પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે 1000 MWનો નવી નેવેલી થર્મલ ઉર્જા પરિયોજના અને NLCILની 709 MWની સૌર ઉર્જા પરિયોજના રાષ્ટ્રને સમર્પિત કરી હતી. તેમણે વી.ઓ. ચિદમ્બરમ બંદર ખાતે ગ્રીડ સાથે જોડાયેલા જમીન આધારિત 5 MWના સૌર ઉર્જા પ્લાન્ટની ડિઝાઇન, પૂરવઠા, ઇન્સ્ટોલેશન અને તેને કાર્યાન્વિત કરવા માટે શિલાન્યાસ કર્યો હતો અને લોઅર ભવાની પરિયોજના પ્રણાલીના વિસ્તરણ, નવીનીકરણ અને આધુનિકીકરણ માટે પણ શિલાન્યાસ કર્યો હતો. તેમણે કોઇમ્બતૂર, મદુરાઇ, સાલેમ, તંજાવુર, વેલ્લોર, તિરુચિરાપલ્લી, તીરુપ્પુર, તિરુનેલવેલી અને થુથૂકુડી સહિત નવ સ્માર્ટ શહેરોમાં એકીકૃત કમાન્ડ અને નિયંત્રણ કેન્દ્રો (ICCC) વિકસાવવા માટે પણ શિલાન્યાસ કર્યો હતો. તેમણે વી.ઓ. ચિદમ્બરમ બંદર ખાતે કોરમપલ્લમ પુલના આઠ લેન અને રેલ ઓવર બ્રીજ (ROB) અને પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી) અંતર્ગત બાંધવામાં આવેલા આવાસોનું પણ ઉદ્ઘાટન કર્યુ હતું. આ પ્રસંગે તમિલનાડુના રાજ્યપાલ, મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી તેમજ કેન્દ્રીય મંત્રી શ્રી પ્રહલાદ જોશી ઉપસ્થિત રહ્યાં હતા.

આ કાર્યક્રમમાં સંબોધન આપતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, કોઇમ્બતૂર ઉદ્યોગો અને આવિષ્કારોનું શહેર છે. તેમણે કહ્યું હતું કે, આજે શરૂ કરવામાં આવેલા વિકાસના કાર્યોથી કોઇમ્બતૂર તેમજ સમગ્ર તમિલનાડુને લાભ થશે.

 

|

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ભવાની સાગર ડેમના આધુનિકીકરણથી 2 લાખ એકરથી વધારે જમીનમાં સિંચાઇ થશે અને કેટલાય જિલ્લાના ખેડૂતોને આ પરિયોજનાથી લાભ પ્રાપ્ત થશે. તેમણે તમિલનાડુ દ્વારા ભારતના ઔદ્યોગિક વિકાસમાં આપવામાં આવેલા મોટા યોગદાન બદલ આ રાજ્યની પ્રશંસા કરી હતી. તેમણે કેટલીક મોટી ઉર્જા પરિયોજનાઓનું ઉદ્ધાટન કરતી વખતે ખુશીની લાગણી વ્યક્ત કરી હતી કારણ કે, ઔદ્યોગિક વિકાસની પાયાની જરૂરિયાતોમાંથી એક અવિરત વીજ પુરવઠો પણ છે. તેમણે કહ્યું હતું કે, 709 MW સૌર ઉર્જા પરિયોજના સ્વદેશી ધોરણે તૈયાર કરવામાં આવી છે અને રૂપિયા 3000 કરોડ આ પરિયોજના પાછળ ખર્ચ કરવામાં આવ્યા છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, રૂપિયા 7,800 કરોડના ખર્ચે વધુ એક 1,000 MW થર્મલ પાવર પરિયોજનાનું નિર્માણ કરવામાં આવ્યું છે જેનાથી તમિલનાડુને ખૂબ જ મોટો લાભ પ્રાપ્ત થશે. તેમણે ઉમેર્યું હતું કે, ઉત્પાદિત થયેલી કુલ વીજળીમાંથી 65% કરતા વધારે વીજળી તમિલનાડુને આપવામાં આવશે.

