ટ્રાન્સપોર્ટેશન એ કોઇપણ શહેર કે દેશના વિકાસની ચાવી છે. ભારત વિશ્વના એવા દેશોમાં સામેલ છે જ્યાં શહેરીકરણ તેજગતિથી આગળ વધી રહ્યું છે: વડાપ્રધાન મોદી
વડાપ્રધાન મોદીએ સરકારના જ્યારે 2022માં ભારત પોતાની સ્વતંત્રતાના 75 વર્ષ પૂરા કરે ત્યારે દરેક માટે ઘરના સ્વપ્નનો પુનરોચ્ચાર કર્યો
2014 પછી અમે નિર્ણય લીધો કે મેટ્રો લાઈન બિછાવવાની ગતિ તેમજ તેના સ્તરમાં પણ વધારો કરવામાં આવે: વડાપ્રધાન
અમારી સરકાર મધ્યમવર્ગીય લોકોના જીવનસ્તરમાં સુધારો લાવવાનો સતત પ્રયાસ કરી રહી છે: વડાપ્રધાન મોદી
કેન્દ્ર સરકાર વિકાસના પથ પર આગળ વધી રહી છે. દેશનો કોઇપણ ખૂણો, ગામ કે પછી શહેર વિકાસથી વણસ્પર્શ્યું ન રહેવું જોઈએ: વડાપ્રધાન મોદી
અમારા પ્રયાસો દ્વારા અમે ગરીબોના હાથ મજબૂત કરી રહ્યા છીએ, તેમના જીવનમાં ગુણવત્તાસભર પરિવર્તન લાવી રહ્યા છીએ: વડાપ્રધાન
છેલ્લા ચાર વર્ષમાં મુંબઈમાં મેટ્રો નેટવર્ક બિછાવવા માટે અસંખ્ય નવા પ્રોજેક્ટ્સની શરૂઆત કરવામાં આવી છે: વડાપ્રધાન મોદી

મોટી સંખ્યામાં પધારેલા મારા વ્હાલા ભાઈઓ અને બહેનો.

મુંબઈ અને થાણે, દેશનો એ ભાગ છે જેણે દેશના સપનાઓને સાકાર કરવામાં મદદ કરી છે. નાના-નાના ગામડાઓ,કસબાઓથી આવેલા સામાન્ય લોકોએ અહિં મોટું નામ કમાયા છે; ગૌરવાન્વિત થયા છે. અહિયાં જન્મ લેનારાઓ,અહિયાં રહેનારાઓનું હૃદય એટલ વિશાળ છે કે સૌને પોતાના દિલમાં જગ્યા આપી છે. એટલે જ તો અહિયાં સમગ્ર ભારતની એક તસ્વીર એક જ જગ્યાએ જોવા મળે છે. જે પણ અહિં આવે છે તે મુમ્બૈયા રંગમાં રંગાઈ જ જાય છે; મરાઠી પરંપરાનો હિસ્સો બની જાય છે.

ભાઈઓ અને બહેનો, આજે મુંબઈનો વિસ્તાર થઇ રહ્યો છે, ચારેય બાજુ વિકાસ થઇ રહ્યો છે; પરંતુ તેની સાથે-સાથે અહિનાં સંસાધનો પર પણ દબાણ વધી રહ્યું છે. ખાસ કરીને અહિંની પરિવહન પ્રણાલી, રસ્તાઓ અને રેલ વ્યવસ્થા પર તેનો પ્રભાવ જોવા મળી રહ્યો છે. તેને ધ્યાનમાં રાખતા વીતેલા ચાર સાડા ચાર વર્ષોમાં મુંબઈ અને થાણે સહિત તેની સાથે જોડાયેલા તમામ વિસ્તારોમાં પરિવહન પ્રણાલીને વધુ સારી કરવા માટે અનેક પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

આજે પણ અહિયાં જે ૩૩ હજાર કરોડ રૂપિયાથી વધુના પ્રોજેક્ટનો શિલાન્યાસ કરવામાં આવ્યો છે, તેમાં બે મેટ્રો લાઈનનો પણ સમાવેશ થાય છે. ઉપરાંત થાણેમાં 90 હજાર ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોની માટે પોતાના ઘરોના નિર્માણ સાથે જોડાયેલ પ્રોજેક્ટની પણ શરૂઆત આજે કરવામાં આવી છે.

