Quoteપ્રધાનમંત્રીએ શ્રી ઓમ બિરલાને સર્વસંમતિથી લોકસભાના સ્પીકર તરીકે ચૂંટાવા બદલ અભિનંદન પાઠવ્યા
Quoteઓમ બિરલાજી કોટાનું પ્રતિનિધિત્વ કરે છે, જે મિનિ-ઇન્ડિયા છે, તે શિક્ષણ સાથે સંકળાયેલું છે : વડા પ્રધાન મોદી
Quoteજન સેવા ઓમ બિરલાજીના રાજકારણનું કેન્દ્રબિંદુ રહ્યું છે : વડા પ્રધાન મોદી

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ગૃહની ઉચ્ચ પરંપરાઓ અનુસાર સત્તરમી લોકસભાનાં અધ્યક્ષ તરીકે શ્રી ઓમ બિરલાની સર્વસંમતિથી થયેલી વરણીને આવકાર આપ્યો છે.

શ્રી ઓમ બિરલાને અભિનંદન પાઠવતા પ્રધાનમંત્રીએ આજે લોકસભામાં પોતાના સંબોધનમાં કહ્યું હતું કે, ગૃહનાં અધ્યક્ષ તરીકે આટલુ વિશિષ્ટ વ્યક્તિત્વ મળવું તમામ સભ્યો માટે ગર્વની બાબત છે.

તેમણે કહ્યું હતું કે, શ્રી ઓમ બિરલા વર્ષોથી જાહેર જીવનમાં છે, એક વિદ્યાર્થી નેતા સ્વરૂપે શરૂઆત કરીને તેઓ સતત સમાજસેવા કરતા રહ્યાં છે. પ્રધાનમંત્રીએ કોટા (રાજસ્થાન)નાં પરિવર્તન અને સમગ્ર વિકાસમાં શ્રી ઓમ બિરલાએ અદા કરેલી ભૂમિકાની પ્રશંસા કરી હતી.

પ્રધાનમંત્રીએ નવા ચૂંટાયેલા અધ્યક્ષ સાથે પોતાના લાંબા ગાળાનાં સંબંધને પણ યાદ કર્યા હતા. તેમણે શ્રી ઓમ બિરલાની સેવા પ્રત્યે સમર્પણ અને ધરતીકંપ પછી કચ્છનાં પુનર્નિર્માણનાં પ્રયાસો તથા પૂર પછી કેદારનાથ માટે તેમણે આપેલા યોગદાનની વાત પણ કરી હતી. તેમણે કહ્યું હતું કે, સત્તરમી લોકસભાને એનાં અધ્યક્ષ સ્વરૂપે એક સહૃદય નેતા મળ્યાં છે.

પ્રધાનમંત્રીએ અધ્યક્ષને આશ્વાસન આપ્યું હતું કે, તેમને ગૃહની કામગીરીનું સફળતાપૂર્વક સંચાલન કરવામાં સભ્યોનો સંપૂર્ણ સહયોગ મળશે.

Click here to read full text speech

Explore More
દરેક ભારતીયનું લોહી ઉકળી રહ્યું છે: મન કી બાતમાં વડાપ્રધાન મોદી

લોકપ્રિય ભાષણો

દરેક ભારતીયનું લોહી ઉકળી રહ્યું છે: મન કી બાતમાં વડાપ્રધાન મોદી
A windfall is coming for India's surging defence exports

Media Coverage

A windfall is coming for India's surging defence exports
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
PM Modi extends greetings on the occasion of Lord Jagannath’s Rath Yatra
June 27, 2025

The Prime Minister Shri Narendra Modi today extended greetings on the auspicious occasion of Lord Jagannath’s Rath Yatra.

In separate posts on X, he wrote:

“भगवान जगन्नाथ की रथ यात्रा के पवित्र अवसर पर सभी देशवासियों को मेरी ढेरों शुभकामनाएं। श्रद्धा और भक्ति का यह पावन उत्सव हर किसी के जीवन में सुख, समृद्धि, सौभाग्य और उत्तम स्वास्थ्य लेकर आए, यही कामना है। जय जगन्नाथ!”

“ପବିତ୍ର ରଥଯାତ୍ରା ଉପଲକ୍ଷେ ହାର୍ଦ୍ଦିକ ଶୁଭେଚ୍ଛା ।

ଜୟ ଜଗନ୍ନାଥ!”