પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, સામાન્ય વર્ગ (જનરલ કેટેગરી)નાં ગરીબો માટે 10 ટકા અનામત ઉપલબ્ધ કરાવવા માટે બંધારણમાં સંશોધનનું બિલ ગરીબોનાં ઉત્થાન માટે એક ઐતિહાસિક પગલું છે, જે સબ કા સાથ – સબ કા વિકાસ માટે સરકારની પ્રતિબદ્ધતાને દર્શાવે છે. મહારાષ્ટ્રનાં સોલાપુરમાં એક જનસભાને સંબોધિત કરતાં તેમણે જણાવ્યું હતું કે, લોકસભાએ આ બિલને પસાર કર્યુ છે, જે લોકો તેના સંબંધમાં જૂઠાણાં ફેલાવી રહ્યાં છે એમને ઇંટનો જવાબ પત્થરથી છે. તમણે આશા વ્યક્ત કરી હતી કે, આ બિલ રાજ્યસભામાં પસાર થઈ જશે. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, અમે ગઇકાલે લોકસભામાં સામાન્ય વર્ગનાં આર્થિક રીતે નબળાં વર્ગો માટે 10 ટકા અનામત ઉપલબ્ધ કરાવવા માટે એક ઐતિહાસિક બિલ પસાર કર્યું છે. આ સબ કા સાથ – સબ કા વિકાસનાં અમારા સંકલ્પને મજબૂત બનાવે છે.
![](https://cdn.narendramodi.in/cmsuploads/0.90794500_1547019466_684-5-pm-modi-in-solapur.jpg)
નાગરિક સંશોધન બિલ વિશે પ્રધાનમંત્રીએ આસામ અને પૂર્વોત્તરનાં લોકોને ખાતરી આપી હતી કે, તેમનાં અધિકારો અને અવસરોનું રક્ષણ કરવામાં આવશે. તેમણે જણાવ્યું હતું કે, આ બિલથી પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનમાં રહેતાં ભારત માતાનાં પુત્રો અને પુત્રીઓને ભારતીય નાગરિકતા આપવાનો માર્ગ મોકળો થયો છે. ઇતિહાસનાં ઉત્થાન અને પતનને જોયા પછી આપણા આ ભાઈઓ અને બહેનો ભારતમાં સામેલ થવા ઇચ્છે છે.
![](https://cdn.narendramodi.in/cmsuploads/0.88297500_1547019505_684-8-pm-modi-in-solapur.jpg)
પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, ભ્રષ્ટાચાર અને વચેટિયાઓ સામે સરકારનું અભિયાન તેમની સામે દોષારોપણ કરવા છતાં ચાલુ રહેશે. તેમણે જણાવ્યું હતું કે, તેઓ આ દેશની જનતાનાં આશીર્વાદ અને સમર્થનથી ભ્રષ્ટાચાર અને વચેટિયા સામે લડવામાં સાહસપૂર્વક પોતાની ફરજ અદા કરતાં રહેશે.
પ્રધાનમંત્રીએ અનેક વિકાસલક્ષી યોજનાઓની શરૂઆત અને શિલાન્યાસ કર્યા પછી જનસભાને સંબોધિત કરી હતી. તેમણે પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત 30,000 મકાનોનાં નિર્માણનો શિલાન્યાસ પણ કર્યો હતો. એનાથી કચરો વીણતા, રિક્ષાચાલકો, બીડીનાં કામદારો જેવા ગરીબો અને બેઘર લોકોને લાભ મળશે. આ યોજનાનો ખર્ચ રૂ. 1811.33 કરોડ છે. તેમણે કહ્યું હતું કે, આજે અમે ગરીબો, મજૂરોનાં પરિવાર માટે 30,000 ઘરોની યોજનાનું ઉદઘાટન કર્યું છે. આ યોજનાથી કારખાનામાં કામ કરતાં, રિક્ષા ચલાવતાં અને ઑટોચાલકો વગેરેને લાભ મળશે. હું તમને ખાતરી આપું છું કે, તમારા હાથમાં બહુ ઝડપથી તમારા ઘરની ચાવીઓ હશે, મધ્યમ વર્ગનાં પરિવારો માટે સસ્તાં મકાનો બનાવવાનો પણ પ્રયાસ ચાલુ છે. હવે તેઓ 20 વર્ષનાં ગાળાની હોમ લોન પર રૂ. 6 લાખ સુધીની બચત કરી શકે છે. આ આરામ સાથે રહેવા માટે સરકારનાં પ્રયાસોને દર્શાવે છે.