સાથીઓ, વાહનવ્યવહાર કોઇપણ શહેર, કોઇપણ દેશના વિકાસની મહત્વપૂર્ણ કડી હોય છે. ભારત તો દુનિયાના તે દેશોમાંનો એક છે જ્યાં ઝડપી ગતિએ શહેરીકરણ થઇ રહ્યું છે.

હમણાં તાજેતરમાં જ એક સંશોધન સામે આવ્યું છે કે આવનારા દાયકામાં દુનિયાના ટોચના દસ, સૌથી ઝડપથી વિકસિત થતા શહેરોમાં તમામ દસે દસ શહેરો ભારતના શહેરો છે. એટલેકે દેશ જેટલી ઝડપે વિકાસની ગતિને પકડી રહ્યો છે, તેનો એક મજબૂત હિસ્સો આપણા શહેરમાં રહેનારા લોકો પણ છે.

મુંબઈ તો આમ પણ દેશની આર્થિક ગતિવિધિઓનું કેન્દ્ર રહ્યું છે અને આવનારા સમયમાં તેનો વધુ વિસ્તાર થવાનો છે.એટલા માટે કેન્દ્રમાં ભારતીય જનતા પાર્ટી અને એનડીએની સરકાર બની, ત્યારે અમે અહિંના ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર ધ્યાન આપ્યું.

મુંબઈ લોકલ માટે સેંકડો કરોડની ફાળવણી કરી. અહિંનાં જુના રેલવે બ્રીજોનું નવીનીકરણ કરવામાં આવ્યું. મુંબઈ લોકલ સિવાય પણ ટ્રાન્સપોર્ટના બીજા માધ્યમોનો વિસ્તાર કરવામાં આવ્યો, જેમાંથી મેટ્રો સિસ્ટમ સૌથી પ્રભાવી માધ્યમ બનતું જઈ રહ્યું છે.

આજે જે મેટ્રોનો વિસ્તાર અહિયાં થાણેમાં થયો છે, આ મુંબઈ, થાણે અને આસપાસના બીજા ક્ષેત્રોને વધુ સારું જોડાણ આપવાના વિઝનનો જ ભાગ છે.

સાથીઓ, મુંબઈમાં પહેલીવાર વર્ષ 2006માં મેટ્રોની પહેલી પરિયોજનાની શરૂઆત કરવામાં આવી હતી. પરંતુ આઠ વર્ષ સુધી શું થયું, ક્યાં મામલો અટકી ગયો, એ કહેવું અઘરું છે.

પહેલી લાઈન 2014માં શરુ થઇ શકી અને તે પણ માત્ર 11 કિલોમીટરની લાઈન. આઠ વર્ષમાં માત્ર અને માત્ર 11કિલોમીટર.

2014 પછી અમે નક્કીકર્યું કે મેટ્રો લાઈન પાથરવાની ઝડપ પણ વધશે અને વ્યાપ પણ વધશે. પાછલા ચાર વર્ષમાં મુંબઈમાં મેટ્રોની ઝાળ પાથરવા માટે અનેક નવી પરિયોજનાઓની શરૂઆત કરવામાં આવી છે.

આ જ વિચારધારા પર ચાલીને આજે બે વધુ મેટ્રો લાઈનનો શિલાન્યાસ કરવામાં આવ્યો છે. એટલે કે આવનારા ત્રણ વર્ષમાં અહિ 35 કિલોમીટરની વધુ મેટ્રો ક્ષમતા જોડાઈ જશે.

એટલું જ નહી, વર્ષ 2022 થી 2024ની વચ્ચે મુંબઈવાસીઓને પોણા ત્રણસો કિલોમીટરની મેટ્રો લાઈન ઉપલબ્ધ થઇ જશે.

આજે જે શિલાન્યાસ કરવામાં આવ્યા છે, તેનાથી થાણેથી ભીવંડી, કલ્યાણ, દહીંસરથી લઈને મીરા-ભાયંદર સુધીના લોકોને તો ફાયદો પહોંચશે જ, તેનાથી સંપૂર્ણ મુંબઈમાં જામની તકલીફ પણ ઓછી થશે.

સાથીઓ, આ સુવિધાઓ માત્ર આજની જરૂરિયાતોના હિસાબથી જ નહી, પરંતુ વર્ષ 2035ની જરૂરિયાતો અને તેના આધારે વિકસિત કરવામાં આવી રહી છે.