પ્રધાનમંત્રીએ થૂથુકુડીમાં વી.ઓ. ચિદમ્બરમ બંદર ખાતે વિવિધ પરિયોજનાઓનો પણ પ્રારંભ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, તમિલનાડુ સમુદ્રી વેપાર અને બંદરો આધારિત વિકાસનો કિર્તીપૂર્ણ ઇતિહાસ ધરાવે છે. આજે શરૂ કરવામાં આવેલી પરિયોજનાઓથી આ બંદરની માલસામાનનું સંચાલન કરવાની ક્ષમતામાં હજુ વધારો થશે તેમજ તેના કારણે હરિત બંદર પહેલને પણ સમર્થન મળશે. તેમણે નોંધ્યું હતું કે, કાર્યદક્ષ બંદરો ભારતને આત્મનિર્ભર બનાવવામાં અને વેપારનું વૈશ્વિક કેન્દ્ર બનાવવામાં તેમજ લોજિસ્ટિક્સ માટે યોગદાન આપે છે. શ્રી મોદીએ મહાન સ્વાતંત્ર્ય સેનાની વી.ઓ. ચિદમ્બરમને શ્રદ્ધાંજલી પણ અર્પણ કરી હતી. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, “ગતિશિલ ભારતીય જહાજ ઉદ્યોગ અને સમુદ્રી વિકાસ માટે તેમની દૂરંદેશી આપણને ખૂબ જ સારી પ્રેરણા આપે છે.” તેમણે ખુશી વ્યક્ત કરી હતી કે, વી.ઓ. ચિદમ્બરમ બંદરે રૂપિયા 20 કરોડના ખર્ચે ગ્રીડ સાથે જોડાયેલો જમીન આધારિત 5 MWનો સૌર ઉર્જા પ્લાન્ટ ઉપાડ્યો છે અને 140 KW રૂફટોપ સૌર પરિયોજનાના ઇન્સ્ટોલેશનનું કામ પણ પ્રગતી હેઠળ છે. તેમણે આ કાર્યોને ઉર્જા આત્મનિર્ભરતાના દૃષ્ટાંત સમાન ગણાવ્યા હતા.

|

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, ભારત સરકારની બંદર આધારિત વિકાસ માટેની કટિબદ્ધતા સાગરમાલા યોજનામાં દેખાઇ આવે છે. કુલ રૂપિયા છ લાખ કરોડથી વધારે ખર્ચે અંદાજે 575 પરિયોજનાઓ 2015-2035 સુધીમાં અમલીકરણ માટે ઓળખી કાઢવામાં આવી છે. પ્રધાનમંત્રીએ માહિતી આપી હતી કે, આ કાર્યોમાં બંદરનું આધુનિકીકરણ, નવા બંદરનો વિકાસ, બંદરની કનેક્ટિવિટીમાં વધારો, બંદર સાથે સંકળાયેલ ઔદ્યોગિકીકરણ અને સમુદ્રકાંઠાના સમુદાયોનો વિકાસ વગેરે સામેલ છે. તેમણે એવી પણ માહિતી આપી હતી કે, ચેન્નઇમાં શ્રીપેરુમ્બુદુર નજીક નવો બહુવિધ-મોડલ લોજિસ્ટિક્સ પાર્ક મેપ્પેડુ ખાતે શરૂ થઇ રહ્યો છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, કોરમપલ્લમ પુલના 8 લેનનું કાર્ય અને રેલ ઓવર બ્રીજનું કાર્ય પણ ‘સાગરમાલા કાર્યક્રમ’ અંતર્ગત હાથ ધરવામાં આવ્યું હતું. આ પરિયોજનાથી બંદર પર આવનજાવન કરવા માટે સળંગ અને ગીચતા મુક્ત પરિવહનની સુવિધા પ્રાપ્ત થશે. શ્રી મોદીએ જણાવ્યું હતું કે, આના કારણે માલવહન કરતી ટ્રેકોના ફેરાના સમયમાં પણ ઘટાડો થઇ જશે.

