પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે કાર-નિકોબારનો પ્રવાસ કર્યો હતો.
તેમણે સુનામી સ્મારક પર પુષ્પાંજલિ અર્પણ કરી હતી અને વોલ ઑફ લોસ્ટ સોલ પર મીણબત્તી પ્રજ્વલિત કર હતી.
તેમણે જનજાતિઓનાં પ્રમુખો અને ટાપુ સમૂહોનાં પ્રસિદ્ધ ખેલાડીઓ સાથે વાતચીત કરી હતી.
![](https://cdn.narendramodi.in/cmsuploads/0.46039900_1546159604_684-1-pm-in-car.jpg)
એક જાહેર સભામાં તેમણે અરોંગમાં આઈટીઆઈ તથા એક આધુનિક બાગ સંકુલનું ઉદઘાટન કર્યું હતું.
તેમણે મસ જટ્ટી નજીક દરિયાકિનારાની સુરક્ષા અને કેમ્પબેલની ખાડી જટ્ટીનાં વિસ્તાર કાર્યનું શિલારોપણ કર્યું હતું.
![](https://cdn.narendramodi.in/cmsuploads/0.13728100_1546158673_684-6-pm-modi.jpg)
આ પ્રસંગે પ્રધાનમંત્રીએ ટાપુ સમૂહની ભવ્ય કુદરતી સુંદરતા, સંસ્કૃતિ, પરંપરા અને કળાઓની ચર્ચા કરી હતી. ટાપુ સમૂહોની પારિવારિક અને સામૂહિક પરંપરાઓનો ઉલ્લેખ કરીને તેમણે કહ્યું હતું કે, આ પરંપરાઓ ભારતીય સમાજની લાંબા સમયથી તાકાત રહી છે.
![](https://cdn.narendramodi.in/cmsuploads/0.02411200_1546158699_684-7-pm-modi.jpg)
પ્રધાનમંત્રીએ આ સમારંભમાં પહોંચતા અગાઉ સુનામી સ્મારક – વોલ ઑફ લોસ્ટ સોલ્સની પોતાનાં પ્રવાસની વાત પણ કરી હતી. તેમણે નિકોબાર ટાપુ સમૂહનાં લોકોની ભાવના અને સુનામી પછી ટાપુ સમૂહનાં નિર્માણમાં તેમની મહેનતની પ્રશંસા કરી હતી.
![](https://cdn.narendramodi.in/cmsuploads/0.28980800_1546158720_684-5-pm-modi.jpg)
તેમણે કહ્યું હતું કે, આજે જે યોજનાઓનું અનાવરણ થયું છે, એ શિક્ષણ, સ્વાસ્થ્ય, રોજગાર, કૌશલ્ય વિકાસ, પરિવહન, વીજળી, રમતગમત અને પર્યટન જેવા ક્ષેત્રોનાં વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા અદા કરશે.
![](https://cdn.narendramodi.in/cmsuploads/0.16143000_1546158747_684-8-pm-modi.jpg)
પ્રધાનમંત્રીએ વિકાસની દિશામાં ચાલી રહેલી આ સફરમાં કોઈને પણ અથવા દેશનાં કોઈ પણ ભાગને પાછળ ન રાખવાની પોતાની સરકારનાં સંકલ્પનું પુનરાવર્તન કર્યું હતું. તેમણે કહ્યું હતું કે, અમારો ઉદ્દેશ ખામીઓને દૂર કરવાનો અને હૃદયમાં ઘનિષ્ઠતાની ભાવનાનો વિકાસ કરવાનો છે.
![](https://cdn.narendramodi.in/cmsuploads/0.86229900_1546158764_684-3-pm-modi.jpg)
તેમણે કહ્યું હતું કે, દરિયાઈ દિવાલ તૈયાર થઈ ગયા પછી આ કાર-નિકોબાર ટાપુ સમૂહોની સુરક્ષામાં મદદગાર થશે. તેમણે કહ્યું હતું કે, આઇટીઆઈ ટાપુ સમૂહનાં યુવાનોનાં કૌશલ્યની સાથે અધિકાર સંપન્ન બનાવવામાં મદદ કરશે. નિકોબાર ટાપુ સમૂહનાં યુવાનોની રમતગમતની પ્રતિભા વિશે ચર્ચા કરી પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, આધુનિક રમતગમત સંકુલ તેમનાં કૌશલ્યને વિકસાવવામાં મદદ કરશે. તેમણે કહ્યું હતું કે, ભવિષ્યમાં અને વધારે રમતગમત માળખાઓનું નિર્માણ કરશે.