ભાઈઓ અને બહેનો, તમારી મુસાફરી સરળ હોય, તમારું જીવન સુગમ હોય, પરંતુ દેશના ગરીબા અને મધ્યમ વર્ગના લોકોને ઘર વિના ના રહેવું પડે, તેની માટે પણ વ્યાપક પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.

કેન્દ્ર સરકારે નક્કી કર્યું છે કે વર્ષ 2022માં જ્યારે દેશ આઝાદીના 75માં વર્ષની ઉજવણી કરી રહ્યો હશે, ત્યારે દેશના દરેક પરિવારની પાસે પોતાનું પાક્કું છાપરું હોય, પોતાનું પાકું મકાન હોય; એ જ લક્ષ્યની સાથે આગળ વધતા આજે અહિયાં 90 હજાર નવા ઘર બનાવવાની શરૂઆત કરવામાં આવી છે. મને જણાવવામાં આવ્યું છે કે ત્રણ વર્ષની અંદર અંદર આ ઘર બનીને તૈયાર થઇ જશે.

સાથીઓ, પહેલાની સરકાર કરતા અમારા સંસ્કાર પણ જુદા છે, સરોકાર પણ અને ઝડપ પણ જુદી છે. પાછલી સરકારે પોતાના છેલ્લા ચાર વર્ષોમાં માત્ર સાડા 25 લાખ ઘર બનાવ્યા હતા; તેમની સરકારના છેલ્લા ચાર વર્ષોમાં 25 લાખ 50 હજાર મકાનો બનાવવામાં આવ્યા હતા. જ્યારે વીતેલા ચાર વર્ષોમાં અમારી સરકારે આશરે 1 કરોડ 25 લાખથી વધુ એટલે કે પાંચ ગણાથી વધુ લોકો માટે ઘર બનાવવામાં આવ્યા છે. તેનો અર્થ આટલું કામ તેમને કરવાનું હોત તો કદાચ બે પેઢીઓ થઇ જતી.

પ્રધાનમંત્રી શહેરી આવાસ યોજના અંતર્ગત સમગ્ર મહારાષ્ટ્રમાં આઠ લાખ ઘરો બનાવવામાં આવી રહ્યા છે. સાથીઓ, પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત બેઘર લોકો માટે સારી સોસાયટીનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે અને આ તે આદર્શ સોસાયટી નથી બની રહી કે જે જૂની સરકાર દરમિયાન ચર્ચામાં રહી હતી, પરંતુ સાચા અર્થમાં આદર્શ સોસાયટી બનાવવામાં આવી રહી છે જ્યાં એક સામાન્ય પરિવારના સપનાઓ ઉછરે છે, વધુ સારા ભવિષ્ય માટેનો આત્મવિશ્વાસ જાગે છે.

પ્રધાનમંત્રી આવાસ યોજના અતર્ગત અમારી સરકાર અઢી લાખ રૂપિયા સુધીની મદદ સીધા બેંકમાં જમા કરી રહી છે. એટલે કે લોનની રકમ સીધી અઢી લાખ રૂપિયા ઘટી જાય છે. એટલે કે નિમ્ન અને મધ્યમ વર્ગની મદદ હોમ લોનમાં પણ કરવામાં આવી રહી છે.

આ સિવાય પહેલાની સરખામણીએ હોમ લોન પર વ્યાજદર પણ ઘણો ઓછો થઇ ગયો છે. સરકાર દ્વારા આ યોજના અંતર્ગત નબળા તબક્કાના લોકોને, નિમ્ન આવક ધરાવતા લોકોને સાડા 6 ટકાની વ્યાજ સબસીડી પણ આપવામાં આવી રહી છે.

મધ્યમ આવક ધરાવતા જૂથના લોકોને ૩થી 4 ટકાની વ્યાજ સબસીડી આપવમાં આવી છે. આ પ્રયાસોનો અર્થ એ થયો કે જો કોઈએ 20 લાખ રૂપિયાની હોમ લોન 2 વર્ષ માટે લીધી છે તો તેને આ સમયગાળામાં લગભગ લગભગ 6 લાખ રૂપિયા સુધીની સહાયતા સરકાર દ્વારા આપવામાં આવી રહી છે.

સાથીઓ, સરકારના આ જ ઈમાનદાર પ્રયાસોનું પરિણામ છે કે વીતેલા એક દોઢ વર્ષની અંદર લાખો લોકોએ પોતાનું પહેલું ઘર આ યોજનાનો લાભ લઈને નોંધાવ્યું છે, ખરીદ્યું છે.