શ્રી મોદીએ જણાવ્યું હતું કે, વિકાસના મૂળમાં દરેક વ્યક્તિના આત્મ ગૌરવને સુનિશ્ચિત કરવાની ભાવના છે. તેમણે ઉમેર્યું હતું કે, “આત્મ ગૌરવ સુનિશ્ચિત કરવાની પાયાની રીતોમાંથી એક દરેક વ્યક્તિને આશ્રય પૂરો પાડવાની છે. આપણા લોકોના સપનાં અને મહત્વાકાંક્ષાઓને પાંખો આપવા માટે પ્રધાનમંત્રી આવાસ યોજનાનો પ્રારંભ કરવામાં આવ્યો છે.” તેમણે અહીં કેટલાક વિસ્તારોમાં બાંધવામાં આવેલા 4,144 આવાસોનું ઉદ્ઘાટન કરતી વખતે અને સમગ્ર તમિલનાડુમાં સ્માર્ટ સિટીઓમાં એકીકૃત કમાન્ડ અને નિયંત્રણ કેન્દ્રનો શિલાન્યાસ કરતી વખતે ખુશી વ્યક્ત કરી હતી. તેમણે એમ પણ કહ્યું હતું કે, આ પરિયોજનાનો કુલ ખર્ચ રૂપિયા 332 કરોડ છે અને આ મકાનો એવા લોકોને આપવામાં આવશે જેઓ આઝાદીના 70 વર્ષ પછી પણ ઘરથી વંચિત છે. તેમણે કહ્યું હતું કે, એકીકૃત કમાન્ડ અને નિયંત્રણ કેન્દ્રો આ તમામ શહેરોમાં વિવિધ સેવાઓનું સંચાલન કરવા માટે બૌદ્ધિકતાપૂર્ણ અને એકીકૃત IT ઉકેલો પૂરાં પાડશે.

 

  • शिवकुमार गुप्ता February 18, 2022

    जय माँ भारती
  • शिवकुमार गुप्ता February 18, 2022

    जय भारत
  • शिवकुमार गुप्ता February 18, 2022

    जय हिंद
  • शिवकुमार गुप्ता February 18, 2022

    जय श्री राम
  • शिवकुमार गुप्ता February 18, 2022

    जय श्री सीताराम
Explore More
દરેક ભારતીયનું લોહી ઉકળી રહ્યું છે: મન કી બાતમાં વડાપ્રધાન મોદી

લોકપ્રિય ભાષણો

દરેક ભારતીયનું લોહી ઉકળી રહ્યું છે: મન કી બાતમાં વડાપ્રધાન મોદી
'Operation Sindoor on, if they fire, we fire': India's big message to Pakistan

Media Coverage

'Operation Sindoor on, if they fire, we fire': India's big message to Pakistan
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
PM Modi's address to the nation
May 12, 2025
QuoteToday, every terrorist knows the consequences of wiping Sindoor from the foreheads of our sisters and daughters: PM
QuoteOperation Sindoor is an unwavering pledge for justice: PM
QuoteTerrorists dared to wipe the Sindoor from the foreheads of our sisters; that's why India destroyed the very headquarters of terror: PM
QuotePakistan had prepared to strike at our borders,but India hit them right at their core: PM
QuoteOperation Sindoor has redefined the fight against terror, setting a new benchmark, a new normal: PM
QuoteThis is not an era of war, but it is not an era of terrorism either: PM
QuoteZero tolerance against terrorism is the guarantee of a better world: PM
QuoteAny talks with Pakistan will focus on terrorism and PoK: PM

પ્રિય દેશવાસીઓ,

નમસ્કાર!...

આપણે સૌએ વિતેલા દિવસોમાં દેશનું સામર્થ્ય અને તેનો સંયમ બંને જોયા છે.

હું સૌને પહેલા ભારતના પરાક્રમી સેનાઓને,

સશસ્ત્ર દળોને...

આપણી ગુપ્તચર એજન્સીઓને....

અને આપણા વૈજ્ઞાનિકોને...

