએ આનંદની લાગણી વ્યક્ત કરી હતી કે, એનડીઆરએફે વર્ષોથી દેશના લોકો વચ્ચે સારી પ્રતિષ્ઠા ઊભી કરી છે. તેમણે કહ્યું હતું કે, "દેશના લોકો એનડીઆરએફ પર વિશ્વાસ કરે છે." તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, જ્યારે એનડીઆરએફ આ ક્ષેત્રમાં પહોંચે છે, ત્યારે લોકોનો વિશ્વાસ અને આશા સુનિશ્ચિત થાય છે. તેમણે કહ્યું હતું કે, આ પોતે જ એક મોટી ઉપલબ્ધિ છે. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, જ્યારે કૌશલ્ય સાથે કોઈ દળમાં સંવેદનશીલતા ઉમેરવામાં આવે છે, ત્યારે તે દળની તાકાત અનેકગણી વધી જાય છે.

|

આપત્તિના સમયે રાહત અને બચાવ માટે ભારતની ક્ષમતાને મજબૂત કરવાની જરૂરિયાત પર ભાર મૂકતા પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, "આપણે વિશ્વની શ્રેષ્ઠ રાહત અને બચાવ ટીમનાં રૂપમાં આપણી ઓળખ મજબૂત કરવી પડશે. આપણી પોતાની તૈયારી જેટલી સારી હશે, તેટલી જ સારી રીતે આપણે વિશ્વની સેવા કરી શકીશું." સંબોધનનાં સમાપનમાં પ્રધાનમંત્રીએ એનડીઆરએફની ટીમના પ્રયાસો અને અનુભવોની પ્રશંસા કરી હતી અને કહ્યું હતું કે, તેઓ સ્થળ પર બચાવ કામગીરી કરી રહ્યા હતા, તેમ છતાં તેઓ છેલ્લાં 10 દિવસથી મન અને હૃદયનાં માધ્યમથી હંમેશા તેમની સાથે જોડાયેલા રહ્યા છે.

સંપૂર્ણ ટેક્સ્ટ સ્પીચ વાંચવા માટે અહીં ક્લિક કરો

  • Jitendra Kumar March 30, 2025

    🙏🇮🇳❤️
  • Arun Guptaa Modi Ka Pariwar Beohari (484774) March 29, 2025

    नमो नमो 🙏
  • Mahendra singh Solanki Loksabha Sansad Dewas Shajapur mp November 30, 2023

    नमो नमो नमो नमो नमो नमो नमो नमो
  • Aishwariya Rawat March 05, 2023

    jai hind
  • CHANDRA KUMAR February 25, 2023

    बीजेपी और लोकसभा चुनाव 2024 वर्ष 2023 में 7 राज्यों में विधानसभा चुनाव होनेवाला है। बीजेपी को चुनाव में जीत सुनिश्चित करने के लिए कुछ विशेष कार्य करना चाहिए : 1. सबसे पहले शोर मचाइए, बीजेपी भारतीय नौजवानों को रोजगार देने के लिए जोर लगा दिया है। अब सभी युवाओं को रोजगार मिलेगा। 2. यूपीएससी और एसएससी में हाल ही में सरकारी पदों पर नियुक्ति हेतु परीक्षा के लिए ऑनलाइन एप्लीकेशन जमा लिया गया। आपको क्या लगता है, देश के सभी नागरिक को यह बात मालूम हुआ, की बीजेपी सरकार में भी नियुक्ति परीक्षा जारी है। थोड़ा सा विवाद पैदा कीजिए, यूपीएससी परीक्षा में आवेदन की तिथि बढ़ा दीजिए और 50 पद बढ़ा दीजिए। अंग्रेजी भाषा, सिर्फ इस वर्ष के लिए पूरी तरह से हटा दीजिए। फिर देखिए, पूरे देश को मालूम हो जायेगा की बीजेपी रोजगार दे रही है। एसएससी की नियुक्ति हेतु आवेदन की तिथि बढ़ा दीजिए, उम्र सीमा में छूट बढ़ा दीजिए, सामान्य जाति के युवाओं के लिए भी। इससे सामान्य जाति का युवा बीजेपी को वोट देगा। बाकी जाति के युवा को इससे नाराजगी भी नहीं होगी। 2. सभी विपक्षी दलों का कहना है, बीजेपी सरकारी कंपनी का निजीकरण करके पैसा कमा रही है। बीजेपी पूरा देश बेच देगा। अब बीजेपी को इस निजीकरण, देश बेचो कैंपेन को बंद करने के लिए, 100 सरकारी कंपनी बनाने का घोषणा कर देना चाहिए। 3. नई 100 सरकारी कंपनी का शिलान्यास, उन जिलों में करना चाहिए, जहां थोड़ा सा प्रयास करने मात्र से ही विधानसभा और लोकसभा सीट पर जीत मिल जाए। और आसपास के जिले के युवा को रोजगार मिलेगा तो आसपास के जिले में भी बीजेपी का मत प्रतिशत बढ़ेगा। 4. नई सरकारी कंपनी में नियुक्ति का कार्य सेंट्रल स्टाफ सिलेक्शन कमीशन को दे दिया जाए। 5. इस नई सरकारी कंपनी को अलग अलग क्षेत्र जैसे कृषि, बागवानी आदि में पोस्ट प्रोडक्शन क्वालिटी एन्हांसमेंट पर कार्य करके, सबसे अच्छा कृषि उत्पाद विकसित देशों के बाजारों तक पहुंचाने का कार्य करे। 6. इस नई सौ सरकारी कंपनी में निर्यात को बढ़ावा देने वाला उद्योग से जोड़ा जाए और नए उद्योग स्थापित किया जाए। 7. बीजेपी को चाहिए की नई सरकारी कंपनी बनाकर, रोजगार और बाजार को गतिशीलता प्रदान करके, भारतीय अर्थव्यवस्था को गति प्रदान करे। अंग्रेज केवल टैक्स लेकर भारतीय अर्थव्यवस्था को जोंक की तरह चूस लिया। अब केवल टैक्स नहीं लिया जाए। बल्कि भारत सरकार को अर्थव्यवस्था में सक्रियता पूर्वक भागीदारी निभाया जाए और चीन की तरह निर्यात केंद्रित उत्पाद बनाकर मुद्रा भंडार बढ़ाया जाए। 8. सीधे सब्सिडी देने में पैसा खर्च करने से अर्थव्यवस्था में डाला गया पैसा, विदेशी माल खरीदने में चला जाता है। इससे भारतीय अर्थव्यवस्था को ज्यादा लाभ नहीं होता है। अतः अब सभी प्रकार की सेवा, शुल्क सहित कर दिया जाए, लोकसभा चुनाव 2024 में जीत मिलने के बाद। 9. अभी तो बीजेपी को 100 नई सरकारी कंपनी खोलकर अधिक से अधिक संख्या में कम ग्रेड पे जैसे 1,2,3 पर नियुक्ति किया जाए। किस पद पर रोजगार दिए, यह मायने नहीं रखता है, कितना रोजगार दिए यह मायने रखता है। इसीलिए तो नीतीश कुमार ने बिहार में कम वेतन पर ज्यादा शिक्षक को नियुक्त कर रखा है, और लगातार चुनाव जीत रहा है। 10. माहौल बदलिए , चुनाव जीतिए।
  • THENNARASU February 24, 2023

