Quote"ડૉ. મનમોહન સિંહ આપણા દેશની લોકશાહીની દરેક ચર્ચામાં સામેલ થશે"
Quote"આ ગૃહ છ વર્ષની વૈવિધ્યસભર યુનિવર્સિટી છે, જે અનુભવોથી આકાર પામે છે"

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે રાજ્યસભાના નિવૃત્ત થઇ રહેલા સભ્યોને વિદાય આપી હતી.

રાજ્યસભામાં આ પ્રસંગે પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, લોકસભા દર પાંચ વર્ષ પછી બદલાય છે, ત્યારે રાજ્યસભાને દર બે વર્ષે નવી જીવનશક્તિ મળે છે. એ જ રીતે પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, દ્વિવાર્ષિક વિદાય નવા સભ્યો માટે અમિટ યાદો અને અમૂલ્ય વારસો પણ છોડી જાય છે.

ડૉ. મનમોહન સિંહનાં પ્રદાનને યાદ કરીને પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, "તેમનાં લાંબા કાર્યકાળને કારણે તેમણે ગૃહ અને રાષ્ટ્રને માર્ગદર્શન આપ્યું હતું, જેનાં પરિણામે તેઓ આપણાં દેશનાં લોકશાહીની દરેક ચર્ચામાં સામેલ થશે." પ્રધાનમંત્રીએ સૂચન કર્યું હતું કે, તમામ સાંસદો આ પ્રકારનાં વિશિષ્ટ સભ્યોનાં આચરણમાંથી શીખવાનો પ્રયાસ કરે, કારણ કે તેઓ માર્ગદર્શક છે. પ્રધાનમંત્રીએ ભૂતપૂર્વ પ્રધાનમંત્રીને ગૃહમાં મતદાન કરવા વ્હીલ ચેર પર આવીને કોઈ સભ્યની તેમની ફરજો પ્રત્યે સમર્પણનું પ્રેરક ઉદાહરણ હોવાનું યાદ કર્યું હતું. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, "હું માનું છું કે તેઓ લોકશાહીને તાકાત પ્રદાન કરવા આવ્યા છે." પીએમ મોદીએ તેમના લાંબા અને સ્વસ્થ જીવન માટે શુભકામનાઓ પાઠવી હતી.

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, જે સભ્યો વધારે જાહેર મંચ માટે રવાના થશે, તેમને રાજ્યસભામાં અનુભવનો મોટો લાભ મળશે. "આ છ વર્ષની વૈવિધ્યસભર યુનિવર્સિટી છે, જે અનુભવોથી આકાર પામે છે. અહીંથી જે કોઈ પણ વ્યક્તિ બહાર જાય છે તે સમૃદ્ધ બને છે અને રાષ્ટ્રનિર્માણના કાર્યને મજબૂત બનાવે છે."

વર્તમાન ક્ષણના મહત્વને ચિહ્નિત કરતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, જે સભ્યો આજે વિદાય લઈ રહ્યા છે, તેમને જૂની અને નવી ઇમારત એમ બંનેમાં રહેવાની તક મળી છે તથા તેઓ અમૃત કાળ અને બંધારણનાં 75 વર્ષનાં સાક્ષી બની રહ્યાં છે.

કોવિડ રોગચાળાને યાદ કરીને જ્યારે અનિશ્ચિતતાઓ મોટી થઈ હતી, ત્યારે પ્રધાનમંત્રીએ ગૃહની કામગીરીમાં કોઈ પણ અવરોધ ન આવવા દેવા માટે સભ્યોની પ્રતિબદ્ધતાની પ્રશંસા કરી હતી. તેમણે સાંસદો દ્વારા તેમની જવાબદારીઓ અદા કરવા માટે ઉઠાવવામાં આવેલા મોટા જોખમોની નોંધ લીધી હતી. પીએમ મોદીએ તે સભ્યો માટે પણ ઊંડો શોક વ્યક્ત કર્યો હતો જેમણે કોરોનાવાયરસથી પોતાનો જીવ ગુમાવ્યો હતો અને કહ્યું હતું કે ગૃહે તેને કૃતઘ્નાથી સ્વીકાર્યું હતું અને આગળ વધવાનું ચાલુ રાખ્યું હતું.

પ્રધાનમંત્રીએ વિપક્ષો દ્વારા પહેરવામાં આવતા કાળા વસ્ત્રોની એક ઘટનાને યાદ કરીને નોંધ્યું હતું કે, દેશ સમૃદ્ધિની નવી ઊંચાઈઓ સર કરી રહ્યો છે અને આ ઘટનાને દેશની પ્રગતિની સફર માટે 'કાલા ટીકા' દ્વારા ખરાબ નજરથી બચવાના પ્રયાસ તરીકે જોઈ શકાય છે.