 

તમામ ભારતવાસીઓ તરફથી સલામ કરું છું.

આપણા વીર સૈનિકોએ ઓપરેશન સિંદૂરના લક્ષ્યો પ્રાપ્ત કરવા માટે અસીમ શૌર્ય બતાવ્યું છે.

હું તેમની વીરતાને... તેમના સાહસને... તેમના પરાક્રમને... આજે સમર્પિત કરું છું...

 

આપણા દેશની માતાઓને...

દેશની દરેક બહેનને...

અને દેશની દરેક દીકરીને આ પરાક્રમ સમર્પિત કરું છું.

 

સાથીઓ,

22 એપ્રિલે પહેલગામમાં આતંકવાદીઓએ જે બર્બરતા બતાવી હતી, તેમનાથી દેશ અને દુનિયા હચમચી ગયા હતા.

રજાઓ વિતાવવા આવેલા નિર્દોષ- માસૂમ નાગિરકોને

ધર્મ પૂછીને...

તેમના પરિવારની સામે જ,

તેમના બાળકોની સામે...

નિર્દયતાપૂર્વક મારી નાખ્યા..

આ આંતકનો ખૂબ જ બિભત્સ ચહેરો હતો.. ક્રૂરતા હતી...

આ દેશના સદભાવને તોડવાનો કાયરતાપૂર્ણ પ્રયાસ પણ હતો.

મારા માટે વ્યક્તિગતરૂપે આ પીડા ખૂબ જ મોટી હતી.

 

આ આતંકી હુમલા પછી આખો દેશ...

દરેક નાગરિક... દરેક સમાજ... દરેક વર્ગ... દરેક રાજકીય પક્ષ...

એક સૂરમાં... આતંકની સામે આકરી કાર્યવાહી કરવા માટે ઉભા થયા...

આપણે આતંકવાદીઓને માટીમાં મિલાવી તેવા માટે ભારતની સેનાઓને સંપૂર્ણ છૂટ આપી દીધી.

અને આજે દરેક આતંકી, આંતકનું દરેક સંગઠન જાણી ગયું છે....

કે આપણી બહેન-દીકરીઓના માથા પરથી સિંદૂર હટાવવાનું પરિણામ શું આવે છે.

 

સાથીઓ,

ઓપરેશન સિંદૂર... આ માત્ર નામ નથી...

આ દેશના કોટી-કોટી લોકોની ભાવનાઓનું પ્રતિબિંબ છે.

ઓપરેશન સિંદૂર... ન્યાયની અખંડ પ્રતિજ્ઞા છે.

6 મેની મોડી રાતે... 7 મેની સવારે... આખી દુનિયાએ આ પ્રતિજ્ઞાને પરિણામમાં બદલાતી જોઈ છે.

ભારતની સેનાઓએ પાકિસ્તાનમાં આતંકાના ઠેકાણાઓ પર...

તેમના ટ્રેનિંગ સેન્ટરો પર સચોટ પ્રહારો કર્યા.

 

આતંકીઓએ સપનામાં પણ નહીં વિચાર્યું હોય તે ભારત આટલો મોટો નિર્ણય લઈ શકે છે.

પરંતુ જ્યારે દેશ એકજૂથ થાય છે... નેશન ફર્સ્ટની ભાવનાથી ભરાયેલો હોય છે.. રાષ્ટ્ર સર્વોપરી હોય છે...

તો પોલાદી નિર્ણયો લેવામાં આવે છે.. પરિણામ લાવીને બતાવવામાં આવે છે.

જ્યારે પાકિસ્તાનમાં આતંકના અડ્ડાઓ પર ભારતની મિસાઈલોએ હુમલા કર્યા....

ભારતના ડ્રોને હુમલા કર્યા...

તો આતંકી સંગઠનોની ઈમારતો જ નહીં.... પરંતુ તેમની હિંમત પણ ધરાશાયી થઈ ગઈ.

બહાવલપુર અને મુરીદગે જેવા આતંકી ઠેકાણાઓ... એક પ્રકારે ગ્લોબલ ટેરરિઝમની યુનિવર્સિટી રહ્યા છે.

