Quoteહિન્દુસ્તાન ટાઇમ્સના 100 વર્ષની ઉજવણીના ભાગરુપે એક સ્મારક ટપાલ ટિકિટ બહાર પાડી
Quoteજે શક્તિએ ભારતના ભાગ્યને આકાર આપ્યો છે, ભારતને દિશા ચીંધી છે, તે ભારતના સામાન્ય માણસની બુદ્ધિ અને ક્ષમતા છે: પ્રધાનમંત્રી
Quoteલોકોની પ્રગતિ, લોકો દ્વારા પ્રગતિ, લોકો માટે પ્રગતિ એ નવા અને વિકસિત ભારતનો અમારો મંત્ર છે: પ્રધાનમંત્રી
Quoteઆજે ભારત અભૂતપૂર્વ આકાંક્ષાઓથી ભરેલું છે અને અમે આ આકાંક્ષાઓને આપણી નીતિઓનો આધાર બનાવી દીધો છે: પ્રધાનમંત્રી
Quoteઅમારી સરકારે નાગરિકોને રોકાણ દ્વારા રોજગાર અને વિકાસના માધ્યમથી સન્માનનો અનોખો સમન્વય પૂરો પાડ્યો છે: પ્રધાનમંત્રી
Quoteઅમારી સરકારનો અભિગમ છે લોકો માટે વધુ ખર્ચ કરવો, લોકો માટે વધુ બચત કરવાનો છે: પ્રધાનમંત્રી
Quoteઆ સદી ભારતની સદી હશે. પ્રધાનમંત્રી

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીમાં હિન્દુસ્તાન ટાઇમ્સ લીડરશીપ સમિટ 2024ને સંબોધન કર્યું હતું. અહીં ઉપસ્થિત જનમેદનીને સંબોધતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, હિન્દુસ્તાન ટાઇમ્સનું ઉદઘાટન 100 વર્ષ અગાઉ મહાત્મા ગાંધીએ કર્યું હતું તથા હિન્દુસ્તાન ટાઇમ્સ (એચટી)ને 100 વર્ષની ઐતિહાસિક સફર અને ઉદઘાટન થયું ત્યારથી અત્યાર સુધી તેની સાથે સંકળાયેલા તમામ લોકોને અભિનંદન પાઠવ્યાં હતાં. તેમણે તેમને તેમના ભવિષ્યના પ્રયાસો માટે શુભેચ્છા પાઠવી હતી. સ્થળ પર એચટીના પ્રદર્શનની મુલાકાત લીધા પછી શ્રી મોદીએ કહ્યું હતું કે, આ એક અનુભવ વધારે છે અને તેમણે તમામ પ્રતિનિધિઓને તેની મુલાકાત લેવા અપીલ કરી હતી. તેમણે ઉમેર્યું કે જ્યારે ભારતને સ્વતંત્રતા મળી અને બંધારણ લાગુ કરવામાં આવ્યું ત્યારે તેમણે તે દિવસોના જૂના અખબારો જોયા. શ્રી મોદીએ સ્વીકાર્યું કે માર્ટિન લ્યુથર કિંગ, નેતાજી સુભાષચંદ્ર બોઝ, ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જી, અટલ બિહારી વાજપેયી, ડૉ. એમ. એસ. સ્વામિનાથન જેવા અનેક દિગ્ગજોએ એચટી માટે લેખો લખ્યા હતા. તેમણે વધુમાં કહ્યું હતું કે, આઝાદી પછીનાં ગાળામાં સ્વતંત્રતા સંગ્રામની સાથે-સાથે આશાઓ સાથે આગળ વધવાની લાંબી સફર અસાધારણ અને અદ્ભુત રહી છે. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ઓક્ટોબર, 1947માં કાશ્મીરને અન્ય નાગરિકોની જેમ ભારતમાં વિલીન કરવાનાં સમાચાર વાંચવા માટે પણ તેમને આ જ પ્રકારનો ઉત્સાહ થયો હતો. જો કે, તેમણે ઉમેર્યું હતું કે, તે ક્ષણે તેમને એ પણ સમજાયું કે કેવી રીતે અનિર્ણાયકતાએ કાશ્મીરને સાત દાયકા સુધી હિંસામાં જડતું રાખ્યું હતું. શ્રી મોદીએ કહ્યું હતું કે, પરંતુ અત્યારે જમ્મુ-કાશ્મીરમાં ચૂંટણીમાં વિક્રમજનક મતદાનનાં સમાચાર વર્તમાનપત્રોમાં પ્રસિદ્ધ થયાં છે એ આનંદની વાત છે. શ્રી મોદીએ નોંધ્યું હતું કે, તેમને અન્ય એક અખબારની છાપ વિશેષ લાગી હતી, જ્યાં એક તરફ આસામને અશાંત વિસ્તાર જાહેર કરવામાં આવ્યો હોવાના સમાચાર હતા, તો બીજી તરફ અટલજીએ ભારતીય જનતા પાર્ટીનો પાયો નાંખ્યો હોવાના સમાચાર હતા. તેમણે વધુમાં કહ્યું હતું કે, તે એક સુખદ સંયોગ છે કે આજે ભાજપ આસામમાં કાયમી શાંતિ લાવવામાં મોટી ભૂમિકા ભજવી રહી છે.