એક અહેવાલ અનુસાર વિતેલા 7-8 મહિનાઓમાં નવા ઘર ખરીદવાની ઝડપ પાછલા વર્ષની સરખામણીએ બમણા કરતા પણ વધુ વધી ગઈ છે.

મનેજણાવવામાં આવ્યું છે કે આજે જે યોજના શરુ થઇ રહી છે, તેમાં પણ આ પ્રકારના લોકોની મદદ કરવામાં આવી રહી છે. મહારાષ્ટ્રમાં 85 હજારથી વધુ લોકોને પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત બે હજાર કરોડ રૂપિયાની મદદ મળી ચુકી છે.

સાથીઓ, અમે માત્ર મધ્યમ વર્ગના પોતાના ઘરના સપનાઓને જ સાકાર કરવામાં મદદ નથી કરી રહ્યા પરંતુ તેની સાથે જોડાયેલી બીજી તકલીફોને પણ દુર કરી રહ્યા છીએ.

ચાર વર્ષ પહેલા સુધી કયા કયા પ્રકારની સમસ્યાઓ, પોતાના જીવનભરની કમાણીમાંથી નોંધાવેલ ઘરને મેળવવામાં થતી હતી તેનાથી તમે સારી રીતે પરિચિત છો.

કેટલાક લોકોની મનમાની અને ખોટી નીતિના લીધે કઈ રીતે વર્ષો સુધી તમારું ઘર ફસાયેલું રહેતું હતું. એવું પણ બનતું હતું કે વાયદાઓ તેઓ કંઈક જુદો કરતા હતા અને ડિલીવરી કંઈક જુદી થતી હતી. આ પ્રવૃત્તિને અટકાવવા માટેનો એક મોટો પ્રયાસ અમારી સરકારે કર્યો છે.

આજે રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઑથોરિટી એટલે કે રેરા, દેશના મોટાભાગના રાજ્યોમાં નોટિફાય કરી દેવામાં આવી છે. 21 રાજ્યોમાં તો ટ્રીબ્યુનલ પણ કામ કરી રહ્યા છે.

હું ફડણવીસજીને અભિનંદન આપું છું, કારણ કે મહારાષ્ટ્ર દેશના તે રાજ્યોમાં છે, જેણે સૌથી પહેલા રેરા લાગુ કર્યો છે. દેશભરના આશરે 35 હજાર રિયલ એસ્ટેટ પ્રોજેક્ટ્સ અને 27 હજાર રિયલ એસ્ટેટ એજન્ટ્સ તેમાં નોંધાઈ ચુક્યા છે. તેમાં પણ મહારાષ્ટ્રના સૌથી વધુ પ્રોજેક્ટ્સ સામેલ છે.

સાથીઓ, વિચારો, 70 વર્ષોથી કોઇપણ પ્રકારના કડક અને સ્પષ્ટ કાયદા વિના રિયલ એસ્ટેટ સેક્ટર ચાલી રહ્યું હતું. જો પહેલા જ આ પ્રકારના કાયદા સરકાર બનાવી નાખત તો ઘર ખરીદનારાઓને અદાલતોના આંટાફેરા ન મારવા પડતા અને રિયલ એસ્ટેટ ક્ષેત્ર પણ ઈમાનદારી સાથે વૃદ્ધિ વિકાસ પામી શકતુ.

ભાઈઓ અને બહેનો, નિમ્ન અને મધ્યમ વર્ગનું વીજળીનું બિલ કઈ રીતે ઓછુ થાય, સરકાર તેની માટે પણ સતત પ્રયાસો કરી રહી છે. દેશભરમાં ઉજાલા યોજના અંતર્ગત 30 કરોડથી વધુ એલઈડી બલ્બ વિતરિત કરવામાં આવ્યા છે. જેમાં આશરે સવા બે કરોડ બલ્બ, તેમાંથી મહારાષ્ટ્રમાં વિતરિત કરવામાં આવ્યા છે; જેમાંથી થાણેમાં પણ લાખો બલ્બ આપવામાં આવ્યા છે. જે કામ પહેલા 60 વોટનો બલ્બ કરતો હતો, તે જ આજે 7 કે 8 વોટનો બલ્બ કરી રહ્યો છે. એટલે કે વીજળીની બચત થઇ રહી છે, સથે સાથે બિલ પણ ઓછું આવી રહ્યું છે.

