QuotePM Modi reviews progress of key infrastucture projects
QuoteThe highest ever average daily construction rate of 130 km achieved for rural roads under the Pradhan Mantri Gram Sadak Yojana
QuoteOver 4000 km of rural roads have been constructed using green technology in FY17
QuoteIndia building highways at fast pace: Over 26,000 km of 4 or 6 lane national highways built in FY17
QuotePutting Indian Railways on fast-track: 953 km of new lines laid in 2016-17, as against the target of 400 km
QuoteTrack electrification of over 2000 km & gauge conversion of over 1000 km achieved, 1500 unmanned level crossings eliminated in 2016-17
QuoteSagarmala: 415 projects have been identified with investment of Rs. 8 lakh crore
QuoteTowards a digitally connected India: 2187 mobile towers installed in districts affected by Left Wing Extremists in 2016-17

રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મંગળવારે રોડ, રેલવે, એરપોર્ટ, પોર્ટ, ડિજિટલ અને કોલસા સહિત મહત્વના માળખાગત ક્ષેત્રોની પ્રગતિની સમીક્ષા કરી હતી. આશરે સાડા ચાર કલાક ચાલેલી સમીક્ષા બેઠકમાં પીએમઓ, નીતિ આયોગ અને ભારત સરકારના તમામ માળખાગત મંત્રાલયોના ટોચના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

નીતિ આયોગના સીઇઓએ પ્રસ્તુત કરેલા પ્રેઝન્ટેશનમાં કેટલાક ક્ષેત્રો અને માળખાગત ક્ષેત્રોમાં નોંધપાત્ર પ્રગતિ થઈ હોવાની જાણકારી મળી હતી. રોડ અને રેલવે ક્ષેત્રમાં પ્રગતિની વિસ્તૃત સમીક્ષામાં પ્રધાનમંત્રીએ વર્તમાન પ્રોજેક્ટના સંગઠિત અભિગમની અપીલ કરી હતી તથા નિયત સમયમર્યાદાની અંદર પૂર્ણ કરવા માટે કામ કરવાનો આગ્રહ વ્યક્ત કર્યો હતો.

સૌથી વધુ સરેરાશ દૈનિક નિર્માણ દર 130 કિમી છે, જે પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ ગ્રામીણ માર્ગોના નિર્માણ માટે હાંસલ થયો છે. તેના પગલે 2016-17માં પીએમજીએસવાય અંતર્ગત વધુ 47,400 કિમી લંબાઈ ધરાવતા માર્ગોનું નિર્માણ થયું છે. આ જ ગાળામાં વધુ 11,641 ઘરોને માર્ગો સાથે જોડવામાં આવ્યા છે.

નાણાંકીય વર્ષ 2016-17માં ગ્રીન ટેકનોલોજીનો ઉપયોગ કરીને 4000 કિમીથી વધારે ગ્રામીણ માર્ગોનું નિર્માણ થયું છે. વેસ્ટ પ્લાસ્ટિક, કોલ્ડ મિક્સ, જીઓ-ટેક્સટાઇલ્સ, ફ્લાય એશ, આયર્ન અને કોપર સ્લેગ જેવી બિનપરંપરાગત સામગ્રીનો ઉપયોગ વધારવામાં આવ્યો છે.

|

પ્રધાનમંત્રીએ ગ્રામીણ માર્ગોના નિર્માણ અને તેની ગુણવત્તા પર અસરકારક અને કડક નજર રાખવાની સૂચના આપી હતી. આ માટે તેમણે અત્યારે ઉપયોગ થતી ટેકનોલોજી ઉપરાંત “મેરી સડક” એપ જેવી સ્પેસ ટેકનોલોજીનો ઉપયોગ કરવા પર ભાર મૂક્યો હતો. તેમણે આવશ્યક જોડાણોનું નિર્માણ ઝડપથી પૂર્ણ કરવા અપીલ કરી હતી, જે શક્ય તેટલી વહેલી તકે માર્ગોથી વિખૂટી વસાહતોને મુખ્ય માર્ગો સાથે જોડશે.

પ્રધાનમંત્રીએ માર્ગ નિર્માણમાં પણ નવી ટેકનોલોજીઓનો ઉપયોગ કરવાની સૂચના આપી હતી. તેમણે નીતિ આયોગને માળખાનું સર્જન કરવા અને ભારતમાં તેની વ્યવહારિકતા વધારવા માટે ટેકનોલોજીના ઉપયોગમાં વૈશ્વિક ધારાધોરણો ચકાસવા જણાવ્યું હતું.

નાણાંકીય વર્ષ 2016-17માં હાઇવે સેક્ટરમાં 26,000 કિમી લંબાઈ ધરાવતા 4 કે 6 લેન નેશનલ હાઇવેઝનું નિર્માણ થયું હતું અને તેની ઝડપમાં વધારો થઈ રહ્યો છે.

