Quoteએઆઈ આ સદીમાં માનવતા માટે આચારસંહિતા લખી રહી છે: પ્રધાનમંત્રી
Quoteઆપણા સહિયારા મૂલ્યોને જાળવી રાખે, જોખમોને દૂર કરે અને વિશ્વાસનું નિર્માણ કરે તેવા શાસન અને ધોરણો સ્થાપિત કરવા માટે સામૂહિક વૈશ્વિક પ્રયત્નોની જરૂર છે: પ્રધાનમંત્રી
Quoteએઆઈ આરોગ્ય, શિક્ષણ, કૃષિ અને ઘણું બધું સુધારીને લાખો જીવનમાં પરિવર્તન લાવવામાં મદદ કરી શકે છે: પ્રધાનમંત્રી
Quoteઆપણે એઆઈ-સંચાલિત ભવિષ્ય માટે આપણા લોકોને કૌશલ્ય અને પુનઃકુશળતા આપવા માટે રોકાણ કરવાની જરૂર છે: પ્રધાનમંત્રી
Quoteઅમે જાહેર હિત માટે એઆઈ એપ્લિકેશન્સ વિકસાવી રહ્યા છીએઃ પ્રધાનમંત્રી
Quoteભારત એઆઈ ભવિષ્ય સારા અને તમામ માટે છે એ સુનિશ્ચિત કરવા માટે તેના અનુભવો અને કુશળતા વહેંચવા તૈયાર છેઃ પ્રધાનમંત્રી

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે પેરિસમાં ફ્રાંસના રાષ્ટ્રપતિ મહામહિમ શ્રી ઇમેન્યુઅલ મેક્રોન સાથે એઆઈ એક્શન સમિટની સહ-અધ્યક્ષતા કરી હતી. 6-7 ફેબ્રુઆરીના રોજ સાયન્સ ડેઝ સાથે શરૂ થયેલી આ એક સપ્તાહ લાંબી સમિટ, ત્યારબાદ 8-9 ફેબ્રુઆરીએ કલ્ચરલ વીકએન્ડનું આયોજન કરવામાં આવ્યું હતું. જેનું સમાપન એક ઉચ્ચ-સ્તરીય સેગમેન્ટમાં થયું હતું, જેમાં વૈશ્વિક નેતાઓ, નીતિ ઘડવૈયાઓ અને ઉદ્યોગના નિષ્ણાતો ઉપસ્થિત રહ્યા હતા.

 

|

હાઈ-લેવલ સેગમેન્ટની શરૂઆત રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન દ્વારા 10 ફેબ્રુઆરીના રોજ એલિસી પેલેસ ખાતે આયોજિત ડિનરથી થઈ હતી, જેમાં રાજ્ય અને સરકારના વડાઓ, આંતરરાષ્ટ્રીય સંસ્થાઓના નેતાઓ, મુખ્ય એઆઇ કંપનીઓના સીઇઓ અને અન્ય પ્રતિષ્ઠિત સહભાગીઓને એકઠા કરવામાં આવ્યા હતા.

 

|

આજે પૂર્ણ અધિવેશનમાં રાષ્ટ્રપતિ મેક્રોને પ્રધાનમંત્રીને સમિટના સહ-અધ્યક્ષ તરીકે પ્રારંભિક સંબોધન કરવા આમંત્રણ આપ્યું હતું. પોતાનાં સંબોધનમાં પ્રધાનમંત્રીએ નોંધ્યું હતું કે, દુનિયા એઆઇ યુગની શરૂઆતમાં હતી, જ્યાં આ ટેકનોલોજી ઝડપથી માનવતા માટે આચારસંહિતા લખી રહી હતી તથા આપણા રાજકારણ, અર્થતંત્ર, સુરક્ષા અને સમાજને પુનઃ આકાર આપી રહી હતી. અસરની દ્રષ્ટિએ એઆઈ માનવ ઇતિહાસમાં અન્ય તકનીકી સીમાચિહ્નોથી ખૂબ જ અલગ છે તે વાત પર ભાર મૂકીને, તેમણે શાસન અને ધોરણો સ્થાપિત કરવા માટે સામૂહિક વૈશ્વિક પ્રયત્નો માટે હાકલ કરી હતી. જે સમાન મૂલ્યોને જાળવી રાખે છે, જોખમોને સંબોધિત કરે છે અને વિશ્વાસનું નિર્માણ કરે છે. તેમણે વધુમાં ઉમેર્યું કે શાસન એ માત્ર જોખમોનું સંચાલન કરવા વિશે જ નહીં, પણ નવીનતાને પ્રોત્સાહન આપવા અને વૈશ્વિક સારા માટે તેને જમાવવા વિશે પણ છે. આ સંબંધમાં તેમણે તમામ માટે, ખાસ કરીને ગ્લોબલ સાઉથ માટે એઆઇની પહોંચ સુનિશ્ચિત કરવા માટે હિમાયત કરી હતી. તેમણે ટેકનોલોજી અને તેના લોકો-કેન્દ્રિત એપ્લિકેશન્સનું લોકશાહીકરણ કરવાનું આહ્વાન કર્યું હતું. જેથી સ્થાયી વિકાસ લક્ષ્યાંકો હાંસલ કરવા વાસ્તવિકતા બની શકે. આંતરરાષ્ટ્રીય સૌર ગઠબંધન જેવી પહેલો મારફતે ભારત-ફ્રાંસની સ્થાયી ભાગીદારીની સફળતા તરફ ઇશારો કરીને પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, એ સ્વાભાવિક છે કે બંને દેશો સ્માર્ટ અને જવાબદાર ભવિષ્ય માટે નવીનતાની ભાગીદારીનું નિર્માણ કરવા હાથ મિલાવી રહ્યાં હોય.

