Quoteવડોદરા મુંબઈ એક્સપ્રેસ વેના મહત્વપૂર્ણ વિભાગો રાષ્ટ્રને સમર્પિત કર્યા
Quoteકાકરાપાર અણુ વિદ્યુત મથક પર બે નવા પ્રેશરાઇઝ્ડ હેવી વોટર રિએક્ટરનું લોકાર્પણ કર્યું: કેએપીએસ-3 અને કેએપીએસ-4
Quoteનવસારીમાં પીએમ મિત્રા પાર્કના નિર્માણની કામગીરી શરૂ
Quoteસુરત મહાનગરપાલિકા, સુરત અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી અને ડ્રીમ સિટીના અનેક વિકાસલક્ષી પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો
Quoteમાર્ગ, રેલ શિક્ષણ અને પાણી પુરવઠાની પરિયોજનાઓનો શિલાન્યાસ કર્યો
Quote"નવસારીમાં હોવું એ હંમેશાં એક મહાન લાગણી હોય છે. વિવિધ પરિયોજનાઓના ઉદઘાટન અને લોકાર્પણથી ગુજરાતની વિકાસયાત્રા વધુ મજબૂત બનશે"
Quote"મોદીની ગેરંટી શરૂ થાય છે જ્યાંથી અન્ય લોકો પાસેથી આશાનું અસ્તિત્વ સમાપ્ત થાય છે"
Quote"ગરીબ હોય કે મધ્યમ વર્ગ, ગ્રામીણ હોય કે શહેરી, અમારી સરકારનો પ્રયાસ દરેક નાગરિકનું જીવનધોરણ સુધારવાનો છે"
Quote"આજે દેશનાં નાનાં શહેરોમાં પણ ઉત્કૃષ્ટ કનેક્ટિવિટી ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું થઈ રહ્યું છે"
Quote"આજે, વિશ્વ ડિજિટલ ઇન્ડિયાને ઓળખે છે"

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ગુજરાતમાં નવસારી ગુજરાતમાં રૂ. 47,000 કરોડથી વધુની કિંમતની વિવિધ વિકાસલક્ષી પરિયોજનાઓ રાષ્ટ્રને સમર્પિત કરી હતી અને શિલાન્યાસ કર્યો હતો. આ પ્રોજેક્ટ્સમાં વીજ ઉત્પાદન, રેલ, રોડ, ટેક્સટાઇલ, શિક્ષણ, પાણી પુરવઠો, કનેક્ટિવિટી અને શહેરી વિકાસ જેવા વિવિધ ક્ષેત્રોનો સમાવેશ થાય છે.

આ પ્રસંગે ઉપસ્થિત જનમેદનીને સંબોધતા પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, આજે ગુજરાતમાં આ તેમનો ત્રીજો કાર્યક્રમ છે અને તેમણે દિવસની શરૂઆતમાં ગુજરાતનાં પશુપાલક (પશુપાલકો) અને ડેરી ઉદ્યોગનાં હિતધારકોની સાથે હોવાનું યાદ કર્યું હતું. તેમણે મહેસાણાના વાલીનાથ મહાદેવ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠામાં ભાગ લેવાનો પણ ઉલ્લેખ કર્યો હતો. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, "હવે હું અહીં નવસારીમાં વિકાસનાં આ મહોત્સવમાં સહભાગી થઈ રહ્યો છું." આ પ્રસંગે ઉપસ્થિત લોકોને તેમનાં મોબાઇલ ફોનમાં ફ્લેશલાઇટ ચાલુ કરવા અને વિકાસનાં આ મહાન પર્વનો હિસ્સો બનવા અપીલ કરી હતી. પ્રધાનમંત્રીએ ટેક્સટાઇલ, ઇલેક્ટ્રિસિટી અને શહેરી વિકાસનાં ક્ષેત્રોમાં વડોદરા, નવસારી, ભરૂચ અને સુરત માટે રૂ. 40,000 કરોડથી વધારેનાં મૂલ્યનાં આજનાં વિકાસલક્ષી પ્રોજેક્ટ માટે નાગરિકોને અભિનંદન આપ્યાં હતાં.