ગઈકાલે પ્રથમ બોડોલેન્ડ મહોત્સોવમાં તેમની ભાગીદારીને યાદ કરીને શ્રી મોદીએ જણાવ્યું કે, આ કાર્યક્રમનું નબળું મીડિયા કવરેજ જોઈને તેમને આશ્ચર્ય થયું હતું. તેમણે વધુમાં કહ્યું કે, જ્યારે યુવાનો અને લોકોએ 5 દાયકા પછી હિંસાનો ત્યાગ કર્યો હતો અને દિલ્હીમાં સાંસ્કૃતિક કાર્યક્રમની ઉજવણી કરી રહ્યાં હતાં, ત્યારે આ એક મોટી સિદ્ધિ હતી. તેમણે ઉમેર્યું હતું કે, વર્ષ 2020માં બોડો શાંતિ સમજૂતી પછી લોકોનાં જીવનમાં પરિવર્તન આવ્યું હતું. એચટી સમિટ પ્રદર્શનના ભાગરૂપે શ્રી મોદીએ મુંબઈમાં થયેલા 26/11ના આતંકવાદી હુમલાની તસવીરો નિહાળી હતી અને કહ્યું હતું કે, એક સમય એવો પણ હતો જ્યારે પડોશી દેશો દ્વારા પ્રાયોજિત આતંકને કારણે લોકો પોતાના ઘર અને શહેરોમાં અસલામતી અનુભવતા હતા. જો કે, તેમણે વધુમાં કહ્યું હતું કે, હવે સમય બદલાયો છે અને તેમના પોતાના મકાનોમાં રહેલા આતંકવાદીઓ સલામતી અનુભવતા નથી.

પ્રધાનમંત્રીએ નોંધ્યું હતું કે, હિન્દુસ્તાન ટાઇમ્સે પોતાનાં 100 વર્ષમાં 25 વર્ષની ગુલામી અને આઝાદીનાં 75 વર્ષ જોયાં છે અને સાથે-સાથે એવી વ્યવસ્થાઓ પણ જોઈ છે, જેણે ભારતનું ભાગ્ય બનાવ્યું છે, ભારતને દિશાની સાથે-સાથે ભારતના સામાન્ય માનવીની ક્ષમતા અને ડહાપણની સાથે દિશા પણ બતાવી છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, નિષ્ણાતો ઘણીવાર ભારતનાં સામાન્ય નાગરિકની આ ક્ષમતાને ઓળખવામાં ભૂલ કરે છે. ઇતિહાસને ટાંકીને શ્રી મોદીએ જણાવ્યું હતું કે, જ્યારે અંગ્રેજો ભારત છોડીને જતા હતા, ત્યારે એવું કહેવામાં આવતું હતું કે, દેશ વિખેરાઈ જશે અને તૂટી જશે અને જ્યારે કટોકટી લાદવામાં આવી હતી, ત્યારે કેટલાક લોકોએ માની લીધું હતું કે, હવે કટોકટી કાયમ રહેશે, જ્યારે કેટલાક લોકો અને સંસ્થાઓએ કટોકટી લાદનારાઓનો આશ્રય લીધો છે. શ્રી મોદીએ કહ્યું હતું કે, એ સમયે પણ ભારતનાં નાગરિકોએ ઊભા થઈને કટોકટીને જડમૂળથી ઉખેડી નાંખી હતી. સામાન્ય માનવીની તાકાતને વધુ સમજાવતા શ્રી મોદીએ કોવિડ રોગચાળા સામે મજબૂત લડાઈ લડવા માટે સામાન્ય નાગરિકોની ભાવનાને બિરદાવી હતી.