દુનિયામાં ક્યાંય પણ જે મોટા આતંકી હુમલા થયા છે...

નાઇન ઇલેવન હોય...

લંડન ટ્યુબ બોમ્બિંગ્સ હોય...

કે પછી ભારતમાં દાયદાઓમાં જે પણ મોટા આતંકી હુમલા થયા છે....

તેમના તાર ક્યાંકને ક્યાંક આતંકના આ ઠેકાણાઓ સાથે જ જોડાયેલા છે.

 

આતંકવાદીઓએ આપણી બહેનોના સિંદૂર ઉજાડ્યા હતા.. આથી ભારતે આતંકીઓના હેડક્વાર્ટર્સ ઉજાડી દીધા.

ભારતે આ હુમલાઓમાં 100થી વધુ ખૂંખાર આતંકવાદીઓને મોતના ઘાટ ઉતારી દીધા છે.

આતંકના કેટલાક આકાઓ...

છેલ્લા અઢી દાયકાથી ખુલ્લેઆમ પાકિસ્તાનમાં ફરી રહ્યા હતા...

તેઓ ભારતની વિરુદ્ધ કાવતરાઓ ઘડતા હતા...

તેમને ભારતે એક ઝાટકે જ ખતમ કરી નાખ્યા છે.

સાથીઓ,

ભારતની આ કાર્યવાહીથી પાકિસ્તાન ઘોર નિરાશામાં ઘેરાઈ ગયું હતું...

હતાશામાં ઘેરાઈ ગયું હતું..

ડરી ગયું હતું...

અને આ ડરમાં જ તેમણે વધુ એક દુઃસાહસ કર્યું.

આતંક પર ભારતની કાર્યવાહીનો સાથ આપવાના બદલે પાકિસ્તાને ભારત પર જ હુમલો કરવાનું શરૂ કરી દીધું.

પાકિસ્તાને આપણી શાળાઓ- કોલેજોને... ગુરુદ્વારાઓને... મંદિરોને... સામાન્ય નાગરિકોના ઘરોને નિશાન બનાવ્યા...

પાકિસ્તાને આપણા સૈન્ય ઠેકાણાઓને નિશાન બનાવ્યા...

પરંતુ તેમાં પણ પાકિસ્તાન પોતે જ ઉઘાડું પડી ગયું..

દુનિયાએ જોઈ લીધું કે કેવી રીતે પાકિસ્તાનના ડ્રોન અને મિસાઈલો... ભારતની સામે એક તણખલાની જેમ વેરવિખેર થઈ ગયા.

ભારતની સશક્ત એર ડિફેન્સ સિસ્ટમે, તેમને આકાશમાં જ નષ્ટ કરી દીધા.

પાકિસ્તાનની તૈયારી સીમા પર પ્રહાર કરવાની હતી...

પરંતુ ભારતે પાકિસ્તાનની છાતી પર જ પ્રહાર કરી દીધો.

ભારતના ડ્રોન... ભારતની મિસાઈલોએ સચોટ નિશાન લગાવીને હુમલો કર્યો.

પાકિસ્તાની વાયુસેનાના એ એરબેઝને નુકસાન પહોંચાડ્યું...

જેના પર પાકિસ્તાનને ખૂબ અભિમાન હતું.

ભારતે પહેલા ત્રણ દિવસમાં જ પાકિસ્તાનને એટલું તબાહ કરી દીધું કે જેનો તેને અંદાજ પણ નહોતો.

આથી...

ભારતની આક્રમક કાર્યવાહી પછી... પાકિસ્તાન બચવાના રસ્તાઓ શોધવા લાગ્યું.

પાકિસ્તાન... આખી દુનિયામાં તણાવ ઓછો કરવાની વિનંતી કરવા લાગ્યું હતું...

અને ખૂબ જ ખરાબ રીતે માર ખાધા પછી તેની મજબૂરીમાં 10 મેના રોજ બપોરે પાકિસ્તાનની સેનાએ આપણા DGMOનો સંપર્ક કર્યો.