    JAI HIND BJP4INDIA
  • SRS SwayamSewak RSS February 24, 2023

    शुक्रवार 17/02/2023 को वुमैन सेल फेस आठ मोहाली से बुड्ढे को फोन आया कि सोनिका और गिन्नी ने आपके खिलाफ शिकायत की है। वैसे तो शिकायत पुरानी है लेकिन हमारे पास अभी आयी है। क्या आपका मामला सुलट गया है? बुड्ढे ने उन्हें बताया कि मामला नहीं सुलटा बल्कि और उलझ गया है। बुड्ढे ने उनको बोला कि मैं आपसे सोमवार 20/02/2023 को मिलकर विस्तार से बताउँगा। बूढा सोमवार को वुमैन सेल फेस आठ मोहाली गया। वहाँ शिकायतकर्ता सोनिका भी आयी हुई थी। वुमैन सेल में दोनों ने अपनी अपनी व्यथा बताई। बुड्ढे (उम्र 67 साल) ने वुमैन सेल को बताया कि उसने अपने उस मकान के लिए (जो उसने अपनी सेवानिवृत्ति के उपरांत मिले पैसों से खरीदा) कोर्ट में टाइटल सूट फाइल किया हुआ है जिस पर सोनिका कब्जा करके बैठी हैं। और सोनिका (उम्र इकसठ साल) ने बताया कि उसने कोर्ट में डीवी एक्ट में केस फाइल किया हुआ हैं। बुड्ढे ने उन्हें बताया कि उसके केस की डेट एक मार्च है। सोनिका ने बताया कि उसका केस बाईस फरवरी को लगा है। दोनों ने अपनी उपस्थिति दर्ज करवायी और वापस आ गये। 🌚 गौरतलब यह है कि इन दोनों के बच्चे उच्च शिक्षित हैं। बेटा एम ए एल एल बी पंजाब हरियाणा हाईकोर्ट में अधिवक्ता है और बेटी दिल्ली के जे एन यू से पी एच डी है। दोनों बच्चों ने मिलकर अपने माँ बाप की वृद्धावस्था नारकीय कर दी है। 🌚 मैनें कहा कि तेरे को कुछ मैं भी बता दूँ।
  • Tribhuwan Kumar Tiwari February 23, 2023

    वंदेमातरम
  • Umakant Mishra February 22, 2023

    Jay Shri ram
  • Amit Singh Rajput February 22, 2023

    क्या क्या मांगू मां शारदा से आपके लिए आ दत है सब कुछ है आपके पास जब तक जब तक राज करो
Explore More
દરેક ભારતીયનું લોહી ઉકળી રહ્યું છે: મન કી બાતમાં વડાપ્રધાન મોદી

લોકપ્રિય ભાષણો

દરેક ભારતીયનું લોહી ઉકળી રહ્યું છે: મન કી બાતમાં વડાપ્રધાન મોદી
Maratha bastion in Tamil heartland: Gingee fort’s rise to Unesco glory

Media Coverage

Maratha bastion in Tamil heartland: Gingee fort’s rise to Unesco glory
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 21 જુલાઈ 2025
July 21, 2025

Green, Connected and Proud PM Modi’s Multifaceted Revolution for a New India