 

|

ભૂતકાળનો ઉલ્લેખ કરીને પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, 1990નાં દાયકામાં એક સમય હતો, જ્યારે ભારતે 10 વર્ષનાં ગાળામાં 5 ચૂંટણીઓ જોઈ હતી, જે દેશમાં અસ્થિરતાને દર્શાવે છે. તેમણે ઉમેર્યું હતું કે અખબારોમાં લખતા નિષ્ણાતોએ આગાહી કરી હતી કે વસ્તુઓ આ જ રીતે ચાલુ રહેશે, પરંતુ ભારતના નાગરિકોએ ફરી એકવાર તેને ખોટા સાબિત કર્યા છે. શ્રી મોદીએ જણાવ્યું હતું કે, અત્યારે સમગ્ર વિશ્વમાં અનિશ્ચિતતા અને અસ્થિરતાની ચર્ચા થઈ રહી છે, જેમાં દુનિયાનાં ઘણાં દેશોને નવી વ્યવસ્થાઓ સત્તામાં આવી રહી છે, ત્યારે ભારતમાં લોકોએ ત્રીજી વખત એક જ સરકારને ચૂંટી છે.

ભૂતકાળમાં નીતિઓ વિશે વાત કરતા શ્રી મોદીએ કહ્યું હતું કે, 'સારું અર્થશાસ્ત્ર ખરાબ રાજકારણ છે' એ વાક્યને નિષ્ણાતો દ્વારા પ્રોત્સાહન આપવામાં આવતું હતું અને સરકારો દ્વારા તેને ટેકો આપવામાં આવતો હતો. તેમણે કહ્યું હતું કે, અગાઉની સરકારો માટે આ સ્થિતિ ખરાબ શાસન અને બિનકાર્યક્ષમતાને ઢાંકવા માટેનું માધ્યમ બની ગઈ હતી. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, તેનાથી દેશમાં અસંતુલિત વિકાસ થયો છે, જેમણે સરકારમાં લોકોનો વિશ્વાસ રૂંધ્યો છે. પ્રધાનમંત્રીએ નોંધ્યું હતું કે, તેમની સરકારે જનતાની પ્રગતિ, લોકો દ્વારા પ્રગતિ અને લોકો માટે પ્રગતિનાં મંત્રને સુનિશ્ચિત કરીને લોકોનો વિશ્વાસ પાછો મેળવ્યો છે. તેમણે ઉમેર્યું હતું કે, સરકારનો ઉદ્દેશ નવા અને વિકસિત ભારતનું નિર્માણ કરવાનો છે અને ભારતની જનતાએ તેમને તેમના વિશ્વાસની મૂડી સોંપી છે. શ્રી મોદીએ નોંધ્યું હતું કે, સોશિયલ મીડિયાનાં યુગમાં ખોટી માહિતી હોવા છતાં ભારતનાં નાગરિકોને આપણાંમાં, અમારી સરકારમાં વિશ્વાસ છે.

 

