QuoteInnovation, integrity and inclusion have emerged as key mantras in the field of management: PM
QuoteFocus is now on collaborative, innovative and transformative management, says PM
QuoteTechnology management is as important as human management: PM Modi

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી IIM સંબલપુરના કાયમી સંકુલનો શિલાન્યાસ કર્યો હતો. આ પ્રસંગે ઓડિશાના રાજ્યપાલ અને મુખ્યમંત્રી ઉપરાંત, કેન્દ્રીય મંત્રી શ્રી રમેશ પોખરિયાલ 'નિશંક', શ્રી ધર્મેન્દ્ર પ્રધાન અને શ્રી પ્રતાપચંદ્ર સાંરગી પણ ઉપસ્થિત રહ્યાં હતા.

આ પ્રસંગે સંબોધન આપતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, IIM સંબલપુરના કાયમી સંકુલથી ઓડિશાની સંસ્કૃતિ અને સંસાધનો પ્રદર્શિત થવાની સાથે સાથે તેનાથી પ્રબંધન ક્ષેત્રમાં ઓડિશાને વૈશ્વિક માન્યતા પણ પ્રાપ્ત થશે. તેમણે ઉમેર્યું હતું કે, તાજેતરના સમયમાં દેશ ભારતીય બહુરાષ્ટ્રીય વલણનો સાક્ષી બન્યો છે. જ્યારે અગાઉ તેનાથી વિપરિત એટલે કે ભારતમાં આવી રહેલી બાહ્ય બહુરાષ્ટ્રીય કંપનીઓનું વલણ જોવા મળતું હતું. ટીઅર 2 અને ટીઅર 3 દરજ્જાના શહેરોમાં હવે સ્ટાર્ટઅપ જોવા મળી રહ્યાં છે અને ભારત, તાજેતરના મુશ્કેલીના તબક્કામાં વધુ 'યુનિકોર્ન'નું સાક્ષી બન્યું છે, કૃષિ ક્ષેત્રમાં ઝડપથી સુધારાઓ અમલમાં આવી રહ્યાં છે. આવા પરિદૃશ્યમાં પ્રધાનમંત્રીએ વિદ્યાર્થીઓને પોતાની કારકર્દીનું ઘડતર દેશની મહત્વાકાંક્ષાઓને અનુરૂપ કરવા માટે પ્રોત્સાહિત કર્યા હતા. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, આ નવા દાયકામાં, બ્રાન્ડ ઇન્ડિયાને વૈશ્વિક સ્વીકૃતિ આપવાની જવાબદારી તમારા સૌના શિરે છે.

|

પ્રધાનમંત્રીએ સ્થાનિકનો ઉત્કર્ષ કરીને વૈશ્વિક સ્તરે લઇ જવામાં વિદ્યાર્થીઓની બહોળી ભૂમિકા પર ભાર મૂક્યો હતો. તેમણે વિદ્યાર્થીઓને સંબલપુર વિસ્તારમાં રહેલી પ્રબળ સ્થાનિક સંભાવનાઓના પ્રકાશમાં પ્રવાસનમાં સુધારો લાવવા માટેના નવતર વિચારો પર કામ કરવા કહ્યું હતું. તેમણે વિદ્યાર્થીઓને ખૂબ જ મોટી સંભાવનાઓ ધરાવતા સ્થાનિક ઉત્પાદનો જેમ કે, હસ્તકળાની ચીજો, વસ્ત્રો અને આદિવાસી કળાની ચીજો વગેરે પર કામ કરવા કહ્યું હતું. તેમણે વિદ્યાર્થીઓને આ પ્રદેશમાં રહેલા ખનીજો અને અન્ય સંસાધનોના વિપુલ ભંડારોના બહેતર વ્યવસ્થાપનની દિશામાં કામ કરવા માટે પણ અનુરોધ કર્યો હતો કારણ કે આનાથી આત્મનિર્ભર ભારત અભિયાનમાં ઘણું યોગદાન મળી શકશે. તેમણે કહ્યું હતું કે, IIMના વિદ્યાર્થીઓ સ્થાનિક વસ્તુઓને વૈશ્વિક બનાવવા માટે નવતર ઉકેલો શોધવા પડશે કારણ કે, તે આત્મનિર્ભરતા મિશન, સ્થાનિક ઉત્પાદનો અને આંતરરાષ્ટ્રીય જોડાણો વચ્ચે સેતૂની ભૂમિકા નિભાવી શકે છે. શ્રી મોદીએ જણાવ્યું હતું કે, “તમામ આવિષ્કાર, એકીકૃતતા અને સમાવેશીતાના મંત્ર સાથે તમારું વ્યવસ્થાપનનું કૌશલ્ય બતાવવાનું છે.”