પ્રાચીન ગ્રંથોને ટાંકીને પ્રધાનમંત્રીએ સમજાવ્યું હતું કે, જે લોકો સારી સંગત જાળવે છે, તેઓ સમાન ગુણો કેળવે છે અને જેઓ ખરાબ સંગાથથી ઘેરાયેલાં છે, તેઓ ખામીયુક્ત બની જાય છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, નદી વહે ત્યારે જ નદીનું પાણી પીવાલાયક રહે છે, અને દરિયાને મળતા જ તે ખારું થઈ જાય છે. આ જ વિશ્વાસ સાથે પ્રધાનમંત્રીએ પોતાનું સંબોધન પૂરું કર્યું હતું અને કહ્યું હતું કે, નિવૃત્ત થઈ રહેલા સભ્યોનો અનુભવ દરેકને સતત પ્રેરિત કરતો રહેશે. તેમણે અભિનંદન પાઠવ્યા હતા અને શુભકામનાઓ પાઠવી હતી.

 

સંપૂર્ણ ટેક્સ્ટ સ્પીચ વાંચવા માટે અહીં ક્લિક કરો

  • Pawan Jain April 13, 2024

    भाजपा
  • Pradhuman Singh Tomar April 12, 2024

    BJP
  • Pradhuman Singh Tomar April 12, 2024

    BJP
  • Pradhuman Singh Tomar April 12, 2024

    BJP
  • Pradhuman Singh Tomar April 12, 2024

    bjp
  • Pradhuman Singh Tomar April 12, 2024

    BJP
  • ROYALINSTAGREEN April 05, 2024

    i request you can all bjp supporter following my Instagram I'd _Royalinstagreen 🙏🙏
  • Vivek Kumar Gupta March 28, 2024

    नमो .....................🙏🙏🙏🙏🙏
  • Vivek Kumar Gupta March 28, 2024

    नमो ...................... 🙏🙏🙏🙏🙏
  • Harish Awasthi March 17, 2024

    मोदी है तो मुमकिन है
Explore More
78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ
How India is upgrading its ‘first responder’ status with ‘Operation Brahma’ after Myanmar quake

Media Coverage

How India is upgrading its ‘first responder’ status with ‘Operation Brahma’ after Myanmar quake
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
PM pays tributes to His Holiness Dr. Sree Sree Sree Sivakumara Swamigalu on his Jayanti
April 01, 2025

The Prime Minister Shri Narendra Modi paid tributes to His Holiness Dr. Sree Sree Sree Sivakumara Swamigalu on the special occasion of his Jayanti today. Hailing his extraordinary efforts, Shri Modi lauded him as a beacon of compassion and tireless service, who showed how selfless action can transform society.

In separate posts on X, he wrote:

“Heartfelt tributes to His Holiness Dr. Sree Sree Sree Sivakumara Swamigalu on the special occasion of his Jayanti. He is remembered as a beacon of compassion and tireless service. He showed how selfless action can transform society. His extraordinary efforts across various fields continue to inspire generations.”

“ಪರಮಪೂಜ್ಯ ಡಾ. ಶ್ರೀ ಶ್ರೀ ಶ್ರೀ ಶಿವಕುಮಾರ ಸ್ವಾಮೀಜಿ ಅವರ ಜಯಂತಿಯ ಈ ವಿಶೇಷ ಸಂದರ್ಭದಲ್ಲಿ ಅವರಿಗೆ ಹೃತ್ಪೂರ್ವಕ ನಮನಗಳು. ಕಾರುಣ್ಯ ಮತ್ತು ದಣಿವರಿಯದ ಸೇವೆಯ ದಾರಿದೀಪವೆಂದು ಅವರನ್ನು ಸ್ಮರಿಸಲಾಗುತ್ತದೆ. ನಿಸ್ವಾರ್ಥ ಸೇವೆಯು ಸಮಾಜವನ್ನು ಹೇಗೆ ಪರಿವರ್ತಿಸುತ್ತದೆ ಎಂಬುದನ್ನು ಅವರು ತೋರಿಸಿದ್ದಾರೆ. ನಾನಾ ಕ್ಷೇತ್ರಗಳಲ್ಲಿ ಅವರ ಅಸಾಧಾರಣ ಪ್ರಯತ್ನಗಳು ಪೀಳಿಗೆಗಳಿಗೆ ಸ್ಫೂರ್ತಿ ನೀಡುತ್ತಲೇ ಇವೆ.”