QuoteTarget of New India can be achieved only by making it a people's movement: PM Modi
QuoteUniversities should be centres of innovation, says the Prime Minister
QuoteMahatma Gandhi is a source of inspiration, as we work towards an Open Defecation Free India: PM

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે રાષ્ટ્રપતિ ભવનમાં રાજ્યપાલોની પરિષદનાં પ્રારંભિક સત્રને સંબોધન કર્યું હતું.
તેમણે જણાવ્યું હતું કે, તમામ રાજ્યપાલો બંધારણની પવિત્રતા જાળવીને સમાજમાં પરિવર્તનનાં પ્રેરક માધ્યમો બની શકે છે. વર્ષ 2022 સુધી નવા ભારતનાં લક્ષ્યાંકનો ઉલ્લેખ કરીને પ્રધાનમંત્રીએ ભાર મૂક્યો હતો કે, આ લક્ષ્યાંક જનઆંદોલન થકી જ હાંસલ થઈ શકશે.

તેમણે રાજ્યપાલોને આ સંબંધમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકો સાથે વિસ્તૃત ચર્ચાવિચારણા કરવા અને તેમને પ્રેરિત કરવા પ્રોત્સાહન આપ્યું હતું. કેન્દ્ર સરકારે તાજેતરમાં યોજેલ હેકેથોનનું ઉદાહરણ ટાંક્યુ હતું, જેમાં વિદ્યાર્થીઓએ કેટલીક સમસ્યાઓનાં ટેકનોલોજી સોલ્યુશન પ્રસ્તુત કર્યા હતાં. તેમણે કહ્યું હતું કે યુનિવર્સિટીઓ નવીનતાનાં કેન્દ્ર બનવા જોઈએ.

|

આ જ રીતે તેમણે દરેક રાજ્યમાં યુવાનોએ એક રમત પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ એવું કહ્યું હતું. તેમણે રાજ્યપાલોને સ્વચ્છતા માટે ઉદાહરણરૂપ બનવા પ્રોત્સાહન આપ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, વર્ષ 2019માં મહાત્મા ગાંધીની 150મી જન્મજયંતિ ઉજવવામાં આવશે. મહાત્મા ગાંધી પ્રેરણાનો સ્ત્રોત છે અને આપણે ભારતને ખુલ્લામાં મળોત્સર્જનથી મુક્ત કરવા કામ કરીએ છીએ. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, તહેવારો અને વર્ષગાંઠો પરિવર્તન માટે અતિ પ્રેરક અને ઊર્જાનો સ્ત્રોત બની શકે છે. તેમણે કહ્યું હતું કે, રાજ્યપાલો આદિવાસીઓ, દલિતો અને મહિલાઓને મુદ્રા હેઠળ લોન આપવા બેંકોને પ્રેરણા આપી શકે છે, ખાસ કરીને 26 નવેમ્બરનાં રોજ બંધારણ દિવસ અને 6 ડિસેમ્બરનાં રોજ મહાપરિનિર્વાણ દિવસ વચ્ચેનાં ગાળા માટે.
પ્રધાનમંત્રીએ કેન્દ્રશાસિત પ્રદેશોનાં લેફ્ટનન્ટ ગવર્નર્સને સૌર ઊર્જા, ડીબીટી (સરકારી સહાયોનું સીધું હસ્તાંતરણ) જેવા ક્ષેત્રોમાં અપનાવેલી શ્રેષ્ઠ પદ્ધતિઓ વહેંચવા તથા કેન્દ્રશાસિત પ્રદેશોને કેરોસીનમુક્ત બનાવવા પ્રોત્સાહન આપ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, આ સિદ્ધિઓ તમામ કેન્દ્રશાસિત પ્રદેશોએ ઝડપથી મેળવવી જોઈએ..

Explore More
78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ
India’s fruit exports expand into western markets with GI tags driving growth

Media Coverage

India’s fruit exports expand into western markets with GI tags driving growth
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
We remain committed to deepening the unique and historical partnership between India and Bhutan: Prime Minister
February 21, 2025

Appreciating the address of Prime Minister of Bhutan, H.E. Tshering Tobgay at SOUL Leadership Conclave in New Delhi, Shri Modi said that we remain committed to deepening the unique and historical partnership between India and Bhutan.

The Prime Minister posted on X;

“Pleasure to once again meet my friend PM Tshering Tobgay. Appreciate his address at the Leadership Conclave @LeadWithSOUL. We remain committed to deepening the unique and historical partnership between India and Bhutan.

@tsheringtobgay”