માત્ર આ જ યોજના વડે દેશના તમામ પરિવારોને દર વર્ષે કુલ મળીને આશરે 16 હજાર કરોડ રૂપિયાની બચત થઇ રહી છે. માત્ર મહારાષ્ટ્રમાં જ લોકોનું દર વર્ષે આશરે 1100 કરોડ રૂપિયાનું વીજળીનું બિલ ઓછું થયું છે.

તેવું એટલા માટે થઇ શક્યું કારણ કે અમે એલઈડી બલ્બ પર મિશન મોડ પર કામ કર્યું. કંપનીઓને ઉત્પાદન વધારવા માટે પ્રોત્સાહિત કરી. સ્પર્ધાને પ્રોમોટ કરી, વચેટિયાઓને વચ્ચેથી દુર કર્યા. જેના પગલે ચાર વર્ષ પહેલા જે બલ્બ 250-૩૦૦ રૂપિયાનો મળતો હતો, તે જ આજે 50 રૂપિયા સુધીનો મળવા લાગ્યો છે.

સાથીઓ, કેન્દ્ર સરકાર ‘સૌનો સાથ, સૌનો વિકાસ’ના રસ્તા પર આગળ વધી રહી છે. દેશનો કોઇપણ ખૂણો, કોઈ ગામ અને શહેર, કોઈ વર્ગ વિકાસથી અળગા ન રહી જાય, તેની માટે કામ કરવામાં આવી રહ્યું છે. ગરીબનું જીવન સ્તર ઉપર ઉઠાવવામાં આવે, તેની માટે યોજનાઓ બનાવી અને ચલાવવામાં આવી રહી છે.

ઉજ્જવલા યોજના અંતર્ગત દેશભરમાં ગરીબ બહેનોનું જીવન ધુમાડાથી મુક્ત કરવા અને તેમના સમયની બચત કરવા માટે મફત ગેસના જોડાણો આપવામાં આવી રહ્યા છે.

અત્યાર સુધીમાં 6 કરોડ જોડાણો દેશભરમાં આપી દેવામાં આવ્યા છે. જેમાંથી થાણે સહિત સમગ્ર મહારાષ્ટ્રની 34 લાખથી વધુ બહેનોને મફત ગેસ જોડાણો આપવામાં આવ્યા છે.

સાથીઓ, એવી બહેનો જે પોતાનો નાનો મોટો વેપાર કરવા માંગતી હોય- જેમ કે સલુન હોય, ટેલરીંગ હોય,,કોઈ ભરત-ગુંથણનું કામ હોય, હેન્ડલુમનું કામ હોય, એવું કોઇપણ કામ કરવા માંગતી હોય છે તો તેમની માટે બેંકોના દરવાજા ખુલ્લા છે.

મુદ્રા યોજના અંતર્ગત 50 હજાર રૂપિયાથી લઈને 10 લાખ રૂપિયા સુધીની કોઇપણ બાહેંધરી વિના લોન આપવામાં આવી રહી છે. મહારાષ્ટ્રમાં આશરે સવા કરોડ એવા ધિરાણો આપવામાં આવી ચુક્યા છે જેમાંથી એક કરોડ ધિરાણ તો બહેનોના નામથી ફાળવવામાં આવ્યા છે.

ભાઈઓ અને બહેનો, ગરીબને ગરિમાપૂર્ણ જીવન મળે, મહિલાઓને માન અને સન્માન મળે; એ જ અમારો ધ્યેય પણ છે અને લક્ષ્ય પણ.

બાળકોનું ભણતર, યુવાનોની કમાણી, વડીલોની દવા, ખેડૂતોની સિંચાઈ, જન જનની સુનાવણી; વિકાસની આ પંચધારા પ્રત્યે સરકાર સમર્પિત છે.

અને અંતમાં ફરી એકવાર આપ સૌને વિકાસની નવી પરિયોજનાની માટે ખૂબ-ખૂબ અભિનંદન આપું છું. આટલી મોટી સંખ્યામાં આવીને તમે આશીર્વાદ આપ્યા, તેની માટે હું તમારો આભારી છું.

અહીંથી મારે પુણે જવાનું છે. ત્યાં પણ હજારો કરોડોના પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ અને લોકાર્પણ થવાનું છે. તમે મોટી સંખ્યામાં આ જે તાકત દેખાડી છે, તેની માટે હું તમને અભિનંદન આપું છું.

ખૂબ-ખૂબ આભાર!