 

|

મોદી કી ગેરંટીને લઈને ચાલી રહેલી ચર્ચાનો ઉલ્લેખ કરતા પ્રધાનમંત્રીએ પોતાના દ્વારા આપવામાં આવેલી ગેરન્ટીની પૂર્ણતાની નિશ્ચિતતા પર ભાર મૂક્યો હતો, જે હકીકત ગુજરાતની જનતાને લાંબા સમયથી ખબર છે. તેમણે 'ફાઇવ એફ'ને યાદ કર્યું, જેના વિશે તેઓ તેમના મુખ્યમંત્રીના કાર્યકાળ દરમિયાન વાત કરતા હતા - ફાર્મ, ફાર્મ ટુ ફાઇબર, ફાઇબર ટુ ફેક્ટરી, ફેક્ટરી ટુ ફેશન, ફેશન ટુ ફોરેન. તેમણે જણાવ્યું હતું કે, તેનું લક્ષ્ય ટેક્સટાઇલ્સની સંપૂર્ણ સપ્લાય અને વેલ્યુ ચેઇન રાખવાનું છે. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, "અત્યારે સિલ્ક સિટી સુરતનું નવસારી સુધી વિસ્તરણ થઈ રહ્યું છે." આ ક્ષેત્રમાં સૌથી વધુ ઉત્પાદન અને નિકાસકારો સાથે સ્પર્ધા કરવાની ભારતની ક્ષમતા પર પ્રકાશ પાડ્યો હતો. ગુજરાતનાં ટેક્સટાઇલ ઉદ્યોગની ભૂમિકા પર પ્રકાશ પાડતાં પ્રધાનમંત્રીએ સુરતમાં ઉત્પાદિત ટેક્સટાઇલ્સની વિશિષ્ટ ઓળખ પર ભાર મૂક્યો હતો. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી મિત્ર પાર્કનું નિર્માણ કાર્ય પૂર્ણ થવાથી સંપૂર્ણ વિસ્તારનો ચહેરો બદલાઈ જશે, જ્યાં ફક્ત રૂ. 3,000 કરોડનું રોકાણ તેના નિર્માણમાં થશે. તેમણે કહ્યું હતું કે, પ્રધાનમંત્રી મિત્રા પાર્ક કટિંગ, વણાટ, જીનિંગ, ગારમેન્ટ્સ, ટેકનિકલ ટેક્સટાઇલ્સ અને ટેક્સટાઇલ મશીનરી જેવી પ્રવૃત્તિઓ માટે વેલ્યુ-ચેઇન ઇકોસિસ્ટમ ઊભી કરશે, ત્યારે રોજગારીને પણ પ્રોત્સાહન આપશે. પ્રધાનમંત્રીએ માહિતી આપી હતી કે, આ પાર્ક કામદારો માટે મકાનો, લોજિસ્ટિક્સ પાર્ક, વેરહાઉસિંગ, સ્વાસ્થ્ય સુવિધાઓ તથા તાલીમ અને કૌશલ્ય વિકાસ માટેની સુવિધાઓથી સજ્જ હશે.

રૂ. 800 કરોડથી વધારેનાં મૂલ્યનાં તાપી નદી બેરેજનાં શિલાન્યાસનાં સંદર્ભમાં પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, સુરતમાં પાણી પુરવઠા સાથે સંબંધિત સમસ્યાઓનું સંપૂર્ણપણે સમાધાન કરવામાં આવશે, ત્યારે પૂર જેવી સ્થિતિને અટકાવવામાં પણ મદદ મળશે.