![](https://cdn.narendramodi.in/cmsuploads/0.41602500_1547019524_684-3-pm-modi-in-solapur.jpg)
પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, તેઓ આ યોજનાઓનું ઉદઘાટાન કરશે, જેનું તેમણે શિલારોપણ કર્યું છે અને આ એમની પ્રતિબદ્ધતા છે. પ્રધાનમંત્રીએ નવા રાષ્ટ્રીય રાજમાર્ગ-52નો 98.717 કિલોમીટર લાંબો માર્ગ રાષ્ટ્રને સમર્પિત કર્યો હતો. આ માર્ગથી સોલાપુરની મરાઠવાડા વિસ્તાર સાથે કનેક્ટિવિટી વધારે સારી થશે. સોલાપુર-તુળજાપુર-ઉસ્માનાબાદ, રાષ્ટ્રીય રાજમાર્ગ – 52 ફોર લેન ધરાવતો માર્ગ છે. તેનો અંદાજિત ખર્ચ રૂ. 972.50 કરોડ છે. પ્રધાનમંત્રીએ વર્ષ 2014માં આ યોજનાનો શિલાન્યાસ કર્યો હતો. રાષ્ટ્રીય રાજમાર્ગ-52માં બે મોટા અને 17 નાના પુલ છે. તેમાં સુરક્ષા વિશેષતાઓ સામેલ કરવામાં આવી છે. એમાં 4 વાહન અને 10 પેડેસ્ટ્રિયન અંડરપાસ બનાવવામાં આવ્યો છે. આ ઉપરાંત તુળજાપુરમાં 3.4 કિલોમીટરનો બાયપાસ બનાવવામાં આવ્યો છે, જે શહેરની પરિવહન વ્યવસ્થાને સરળ બનાવશે.
શ્રેષ્ઠ કનેક્ટિવિટી અને જીવનને સરળ બનાવવા માટે રાજમાર્ગોનાં વિસ્તાર પ્રત્યે સરકારનાં વિઝનને રેખાંકિત કરીને પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, છેલ્લાં ચાર વર્ષ દરમિયાન લગભગ 40,000 કિલોમીટરનાં રાષ્ટ્રીય રાજમાર્ગોનું નિર્માણ થયું છે. એનો ખર્ચ લગભગ 5.5 લાખ કરોડ રૂપિયા છે. લગભગ 52,000 કિલોમીટરનાં રાષ્ટ્રીય રાજમાર્ગનું નિર્માણ ચાલી રહ્યું છે.
![](https://cdn.narendramodi.in/cmsuploads/0.14746100_1547019561_684-4-pm-modi-in-solapur.jpg)
આ વિસ્તારમાં રેલવે કનેક્ટિવિટીને શ્રેષ્ઠ બનાવવાની જાહેરાત કરીને પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, સરકારે સોલાપુર-ઉસ્માનાબાદ વાયા તુળજાપુર રેલવે લાઇનને મંજૂરી આપી દીધી છે. તેનો અંદાજિત ખર્ચ 1000 કરોડ રૂપિયા છે. તેમણે જણાવ્યું હતું કે, ઉડાન યોજના અંતર્ગત સોલાપુરથી પ્રાદેશિક એર કનેક્ટિવિટી હેતુ માટે એર ટ્રાવેલ પણ શરૂ કરવામાં આવશે.
