"સ્થાનિક કલ્યાણ માટે વૈશ્વિક સહકાર એ અમારી હાકલ છે"
"કાયદાની અમલબજવણી આપણી પાસે જે નથી તે પ્રાપ્ત કરવામાં, આપણી પાસે જે છે તેનું રક્ષણ કરવામાં, આપણે જે સુરક્ષિત રાખ્યું છે તેને વધારવામાં અને સૌથી વધુ લાયક લોકોને તેનું વિતરણ કરવામાં મદદ કરે છે"
"આપણાં પોલીસ દળો માત્ર લોકોનું જ રક્ષણ નથી કરતાં, પરંતુ આપણી લોકશાહીની પણ સેવા કરે છે"
"જ્યારે ધમકીઓ વૈશ્વિક હોય છે, ત્યારે પ્રતિસાદ ફક્ત સ્થાનિક ન હોઈ શકે! હવે સમય પાકી ગયો છે કે દુનિયા આ ધમકીઓને હરાવવા માટે એકસાથે આવે"
"સલામત આશ્રયસ્થાનોને દૂર કરવાં માટે વૈશ્વિક સમુદાયે વધુ ઝડપથી કામ કરવાની જરૂર છે"
સંચાર, સહકાર્ય અને સહકારને અપરાધ, ભ્રષ્ટાચાર અને આતંકવાદને હરાવવા દો"

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ નવી દિલ્હીમાં પ્રગતિ મેદાનમાં 90મી ઇન્ટરપોલ જનરલ એસેમ્બલીને સંબોધન કર્યું હતું.

સમારોહને સંબોધતા પ્રધાનમંત્રીએ નવી દિલ્હીમાં 90મી ઇન્ટરપોલ જનરલ એસેમ્બલીના પ્રસંગે તમામ મહાનુભવોનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, ભારત તેની આઝાદીનાં 75મા વર્ષની ઉજવણી કરી રહ્યું છે, જે લોકો અને સંસ્કૃતિઓની ઉજવણી છે. પ્રધાનમંત્રીએ એવી પણ માહિતી આપી હતી કે, ઇન્ટરપોલ વર્ષ 2023માં તેની સ્થાપનાનાં 100 વર્ષની ઉજવણી કરશે. તેમણે ટિપ્પણી કરી કે આ પશ્ચાદ દર્શનનો સમય છે તેમજ ભવિષ્ય નક્કી કરવાનો સમય છે. શ્રી મોદીએ વધુમાં ઉમેર્યું હતું કે, આનંદ અને ચિંતન કરવાનો, પીછેહઠમાંથી શીખવાનો અને ભવિષ્યને આશા સાથે જોવાનો આ શ્રેષ્ઠ સમય છે.

પ્રધાનમંત્રીએ ભારતીય સંસ્કૃતિ સાથે ઇન્ટરપોલની ફિલસૂફીનાં જોડાણ પર પ્રકાશ પાડ્યો હતો અને ઇન્ટરપોલનાં 'સલામત વિશ્વ સાથે પોલીસનું જોડાણ'નાં સૂત્ર અને વેદની એ ઉક્તિ વચ્ચે સમાનતા પર ભાર મૂક્યો હતો, જેમાં વેદોમાંથી ટાંકવામાં આવ્યું હતું કે, 'આ નો ભદ્રા: ક્રતવો યન્તુ વિશ્વતાહ' એટલે કે તમામ દિશાઓમાંથી ઉમદા વિચારો આવવા દો, જેને તેમણે વિસ્તૃતપણે સમજાવ્યું હતું કે, વિશ્વને વધુ સારું સ્થળ બનાવવા માટે સાર્વત્રિક સહકાર માટે આમાં આહવાન કરવામાં આવ્યું છે. ભારતના વિશિષ્ટ વૈશ્વિક દ્રષ્ટિકોણ પર ટિપ્પણી કરતા પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, સંયુક્ત રાષ્ટ્ર શાંતિરક્ષક અભિયાનોમાં વીર પુરુષો અને મહિલાઓને મોકલવામાં ભારત ટોચનાં યોગદાદાનકર્તાઓમાંનું એક છે. શ્રી મોદીએ કહ્યું હતું કે, "ભારતને આઝાદી મળી એ અગાઉ પણ આપણે દુનિયાને વધુ સારી જગ્યા બનાવવા માટે બલિદાન આપ્યું હતું." તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, વિશ્વ યુદ્ધોમાં હજારો ભારતીયોએ પોતાનાં જીવનનું બલિદાન આપ્યું છે. કોવિડ રસીઓ અને આબોહવા લક્ષ્યો વિશે વાત કરતા, પ્રધાનમંત્રીએ માહિતી આપી હતી કે ભારતે કોઈપણ પ્રકારનાં સંકટમાં આગેવાની લેવાની તૈયારી દર્શાવી છે. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, "અત્યારે જ્યારે દેશો અને સમાજો આંતરિક દૃષ્ટિ ધરાવતાં થઈ રહ્યાં છે, ત્યારે ભારત વધારે આંતરરાષ્ટ્રીય સહકાર માટે અપીલ કરે છે. સ્થાનિક કલ્યાણ માટે વૈશ્વિક સહકાર એ અમારી હાકલ છે,” એમ શ્રી મોદીએ ઉમેર્યું હતું.