રોજબરોજના જીવનમાં તેમજ ઔદ્યોગિક વિકાસમાં વીજળીનાં મહત્ત્વ પર ભાર મૂકીને પ્રધાનમંત્રીએ ગુજરાતમાં 20-25 વર્ષ અગાઉનાં એ સમયનું ધ્યાન દોર્યું હતું, જ્યારે વીજળીમાં અવારનવાર કાપ મૂકવામાં આવતો હતો. શ્રી મોદીએ જ્યારે તેઓ ગુજરાતનાં મુખ્યમંત્રી બન્યાં હતાં, ત્યારે તેમની સામે રહેલાં પડકારો પર પણ પ્રકાશ પાડ્યો હતો તથા કોલસા અને ગેસની આયાતને મુખ્ય અવરોધો ગણાવ્યાં હતાં. તેમણે જળવિદ્યુત પેદા કરવાની લઘુતમ સંભાવનાઓનો પણ ઉલ્લેખ કર્યો હતો. પ્રધાનમંત્રીએ રાજ્યને વીજળી ઉત્પાદનની કટોકટીમાંથી બહાર કાઢવાના સરકારના પ્રયાસોની ઊંડી સમજ આપતાં "મોદી હૈ તો મુમકીન હૈ"નું ઉદ્ગાર કાઢ્યું હતું, જેમાં તેમણે અદ્યતન ટેકનોલોજીને પ્રોત્સાહન આપવા અને સૌર અને પવન ઊર્જાના ઉત્પાદન તરફ આગળ વધવાનો ઉલ્લેખ કર્યો હતો, જે આજે ગુજરાતમાં મોટા પાયે વીજળી ઉત્પન્ન થાય છે.

 

|

વીજળીનાં પરમાણુ ઉત્પાદનનું વિસ્તૃત વિવરણ કરતાં પ્રધાનમંત્રીએ કાકરાપાર પરમાણુ ઊર્જા સ્ટેશન (કેએપીએસ) એકમ 3 અને એકમ 4 પર બે નવા સ્વદેશી દબાણયુક્ત હેવી વોટર રિએક્ટર્સ (પીએચડબલ્યુઆર) વિશે વાત કરી હતી, જેનું આજે દેશને લોકાર્પણ કરવામાં આવ્યું હતું. તેમણે કહ્યું હતું કે, આ રિએક્ટર આત્મનિર્ભર ભારતનાં ઉદાહરણો છે અને ગુજરાતનાં વિકાસમાં મદદરૂપ થશે.

પ્રધાનમંત્રીએ વિકસતા આધુનિક માળખાગત સુવિધાઓ સાથે દક્ષિણ ગુજરાતના અભૂતપૂર્વ વિકાસ પર પ્રકાશ પાડ્યો હતો. તેમણે ઉપસ્થિત જનમેદનીને પ્રધાનમંત્રી સૂર્યાઘર યોજના વિશે જણાવ્યું હતું, જે ન માત્ર કુટુંબોનાં ઊર્જા બિલોમાં ઘટાડો કરશે, પણ આવક પેદા કરવાનું માધ્યમ પણ બનશે. પ્રધાનમંત્રીએ માહિતી આપી હતી કે, દેશની પ્રથમ બુલેટ ટ્રેન આ વિસ્તારમાંથી પસાર થશે, કારણ કે આ વિસ્તાર દેશનાં મોટાં ઔદ્યોગિક કેન્દ્રો-મુંબઈ અને સુરતને જોડશે.

"નવસારીને હવે તેના ઔદ્યોગિક વિકાસ માટે માન્યતા મળી રહી છે." પીએમ મોદીએ જણાવ્યું હતું કે, નવસારી સહિત સમગ્ર પશ્ચિમ ગુજરાત તેની કૃષિ પ્રગતિ માટે જાણીતું છે. આ વિસ્તારમાં ખેડૂતોને લાભ પ્રદાન કરવા માટે સરકારનાં પ્રયાસો વિશે બોલતાં શ્રી મોદીએ ફળોની ખેતીનાં ઉદય પર પ્રકાશ પાડ્યો હતો તથા નવસારીનાં કેરી અને ચીકુ (સાપોડિલ્લા)ની જગવિખ્યાત હાપુસ અને વલસરી જાતોનો ઉલ્લેખ કર્યો હતો. પ્રધાનમંત્રીએ માહિતી આપી હતી કે, ખેડૂતોને પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ હેઠળ રૂ. 350 કરોડથી વધારેની નાણાકીય સહાય મળી છે.

પ્રધાનમંત્રીએ યુવાનો, ગરીબો, ખેડૂતો અને મહિલાઓને સશક્ત બનાવવાની ખાતરીનો પુનરોચ્ચાર કર્યો હતો. તેમણે કહ્યું કે બાંયધરી ફક્ત યોજનાઓ બનાવવાથી આગળ વધે છે પરંતુ સંપૂર્ણ કવરેજની ખાતરી કરવા સુધી વિસ્તૃત છે.

