પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ગુજરાતનાં કેવડિયામાં રૂ. 160 કરોડનાં મૂલ્યનાં વિવિધ વિકાસકાર્યોનું ઉદઘાટન અને શિલાન્યાસ કર્યો હતો.
![](https://cdn.narendramodi.in/cmsuploads/0.86492900_1698761207_1-1.jpg)
જે પરિયોજનાઓનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું તેમાં એકતા નગરથી અમદાવાદ સુધીની હેરિટેજ ટ્રેનનો સમાવેશ થાય છે. જીવંત નર્મદા આરતી માટેનો પ્રોજેક્ટ; કમલમ પાર્ક; સ્ટેચ્યુ ઓફ યુનિટીની અંદર એક વોક-વે; 30 નવી ઇ-બસ, 210 ઇ-સાઇકલ અને મલ્ટીપલ ગોલ્ફ કાર્ટ; એકતા નગર ખાતે સિટી ગેસ ડિસ્ટ્રીબ્યુશન નેટવર્ક અને ગુજરાત સ્ટેટ કોઓપરેટિવ બેંકના 'સહકાર ભવન'. વધુમાં પ્રધાનમંત્રીએ કેવડીયા ખાતે ટ્રોમા સેન્ટર અને સોલાર પેનલ સાથેની સબ ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલનું ખાતમુહૂર્ત કર્યું હતું.
![](https://cdn.narendramodi.in/cmsuploads/0.59638800_1698761226_1-2.jpg)
દિવસની શરૂઆતમાં પ્રધાનમંત્રીએ રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીમાં ભાગ લીધો હતો.