પ્રધાનમંત્રીએ વધુમાં ઉમેર્યું હતું કે, દુનિયાભરમાં પોલીસ દળો માત્ર લોકોનું રક્ષણ જ નથી કરી રહ્યાં, પણ સામાજિક કલ્યાણને પણ આગળ વધારી રહ્યાં છે. શ્રી મોદીએ ઉમેર્યું હતું કે, "તેઓ કોઈ પણ કટોકટી સામે સમાજની પ્રતિક્રિયામાં મોખરે છે." પ્રધાનમંત્રીએ કોવિડ કટોકટીનું ઉદાહરણ આપ્યું હતું અને ધ્યાન દોર્યું હતું કે પોલીસ કર્મચારીઓ લોકોને મદદ કરવા માટે તેમનાં પોતાનાં જીવનને જોખમમાં મૂકે છે. તેમણે જણાવ્યું હતું કે, "તેમાંના ઘણાએ લોકોની સેવામાં અંતિમ બલિદાન પણ આપ્યું હતું."

પ્રધાનમંત્રીએ ભારતની ભૌગોલિક અને સાંસ્કૃતિક વિવિધતા પર ભાર મૂક્યો હતો તથા ભારતનાં કદ અને વિશાળતા વિશે વાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે "ભારતીય પોલીસ", "સંઘીય અને રાજ્ય સ્તરે, 900થી વધુ રાષ્ટ્રીય અને લગભગ દસ હજાર રાજ્ય કાયદાઓને અમલમાં મૂકવા માટે સહકાર આપે છે." "આપણાં પોલીસ દળો વિવિધતા અને બંધારણ દ્વારા વચન આપવામાં આવેલા અધિકારોનો આદર કરીને કામ કરે છે. તેઓ માત્ર લોકોનું જ રક્ષણ નથી કરતા પરંતુ આપણાં લોકતંત્રની પણ સેવા કરે છે." ઇન્ટરપોલની સફળતાઓ વિશે વાત કરતાં પ્રધાનમંત્રીએ નોંધ્યું હતું કે, ઇન્ટરપોલે છેલ્લાં 99 વર્ષથી 195 દેશોમાં વૈશ્વિક સ્તરે પોલીસ સંગઠનોને જોડ્યાં છે અને આ ગૌરવશાળી પ્રસંગની ઉજવણી કરવા માટે ભારત સરકાર સ્મારક સ્ટેમ્પ અને સિક્કો બહાર પાડી રહી છે.