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
How NPS transformed in 2025: 80% withdrawals, 100% equity, and everything else that made it a future ready retirement planning tool

Media Coverage

How NPS transformed in 2025: 80% withdrawals, 100% equity, and everything else that made it a future ready retirement planning tool
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
West Bengal must be freed from TMC’s Maha Jungle Raj: PM Modi at Nadia virtual rally
December 20, 2025
Bengal and the Bengali language have made invaluable contributions to India’s history and culture, with Vande Mataram being one of the nation’s most powerful gifts: PM Modi
West Bengal needs a BJP government that works at double speed to restore the state’s pride: PM in Nadia
Whenever BJP raises concerns over infiltration, TMC leaders respond with abuse, which also explains their opposition to SIR in West Bengal: PM Modi
West Bengal must now free itself from what he described as Maha Jungle Raj: PM Modi’s call for “Bachte Chai, BJP Tai”

आमार शोकोल बांगाली भायों ओ बोनेदेर के…
आमार आंतोरिक शुभेच्छा

साथियो,

सर्वप्रथम मैं आपसे क्षमाप्रार्थी हूं कि मौसम खराब होने की वजह से मैं वहां आपके बीच उपस्थित नहीं हो सका। कोहरे की वजह से वहां हेलीकॉप्टर उतरने की स्थिति नहीं थी इसलिए मैं आपको टेलीफोन के माध्यम से संबोधित कर रहा हूं। मुझे ये भी जानकारी मिली है कि रैली स्थल पर पहुंचते समय खराब मौसम की वजह से भाजपा परिवार के कुछ कार्यकर्ता, रेल हादसे का शिकार हो गए हैं। जिन बीजेपी कार्यकर्ताओं की दुखद मृत्यु हुई है, उनके परिवारों के प्रति मेरी संवेदनाएं हैं। जो लोग इस हादसे में घायल हुए हैं, मैं उनके जल्द स्वस्थ होने की कामना करता हूं। दुख की इस घड़ी में हम सभी पीड़ित परिवार के साथ हैं।

साथियों,

मैं पश्चिम बंगाल बीजेपी से आग्रह करूंगा कि पीड़ित परिवारों की हर तरह से मदद की जाए। दुख की इस घड़ी में हम सभी पीड़ित परिवारों के साथ हैं। साथियों, हमारी सरकार का निरंतर प्रयास है कि पश्चिम बंगाल के उन हिंस्सों को भी आधुनिक कनेक्टिविटी मिले जो लंबे समय तक वंचित रहे हैं। बराजगुड़ी से कृष्णानगर तक फोर लेन बनने से नॉर्थ चौबीस परगना, नदिया, कृष्णानगर और अन्य क्षेत्र के लोगों को बहुत लाभ होगा। इससे कोलकाता से सिलीगुडी की यात्रा का समय करीब दो घंटे तक कम हो गया है आज बारासात से बराजगुड़ी तक भी फोर लेन सड़क पर भी काम शुरू हुआ है इन दोनों ही प्रोजेक्ट से इस पूरे क्षेत्र में आर्थिक गतिविधियों और पर्यटन का विस्तार होगा।

साथियों,

नादिया वो भूमि है जहाँ प्रेम, करुणा और भक्ति का जीवंत स्वरूप...श्री चैतन्य महाप्रभु प्रकट हुए। नदिया के गाँव-गाँव में... गंगा के तट-तट पर...जब हरिनाम संकीर्तन की गूंज उठती थी तो वह केवल भक्ति नहीं होती थी...वह सामाजिक एकता का आह्वान होती थी। होरिनाम दिये जोगोत माताले...आमार एकला निताई!! यह भावना...आज भी यहां की मिट्टी में, यहां के हवा-पानी में... और यहाँ के जन-मन में जीवित है।

साथियों,

समाज कल्याण के इस भाव को...हमारे मतुआ समाज ने भी हमेशा आगे बढ़ाया है। श्री हरीचांद ठाकुर ने हमें 'कर्म' का मर्म सिखाया...श्री गुरुचांद ठाकुर ने 'कलम' थमाई...और बॉरो माँ ने अपना मातृत्व बरसाया...इन सभी महान संतानों को भी मैं नमन करता हूं।