આદિવાસી અને દરિયાકિનારાનાં ગામડાંઓની અગાઉની ઉપેક્ષાનો ઉલ્લેખ કરીને પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, વર્તમાન સરકારે ઉમરગામથી અંબાજી સુધીનાં વિસ્તારમાં તમામ મૂળભૂત સુવિધાઓ સુનિશ્ચિત કરી છે. રાષ્ટ્રીય સ્તરે પણ, 100 થી વધુ મહત્વાકાંક્ષી જિલ્લાઓ, જે વિકાસના માપદંડોમાં પાછળ રહી ગયા હતા, તેઓ દેશના બાકીના ભાગો સાથે આગળ વધી રહ્યા છે.

 

|

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, "મોદીની ગેરંટીની શરૂઆત થાય છે, જ્યાંથી અન્ય લોકો પાસેથી આશાનું અસ્તિત્વ બંધ થઈ જાય છે." તેમણે ગરીબો માટે પાકા મકાનો માટે મોદીની ગેરંટી, મફત રાશન યોજના, વીજળી, નળવાળું પાણી અને ગરીબો, ખેડૂતો, દુકાનદારો અને મજૂરો માટે વીમા યોજનાઓની ખાતરીઓ આપી હતી. શ્રી મોદીએ ઉમેર્યું હતું કે, "આજે આ વાસ્તવિકતા છે, કારણ કે આ મોદીની ગેરન્ટી છે."

આદિવાસી વિસ્તારોમાં સિકલ સેલ એનિમિયાના મહત્વના મુદ્દાને સંબોધતા પ્રધાનમંત્રી મોદીએ આ રોગને નાબૂદ કરવા માટે રાષ્ટ્રીય સ્તરે સંયુક્ત પ્રયાસોની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. તેમના મુખ્યમંત્રીના દિવસો દરમિયાન સિકલ સેલ એનિમિયાને પહોંચી વળવા માટે રાજ્યના સક્રિય પગલાંની નોંધ લેતા, પ્રધાનમંત્રીએ આ રોગનો અસરકારક રીતે સામનો કરવા માટે વ્યાપક રાષ્ટ્રીય પ્રયાસોની પણ યાદી આપી હતી. પ્રધાનમંત્રી મોદીએ કહ્યું હતું કે, "અમે હવે સિકલ સેલ એનિમિયાથી મુક્તિ આપવા માટે રાષ્ટ્રીય મિશન શરૂ કર્યું છે," પ્રધાનમંત્રી મોદીએ દેશભરના આદિવાસી વિસ્તારોમાંથી રોગને નાબૂદ કરવાના હેતુથી સરકારની વ્યાપક પહેલની રૂપરેખા આપી હતી. પ્રધાનમંત્રી મોદીએ જણાવ્યું હતું કે, "આ મિશન હેઠળ, દેશવ્યાપી આદિવાસી વિસ્તારોમાં સિકલ સેલ એનિમિયા માટે સ્ક્રીનિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે." તેમણે આદિજાતિ વિસ્તારોમાં આગામી મેડિકલ કોલેજોનો પણ ઉલ્લેખ કર્યો હતો.