પ્રધાનમંત્રીએ આતંકવાદ, ભ્રષ્ટાચાર, નશીલા દ્રવ્યોની દાણચોરી, શિકાર અને સંગઠિત અપરાધો જેવા વિશ્વનાં અનેક હાનિકારક જોખમોની યાદ અપાવી હતી. "આ જોખમોનાં પરિવર્તનની ગતિ અગાઉ કરતાં વધુ ઝડપી છે. જ્યારે ધમકીઓ વૈશ્વિક હોય, ત્યારે પ્રતિભાવ માત્ર સ્થાનિક ન હોઈ શકે! હવે સમય પાકી ગયો છે કે દુનિયા આ ધમકીઓને હરાવવા માટે એકજૂથ થાય," એમ તેમણે કહ્યું હતું.

બહુરાષ્ટ્રીય આતંકવાદનાં અનિષ્ટો પર પ્રકાશ ફેંકતા પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, દુનિયાએ તેને સ્વીકાર્યું એ અગાઉ પણ ભારત ઘણાં દાયકાઓથી તેનો સામનો કરી રહ્યું છે. "અમે સુરક્ષા અને સલામતીની કિંમત જાણતા હતા. આપણા હજારો લોકોએ આ લડાઈમાં અંતિમ બલિદાન આપ્યું છે, " એમ શ્રી મોદીએ ઉમેર્યું. પ્રધાનમંત્રીએ વિસ્તૃત પણે જણાવ્યું હતું કે, આતંકવાદ હવે માત્ર ભૌતિક અવકાશમાં જ લડાઈ લડતો નથી, પણ ઓનલાઇન કટ્ટરવાદ અને સાયબર જોખમો મારફતે ઝડપથી ફેલાઈ રહ્યો છે. પ્રધાનમંત્રીએ સમજાવ્યું હતું કે, ફક્ત એક બટન દબાવીને જ હુમલો કરી શકાય છે અથવા તો સિસ્ટમને ઘૂંટણિયે પાડી શકાય છે. આંતરરાષ્ટ્રીય વ્યૂહરચનાઓને વધારે વિકસાવવાની જરૂરિયાત પર ભાર મૂકીને પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, "દરેક રાષ્ટ્ર તેમની સામે વ્યૂહરચનાઓ પર કામ કરે છે. પરંતુ આપણે આપણી સરહદોની અંદર જે કરીએ છીએ તે હવે પૂરતું રહ્યું નથી." વધુમાં તેમણે વહેલાસર શોધ અને ચેતવણી પ્રણાલીની સ્થાપના, પરિવહન સેવાઓનું રક્ષણ, સંચાર માળખાગત સુવિધા માટે સુરક્ષા, મહત્વપૂર્ણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે સુરક્ષા, ટેકનિકલ અને ટેકનોલોજિકલ સહાય, ગુપ્તચર વિનિમય અને અન્ય વિવિધ બાબતોને નવાં સ્તરે લઈ જવાનું સૂચન કર્યું હતું.

પ્રધાનમંત્રીએ ભ્રષ્ટાચારનાં જોખમો વિશે વિસ્તૃત વર્ણન કર્યું હતું. તેમણે કહ્યું કે ભ્રષ્ટાચાર અને નાણાકીય ગુનાઓએ ઘણા દેશોના નાગરિકોનાં કલ્યાણને નુકસાન પહોંચાડ્યું છે. "ભ્રષ્ટ", તેમણે આગળ કહ્યું, "ગુનાની આવકને વિશ્વના જુદા જુદા ભાગોમાં પાર્ક કરવાનો માર્ગ શોધી કાઢે છે. આ નાણાં એ દેશના નાગરિકોના છે, જ્યાંથી તેમને લેવામાં આવ્યાં છે." ઘણીવાર, આ વિશ્વના કેટલાક સૌથી ગરીબ લોકો પાસેથી લેવામાં આવે છે. તદુપરાંત, નાણાં ઘણા હાનિકારક ઉપયોગમાં મૂકવામાં આવે છે.

પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, વૈશ્વિક સમુદાયે સલામત આશ્રયસ્થાનોને નાબૂદ કરવાં વધારે ઝડપથી કામ કરવાની જરૂર છે. "ભ્રષ્ટ, આતંકવાદીઓ, ડ્રગ કાર્ટેલ્સ, શિકાર કરતી ટોળકીઓ અથવા સંગઠિત ગુનાઓ માટે કોઈ સલામત આશ્રયસ્થાનો હોઈ શકે નહીં. તેમણે ઉમેર્યું હતું કે, એક સ્થળે લોકો સામે આ પ્રકારના અપરાધો એ દરેક વ્યક્તિ સામેના અપરાધો છે, માનવતા વિરુદ્ધના અપરાધો છે." પ્રધાનમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, "પોલીસ અને કાયદાનું અમલીકરણ કરતી સંસ્થાઓએ સહકાર વધારવા માટે પ્રક્રિયાઓ અને પ્રોટોકોલ્સ ઘડવાની જરૂર છે. ઇન્ટરપોલ ભાગેડુ અપરાધીઓ માટે રેડ કોર્નર નોટિસને ઝડપી બનાવીને મદદ કરી શકે છે. પ્રધાનમંત્રીએ નોંધ્યું હતું કે, "સુરક્ષિત અને સલામત વિશ્વ આપણી સહિયારી જવાબદારી છે. જ્યારે સારાનાં પરિબળો સહકાર આપે છે, ત્યારે ગુનાનાં પરિબળો કામ કરી શકતાં નથી."

પ્રધાનમંત્રીએ તમામ મહાનુભવોને નવી દિલ્હીમાં રાષ્ટ્રીય પોલીસ સ્મારક અને રાષ્ટ્રીય યુદ્ધ સ્મારકની મુલાકાત લેવા વિચારણા કરવા તથા ભારતને સુરક્ષિત રાખવા માટે પોતાનાં જીવનનું બલિદાન આપનારા નાયકોને શ્રદ્ધાંજલિ આપવા અપીલ કરી હતી. પ્રધાનમંત્રીએ એવી પણ આશા વ્યક્ત કરી હતી કે, 90મી ઇન્ટરપોલ જનરલ એસેમ્બલી અપરાધ, ભ્રષ્ટાચાર અને આતંકવાદનો સામનો કરવા માટે એક અસરકારક અને સફળ મંચ સાબિત થશે. પ્રધાનમંત્રીએ અંતમાં જણાવ્યું હતું કે, "સંચાર, સહકાર્ય અને સહકારને અપરાધ, ભ્રષ્ટાચાર અને આતંકવાદને હરાવવા દો."

કાર્યક્રમનાં સ્થળે પહોંચ્યા બાદ ઇન્ટરપોલના પ્રમુખે પ્રધાનમંત્રીને એક્ઝિક્યુટીવ કમિટિ સાથે પરિચય કરાવ્યો હતો. ત્યારબાદ પ્રધાનમંત્રીએ ગ્રૂપ ફોટોગ્રાફ માટે પોઝ આપ્યો હતો અને ઇન્ટરપોલ સેન્ટીનરી સ્ટેન્ડ જોયું હતું. આ પછી, પ્રધાનમંત્રીએ રિબન કાપીને નેશનલ પોલીસ હેરિટેજ ડિસ્પ્લેનું ઉદ્ઘાટન કર્યું હતું, અને તે સ્થળે ચાલીને જઈ નિહાળ્યું હતું.

મંચ પર પહોંચતાં જ પ્રધાનમંત્રીએ આઇટીબીપીની ટુકડીની માર્ચ પાસ્ટ- એન્ટ્રન્સ ઑફ ધ કલર્સ નિહાળી હતી. આ પછી ભારતનું રાષ્ટ્રગીત અને ઇન્ટરપોલ એન્થમ ગાવામાં આવ્યું હતું. પ્રધાનમંત્રીને ઇન્ટરપોલના પ્રમુખે બૉન્સાઇ પ્લાન્ટ ભેટ આપ્યો હતો. ત્યારબાદ પ્રધાનમંત્રીએ 90મી ઇન્ટરપોલ જનરલ એસેમ્બલીની ઉજવણી કરવા માટે એક સ્મારક પોસ્ટલ સ્ટેમ્પ અને રૂ. 100નો સિક્કો બહાર પાડ્યો હતો.

