Today, with the grace of Sri Sri Harichand Thakur ji, I have got the privilege to pray at Orakandi Thakurbari: PM Modi
Both India and Bangladesh want to see the world progressing through their own progress: PM Modi in Orakandi
Our government is making efforts to make Orakandi pilgrimage easier for people in India: PM Modi

c

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ તેમની બાંગ્લાદેશની મુલાકાતના બીજા દિવસે ઓરાકાંડીમાં સ્થિત હરિ મંદિરમાં આશીર્વાદ મેળવ્યાં હતાં અને ઠાકુર પરિવારના વારસદારો સાથે વાત કરી હતી.

પ્રધાનમંત્રીએ ઓરાકાંડીમાં મતુઆ સમુદાયના પ્રતિનિધિઓ સાથે પણ વાત કરી હતી, જ્યાંથી શ્રી શ્રી હરિ ચંદ ઠાકુરજીએ સામાજિક સુધારાનો તેમનો પવિત્ર સંદેશ આપ્યો હતો. પ્રધાનમંત્રીએ ભાર મૂક્યો હતો કે, ભારત અને બાંગ્લાદેશ તેમના વિકાસ અને તેમની પ્રગતિ દ્વારા આખી દુનિયાના વિકાસને જોવા ઇચ્છે છે. બંને દેશો દુનિયામાં અસ્થિરતા, આતંક અને અરાજકતાના સ્થાને સ્થિરતા, પ્રેમ અને શાંતિ ઇચ્છે છે. આ જ મૂલ્યો આપણને શ્રી શ્રી હરિ ચંદ ઠાકુરજીએ આપ્યાં હતાં.

 

 

પ્રધાનમંત્રીએ એ વાત પર પણ ભાર મૂક્યો હતો કે, ભારત ‘સબ કા સાથ, સબ કા વિકાસ અને સબ કા વિશ્વાસ’ના મંત્ર સાથે આગેકૂચ કરી રહ્યો છે અને બાંગ્લાદેશ ‘શોહોજાત્રી’ના મંત્ર સાથે અગ્રેસર છે. સાથે સાથે બાંગ્લાદેશ દુનિયા સામે વિકાસ અને પરિવર્તનનું મજબૂત ઉદાહરણ પ્રસ્તુત કરી રહ્યો છે અને આ પ્રયાસોમાં ભારત બાંગ્લાદેશનો ‘શોહોજાત્રી’ (સાથીદાર કે સહયાત્રી) છે.

પ્રધાનમંત્રીએ કેટલીક જાહેરાતો કરી હતી, જેમાં ઓરોકાંડીમાં કન્યાઓ માટે હાલની માધ્યમિક શાળાને અપગ્રેડ કરવાની તથા પ્રાથમિક શાળા સ્થાપિત કરવાની જાહેરાતો સામેલ છે. પ્રધાનમંત્રીએ એ ઉલ્લેખ પણ કર્યો હતો કે, ભારતમાંથી મોટી સંખ્યામાં લોકો દર વર્ષે ઓરાકાંડીમાં શ્રી શ્રી હરિ ચંદ ઠાકુરની જન્મજયંતિના પ્રસંગે ‘બરુની સ્નાન’માં સામેલ થવા માટે પ્રવાસ કરે છે તથા તેમના પ્રવાસને વધારે સરળ બનાવવા માટે વધુ પ્રયાસો થઈ રહ્યાં છે.

સંપૂર્ણ ટેક્સ્ટ સ્પીચ વાંચવા માટે અહીં ક્લિક કરો 

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
Oman, India’s Gulf 'n' West Asia Gateway

Media Coverage

Oman, India’s Gulf 'n' West Asia Gateway
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Prime Minister condoles passing of renowned writer Vinod Kumar Shukla ji
December 23, 2025

The Prime Minister, Shri Narendra Modi has condoled passing of renowned writer and Jnanpith Awardee Vinod Kumar Shukla ji. Shri Modi stated that he will always be remembered for his invaluable contribution to the world of Hindi literature.

The Prime Minister posted on X:

"ज्ञानपीठ पुरस्कार से सम्मानित प्रख्यात लेखक विनोद कुमार शुक्ल जी के निधन से अत्यंत दुख हुआ है। हिन्दी साहित्य जगत में अपने अमूल्य योगदान के लिए वे हमेशा स्मरणीय रहेंगे। शोक की इस घड़ी में मेरी संवेदनाएं उनके परिजनों और प्रशंसकों के साथ हैं। ओम शांति।"