ત્યાં સુધીમાં આપણે આતંકવાદના ઇન્ફ્રાસ્ટ્રક્ચરને મોટા પાયે નેસ્ત-નાબૂદ કરી ચુક્યા હતા...

 

આતંકીઓને મોતના ઘાટ ઉતારી દીધા હતા...

પાકિસ્તાને પોતાની છાતી પર વસાવેલા આતંકના અડ્ડાઓને આપણે ખંડેર બનાવી દીધા હતા...

આથી, જ્યારે પાકિસ્તાન તરફથી વિનંતી કરવામાં આવી...

પાકિસ્તાન તરફથી જ્યારે કહેવામાં આવ્યું...

કે તેમના તરફથી આગળ કોઈ આતંકી ગતિવિધી અને સૈન્ય દુઃસાહસ કરવામા નહીં આવે...

તો ભારતે તેના પર વિચાર કર્યો.

 

અને હું ફરીથી કહી રહ્યો છું...

આપણે પાકિસ્તાનના આતંકી અને સૈન્ય ઠેકાણાઓ પર આપણી જવાબી કાર્યવાહીને હાલમાં માત્ર સ્થગિત કરી છે.

આવનારા દિવસોમાં...

આપણે પાકિસ્તાનના દરેક પગલાંને આ કસોટી પર માપીશું...

કે તેઓ શું વલણ અપનાવે છે.

 

સાથીઓ,

ભારતની ત્રણેય સેનાઓ...

આપણું વાયુદળ... આપણું સૈન્ય...

અને આપણું નૌકાદળ...

આપણા બોર્ડર સિક્યુરિટી ફોર્સ - BSF...

ભારતના અર્ધલશ્કરી દળો...સતત એલર્ટ પર છે.

સર્જિકલ સ્ટ્રાઇક અને એર સ્ટ્રાઇક પછી...

હવે ઓપરેશન સિંદૂર એ આતંકવાદની વિરુદ્ધમાં ભારતની નીતિ છે.

ઓપરેશન સિંદૂરે આતંકવાદ સામેની લડાઈમાં એક નવી રેખા દોરી છે...

એક નવું ધોરણ, એક ન્યૂ નોર્મ નક્કી કર્યું છે.

પહેલું- જો ભારત પર આતંકવાદી હુમલો થશે તો જડબાતોડ જવાબ આપવામાં આવશે.

આપણે આપણી રીતે, આપણી શરતો પર જવાબ આપીને જ રહીશું.

એ દરેક જગ્યાએ જઈને કઠોર કાર્યવાહી કરીશું, જ્યાંથી આતંકવાદના મૂળિયા નીકળે છે.

બીજું - કોઈપણ ન્યૂક્લિઅર બ્લેકમેઇલને ભારત સહન નહીં કરે.

ન્યૂક્લિઅર બ્લેકમેઇલના આડમાં ફુલી-ફાલી રહેલા આતંકવાદી ઠેકાણાઓ પર ભારત સચોટ અને નિર્ણાયક હુમલો કરશે.

ત્રીજું - આપણે આતંકવાદને સમર્થન આપી રહેલી સરકાર અને આતંકવાદના આકાઓને અલગ અલગ નહીં જોઈએ.

ઓપરેશન સિંદૂર દરમિયાન...

દુનિયાએ... ફરી એકવાર પાકિસ્તાનનું ઘૃણાસ્પદ સત્ય જોયું છે...

જ્યારે માર્યા ગયેલા આતંકવાદીઓને વિદાય આપવા...

પાકિસ્તાની સેનાના મોટા મોટા અધિકારીઓ દોડી આવ્યા હતા.

સ્ટેટ સ્પોન્સર્ડ ટેરેરિઝમનો આ ખૂબ મોટો પુરાવો છે.

અમે ભારત અને આપણા નાગરિકોને કોઈપણ જોખમથી બચાવવા માટે સતત નિર્ણાયક પગલાં લેતા રહીશું.