|

શ્રી મોદીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, જ્યારે લોકોનો વિશ્વાસ વધે છે, ત્યારે તેમનો આત્મવિશ્વાસ વધે છે, જે દેશનાં વિકાસ પર અલગ અસર કરે છે. જોખમ ઉઠાવવાનાં મહત્ત્વ પર ભાર મૂકીને શ્રી મોદીએ નોંધ્યું હતું કે, આપણાં પૂર્વજોએ જોખમ ઉઠાવ્યું છે, જેમણે આપણને વિદેશમાં ભારતીય ચીજવસ્તુઓ અને સેવાઓને પ્રોત્સાહન આપવામાં મદદ કરી છે તથા ભારતને વાણિજ્ય અને સંસ્કૃતિનું હોટસ્પોટ બનાવવામાં મદદ કરી છે. જો કે, તેમણે ઉમેર્યું હતું કે, અગાઉની સરકારો દ્વારા સ્વતંત્રતા પછીના સમયગાળામાં જોખમ લેવાની આ સંસ્કૃતિ ખોવાઈ ગઈ હતી. શ્રી મોદીએ નોંધ્યું હતું કે, જ્યારથી તેમની સરકાર સત્તામાં આવી છે, ત્યારથી છેલ્લાં 10 વર્ષમાં ભારતમાં વિકાસ અને ફેરફારો જોવા મળ્યાં છે અને તેમણે ભારતનાં નાગરિકો વચ્ચે જોખમ લેતી સંસ્કૃતિને નવી ઊર્જા પ્રદાન કરી છે. તેમણે ઉમેર્યું હતું કે, આપણા યુવાનો વિવિધ ક્ષેત્રોમાં તકો શોધી રહ્યા છે અને જોખમો લઈ રહ્યા છે, જે ભારતમાં 1.25 લાખથી વધુ સ્ટાર્ટઅપ્સની નોંધણીમાં સ્પષ્ટ થાય છે. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, એક સમય હતો, જ્યારે રમતગમતને વ્યવસાય તરીકે અપનાવવાનું પણ જોખમ હતું. જોકે તેમણે ઉમેર્યું હતું કે, આજે આપણાં નાનાં શહેરોનાં યુવાનો પણ આ જોખમ ઉઠાવી રહ્યાં છે અને દુનિયામાં દેશનું નામ રોશન કરી રહ્યાં છે. સ્વસહાય જૂથો સાથે સંકળાયેલી મહિલાઓનું ઉદાહરણ ટાંકીને શ્રી મોદીએ જણાવ્યું હતું કે, આજે આશરે 1 કરોડ લખપતિ દીદીઓ દરેક ગામમાં ઉદ્યોગસાહસિક બનીને પોતાનો વ્યવસાય ચલાવે છે.

શ્રી મોદીએ વધુમાં જણાવ્યું હતું કે, "ભારતીય સમાજ, આજે અભૂતપૂર્વ આકાંક્ષાઓથી ભરેલો છે અને અમે આ આકાંક્ષાઓને અમારી નીતિઓનો આધાર બનાવ્યો છે. તેમણે કહ્યું કે, સરકારે વિકાસનાં માધ્યમથી રોકાણ અને ગૌરવ મારફતે રોજગારીનાં સમન્વય સાથે વિકાસનાં મોડલને પ્રોત્સાહન આપ્યું છે. પ્રધાનમંત્રીએ ઉમેર્યું હતું કે, જ્યાં રોકાણ હોય છે, ત્યાં રોકાણ મારફતે રોજગારીનું સર્જન થાય છે, જે વિકાસ તરફ દોરી જાય છે અને વિકાસથી ભારતનાં નાગરિકોની ગરિમા વધે છે. તેમણે દેશમાં શૌચાલયોના નિર્માણનું ઉદાહરણ આપ્યું, જે સુવિધાની સાથે સુરક્ષા અને સન્માનનું સાધન છે. શ્રી મોદીએ જણાવ્યું હતું કે, તેનાથી વિકાસને પણ વેગ મળ્યો છે, જેનાં પરિણામે જમીની સ્તરે જ રોકાણ, પ્રતિષ્ઠા મારફતે રોજગારીનાં મંત્રની સફળતાને પ્રદર્શિત કરવામાં આવી છે. તેમણે એલપીજી ગેસ સિલિન્ડરનું ઉદાહરણ પણ આપ્યું હતું, જેને ભૂતકાળમાં સ્ટેટસ સિમ્બોલ માનવામાં આવતું હતું. શ્રી મોદીએ નોંધ્યું હતું કે, જ્યારે અગાઉની સરકારો લોકોને સિલિન્ડરોની સંખ્યા પર ચર્ચા કરતી હતી, ત્યારે તેમની સરકારે દરેક ઘરમાં ગેસનું જોડાણ પ્રદાન કરવાની પ્રાથમિકતા આપી હતી. તેમણે ઉમેર્યું હતું કે, દેશમાં 30 કરોડથી વધારે ગેસ જોડાણો હતાં, જે વર્ષ 2014માં 14 કરોડ હતાં. શ્રી મોદીએ વધુમાં જણાવ્યું હતું કે, ગેસ સિલિન્ડરોની માગ પૂર્ણ થાય એ સુનિશ્ચિત કરવા માળખાગત સુવિધાઓને ટેકો મળી રહ્યો છે. તેમણે જણાવ્યું હતું કે, આનાથી વિવિધ સ્થળોએ બોટલિંગ પ્લાન્ટ સ્થાપવાથી માંડીને વિતરણ કેન્દ્રો બનાવવાથી માંડીને સિલિન્ડરની ડિલિવરી સુધી રોજગારીનું સર્જન પણ થયું છે. શ્રી મોદીએ મોબાઇલ ફોન, રૂપે કાર્ડ, યુપીઆઇ વગેરે જેવા અન્ય ઉદાહરણોની યાદી પણ આપી હતી, જે રોજગારીમાં રોકાણ, વિકાસથી ગૌરવ મોડલ પર આધારિત છે.