પ્રધાનમંત્રીએ આ પ્રસંગે ઉમેરણ છાપકામ, બદલાતી ઉત્પાદન ટેકનિલોજી, લોજિસ્ટિક્સ અને પૂરવઠા શ્રૃંખલાના વ્યવસ્થાપન જેવી નવી ટેકનોલોજીઓને કારણે વ્યવસ્થાપન સમક્ષ રહેલા નવા પડકારો વિશે વાત કરી હતી. પ્રધાનમંત્રીએ ઉમેર્યું હતું કે, ડિજિટલ કનેક્ટિવિટી સાથે આ ટેકનોલોજીઓ અને વર્ક ફ્રોમ એનીવેર (ગમે ત્યાંથી કામ)ની પરિકલ્પનાએ આખી દુનિયાને વૈશ્વિક ગામડાંમાં પરિવર્તિત કરી દીધી છે. ભારતે તાજેતરના મહિનાઓમાં ઝડપથી આ પરિવર્તનોને હાથ ધર્યા છે અને આ પરિવર્તનો સાથે માત્ર કદમતાલ નથી મિલાવ્યા બલ્કે તેનાથી આગળ વધવાનો અને આધુનિક બનવાનો પણ પ્રયાસ કર્યો છે.

|

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, બદલાતી કાર્યશૈલી પ્રબંધનના કૌશલ્યનોની માંગ પર અસર કરી રહી છે અને ટોપ–ડાઉન અથવા ટોપ–હેવી પ્રબંધન કૌશલ્યોનું સ્થાન સહકારપૂર્ણ, આવિષ્કારી અને પરિવર્તનકારી પ્રબંધન લઇ રહ્યું છે. હાલના પરિદૃશ્યમાં બોટ્સ અને અલગોરિધમ સાથે માનવીય વ્યવસ્થાપન જેટલું જ મહત્વ ટેકનોલોજીકલ વ્યવસ્થાપનનું પણ છે.

શ્રી મોદીએ વિદ્યાર્થીઓને ભારતમાં જે પ્રકારે ખૂબ જ મોટાપાયે નવાચાર અને સહયોગ સાથે જે પ્રકારે કોવિડ કટોકટીનું સંચાલન કરવામાં આવ્યું તે રીતો પર સંશોધન કરવા કહ્યું હતું. તેમણે વિદ્યાર્થીઓને આટલા ટૂંકા સમયમાં જ કેવી રીતે ક્ષમતા અને સામર્થ્યનું વિસ્તરણ કરવામાં આવ્યું તે અંગે અભ્યાસ કરવા માટે કહ્યું હતું. દેશ અત્યારે સમસ્યાના ઉકેલના ટૂંકાગાળાના અભિગમમાંથી બહાર આવી રહ્યો છે અને કેવી રીતે હવે લાંબાગાળાના ઉકેલો પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યો છે તે અંગે, તેમણે ખૂશી વ્યક્ત કરી હતી. તેમણે જન ધન ખાતા અને કેવી રીતે દેશમાં 2014માં LPG જોડાણોનું નેટવર્ક માત્ર 55 ટકા હતું તેને વધારીને આજના સમયમાં 98 ટકા સુધી લાવવામાં આવ્યું તેના ઉદાહરણો આપીને, મોટાપાયે નવાચાર, આયોજન અને અમલીકરણ અંગેના પોતાના દ્રષ્ટિકોણને સમજાવ્યો હતો. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, “વ્યવસ્થાપન મતલબ માત્ર મોટી કંપનીઓનું સંચાલન કરવું એવું નથી પરંતુ લોકોના જીવનની સંભાળ લેવી તેને પણ વ્યવસ્થાપન કહેવામાં આવે છે.”

 

|

પ્રધાનમંત્રીએ ઉમેર્યું હતું કે, સારા વ્યવસ્થાપક બનવા માટે દેશની સમક્ષ રહેલા પડકારોને સમજવા ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ માટે, ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓમાં વ્યાપક અવકાશ હોય અને માત્ર તેઓ તજજ્ઞતા પર કેન્દ્રિત ના રહે તે ખૂબ જ આવશ્યક છે. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, રાષ્ટ્રીય શિક્ષણ નીતિ બોર્ડ આધારિત, બહુ શાખીય અને સર્વાંગી અભિગમ પર ભાર મૂકે છે જેથી સમયની સાથે ઉભરી રહેલા વ્યાવસાયિક શિક્ષણના માર્ગમાં આવતા તમામ અવરોધો દૂર કરી શકાય.

સંપૂર્ણ ટેક્સ્ટ સ્પીચ વાંચવા માટે અહીં ક્લિક કરો

  • शिवकुमार गुप्ता February 26, 2022

    जय भारत
  • शिवकुमार गुप्ता February 26, 2022

    जय हिंद
  • शिवकुमार गुप्ता February 26, 2022

    जय श्री राम
  • शिवकुमार गुप्ता February 26, 2022

    जय श्री सीताराम
Explore More
78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ
India Eyes Rs 3 Lakh Crore Defence Production By 2025 After 174% Surge In 10 Years

Media Coverage

India Eyes Rs 3 Lakh Crore Defence Production By 2025 After 174% Surge In 10 Years
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 26 માર્ચ 2025
March 26, 2025

Empowering Every Indian: PM Modi's Self-Reliance Mission