સાથીઓ,

યુદ્ધના મેદાનમાં આપણે આ વખતે પાકિસ્તાનને ધૂળ ચટાડી દીધી છે.

અને આ વખતે ઓપરેશન સિંદૂરે એક નવું પરિમાણ ઉમેર્યું છે.

અમે રણ અને પર્વતોમાં આપણું સામર્થ્ય શાનદાર રીતે બતાવી દીધું છે...

અને સાથે જ..

ન્યૂ એજ વૉરફોરમાં પણ આપણી શ્રેષ્ઠતા સિદ્ધ કરી દીધી છે.

આ ઓપરેશન દરમિયાન…

આપણા મેડ ઇન ઇન્ડિયા હથિયારોની પ્રમાણિકતા સાબિત થઈ છે.

આજે દુનિયા જોઈ રહી છે...

21મી સદીના વૉરફેરમાં મેડ ઇન્ડિયા ડિફેન્સ ઇક્વિપમેન્ટ્સ...

તેનો સમય આવી ગયો છે.

સાથીઓ,

દરેક પ્રકારના આતંકવાદ સામે આપણે એકજૂથ રહીએ છીએ, આપણી એકતા... એ આપણી સૌથી મોટી તાકાત છે.

ચોક્કસપણે આ યુગ યુદ્ધનો નથી...

પરંતુ આ યુગ આતંકવાદનો પણ નથી.

ટેરેરિઝમ સામે ઝીરો ટોલરન્સ... આ એક વધુ સારી દુનિયાની ગેરંટી છે.

સાથીઓ,

પાકિસ્તાની સૈન્ય... પાકિસ્તાન સરકાર...

જે રીતે આતંકવાદને પોષવામાં આવી રહ્યો છે...

તે એક દિવસ પાકિસ્તાનનો જ નાશ કરી દેશે.

પાકિસ્તાને બચવું હોય, તો તેણે પોતાના ટેરર ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો સફાયો કરવો જ પડશે.

આ સિવાય શાંતિનો કોઈ રસ્તો નથી.

ભારતનું વલણ ખૂબ જ સ્પષ્ટ છે...

ટેરર અને ટૉક, એક સાથે ન થઈ શકે...

ટેરર અને ટ્રેડ, એક સાથે ન ચાલી શકે.

અને...

પાણી અને લોહી પણ એકસાથે ન વહી શકે.

હું આજે વિશ્વ સમુદાયને પણ કહેવા માંગુ છું...

અમારી ઘોષિત નીતિ રહી છે...

જો પાકિસ્તાન સાથે વાટાઘાટ થશે... તો તે ફક્ત ટેરેરિઝમ પર જ થશે...

જો પાકિસ્તાન સાથે વાટાઘાટ થશે... તો પાકિસ્તાન ઓક્યૂપાઇડ કાશ્મીર... PoK પર જ થશે...

પ્રિય દેશવાસીઓ,

આજે બુદ્ધ પૂર્ણિમા છે.

ભગવાન બુદ્ધે આપણને શાંતિનો માર્ગ બતાવ્યો છે.

શાંતિનો માર્ગ પણ શક્તિમાંથી પસાર થાય છે.

માનવતા... શાંતિ અને સમૃદ્ધિ તરફ આગળ વધો...

દરેક ભારતીય શાંતિથી જીવી શકે...

વિકસિત ભારતનું સપનું પૂરું કરી શકે...

તેના માટે ભારત શક્તિશાળી હોય તે ખૂબ જ જરૂરી છે...

અને જરૂર પડે ત્યારે આ શક્તિનો ઉપયોગ કરવો પણ જરૂરી છે.

અને છેલ્લા કેટલાક દિવસોમાં, ભારતે આ જ કર્યું છે.

હું ફરી એકવાર ભારતની સેના અને સશસ્ત્ર દળોને... સલામ કરું છું.

આપણે ભારતીયોની હિંમત... અને દરેક ભારતવાસીની એકતાને હું સલામ કરું છું.

આભાર...

ભારત માતાની જય !!!

ભારત માતાની જય !!!

ભારત માતાની જય !!!