સ્વચ્છ ભારત અને સ્વસ્થ ભારતનાં વિઝન અંતર્ગત પ્રધાનમંત્રીએ સોલાપુરમાં ભૂગર્ભ ગટર વ્યવસ્થા અને ત્રણ સુએઝ પ્રોસેસિંગ પ્લાન્ટનું લોકાર્પણ કર્યું હતું. તેનાથી શહેરનું સુએઝ કવરેજ વધશે અને ઉત્તમ સ્વચ્છતા રહેશે.
![](https://cdn.narendramodi.in/cmsuploads/0.09483900_1547019580_684-2-pm-modi-in-solapur.jpg)
પ્રધાનમંત્રીએ પાણીનાં પુરવઠા અને સુએઝ વ્યવસ્થા સાથે સંબંધિત એક સંયુક્ત યોજનાનું શિલારોપણ પણ કર્યું હતું. આ યોજના સોલાપુર સ્માર્ટ સિટીનાં ક્ષેત્ર આધારિત વિકાસનો ભાગ છે. ઉજાણી બંધથી સોલાપુર શહેરની પીવાનાં પાણીનાં પુરવઠાની વ્યવસ્થાને શ્રેષ્ઠ બનાવવા અને અમૃત મિશન અંતર્ગત ભૂગર્ભ ગટર સિસ્ટમનું નિર્માણ આ યોજનાનું મુખ્ય અંગ છે.
આશા છે કે, આ યોજનાઓથી માર્ગ અને પરિવહન કનેક્ટિવિટી, પાણીનો પુરવઠો, સ્વચ્છતા વધારે સારી થશે તથા સોલાપુર અને તેની આસપાસનાં વિસ્તારોમાં રહેતાં લોકોને રોજગારીની તકો મળશે.
![](https://cdn.narendramodi.in/cmsuploads/0.09344700_1547019650_684-9-pm-modi-in-solapur.jpg)
मुझे याद है कि पिछली बार जब मैं यहां आया था तो मैंने कहा था कि यहां जो BSP यानि
— PMO India (@PMOIndia) January 9, 2019
बिजली, सड़क और पानी की समस्या है उसको सुलझाने का प्रयास किया जाएगा।
मुझे खुशी है कि इस दिशा में अनेक प्रयास किए गए हैं।
प्रधानमंत्री ग्रामीण सड़क योजना हो या नेशनल हाईवे हो: PM
या फिर सौभाग्य योजना के तहत हर घर तक बिजली पहुंचाने का काम हो,
— PMO India (@PMOIndia) January 9, 2019
यहां सभी पर तेज गति से काम हो रहा है।
मैं फडणवीस जी की सरकार को बधाई देता हूं कि वो हर घर को बिजली देने के लिए बहुत गंभीरता से काम कर रही है: PM
सरकार ने लगभग 1 हज़ार करोड़ रुपए के लागत से बनने वाली सोलापुर-ओसमानाबाद वाया तुलजापुर रेल लाइन को भी मंज़ूरी दे दी है।
— PMO India (@PMOIndia) January 9, 2019
मां तुलजा भवानी के आशीर्वाद से जल्द ये लाइन बनकर तैयार हो जाएगी।
स्थानीय लोगों के साथ देशभर से माता के दर्शन करने आने वाले श्रद्धालुओं को भी सुविधा होगी: PM
कल देर रात लोकसभा में एक ऐतिहासिक बिल पास हुआ है।
— PMO India (@PMOIndia) January 9, 2019
सामान्य वर्ग के गरीबों को 10% आरक्षण पर मुहर लगाकर,
सबका साथ सबका विकास के मंत्र को और मजबूत करने का काम किया गया है: PM
सिटिजनशिप अमेंडमेंट बिल के में पास होने के बाद
— PMO India (@PMOIndia) January 9, 2019
पाकिस्तान, बांग्लादेश और अफगानिस्तान से आए मां भारती के बेटे-बेटियों को, भारत माता की जय बोलने वालों को भारत की नागरिकता का रास्ता साफ हुआ है