પ્રધાનમંત્રી મોદીએ સર્વસમાવેશક વિકાસ માટે સરકારની કટિબદ્ધતાની પુનઃપુષ્ટિ કરતાં કહ્યું હતું કે, "ગરીબ હોય કે મધ્યમ વર્ગ, ગ્રામીણ હોય કે શહેરી, અમારી સરકારનો પ્રયાસ દરેક નાગરિક માટે જીવનધોરણ સુધારવાનો છે." અગાઉના સમયમાં આર્થિક સ્થિરતાને યાદ કરીને પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, "આર્થિક સ્થિરતાનો અર્થ એ થયો કે દેશ પાસે મર્યાદિત નાણાકીય સંસાધનો છે." આ સમયગાળા દરમિયાન ગ્રામીણ અને શહેરી વિકાસ પર વિપરીત અસર પર ભાર મૂકતા પ્રધાનમંત્રી મોદીએ સમજાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે, ભારતીય અર્થતંત્ર વર્ષ 2014માં 11મા ક્રમથી આગળ વધીને પાંચમું સૌથી મોટું અર્થતંત્ર બની ગયું છે, એનો અર્થ એ થયો કે, અત્યારે ભારતનાં નાગરિકો પાસે ખર્ચ કરવા માટે વધારે નાણાં છે અને એટલે ભારત તેનો ખર્ચ કરી રહ્યું છે. એટલા માટે આજે દેશના નાના શહેરોમાં પણ ઉત્તમ કનેક્ટિવિટી ઈન્ફ્રાસ્ટ્રક્ચરનું નિર્માણ થઈ રહ્યું છે. તેમણે નાનાં શહેરી કેન્દ્રો અને 4 કરોડ પાકા મકાનોમાંથી હવાઈ સફરની સુલભતાનો ઉલ્લેખ કર્યો હતો.

ડિજિટલ ઇન્ડિયા પહેલની સફળતા અને અવકાશ પર પ્રકાશ ફેંકતા પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, "અત્યારે દુનિયા ડિજિટલ ઇન્ડિયાને ઓળખે છે." તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, રમતગમતનાં ક્ષેત્રમાં નવા સ્ટાર્ટ-અપ્સ અને યુવાનોનાં ઉદય સાથે ડિજિટલ ઇન્ડિયાએ નાનાં શહેરોની કાયાપલટ કરી છે. તેમણે આવા નાનાં શહેરોમાં નવ-મધ્યમ વર્ગના ઉદભવ પર ભાર મૂક્યો હતો, જે ભારતને વિશ્વની ત્રીજી સૌથી મોટી આર્થિક શક્તિ બનવા તરફ દોરી જશે.

પ્રધાનમંત્રીએ વિકાસ અને વારસાને પ્રાથમિકતા આપવા પર સરકારનાં ભાર પર ભાર મૂક્યો હતો અને નોંધ્યું હતું કે, આ ક્ષેત્ર ભારતનાં વિશ્વાસ અને ઇતિહાસનું મહત્ત્વપૂર્ણ કેન્દ્ર રહ્યું છે, પછી ભલે તે સ્વતંત્રતાની ચળવળ હોય કે રાષ્ટ્રનિર્માણ. તેમણે સગાવાદ, તુષ્ટિકરણ અને ભ્રષ્ટાચારના રાજકારણને કારણે આ પ્રદેશના વારસા પ્રત્યેની ઉપેક્ષા અંગે પણ દુ:ખ વ્યક્ત કર્યું હતું. ઊલટાનું પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, ભારતની સમૃદ્ધ વિરાસતનો પડઘો આજે સમગ્ર વિશ્વમાં સંભળાય છે. તેમણે દાંડી મીઠા સત્યાગ્રહના સ્થળે દાંડી સ્મારકના વિકાસ અને સરદાર પટેલના યોગદાનને સમર્પિત સ્ટેચ્યુ ઓફ યુનિટીના નિર્માણનો ઉલ્લેખ કર્યો હતો.

 

|

સંબોધનના સમાપનમાં પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, આગામી 25 વર્ષ માટે દેશનાં વિકાસનો રોડમેપ તૈયાર થઈ ગયો છે. પીએમ મોદીએ અંતમાં જણાવ્યું હતું કે, "આ 25 વર્ષોમાં અમે એક વિકસિત ગુજરાત અને એક વિકસિત ભારત બનાવીશું."

આ પ્રસંગે ગુજરાત સરકારના કેટલાક સાંસદો, ધારાસભ્યો અને મંત્રીઓ સહિત ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ અને સાંસદ શ્રી સી આર પાટીલ ઉપસ્થિત રહ્યા હતા.