આ પ્રસંગે કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિત શાહ, ઇન્ટરપોલના પ્રમુખ શ્રી અહમદ નાસીર અલ રઇસ, ઇન્ટરપોલના મહાસચિવ શ્રી જુર્જન સ્ટોક અને સીબીઆઇના ડાયરેક્ટર શ્રી સુબોધકુમાર જયસ્વાલ ઉપસ્થિત રહ્યા હતા.

પશ્ચાદભૂમિકા

ઇન્ટરપોલની 90મી જનરલ એસેમ્બલી 18થી 21 ઑક્ટોબર દરમિયાન યોજાઇ રહી છે. આ બેઠકમાં ઇન્ટરપોલના 195 સભ્ય દેશોનાં પ્રતિનિધિમંડળો ભાગ લઈ રહ્યાં છે, જેમાં મંત્રીઓ, દેશોના પોલીસ વડાઓ, રાષ્ટ્રીય કેન્દ્રીય બ્યુરોના વડાઓ અને વરિષ્ઠ પોલીસ અધિકારીઓનો સમાવેશ થાય છે. જનરલ એસેમ્બલી ઇન્ટરપોલની સર્વોચ્ચ સંચાલક મંડળ છે અને તેની કામગીરીથી સંબંધિત મુખ્ય નિર્ણયો લેવા માટે વર્ષમાં એકવાર મળે છે.

ઇન્ટરપોલ જનરલ એસેમ્બલીની બેઠક ભારતમાં લગભગ 25 વર્ષ પછી થઈ રહી છે - તે છેલ્લે 1997માં યોજાઇ હતી. ભારતની આઝાદીનાં 75મા વર્ષની ઉજવણીના અનુસંધાને 2022માં નવી દિલ્હી ખાતે ઇન્ટરપોલની જનરલ એસેમ્બલીનું આયોજન કરવાના ભારતના પ્રસ્તાવને જનરલ એસેમ્બલીએ પ્રચંડ બહુમતી સાથે સ્વીકારી લીધો હતો. આ કાર્યક્રમ ભારતની કાયદો અને વ્યવસ્થાની સિસ્ટમની શ્રેષ્ઠ પદ્ધતિઓને સમગ્ર વિશ્વ સમક્ષ પ્રદર્શિત કરવાની તક પ્રદાન કરે છે.

 

 

 

 

 

 

 

 

સંપૂર્ણ ટેક્સ્ટ સ્પીચ વાંચવા માટે અહીં ક્લિક કરો

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
How NPS transformed in 2025: 80% withdrawals, 100% equity, and everything else that made it a future ready retirement planning tool

Media Coverage

How NPS transformed in 2025: 80% withdrawals, 100% equity, and everything else that made it a future ready retirement planning tool
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
West Bengal must be freed from TMC’s Maha Jungle Raj: PM Modi at Nadia virtual rally
December 20, 2025
Bengal and the Bengali language have made invaluable contributions to India’s history and culture, with Vande Mataram being one of the nation’s most powerful gifts: PM Modi
West Bengal needs a BJP government that works at double speed to restore the state’s pride: PM in Nadia
Whenever BJP raises concerns over infiltration, TMC leaders respond with abuse, which also explains their opposition to SIR in West Bengal: PM Modi
West Bengal must now free itself from what he described as Maha Jungle Raj: PM Modi’s call for “Bachte Chai, BJP Tai”