इतिहास के तमाम उतार-चढ़ाव के बाद हमारे ये भाई-बहन भारत मां के आँचल में जगह चाहते हैं: PM
राष्ट्रहित और जनहित में कड़े और बड़े फैसले लेने का है,
— PMO India (@PMOIndia) January 9, 2019
राजनीतिक इच्छाशक्ति का है।
सबका साथ, सबका विकास,
हमारी सरकार का संस्कार रहा है और
यही हमारा सरोकार रहा है: PM
सबसे बड़ा पुल हो,
— PMO India (@PMOIndia) January 9, 2019
सबसे बड़ी सुरंग हो,
सबसे बड़े एक्सप्रेसवे हों,
सब इसी सरकार में या तो बन चुके हैं या फिर काम चल रहा है।
ये सबसे बड़े हैं सिर्फ इसलिए महत्वपूर्ण नहीं हैं।
ये इसलिए भी अहम हैं क्योंकि ये वहां बने हैं जहां स्थितियां मुश्किल थीं,जहां काम आसान नहीं था: PM
आज गरीब, कामगार परिवारों के 30 हज़ार घरों के प्रोजेक्ट्स का शिलान्यास यहां हुआ है।
— PMO India (@PMOIndia) January 9, 2019
इसके जो लाभार्थी हैं वो कारखानों में काम करते हैं, रिक्शा, ऑटो चलाते हैं, ठेले पर काम करते हैं।
मैं आप सभी को विश्वास दिलाता हूं कि बहुत जल्द आपके हाथों में आपके अपने घर की चाबी होगी: PM
हमारी सरकार शहर के गरीबों की ही नहीं बल्कि यहां के मध्यम वर्ग की भी चिंता कर रही है।
— PMO India (@PMOIndia) January 9, 2019
निम्न आय वर्ग के लोगों के साथ मध्यम वर्ग के परिवारों को हम इस योजना के तहत लाए हैं।
इसके तहत लाभार्थी को 20 वर्ष तक के होमलोन पर लगभग 6 लाख रुपए तक की बचत सुनिश्चित की गई है: PM
मैं अख़बारों में देख रहा था कि हेलीकॉप्टर घोटाले के जिस बिचौलिए को विदेश से लाया गया है,
— PMO India (@PMOIndia) January 9, 2019
वो सिर्फ हेलिकॉप्टर वाली डील में ही शामिल नहीं था,
बल्कि पहले की सरकार के समय फ्रांस से लड़ाकू विमान का जो सौदा किया जा रहा था,
उसमें भी उसकी भूमिका थी: PM
कहीं मिशेल मामा की सौदेबाज़ी से ही वो डील रुक तो नहीं गई थी ?: PM
— PMO India (@PMOIndia) January 9, 2019
इन तमाम सवालों का जवाब जांच एजेंसियां तो ढूंढ ही रही हैं,
देश की जनता भी जवाब मांग रही है।
बिचौलियों के जो भी हमदर्द हैं,
उनको देश की सुरक्षा से किए गए खिलवाड़ का जवाब देना ही होगा: PM
कमीशन खोरों के ये सारे दोस्त इकट्ठा होकर चौकीदार को डराने का सपना देख रहे हैं,
— PMO India (@PMOIndia) January 9, 2019
लेकिन इनको निराशा हाथ लगने वाली है क्योंकि ये चौकीदार न सोता है और न डरता है।
चौकीदार को शक्ति आप सभी से मिल पा रही है।
वो लोग लाख मुझे गाली दें, झूट बोलें, ये सफाई अभियान जारी रहेगा: PM