પાર્શ્વ ભાગ

પ્રધાનમંત્રીએ વડોદરા મુંબઈ એક્સપ્રેસ-વેનાં વિવિધ પેકેજીસ સહિત કેટલીક વિકાસલક્ષી પરિયોજનાઓ રાષ્ટ્રને સમર્પિત કરી હતી. ભરૂચ, નવસારી અને વલસાડમાં બહુવિધ માર્ગ પરિયોજનાઓ; તાપીમાં ગ્રામીણ પીવાના પાણી પુરવઠા યોજના; ભરૂચમાં ભૂગર્ભ ગટર યોજના, વગેરે. પ્રધાનમંત્રીએ નવસારીમાં પીએમ મેગા ઇન્ટિગ્રેટેડ ટેક્સટાઇલ રિજન એન્ડ એપરલ (પીએમ મિત્રા) પાર્કનાં નિર્માણ માટે કામ શરૂ કરવાની શરૂઆત પણ કરી હતી.

આ કાર્યક્રમ દરમિયાન પ્રધાનમંત્રીએ ભરૂચ-દહેજ એક્સેસ કંટ્રોલેડ એક્સપ્રેસવેના નિર્માણ સહિતની મહત્વપૂર્ણ પરિયોજનાઓનો શિલાન્યાસ પણ કર્યો હતો. એસ.એસ.જી. હોસ્પિટલ, વડોદરા ખાતે બહુવિધ પ્રોજેક્ટ્સ; વડોદરામાં પ્રાદેશિક વિજ્ઞાન કેન્દ્ર; સુરત, વડોદરા અને પંચમહાલમાં રેલવે ગેજ કન્વર્ઝન માટેના પ્રોજેક્ટ્સ; ભરૂચ, નવસારી અને સુરતમાં બહુવિધ માર્ગ પરિયોજનાઓ; વલસાડમાં પાણી પુરવઠાની અનેક યોજનાઓ, શાળા અને છાત્રાલયનું નિર્માણ તથા નર્મદા જિલ્લામાં અન્ય યોજનાઓનો સમાવેશ થાય છે.

પ્રધાનમંત્રીએ સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન, સુરત અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી અને ડ્રીમ સિટીનાં કેટલાંક વિકાસલક્ષી પ્રોજેક્ટનું લોકાર્પણ કર્યું હતું અને શિલાન્યાસ કર્યો હતો.

પ્રધાનમંત્રીએ કાકરાપાર અણુ વિદ્યુત મથક (કેએપીએસ) યુનિટ 3 અને યુનિટ 4 ખાતે બે નવા પ્રેશરાઇઝ્ડ હેવી વોટર રિએક્ટર્સ (પીએચડબલ્યુઆર) દેશને સમર્પિત કર્યા હતા. ન્યુક્લિયર પાવર કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ (એનપીસીઆઇએલ) દ્વારા રૂ. 22,500 કરોડથી વધારેનાં ખર્ચે નિર્મિત કેએપીએસ-3 અને કેએપીએસ-4 પ્રોજેક્ટ્સની સંચિત ક્ષમતા 1400 (700*2) મેગાવોટ છે અને તે સૌથી મોટી સ્વદેશી પીએચડબલ્યુઆર છે. તે આ પ્રકારના પ્રથમ રિએક્ટર્સ છે અને અદ્યતન સલામતી સુવિધાઓ સાથે વિશ્વના શ્રેષ્ઠ સાથે સરખાવી શકાય છે. આ બંને રિએક્ટર મળીને દર વર્ષે લગભગ 10.4 અબજ યુનિટ સ્વચ્છ વીજળીનું ઉત્પાદન કરશે અને ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, ગોવા અને કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા અને નગર હવેલી તથા દમણ અને દીવ જેવા અનેક રાજ્યોના ગ્રાહકોને લાભ આપશે.

 

Click here to read full text speech

Explore More
78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ
How MUDRA & PM Modi’s Guarantee Turned Jobseekers Into Job Creators

Media Coverage

How MUDRA & PM Modi’s Guarantee Turned Jobseekers Into Job Creators
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
PM hails the inauguration of Amravati airport
April 16, 2025

The Prime Minister Shri Narendra Modi today hailed the inauguration of Amravati airport as great news for Maharashtra, especially Vidarbha region, remarking that an active airport in Amravati will boost commerce and connectivity.

Responding to a post by Union Civil Aviation Minister, Shri Ram Mohan Naidu Kinjarapu on X, Shri Modi said:

“Great news for Maharashtra, especially Vidarbha region. An active airport in Amravati will boost commerce and connectivity.”