![](https://cdn.narendramodi.in/cmsuploads/0.09591200_1546158782_684-4-pm-modi.jpg)
પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, કેન્દ્ર સરકાર આંદમાન અને નિકાબોર ટાપુ સમૂહનાં લોકોનાં જીવનની સરળતા વધારવાની દિશામાં કામ કરી રહી છે.
![](https://cdn.narendramodi.in/cmsuploads/0.75777500_1546158812_684-2-pm-modi.jpg)
પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, અમારો પ્રયાસ પર્યાવરણ અને સ્થાનિક સંસ્કૃતિને સંરક્ષિત કરીને વિકાસ કામ શરૂ કરવાનો છે.
પ્રધાનમંત્રીએ કૃષિ ક્ષેત્રની ચર્ચા કરીને કોપરાનાં સમર્થન મૂલ્યમાં વૃદ્ધિ વિશે જણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે, સરકાર મત્સ્ય પાલન ઉદ્યોગ સાથે જોડાયેલા લોકોને સશક્ત બનાવવાની દિશામાં કાર્ય કરી રહી છે. તેમણે જણાવ્યું હતું કે, મત્સ્યપાલન ક્ષેત્રને વધારે લાભદાયક બનાવવા માટે તાજેતરમાં 7,000 કરોડ રૂપિયાની રકમ મંજૂર કરવામાં આવી છે. તેમણે જણાવ્યું હતું કે, દરિયાની નજીકનાં વિસ્તારો આપણી બ્લૂ રિવોલ્યુશનનું કેન્દ્ર બની શકે છે. તેમણે કહ્યું હતું કે, દરિયાઈ શેવાળની ખેતીને પ્રોત્સાહન આપવામાં આવે છે અને આધુનિક હોડીઓની ખરીદી માટે માછીમારોને નાણાકીય સહાયતા કરવામાં આવે છે. તેમણે જણાવ્યું હતું કે, ભારત સૌર ઊર્જાને ઉપયોગમાં લાવવા માટે સતત પ્રયાસ કરી રહ્યો છે. આ સંદર્ભમાં તેમણે આંતરરાષ્ટ્રીય સૌર ગઠબંધનનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, દરિયાકિનારાનાં વિસ્તારોમાં નવીનીકરણ ઊર્જા સર્જનની પ્રચૂર સંભાવના છે. તેમણે આ દિશામાં કાર નિકાબોરમાં થઈ રહેલાં પ્રયાસોનો ઉલ્લેખ કર્યો હતો.
પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, નિકોબાર ટાપુ સમૂહ અને નજીકની મલ્લકાની ખાડીની આ સંપૂર્ણ વિસ્તાર સંસાધનો અને સુરક્ષા બંને દ્રષ્ટિએ મહત્ત્વપૂર્ણ છે. તેમણે કહ્યું હતું કે, એને ધ્યાનમાં રાખીને ઉપર્યુક્ત માલ પરિવહન માળખાનો વિકાસ થઈ રહ્યો છે. તેમણે કેમ્પબેલ ખાડીની જેટી અને મસ જેટી માટે થઈ રહેલા વિકાસ કાર્યોની ચર્ચા કરી હતી.
પ્રધાનમંત્રીએ ટાપુ સમૂહનાં વિકાસ માટે પોતાની સરકારની પ્રતિબદ્ધતાનું પુનરાવર્તન કર્યું હતું.