आमार शोकोल बांगाली भायों ओ बोनेदेर के…
आमार आंतोरिक शुभेच्छा

साथियो,

सर्वप्रथम मैं आपसे क्षमाप्रार्थी हूं कि मौसम खराब होने की वजह से मैं वहां आपके बीच उपस्थित नहीं हो सका। कोहरे की वजह से वहां हेलीकॉप्टर उतरने की स्थिति नहीं थी इसलिए मैं आपको टेलीफोन के माध्यम से संबोधित कर रहा हूं। मुझे ये भी जानकारी मिली है कि रैली स्थल पर पहुंचते समय खराब मौसम की वजह से भाजपा परिवार के कुछ कार्यकर्ता, रेल हादसे का शिकार हो गए हैं। जिन बीजेपी कार्यकर्ताओं की दुखद मृत्यु हुई है, उनके परिवारों के प्रति मेरी संवेदनाएं हैं। जो लोग इस हादसे में घायल हुए हैं, मैं उनके जल्द स्वस्थ होने की कामना करता हूं। दुख की इस घड़ी में हम सभी पीड़ित परिवार के साथ हैं।

साथियों,

मैं पश्चिम बंगाल बीजेपी से आग्रह करूंगा कि पीड़ित परिवारों की हर तरह से मदद की जाए। दुख की इस घड़ी में हम सभी पीड़ित परिवारों के साथ हैं। साथियों, हमारी सरकार का निरंतर प्रयास है कि पश्चिम बंगाल के उन हिंस्सों को भी आधुनिक कनेक्टिविटी मिले जो लंबे समय तक वंचित रहे हैं। बराजगुड़ी से कृष्णानगर तक फोर लेन बनने से नॉर्थ चौबीस परगना, नदिया, कृष्णानगर और अन्य क्षेत्र के लोगों को बहुत लाभ होगा। इससे कोलकाता से सिलीगुडी की यात्रा का समय करीब दो घंटे तक कम हो गया है आज बारासात से बराजगुड़ी तक भी फोर लेन सड़क पर भी काम शुरू हुआ है इन दोनों ही प्रोजेक्ट से इस पूरे क्षेत्र में आर्थिक गतिविधियों और पर्यटन का विस्तार होगा।

साथियों,

नादिया वो भूमि है जहाँ प्रेम, करुणा और भक्ति का जीवंत स्वरूप...श्री चैतन्य महाप्रभु प्रकट हुए। नदिया के गाँव-गाँव में... गंगा के तट-तट पर...जब हरिनाम संकीर्तन की गूंज उठती थी तो वह केवल भक्ति नहीं होती थी...वह सामाजिक एकता का आह्वान होती थी। होरिनाम दिये जोगोत माताले...आमार एकला निताई!! यह भावना...आज भी यहां की मिट्टी में, यहां के हवा-पानी में... और यहाँ के जन-मन में जीवित है।

साथियों,

समाज कल्याण के इस भाव को...हमारे मतुआ समाज ने भी हमेशा आगे बढ़ाया है। श्री हरीचांद ठाकुर ने हमें 'कर्म' का मर्म सिखाया...श्री गुरुचांद ठाकुर ने 'कलम' थमाई...और बॉरो माँ ने अपना मातृत्व बरसाया...इन सभी महान संतानों को भी मैं नमन करता हूं।

साथियों,

बंगाल ने, बांग्ला भाषा ने...भारत के इतिहास, भारत की संस्कृति को निरंतर समृद्ध किया है। वंदे मातरम्...ऐसा ही एक श्रेष्ठ योगदान है। वंदे मातरम् का 150 वर्ष पूरे होने का उत्सव पूरा देश मना रहा है हाल में ही, भारत की संसद ने वंदे मातरम् का गौरवगान किया। पश्चिम बंगाल की ये धरती...वंदे मातरम् के अमरगान की भूमि है। इस धरती ने बंकिम बाबू जैसा महान ऋषि देश को दिया... ऋषि बंकिम बाबू ने गुलाम भारत में वंदे मातरम् के ज़रिए, नई चेतना पैदा की। साथियों, वंदे मातरम्…19वीं सदी में गुलामी से मुक्ति का मंत्र बना...21वीं सदी में वंदे मातरम् को हमें राष्ट्र निर्माण का मंत्र बनाना है। अब वंदे मातरम् को हमें विकसित भारत की प्रेरणा बनाना है...इस गीत से हमें विकसित पश्चिम बंगाल की चेतना जगानी है। साथियों, वंदे मातरम् की पावन भावना ही...पश्चिम बंगाल के लिए बीजेपी का रोडमैप है।

