પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ભારત સરકારમાં તાજેતરમાં સહાયક સચિવ તરીકે નિયુક્ત થયેલા 170 યુવાન આઇએએસ અધિકારીઓ સાથે બેઠક કરી હતી.
![](https://cdn.narendramodi.in/cmsuploads/0.19069400_1530712794_ias1.jpg)
પ્રધાનમંત્રીએ તેમને તેમનાં ફિલ્ડ પ્રશિક્ષણનાં અનુભવો વહેંચવા પ્રોત્સાહિત કર્યા હતાં. તેમણે જન ભાગીદારી, માહિતીનો પ્રવાહ, સંસાધનોનો મહત્તમ ઉપયોગ અને પ્રશાસમાં લોકોનો વિશ્વાસ જેવા મુદ્દાઓ પર ચર્ચા કરી હતી.
![](https://cdn.narendramodi.in/cmsuploads/0.34830500_1530712809_ias2.jpg)
આ બેઠકમાં ગ્રામ સ્વરાજ અભિયાન અને આયુષ્માન ભારત જેવી કેટલીક સુશાસન સંબંધિત પહેલો પર પણ ચર્ચા થઈ હતી.
![](https://cdn.narendramodi.in/cmsuploads/0.22269400_1530712826_ias3.jpg)
![](https://cdn.narendramodi.in/cmsuploads/0.01452400_1530712864_ias4.jpg)
આ પ્રસંગે કેન્દ્રીય પ્રધાનમંત્રી કાર્યાલય (પીએમઓ) રાજ્ય મંત્રી ડો. જિતેન્દ્ર સિંહ તથા કાર્મિક અને પ્રશિક્ષણ વિભાગનાં વરિષ્ઠ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યાં હતાં.