 

|

પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, અત્યારે ભારત જે પ્રગતિનાં માર્ગે અગ્રેસર છે, તેને સમજવા માટે સરકારનાં અન્ય એક અભિગમને સમજવો જરૂરી છે. તેમણે ઉમેર્યું કે અભિગમ એ છે કે "લોકો માટે મોટો ખર્ચ કરો અને લોકો માટે મોટી બચત કરો". આ અંગે સ્પષ્ટતા કરતાં શ્રી મોદીએ જણાવ્યું હતું કે, ભારતનું કેન્દ્રીય બજેટ અત્યારે રૂ. 48 લાખ કરોડ છે, જે વર્ષ 2014માં રૂ. 16 લાખ કરોડ હતું. તેમણે ઉમેર્યું હતું કે, આજનો મૂડી ખર્ચ રૂ. 11 લાખ કરોડથી વધારે છે, જે વર્ષ 2013-14માં રૂ. 2.25 લાખ કરોડ હતો. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, મૂડીગત ખર્ચ નવી હોસ્પિટલો, શાળાઓ, રસ્તાઓ, રેલવે, સંશોધન સુવિધાઓ અને આવા ઘણા જાહેર માળખાગત સુવિધાઓ પર ખર્ચ કરવામાં આવી રહ્યો છે. પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, જનતા પર ખર્ચ વધારવાની સાથે-સાથે સરકાર જનતાનાં નાણાંની પણ બચત કરી રહી છે. હકીકતો અને આંકડાઓ રજૂ કરતાં શ્રી મોદીએ જણાવ્યું હતું કે, ડીબીટી દ્વારા જે લીકેજ અટકાવવામાં આવ્યું છે, તેનાથી દેશને રૂ. 3.5 લાખ કરોડની બચત થઈ છે, ત્યારે આયુષ્માન ભારત યોજના હેઠળ નિઃશુલ્ક સારવારથી ગરીબો માટે રૂ. 1.10 લાખ કરોડની બચત થઈ છે. તેમણે ઉમેર્યું હતું કે, જન ઔષધિ કેન્દ્રો પર 80 ટકા ડિસ્કાઉન્ટ પર ઉપલબ્ધ દવાઓથી નાગરિકો માટે 30 હજાર કરોડ રૂપિયાની બચત થઈ છે, જ્યારે સ્ટેન્ટ અને ની ઇમ્પ્લાન્ટની કિંમતોને નિયંત્રિત કરવાથી લોકો માટે હજારો કરોડ રૂપિયાની બચત થઈ છે. તેમણે યાદી ચાલુ રાખતાં ઉમેર્યું હતું કે, ઉજાલા યોજનાથી લોકો માટે વીજળીનાં બિલમાં રૂ.20,000 કરોડની બચત થઈ છે, જ્યારે સ્વચ્છ ભારત મિશનને કારણે રોગોમાં ઘટાડો થયો છે અને તેનાથી ગામડાંનાં દરેક પરિવાર માટે આશરે રૂ.50,000ની બચત થઈ છે. યુનિસેફના અહેવાલને ટાંકીને શ્રી મોદીએ જણાવ્યું હતું કે, જે પરિવાર પાસે પોતાનું શૌચાલય છે, તેનાથી આશરે રૂ. 70,000ની બચત પણ થઈ રહી છે અને ડબ્લ્યુએચઓએ 12 કરોડ લોકો પર હાથ ધરેલા અભ્યાસમાં દર વર્ષે રૂ. 80,000થી વધારેની બચત થઈ છે.