साथियों,

बंगाल ने, बांग्ला भाषा ने...भारत के इतिहास, भारत की संस्कृति को निरंतर समृद्ध किया है। वंदे मातरम्...ऐसा ही एक श्रेष्ठ योगदान है। वंदे मातरम् का 150 वर्ष पूरे होने का उत्सव पूरा देश मना रहा है हाल में ही, भारत की संसद ने वंदे मातरम् का गौरवगान किया। पश्चिम बंगाल की ये धरती...वंदे मातरम् के अमरगान की भूमि है। इस धरती ने बंकिम बाबू जैसा महान ऋषि देश को दिया... ऋषि बंकिम बाबू ने गुलाम भारत में वंदे मातरम् के ज़रिए, नई चेतना पैदा की। साथियों, वंदे मातरम्…19वीं सदी में गुलामी से मुक्ति का मंत्र बना...21वीं सदी में वंदे मातरम् को हमें राष्ट्र निर्माण का मंत्र बनाना है। अब वंदे मातरम् को हमें विकसित भारत की प्रेरणा बनाना है...इस गीत से हमें विकसित पश्चिम बंगाल की चेतना जगानी है। साथियों, वंदे मातरम् की पावन भावना ही...पश्चिम बंगाल के लिए बीजेपी का रोडमैप है।

साथियों,

विकसित भारत के इस लक्ष्य की प्राप्ति में केंद्र सरकार हर देशवासी के साथ कंधे से कंधा मिलाकर चल रही है। भाजपा सरकार ऐसी नीतियां बना रही है, ऐसे निर्णय ले रही है जिससे हर देशवासी का सामर्थ्य बढ़े आप सब भाई-बहनों का सामर्थ्य बढ़े। मैं आपको एक उदाहरण देता हूं। कुछ समय पहले...हमने GST बचत उत्सव मनाया। देशवासियों को कम से कम कीमत में ज़रूरी सामान मिले...भाजपा सरकार ने ये सुनिश्चित किया। इससे दुर्गापूजा के दौरान... अन्य त्योहारों के दौरान…पश्चिम बंगाल के लोगों ने खूब खरीदारी की।

साथियों,

हमारी सरकार यहां आधुनिक इंफ्रास्ट्रक्चर पर भी काफी निवेश कर रही है। और जैसा मैंने पहले बताया पश्चिम बंगाल को दो बड़े हाईवे प्रोजेक्ट्स मिले हैं। जिससे इस क्षेत्र की कोलकाता और सिलीगुड़ी से कनेक्टिविटी और बेहतर होने वाली है। साथियों, आज देश...तेज़ विकास चाहता है...आपने देखा है... पिछले महीने ही...बिहार ने विकास के लिए फिर से एनडीए सरकार को प्रचंड जनादेश दिया है। बिहार में भाजपा-NDA की प्रचंड विजय के बाद... मैंने एक बात कही थी...मैंने कहा था... गंगा जी बिहार से बहते हुए ही बंगाल तक पहुंचती है। तो बिहार ने बंगाल में भाजपा की विजय का रास्ता भी बना दिया है। बिहार ने जंगलराज को एक सुर से एक स्वर से नकार दिया है... 20 साल बाद भी भाजपा-NDA को पहले से भी अधिक सीटें दी हैं... अब पश्चिम बंगाल में जो महा-जंगलराज चल रहा है...उससे हमें मुक्ति पानी है। और इसलिए... पश्चिम बंगाल कह रहा है... पश्चिम बंगाल का बच्चा-बच्चा कह रहा है, पश्चिम बंगाल का हर गांव, हर शहर, हर गली, हर मोहल्ला कह रहा है... बाचते चाई….बीजेपी ताई! बाचते चाई बीजेपी ताई

साथियो,

मोदी आपके लिए बहुत कुछ करना चाहता है...पश्चिम बंगाल के विकास के लिए न पैसे की कमी है, न इरादों की और न ही योजनाओं की...लेकिन यहां ऐसी सरकार है जो सिर्फ कट और कमीशन में लगी रहती है। आज भी पश्चिम बंगाल में विकास से जुड़े...हज़ारों करोड़ रुपए के प्रोजेक्ट्स अटके हुए हैं। मैं आज बंगाल की महान जनता जनार्दन के सामने अपनी पीड़ा रखना चाहता हूं, और मैं हृदय की गहराई से कहना चाहता हूं। आप सबकों ध्यान में रखते हुए कहना चाहता हूं और मैं साफ-साफ कहना चाहता हूं। टीएमसी को मोदी का विरोध करना है करे सौ बार करे हजार बार करे। टीएमसी को बीजेपी का विरोध करना है जमकर करे बार-बार करे पूरी ताकत से करे लेकिन बंगाल के मेरे भाइयों बहनों मैं ये नहीं समझ पा रहा हूं कि पश्चिम बंगाल के विकास को क्यों रोका जा रहा है? और इसलिए मैं बार-बार कहता हूं कि मोदी का विरोध भले करे लेकिन बंगाल की जनता को दुखी ना करे, उनको उनके अधिकारों से वंचित ना करे उनके सपनों को चूर-चूर करने का पाप ना करे। और इसलिए मैं पश्चिम बंगाल की प्रभुत्व जनता से हाथ जोड़कर आग्रह कर रहा हूं, आप बीजेपी को मौका देकर देखिए, एक बार यहां बीजेपी की डबल इंजन सरकार बनाकर देखिए। देखिए, हम कितनी तेजी से बंगाल का विकास करते हैं।