मैं कल काशी में था और आज यहां विराट समंदर की गोद में आप सभी के बीच मौजूद हूं
— PMO India (@PMOIndia) December 30, 2018
मां गंगा अपनी पवित्रता से जिस प्रकार भारत के जन-मानस को आशीर्वाद देती रही है,
उसी प्रकार ये सागर अनंत काल से मां-भारती के चरणों का वंदन कर रहा है, राष्ट्र की सुरक्षा और सामर्थ्य को ऊर्जा दे रहा है: PM
आपके पास प्रकृति का अद्भुत खज़ाना तो है ही, आपकी संस्कृति, परंपरा, कला और कौशल भी बेहतरीन है।
— PMO India (@PMOIndia) December 30, 2018
थोड़ी देर पहले यहां पर जो नृत्य प्रस्तुत किया गया, बच्चों ने जो कला का प्रदर्शन किया, वो दिखाता है कि भारत की सांस्कृतिक संपन्नता हिंद महासागर जितनी ही विराट है: PM
ये देश के विकास के लिए हमारी उस सोच का विस्तार है, जिसके मूल में Infrastructure है, Connectivity है।
— PMO India (@PMOIndia) December 30, 2018
सबका साथ, सबका विकास, यानि विकास से देश का कोई नागरिक भी ना छूटे और कोई कोना भी अछूता ना रहे, इसी भावना का ये प्रकटीकरण है: PM
सुरक्षा के साथ-साथ कार-निकोबार में विकास की पंचधारा बहे, बच्चों को पढ़ाई, युवाओं को कमाई, बुजुर्गों को दवाई, किसानों को सिंचाई, जन-जन की सुनवाई, ये सभी सुविधाएं मिलें, इसके लिए भी काम किया जा रहा है: PM
— PMO India (@PMOIndia) December 30, 2018
कार-निकोबार के युवा पारंपरिक रोज़गार के साथ-साथ आज शिक्षा, चिकित्सा और दूसरे कामों में भी आगे बढ़ रहे हैं।
— PMO India (@PMOIndia) December 30, 2018
स्पोर्ट्स की स्किल तो यहां के युवा साथियों में रची-बसी है। कार-निकोबार फुटबॉल समेत अनेक खेलों में देश के बेहतरीन स्पोर्टिंग टैलेंट के लिए भी मशहूर हो रहा है: PM
केंद्र सरकार अंडमान और निकोबार में रहने वाले हर नागरिक के लिए जीवन से जुड़ी हर व्यवस्था को आसान करने में जुटी है।
— PMO India (@PMOIndia) December 30, 2018
सस्ता राशन हो, स्वच्छ पानी हो, गैस कनेक्शन हो, केरोसिन हो, हर सुविधा को आसान करने का प्रयास किया जा रहा है: PM
केंद्र सरकार हमारे मछुआरों को सशक्त करने में जुटी है।
— PMO India (@PMOIndia) December 30, 2018
हाल में ही देश में मछलीपालन को लाभकारी व्यवसाय बनाने के लिए 7 हज़ार करोड़ रुपए के एक विशेष फंड का प्रावधान किया गया है।
इसके तहत मछुआरों को उचित दरों पर ऋण उपलब्ध कराया जा रहा है: PM
कार-निकोबार के पर्यावरण को संरक्षित रखते हुए, सौर ऊर्जा की संभावनाओं को तलाशा जा रहा है, तराशा जा रहा है।
— PMO India (@PMOIndia) December 30, 2018
आज भारत दुनिया के उन देशों में है जहां सौर ऊर्जा का उत्पादन और उपयोग सबसे तेज़ी से बढ़ रहा है। सौर ऊर्जा से देश को सस्ती और ग्रीन एनर्जी देने के लिए हम प्रतिबद्ध हैं: PM
देश की ज़रूरतों को ध्यान में रखते हुए यहां Trans-shipment Port की आधारशिला आज रखी गई है। इस परियोजना से खाड़ी के दक्षिणी हिस्से में नए उद्यमों के लिए अवसर बनेंगे।
— PMO India (@PMOIndia) December 30, 2018
इसी के साथ सागरमाला योजना के तहत देशभर के समुद्री तटों को विकसित करने की बड़ी योजना चल रही है: PM
कार-निकोबार में कैंबल बे में करीब 50 करोड़ रुपए की लागत से कैंबल बे जेट्टी का विस्तार करीब डेढ़ सौ किलोमीटर तक किए जाने का निर्णय लिया गया है।
— PMO India (@PMOIndia) December 30, 2018
इसके साथ-साथ मूस जेट्टी की गहराई बढ़ाने के लिए भी योजना बनाई गई है, ताकि यहां बड़े जहाज़ों को रुकने में मुश्किल ना हो: PM