साथियों,

विकसित भारत के इस लक्ष्य की प्राप्ति में केंद्र सरकार हर देशवासी के साथ कंधे से कंधा मिलाकर चल रही है। भाजपा सरकार ऐसी नीतियां बना रही है, ऐसे निर्णय ले रही है जिससे हर देशवासी का सामर्थ्य बढ़े आप सब भाई-बहनों का सामर्थ्य बढ़े। मैं आपको एक उदाहरण देता हूं। कुछ समय पहले...हमने GST बचत उत्सव मनाया। देशवासियों को कम से कम कीमत में ज़रूरी सामान मिले...भाजपा सरकार ने ये सुनिश्चित किया। इससे दुर्गापूजा के दौरान... अन्य त्योहारों के दौरान…पश्चिम बंगाल के लोगों ने खूब खरीदारी की।

साथियों,

हमारी सरकार यहां आधुनिक इंफ्रास्ट्रक्चर पर भी काफी निवेश कर रही है। और जैसा मैंने पहले बताया पश्चिम बंगाल को दो बड़े हाईवे प्रोजेक्ट्स मिले हैं। जिससे इस क्षेत्र की कोलकाता और सिलीगुड़ी से कनेक्टिविटी और बेहतर होने वाली है। साथियों, आज देश...तेज़ विकास चाहता है...आपने देखा है... पिछले महीने ही...बिहार ने विकास के लिए फिर से एनडीए सरकार को प्रचंड जनादेश दिया है। बिहार में भाजपा-NDA की प्रचंड विजय के बाद... मैंने एक बात कही थी...मैंने कहा था... गंगा जी बिहार से बहते हुए ही बंगाल तक पहुंचती है। तो बिहार ने बंगाल में भाजपा की विजय का रास्ता भी बना दिया है। बिहार ने जंगलराज को एक सुर से एक स्वर से नकार दिया है... 20 साल बाद भी भाजपा-NDA को पहले से भी अधिक सीटें दी हैं... अब पश्चिम बंगाल में जो महा-जंगलराज चल रहा है...उससे हमें मुक्ति पानी है। और इसलिए... पश्चिम बंगाल कह रहा है... पश्चिम बंगाल का बच्चा-बच्चा कह रहा है, पश्चिम बंगाल का हर गांव, हर शहर, हर गली, हर मोहल्ला कह रहा है... बाचते चाई….बीजेपी ताई! बाचते चाई बीजेपी ताई

साथियो,

मोदी आपके लिए बहुत कुछ करना चाहता है...पश्चिम बंगाल के विकास के लिए न पैसे की कमी है, न इरादों की और न ही योजनाओं की...लेकिन यहां ऐसी सरकार है जो सिर्फ कट और कमीशन में लगी रहती है। आज भी पश्चिम बंगाल में विकास से जुड़े...हज़ारों करोड़ रुपए के प्रोजेक्ट्स अटके हुए हैं। मैं आज बंगाल की महान जनता जनार्दन के सामने अपनी पीड़ा रखना चाहता हूं, और मैं हृदय की गहराई से कहना चाहता हूं। आप सबकों ध्यान में रखते हुए कहना चाहता हूं और मैं साफ-साफ कहना चाहता हूं। टीएमसी को मोदी का विरोध करना है करे सौ बार करे हजार बार करे। टीएमसी को बीजेपी का विरोध करना है जमकर करे बार-बार करे पूरी ताकत से करे लेकिन बंगाल के मेरे भाइयों बहनों मैं ये नहीं समझ पा रहा हूं कि पश्चिम बंगाल के विकास को क्यों रोका जा रहा है? और इसलिए मैं बार-बार कहता हूं कि मोदी का विरोध भले करे लेकिन बंगाल की जनता को दुखी ना करे, उनको उनके अधिकारों से वंचित ना करे उनके सपनों को चूर-चूर करने का पाप ना करे। और इसलिए मैं पश्चिम बंगाल की प्रभुत्व जनता से हाथ जोड़कर आग्रह कर रहा हूं, आप बीजेपी को मौका देकर देखिए, एक बार यहां बीजेपी की डबल इंजन सरकार बनाकर देखिए। देखिए, हम कितनी तेजी से बंगाल का विकास करते हैं।