 

|

પ્રધાનમંત્રીએ ખુલ્લી અને સુલભ ટેકનોલોજી પર આધારિત 1.4 અબજ નાગરિકો માટે ડિજિટલ પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું નિર્માણ કરવામાં ભારતની સફળતા પર પ્રકાશ પાડ્યો હતો. ભારતનાં એઆઇ અભિયાન વિશે વાત કરતાં પ્રધાનમંત્રીએ નોંધ્યું હતું કે, ભારત તેની વિવિધતાને ધ્યાનમાં રાખીને એઆઇ માટે તેનું પોતાનું લાર્જ લેંગ્વેજ મોડલ તૈયાર કરી રહ્યું છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, એઆઇનો લાભ દરેક વ્યક્તિ સુધી પહોંચે એ સુનિશ્ચિત કરવા ભારત પોતાનાં અનુભવો વહેંચવા તૈયાર છે. પ્રધાનમંત્રીએ જાહેરાત કરી હતી કે, ભારત આગામી એઆઇ સમિટનું યજમાન બનશે. પ્રધાનમંત્રીનું સંપૂર્ણ સંબોધન અહીં [પ્રારંભિક સંબોધનસમાપન સંબોધન] જોઈ શકાય છે.

સમિટનું સમાપન નેતાઓના નિવેદનને સ્વીકારવાની સાથે થયું હતું. આ શિખર સંમેલનમાં મહત્ત્વપૂર્ણ વિષયો પર ચર્ચા થઈ હતી, જેમાં સમાવેશને સુનિશ્ચિત કરવા એઆઇ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની વધારે સુલભતા, જાહેર હિત માટે એઆઇ, એઆઇનો જવાબદાર ઉપયોગ, એઆઇને વધારે વૈવિધ્યપૂર્ણ અને સ્થાયી બનાવવા તથા એઆઇનું સલામત અને વિશ્વસનીય શાસન સુનિશ્ચિત કરવાનો સમાવેશ થાય છે.

 

  • Prasanth reddi March 21, 2025

    జై బీజేపీ జై మోడీజీ 🪷🪷🙏
  • Jitendra Kumar March 21, 2025

    🙏🇮🇳
  • ABHAY March 15, 2025

    नमो सदैव
  • Vivek Kumar March 08, 2025

    namo
  • கார்த்திக் March 03, 2025

    Jai Shree Ram🚩Jai Shree Ram🚩Jai Shree Ram🚩Jai Shree Ram🚩Jai Shree Ram🚩Jai Shree Ram🚩Jai Shree Ram🚩Jai Shree Ram🚩Jai Shree Ram🚩Jai Shree Ram🚩Jai Shree Ram🚩Jai Shree Ram🙏🏻
  • अमित प्रेमजी | Amit Premji March 03, 2025

    nice👍
  • Vivek Kumar Gupta February 28, 2025

    नमो ..🙏🙏🙏🙏🙏
  • khaniya lal sharma February 27, 2025

    🇮🇳♥️🇮🇳♥️🇮🇳
  • ram Sagar pandey February 26, 2025

    🌹🌹🙏🙏🌹🌹🌹🙏🏻🌹जय श्रीराम🙏💐🌹🌹🌹🙏🙏🌹🌹जय माँ विन्ध्यवासिनी👏🌹💐ॐनमः शिवाय 🙏🌹🙏जय कामतानाथ की 🙏🌹🙏जय श्रीकृष्णा राधे राधे 🌹🙏🏻🌹🌹🌹🙏🙏🌹🌹जय माता दी 🚩🙏🙏🌹🌹🙏🙏🌹🌹🌹🙏🏻🌹जय श्रीराम🙏💐🌹
  • கார்த்திக் February 23, 2025

    Jai Shree Ram 🚩Jai Shree Ram 🌼Jai Shree Ram 🚩Jai Shree Ram 🚩Jai Shree Ram 🚩Jai Shree Ram 🚩Jai Shree Ram 🚩Jai Shree Ram 🚩Jai Shree Ram 🚩Jai Shree Ram 🚩Jai Shree Ram 🚩Jai Shree Ram 🌼
Explore More
78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ
World Water Day: PM Modi says it is important to protect water for future generations

Media Coverage

World Water Day: PM Modi says it is important to protect water for future generations
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Prime Minister pays tributes to Bhagat Singh, Rajguru, and Sukhdev on Shaheed Diwas
March 23, 2025

The Prime Minister, Shri Narendra Modi today paid tributes to the great freedom fighters Bhagat Singh, Rajguru, and Sukhdev on the occasion of Shaheed Diwas, honoring their supreme sacrifice for the nation.

In a X post, the Prime Minister said;

“Today, our nation remembers the supreme sacrifice of Bhagat Singh, Rajguru and Sukhdev. Their fearless pursuit of freedom and justice continues to inspire us all.”