નાણાકીય વર્ષ 2016-17માં રેલવે ક્ષેત્રમાં 953 કિમી લંબાઈ ધરાવતી નવી લાઇન પાથરવામાં આવી હતી, જ્યારે 400 કિમીનો લક્ષ્યાંક હતો. આ જ ગાળામાં 2000 કિમીના ટ્રેકનું ઇલેક્ટ્રિફિકેશન અને 1000 કિમીનું ગેજ રૂપાંતર કરવામાં આવ્યું હતું. 2016-17માં 1500થી વધારે માનવરહિત લેવલ ક્રોસિંગ દૂર કરવામાં આવ્યા છે. ગ્રાહકને શ્રેષ્ઠ અનુભવ આપવા માટે 115 રેલવે સ્ટેશનમાં વાઇ-ફાઇ સુવિધા સ્થાપિત કરવામાં આવી છે અને 34,000 બાયો-ટોઇલેટ્સ ઉમેરવામાં આવ્યા હતા. પ્રધાનમંત્રીએ રેલવે સ્ટેશનોના પુર્નવિકાસ સાથે સંબંધિત કામગીરીની ઝડપ વધારવા અને ભાડા સિવાયની આવકમાં વધારે નવીન અભિગમ અપનાવવા જણાવ્યું હતું.

રોડ અને રેલવે ક્ષેત્રોમાં ઇસ્ટર્ન પેરિફરલ એક્સપ્રેસવે, ચાર ધામ પ્રોજેક્ટ, ક્વાઝિગુંદ-બનિહાલ ટનલ, ચેનાબ રેલવે બ્રીજ અને જિરિબામ-ઇમ્ફાલ પ્રોજેક્ટ જેવા મહત્વપૂર્ણ પ્રોજેક્ટ્સની પ્રગતિની પણ સમીક્ષા હાથ ધરવામાં આવી હતી. ઉડ્ડયન ક્ષેત્રમાં પ્રાદેશિક જોડાણ યોજના 43 સ્થળોને જોડશે, જેમાં 31 સેવાથી વંચિત સ્થળો સામેલ છે. ઉડ્ડયન ક્ષેત્રમાં પેસેન્જર ક્ષમતા દર વર્ષે 282 મિલિયન પેસેન્જરની થઈ છે.

|

પોર્ટ સેક્ટરમાં સાગરમાલા પ્રોજેક્ટ અંતર્ગત 415 પ્રોજેક્ટની ઓળખ કરવામાં આવી છે, જે રૂ 8 લાખ કરોડનું રોકાણ ધરાવે છે અને 1.37 લાખ રૂપિયાનું મૂલ્ય ધરાવતા પ્રોજેક્ટ્સની કામગીરી ચાલુ કરવામાં આવી છે. પ્રધાનમંત્રીએ એક્ઝિમ કાર્ગો માટે જહાજો ક્લીઅરન્સ અને જહાજોના ટર્નએરાઉન્ડ ટાઇમ માટે શ્રેષ્ઠ પરિણામો લાવવા પર ભાર મૂક્યો હતો. 2016-17માં મુખ્ય પોર્ટ્સમાં 1004 એમટીપીએની અત્યાર સુધીની સૌથી વધારે ક્ષમતા ઉમેરવામાં આવી હતી. તમામ 193 દિવાદાંડીઓ હવે સૌર ઊર્જાથી પ્રકાશિત થાય છે. તમામ મુખ્ય બંદરો પર જમીનના રેકોર્ડનું ડિજિટાઇઝેશન પૂર્ણ થઈ ગયું છે.

ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રમાં 2016-17માં નક્સલગ્રસ્ત જિલ્લાઓમાં 2187 મોબાઇલ ટાવર સ્થાપિત કરવામાં આવ્યા હતા. નેશનલ ઓપ્ટિકલ ફાઇબર નેટવર્કની પ્રગતિની સમીક્ષા કરવામાં આવી હતી. પ્રધાનમંત્રીએ ભાર મૂક્યો હતો કે આગામી થોડા મહિનાઓની અંદર હજારો ગ્રામ પંચાયતોને જોડનાર વિકાસશીલ ડિજિટલ કનેક્ટિવિટી નેટવર્કને સરકારના ઉચિત પગલાંનું સમર્થન મળવું જોઈએ, જેથી તે જીવનની વધારે સારી ગુણવત્તા તરફ દોરી શકે અને ગ્રામીણ વિસ્તારોમાં લોકોનું સશક્તીકરણ થઈ શકે.

કોલસાના ક્ષેત્રમાં કોલસાની લિન્કેજીસ અને અવરજવરનું રેશનલાઇઝેશન (તાર્કિકીકરણ) કરવાથી 2016-17માં રૂ. 2500 કરોડની બચત થઈ છે. ગયા વર્ષમાં કોલસાની આયાતમાં ઘટાડાની નોંધ લઈને પ્રધાનમંત્રીએ કોલસાની આયાત ઘટાડવા વધારે પ્રયાસો કરવા અને ગેસિફિકેશન ટેકનોલોજી સહિત નવી કોલસા ટેકનોલોજીનો ઉપયોગ કરવા જણાવ્યું હતું .

Explore More
78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ
FY25 India pharma exports cross $30 billion, surge 31% in March

Media Coverage

FY25 India pharma exports cross $30 billion, surge 31% in March
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Prime Minister condoles the loss of lives in a building collapse in Dayalpur area of North East Delhi
April 19, 2025
QuotePM announces ex-gratia from PMNRF

Prime Minister Shri Narendra Modi today condoled the loss of lives in a building collapse in Dayalpur area of North East Delhi. He announced an ex-gratia of Rs. 2 lakh from PMNRF for the next of kin of each deceased and Rs. 50,000 to the injured.

The PMO India handle in post on X said:

“Saddened by the loss of lives due to a building collapse in Dayalpur area of North East Delhi. Condolences to those who have lost their loved ones. May the injured recover soon. The local administration is assisting those affected.

An ex-gratia of Rs. 2 lakh from PMNRF would be given to the next of kin of each deceased. The injured would be given Rs. 50,000: PM @narendramodi”