साथियों,

बीजेपी के ईमानदार प्रयास के बीच आपको टीएमसी की साजिशों से भी उसके कारनामों से भी सावधान रहना होगा टीएमसी घुसपैठियों को बचाने के लिए पूरा जोर लगा रही है बीजेपी जब घुसपैठियों का सवाल उठाती है तो टीएमसी के नेता हमें गालियां देते हैं। मैंने अभी सोशल मीडिया में देखा कुछ जगह पर कुछ लोगों ने बोर्ड लगाया है गो-बैक मोदी अच्छा होता बंगाल की हर गली में हर खंबे पर ये लिखा जाता कि गो-बैक घुसपैठिए... गो-बैक घुसपैठिए, लेकिन दुर्भाग्य देखिए गो-बैक मोदी के लिए बंगाल की जनता के विरोधी नारे लगा रहे हैं लेकिन गो-बैक घुसपैठियों के लिए वे चुप हो जाते हैं। जिन घुसपैठियों ने बंगाल पर कब्जा करने की ठान रखी है...वो TMC को सबसे ज्यादा प्यारे लगते हैं। यही TMC का असली चेहरा है। TMC घुसपैठियों को बचाने के लिए ही… बंगाल में SIR का भी विरोध कर रही है।

साथियों,

हमारे बगल में त्रिपुरा को देखिए कम्युनिस्टों ने लाल झंडे वालों ने लेफ्टिस्टों ने तीस साल तक त्रिपुरा को बर्बाद कर दिया था, त्रिपुरा की जनता ने हमें मौका दिया हमने त्रिपुरा की जनता के सपनों के अनुरूप त्रिपुरा को आगे बढ़ाने का प्रयास किया बंगाल में भी लाल झंडेवालों से मुक्ति मिली। आशा थी कि लेफ्टवालों के जाने के बाद कुछ अच्छा होगा लेकिन दुर्भाग्य से टीएमसी ने लेफ्ट वालों की जितनी बुराइयां थीं उन सारी बुराइयों को और उन सारे लोगों को भी अपने में समा लिया और इसलिए अनेक गुणा बुराइयां बढ़ गई और इसी का परिणाम है कि त्रिपुरा तेज गते से बढ़ रहा है और बंगाल टीएमसी के कारण तेज गति से तबाह हो रहा है।

साथियो,

बंगाल को बीजेपी की एक ऐसी सरकार चाहिए जो डबल इंजन की गति से बंगाल के गौरव को फिर से लौटाने के लिए काम करे। मैं आपसे बीजेपी के विजन के बारे में विस्तार से बात करूंगा जब मैं वहां खुद आऊंगा, जब आपका दर्शन करूंगा, आपके उत्साह और उमंग को नमन करूंगा। लेकिन आज मौसम ने कुछ कठिनाइंया पैदा की है। और मैं उन नेताओं में से नहीं हूं कि मौसम की मूसीबत को भी मैं राजनीति के रंग से रंग दूं। पहले बहुत बार हुआ है।

मैं जानता हूं कि कभी-कभी मौसम परेशान करता है लेकिन मैं जल्द ही आपके बीच आऊंगा, बार-बार आऊंगा, आपके उत्साह और उमंग को नमन करूंगा। मैं आपके लिए आपके सपनों को पूरा करने के लिए, बंगाल के उज्ज्वल भविष्य के लिए पूरी शक्ति के साथ कंधे से कंधा मिलाकर के आपके साथ काम करूंगा। आप सभी को मेरा बहुत-बहुत धन्यवाद।

मेरे साथ पूरी ताकत से बोलिए...

वंदे मातरम्..

वंदे मातरम्..

वंदे मातरम्

बहुत-बहुत धन्यवाद