 

|

10 વર્ષ અગાઉ ભારતમાં આવા મોટા ફેરફારો થવાની કોઈને અપેક્ષા નહોતી એ વાતનો ઉલ્લેખ કરીને શ્રી મોદીએ કહ્યું હતું કે, "ભારતની સફળતાએ અમને મોટાં સ્વપ્નો જોવા અને તેને પૂર્ણ કરવા માટે પ્રેરિત કર્યા છે." તેમણે ઉમેર્યું હતું કે, તેનાથી એવી આશા અને વિચારસરણી જાગી છે કે, આ સદી ભારતની સદી હશે. આ દિશામાં આગળ વધવા માટે અનેક પ્રયાસો હાથ ધરવા જરૂરી છે એ વાત પર ભાર મૂકીને શ્રી મોદીએ કહ્યું હતું કે, સરકાર દરેક ક્ષેત્રમાં શ્રેષ્ઠ કામગીરી કરવા ઝડપથી કામ કરી રહી છે. તેમણે નોંધ્યું હતું કે, આપણી પ્રક્રિયાઓને એવી રીતે બનાવવાનાં પ્રયાસોની જરૂર છે કે જેથી ભારતનાં માપદંડોને 'વિશ્વસ્તરીય' તરીકે ઓળખવામાં આવે, પછી તે ઉત્પાદનોનાં ઉત્પાદનમાં હોય કે પછી નિર્માણ, શિક્ષણ કે મનોરંજન હોય. શ્રી મોદીએ નોંધ્યું હતું કે, હિન્દુસ્તાન ટાઇમ્સે પણ લોકોનાં મનમાં આ અભિગમનું પુનરાવર્તન કરવામાં બહુ મોટી ભૂમિકા ભજવી છે અને તેમનો 100 વર્ષનો અનુભવ વિકસિત ભારતની દિશામાંની સફરમાં અતિ ઉપયોગી સાબિત થશે.

 

|

સંબોધનના સમાપનમાં શ્રી મોદીએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, ભારત વિકાસની આ ગતિને જાળવી રાખશે અને ટૂંક સમયમાં જ વિશ્વનું ત્રીજું સૌથી મોટું અર્થતંત્ર બનશે. તેમણે ઉમેર્યું કે હિન્દુસ્તાન ટાઇમ્સ પણ ઝડપથી બદલાતા ભારતની નવી સદીનું સાક્ષી બનશે.

 

Click here to read full text speech

  • Vivek Kumar Gupta January 06, 2025

    नमो ..🙏🙏🙏🙏🙏
  • Vivek Kumar Gupta January 06, 2025

    नमो ..............................🙏🙏🙏🙏🙏
  • கார்த்திக் December 08, 2024

    🌺ஜெய் ஸ்ரீ ராம்🌺जय श्री राम🌺જય શ્રી રામ🌹 🌺ಜೈ ಶ್ರೀ ರಾಮ್🌺ଜୟ ଶ୍ରୀ ରାମ🌺Jai Shri Ram 🌹🌹 🌺জয় শ্ৰী ৰাম🌺ജയ് ശ്രീറാം 🌺 జై శ్రీ రామ్ 🌹🌸
  • JYOTI KUMAR SINGH December 08, 2024

    ❤🔥❤
  • Preetam Gupta Raja December 07, 2024

    जय श्री राम
  • Chandrabhushan Mishra Sonbhadra December 05, 2024

    🕉️🕉️
  • Chandrabhushan Mishra Sonbhadra December 05, 2024

    🕉️
  • கார்த்திக் December 04, 2024

    🌺ஜெய் ஸ்ரீ ராம்🌺जय श्री राम🌺જય શ્રી રામ🌺 🌺ಜೈ ಶ್ರೀ ರಾಮ್🌺ଜୟ ଶ୍ରୀ ରାମ🌺Jai Shri Ram 🌺🌺 🌺জয় শ্ৰী ৰাম🌺ജയ് ശ്രീറാം 🌺 జై శ్రీ రామ్ 🌺🌹
  • DEBASHIS ROY December 04, 2024

    🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳
  • DEBASHIS ROY December 04, 2024

    joy hind joy bharat
Explore More
78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ
ASER 2024 | Silent revolution: Drop in unschooled mothers from 47% to 29% in 8 yrs

Media Coverage

ASER 2024 | Silent revolution: Drop in unschooled mothers from 47% to 29% in 8 yrs
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 13 ફેબ્રુઆરી 2025
February 13, 2025

Citizens Appreciate India’s Growing Global Influence under the Leadership of PM Modi