साथियों,

बीजेपी के ईमानदार प्रयास के बीच आपको टीएमसी की साजिशों से भी उसके कारनामों से भी सावधान रहना होगा टीएमसी घुसपैठियों को बचाने के लिए पूरा जोर लगा रही है बीजेपी जब घुसपैठियों का सवाल उठाती है तो टीएमसी के नेता हमें गालियां देते हैं। मैंने अभी सोशल मीडिया में देखा कुछ जगह पर कुछ लोगों ने बोर्ड लगाया है गो-बैक मोदी अच्छा होता बंगाल की हर गली में हर खंबे पर ये लिखा जाता कि गो-बैक घुसपैठिए... गो-बैक घुसपैठिए, लेकिन दुर्भाग्य देखिए गो-बैक मोदी के लिए बंगाल की जनता के विरोधी नारे लगा रहे हैं लेकिन गो-बैक घुसपैठियों के लिए वे चुप हो जाते हैं। जिन घुसपैठियों ने बंगाल पर कब्जा करने की ठान रखी है...वो TMC को सबसे ज्यादा प्यारे लगते हैं। यही TMC का असली चेहरा है। TMC घुसपैठियों को बचाने के लिए ही… बंगाल में SIR का भी विरोध कर रही है।

साथियों,

हमारे बगल में त्रिपुरा को देखिए कम्युनिस्टों ने लाल झंडे वालों ने लेफ्टिस्टों ने तीस साल तक त्रिपुरा को बर्बाद कर दिया था, त्रिपुरा की जनता ने हमें मौका दिया हमने त्रिपुरा की जनता के सपनों के अनुरूप त्रिपुरा को आगे बढ़ाने का प्रयास किया बंगाल में भी लाल झंडेवालों से मुक्ति मिली। आशा थी कि लेफ्टवालों के जाने के बाद कुछ अच्छा होगा लेकिन दुर्भाग्य से टीएमसी ने लेफ्ट वालों की जितनी बुराइयां थीं उन सारी बुराइयों को और उन सारे लोगों को भी अपने में समा लिया और इसलिए अनेक गुणा बुराइयां बढ़ गई और इसी का परिणाम है कि त्रिपुरा तेज गते से बढ़ रहा है और बंगाल टीएमसी के कारण तेज गति से तबाह हो रहा है।

साथियो,

बंगाल को बीजेपी की एक ऐसी सरकार चाहिए जो डबल इंजन की गति से बंगाल के गौरव को फिर से लौटाने के लिए काम करे। मैं आपसे बीजेपी के विजन के बारे में विस्तार से बात करूंगा जब मैं वहां खुद आऊंगा, जब आपका दर्शन करूंगा, आपके उत्साह और उमंग को नमन करूंगा। लेकिन आज मौसम ने कुछ कठिनाइंया पैदा की है। और मैं उन नेताओं में से नहीं हूं कि मौसम की मूसीबत को भी मैं राजनीति के रंग से रंग दूं। पहले बहुत बार हुआ है।

मैं जानता हूं कि कभी-कभी मौसम परेशान करता है लेकिन मैं जल्द ही आपके बीच आऊंगा, बार-बार आऊंगा, आपके उत्साह और उमंग को नमन करूंगा। मैं आपके लिए आपके सपनों को पूरा करने के लिए, बंगाल के उज्ज्वल भविष्य के लिए पूरी शक्ति के साथ कंधे से कंधा मिलाकर के आपके साथ काम करूंगा। आप सभी को मेरा बहुत-बहुत धन्यवाद।

मेरे साथ पूरी ताकत से बोलिए...

वंदे मातरम्..

वंदे मातरम्..

वंदे मातरम्

बहुत-बहुत धन्यवाद